________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય તેવું પોતાશ્રીના પૂર્વજાગૃત સ્વભાવ પ્રમાણે બે વર્ષ પહેલાં સં. ૧૯૮૫માં કરી તે રજીસ્ટર કરાવી રાખ્યું હતું. તે ઉપરથી વકીલોની સલાહ પ્રમાણે હાજર રહેલાં ટ્રસ્ટીઓ વ્યવહાર સંભાળી લે તેમ નિશ્ચિત થયું અને તે પ્રમાણે કરવામાં આવ્યું." આ ઉપરાંત એક કવરમાં આનંદાશ્રમન વહીવટ સંબંધે અલગથી પણ સૂચના કૃપાનાથે કરેલા હતાં.
આ પ્રમાણેની પૂર્વ વ્યવસ્થા કરી; સંવત ૧૯૯૭નાં આર્થિનવદિ ૧૧ને શુક્રવારનાં રોજ શૌચ ક્રિયા પૂર્ણ થયા બાદ પાટ ઉપર બેઠા પછી થોડીકવારમાં જ રક્તાશયની ક્રિયા બંધ પડી અને તેઓશ્રીનો આત્મા આ સ્થૂળ દેહ છોડી પરમતત્ત્વ સાથે લય પામ્યો.
તેઆંશ્રીની આજ્ઞા અને વ્યવસ્થા પ્રમાણે જ આશ્રમનો વ્યવહાર ચાલે છે. એવા શ્રી સદ્ગુરૂનાં ચરણકમલમાં વારંવાર સાષ્ટાંગ પ્રણામ.
૫૦
For Private And Personal Use Only