________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઉત્તરઃ- એક કાર્ય થવામાં અનેક કારણની આવશ્યકતા છે, તેમાં જે કારણ બુદ્ધિપૂર્વકનાં હોય, તેને તો ઉદ્યમ કરી મેળવે, તથા અબુદ્ધિપૂર્વકનાં કારણ સ્વયં મળે, ત્યારે કાર્યસિદ્ધિ થાય છે; જેમ પુત્ર થવાનું કારણ બુદ્ધિપૂર્વક તો વિવાહાદિક કરવો એ છે, તથા અબુદ્ધિપૂર્વક કારણ ભવિતવ્ય છે, હવે ત્યાં પુત્રને અર્થી વિવાહાદિકનો તો ઉધમ કરે અને ભવિતવ્ય સ્વયં થાય ત્યારે પુત્ર થાય; તેમ વિભાવ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તો તત્ત્વવિચારાદિક છે, તથા અબુદ્ધિપૂર્વક મોહકર્મનો ઉપશમાદિક છે. હવે તેનો અર્થી તત્ત્વવિચારાદિકનો તો ઉદ્યમ કરે, તથા મોહકર્મનો ઉપશમાદિક સ્વયં થાય ત્યારે રાગાદિક દૂર થાય.
પ્રશ્ન:- જેમ વિવાહાદિક પણ ભવિતવ્ય આધીન છે, તેમ તત્ત્વવિચારાદિક પણ કર્મના ક્ષયોપશમાદિકને આધીન છે, માટે ઉદ્યમ કરવો નિરર્થક છે?
ઉત્તર:- તત્ત્વવિચારાદિ કરવાયોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો તેને થયો છે, તેથી જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરાવીએ છીએ, અસલી જીવોનો ક્ષયોપશમ નથી. તેથી તેમને શામાટે ઉપદેશ આપીએ ?
પ્રશ્ન:- હોનહાર (ભાવીભાવ) હોય, તો ત્યાં ઉપયોગ લાગે; હોનહાર સિવાય કેવી રીતે લાગે ?
ઉત્તર:- જો એવું શ્રદ્ધાન છે, તો સર્વત્ર કોઈ પણ કાર્યનો ઉદ્યમ તું ન કર. તું ખાનપાન અને વ્યાપારાદિકનો તો ઉદ્યમ કરે છે, અને અહીં હોનહાર બતાવે છે, તેથી જાણીએ છીએ કે તારો અનુરાગ જ અહીં નથી; માનાદિકથી જ આવી જૂઠી વાતો બનાવે છે.
એ પ્રમાણે રાગાદિક હોવા છતાં પણ તેનાથી રહિત જે આત્માને માને છે, તે મિથ્યાષ્ટિ જાણવા.
વળી તું કર્મ-નોકર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિબંધ માને છે, પણ તેનું બંધન તો પ્રત્યક્ષ જોઈએ છીએ. જ્ઞાનાવરણાદિકથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ, શરીર વડ તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છીએ, તો બંધન કેવી રીતે નથી? જો બંધન ન હોય તો મોક્ષમાર્ગી તેના નાશનો ઉધમ શામાટે કરે ?
પ્રશ્ન:- તો શાસ્ત્રોમાં આત્માને કર્મ-નોકર્મથી ભિન્ન અબદ્ધસ્કૃષ્ટ કેવી રીતે કહ્યો છે?
ઉત્તર:- સંબંધ અનેક પ્રકારના છે, ત્યાં તાદાભ્યસંબંધ અપેક્ષાએ આત્માને કર્મ-નોકર્મથી ભિન્ન કહ્યો છે. કારણ કે દ્રવ્ય પલટી જઈ, એક થઈ જતું નથી, એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com