________________
૨૬૩
સુર દરી ચરિત્ર આકાશમાં ઉડશે કે તરત જ તે ફરીથી દેડકાની માફક પૃથ્વી ઉપર નીચે પડે.
અને નષ્ટ થઈ છે ઉત્તમ વિદ્યા જેની એ તે વિદ્યાધરને કુમાર ક્ષણમાત્રમાં બહુ પામર અવસ્થામાં આવી પડે. ' ' ત્યારબાદ તે પુરૂષની તેવી સ્થિતિ જોઈ સુદર્શના બેલી,
હે પાપિષ્ઠ ! કેમ તું બોલતો નથી ? મારા પુત્રની તે શી વ્યવસ્થા કરી છે? ખરેખર જે સત્ય વાત હોય. તે તું જલદી પ્રગટ કર?
એમ સુદર્શનાએ બહુ તિરસ્કારપૂર્વક તેને કહ્યું તે પણ; તે વિદ્યાધરકુમાર નીચું મુખ કરી કંઈ પણ બે નહીં;
ત્યારે ત્યાં આવેલા સર્વલેકે અનેક પ્રકારના વિતર્ક કરી કહેવા લાગ્યાઃ
આ પુરૂષ દ્રવ્યના લેભથી આ શેઠના ઘરમાં ચોરી કરવા પેઠેલો છે.
વળી કેટલાક લોકો કહે છે કે,
જે ચાર હોય તે તે આ વસુમતિના શયન પર આવીને શા માટે સુઈ રહે? " તેથી એમ સમજાય છે કે, પરસ્ત્રીમાં લંપટ એવે આ પુરૂષ અહીં આવ્યા છે. - તેમજ અન્ય લોકો કહે છે