________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ઉપલબ્ધ થાય છે. અહીં રત્નો એટલે સામાન્ય રત્નો નહીં પરંતુ પોતાની અંદર રહેલા સાચા ખજાનાની જાણ થાય છે ? (૪) દયા ?
બધા જ જીવોને પોતાના સમાન માનવા અને મન, વાણી અને દેહ દ્વારા તેના તરફ આત્મીય ભાવ રાખવો તે દયા છે." (૫) આર્જવ (જુના) :
શત્રુ, મિત્ર, પુત્ર, સ્ત્રી તથા પોતાના આત્મામાં પણ સમાન ભાવ રાખવો તે આર્જવ માનવામાં આવે છે.
અહંપણાનો ત્યાગ કરી સર્વ ભૂતપ્રતિ મન, વાણી અને શરીરે કરીને નમ્રતા તથા સરળતા રાખવી એ આર્જવ છે."*
સર્વ પ્રાણીઓ પર અનુકંપા રાખવી એ સર્વ માણસોનો સામાન્ય ધર્મ છે, માટે મોક્ષ સાધકે પોતાના રાધનને બાધ • આવે એવી સામાન્ય દયા રાખવી. અત્યંત દયા કરવારૂપ આ સાધનનું અનુષ્ઠાન કરવાથી મુખ્ય સાધનની નિવૃત્તિરૂપ બંધન થાય છે. જેમ ભરતરાજાને મૃગનું બચ્ચું પાળવાથી તે બંધનરૂપ થયું હતું. અત્યંત દયાલુપણનો તથા અત્યંત ઉપેક્ષાનો ત્યાગ કરી સર્વત્ર સમાન રીતે વર્તવાનો શ્રી આચાર્ય ભગવાને પણ બાંધ આપેલ છે. ૪ (૬) બ્રહ્મચર્ય :
આત્મદર્શન માટે બ્રહ્મચર્ય આવશ્યક છે. મહર્ષિ વ્યાસ ગુપ્લેન્દ્રિયનાં સંમિન જ બહ્મચર્ય કહે છે, જ્યારે શ્રી જા. દ. ઉપ જણાવે છે કે – મન, વાણી અને દેહ દ્વારા નારી—સંગનો પરિત્યાગ અથવા ઋતુકાળમાં ધર્મબુદ્ધિથી પત્નીનો સંગ કરવો તે બ્રહ્મચર્ય કહેવાય છે. કામ-ક્રોધ વગેરેને દબાવીને પરબ્રહ્મ પરમેશ્વરના ધ્યાનમાં મન લગાવી રાખવું તે પણ બ્રહ્મચર્ય છે."
બ્રહ્મચર્ય દ્વારા જ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.
શ્રીમદ ભગવદગીતા પણ મો સાધના માટે બ્રહ્મચર્યને આવશ્યક ગણાવે છે. " (૭) ક્ષમા :
શત્રુઓ દારા મન, વાણી અને દેહ દ્વારા પીડા આપવામાં આવે તેમ છતાં ચિત્ત, બુદ્ધિમાં જરા પણ લોભ ઉત્પન ન થવા દેવા તે ક્ષમા છે.”
For Private And Personal Use Only