________________
૨૮૨
સુરસુંદરી ચરિત્ર
કેટલોક સમય વ્યતીત થતાં મૂચ્છ ઉતરી ગઈ એટલે તે દેવી કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. ચંદ્રપ્રભાને વિલાપ
હા! નાથ હા ! પ્રાણવલ્લભ ! મને એકલી મૂકીને આપ કયાં ગયા?
હે દેવ ! હે પ્રિયપતિ! તમારા વિના હવે હું કોના શરણે જવું?
હે નાથ ! મારા વિના આપ ક્ષણમાત્ર અથવા લેશમાત્ર પણ રહી શકતા ન હતા, છતાં નેત્રને આનંદ આપનાર એવા હે સ્વામિન્ ! મને અહીં મૂકીને આપ ક્યાં ચાલ્યા ગયા ?
હે દેવ ! તમે જ મારું શરણ છો. તમે જ સ્વામી અને તમે જ મારું જીવિત છે.
હે સ્વામિન! તમને છોડીને “આપ કહે ” હાલમાં હું કયાં જાઉં?
હા પ્રિયવલલભ! મને અનાથને એકલી અહીં રખડતી મૂકીને તમે કયાં ગયા ?
હે સ્વામિન ! આપે જ્યારે મને ત્યજી દીધી તે પછી હાલમાં અન્ય મા કેણ શરણ?
હે નાથ ! હજારો દેથી સુશોભિત અને મને હર ! . એ આ દેવલોક તેને તેજ છે; પરંતુ તમારા વિના
આ સર્વ મને હાલમાં નરક સમાન ભાસે છે.