________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
| [ ૨૬૭
વળી તે આમ પણ માને છે કે “યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા તો કરવી યોગ્ય છે પરંતુ તેમાં મમત્વ ન કરવું.” હવે જેનો પોતે ર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે, જો પોતે ક્ત નથી તો “મારે કરવી યોગ્ય છે” એવો ભાવ કેવી રીતે કર્યો? તથા જો પોતે છે તો તે (ક્રિયા) પોતાનું કર્મ થયું એટલે કર્મસંબંધ સ્વયં સિદ્ધ થયો, હવે એવી માન્યતા તો ભ્રમ છે.
તો કેવી રીતે છે? બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને પરદ્રવ્યનો પોતે ક્ત નથી. માટે તેમાં ક્નત્વબુદ્ધિ પણ ન કરવી તથા તેમાં મમત્વ પણ ન કરવું એ વ્રતાદિકમાં ગ્રહણ-ત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે, અને તેનો પોતે í છે, માટે તેમાં ક્નત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું, પરંતુ એ શુભોપયોગને બંધનું જ કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું, કારણ કે-બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ થાય તથા મોક્ષનું પણ કારણ થાય, એમ માનવું એ ભ્રમ છે.
તેથી વ્રત-અવ્રત એ બંને વિકલ્પરહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો ઉદાસીન વીતરાગશુદ્ધોપયોગ તે જ મોક્ષમાર્ગ છે; નીચલી દશામાં કેટલાક જીવોને શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. કેમ કે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે, એવું શ્રદ્ધાન કરવું.
શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા આ રીતે શુભોપયોગઅશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો, અને જ્યાં શુદ્ધોપયોગ ન થઈ શકે ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણ કે-શુભોપયોગની અપેક્ષાએ અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિક્તા છે. શુદ્ધોપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ નથી. વળી શુભોપયોગ હોય ત્યાં બાહ્ય વ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે તથા અશુભોપયોગ હોય ત્યાં બાહ્ય અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે, કારણ કેઅશુદ્ધોપયોગને અને પરદ્રવ્યની પ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે, તેથી પહેલાં અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય, પછી શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય, એવી કમપરિપાટી છે.
વળી કોઈ એમ માને છે કે શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે, હવે ત્યાં જેમ અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે એમ જ જો કારણ-કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ ઠરે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com