________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૧
રહ્યું કે ભિન્ન થયું? જો જોડાયેલું છે એમ કહેશો તો પૂર્વોક્ત દોષ આવશે તથા જો ભિન્ન થયું કહેશો તો તે વેળા એકપણું ન રહ્યું. વળી જલ-સુવર્ણાદિકને ભિન્ન હોવા છતાં પણ એક કહેવામાં આવે છે, પણ તે તો એક જાતિ અપેક્ષાએ કહેવામાં આવે છે, પરંતુ અહીં તો સર્વ પદાર્થની જાતિ એક ભાસતી નથી કારણ કે–તેમાં તો કોઈ ચેતન છે તથા કોઈ અચેતન છેઇત્યાદિ અનેકરૂપ છે, તેની એક જાતિ કેમ કહેવાય ? એ પ્રમાણે જાતિ અપેક્ષાએ પણ એકપણું માનવું એ માત્ર કલ્પના જ છે એમ પહેલાં કહ્યું છે. વળી એ બ્રહ્મ પ્રથમ એક હતું પણ પાછળથી ભિન્ન થયું માનો છો તો જેમ એક મોટો પથ્થર આદિ ફૂટી તેના ટુકડા થઈ જાય છે તેમ બ્રહ્મના પણ ખંડ થઈ ગયા, તેને પાછા એકઠા થવા માને છે તો ત્યાં તેનું સ્વરૂપ ભિન્ન રહે છે કે એક થઈ જાય છે? જો ભિન્ન રહે છે તો ત્યાં પોતપોતાના સ્વરૂપથી તે ભિન્ન જ છે તથા જો એક થઈ જાય છે તો ત્યાં જડ પણ ચેતન બની જાય અને ચેતન જડ બની જાય. વળી જ અનેક વસ્તુઓની એક વસ્તુ થઈ હોય તો કોઈ કાળમાં અનેક વસ્તુ તથા કોઈ કાળમાં એક વસ્તુ એમ કહેવું બને, પણ એમ માનતાં “અનાદિ અનંત એક બ્રહ્મ છે” એમ કહેવું બનશે નહિ.
તમે કહેશો કે-લોકરચના થતાં વા ન થતાં પણ બ્રહ્મ તો જેવું ને તેવું જ રહે છે તેથી એ બ્રહ્મ અનાદિ-અનંત છે.” ત્યાં અમે પૂછીએ છીએ કે-લોકમાં પૃથ્વી-જળાદિ જોવામાં આવે છે તે જુદાં કોઈ નવીન ઉત્પન્ન થયાં છે કે બ્રહ્મ પોતે જ એ રૂપ બન્યું છે? જો જુદાં નવીન ઉત્પન્ન થયા હોય તો એ સ્વયં ન્યારાં થયાં અને બ્રહ્મ પણ ન્યારું થયું. તો સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ ન કર્યું. વળી જે બ્રહ્મ પોતે જ એ (પૃથ્વી-જળાદિ) રૂપ થયું છે તો તે કોઈ વેળા લોકરૂપ અને કોઈ વેળા બ્રહ્મરૂપ થયું પણ જેવું ને તેવું કેવી રીતે રહ્યું?
ત્યારે તેઓ કહે છે કે “સમસ્ત બ્રહ્મ તો લોકરૂપ થતું નથી પણ તેનો કોઈ અંશ જ થાય છે. તેને અમે કહીએ છીએ કે-જેમ સમુદ્રનું એક બિંદુ વિષરૂપ થયું હોય તે સ્થૂળદષ્ટિવડ તો દેખાતું નથી, પરંતુ સૂક્ષ્મદષ્ટિએ જોતાં એક બિન્દુઅપેક્ષાએ પણ સમુદ્રમાં અન્યથાપણું થયું. તેમ જો બ્રહ્મનો એક અંશ જુદો થઈ લોકરૂપ થયો હોય ત્યાં સ્થૂળદષ્ટિએ તો એ અંશ દેખાતો નથી પણ સૂક્ષ્મદષ્ટિએ જોતાં એ એક અંશ અપેક્ષા પણ બ્રહ્મમાં અન્યથાપણું થયું. એવું અન્યથાપણું બીજા કોઈને તો થયું નથી.
એ પ્રમાણે સર્વરૂપ બ્રહ્મ માનવું એ પણ ભ્રમ જ છે.
વળી એક પ્રકાર આ છે કે “જેમ આકાશ સર્વવ્યાપી એક છે તેમ બ્રહ્મ પણ સર્વવ્યાપી એક છે. જો એ પ્રમાણે તમે માનો છો તો આકાશની માફક વિશાળ બ્રહ્મને માનો, અથવા જ્યાં ઘટપટાદિક છે ત્યાં જેમ આકાશ છે તેમ ત્યાં બ્રહ્મ પણ છે એમ પણ માનો, પરંતુ જેમ ઘટપટાદિક તથા આકાશને એક જ કહીએ એ કેમ બને? તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com