Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 448
________________ ૩૧૯ સુરસુંદરી ચરિત્ર ત્યારપછી મેં કહ્યું, જે થવાનું હતું તે થઈ ગયું. હવે અહીં બહુ વિચાર કરવાથી શું થવાનું ? જે કંઈ મારા પુણ્યમાં હશે તેમ થશે. હે મિત્ર! જેમ આ સ્ત્રીનો સમાગમ બહુ દુર્લભ હતું, છતાં પણ એની પ્રાપ્તિ થઈ, તેવી રીતે ભવિતવ્યતાને લીધે અન્ય પણ સારું થશે. તે સાંભળી ચિત્રગતિ બેલ્યો. હે મિત્ર ! નિશ્ચયમત વડે તે તારું કહેવું એકંદર સત્ય છે. પરંતુ આ પ્રમાણે પગ પહોળા કરી બેસી રહેવું, તે કઈ પણ રીતે યોગ્ય નથી. ત્યારપછી મેં કહ્યું. આ પ્રમાણે આ કાર્યની અવ્યવસ્થા છે, છતાં હવે હાલમાં જ કરવાનું હોય તેની વ્યવસ્થા તારે પિતે જ મુકરર કરવી જોઈએ. હવે ચિત્રગતિ છે. હાલમાં અહીંથી પ્રયાણ કરવું ઉચિત છે. પરંતુ પોતાના નગરમાં નહીં જતાં કે અન્ય સ્થળે જવું. હે મહાભાગ ! આ સ્થાનમાં આવે આપણને બહ સમય થઈ ગયો છે, માટે હાલમાં આપણે અહીં કાલક્ષેપ કરવું નહીં. વળી હે મિત્ર! જેમ આપણા શરીરની હાનિ ન

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450