________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
કારણ કે અલંકારાદિથી મન રંજાયમાન થાય છે, સીધી વાત કહેતા એવો ઉપયોગ જોડાતો નથી કે જેવો ઉપયોગ અલંકારાદિ યુક્તિસહિત કથનથી જોડાય. બીજું, પરોક્ષ વાતને કંઈક અધિક્તાપૂર્વક નિરૂપણ કરીએ તો તેનું સ્વરૂપ બરાબર ભાસે છે.
કરણાનુયોગમાં ગણિતાદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કારણ કે ત્યાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવના પ્રમાણાદિનું નિરૂપણ કરીએ છીએ, અને ગણિતગ્રંથોની આજ્ઞાથી તેનું સુગમપણે જાણપણું થાય છે.
ચરણાનુયોગમાં સુભાષિત નીતિશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે, કારણ કે ત્યાં આચરણ કરાવવું છે તેથી લોકપ્રવૃત્તિ અનુસાર નીતિમાર્ગ દર્શાવતાં તે આચરણ કરે છે.
તથા દ્રવ્યાનુયોગમાં ન્યાયશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કારણ કે ત્યાં નિર્ણય કરાવવાનું પ્રયોજન છે, તથા ન્યાયશાસ્ત્રોમાં નિર્ણય કરવાનો માર્ગ દર્શાવ્યો છે.
એ પ્રમાણે એ અનુયોગોમાં મુખ્ય પદ્ધતિ છે, તથા અન્ય પણ અનેક પદ્ધતિ સહિત વ્યાખ્યાન તેમાં હોય છે.
પ્રશ્ન:- અલંકાર, ગણિત, નીતિ અને ન્યાયનું જ્ઞાન તો પંડિતોને થાય છે, તુચ્છબુદ્ધિ જીવો તે સમજી શક્તા નથી, માટે સીધું કથન કેમ ન કર્યું?
ઉત્તરઃ- શાસ્ત્ર છે તે મુખ્યપણે તો પંડિત અને ચતુર પુરુષોને અભ્યાસ કરવા યોગ્ય છે. જો અલંકારાદિ આમ્નાયસહિત કથન હોય તો તેમનું મન ત્યાં જોડાય, તથા જે તુચ્છબુદ્ધિ છે તેને પંડિતપુરુષ સમજાવી દે પણ જે ન સમજી શકે તો તેને મુખથી જ સીધું કથન કહે, પરંતુ ગ્રંથોમાં સીધાં કથન લખવાથી વિશેષબુદ્ધિજીવ તેના અભ્યાસમાં વિશેષ પ્રવર્તે નહિ માટે અલંકારાદિ આમ્નાયસહિત કથન કરીએ છીએ.
એ પ્રમાણે એ ચારે અનુયોગનું નિરૂપણ કર્યું. જૈનમતમાં ઘણાં શાસ્ત્ર તો એ ચારે અનુયોગમાં ગર્ભિત છે.
વળી વ્યાકરણ, ન્યાય, છંદ, કોષ, વૈધક, જ્યોતિષ અને મંત્રાદિ શાસ્ત્ર પણ જૈનમતમાં હોય છે તેનું શું પ્રયોજન છે? તે સાંભળો
વ્યાકરણ, ન્યાયાદિ શાસ્ત્રોનું પ્રયોજન વ્યાકરણ-ન્યાયાદિકનો અભ્યાસ થતાં અનુયોગરૂપ શાસ્ત્રોનો અભ્યાસ થઈ શકે છે માટે વ્યાકરણાદિ શાસ્ત્રો કહ્યાં છે.
કોઈ કહે-ભાષારૂપ સીધું નિરૂપણ કર્યું હોત તો વ્યાકરણાદિનું શું પ્રયોજન રહેત?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com