________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર ]
મોક્ષમાર્ગ પ્રકાશક
રહે ત્યાં સુધી તેને મટાડવાની ઇચ્છાએ કરીને વ્યાકુળતા થાય અને એ મટતાં કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેની વ્યાકુળતા થાય. વળી પાછી સુધાદિ થતાં તેની વ્યાકુળતા થઈ આવે.
એ પ્રમાણે તેને ઉપાય કરતાં કદાચિત્ અશાતા મટી શાતા થાય તો ત્યાં પણ આકુળતા જ રહ્યા કરે છે અને તેથી દુઃખ જ રહે છે.
વળી એ શાતા પણ સદા રહેતી નથી, કારણ કે તેના ઉપાય કરતાં કરતાં જ કોઈ અશાતાનો ઉદય એવો આવે કે જેનો કોઈ ઉપાય જ બની શકે નહિ, તથા તેની ઘણી પીડા થાય એ સહી જાય નહિ ત્યારે તેની વ્યાકુળતા વડે વિહલ બની મહા દુઃખી થાય.
હવે આ સંસારમાં શાતાનો ઉદય તો કોઈ પુણ્યના ઉદયથી કોઈ જીવને કદાચિત્ જ હોય છે. ઘણા જીવોને તો ઘણો કાળ અશાતાનો જ ઉદય રહે છે. માટે એ ઉપાય કરે છે તે બધા ઉપાય જૂઠા છે.
અથવા બાહ્ય સામગ્રીથી સુખ-દુ:ખ માનીએ છીએ એ જ ભ્રમ છે. સુખ-દુ:ખ તો શાતા-અશાતાનો ઉદય થતાં મોહના નિમિત્તથી થાય છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે એક લક્ષાધિપતિ હજાર રૂપિયાનું નુકશાન થતાં દુઃખી થાય છે તથા સો રૂપિયાની મૂડીવાળો હજાર રૂપિયા થતાં સુખ માને છે. હવે બાહ્ય સામગ્રી તો પેલા લક્ષાધિપતિ પાસે આના કરતાં નવ્વાણુંગણી વધારે છે, પણ એ લક્ષાધિપતિને અધિક ધનની ઇચ્છા છે તો તે દુઃખી જ છે તથા સો રૂપિયાની મુડીવાળાને સંતોષ છે તો તે સુખી છે. વળી સમાન વસ્તુ મળવા છતાં પણ ત્યાં કોઈ સુખ માને છે તથા કોઈ દુઃખ માને છે. જેમ કોઈને મોટું વસ્ત્ર મળવું દુઃખકારી થાય છે ત્યારે કોઈને સુખકારી થાય છે. શરીરમાં ભૂખ વગેરે પીડા વા બાહ્ય ઇષ્ટનો વિયોગ-અનિષ્ટનો સંયોગ થતાં કોઈ ને ઘણું દુઃખ થાય છે, કોઈ ને થોડું દુઃખ થાય છે તથા કોઈને કંઈ પણ દુઃખ થતું નથી. માટે સામગ્રીને આધીન સુખ-દુઃખ નથી પણ શાતા-અશાતાનો ઉદય થતાં મોસ્પરિણામોના નિમિત્તથી જ સુખ-દુઃખ માને છે.
પ્રશ્ન:- બાહ્ય સામગ્રી માટે તો તમે કહો છો, એમ જ છે, પરંતુ શરીરમાં પીડા થતાં જીવ દુ:ખી જ થાય છે તથા પીડા ન થતાં સુખી થાય છે. હવે એ તો શરીરની અવસ્થાને આધીન સુખ-દુ:ખ ભાસે છે?
ઉત્તર- સંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિયાધીન છે, અને ઇન્દ્રિયો શરીરનું અંગ છે. હવે તેમાં જે અવસ્થા હોય તેને જાણવારૂપ જ્ઞાન પરિણમતાં તેની સાથે જ મોહભાવ હોય તો શરીરની અવસ્થા વડે સુખ-દુ:ખ વિશેષ જાણીએ છીએ. જુઓ પુત્ર-ધનાદિની સાથે અધિક મોહ હોય તો પોતાના શરીરનું કષ્ટ સહન કરે તેનું તો થોડું દુઃખ માને, પણ એ પુત્ર-ધનાદિકને દુઃખ થતાં વા તેનો સંયોગ મટતાં ઘણું દુઃખ માને છે અને મુનિજનો છે તે શરીરની પીડા થતાં પણ કાંઈ દુઃખ માનતા નથી માટે સુખ-દુ:ખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com