Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 412
________________ ૨૮૩ સુરસુંદરી ચરિત્ર હે નાથ! સુવર્ણ અને મણિરત્નથી વ્યાપ્ત એવું આ વિમાન પણ તેનું તેજ છે, પરંતુ આપના અભાવને લીધે ઘડીયાળના ઘરની માફક શૂન્ય લાગે છે. હે નાથ ! પ્રિય વચન બોલીને આનંદ આપતે. અને વિનય કરવામાં બહુ જ દક્ષ એ આ ભૂલ્યવર્ગ પણ આપના વિરહને લીધે મને પરમાધામી દેવ સમાન અપ્રિય લાગે છે. હે પ્રાણવલ્લભ! પુનાગ, નાગકેસર, ચંપક, નમે. અને મંદાર વિગેરે દિવ્ય વૃક્ષેથી વિભૂષિત અને રમણીય એવા આ ઉધાન પણ આપના સમાગમ ના બદ. ધારાઓના વનની માફક અસહ્ય લાગે છે. સ્વચ્છ જલથી ભરેલી મને હર અને ઉત્તમ એવી . સ્નાન કરવાની આ વાવડીઓ પણ આપના વિરહ વડે વૈતરણી નદી સમાન ભાસે છે. જે સ્ત્રીઓ મરેલા પતિની પાછળ પિતાના દેહને ત્યાગ કરે છે, તે ભૂલોકવાસી નારીઓને ધન્યવાદ ઘટે છે. આ દેવ ભવને વિષે તે પણ મારાથી થઈ શકે તેમ નથી. હવે હું શું કરું? એ પ્રમાણે બહુ વિલાપ કરતી તે દેવી પોતાના હાથ વડે છાતી કુટવા લાગી અને કરૂણ શબ્દ વડે રૂદન. કરતી આકંદ કરવા લાગી. ક્ષણમાત્રમાં અસહ્ય દુખને આધીન થઈ પડી અને. તરત જ મૂર્શિત થઈ નિરાધાર પૃથ્વી પર પડી ગઈ

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450