________________
સુરસુંદરી ચરિત્ર
પ૭ બાણની સમૃદ્ધિવાળા કામદેવનું ઉપહાસ કરતા હોય ને શું? તેમ અકસ્માત પ્રગટ થયું છે. કમલાવતી
તે વારે બહુ ખુશી થઈ રાણી નરેન્દ્રને કહેવા લાગી, હે મહીનાથ ! સર્વઋતુઓમાં આ વર્ષાઋતુ અધિક ગણાય છે. વળી વિરહ જનેને છોડી અન્ય કામી જનેને આ વર્ષાઋતુ બહુ સુખદાયક થાય છે. તેમજ ગરીબ વાછરડાઓ ઘાસ અને ઔષધિ વગેરે સર્વ જીવોને આ વર્ષાઋતુ ખાસ જીવનરૂપ છે.
રાજા કિચિંત હાસ્ય કરી બેલ્યા, હે દેવી ! તારું કહેવું સત્ય છે કારણ કે, આ દુનિયામાં એ કહેવત સંભળાય છે કે, પોતે ધરાયેલા પુરુષે આદરથી દિગ્ય મંડળને પણ ધરાયેલું જુએ છે. તેમજ હે પ્રિયે ! તું સુખી એટલે સર્વને સુખીયા માને છે.
વળી હે દેવી! સર્વ ઋતુઓ પણ પુણ્યવંત છને સુખદાયક થાય છે અને પુન્યહીન જીને વર્ષાઋતુ પણ દુઃખદાયક થાય છે. - અરે ! આ જે તે ખરી! અર્ધ ભાગમાં સુધારેલી આ જીણું ઝુપડીમાં સેંકડે અનર્થ અથવા પાણીની ધારાએથી પીડાતાં બાળકે દયાજનક રૂદન કરી રહ્યાં છે.
અરે! આ ઝુપડું તે પડવા બેઠું , એક પણ - જલધારા ઘરની બહાર જવા પામતી નથી. છોકરા બિચારાં