Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 383
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થવનિકા | [ ૩૬૫ એ રીતે વ્યવહારવિચાર સમાપ્ત. આગમ-અધ્યાત્મનું સ્વરૂપ વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ, આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ છીએ. આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવ આત્મદ્રવ્યના જાણવા. તે બન્ને ભાવ સંસારઅવસ્થાવિષે ત્રિકાલવર્તી માનવા. તેનું વિવરણ:- આગમરૂપ કર્યપદ્ધતિ છે; અધ્યાત્મસ્વરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ છે. તેનું વિવેચનઃ- કર્યપદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. દ્રવ્યરૂપ તો પુદ્ગલના પરિણામ છે, ભાવરૂપ પુદ્ગલાકાર આત્માની અશુદ્ધપરિણતિરૂપ પરિણામ છે; તે બંને પરિણામ આગમરૂપ સ્થાપ્યા. હવે શુદ્ધચેતના પદ્ધતિ-શુદ્ધાત્મપરિણામ, તે પણ દ્રવ્યરૂપ તથા ભાવરૂપ એમ બે પ્રકારે છે. દ્રવ્યરૂપ તો જીવત્વપરિણામ છે; તથા ભાવરૂપ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણપરિણામ છે. એ બન્ને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા. એ આગમ તથા અધ્યાત્મ અને પદ્ધતિમાં અનંતતા માનવી. અનંતતા કહી તેનો વિચાર અનંતતાનું સ્વરૂપ દષ્ટાંત વડે દર્શાવે છે, જેમકે:- વડના ઝાડનું એક બીજા હાથમાં લેવું, તે ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરે તો તે વડના બીજમાં એક વડનું ઝાડ છે, ભાવિકાળમાં જેવું થનાર છે તેવા વિસ્તારસહિત તે વૃક્ષનું વાસ્તવ્ય સ્વરૂપ વિધમાન બીજમાં છતું છે. અનેક શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળયુક્ત છે. તેના પ્રત્યેક ફળમાં એવાં અનેક બીજ છે. એ પ્રકારની અવસ્થા એક વડના બીજ સંબંધી વિચારીએ. વળી ફરી સૂક્ષ્મદષ્ટિથી જોઇએ તો તે વડના વૃક્ષમાં જે જે બીજો છે તે તે બીજો (એવાં બીજાં) અંતર્ગર્ભિત વડવૃક્ષસંયુક્ત હોય છે. એ જ રીતે એક વડમાં અનેક અનેક બીજ અને એકેક બીજમાં એકેક વડવૃક્ષ છે. તેનો (દીર્ઘ) વિચાર કરીએ તો ભાવિનયપ્રમાણથી ન વડવૃક્ષની મર્યાદા પમાય કે ન બીજની મર્યાદા પમાય. એ પ્રમાણે અનંતતાનું સ્વરૂપ જાણવું. તે અનંતતાના સ્વરૂપને કેવળજ્ઞાની પુરુષ પણ અનંત જ દેખે, જાણે, કહે; અનંતનો બીજો અંત છે જ નહિ કે જે જ્ઞાનમાં (અંતરૂપે) ભાસે. તેથી અનંતતા અનંતરૂપ જ પ્રતિભાસે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391