Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 352
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ ] મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રોનો અભ્યાસ છે પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી એમ જાણવું; અને અહીં જે સમ્યકત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું, તે તો ભાવનિક્ષેપથી કહ્યું છે, એવા ગુણસહિત સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન મિથ્યાદષ્ટિને કદી પણ હોતું નથી. વળી આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું છે ત્યાં પણ એ જ અર્થ જાણવો; કારણ કે જેને જીવ-અજીવાદિનું સાચું શ્રદ્ધાન હોય તેને આત્મજ્ઞાન કેમ ન હોય? અવશ્ય હોય જ. એ પ્રમાણે કોઈ પણ મિથ્યાષ્ટિને સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વથા હોતું નથી, માટે એ લક્ષણમાં અતિવ્યાપ્તિદૂષણ લાગતું નથી. વળી આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણ કહ્યું છે તે અસંભવદૂષણયુક્ત પણ નથી. કારણ કે સમ્યકત્વનું પ્રતિપક્ષી મિથ્યાત્વ જ છે, તેનું લક્ષણ આનાથી વિપરીતતા સહિત છે. એ પ્રમાણે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અને અસંભવપણાથી રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વ સમ્યગ્દષ્ટિઓને તો હોય છે તથા કોઈ પણ મિથ્યાષ્ટિઓને હોતું નથી, તેથી સમ્યગ્દર્શનનું સાચું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન જ છે. સમ્યકત્વના વિભિન્ન લક્ષણોનો મેળ પ્રશ્ન:- અહીં સાતેય તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ કહો છો પણ તે બનતો નથી, કારણ કેકોઈ ઠેકાણે પરથી ભિન્ન પોતાના શ્રદ્ધાનને જ સમ્યકત્વ કહે છે. શ્રી સમયસાર કળશમાં “ત્વે નિયતસ્ય ઇત્યાદિ કળશ છે, તેમાં એમ કહ્યું છે કે આ આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. તેથી નવ તત્ત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાઓ. વળી કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યકત્વ કહે છે. શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં “ર્શનમાત્મવિનિશ્ચિતિ:* એવું પદ છે તેનો પણ એવો જ અર્થ છે, માટે જીવઅજીવનું જ વા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતાં સમ્યકત્વ હોય છે. જે સાત તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ હોય તો આમ શા માટે લખત? ઉત્તરઃ- પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આસ્રવાદિ શ્રદ્ધાનથી રહિત एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्ण ज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यकदर्शनमेतदेव नियमादात्मा च तावानयम् તનુpIનવતત્વરસન્તતિામામ ત્માયમેડરતુ ન. (સમયસાર કળશ-૬ ) दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधસ્થિતિરાત્મનિ વારિત્ર વુકત સ્તંભ્યો ભવતિ વન્ય: (પુરુષાર્થસિદ્ધિ-૨૧૬) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391