Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૮
પંચ પ્રતિકમણસૂત્રો
૩. તસ્સ ઉત્તરી, અન્નત્ય વગેરેથી વિસ્તૃત કાયોત્સર્ગાવશ્યક તો છે જ. પછી (કાયોત્સર્ગ મુદ્રા)
૪. લોગસ્સ, પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાણં – માં ર૪ જિનેશ્વર ભગવંતો, તેનાં ચૈત્યો અને પ્રતિમાઓ, શ્રુતજ્ઞાન, સિદ્ધભગવંતો, મહાવીરસ્વામી, શ્રી નેમિનાથ પ્રભુ, તથા ચારિ અઠ દસ દોય વગેરેમાં ચતુર્વિશતિસ્તવ છે.
૫. ગુરુમહારાજની સામે તેમની આજ્ઞાથી, તેમની નિશ્રામાં-આ વિધિ થાય છે, એટલે ગુરુવંદન વ્યાપક રીતે ગર્ભિત આવી જ જાય છે.
૬. કાયોત્સર્ગ – મન-વચન કાયાની એકાગ્રતાપૂર્વક થાય છે. મૌન ધ્યાન, અને સ્થિરતા તેનાં ખાસ અંગો છે, એટલે તે મન-વચન કાયાના યોગોને કાયોત્સર્ગમાં જોડતાં સાવધ પ્રવૃત્તિમાંથી સ્વાભાવિક રીતે જ નિવૃત્ત થવું પડે છે. એટલે સાવધયોગોનું પ્રત્યાખ્યાનાવશ્યક પણ આવી જાય છે.
કરેમિ ભંતે સૂત્રમાં સાવજે જોગે પચ્ચકખામિ એ શબ્દો સાક્ષાત્ ઉચ્ચારાયેલા પણ છે. અને કરેમિ ભંતે સૂત્ર આ ઠેકાણે કાયોત્સર્ગ આવશ્યકનું અંગ તો બનેલું જ છે, એ રીતે પણ પચ્ચકખાણાવશ્યક, એમ છ આવશ્યક છે.
૧. પહેલો કાયોત્સર્ગ સમ્યગું ચારિત્ર ગુણની શુદ્ધિ નિમિત્તે છે. ૨. લોગસ્સ પછીનો કાઉસ્સગ્ન સમ્યગ્દર્શન ગુણની શુદ્ધિ માટે છે. ૩. પુખરવરદીવ– સમ્યજ્ઞાન ગુણની શુદ્ધિ નિમિત્તે છે. ૪. પછી એત્રણેયની વિશેષ શુદ્ધિ માટે સિદ્ધિ ભગવંતો વગેરેની વિશેષ આલંબન માટે સ્તુતિઓ છે. ૫. છેવટે શ્રુત દેવતા અને ક્ષેત્ર દેવતા આરાધવા માટે સ્તુતિપૂર્વક કાયોત્સર્ગ નામના આરાધનાના
પ્રકાર માટે એક એક નવકારનો કાયોત્સર્ગ કરવાનો હોય છે. કાયોત્સર્ગ આવશ્યકમાં આવતાં કેટલાંક સૂત્રો પ્રથમ આવી ગયેલાં છે, માત્ર કૃત દેવતાની અને ક્ષેત્ર દેવતાની બે સ્તુતિઓ નીચે પ્રમાણે છે :
સુએ દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ ૧ - અન્નત્ય
३६. श्रुत वितानी स्तुति १-८ શબ્દાર્થ :- સુચ-દેવયા ભૃત દેવતા. ભગવઈ ભગવતી પૂજ્યા. નાણાવરણીય-કમ્મુસંઘાય જ્ઞાનાવરણીય કર્મનો સમૂહ. તેસિંગતેઓના. ખવેઉ ખપાવે. સયાં સતત, નિરંતર. જેસિં જેઓની. સુઅ-સાયરે શ્રુત-શ્રુતજ્ઞાન રૂપી સમુદ્ર ઉપર. ભરી-ભક્તિ, આદર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org