________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
[ પ૩
પણ દુઃખનું મૂળ કારણ તો ઇચ્છા છે અને તે ક્ષયોપશમથી જ થાય છે માટે ક્ષયોપશમને પણ દુઃખનું કારણ કહ્યું. વાસ્તવિક રીતે ક્ષયોપશમ પણ દુઃખનું કારણ નથી પણ મોહથી વિષયગ્રહણની જે ઇચ્છા છે તે જ દુઃખનું કારણ જાણવું. તથા મોહનો ઉદય છે તે દુઃખરૂપ જ છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ.
દર્શનમોહના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું
દર્શનમોહના ઉદયથી મિથ્યાદર્શન થાય છે. જે વડે જેવું તેને શ્રદ્ધાન છે તેવું પદાર્થસ્વરૂપ નથી. તથા જેવું પદાર્થસ્વરૂપ છે તેવું એ માનતો નથી, તેથી તેને વ્યાકુળતા જ રહ્યા કરે છે. જેમ કોઈ બહાવરાને કોઈએ વસ્ત્ર પહેરાવ્યું, તે બહાવરો તે વસ્ત્રને પોતાનું અંગે જાણી પોતાને, શરીરને અને વસ્ત્રને એકરૂપ માને છે, પણ એ વસ્ત્ર તો પહેરાવનારને આધીન છે. એ પહેરાવનાર કોઈ વેળા તે વસ્ત્રને ફાડે, કોઈ વેળા જોડે, કોઈ વેળા લઈ લે તથા કોઈ વેળા નવીન પહેરાવે, ઇત્યાદિ ચરિત્ર કરે ત્યારે આ બહાવરો એ વસ્ત્રની પરાધીન ક્રિયા થવા છતાં તેને પોતાને આધીન માની મહા ખેદખિન્ન થાય છે. તેમ આ જીવને કર્મોદયથી શરીરનો સંબંધ થયો છે.
હવે આ જીવ એ શરીરને પોતાનું અંગ જાણી પોતાને અને શરીરને એકરૂપ માને છે, પણ શરીર તો કર્મોદય આધીન કોઈ વેળા કૃષ થાય, કોઈ વેળા સ્થૂળ થાય, કોઈ વેળા નષ્ટ થાય અને કોઈ વેળા નવીન ઉપજે, ઇત્યાદિ ચરિત્ર થાય છે. એ પ્રમાણે તેની પરાધીન ક્રિયા થવા છતાં આ જીવ તેને પોતાને આધીન માની મહા ખેદખિન્ન થાય છે. વળી જેમ કોઈ બહાવરો બેઠો હતો ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઊતર્યા, તે સર્વને આ બહાવરો પોતાનાં જાણવા લાગ્યો, પણ એ બધા પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય અને કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે-એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા છતાં આ બહાવરો તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે આ જીવ જ્યાં પર્યાય (શરીર) ધારણ કરે છે ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા અને ધનાદિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે તેને આ જીવ પોતાના જાણે છે, પણ એ તો પોતપોતાને આધીન કોઈ આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે-એમ તેની પરાધીન ક્રિયા હોય છે, તેને પોતાને આધીન માની આ જીવ ખેદખિન્ન થાય છે.
પ્રશ્ન:- કોઈ વેળા શરીરની વા પુત્રાદિકની ક્રિયા આ જીવને આધીન થતી જોવામાં આવે છે. એ વેળા તો જીવ સુખી થાય છે?
ઉત્તર- શરીરાદિકની, ભવિતવ્યની અને જીવની ઇચ્છાની-એ ત્રણેની વિધિ મળતાં કોઈ એક પ્રકારે જેમ એ ઇચ્છે તેમ કોઈ પરિણમવાથી કોઈ કાળમાં તેના વિચારાનુસાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com