Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૭૨૫
તે લક્ષમાં લઈ ભવ્ય જનોએ આગમથી શુદ્ધ સૂત્રપાઠ કંઠે કરવા અધિક પ્રયત્ન સેવવો.
૨. ભાવ આવશ્યક
ભાવ આવશ્યક : સૂત્રપાઠ સાથે દરેક ક્રિયા કરીને ફળ આપે તેવી આવશ્યક ક્રિયા કરવી તે.
ભાવ આવશ્યક
આગમથી (આવશ્યકના અર્થમાં ઉપયોગ)
નોઆગમથી (જ્ઞાન અને ક્રિયામાં ઉપયોગ)
'કુપાવચનિક (મંત્રાદિપૂર્વક હોમાદિ ક્રિયા.)
લૌકિક
લોકોત્તર (મધ્યાહન પહેલાં ભારત અને (ઉપયોગવંત થઈને મુહપત્તિ પછી રામાયણ વાંચવું.) પડિલેહી વાંદણા દ્વાદશાવર્ત વગેરે
સાચવી તે તે ઠરેલ વખતે શ્રાવકે કે શ્રમણે બરાબર પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા કરવી, તે મોક્ષ
સાધક હોવાથી શ્રેષ્ઠ છે.)
આવશ્યકનાં ૧૦ અન્વર્થ નામો ૧. આવશ્યક : પાંચેય વખતે અવશ્ય કરવા યોગ્ય. આવસ્ય - ગુણોનો આધાર. ગુણોનો આવાસ.
ગુણોથી આત્માને આચ્છાદક. ૨. અવશ્યકરણીય : અવશ્ય કરવા યોગ્ય. ૩. ધુવ : શાશ્વત હોવાથી. ૪. નિરહ : ભાવશત્રુઓને સજા કરનાર છે. અથવા અન્ય આચાર્યના મતે - અનાદિ ધ્રુવ કમનો
નિગ્રહ કરે છે, માટે ધ્રુવ – નિગહ એવું બીજું નામ છે. ૫. વિશોધિ : કર્મ શોધનાર હોવાથી. ૬. અધ્યયન પક: સામાયિકાદિ છ અધ્યયનોમય હોવાથી. ૭. વર્ગ : રાગાદિ દોષોનું દૂરથી વર્જન થાય છે, તેથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org