________________
સુરસુંદરી ચરિત્ર
૩૧૧
મેરૂપર્વત જે કે ચલાયમાન થાય. સર્વે સમુદ્રો પ્રલયને પામે, અર્થાત્ સુકાઈ જાય.
પરંતુ શ્રી કેવલીભગવાને કહેલા ભાવાર્થ અન્યથા થાય નહીં.
માટે શું આ કનકમાલા છે ? કિંવા તે મારો પ્રાણપ્રિય છે?
એ નિશ્ચય કરવા માટે મારી મુદ્રિકા બતાવીને એને હું નિઃશંક કરૂં.
એમ વિચાર કરી હું તમારી પાસે આવી અને મુદ્રિકાથી સુશોભિત એ મારો હાથ મેં તમને બતાવ્યો.
હે પ્રિયતમ ! પછી તમે પણ મુદ્રારત્ન સહિત પિતાનો હાથ મને બતાવ્યો. એટલે મને એકદમ વિશ્વાસ બેઠે, આ તે મારો સ્વામી છે.
જુઓ તો ખરા ! આવી કપટવૃત્તિ કરીને પણ આ સુભગ કે નિઃશંકપણે રહ્યો છે ! નવાહન રાજકુમારથી કિંચિત્ માત્ર પણ આ કેમ ભય પામતું નથી ? પરંતુ એને અહીંથી મુક્ત કરવાને કંઈ પણ ઉપાય
એમ વિચાર કરી ત્યાં રહેલા સર્વે સખીજનને છેતરીને કપટવૃત્તિ વડે હું આ અશક્વાટિકામાં આપને લાવી.