Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમણસૂત્રો
સમાવે છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રમય જીવનમાર્ગ નકકી કરી આપે છે. જો કે એ માર્ગથી વિરુદ્ધ તો જગતમાં કોઈથી જઈ શકાતું જ નથી. પણ એ માર્ગની સાબિતી અને જીવનસિદ્ધિમાં સાંગોપાંગ ઉપયોગીતા જૈન સિવાય કોઈથી સાબિત કરી શકાઈ નથી. આ દૃષ્ટિથી આ જગતમાં આજે પણ એકલું જૈન દર્શન જ સંપૂર્ણ તત્ત્વદર્શન છે, અને યોગ્ય જીવનમાર્ગનું તેણે જ સંશોધન કર્યું છે, તે માટે જ તે સિદ્ધ છે, પણ સાધ્યમાન નથી.
૭૧
જૈન ગ્રંથોની ભલે સંખ્યા ઓછી હોય, પણ તે અમુક માનવોના જ હિત માટે નથી, પણ સમસ્ત પ્રાણી માત્રના કલ્યાણની મહા અહિંસા તેમાં ઉપદેશાયેલી છે. તેનો ઉદ્દેશ ઘણો ઊંચો છે. તેમાં અનેક વિજ્ઞાનો અને તાત્ત્વિક વસ્તુઓ છે. એટલું જ નહીં પણ તેના ઉપદેષ્ટા મહાન્ પરોપકારી પુરુષો છે. અને તેને પ્રચારમાં લાવનારા પણ એવા જ સર્વોત્તમ જીવન જીવનારા છે. તે નીચેના ટૂંક ઇતિહાસ ઉપરથી સમજી શકાશે.
હાલના જૈન આગમો પ્રભુ મહાવીર સ્વામી પ્રભુએ આપેલા ઉપદેશને અનુસરીને ગણધર ભગવંતોએ રચેલા, તે જ કાળક્રમે જે બચ્યા છે, તે અત્યારે આપણને વારસામાં મળ્યા છે.
ગણધર ભગવંત સુધર્મા સ્વામીના ગણના આગમો પરંપરાએ પૂર્વાચાર્યોએ પોતાના શિષ્યોને સંભળાવ્યા તે પ્રમાણે તેઓએ મોઢે રાખ્યા. જેમ જેમ મોઢે રાખવાની શકિત ઘટતી ગઈ, તેમ તેમ કેટલોક ભાગ તૂટક પડતો ગયો. અને ભયંકર દુષ્કાળ જેવા પ્રસંગમાં જ્યારે જ્યારે વધારે છિન્નભિન્નતા થઈ ત્યારે ત્યારે દરેક મોટા આચાર્યો મળીને જે કંઈ બચ્યું હોય તેનો સંગ્રહ કરી લેતા હતા. એવા સંગ્રહ ત્રણ વખત થયા છે. પહેલી વાર પાટલીપુત્ર(પટણા)માં, બીજી વાર મથુરામાં અને ત્રીજી વાર વલ્લભીપુરમાં પુસ્તકારૂઢ થયા છે. જે પુસ્તક રૂપે લખાયા હતા તે ઉત્તરોત્તર લખાતા લખાતા આવીને આજે પણ વિદ્યમાન છે.
આગમોનો મૂળવિષય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય સામાયિક ધર્મ છે. અને તે સામાયિક ધર્મનું આરાધન જુદાં જુદાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને ઉદ્દેશીને થઈ શકે છે, તે સમજાવતાં-આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન સમજાવતાં સ્યાદ્વાદ સિદ્ધાંતના આશ્રયથી જગતનાં જુદાં જુદાં લાખો કરોડો વિજ્ઞાનો અને સમગ્ર વિજ્ઞાનના સારરૂપ તત્ત્વજ્ઞાનનું પ્રતિપાદન કર્યું છે. અર્થાત્ તેનો મુખ્ય વિષય એક જ છે પણ તે એટલો બધો વિગતવાર ટૂંકામાં સમજાવવામાં આવેલ છે કે-તે આખા શાસ્ત્રના બાર ભાગો પાડવામાં આવ્યા છે, જે બાર અંગોને નામે કહેવાય છે. તેનું પૂરું નામ દ્વાદશાંગી છે. હાલ અગિયાર અંગો મોટે ભાગે વિદ્યમાન છે. પણ બારમું અંગ નાશ પામ્યું છે. જેમાં ચૌદપૂર્વી, પ્રથમાનુયોગ વગેરે વિસ્તૃત ભાગો હતા, લાખો કરોડો વિજ્ઞાનો સમાવતાં અને સૂત્રરૂપે ગૂંથતા પણ હજારો હાથી પ્રમાણ શાહીથી લખાય તેટલું દ્વાદશાંગીનું પ્રમાણ થવા જાય એ સ્વાભાવિક છે. જો કે બારમું અંગ નાશ પામેલ છે, છતાં તેમાંથી ઉદ્ધૃત ઘણા ગ્રંથો વિદ્યમાન છે. જેમ કે - દશાશ્રુતસ્કંધ કે જેમાં કલ્પસૂત્ર આવે છે, ને પચ્ચક્ખાણ પ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ભુત છે. છઠ્ઠો કર્મગ્રંથ બીજા આગ્રાયણીયપૂર્વમાંથી ઉદ્ભુત છે. કમ્મપયડી પંચસંગ્રહ વગેરે કર્મપ્રવાદપૂર્વમાંથી ઉદ્ભુત સંભવિત છે. તે સિવાય આવશ્યક નિર્યુક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org