________________
સુરસુંદરી ચરિત્ર
૨૧૭ અરે ! અકસ્માતુ આવા અલૌકિક નગરની આવી સ્થિતિ શાથી થઈ હશે ? શું આ ઇદ્રજાલ હશે? ખરેખર ઉજજડ થયું હશે ?
કોપાયમાન થયેલો કેઈક દેવ આ સ્થાનમાંથી સમગ્ર વસ્તિને શું અન્યત્ર હરી ગયો હશે ? કેઈના પણ ભયને લીધે આ નગરમાંથી સર્વ લેકે નાસી ગયા હશે ?
એમ વિચાર કરતા તે ચિત્રગતિ નગરની અંદર આગળ પ્રવેશ કરે છે, તેટલામાં સન્મુખ આવતા એક પુરૂષ તેના જેવામાં આવ્યા; અને તેણે બહુ સત્કારપૂર્વક મધુર વાણી વડે આગંતુક પુરૂષને પૂછ્યું.
હે ભદ્રમુખ ! આ ભવ્ય નગર અકસ્માત્ શાથી ‘ઉજ્જડ થયું છે ?
તે પુરૂષ બલ્ય,
હે મહાશય ! આપના પ્રશ્નનો જવાબ હું કહું છું, તે આપ સાંભળો. કનકપ્રભ વિદ્યાધરેંદ્ર
પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી ગર્વિષ્ટ થયેલો, મહાપરાક્રમી અને વિદ્યાધરને અધિપતિ કનકપ્રભ નામે રાજા આ નગરનું પાલન કરે છે, આ વાત સુપ્રસિદ્ધ છે.
તે વિદ્યારે પોતાના જયેષ્ઠબંધુ જવલન પ્રભની પાસેથી પિતાએ આપેલા રાજ્યને ખેંચી લઈ પોતાની સત્તા ચલાવી એટલું જ નહીં પરંતુ તેને રાજ્યમાંથી પણ