________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪]
મોક્ષમાર્ગ પ્રકાશક
ત્યારે આ જાણવાવાળો જીવ છે, દેખવાવાળો જીવ છે, ઇત્યાદિ પ્રકારસહિત તેને જીવની ઓળખાણ થઈ.
વળી નિશ્ચયથી વીતરાગભાવ મોક્ષમાર્ગ છે, તેને જે ન ઓળખે તેને એમ જ કહ્યા કરીએ તો તે સમજે નહિ, ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી, તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પદ્રવ્યનાં નિમિત્ત મટવાની સાપેક્ષતા વડ વ્રત, શીલ, સંયમદિરૂપ વીતરાગભાવના વિશેષ બતાવવામાં આવ્યા ત્યારે તેને વીતરાગભાવની ઓળખાણ થઈ.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ થતો નથી એમ સમજવું.
બીજું, અહીં વ્યવહારથી નર-નારકી આદિ પર્યાયને જ જીવ કહ્યો પણ ત્યાં પર્યાયને જ જીવ ન માની લેવો, પર્યાય તો જીવ-પુદ્ગલના સંયોગરૂપ છે; ત્યાં નિશ્ચયથી જીવદ્રવ્ય ભિન્ન છે, તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ ઉપચારથી જીવ કહ્યો છે પણ એ કહેવામાત્ર જ છે, પરમાર્થથી શરીરાદિક કાંઈ જીવ થતા નથી, એવું જ શ્રદ્ધાન કરવું.
વળી અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા ત્યાં તેને ભેદરૂપ જ ન માની લેવા, કેમકે ભેદ તો સમજાવવા માટે કર્યા છે, નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવવસ્તુ માનવી. સંજ્ઞા–સંખ્યાદિથી ભેદ કહ્યા છે તે તો કહેવામાત્ર જ છે. પરમાર્થથી તે જુદાજુદા નથી એવું જ શ્રદ્ધાન કરવું.
તથા પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિકને મોક્ષમાર્ગ કહ્યો ત્યાં તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો, કારણ કે જો પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો ર્તા-હર્તા થઈ જાય. પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે જ નહિ, તેથી આત્મા પોતાના ભાવ જે રાગાદિક છે તેને છોડી વીતરાગ થાય છે તેથી નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને તથા વ્રતાદિકોને કદાચિત્ કાર્ય-કારણપણું છે તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યો, તે કહેવામાત્ર જ છે; પરમાર્થથી બાહ્યક્રિયા મોક્ષમાર્ગ નથી-એવું જ શ્રદ્ધાન કરવું.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહારનયનો અંગીકાર ન કરવો એમ જાણી લેવું.
પ્રશ્ન:- વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાથે
છે?
ઉત્તર:- પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે માટે નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com