________________
સુરસુંદરી સ્ત્રિ ધારિણી ! મારા શેહનું કારણ તમોએ જે મને પૂછયું, તે સવ મેં તમને કહ્યું. હવે કાંઈ બાકી રહ્યું નથી. ધારિણુસખી
હે ભદ્રે ! હવે તારે કંઈપણ શેક કરવાનું કારણ રહ્યું નથી. કેમકે, શ્રી કેવલીભગવાનનું વચન કેઈ દિવસ અન્યથા થાય નહીં.
જ્ઞાની પુરૂષ જે જે કહે છે, તે સત્ય જ થાય છે.
માટે તારે હવે આનંદમાં રહેવું, એમના વચન પ્રમાણે તારો મનોરથ સિદ્ધ થશે.
આ પ્રમાણે ધારિણીનું વચન સાંભળી મને કિંચિત હાસ્ય આવ્યું.
પછી મેં કહ્યું
હે સુતનુ! તારા કહેવા પ્રમાણે તે વાત ખરી છે. પરંતુ અતિ ઉઠાને લીધે મારું હૃદય બહુ જ ઉતાવળું થાય છે. - એ પ્રમાણે હું ધારિણીની સાથે વાત કરતી હતી, તેટલામાં હે પ્રિયતમ ! ચપકમાલા નામે મારી માતા મારી પાસે આવી મને કહેવા લાગી;
હે પુત્રી ! તું જલદી સ્નાન કરીને ભજન કરી લે. પછી ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભરણ પહેરી જલદી તું તૈયાર થા.
તે સાંભળીને મેં કહ્યું કે, હું જનની ! આજે હજુ પ્રણાત કાળ તે થયો પણ નથી, છતાં આટલી બધી