Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમાગસૂત્રો
૪૪૧
વિધિમાં સચવાય છે. જેથી કાર્યાન્તરને લીધે, પ્રમાદને લીધે કે તથાવિધ પરિસ્થિતિને લીધે કે તથા પ્રકારના બાલપણાને લીધે, છ આવશ્યક ન સાચવી શકાયા હોય, તો પ્રતિક્રમણ વિધિમાં જોડી દઈ આરાધના ગોઠવી આપી છે.
અને રાઇઅ ઠાઉથી અઢાઇજેસુ સુધીના પ્રતિક્રમણ આવશ્યકમાં જ આવશ્યક આવી જાય છે. તે સંભારીને તેની ખુશાલીમાં વિશાળ લોચનથી કંઈક વિસ્તૃત ચૈત્યવંદન-દેવવંદન શરૂ કરી ગુરુવંદન થાય છે.
બીજી વિશેષતાઓ દેવસિઅ વિધિમાંથી જોવી.
૧૩. પોસહ વ્રતવિધિનાં સૂત્રો
૫૯. પોસહ-પચ્ચખાણ સૂત્ર-૧ કરેમિ ભને પોસહં. “આહાર-પોસઈ દેસઓ, સવ્વઓ, સરીર-સક્કાર-પોસહં 'સવઓ, બંભર્ચર-પોસહં “સવ્વઓ, અવ્વાવાર-"પોસહંસવ્વઓ.ચઉવિહં *પોસહં કામિ અજાવ દિવસ [અહોરરં] પજુવાસામિ. દુવિહં- "તિવિહેણં='મણેણં, વાયાએ, “કાણું-ન કરેમિ, ન અકારવેમિ; “તસ્સ-ભંતે ૭ ૨૯ ડિકકમામિ °નિંદામિગરિફામિ અપાણે વોસિરામિ.
શબ્દાર્થ :- પોસહં પૌષધ આહાર-પોસહં આહાર પૌષધ. દેશદેશથી. સવ્વઓ સર્વથી. સરીર-સકાર-પોસહં=શરીર સત્કાર પૌષધ. બંભર-પોસહં=બ્રહ્મચર્ય પૌષધ. અવ્વાવાર-પોસહં વ્યાપાર પૌષધ. અહોતંત્ર દિવસ અને રાત.
ગાથાર્થ :- હે પ્રભો! હું પૌષધ-એટલે-દેશથી કે સર્વથી-આહાર પૌષધ: સર્વથી શરીર સત્કાર પૌષધ: “સર્વથી-બ્રહ્મચર્ય પૌષધ: સર્વથી "અવ્યાપાર પૌષધ: કરું છું : એ ચારેય પ્રકારના પૌષધ' વ્રતમાં-ત્રણ પ્રકારે ૫ મન, વચન, કાયાએ કરી- બે પ્રકારે એટલે ન
કરવું અને ન કરાવવું : કરી- આખો દિવસ કે દિવસ અને રાત સુધી-સ્થિર થાઉં છું. અને ત્યાં સુધી આપની ઉપર્હપાસનામાં સેવામાં છું. હે ગુરુ મહારાજ! તેમાંના કોઈપણ પોસહમાં કાંઈ પણ દોષ લાગે, તો તેનું “પ્રતિક્રમણ કરું છું, તેની નિંદા કરું છું. અને તેની "ગહ કરું છું. અને તે [પૌષધ ખાતર-મારા બહિરાત્મ ભાવનો ત્યાગ કરું છું.
વિશેષાર્થ :- આ સૂત્ર કરેમિ ભંતે સૂત્ર જ છે. તેમાં અમુક અમુક ફેરફાર કરવાથી તે પોસહ વ્રત-અને પ્રત્યાખ્યાન સૂત્ર બની ગયું છે. એ સ્પષ્ટ જાણી શકાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org