________________
.૩૦૦
- સુરસુંદરી ચરિત્ર હે સંપુરૂષ! આ મારી પુત્રીને આપે જીવિતદાન આપ્યું. માટે આપના ઉપકારથી સદૈવ અમે ઋણી છીએ.
અહે! પુરૂષના ઉપકારની સીમા હોતી નથી. કહ્યું છે;' મન, વચન અને કાયાને વિષે પુણ્યરૂપી અમૃતથી - ભરેલા, ત્રણે લોકને અનેક ઉપકારોની શ્રેણુએ વડે પ્રસન્ન કરતા અને હંમેશા પારકાના પરમાણુ સમાન ગુણેને પર્વત સમાન માનીને પિતાના હૃદયને વિષે અહર્નિશ • ઉલ્લાસ પામતા એવા કેટલાક પુરૂષે આ દુનિયામાં વિદ્યમાન છે.
આપના અનન્ય ગુણોનું વર્ણન કરવા હું સમર્થ - નથી, એમ કેટલીક તેણીએ પ્રશંસા કરીને; હે પ્રિયતમ ! પછી આપને કહ્યું;
- હવે અમે અમારા નગરમાં જઈએ છીએ. કારણ કે અમારે જવાનું બહુ મોડું થાય છે. એમ કહી તે ચાલી;
પછી મેં મારા મનમાં વિચાર કર્યો,
બહુ પુણય વડે આજે પ્રિયનું દર્શન થયું છે. તેને -મૂકીને અહીંથી ચાલવા માટે મારું હૃદય માનતું નથી.
આ પ્રિયના મુખકમલના નિરીક્ષણને ત્યાગ કરીને અહીંથી જવા માટે આ મારી દષ્ટિ કાદવમાં ખૂંપી ગયેલી ટુર્નલગાયની જેમ અશક્ત થઈ પડી છે.