________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ગુણસ્થાન પ્રમાણે જ્ઞાન અને ગુણસ્થાન પ્રમાણે ક્રિયા. તેમાં વિશેષ એટલે કે એક ગુણસ્થાનવર્તી અનેક જીવ હોય તો (તેમને) અનેકરૂપનું જ્ઞાન તથા અનેકરૂપની ક્રિયા કહેવામાં આવે છે. કારણ કે ભિન્ન ભિન્ન સત્તાના પ્રમાણે કરી ( જ્ઞાન-ક્રિયામાં) એકતા મળે નહિ. એકેક જીવદ્રવ્યમાં અન્યાખ્યરૂપ ઔદયિકભાવ હોય, તે ઔદયિકભાવાનુસાર જ્ઞાનની પણ અન્ય-અન્યતા જાણવી.
પરંતુ વિશેષ એટલે કે (એ સર્વ આત્મામાં) કોઇ પ્રકારનું જ્ઞાન એવું ન હોય કે પરસત્તાવલંબનશીલ બની મોક્ષમાર્ગ સાક્ષાત્ કહે ! કેમકે અવસ્થા(દશા) ના પ્રમાણમાં પરસત્તાવલંબક છે (પણ તેને તે મોક્ષમાર્ગ કહેતો નથી) તે આત્મા પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા કહેતો નથી.
જે જ્ઞાન હોય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. તે જ્ઞાનને સહકારભૂત નિમિત્તરૂપ નાનાપ્રકારના ઔદયિકભાવ હોય છે. તે ઔદયિકભાવનો જ્ઞાતા, તમાશગીર છે પણ તેનો કર્તા, ભોક્તા કે અવલંબી નથી; તેથી કોઇ એમ કહે કે આ પ્રકારના ઔદયિકભાવ સર્વથા હોય તો તેને અમુક (ફલાણું ) ગુણસ્થાન કહીએ '-એમ કહેવું એ જpઠ છે. એમ કહેનારે દ્રવ્યનું સ્વરૂપ સર્વથા પ્રકારે જાણ્યું નથી.
કારણ-અન્ય ગુણસ્થાનની તો વાત શું કહેવી ? કેવળીઓને પણ ઔદયિકભાવોનું અનેકપ્રકારપણું જાણવું. કેવળીઓને પણ ઔદયિકભાવ એકસરખા હોય નહિ, કોઇ કેવળીને દંડકપાટરૂપ ક્રિયાનો ઉદય હોય ત્યારે કોઇ કેવળીને તે ન હોય. એ પ્રમાણે કેવળીઓમાં પણ ઉદયની અનેકરૂપતા છે તો અન્ય ગુણસ્થાનોની તો વાત શું કહેવી?
માટે ઔદયિકભાવોના ભરોસે જ્ઞાન નથી. જ્ઞાન સ્વશક્તિપ્રમાણ છે. સ્વ-પરપ્રકાશક જ્ઞાનની શક્તિ, જ્ઞાયકપ્રમાણ જ્ઞાન, સ્વરૂપાચરણરૂપ ચારિત્ર યથાનુભવપ્રમાણ-એ જ્ઞાતાનું સામર્થ્ય છે.
એ વાતનું વિવેચન કયાં સુધી લખીએ, કયાં સુધી કહીએ? (તત્ત્વ)વચનાતીત, ઇંદ્રિયાતીત, જ્ઞાનાતીત છે તેથી આ વિચારો બહુ શા લખવા? જે જ્ઞાતા હશે તે થોડું લખેલું (પણ) બહુ સમજશે. જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નહિ. આ વચનિકા જેમ છે તેમ-(યથાયોગ્ય)-સુમતિ પ્રમાણ કેવળીવચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે, તેને કલ્યાણકારી છે-ભાગ્ય પ્રમાણ.
ઈતિ પરમાર્થ વચનિકા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com