________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથો અધિકાર
[ ૮૯
ઉત્તર- મોહના ઉદયથી જે મિથ્યાત્વભાવ થાય છે–સમ્યભાવ નથી થતો એ જ એ મિથ્યાજ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન નામ પામે છે
પ્રશ્ન:- અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત તમે કેમ કહેતા નથી?
ઉત્તર:- જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાનભાવ હોય છે તથા તેના ક્ષયોપશમથી કિંચિત્ જ્ઞાનરૂપ મતિ-શ્રુત આદિ જ્ઞાન હોય છે. હવે જો તેમાંથી કોઈને મિથ્યાજ્ઞાન તથા કોઈને સમ્યજ્ઞાન કહીએ તો એ બંને ભાવ મિથ્યાષ્ટિ વા સમ્યગ્દષ્ટિમાં હોય છે, તેથી એ બંનેને મિથ્યાજ્ઞાન વા સમ્યજ્ઞાનનો સદ્ભાવ થઈ જાય, જે સિદ્ધાંતવિરુદ્ધ છે. માટે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત બનતું નથી.
પ્રશ્ન:- દોરડી-સર્પાદિકનું અયથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે? તેને જ જીવાદિ તત્ત્વના અયથાર્થ યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો?
ઉત્તર:- જાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના ઉદયથી હોય છે તથા યથાર્થપણું હોય છે તેટલું જ્ઞાનાવરણના ક્ષયોપશમથી હોય છે. જેમ દોરડીને સર્પ જાણવામાં આવે ત્યાં અયથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ઉદય છે તેથી તે અયથાર્થ જાણે છે, તથા દોરડીને દોરડી જાણવામાં આવે છે ત્યાં યથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે તેથી તે યથાર્થ જાણે છે, તેમ જીવાદિ તત્ત્વોને યથાર્થ જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે, પરંતુ જેમ કોઈ પુરુષને ક્ષયોપશમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, ત્યાં જેને અશાતા-વેદનીયનો ઉદય હોય તે દુ:ખના કારણભૂત જે પદાર્થો હોય તેને જ વેદે પણ સુખના કારણભૂત પદાર્થોને ન વેચે. જો તે સુખના કારણભૂત પદાર્થોને વેદે તો સુખી થાય, પણ અશાતાના ઉદયથી તેનાથી એમ બની શકતું નથી, માટે અહીં દુઃખ કે સુખના કારણભૂત પદાર્થોને વેચવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પણ અશાતા-શાતાવેદનીયનો ઉદય જ કારણભૂત છે. એ જ પ્રમાણે જીવમાં પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય તેને જ વેદ-જાણે છે પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યગ્દર્શન થઈ જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી એમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂતઅપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદય-અનુદય જ કારણભૂત છે.
અહીં એમ જાણવું કે-જ્યાં એકેન્દ્રિયાદિક જીવોને જીવાદિ તત્ત્વોને યથાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com