Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 432
________________ ૩૦૩ સુરસુંદરી ચરિત્ર માટે હે પ્રિયસખી ! મારી ઉપર બિલકુલ તું રોષ કરીશ નહીં. મારું કહેવું બરોબર સત્ય છે. કંઈપણ અઘટતું નથી. એમ કેટલાક વિકલ્પ કરતી તે ધારિણીની સાથે હાસ્ય વિનોદ કરતી હું પિતાના ઘેર જઈ પહોંચી. તેટલામાં અનુક્રમે સૂર્ય પણ આથમી ગયો. ત્યારબાદ મારી સખી ધારિણુએ જાતિસ્મરણાદિક સર્વ મારૂં વૃત્તાંત મારી માતાની આગળ કહ્યું. તે સાંભળી મારી માતા બહુ જ ખુશી થઈ. અશનિવેગ વિધાધર | મારી માતા પણ તરત જ મારા પિતા અશનિવેગની પાસે ગઈ અને આ સર્વ મારી હકીકત તેમની આગળ નિવેદન કર્યું. તે સાંભળતાં જ તેમનું હૃદય બહુ પ્રફુલ્લ થઈ ગયું અને તેમણે કહ્યું. હે સુંદરી ! આ કન્યાની મને ઘણું ચિંતા રહેતી હતી. કારણ કે તે પુરૂષ દ્રષિણી સ્વભાવથી જ થયેલી હતી. કેઈપણ વરની તે ઈચ્છા કરતી ન હતી. હવે એને હું શું કરીશ ? એમ અનેક પ્રકારની મને ચિંતા હતી. એને જે જાતિસ્મરણ થયું તે બહુ જ સારૂ થયું. તેથી આપણે પણ મહાન્ ઉદય સમજો. કારણ કે અંકુરના સમયે વૃષ્ટિપાત થયો. | ત

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450