________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪]
મોક્ષમાર્ગ પ્રકાશક
તથા શુભ-અશુભનો પરસ્પર વિચાર કરીએ તો શુભભાવોમાં કષાય મંદ થાય છે, તેથી બંધ હીન થાય છે, તથા અશુભભાવોમાં કષાય તીવ્ર થાય છે અને તેથી બંધ ઘણો થાય છે, - એ પ્રમાણે વિચાર કરતાં સિદ્ધાંતમાં અશુભની અપેક્ષાએ શુભને ભલો પણ કહે છે. જેમ-રોગ તો થોડો વા ઘણો બૂરો જ છે, પરંતુ ઘણા રોગની અપેક્ષાએ થોડા રોગને ભલો પણ કહીએ છીએ.
માટે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભથી છૂટી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને છોડી અશુભમાં પ્રવર્તવું તો યોગ્ય નથી.
પ્રશ્ન:- કામાદિક વા સુધાદિક મટાડવા માટે અશુભરૂપ પ્રવૃત્તિ તો થયા વિના રહેતી નથી, તથા શુભપ્રવૃત્તિ ઇચ્છા કરીને કરવી પડે છે. જ્ઞાનીને ઇચ્છા કરવી નથી, માટે શુભનો ઉધમ ન કરવો?
ઉત્તરઃ- શુભપ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી કામાદિક હીન થાય છે; સુધાદિકમાં પણ સંકલેશ થોડો થાય છે, માટે શુભોપયોગનો અભ્યાસ કરવો. ઉધમ કરવા છતાં પણ જો કામાદિક વા ક્ષુધાદિકની પીડા રહે, તો તેના અર્થ જેથી થોડું પાપ લાગે તે કરવું, પણ શુભોપયોગને છોડી નિઃશંક પાપરૂપ પ્રવર્તવું તો યોગ્ય નથી.
વળી તું કહે છે કે “જ્ઞાનીને ઇચ્છા નથી, અને શુભોપયોગ ઇચ્છા કરવાથી થાય છે;” પણ જેમ કોઈ પુરુષ કિંચિત્માત્ર પણ પોતાનું ધન આપવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણું ધન જતું જાણે, ત્યાં પોતાની ઇચ્છાથી અલ્પધન આપવાનો ઉપાય કરે છે; તેમ જ્ઞાની કિંચિત્માત્ર પણ કષાયરૂપ કાર્ય કરવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણા કષાયરૂપ અશુભ કાર્ય થતું જાણે, ત્યાં ઇચ્છા કરીને અલ્પ કપાયરૂપ શુભકાર્ય કરવાનો ઉદ્યમ કરે છે.
એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ કે જ્યાં શુદ્ધોપયોગ થતો જાણે ત્યાં તો શુભ કાર્યનો નિષેધ જ છે, અને જ્યાં અશુભોપયોગ થતો જાણે, ત્યાં શુભ કાર્ય ઉપાય વડે અંગીકાર કરવા યોગ્ય છે.
એ પ્રમાણે જે અનેક વ્યવહારકાર્યોને ઉથાપી સ્વચ્છંદપણાને સ્થાપે છે, તેનો નિષેધ કર્યો.
કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ
હવે એ કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ દર્શાવીએ છીએ.
એક શુદ્ધાત્માને જાણવાથી જ્ઞાની થઈ જાય છે, અન્ય કશાની જરૂર નથી એવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com