Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 349
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૩૧ ઓળખી તેના અર્થે ભાવિદુઃખનાં કારણોને પિછાણી તેનો ત્યાગ કરવા ઇચ્છે છે તથા (વર્તમાન) જે દુઃખનાં કારણો બની રહ્યાં છે તેના અભાવનો ઉપાય કરે છે; તેમ તુચ્છ-જ્ઞાની મોક્ષાદિકનાં નામ જાણતો નથી તોપણ સર્વથા સુખરૂપ મોક્ષઅવસ્થાનું શ્રદ્ધાન કરી તેના અર્થે ભાવિબંધના કારણે જે રાગાદિ આસ્રવ તેના ત્યાગરૂપ સંવરને કરવા ઇચ્છે છે, તથા જે સંસારદુઃખનું કારણ છે તેની શુદ્ધભાવ દ્વારા નિર્જરા કરવા ઇચ્છે છે. એ રીતે આસ્રવાદિકનું તેને શ્રદ્ધાન છે. એ પ્રકારે તેને પણ સાત તત્ત્વોને શ્રદ્ધાન હોય છે. જો તેને એવું શ્રદ્ધાન ન હોય તો રાગાદિક છોડી શુદ્ધભાવ કરવાની ઇચ્છા ન થાય. એ જ અહીં કહીએ છીએ. જો જીવની જાતિ ન જાણે-સ્વરૂપને ન ઓળખે તો તે પરમાં રાગાદિક કેમ ન કરે? જો રાગાદિકને ન ઓળખે તો તેનો ત્યાગ કરવો તે કેમ ઇચ્છે? અને તે રાગાદિક જ આસ્રવ છે, રાગાદિકનું ફળ બૂરું છે એમ ન જાણે તો તે રાગાદિક છોડવા શા માટે ઇચ્છે? તે રાગાદિકનું ફળ તે જ બંધ છે તથા રાગાદિ રહિત પરિણામોને ઓળખે છે તો તે રૂપ થવા ઇચ્છે છે, તે રાગાદિરહિત પરિણામનું નામ જ સંવર છે. વળી પૂર્વ સંસારઅવસ્થાના કારણની હાનિને તે ઓળખે છે તેથી તેના અર્થે તપશ્ચરણાદિ વડે શુદ્ધભાવ કરવા ઇચ્છે છે. તે પૂર્વ સંસારઅવસ્થાનું કારણ કર્મ છે, તેની હાનિ તે જ નિર્જરા છે. જો સંસારઅવસ્થાના અભાવને ના ઓળખે તો તે સંવર-નિર્જરારૂપ શા માટે પ્રવર્તે? તે સંસારઅવસ્થાનો અભાવ તે જ મોક્ષ છે. તેથી સાતે તત્ત્વોને શ્રદ્ધાન થતાં જ રાગાદિક છોડી શુદ્ધ ભાવ થવાની ઇચ્છા ઊપજે છે. જો એમાંના એક પણ તત્ત્વનું શ્રદ્ધાન ન હોય તો એવી ઇચ્છા ન થાય. એવી ઇચ્છા તુચ્છજ્ઞાની તિર્યંચાદિ સમ્યગ્દષ્ટિને હોય છે જ, તેથી તેને સાત તત્ત્વોને શ્રદ્ધાન હોય છે એવો નિશ્ચય કરવો. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થોડો હોવાથી તેને વિશેષપણે તત્ત્વોનું જ્ઞાન ન હોય તોપણ દર્શનમોહના ઉપશમાદિક સામાન્યપણે તત્ત્વશ્રદ્ધાનની શક્તિ પ્રગટ હોય છે. એ પ્રમાણે એ લક્ષણમાં અવ્યાસિદૂષણ નથી. પ્રશ્ન:- જે કાળમાં સમ્યગ્દષ્ટિ વિષય-કષાયોનાં કાર્યોમાં પ્રવર્તે છે તે કાળમાં તેને સાત તત્ત્વોનો વિચાર જ નથી, તો ત્યાં શ્રદ્ધાન કેવી રીતે સંભવે? અને સમ્યકત્વ તો તેને રહે જ છે, માટે એ લક્ષણમાં અવ્યાસિદૂષણ આવે છે. ઉત્તર:- વિચાર છે તે તો ઉપયોગને આધીન છે. જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય, પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિરૂપ છે માટે અન્ય યનો વિચાર થતાં વા શયનાદિક્રિયા થતાં તત્ત્વોનો વિચાર નથી તોપણ તેની પ્રતીતિ તો કાયમ જ રહે છે, નષ્ટ થતી નથી, તેથી તેને સમ્યકત્વનો સદ્દભાવ છે. જેમ કોઈ રોગી પુરુષને એવી પ્રતીતિ છે કે “હું મનુષ્ય છું, તિર્યંચાદિ નથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391