________________
સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ તેઓ પલીપતિની પાસે ગયા અને ધનદેવને ત્યાં રજુ કર્યો. ધનદેવની ઓળખાણ
એટલામાં ત્યાં રહેલા દેવશર્માએ તેને જોઈ શકાતુર મુખે પલ્લી પતિને કહ્યું કે, હે સ્વામિન્ ! આ તે મહાનુભાવ તે ધનદેવ છે, અરે ! આવી દુર્દશાને આધીન આ શાથી થઈ પડયો ? એમ આકંદ કરતે વળી તે છે ,
હે નાથ! આપના પુત્રને વેગીઓએ જ્યારે પકડયા હતું, ત્યારે કેઈપણ કારણ સિવાય પરોપકારની બુદ્ધિથી જેણે લક્ષ સેવૈયા આપી મુક્ત કર્યો હતે, તેજ આ ધનધમ શ્રેષ્ઠીને પુત્ર ધનદેવ છે,
વળી તે આપણે જયસેન કુમારનો જીવિત દાતા અને પરમ ઉપકારી છે. એવા આ પુરૂષની–અધન્ય એવા આપણે આવી સ્થિતિ કેમ કરી?
એ પ્રમાણે દેવશર્માનું વાકય સાંભળી એકદમ સંબ્રાંત લોચનવાળે થઈ સુપ્રતિષ્ઠ પલ્લીપતિ કહેવા લાગે,
અરે! આ ભાગ્યશાળી મહાપુરૂષને મુક્ત કરે! મુક્ત કરો ! તે સાંભળી પોતાની પાસે ઉભેલા પુરૂએ તત્કાલ તેને બંધનોથી નિમુક્ત કર્યો.