Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સામાન્ય સ્વરૂપ વર્ણના પછી તેની વિશેષ વર્ણના-(તીર્થકર તરીકેના અદ્દભુત ગુણો ઘટાવીને-તીર્થકરો કેવા ગુણોને લીધે ઉત્કૃષ્ટ વંદનીય છે ? તે સાબિત કરીને) કરવામાં આવે છે. અને પછી જે આ અઈઆ સિદ્ધા. એ ગાથાથી એવા ગુણોવાળા ત્રણ કાળના તીર્થંકરોને વંદના કરવામાં આવે છે.
૩. એ જ વિશેષ ગુણોના ગાનપૂર્વકની વંદનામાં વર્તમાનકાળે પણ જે કોઈ ત્રણેય લોકમાં એવા વિશેષ ગુણો યુક્ત તીર્થકર ભગવંતોનાં ચૈત્યો અને પ્રતિમાઓ હોય તે મારફત તે સર્વ તીર્થંકર પ્રભુઓને વિશેષ પ્રકારે વંદન કરવા-જાવંતિ, સૂત્ર બોલે છે. ત્રણેય કાળમાં થયેલા, સાક્ષાત્ તીર્થંકર પ્રભુના અદ્ભુત ગુણોની વિશેષ પ્રકારે સ્તવના યોગ્યતા સાબિત કર્યા પછી તેઓનાં નામ સાથે જોડાયેલાં ત્રણેય કાળનાં ચૈત્યો, અને પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે. જે ચિનો જાવંતિનો વિષય આથી કાંઈક જુદો સમજાય છે. પહેલામાં સ્વરૂપ વર્ણનાની દૃષ્ટિથી સર્વ તીર્થો અને પ્રતિમાઓને સામાન્ય રીતે વંદન છે ત્યારે આમાં વિશેષ ગુણ વર્ણના કરીને વંદ્ય તરીકે સાબિત થયેલાનાં સર્વ ચૈત્યો અને પ્રતિમાઓને વંદનનો ઉપક્રમ છે. એટલે જ જવંતિ. પછી ખમાસમણ દેવામાં આવે છે, તેથી આ વિશેષ વર્ણનાની દૃષ્ટિથી ત્રિકરણ યોગે પંચાંગ પ્રણિપાતપૂર્વક સર્વનું એકાગ્રતાપૂર્વક મનમાં પ્રણિધાન કરીને સાક્ષાત્ વંદન કરવામાં આવે છે. અને સાથે સાથે એ જ ભાવનાની વહેતી ધારાના પ્રવાહમાં જ સ્થિર રહીને તીર્થંકરોનો ભકત, તેઓના જ સર્વ મુનિઓને પણ જાવંત કહી વંદન કરે છે.
૪. ૨ જા અને ૩ જા ભાગમાં બાળજીવો પૂર્વાચાર્યની ગોઠવણ પ્રમાણે વંદના કરે છે. પરંતુ હવે પોતાની જાતે પ્રભુના ગુણો પોતાના સ્વયં ઉલ્લાસથી વર્ણવે છે. અને તે પણ સર્વાગ સુંદર, સર્વોપરી-ભાવના ઉચ્ચારકળા, છટા, ગુણ વર્ણના, કવિતા વગેરેના સમન્વયપૂર્વક મકૃત્વોવન આંખમાં આનંદના આંસુ સાથે ઉમળકાથી વર્ણવે છે. અને જેમ બને તેમ તેને પણ ઉત્તમ કવિતા-કાવ્યકળા, સુંદર સંગીત અને મધુર ધ્વનિમાં મૂકે તો તો ઓર જ ખૂબી દેખાય.
આવી સ્વયં ઉલ્લાસની કડીઓ બાળજીવો કદાચ રચી ન શકે, તો પોતાને સમજાય તેવી ભાષામાં બીજા જ્ઞાનીઓએ ગોઠવી આપેલાં સ્તવન-સ્તોત્રોનો ઉપયોગ કરીને પણ એ પ્રમાણે સ્તુતિ કરી શકાય છે.
આવા મહાન સ્વયંસ્તોત્રોચ્ચારના મંગળાચરણ તરીકે, અથવા સ્વયંસ્કૃર્તિથી સ્તવનની અપૂર્ણતાનું સ્વરૂપ આપવા નમોહંત તેના એક અંગ તરીકે અને મંગલાચરણ તરીકે બોલવામાં આવે છે, સ્વયંસ્કૂર્તિના મંગલ તરીકે પૂજાઓ, સ્તુતિઓ, સ્તવનો વગેરેની શરૂઆતમાં નમોહંત બોલવામાં વાંધો નથી પણ શાસ્ત્રીય વિધિઓમાં નવકાર જ બોલાય છે.
૫. ત્યાર પછી જૈન દર્શનના ભકતને છાજે તેવી, પ્રણિધાનમય બનીને, કરવાની અપૂર્વ પ્રાર્થના-જે પૂર્વાચાર્ય વિરચિત છે તે જયવીયરાય સૂત્ર બોલીને કરવામાં આવે છે. સ્વયંસ્કૃર્તિથી તીર્થંકર પ્રભુના ગુણવર્ણન કર્યા પછી ગુણવર્ણનો પણ શા માટે કરવા ? તેના જવાબ રૂપે પોતાની અભિલાષાઓની પ્રાર્થના કરવી જ જોઈએ. અને તે પ્રાર્થના પણ જૈન દર્શનની શૈલી પ્રમાણે હોવી જોઈએ. જે જયવીરાય સૂત્રમાં બરાબર ગોઠવવામાં આવી છે. ઈતરદર્શનોમાં માણસ ઈષ્ટદેવની સ્તુતિભકિત કરીને – પૈસા, રાજ, ઋદ્ધિ, માન, કીર્તિ, લડાઈમાં વિજય, પુત્ર-પુત્રાદિ, ધન-ધાન્યાદિની કે પરભવમાં સુખ વગેરેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org