________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ન કરવો. પણ માત્ર ધર્મનો આશ્રય લઈ વિષય-કષાય સેવવા છે માટે જ તે આવી જૂઠી યુક્તિ બનાવે છે. જો પોતાના પરિણામ કિંચિત્ પણ તેમાં ન મેળવે, તો અમે તેનું કર્તવ્ય ન માનીએ. જેમ પોતે ધ્યાન ધરી બેઠો હોય, અને કોઈ પોતાના ઉપર વસ્ત્ર નાખી જાય, ત્યાં પોતે જ કિંચિત્ પણ સુખી ન થાય, તો ત્યાં તેનું કર્તવ્ય નથી એ સાચું, પણ જ્યાં પોતે વસ્ત્રને અંગીકાર કરી પહેરે, અને પોતાની શીતાદિક વેદના મટાડી સુખી થાય, ત્યાં જો પોતાનું કર્તવ્ય ન માને તો એ કેમ બને? વળી કુશીલસેવન, અભક્ષ્યભક્ષણ ઇત્યાદિ કાર્ય તો પરિણામ મળ્યા વિના થતાં જ નથી, ત્યાં પોતાનું કર્તવ્ય કેવી રીતે ન માનીએ? જો કામ-ક્રોધાદિકનો અભાવ જ થયો હોય તો
ત્યાં કોઈ ક્રિયાઓમાં પ્રવૃત્તિ સંભવે જ નહીં તથા જો કામ-ક્રોધાદિક હોય, તો જેમ એ ભાવો ઘટતા જાય તેમ પ્રવૃત્તિ કરવી. પણ સ્વછંદી બની તેને વધારવા યોગ્ય નથી.
વળી કેટલાક જીવો પવનાદિકના સાધન વડે પોતાને જ્ઞાની માને છે. ત્યાં ઇંડા-પીંગળાસુષુષ્ણારૂપ નાસિકાધાર વડે પવન નીકળે, ત્યાં વર્ણાદિક ભેદોથી પવનને જ પૃથ્વીતત્ત્વાદિરૂપ કલ્પના કરે છે. તેના વિજ્ઞાનવડ કંઈક સાધનાથી નિમિત્તનું જ્ઞાન થાય, જે વડે તે જગતને ઇષ્ટઅનિષ્ટ બતાવે અને પોતે મહંત કહેવડાવે, પણ એ તો લૌકિક કાર્ય છે, એ કાંઈ મોક્ષમાર્ગ નથી. જીવોને ઇષ્ટ–અનિષ્ટ બતાવી તેમનાં રાગ-દ્વેષ વધારે અને પોતાને માન-લોભાદિક ઉપજાવે તેમાં શું સિદ્ધિ છે?
પ્રાણાયામાદિક સાધન કરે, પવનને ચઢાવી સમાધિ લગાવી કહે છે, પણ એ તો જેમ નટ સાધનાવડે હસ્તાદિકવડ ક્રિયા કરે છે, તેમ અહીં પણ સાધનાથી પવનવડે ક્રિયા કરી. હસ્તાદિક અને પવન એ તો શરીરનાં જ અંગ છે. તેની સાધનાથી આત્મહિત કેમ સધાય ?
તું કહીશ કે “ત્યાં મનનો વિકલ્પ મટી સુખ ઊપજે છે, અને યમને વશીભૂત-પણું થતું નથી.” પણ એ મિથ્યા છે. જેમ નિદ્રામાં ચેતનાની પ્રવૃત્તિ મટે છે તેમ પવનસાધનાથી અહીં ચેતનાની પ્રવૃત્તિ મટે છે. ત્યાં મનને રોકી રાખ્યું છે; પણ કાંઈ વાસના તો મટી નથી, તેથી ત્યાં મનનો વિકલ્પ મટયો ન કહેવાય, અને ચેતના વિના સુખ કોણ ભોગવે છે? તેથી સુખ ઊપજયું ન કહેવાય. વળી એ સાધનાવાળા તો આ ક્ષેત્રમાં થયા છે, તેમાં કોઈ અમર દેખાતા નથી. અગ્નિ લગાવતાં તેનું મરણ થતું દેખાય છે, માટે તે “યમના વશીભૂત નથી” એ કલ્પના જૂઠી
વળી જ્યાં સાધનામાં કંઈક ચેતના રહે અને ત્યાં સાધનાથી શબ્દ સાંભળે તેને તે “ અનાહત” શબ્દ બતાવે છે. તે તો જેમ વીણાદિકના શબ્દ સાંભળવાથી સુખ માનવું થાય છે, તેમ તેના સાંભળવાથી સુખ માનવા જેવું છે. એ તો માત્ર વિષયનું પોષણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com