Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
દ્વિપદ - સ્ત્રી, નોકર-ચાકર, ચાકરડી, દાસ-દાસી, વગેરે મનુષ્યો. હંસ, મોર, વગેરે પક્ષીઓ. ચતુષ્પદ - હાથી ઘોડા, ગાય, બળદ, ઊંટ વગેરે પશુઓ.
અતિચારોની સમજ
૧. ધન-ધાન્યપ્રાણાતિકમાણ અતિચાર : પોતાને ધનધાન્ય કેટલું રાખવાની ઈચ્છા છે ? એ નિર્ણય કરી તેનું જે પ્રમાણ કર્યું હોય, તેમાં વખત જતાં તેના કરતાં વધારો થવાથી પ્રમાણ કરતાં વધારે રાખે તો અતિચાર લાગે. પોતાના પ્રમાણ પૂરતું ધનધાન્ય ઘરમાં હોય, અને લેણદાર પાસેથી આવે તો વધી જાય તેમ હોય, તો લેણદાર પાસેથી ન લેતાં તેના ઘેર જ રાખી મૂકે, સારો ભાવ આવે, એટલે પરબારું વેચી નાંખે. અથવા કોઠી ધાન્ય રાખવું, કે અમુક કોથળી રૂપિયા રાખવા એવું પરિમાણ કર્યું હોય, ને તે કોઠીઓ મોટી કરાવે, કોથળીઓ મોટી કરાવે, કે નાણાંનો ભંડાર મોટો કરાવે વગેરે રીતે અતિચાર લાગે છે.
૨. ક્ષેત્ર-વાસ્તુના પ્રમાણતિક્રમ અતિચાર : જુદાં જુદાં ખેતરની વાડો કાઢી નાંખીને એક કરાવી નાંખી સંખ્યા ઓછી કરી નાંખે, તેમજ ઘણાં ઘર ભેળવીને એક ઘર કરી નાંખે અને એમ કરીને વ્રત પાળે, પણ તેમાં અતિચાર તો ગણાય જ.
૩. સુવર્ણ-રૂખ પ્રમાણતિક્રમ અતિચાર : પ્રમાણ કરતાં વધારે હોય, તે સ્ત્રી કે પુત્રના નામ પર ચડાવી દે, કે પોતાની સ્ત્રી કે પુત્રને આપી દે, તેથી અતિચાર લાગે.
૪. કુખ્ય-પ્રમાણાસિકમ અતિચાર - કુખ્ય : એટલે ઘરનો સામાન. નાના થાળના મોટા થાળ કરાવીને સંખ્યા ઓછી કરી નાંખે, વગેરે રીતે આ અતિચાર લાગે છે.
૫. દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણતિક્રમ અતિચાર : ગર્ભમાં રહેલાઓની ગણતરી ન કરીને સંખ્યાનો નિયમ જાળવે, અથવા ધનધાન્ય, ક્ષેત્ર વાસ્તુ, દ્વિપદ, વગેરે માટે પણ અમુક વખતની મર્યાદા પૂરતો નિયમ હોય, કે “અમુક વખત પછી પ્રમાણ વધારવાનું છે, તો તે વખતે હું ખરીદીશ, તમે બીજાને આપશો નહીં.” એમ પોતાની નિશ્રાનું કરીને રખાવી મૂકવાથી પણ અતિચાર લાગે છે.
વિવેકીએ જેમ બને તેમ સંક્ષેપમાં પરિગ્રહ પરિમાણ કરવું, એવો શાસ્ત્રકારોનો આદેશ છે. છતાં એટલું મનોબળ ન હોય, તો પોતાની ઈચ્છા પ્રમાણે પણ પરિમાણ તો કરવું જ. કેમકે- પોતાની ઈચ્છાથી જેટલું વ્રત લીધું હોય, તે પાળવું પણ પોતાને સુલભ થાય છે. - ઘરમાં પાંચ રૂપિયાના પણ સાંસા હોય, અને લાખોના પરિગ્રહ પરિમાણના વ્રત લઈ બેસે, તેમાં વ્રતનું શું ? ને તેથી ફાયદો શો ?
ફાયદો એ થાય છે કે – દરેકનું ભાગ્ય એકસરખું નથી હોતું. જેના ઘરમાં આજે પાંચ રૂપિયા પણ નથી, પણ ભાગ્ય ખીલે છે, ત્યારે તે મહાન સમૃદ્ધિશાળી બને છે. તે વખતે જો પહેલાથી વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org