________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશની ક્રિયાથી દર્શનેન્દ્રિય તથા જલની ક્રિયાથી રસનેન્દ્રિય અને પૃથ્વીની ક્રિયાથી ધ્રાણેન્દ્રિયનુંનિમાં થાય છે."
આ જ પ્રમાણે ઉપનિષદો પ્રકૃતિવાદી સિદ્ધાંતનો સ્વીકાર કરતી નથી. જગને એક એવો સ્વચાલિત વિકાસ સમજતો ધોગ્ય નથી, જેનો કોઈ બૌદ્ધિક ફમ ન હોઈ...એટલું જ નહીં આ જગત અર્થહીન સંયોગોનું પરિણામ પણ નથી. આ એક પ્રયોજન છે, જે યુગ-યુગાન્તરથી કાર્ય કરે છે, જગતુમાં આદિબ્રહ્મની ક્રિયા નિરંતર ચાલતી જ રહે છે.
કોઈપણ વસ્તુ મૂળમાં મોજૂદ હોય જ છે તેથી જ તેનું સર્જન થાય છે. દહીંમાં માખણના કણો પહેલેથી જ મોજૂદ હોય છે. તેથી જ વલોવાઈ તે ઉપર આવે છે. (ા. ૬.૬૧) ડૉ. રાધાકૃષ્ણનું જણાવે છે કે– "ગ્રીક ફિલસૂફ ઍનૅકર્સે ગોર્સના જુદી જુદી જાતનાં જડ દ્રવ્યો એકબીજામાં ઓતપ્રોત હોય છે.” -એ સિદ્ધાંતને આ વિચાર મળતો આવે છે. તેને સમજાવતાં એડમસને કહે છે કે માણસ જે કંઈ પોષણ લે છે તેને પોતાના દેહમાં આત્મસાત્ કરી લે છે. આવી વસ્તુ દુનિયામાં બનતી જોઈ અનનું રૂપાંતર ઠંડલાસમાં થયું એમ જો આપણને લાગે, તો આપણે એનો અર્થ એવો કરવો જોઈએ કે અન્નનું રૂપાન્તર જે પદાર્થોમાં થયું તે જ પદાર્થો અનની અંદર પહેલેથી જ મોજૂદ છે, પણ તે એટલા સૂક્ષ્મ પ્રમાણમાં છે કે આંખથી જોઈ શકાય નહીં. અન્ન ખરેખર માંસ અને લોહીના તથા ચરબી અને હાડકાના કણનું બનેલું છે."
તેથી જ જગત એ બ્રહ્મનું સરજેલું છે, એમ કહેવાને બદલે, આપણે એમ કહેવું જોઈએ કેજગત એ અપરિમિત પરબ્રહો પોતે સ્વીકારેલું તેનું જ પરિમિતરૂપ છે." આમાં બીજા વિધાનમાં સત્યનો અં િવધારે છે.
ઉપનિષદોનાં આગળ જોયેલા દુષ્ટાન્તોને આધારે ઉપનિષદો એકત્વની અનુભૂતિ ઉપર ભાર મૂક્તા જણાય છે. "જીવાત્માને ભેદદષ્ટિ હોવાથી જીવાત્માને યતું જ્ઞાન stતા-શેયના ભેદો પર અવલંબિત હોય છે. ભેદ દૃષ્ટિમાં જે દેખાય તે જગત અને અભેદ–દષ્ટિમાં જે અનુભવાય તે પ્રહા.":
જગએ બ્રહ્મનો આવિર્ભાવ છે. આ સંબંધ એક તરફી છે. બ્રહ્મને પોતાના આવિર્ભાવની અપેક્ષા નથી પરંતુ જગતને પોતાની નિષ્પત્તિ માટે બ્રહ્મમાં આધારની આવશ્યક્તા છે અને તેથી જ બ્રહ્મસૂત્રકાર પણ "માઘણ વર" સૂત્ર આપે છે. આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે
-બ્રહ્મ જગતનું મૂળ છે.
૨૩૪
For Private And Personal Use Only