________________
૨૫૯
સુરસુંદરી ચરિત્ર પિતાના પલંગમાં સુતેલો પરપુરૂષ તેણના જોવામાં આવ્યો કે તરતજ તે ભયથી ચમકી ઉઠી, અને એકદમ પવનથી હણાયેલી સુકમલ તરૂલતાની માફક તે બહુ કંપવા લાગી;
ત્યાર પછી ભયભીત હૃદય વડે તે વિચાર કરવા લાગી; તે મારા પિતાને પતિ કયાં ગયે હશે?
દુઃખે કરીને પણ જેમાં પ્રવેશ અશક્ય છે એવા આ ઘરની અંદર આ અન્ય પુરૂષ કેવી રીતે આવ્યું હશે ?
આ પાપીએ શું મારા પ્રાણપ્રિયને મારી નાખ્યો હશે?
આ મારો તે પ્રાણપતિ જ હશે. પરંતુ મને વિપરીત ભાસ થવાથી અન્ય પુરૂષના સરખો તે લાગે છે.
જરૂર આ મારે સ્વામી નથી, એ મારે નિશ્ચય સત્ય છે.
આ કેઈપણ દિવ્ય અનુકરણ કરનારે અપૂર્વ વિદ્યાધર દેખાય છે. તેમજ પારકા ગૃહમાં પ્રવેશ કરીને આ પુરૂષ અત્યંત વિશ્વાસુ બની સુઈ ગયો છે.
જરૂર આમાં કાંઈપણ કારણ હેવું જોઈએ. કદાચિત્ કેઈ અન્ય પુરૂષ હશે અથવા મારો સ્વામી હશે તે પણ મારે આ વખતે યથાસ્થિત આ બાબત મારી સાસુને જણાવવી જોઈએ, વળી જે આ હકીક્ત કોઈ પણ કારણને લીધે હું પિતાની સાસુને ન જણાવું તે જન્મપર્યત મારે, માથે દુસહ એવું મોટું કલંક આવી પડે.