________________
ઉદ્યોત ૨-૩૧ ]
ધ્વનિ અને ગુણીભૂતવ્યયને ભેદ [ ૧૩૭
વિવક્ષિતાન્યપરવાચ્ય અથવા અભિધામૂલ ધ્વનિના થયા. અને અવિવક્ષિતવાચ્ય એટલે કે લક્ષણામૂલ ધ્વનિના અર્થાતરસંક્રમિતવાચ્ય અને અત્યંતતિરસ્કૃતવાચ્ય એવા એ ભેદો ઉમેરતાં ધ્વનિના કુલ અઢાર ભેદે થયા.
ધ્વનિ અને ગુણીભૂતવ્ય અને ભેદ
આમ ધ્વનિના પ્રભેદ્યાનું પ્રતિપાદન કર્યા પછી ધ્વનિના આભાસ (ગુણીભૂતવ્યંગ્ય ) અને ધ્વનિ વચ્ચેના ભેદ સ્પષ્ટ કરવા માટે કહે છે —
-
૩૧
જ્યાં પ્રતીયમાન એટલે કે વ્યંગ્ય અર્થ અર્કુટરૂપે પ્રતીત થતા હોય અથવા તા વાચ્યના અગરૂપે પ્રતીત થતા હાય ત્યાં તે ધ્વનિના વિષય નથી ગણાતા.
પ્રતીયમાન અ પણ એ પ્રકારના હાય છે સ્ફુટ અને અસ્ફુટ. એમાંથી જે સ્ફુટ પ્રતીયમાન અ છે તે જ્યારે શબ્દશક્તિથી અથવા અશક્તિથી પ્રગટ થતા હોય ત્યારે ધ્વનિ કહેવાય છે, ખીો નહિ. જે પ્રતીયમાન અ સ્ફુટ હાય પણ વાચ્યાના અગરૂપે પ્રતીત થતા હોય તે આ અનુરણનરૂપ એટલે કે સંલક્ષ્યક્રમન્ય ધ્વનિના વિષય નથી બનતા. જેમ કે -
“ ફાઈબા, જુઓ તા, કેાઈ એ એવી સફાઈથી ગામના તળાવમાં વાદળને ઉલટાવીને મૂકી દીધુ' છે કે ન તે ક્રમળ ચાળાઈ ગયાં કે ન તા હસેા એકાએક ઊડી ગયા.”
અહીં કાઈ મુગ્ધા વધૂ તળાવમાં પડેલું વાદળતુ' પ્રતિમિ બ જોઈને આશ્ચર્ય માં ડૂખી ગઈ છે, એ વ્યંગ્યા છે. તેમ છતાં અહી' એ વ્યગ્યા કરતાં એ આશ્ચય જે રીતે વ્યક્ત થયુ છે તે વાચ્યા જ વધુ ચમત્કારક છે. એટલે એ વ્યગ્યાથ વાગ્યાનું • અંગ એટલે કે ગૌણ ખની ગયા છે.