Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨
પંચ પ્રતિકમાણસૂત્રો
અહીં મિચ્છામિ દુક્કડં દેવા છતાં, બાકી રહેલા દોષોની શુદ્ધિ કરવા કાઉસ્સગ્ન પ્રાયશ્ચિત્ત કરવા માટે તસ્સ શબ્દ આ સૂત્રની શરૂઆતમાં છે. અથવા તસ્સ=એટલે આત્માની વિશેષ શુદ્ધિ માટે આલોચન અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તની ઉત્તર ક્રિયારૂપ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત કરવાનો અર્થ પણ સમજવો.
૬. ઈરિયાવહિયમાં તસ્સ છે અને અહીં પણ તસ્સ છે. એ બન્નેયનો અર્થ સામાન્ય રીતે સાવઘયોગ લઈએ ત્યારે, ઇરિયાવહિયમાં તત્કાળના પણ મુખ્ય હિંસા અને બીજા સાવઘયોગ પૂરતો અર્થ લેવાનો છે, જે મિચ્છામિ દુકકડ દેવાથી દૂર થઈ શકે તેવો હોય. અહીંના તસ્સનો અર્થ જૂનાં કર્મો અને ત્રણ શલ્યરૂપ સાવદ્યયોગ લઈ શકાશે.
છે. એ ત્રણ શલ્યો અને જૂનાં કર્મો દૂર કરી આત્માને વિશેષ શુદ્ધ કરવા માટે કાયોત્સર્ગ કરવાનો છે. કાયોત્સર્ગ એ વિશેષ શુદ્ધિ કરવાનું પ્રબળ સાધન છે, અને તે પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર પણ છે.
૮. વળી, આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી તે ઉત્તરમાં છે–પછી છે. અથવા તેના કરતાં ચડિયાતા કમનું છે. માટે પ્રતિક્રમણ કરતાં તે ઉત્તર પ્રયત્નરૂપ છે. એમ પ્રાયશ્ચિત્તરૂપ ઉત્તર પ્રયત્ન કરવા કાઉસ્સગ્ન કરવાનો છે.
અથવા કરેમિ સૂત્રમાં પણ પ્રતિક્રમણ સૂચક પડિકમામિ પદો પછી કાઉસ્સગ્ગ સૂચક વોસિરામિ પદ ઉત્તરમાં એટલે પછી છે, એ રીતે પણ ઉત્તરક્રિયા છે.
૯. આત્માને (1) ત્રણ શલ્ય રહિત કરી (૨) પાપ-કર્મોનો નાશ કરી (૩) વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી ઉત્તર ક્રિયારૂપ અને (૫) પ્રાયશ્ચિત્તરૂપ આ સૂત્ર છે; આમ પરસ્પર મુખ્ય ગૌણ ભાવે રહેલા કાઉસ્સગ્ગના પાંચ હેતુઓ આ સૂત્રથી જણાવી દીધા છે. અને ઈરિયાવહિયા સૂત્રમાં આવેલા આલોચન તથા પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તરૂપ પૂર્વ ક્રિયા પછી ઉત્તર ક્રિયા તરીકે કાઉસ્સગ હોવાથી આ સૂત્ર ઈરિયાવહિયા સૂત્રનું વિશેષ પ્રતિકમણ સંપદારૂપે અંગ પણ બની શકે છે.
૧૦. ઠામિ કાઉસ્સગ્યું કે જે એ, આ સૂત્રનો એક મુખ્ય ભાગ છે. અને અન્નત્થ સૂત્ર આપ્યું એ બે પદોનો જ વિસ્તાર છે, એમ કહીએ તો ચાલે. તે નીચે અન્નત્થના વિશેષ અર્થમાં સમજાશે.
૧૧. આ સૂત્રમાં ભરેલા બીજા પણ ઘણા સૂક્ષ્મ હેતુઓ વિષે ઘણો વિસ્તાર કરવો અહીં ઉચિત
નથી.
सन्नत्थ सूत्रनो विशेषार्थ ૧. કામિ કાઉસગ્ગ અન્નત્ય-ઊસસિએણે થી આગારેહિ સુધી સંબંધ છે. તેનો વાકયાર્થ એ થાય છે કે, “શ્વાસ લેવો, વગેરે- આગારો સિવાય કાઉસ્સગ્નમાં સ્થિર થાઉ છું.” દાખલા તરીકે “હું રોજ રાત દિવસ તમારું કામ કરીશ, સિવાય કે ઊંઘવાનો વખત.” સંસ્કૃતમાં આ વાકય આ રીતે લખાય છે
"अहं प्रतिदिनं तव कार्यमहोरात्रं करिष्ये अन्यत्र निद्रासमयात्'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org