Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
વગેરે દિવ્ય સંપત્તિઓ પણ મળી હતી. પરંતુ પૂર્વભવમાં એક વખતના મલિન વસ્ત્રવાળા મુનિની દુર્ગંચ્છા કરવાથી મત્સ્યના પેટમાં દાખલ થવું પડ્યું હતું. વળી એક પોપટને પાંજરામાં પૂર્યો હતો, તેથી પોપટ થવું પડ્યું હતું. અનંગસેનાએ પૂર્વભવમાં પોતાનાં દાગીના, ઘરેણાં, નવાં કપડાં પહેરીને આવેલી દાસીને ‘‘આહા ! ગણિકા આવી.' એમ મશ્કરીમાં કહેલું તેથી તેને વેશ્યા કુળમાં જન્મ લેવો પડ્યો હતો. આ વગેરે હકીકત ઉત્તમ ચરિત્ર કુમારે પોતાના જીવનના પાછલા ભાગમાં પિતાનું અને ભરતખંડના મોટા ભાગનું રાજ્ય મળ્યા બાદ કેવળી ભગવન્તને પૂછવાથી જાણ્યું. અને વૈરાગ્ય પામી પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. ત્યાંથી સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષ પામશે.
૩૬૮
૬૪. ક્ષેમંકર મુનિ : વસંતપુરના નિલયશેઠના સુદર્શના પત્નીથી ક્ષેમંકર અને દેવદત્ત પુત્રો તથા લક્ષ્મી નામે પુત્રી થયાં હતાં. એ જ શહેરમાં તિલક શેઠની સુંદરી નામે પત્નીથી ધનદત્ત નામે પુત્ર અને બંધુમતી નામે પુત્રી હતી. ક્ષેમંકરે દીક્ષા લીધી. દેવદત્તના બંધુમતી સાથે અને ધનદત્તના લક્ષ્મી સાથે લગ્ન થયાં. ધનદત્ત દરિદ્ર થઇ ગયો હતો અને દેવદત્ત સુખી હતો. એક વખત ક્ષેમંકર મુનિ બહેનને ત્યાં જ વહોરવા ગયા. પરંતુ લક્ષ્મીએ ભાઈને ત્યાંથી તાંદળા આપી ભાત લાવીને વહોરાવ્યા. મુનિ ગયા. બન્ને પુરુષો ઘેર જમવા આવ્યા. ત્યારે એકને તાંદળા અને બીજાને વધેલા ભાત પીરસાયા. આ ફેરફાર થવાથી બન્નેએ પોતાની પત્નીઓને ઠપકો આપી માર માર્યો ત્યારે બન્નેયે ખુલાસા કર્યા અને ધનદત્તે કહ્યું કે, “પારકે ઘેરથી લાવીને વહોરાવવાનું શું પ્રયોજન ?'' આ ગૃહકલહોની મુનિને રાત્રે ખબર પડી. બન્નેયને બોલાવીને ઉપદેશ આપ્યો અને કહ્યું કે, “જેમાંથી કજિયો થાય, તેવા આહારાદિ લેવાની અમને ભગવંતની જ મનાઈ છે. છતાં અમોએ અજાણતાં એ આહાર લીધો છે. બન્નેય શાંત થાઓ.' ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી, અને કાળક્રમે મોક્ષમાં જશે.
૬૫. બે ક્ષુલ્લક મુનિ : પાટલિપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્યનો ચાણકય નામે પ્રસિદ્ધ પ્રધાન હતો. તે શહેરમાં વૃદ્ધ સુસ્થિતાચાર્ય હતા. પરંતુ તે દેશમાં દુકાળ પડ્યો એટલે આચાર્યે સમૃદ્ધ નામના શિષ્યને આચાર્ય પદવી સાથે અંજનયોગ આપી સર્વ સમુદાય સાથે સુકાળવાળા પ્રદેશમાં મોકલ્યા સિદ્ધઅંજન યોગ આપતાં બે બાળ સાધુઓ તે સાંભળી ગયેલા. સમૃદ્ધસૂરિ પરિવાર સાથે ગયા. તેમાંના પેલા બે બાળ સાધુઓ પાછા આવી આચાર્ય સાથે રહેવા લાગ્યા. ગોચરીમાં ત્રણેય વહેંચીને નિર્વાહ કરે. આચાર્યને પૂરી ગોચરી ન મળવાથી તે દુર્બળ થવા લાગ્યા. શિષ્યોએ વિચાર કર્યો કે, “આમ આપણે પૂજ્ય આચાર્ય મહારાજને હરકતકર્તા થઈએ છીએ.’’ એમ વિચાર કરી પેલા અંજન યોગથી અદશ્યપણે ચંદ્રગુપ્તની થાળીમાંથી રોજ આહાર કરી જાય; ચંદ્રગુપ્તને દુર્બળ થતો જોઈ ચાણકયે પૂછ્યું. તેણે કહ્યું કે, “મને ખોરાક પૂરતો મળતો નથી.' ચાણકયે બુદ્ધિ ચલાવી ‘ખોરાક પૂરતો પીરસવામાં આવે છે. માટે આમાં જરૂર કાંઈક ભેદ હોવો જોઈએ.’’ તેણે ભોજનશાળામાં ઈંટનો બારીક ભૂકો પથરાવ્યો. આવનારનાં પગલાં પડ્યાં. બીજે દિવસે ખૂબ ધુમાડો કરાવ્યો. અંજન આંખમાંથી નીકળી પડવાથી બાળ મુનિઓ ઉઘાડા પડી ગયા. ચંદ્રગુપ્તનો ક્રોધ ભભૂકયો કે, ‘‘અરે, આ સાધુઓએ મને અભડાવ્યો છે.’’ ચાણકયે કહ્યું, ‘“હું હું રાજન્ ! એ તમારો પુણ્યોદય માનો કે એ બ્રહ્મચારીઓથી તમારો દેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org