________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1 મન :
જગતના બંધનમાં પડેલ પ્રાણી હું નથી; મારાથી ભિન્ન કોઈપણ વસ્તુનું અસ્તિત્વ નથી. જેવી રીતે ફીણ અને લહેરો સમુદ્રમાંથી જ ઉત્પન્ન થાય છે અને સમુદ્રમાં જ વિલીન થાય છે. તેમ આ જગતુ મારામાંથી જ ઉત્પન થાય છે અને મારામાં જ લય પામે છે. આ સૃષ્ટિનું કારણભૂત મન પણ મારાથી અલગ નથી. માયા પણ મારાથી અલગ નથી. આ પ્રમાણે જે પુરુષ પરમાત્મામાં પોતાના આત્મારૂપ મનને લગાવે છે. તે અમૃતમય ભાવને પ્રાપ્ત કરે છે. અર્થાત્ મોક્ષને માટે મન’ જ કારણભૂત છે.
ચર્ચાનો સારાંશ એ છે કે, નિષ્કામભાવે કર્મ કરવાથી અનેક જન્મોએ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ મોક્ષમાટે 'મન' કારણભૂત છે. કારણ કે, જેવાં ભાવ સાથે કર્મ કરવામાં આવે તેવું ફળ પ્રાપ્ત થાય છે. શુક્ર ભાવનાનું શુભ, અને દુષ્ટ ભાવનાનું ફળ પ્રાપ્ત થાય છે. યાદિકમ મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ છે; તેના મોક્ષ પ્રાપ્ત થતી નથી, પરંતુ મનશુદ્ધિમાં મદદરૂપ બને છે. તેથી જ યજ્ઞ વગેરે " મમ"ની ભાવના સાથે કરવાનું ગીતા જણાવે છે.
૨૫૮
For Private And Personal Use Only