________________
૩૬૦ ] ઉક્તિવૈચિત્ર્ય નવીનતામાં વધારે કરે
[ ધ્વન્યાલોક ઉકિતવૈચિત્ર્ય નવીનતામાં વધારે કરે
ઉપરાંત, ઉક્તિવૈચિત્ર્યને કાવ્યની નવીનતામાં કારણ ગણો તે તે અમારા પક્ષને અનુકૂળ જ છે. કારણ, કાવ્યર્થની અનંતતા સાધવાનાં અમે (દેશ, કાલ, અવસ્થા વગેરે) જેટલા પ્રકારો બતાવ્યા છે તે બધા ઉક્તિવૈચિત્ર્યથી બમણા થઈ જશે. અને આ જે ઉપમા, કલેષ વગેરે પ્રસિદ્ધ અલંકારો છે તેઓ પોતે જ ઉક્તિવૈચિત્ર્યથી નિરૂપાતાં તેમાંના દરેકના સેંકડો ફાંટા થઈ જશે. પોતાની ભાષામાં રચાયેલી ઉક્તિના બીજી ભાષાઓમાં થતા જુદા જુદા અર્થને કારણે ઊપજતા વૈચિયથી કાવ્યર્થોને વળી એક જુદી જ અનંતતા પ્રાપ્ત થાય છે. જેમ કે મારી જ નીચેની ગાથા –
महु महु इत्ति भणताहो वच्चदि कालु जणस्सु ।
तोइ ण देउ जणणउ गोअरीभोदि मणस्सु ॥ (મારું મારું એમ બોલતાં બોલતાં માણસને સમય વીતી જાય છે, તે પણ તેના મનમાં દેવ જનાર્દન પ્રત્યક્ષ થતા નથી.)
આ અર્થ કરતી વખતે મદુ મદુને અર્થ “મારું મારું' એવો કર્યો છે, પણ સિંધી ભાષામાં એનો અર્થ “મધુ” “મધુ” એટલે કે “મધુસૂદન”
મધુસૂદન ” એવો પણ થઈ શકે, અને એ અર્થ લઈએ તે આ પદ્યમાં વિરોધાભાસ અલંકારની પ્રતીતિ થાય. કારણ, આખો વખત “મધુસૂદન' મધુસૂદન” એમ બોલ્યા કરનારના મનમાં એ “મધુસૂદન’નાં દર્શન થતાં નથી.
આમ, જેમ જેમ વિચાર કરતા જઈએ છીએ તેમ તેમ, કાવ્યના અર્થનો કોઈ પાર જ આવતું નથી.
પણ એટલું કહી શકાય કે –
અવસ્થા વગેરેના ભેદ પ્રમાણે વાચ્યાર્થીની રચના,
આ ભેદે આ પહેલાં ૭મી કારિકામાં જણાવવામાં આવ્યા છે.
કાવ્યમાં પુષ્કળ જોવામાં આવે છે.