Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
રાઇઅ પ્રતિક્રમણ વિધિના હેતુઓ.
રાઇઅ પ્રતિક્રમણ ષડ્તવશ્યકની શરૂઆત- રાઇઅ પડિકમણે ઠાઉથી થાય છે. તે પહેલાં૧. સામાયિક લેવાય છે. ૨. કુસુમણ દુમિણ રાઇઅપાયચ્છિત્તનો કાઉસ્સગ્ગ થાય છે. ૩. ચૈત્યવંદન થાય છે. ૪. ભગવા ં- આદિને વંદન થાય છે. ૫. સજ્ઝાય કરવામાં આવે છે. ૬. અને ઇચ્છકારના પાઠથી ગુરુ મહારાજને સુખશાતા પૂછવામાં આવે છે. દિવસ ચરિમનું લીધેલું પચ્ચક્ખાણ ચાલુ છે, તે ગણીએ, તો આ ભાગમાં પણ છ આવશ્યકો આવી જાય છે.
૪૩૫
અહીં એટલું વિશેષ પણ છે કે, ભગવાન્હેં આદિ ચાર ખમાસમણ સજ્ઝાય પછી પણ બોલવાનો સામાચારી ભેદે વિધિ જોવામાં આવે છે. પરંતુ તે સ્થળે ઇચ્છકારનો પાઠ બોલવાનું જણાતું નથી. છતાં પ્રતિક્રમણ ઠાયા પહેલાં એક ખમાસમણ દેવાનો વિધિ છે.
સામાન્ય રીતે શ્રાવકને પાછલો પહોર કે છેવટ પાછળની ૪ ઘડી બાકી રહે, ત્યારે ઊઠીને દેહશુદ્ધિ કરીને ધર્મકરણીમાં લાગવાનું છે. પ્રતિક્રમણ તો લગભગ સૂર્યોદય પહેલાં-એટલે પ્રતિક્રમણ કરી દશ પડિલેહણ કરી લેતાં સૂર્યોદય થાય, તેટલું વહેલું પ્રતિક્રમણ કરવું જોઈએ. એ ઉત્સર્ગ વખત નકકી કરવામાં આવ્યો છે. અને અપવાદ વખત- ત્રીજા પહોરથી અર્ધરાત્રિ સુધી. અથવા મધ્યાહ્નથી અર્ધરાત્રિ સુધી દેવસિઅ અને અર્ધરાત્રિથી દિવસના પહેલા પહોર સુધી અથવા અર્ધરાત્રિથી દિવસના મધ્યાહ્ન સુધી રાઇઅ પ્રતિક્રમણનો વખત બતાવવામાં આવેલો છે.
છતાં ઉત્સર્ગ માર્ગને અનુસરીને પ્રતિક્રમણ શરૂ કરવાનો વખત ન થાય ત્ય. સુધી જે જે ધર્મક્રિયાઓ કરવાની છે, તે ઉપરના છ વિભાગમાં બતાવી છે. તે એમ છૂટક કરવામાં પણ હરકત નથી. મુનિ મહારાજાઓ તેમ કરે પણ ખરા. પરંતુ દરેક બાળજીવોને માટે એ દરેક વિધિઓ પ્રતિક્રમણના વિધિ સાથે જ આપવામાં આવેલ હોવાથી દરેકને એ વિધિઓ થઈ જ જાય, બાળજીવો ‘કેવા સંજોગોમાં અમુક વિધિ કરવો ? અને કેવા સંજોગોમાં અમુક વિધિ ન કરવો'' તે જાતના સ્વીકાર-પરિહારના વિકલ્પો ન સમજી શકે. માટે દરેક વિધિઓ એક સળંગ વિધિમાં જ બતાવવામાં આવ્યા છે. આ હેતુથી –
ઊઠીને તુરત જ ઇરિયાવહિયં પ્રતિક્રમી કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ગ કરી, ચતુર્વિશતિ સ્તવરૂપ લોગસ્સ કહેવો. સાત ચૈત્ય વંદનમાંનું પહેલું ચૈત્યવંદન તથા-પ્રાત:કાળનું સ્વાધ્યાય ધ્યાન કરવાનું હોય છે. પછી ગુરુની સુખશાતા પૂછી શ્રાવકો વખત થતાં રાઇઅ પ્રતિક્રમણ શરૂ કરે. પરંતુ બાળજીવોને માટે પ્રથમથી જ તે સામાયિક લેવાનો વિધિ બતાવી સર્વ ક્રિયાઓ સામાયિકમાં જ થઈ જાય તો વિશેષ શુદ્ધ થાય, એટલે પછી વારંવાર ઇરિયાવહિયં પ્રતિક્રમવાની પણ જરૂર ન પડે, એટલે
સામાયિક, કુસુમિણનો કાઉસ્સગ્ગ, પ્રાત:કાળનું પહેલું ચૈત્યવંદન, સ્વાધ્યાય ધ્યાન અને ગુરુવંદન તથા ગુરુસુખ શાતાપૃચ્છા વગેરે વિધિઓ બતાવેલ છે. અને લગોલગ પ્રતિમણ પણ શરૂ કરવાથી વચ્ચે ઇરિયાવહિયં કે આદેશ માગવાનું ખમાસમણ વગેરે આપવામાં આવેલ નથી. પરંતુ મુનિ મહારાજાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org