Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
બળાપા લોકો કાઢે, તેનો વાંધો હોતો જ નથી. બલકે ઉશ્કેરવામાં તે ઉપયોગી થાય છે. એટલું જ નહીં પણ પરદેશીઓનો એક પક્ષ જ તેવું ટીકા કરનારું વલણ પહેલેથી જ ધરાવી ચૂકયો હોય છે, એટલે દેશનેતાને પછી ટીકા કરવામાં વાંધો રહેતો નથી.
૫૮૬
ચળવળો, સળસળાટ અને ઉશ્કેરાટ વગર પ્રજાને જુદું વલણ આપી શકાય નહીં. ‘‘એટલે જાગો, ઊઠો, ચેતો, તૈયાર થાઓ, કર્મયુગ આવી પહોંચ્યો છે.'' વગેરે પ્રજાને વાળવાનો પ્રયોગ છે. અને સળવળ્યા બાદ જ તેને ઘટતું વલણ આપી શકાય.
ન સળવળતી પ્રજાને ‘“અજ્ઞાન, જડ’’ કહીને હસી કઢાય. ચાલુ રસ્તે ચાલ્યે જનારી પ્રજાને નવું સમજાવી જવું મુશ્કેલ હોય છે. એટલે દેશનેતાઓનો તેના ઉપર કટાક્ષ રહ્યા જ કરે છે.
“બાપના કૂવામાં ડૂબી મરવું તે સારું નથી સમજીને આગળ વધો.'' આ બધા શબ્દો પ્રજાને ઉશ્કેરવા માટેના છે, જે સત્તાનો એક જાતનો રાજ્યદ્વારી કાર્યક્રમ છે. સારાંશ કે, અજ્ઞાનથી દેશનેતા અને તેમની સંસ્થા પરદેશીઓ માટે જ ભાવિ તૈયારીનું ઘડતર કરે છે.
પરદેશીઓ અંદરોઅંદર લડવાના દેખાવો કરે છે. હકકોની મારામારી કરે છે, એ બધું કેટલુંક દેખાવ પૂરતું હોય છે. અલબત્ત, મોટા પ્રયોજન વિના તેઓ એમ કરતા નથી. અને તેથી થતાં દેખાતાં મોટાં નુકસાનો પણ સહન કરે છે પરંતુ, તેમાં ભાવિ જબરા લાભો છુપાયેલા હોય છે.
આ દેશમાં બે વર્ગ ઊભા રાખે છે. પોતાની પાર્લમેન્ટો અને સંસ્થાઓમાં પણ દરેક પક્ષના સંબંધમાં તરફેણ કરનાર અને વિરોધી બે વર્ગ ઊભા રાખે છે. એટલું નહીં પણ યુરોપનાં તમામ રાષ્ટ્રો વચ્ચે પણ બે વર્ગ ઊભા રાખે છે.
બન્નેય વર્ગોને પોતપોતાના પક્ષોમાં છેલ્લે પાટલે બેસવા દે છે. એમ કરીને તેના તેના પક્ષનું બળ કેટલું છે તે જોઈ શકાય છે. અને સત્તાઓ તે તે હિલચાલના સૂત્રધારોના વચલા માર્ગેથી પસાર થઈ પોતાની ધારણા પાર પાડ્યે જાય છે. બે વર્ગ વિના તેઓના કાર્યની સફળતા ન થાય.
એટલે મૂળ ટકાવી રાખનારને થોડું છોડવું પડે છે, અને નવું કરનારને પણ બધું નવું નથી મળતું. એમ બન્નેય પોતાનો અસંતોષ બહારથી બતાવે છે.
પરંતુ અંદરથી બન્નેય પક્ષો પોતપોતાના અનુયાયીઓને સમજાવી શકે છે કે, “આપણું જૂનું બધું તૂટ્યું નથી, હજી ઘણું બચવા પામ્યું છે. હિલચાલ ન ઉપાડી હોત તો બધું જાત.'' નવાવાળા સમજાવી શકે છે કે, ‘‘આપણે પૂરી સફળતા મેળવી શકયા નથી, પણ હાલમાં જેટલું મળ્યું તેટલાથી સંતોષ માની આગળ પ્રયાસ ચાલુ રાખીએ.' આમ બન્નેયની વચ્ચે થઈને સત્તા પોતાની પ્રગતિ કર્યે જાય છે.
એટલે જૂના વિચાર જ પ્રજાઓ અને તેમના હકકોની તરફેણ કરનારા પરદેશીઓનો જ એક વર્ગ પહેલેથી જ ગોઠવવામાં આવેલો છે. અને તે જ રીતે નવા પક્ષની તરફેણ કરનારો પણ એક વર્ગ ગોઠવવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org