________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
સાંખ્યમત :
સાંખ્યશાસ્ત્રમાં પ્રકૃતિમાંથી બુદ્ધિ, પચત્માત્રા, પંચમહાભૂત વગેરેની ઉત્પત્તિને વાત કરવામાં આવી છે, એ જ પ્રમાણે યોગચૂડામણી ઉપમાં પણ સૃષ્ટિ નિમાર્ણની રજૂઆત છે. તાવત એ છે કે રાખ્ય પુરુષને દષ્ટા અને ચેતન માને છે અને અવ્યક્ત એવી જડ પ્રકૃતિમાંથી સૃષ્ટિ સર્જન થાય છે, જયારે અહીં ૐ સ્વરૂપ જે નિત્ય, શુદ્ધ બુધ સ્વરૂપ, નિરંજન, નિર્વિકલ્પ, નામ રહિત, જે પરબ્રહ્મ છે, તેણે સ્વયં જ્યોતિરૂપ પરાશક્તિને ઉત્પન્ન કરી. આ પરાશક્તિ(આત્મામાંથી આકાશની ઉત્પત્તિ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ. અગ્નિમાંથી ૪૯, જલમાંથી પૃથ્વિની ઉત્પત્તિ થઈ. છા.૧પ.નાં આકાશમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ અથવા ત્રિવૃન્કરણનાં સિદ્ધાંતમાં આ બાબત દષ્ટિગોચર થાય છે. સાંખ્યમાં અવ્યકત પ્રકૃતિમાં સામ્યવસ્થામાં રહેલાંત્રિગુણમાં ક્ષોભ ઉત્પન્ન થતાં પ્રપના ભોગ-મોક્ષ માટે સૃષ્ટિ રાર્જન થાય છે. જયારે અહીં સ્વયં પરમાત્મા જયોતિરુપ પરાશક્તિને ઉત્પન્ન કરે છે અને તેનો વિસ્તાર કરે છે. સાંખ્યમાં પંચમહાભૂતોના સ્વામીની વાત નથી, જ્યારે અહીં પંચમહાભૂતનાં અધિપતિઓમાં સદાશિવ, ઈશ્વર, દ્ધ, વિષ્ણુ અને બ્રહ્મા છે. તેમાં બ્રહ્મા ઉત્પત્તિ, વિષ્ણુ, પાલન અને સદ્ધ સહાર કરતાં છે, જે આ ઉપ. પુરા સમયનું છે તેમ દર્શાવે છે અથવા આ વિચાર પૌરાણિક સમયમાં વિશેષ પ્રચલિત બન્યો છે.
બ્રહ્મા-વિષ્ણુ અને રુદ્ધ એ અનુક્રમે રજો --સત્વ અને તમોગુણનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં સર્વ પ્રથમ બ્રહ્મા ઉત્પન્ન થયા તેમાં રજોગુણનું પ્રાધાન્ય છે, જે કાર્ય કરવાનો ગુણ ધરાવે છે, તેથી તે સૃષ્ટિની રચના કરે છે. જયારે વિષ્ણુ પાલન અને રુદ્ધ સંહાર કરે છે.
બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે ત્યારે ભૂઃ ભુવઃ સ્વઃ મહ: જનઃ તપઃ સત્ય એ સાત લોક અને અતલ–વિલ–સુતલ-તલાતલ–રસાતલપાતાલ અને પૃથ્વી એ સાત લોકની સૃષ્ટિ રચે છે. આ સૃષ્ટિમાં દેવસૃષ્ટિ, પક્ષી સૃષ્ટિ, નરસૃષ્ટિ અને સ્થાવર સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. સાંખ્યમાં પણ આ જ પ્રમાણે સુષ્ટિ વિભાજન છે. તેમાં જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, જ્ઞાન, વિષય, પ્રાણ વગેરે પચવાયુ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ સ્થૂળરૂપે કલ્પવામાં આવ્યાં છે. તે સ્થૂળરૂપે પ્રકૃતિ છે, તેમાં પંચ જ્ઞાનંન્દ્રિય, પંચ કત્રિય, જ્ઞાન, વિષય, પંચવાય. મન, બુદ્ધિએ ૧૯ તત્ત્વો સૂમરૂપ 'લિંગ' શરીર કવાય છે. સાંખ્યમાં પંચજ્ઞાનેંદ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચતન્માત્રા, મન, બુદ્ધ, અહંકાર એમ અઢાર તત્વોનું સૂક્ષ્મ શરીર માને છે, જયારે વેદાન્તસાર અહંકારને બુદ્ધિમાં સંલગ્ન ગણીને ૧૭ તત્ત્વનું સૂક્ષ્મ શરીર માને છે. મનુષ્યનાં પુનર્જન્મ માટે આ સૂક્ષ્મ શરીર જ કારણભૂત છે, કારણ કે પંચમહાભૂતનાં બનેલા દેહનો નાશ થતાં મને
For Private And Personal Use Only