________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૪૫
પ્રશ્ન:- ઉપશમ એટલે શું?
ઉત્તરઃ- અનિવૃત્તિકરણમાં કરેલાં અંતરકરણવિધાનથી સમ્યકત્વના કાળમાં જે ઉદય આવવા યોગ્ય નિષેક હતા તેનો તો અહીં અભાવ કર્યો, અર્થાત્ તેના પરમાણુઓને અન્ય કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકરૂપ કર્યા; તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમ-વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક હતા તે ઉદીરણારૂપ થઈને આ કાળમાં ઉદયમાં ન આવી શકે એવા કર્યા.
એ પ્રમાણે જ્યાં સત્તા તો હોય પણ તેનો ઉદય ન હોય તેનું નામ ઉપશમ છે.
એમ આ મિથ્યાત્વથી થયેલું પ્રથમોપશમસમ્યકત્વ છે તે ચતુર્થાદિથી માંડી સાતમા ગુણસ્થાન સુધી હોય છે.
તથા પ્રથમ શ્રેણી સન્મુખ થતાં સાતમાં ગુણસ્થાનમાં ક્ષયોપશમસમ્યકત્વથી જે ઉપશમસમ્યકત્વ થાય તેનું નામ દ્વિતીયોપશમસમ્યકત્વ છે. અહીં કરણવડ ત્રણ જ પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. કારણ કે આને ત્રણ પ્રકૃતિઓની જ સત્તા હોય છે. અહીં પણ અંતરકરણવિધાનથી વા ઉપશમવિધાનથી તેના ઉદયનો અભાવ કરે છે એ જ ઉપશમ છે. તે આ દ્વિતીયોપશમસમ્યકત્વ સાતમા આદિથી માંડી અગીઆરમાં ગુણસ્થાન સુધી હોય છે તથા ત્યાંથી પડતાં કોઈને છઠ્ઠ, પાંચમે અને ચોથે ગુણસ્થાને પણ રહે છે એમ જાણવું.
એમ ઉપશમસમ્યત્વે બે પ્રકારથી છે. એ સમ્યકત્વ વર્તમાનકાળમાં ક્ષાયિકવત્ નિર્મળ છે; તેને પ્રતિપક્ષીકર્મની સત્તા હોય છે તેથી આ સમ્યકત્વ અંતર્મુહૂર્તકાળમાત્ર રહે છે. પછી દર્શનમોહનો ઉદય આવે છે એમ જાણવું.
એ પ્રમાણે ઉપશમસમ્યકત્વનું સ્વરૂપ કહ્યું.
તથા જ્યાં દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓમાં સમ્યકત્વમોહનીયનો ઉદય હોય. અન્ય બેનો ઉદય ન હોય, ત્યાં ક્ષયોપશમસમ્યકત્વ હોય છે. ઉપશમસમ્યત્વનો કાળ પૂર્ણ થતાં આ સમ્યકત્વ હોય છે અથવા સાદિમિથ્યાષ્ટિને મિથ્યાત્વગુણસ્થાનથી વા મિશ્ર ગુણસ્થાનથી પણ આની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન:- ક્ષયોપશમ એટલે શું?
ઉત્તરઃ- દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓમાં જે મિથ્યાત્વનો અનુભાગ છે તેના અનંતમાં ભાગે મિશ્રમોહનીયનો છે, તેના અનંતમા ભાગે સમ્યકત્વમોહનીયનો અનુભાગ છે, તેમાં સમ્યત્વમોહનીયપ્રકૃતિ દેશઘાતિ છે, તેનો ઉદય હોવા છતાં પણ સમ્યકત્વનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com