________________
૨૩૬ ] એક રસની પ્રધાનતાનું સમર્થન
[ વન્યાલોક કન્યારત્ન મેળવવા માટે યુદ્ધ, રાજનીતિ કે પરાક્રમને આશ્રય લેવામાં આવે ત્યાં શંગાર અને વારને વિરોધ હોતો નથી. જેમ કે, ફિમણને યુદ્ધ કરીને મેળવી હતી, વાસવદત્તાને યૌગંધરાયણની રાજનીતિથી મેળવી હતી અને જ્યાં રાક્ષસ વિધિથી લગ્ન હોય છે, ત્યાં કન્યાના અપહરણમાં પરાક્રમ વાપરવું પડે છે. અહીં એક વસ્તુ ખ્યાલમાં રાખવાની છે કે શૃંગારનું આલંબન અને વીરનું આલંબન એક નથી. શૃંગાનું આલંબન ૨મી છે અને વીરનું આલિંનન કિસ વગેરે છે. હાય તે શૃંગારનું
ગ જ છે. રોદ્ર અને શુગારનો વિરોધ પણ કોઈ ને કઈ રીતે સાધી શકાય એમ છે. ભારતે પોતે જ કહ્યું છે કે કૌદ પ્રકાતિના રાક્ષસે, દાન અને મનુષ્ય ળજબરીએ શૃંગારનું સેવન કરે છે. માત્ર ના એક પ્રત્યે ઉગ્રતા ન દાવવી જોઈએ. એ ઉતા વગેરે પ્રેમમાં બાધા નાખનાર વ્યક્તિઓ પ્રત્યે ડાય. જ્યાં વિના અદ્ભુત કાર્યોનું વર્ણન છે, છે, ત્યાં વાર અને અદ્ભુત વચ્ચે રિધિ નથી હોતો. ભરતમુનિએ કહેલું જ છે કે વીરનું કે તે જ અભૂત. વીરે દ્ધત પ્રકૃતિના ભીમસેન જેવા પાત્રમાં વીર અને રૌદ્રનો સમાવેશ કરવામાં વાંધો નથી. કારણ, એ બંનેના સ્થાયી ભાવો ઉત્સાહ અને ક્રોધ વચ્ચે વિરોધ નથી. રદ્ર અને કરુણ વચ્ચે પણ વિરોધ નથી. ભરત મુનિએ કહ્યું છે કે રીનું જે કર્મ કહેતાં પરિણામ તે જ કરુણ રસ, પણ બંનેનો આશય જ જ હોવો જોઈએ. શૃંગાર અને અનુતના અવિરે ધનું દત “ નાવલી માં રાજા અને સાગરિકાનું મિલન ઍન્દ્રાલિકા અદ્ભૂત ક્રિયાઓ મારફતે સધાય છે, તેમાં જોવા મળે છે.
જે નો બાધ્યબાધક સંબંધ કહ્યો છે તે શી રીતે, એ સમજાવતાં ચનકાર કહે છે કે પ્રેમી જ્યારે પ્રેયસ રૂપી આલંબનમાં મગ્ન થઈ જાય છે, ત્યારે રતિ જાગે છે, અને જ્યારે માણસ આલંબનથી દૂર ભાગી જાય છે ત્યારે તે જગુસા કહેવાય છે. આમ, શૃંગારને સ્થાયી ભાવ રતિ અને બીભત્સના સ્થાયીભાવ જગુસા એક આશ્રયમાં રહી જ ન શકે. કારણ, એ બંને એકબીજાના સંસ્કારને ઉખેડી નાખે છે. એટલે એક આશ્રયમાં એ બંનેનું વર્ણન થઈ જ ન શકે. વીર અને ભયાનકનું પણ એવું જ છે. જે માણસ વાર હોય તેનામાં ભય શી રીતે સંભવે! શાંતનો સ્થાયી ભાવ તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થયેલ સંસાર પ્રત્યેનો નિર્વેદ છે; જેનામાં એ નિર્વેદ જાગ્યો હોય તેનામાં કોઈ પ્રત્યે રતિ પ્રગટે જ કેવી રીતે ? અહીં રતિનો અર્થ સ્ત્રીપુરુષ પ્રેમ જ લેવો જોઈએ. દેવ પ્રત્યે તો સંભવી