________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૨૮૩
આચરણ પોતાના વીતરાગભાવ અનુસાર ભાસે છે. એદેશ વા સર્વદેશ વીતરાગતા થતાં એવી શ્રાવકદશા-મુનિદશા થાય છે, કારણ કે (એ એકદેશ-સર્વદેશ વીતરાગતા અને આ શ્રાવકમુનિદશાને ) તેને નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે, એમ જાણી શ્રાવક-મુનિધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વીતરાગભાવ થયો હોય તેવો પોતાને યોગ્ય ધર્મ સાધે છે. ત્યાં જેટલા અંશે વીતરાગતા હોય છે તેને કાર્યકારી જાણે છે. જેટલા અંશે રાગ રહે છે તેને હેય જાણે છે તથા સંપૂર્ણ વીતરાગતાને ૫૨મધર્મ માને છે.
એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે.
દ્રવ્યાનુયોગનું પ્રયોજન
દ્રવ્યાનુયોગમાં દ્રવ્યોના અને તત્ત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ, જીવ-અજીવાદિ દ્રવ્યોને વા તત્ત્વોને ઓળખતો નથી તથા સ્વ-૫૨ને ભિન્ન જાણતો નથી તેને હેતુ-દષ્ટાંત-યુક્તિદ્વા૨ા અને પ્રમાણ-નયાદિ વડે તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય; અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થાય છે. અન્યમતનાં કલ્પિત તત્ત્વાદિક જૂઠાં ભાસે ત્યારે જૈનમતની પ્રતીતિ થાય, તથા જો તેના ભાવને ઓળખવાનો અભ્યાસ રાખે તો તેને તુરત જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય.
વળી જેને તત્ત્વજ્ઞાન થયું હોય તે જીવ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો તેને પોતાના શ્રદ્ધાનાનુસાર એ બધાં કથન પ્રતિભાસે છે. જેમ કોઈએ કોઈ વિધા શીખી લીધી હોય પણ જો તે તેનો અભ્યાસ રાખ્યા કરે તો તે યાદ રહે, ન રાખે તો ભૂલી જાય; તેમ આને તત્ત્વજ્ઞાન તો થયું છે પરંતુ જો તેના પ્રતિપાદક દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્ત્વજ્ઞાન ટકી રહે, ન કરે તો ભૂલી જાય. અથવા સંક્ષેપતાથી તત્ત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તિ-હેતુ-દષ્ટાંતાદિ વડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહિ અને તેના અભ્યાસથી રાગાદિક ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય છે.
એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું.
અનુયોગોમાં વ્યાખ્યાનનું વિધાન
હવે એ અનુયોગોમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે અહીં કહીએ છીએ
પ્રથમાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન
પ્રથમાનુયોગમાં જે મૂળકથાઓ છે તે તો જેવી છે તેવી જ નિરૂપવામાં આવે છે તથા તેમાં પ્રસંગોપાત જે વ્યાખ્યાન હોય છે તે કોઈ તો જેવું ને તેવું હોય છે તથા કોઈ ગ્રંથર્તાના વિચારાનુસાર હોય છે, પરંતુ ત્યાં પ્રયોજન અન્યથા હોતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com