Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૧૫૭
ઘણો જ ઊતરતો છે. સંસ્થાઓનાં અને અનાથાશ્રમોનાં ફંડો ઉઘરાવવાની નોકરી એ નવી પદ્ધતિથી ભીખ માંગવાની રીત છે, રેલવે ડબ્બામાં ગાવું, કે સ્વદેશની હિલચાલની ગઝલો ગાઈ પૈસો પૈસો લેવો એ નવા પ્રકારની ભીખ માંગવાની રીત છે. અનાથાશ્રમો, બાલાશ્રમો, મત કે અલ્પ ખર્ચે સાધનો પૂરાં પાડનારી બીજી છાત્રાલય વગેરે સંસ્થાઓ વગેરે નવા પ્રકારનાં આશ્રિત ખાતાંઓ છે. કંપનીની કે બીજી અનેક પ્રકારની સર્વિસો ગમે તેટલા પગારની હોય, તે સર્વ નવા પ્રકારની ગુમાસ્તીઓ છે. વકીલાત, વર્તમાનપત્રકારિત્વ વગેરે નવા પ્રકારના ધંધા ખવાસ, ભાટ વગેરેના ધંધા જેવા છે. મિલમાલિક, ટીંમર મરચન્ટપણું, કોલસાની ખાણોવાળાપણું વગેરે નવા પ્રકારના કર્માદાનો છે. બેંકો વગેરે નવા પ્રકારની શરાફી છે. સિનેમા વગેરે નવા પ્રકારની ભવાઈ છે.
માટે આ જમાનામાં પણ જૈન મુનિનો ઉપદેશ ઉત્તરોત્તર નીચે નીચેની ભૂમિકાના ત્યાગનો જ સૂચક હોવો જોઈએ, અને ઉચ્ચ ભૂમિકાની અશક્તિમાં નીચે નીચેની ભૂમિકાઓમાંથી પણ જેમ બને તેમ ઉચ્ચ ઉચ્ચ ભૂમિકામાં રહેવાય, તેને માટે મકકમતા સૂચક હોવો જોઈએ. એ જ બરાબર શૈલી સંગત છે.
બન્નેય પ્રશ્નોનો જવાબ આ રીતે મળી રહે છે.
આયમર્યાદા પ્રમાણેની પદ્ધતિનો ગાંધીવાનો ધંધો કરનાર વ્રતધારી શ્રાવક કરતાં ગાડું હાંકનાર વ્રતધારી શ્રાવક પાછળ પડે છે, અને ગાડું હાંકનાર વ્રતધારી શ્રાવક કરતાં હાલનો સ્ટેશનરી વેચનાર વ્રતધારી શ્રાવક પાછળ છે. આવા તારતમ્યના જ્ઞાનને જૈન શાસ્ત્રોના ઉપદેશમાં સ્થાન છે. પરંતુ ગૃહસ્થપણાના દુન્યવી જીવનના ઉપદેશને જૈનધર્મના ઉપદેશમાં સ્થાન નથી એ સ્પષ્ટ થાય છે, તેમજ “ઉપર જણાવેલા તારતમ્યને સ્થાન નથી. માત્ર, સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિના ઉપદેશને જ સ્થાન છે. બાકીની તરતમતા ઉપેક્ષા કરવા લાયક છે" એમ પણ નથી. એટલે ગાંધીનો ધંધો કરનાર વ્રતધારીને કે ગાડું હાંકનાર વ્રતધારીને, ગાંધી કે ખેડૂત તરીકેનો ધંધો, છોડાવી, ઉપરથી દેખાતા માત્ર અલ્પ આરંભની દષ્ટિથી સ્ટેશનરી વેચનાર તરીકે દોરવવામાં આયમર્યાદાની બહારનો ધંધો તથા મિથ્યાજ્ઞાનની પુષ્ટિ વગેરે અનેક દોષો તેમાં વધારે સમાયેલા છે.
આજે આ પ્રશ્નો ઘણા ગૂંચવણ ભરેલા થઈ પડ્યા છે. ધંધાઓમાં તારતમ્ય દષ્ટિથી કોને આગળ અને કોને પાછળની ભૂમિકામાં ગણવા ? એ બાબત બહુ ગૂંચવણ થઈ છે. તેથી ઉપર જણાવેલી દિશાથી તેનો ઉકેલ સમજી શકાશે. સારાંશ કે-સર્વત્યાગ અને પછી દેશયાગનો ઉપદેશ સર્વને માટે એક સરખો આપવો. પરંતુ દેશયાગીમાં પણ-ઉપરથી અલ્પ ત્યાગ દેખાતો હોય, છતાં જેમાં આર્ય મર્યાદા, માર્ગાનુસારિતા, સમ્યકત્વ વગેરેનાં તત્વો વિશેષ હોય, તેના કરતાં જેમાં દેશ ત્યાગ વધારે પ્રમાણમાં દેખાતો હોય, પણ આયમર્યાદાથી, માર્ગાનુસારિતા અને તેને અંગે પણ સમ્યકત્વ વગેરેથી વાસ્તવિક રીતે ઘણે અંશે ખસી ગયેલ હોય, તેનો નંબર ઊતરતો ગણવો જોઈએ.
અઠવાડિયામાં ૧૨ કલાક નોકરી કરી બાકીનો વખત ધર્મધ્યાનમાં ગાળતા પ્રોફેસર કરતાં ૧૨ કલાક રોજની નોકરી કરી એક કલાક ધર્મ ધ્યાનમાં લગાડતા ગુમાસ્તાને આગળ ગણવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org