Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 420
________________ સુરસુંદરી ચરિત્ર ૨૯૧ વળી આ સંસારમાં જન્મ, જરા, રોગ, મરણ અને સેંકડો દુકાને હેતુ આ પ્રમાદ છે અને તેના વશ થયેલા પ્રાણીઓ ઘર એવા ભવસાગરમાં ભમ્યા કરે છે. માટે હે મુમુક્ષુપુરુષો ચેતે ! ચેતે !! ચેતે !!! આ પ્રમાદરૂપી પિશાચને ત્યાગ કરે અને સંસાર સમુદ્રમાં નાવ સમાન શ્રી જનધર્મને વિષ સ્થિર મન કરીને ઉત્તમ પ્રકારે તમે ઉઘુક્ત થાઓ. | હે મહાનુભાવે ! ખરેખર આ સંસારમાં બંધુસમાન સમ્યફવ ધર્મ ગણાય છે. અન્ય બંધુઓ તે સ્વાર્થને સંબંધ ધરાવે છે, માત્ર ધર્મ એક જ પ્રાણીઓને સદાને માટે સુખદાયક કહ્યો છે. કહ્યું છે કે જ્યાં સુધી મનુષ્ય કાર્યદક્ષ હોય છે, ત્યાં સુધી દ્રવ્યાદિક સર્વ પદાર્થો પિતાને ઉપગ થઈ પડે છે. જ્યારે આ જીવ દેહનગરને ત્યાગ કરી લેકાંતરમાં પ્રયાણ કરે છે, ત્યારે દ્રવ્યસંપત્તિઓ પૃથ્વીમાં દાટેલી હોય તે તેઓ ત્યાં ને ત્યાં જ રહે છે. હાથી, ઘોડા અને બળદ વિગેરે પશુઓ પોતપોતાના સ્થાનમાં બાંધ્યા રહે છે. પિતાની પ્રાણપ્રિયા ભાર્યા બહુ શેકાકુલ થઈ હાયમીટ કરતી ઘરના દ્વાર સુધી અનુગમન કરે છે.

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450