Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Author(s): Nemichandra Muni, Dulerai Matalia
Publisher: Mahavir Saitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/034804/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાધુસાધ્વી શિબિર માટુંગા (મુંબઈ)ના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા ધર્માનુબંધી વિશ્વદર્શન - - - - પુસ્તક : ૧ વિશ્વ વાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્ય - - - --- - - --- મુખ્ય પ્રવચનકાર : મુનિશ્રી નેમિચંદ્રજી -- ----- પ્રેરક પ્રવચનકાર : શ્રી દુલેરાય માટલિયા - ---- -- - - સંપાદક : ગુલાબચંદ જૈન -- - ----- - -- : પ્રકાશક : - - શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર મંત્રી લક્ષમીચંદ ઝવેરચંદ સંઘવી હઠીભાઈની વાડી-અમદાવાદ ૧ --- - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ': પ્રકાશક: શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી – અમદાવાદ ૧ કીંમત ૩-૦૦ મુક : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી જો સ્ના બેન શુકલ પ્રતાપ” પ્રિન્ટિંગ પ્રેસ, મહાત્મા ગાંધી રોડ સુરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પરંપરાનું નવું મૂલ્યાંકન [ સંપાદકીય ] બદલાતા સમય અને પલટાતાં મૂલ્યો; આ બે વસ્તુઓ વચ્ચે પણ જે વસ્તુ, વિચાર અને વ્યક્તિ ટકી રહે છે તે સર્વને સદાકાળ માન્ય રહે છે. ઘણીવાર એવું પણ બને છે કે ચાલુકાળની પરિસ્થિતિઓ કેટલીક એવી બેટી વસ્તુઓનાં મૂલ્યાંકને વધારીને રજૂ કરે છે કે . વિચારકો માટે એ તબક્કો આકરી કસોટી, ઊંડું મને મંથન અને નવી રજૂઆત કરવા માટે આવશ્યક બને છે. એટલું જ નહીં તેમને રજૂઆતની આખી શૈલીને બદલી નાખવી પડે છે અને તેને નવાં મૂલ્યાંકન સાથે સમાજ આગળ ધરવી પડે છે. એમ ન થાય તે જૂનાં સત્ય સદંતર નાશ પામવા જેવી સ્થિતિમાં રહી જવા પામે છે. ક્યાંક જૂનાં ખેદકામ થાય છે. તેમાંથી ઘણી જૂની વસ્તુઓ મળી આવે છે. ક્યારેક કલ્પનામાં ન આવે એવા નમૂનાઓ મળી આવે છે. આની કીંમત પહેલી નજરે કંઈપણ નથી. સામાન્ય માણસ માટે રસ્તેથી ઉપાડેલો એક પથ્થરનો ટૂકડે અને પેલા ખેદકામમાંથી મળી આવેલ ટુકડાની વચ્ચે કંઈપણ અતર જણાતું નથી. પણ, એને જ જ્યારે કોઇ ભૂસ્તરશાસ્ત્રી એતિહાસિક મહત્વ આપીને સંસ્કૃતિ કે સભ્યતાના કોઈ તાંતણું સાથે સાંધે છે અને કોઈ માર્ગદર્શક; દર્શકોને એ રીતે સમજાવે છે ત્યારે એનું નવું મૂલ્ય” લોકોને સમજાય છે અને એની ભવ્યતાને ન ઓપ મળે છે. એ ઉપરાંત એવા પણ મનુષ્ય હોય છે. માનવબળ હોય છે. જે સમાજનું નવેસરથી ઘડતર કરવા માટે જૂની પરંપરાને તેડી નવી પરંપરા ઊભી કરતા હોય છે. આવા ક્રાંતિદર્શ માનવબળો-નવી દુનિયા રચવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ મથે છે અને આમ ઈતિહાસના પાને ક્રાંતિઓ વડે સત્તાઓ બદલાયાના દાખલાઓ આપણને જોવા મળે છે. પ્રથમ જણાવેલ ઐતિહાસિક વિચારસરણીનાં માનવબળે કેવળ જૂની વસ્તુઓનું મૂલ્યાંકન કરતાં હોય છે, ત્યારે ક્રાંતિકારી માનવબળો નવું જ કરવા મથતાં હોય છે અને આ બન્ને પક્ષને સાથે લઈને ચાલનાર એક ત્રીજો માનવ–પક્ષ છે; જે જૂની વસ્તુઓમાં, યોગ્યતાનું મૂલ્યાંકન કરી, નવી ઘરેડ પાડી બન્ને બળોને મેળવીને ચાલે છે એને આપણે દીર્ઘદર્શા-નિર્માતા કહીએ તો ચાલશે. આ દીર્ધદર્શ માનવપક્ષ એક એવું જબ્બર કામ કરે છે કે તે માનવની જૂની અને નવી વિચાર– પરંપરા, શ્રદ્ધા અને કાર્યપદ્ધતિને સાંધતા રહે છે; અને માનવસમાજમાં વિશાળ વિશ્વ માટે કંઈક કરી છૂટવાની ધગશને તાજી રાખે છે. - આવા એક સંત છે–સંતબાલજી. સક્રિય સાધુસમાજ બને એ અંગે તેમણે મુંબઈ–માટુંગા મધ્યે સંત-શિબિરનું આયોજન કર્યું. આ અગાઉ તેમણે પિતાનું જીવન પ્રયોગાત્મક સાધુજીવનના માર્ગે વિસરાવી દીધું છે અને તેમના નૈતિક પ્રયોગોને ગુજરાતમાં સફળતા મળી છે. તેમનું સાધુ જીવન અને સંત જીવન પણ ત્રણ દાયકાથી વધારે ઘડાયેલું છે. સર્વ ધર્મ સમન્વય અને વિશ્વ વાત્સલ્ય એ બને તેમની દરેક પ્રવૃત્તિમાં જોવા મળે છે. માટુંગા સંત-શિબિરમાં ભલે ત્રીસને બદલે પંદર સાધુઓ, સાધકો અને સાધિકાઓએ ભાગ લીધે હોય, પણ તેમાં જે પ્રવચને થયાં–ચર્ચા વિચારણું થઈ તેનું મૂલ્ય અનેક ગણું વધારે છે; અને હવે પછી થવાનું છે તે પણ ભવિષ્ય બતાવશે. સંત શિબિર માટુંગામાં ભરાઈ. પૂ. મુનિશ્રી સંતબાલજીનાં જીવન અને કાર્યો પ્રત્યે, મારા પરમ સ્નેહી મિત્ર શ્રી મણિલાલ લક્ષ્મીચંદ વેરાને 'પહેલેથી જ સદ્ભાવ હતો. એટલે તેમની પ્રેરણા તળે શિબિરમાં વિશ્વાનલક્ષી ‘ થતાં સુંદર પ્રવચનો લાભ સૌ સાધુસાધ્વીઓ અને વિશાળ પ્રજાને મળે તે સારું. એમ તેમના મનમાં થતાં તેમણે પૂ. મુનિશ્રી સંતબાલજી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ વાત રજૂ કરી. જે બધાંને ગમી. પણ નકકી થયું કે આ આખુંયે સાહિત્ય ફરીથી સંપાદિત થવું જોઈએ અને તેમણે મને મુંબઈ તેડાવ્યું. હું પૂ. મુનિશ્રી સંતબાલજીના નામથી, ઠેઠ ૧૮૪૪ માં જૈનપ્રકાશને તંત્રી હતો ત્યારથી પરિચિત હતો પણ તેમની છેલ્લી નવી વિચાર શૈલીથી એટલો જ અજાણ હતો. વર્ષો સુધી સામાજિક જીવનમાં રહીને મને પણ ઘણું વિચારવા મળ્યું હતું અને જ્યારે આ પ્રવચને હું જોતા ગયે તે તેમાં ઘણી રીતે મને મારા વિચારોને અનુરૂપ સમાનતા લાગી. પણ, સંપાદન ધાર્યું તે પ્રમાણે સરળ ન હતું. બીજા સાહિત્ય સંપાદનમાં ધારીએ તે પ્રમાણે છૂટ લઈ શકાય પણ આ ચોક્કસ સંદર્ભમાં રજૂ થયેલા વિચારો—જેમાં પરિવર્તન અને નવા યુગનાં નિર્માણનાં તો રહેલાં છે તેમાં દરેકે દરેક વાક્યને સમજી વિચારીને મારે રજૂ કરવું પડ્યું છે, એટલે કંઈક વિલંબ પણ થવા પામ્યું છે. આ આખીયે વિચાર–સરણી એક યા બીજી રીતે મુખ્યત્વે જૈન પરંપરાના પ્રભાવને અનુરૂપ છે અને તે અંગે ઠેર ઠેર શાસ્ત્રીય પ્રમાણે પણ આપવામાં આવેલાં છે. એની સાથે જ એને બીજા ધર્મ – દર્શને પ્રમાણે પણ ચકાસવામાં આવેલ છે એટલે દરેકને પોતાની લાગે એ એની વિશેષતા છે. આ પુસ્તકના બન્ને પ્રવચનકારે વિધાન, ચિંતક અને કાર્યકર્તા છે. મુનિશ્રી નેમિચંદ્રજી, સંતબાલજીના પગલે જઈ રહ્યા છે ત્યારે શ્રી દુલેરાય માટલિયાનું જીવન, મંથન અને વિચારસરણું પણ ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે. ચર્ચા-વિચારણામાં ભાગ લેનારાં સાધક બધુઓ અને બહેનોનાં જીવન પણ આદર્શ અનુભવોથી સભર છે અને એ જ કારણ છે કે ચર્ચા-વિચારણામાંથી હું “ઘણું-ઓછું” ઓછું કરી શક્યો છું. આને લાભ વ્યાપક રીતે સહુને પહોંચશે તે આ પ્રયાસ સફળ થયો ગણીશ મદ્રાસ, છે ૧૫-૪-૬૨ ગુલાબચંદ જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવાત્સલ્યની” પૂર્વભૂમિકા “વિશ્વ વાત્સલ્ય”ના નિરતરના વાચકો ભાલ નળકાંઠા પ્રયોગની વાત શબ્દો દ્વારા સારી પેઠે જાણે છે. એમાં પાયે ગામડાં છે. પૂરક કસબા અને શહેરે છે. ગામડાંમાં જેમ ભારતીય સંસ્કૃતિનાં મૂળતો વિશેષ છે. તેમ શહેરોમાં એ મૂળતર વિશેષરૂપે બચ્યાં હોય તો તે મહિલા જાતિમાં અને મજૂરોમાં. બાકી તો ગાંધીજીએ કહ્યું છે તેમ “ગામડાંને ચુસીને આજનાં શહેરે ફાલ્યાં કૂલ્યાં હે; શેતાનના ચરખા જેવાં છે.” અમદાવાદનું મજૂર મહાજન ગુજરાતના મહાનગરમાં ગાંધીજીને હાથે એ દષ્ટિએ રચાયું હતું. જેમાંથી દેશદષ્ટિએ ઈન્દુક નામની સંસ્થા બની છે. ગામડામાં પણ પરિશ્રમ, આજીવિકાનાં સાધનનું ઉત્પાદન, શાન્તિ પ્રિયતા અને દેશની અહિંસક તાકાત ઈત્યાદિ કારણોથી ખેડૂતમંડળ રૂપી સંસ્થાની મહત્તા આ પ્રયોગમાં પ્રથમથી રહી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર ભારતની અને જગતની અજોડ વિભૂતિઓ છે. તેમાંયે મહાવીર પરંપરા અહિંસામાં સર્વોપરી રહી છે. એ પાયામાં લોકશક્તિ જ હતી. એ અન્વયે ગાંધીજીએ સામુદાયિક અહિંસાના પ્રયોગો સૌથી વધુ રાજકીય ક્ષેત્રમાં અજમાવ્યા. તેઓ જાતે સંત, મહાત્મા, ધર્મપ્રિય અને આધ્યાત્મલક્ષી હોવા છતાં રાજકારણમાં પડયા; તે કઈ સત્તા માટે નહીં પણ દુનિયાની માનવજાતના સામાજિક જીવનમાં સત્ય-અહિંસારૂપ ધર્મને ભરવાના સાધનને કારણે પડ્યા. કોંગ્રેસ જો કે ભારતમાં પેદા થયેલી, પણ આખા વિશ્વના રાજકીય તખતા ઉપર શાન્તિમાં કિંમતી ફાળો આપે એવી સંસ્થા આ યુગે પ્રારંભથી થયેલી. તેથી તેમાં તેઓ સક્રિય ભળેલા. સ્વયંસેવકથી માંડીને ઠેઠ પ્રમુખપદ સુધી ગયેલા. પરંતુ આટલું તાદામ્ય સાધ્યા પછી તટસ્થતા સાધવા કે શું ? પણ ખરેખર બંધારણીય રીતે તેઓ પુનાના ઠરાવ, નિમિત્ત છૂટા પડ્યા. અને છતાં જિંદગીના અંત લગી કોંગ્રેસ સાથે અનુબંધિત રહ્યા. આથી બીજે નંબરે આ પ્રયોગમાં કોંગ્રેસને લેવામાં આવે છે. કોંગ્રેસમાં વિશ્વવિશાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ છે. જગતના પ્રશ્નોને લઈને ઉકેલવાની દિશામાં તેની હિમ્મત કેળવાયેલી છે. જો તેમાં પૂરક તરીકે ઘડાયેલાં ગામડાંની બહુમતી હોય તો કોંગ્રેસ મજબૂત બને અને એમ્બી પણ રહે. વળી ભારતનું ગામડું અત્યાર લગી સંગઠિત જરૂર રહ્યું છે પણ સાથે સાથે તે એકલવાયું રહ્યું છે. જે ગામડાંમાં સમગ્ર દેશની દષ્ટિ હેત તે પરદેશી સત્તાઓ આ દેશમાં આવીને જામી શત નહીં. કોંગ્રેસ રાજકીય સંસ્થા હેવાથી એને બંધારણમાં સત્ય, અહિંસા આવી શક્યાં નથી. સ્વરાજ્ય બાદ દેશ અને દુનિયાના સંગે જોઈને એને ફાળે જે કામગીરી આવી છે, તેમાં સત્તા અને ધનનાં પ્રલોભને હેવાથી અશુદ્ધિ વધવાની અને પ્રજાના અગત્યના પ્રશ્નોમાં ડખલ થવાની વધુમાં વધુ વકી છે. ગામડાંને કેંગ્રેસપૂરક બનાવવામાં આ જોખમ પણ રહેલું છે. આથી કોંગ્રેસથી ઘડાયેલા તથા બાપુના સાનિધ્યમાંથી તેમ જ રચનાત્મક કાર્યોમાંથી પસાર થયેલા રચનાત્મક કાર્યકરોની આધ્યાત્મલક્ષી સંસ્થા દ્વારા એ ગ્રામમંડળોને દરવવાની જરૂર હતી. આથી ત્રીજે નંબરે આ વસ્તુને પણ પ્રયોગમાં સ્થાન છે. આમ તો ઓછી સંખ્યા હોવા છતાં આ સેવકોની સંસ્થાનું પદ, એ બન્ને સંસ્થાઓ કરતાં ઊંચું છે. પ્રયોગમાં આવી સંસ્થાઓને પ્રાયોગિકસ કહેવામાં આવે છે. ગામડાઓના પ્રાયોગિકસઘની દેરવણી તળે નિતિક–ગ્રામસંગઠને ચાલે અને તે જ રીતે શહેરના વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક તળે માતસમાજે, ઈન્દુક તથા મધ્યવર્ગનાં જનસંગઠને ચાલે. આ દષ્ટિએ જ નૈતિક ગ્રામ સંગઠને અને નૈતિક શહેરી જન સંગઠને નામ સાર્થક થઈ શકે છે. પરંતુ આ ત્રણ સંસ્થાઓને ઊભી કરી વ્યવસ્થિત બનાવવાનું કામ કાતિપ્રિય સાધુ સાધ્વીઓ સિવાય કોઈ નહીં કરી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ આથી એ નંબરે કાન્તિપ્રિય સંતનું સ્થાન આ પ્રયોગમાં આવે છે. સાચું અધ્યાત્મ તે છે જે જીવનનું અને જગતનું બન્નેનું કલ્યાણ કરે. વ્યાપક ધર્મતત્વમાં પણ આ જ વાત છે. ભાલનળકાંઠા પ્રયોગને આ દૃષ્ટિએ ધર્મમય સમાજરચનાનો પ્રયોગ પણ કહી શકાય. એનું ધ્યેયબિન્દુ વિશ્વ વાત્સલ્ય છે. ભાલ નળકાંઠામાં આ ત્રણેયનું અનુસંધાન સફળતાથી પાર પડ્યું. - પ્રયોગ હવે સાધના ભટી સિદ્ધિ બની. એમાં ગામડાંથી માંડીને જગત લગીને પ્રશ્નો આવતા હોઈ અનિષ્ટોને પ્રતીકાર કરવાની અહિંસક પ્રક્રિયા પણ પ્રયોગમાં ઊભી થઈ. આર્થિક, સામાજિક, સાંપ્રદાયિક અને રાજકીય ક્ષેત્રમાં પણ એ પ્રયોગો થયા. જેને સામુદાયિક અહિંસાના પ્રયોગ અથવા “શુદ્ધિકગ”ને નામે ઓળખવામાં આવે છે. આ બધું થયા પછી જેમ બીજા પ્રાંત અને દેશાંતરમાં આ પ્રયોગની વ્યાપ્તિને પ્રશ્ન ઊભો થશે, તેમ સાથોસાથ ચોથા નંબરના ક્રાતિપ્રિય સંતો અને ત્રીજા નંબરના સર્વાગી રચનાત્મક કાર્યકરોને અધ્યયનપૂર્વક ઘડવાની વેળા પણ પાકી ગઈ. આ પહેલાં મારી રુબરુ રચનાત્મક કાર્યકરે, ધાર્મિક ભાવનાવાળા ગૃહસ્થાશ્રમીઓ તેમજ કોંગ્રેસીઓના નાના મોટા વર્ગો ભરાયા હતા. આ વર્ગમાં સાધુ-સાધ્વી, સન્યાસીઓને પણ લેવાના હતા. સદભાગ્યે “મુનિદય” આ પહેલાં મળી ચૂકેલ. પણ મેટા મુનિ કાળધર્મ પામતાં નેમિમુનિ મળેલા. સાધુ-સાધ્વી, સાધક-સાધિકાઓને આ શિબિર ઓછામાં ઓછા ચાર માસ લે તેમ લાગ્યું. છોટુભાઈએ આ સૂચન મૂકેલું. ત્રણ માસાં મુંબઈમાં થયાં, ત્યાર પછી આને અમલ કરવાની શરૂઆત થઈ. તે અરસામાં સાધ્વીય આવેલ. જેકે તેઓ બન્ને શિબિરમાં આવી શક્યા નહીં. બીજા જૈન સાધુઓની વકી હતી, તે પણ આવેલ નહીં. પરંતુ નેમિમુનિ અને બીજા બે સન્યાસીઓ આવેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ એટલે અમે એ જૈન સાધુએ તથા એ સન્યાસીઓ મળી ચાર થયા. ત્રણ બહેનો અને આઠ સાધકા મળીને કુલ્લે પદર સાધુ-સન્યાસી, સાધક સાધિકાઓના વર્ગ ચાલ્યે. ‘ ધર્માનુંધી વિધાન આ રીતે એ વમાં દશ મુદ્દાઓ ચર્ચાયા. પાંચ મુદ્દા પર હું કહેતા અને પાંચ મુદ્દાઓ પર પ્રિય નૈમિમુનિ કહેતા. એ મુદ્દા મળીને આ પુસ્તક બનેલુ હોઈ તેનું નામ ધર્મોનુબંધી વિશ્વાન ' અપાયુ છે. એ દૃશ મુદ્દાએ નીચે મુજબ છે : C ( ૧ ) વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણ રાજ્ય ( ૨ ) અનુબંધ વિચારધારા. ( ૩ ) સાધુ સંસ્થાની અનિવાયતા અને ઉપયોગિતા. ( ૪ ) સર્વ ધર્મપાસના, ( ૫ ) ભારતીય સંસ્કૃતિ. ( ૬ ) સામુદાયિક અહિંસાના પ્રયેગા. " ( ૭ ) દર્શન ની વિશુદ્ધિ ( જેમાં ધ મૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતા, શાસ્ત્રઢતા, લેાકમૂઢતા, આસ્તિકતા, નાસ્તિકતા, ઇશ્વરવાદ, અનીશ્વરવાદ, એકાંગી આત્મવાદ, વ્યક્તિવાદ વગેરે ખાખતા પર છણાવટ થઈ છે. ) ( ૮ ) ક્રાન્તિકારાનાં જીવન. ( ૯ ) વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ (જેમાં વિશ્વ તહાસ, ભૂંગાળ, વિજ્ઞાન, રાજનીતિ, વગેરે છષ્ણાયેલ છે. અનીતિના પ્રવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સ્મૃતિ વિકાસના માર્ગો (જેમાં અવધાને, ગણિતપ્રાગે, છદો વગેરે છણાયું છે.) આ દશ મુદ્દાઓ પૈકીને પ્રથમ મુદ્દો આ પુસ્તકમાં છપાય છે. જેમાં અઢાર પ્રવચને ચર્ચામાં છે: એ અઢાર પ્રવચનમાં મુખ્ય વક્તા પ્રિય મુનિ નેમિચંદ્રજી છે. ઉપરાંત પ્રિય દુલેરાય માટલિયાએ પણ આ પ્રવચનમાં સક્રિય ફાળે આપે છે. તેમને “કલ્યાણરાજ્ય અંગેને તથા “સર્વોદય’ અંગેને માત્ર અભ્યાસ જ નથી. એ ત્રણેયના અનુસંધાનમાં તેમને બૌદ્ધિક અને કર્તવ્યાત્મક હિસ્સો પણ છે. “વાત્સલ્યધામ” માલપરાની સંસ્થા નિમિત્તે તથા શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘના મંત્રી તરીકે પણ તેમને અનુભવ વિશાળ થયા છે. ખાસ તો સંતવિબા વિચારધારા” તથા “અનુબંધ વિચારધારાના પરસ્પર પૂર્તિરૂપના સમન્વય ઉપર તેમણે સાહિત્ય પણ પ્રગટ કર્યું છે. નેમિમુનિની તો વાત જ શી કરવી ? તેમણે ક્રાતિપ્રિય સંત તરીકે આ માર્ગમાં પગલાં માંડયાં ત્યારથી રાજસ્થાનમાં અનેક વિટંબણાઓ વચ્ચે અડેલભાવે ટકી શક્યા. પિતાની વિદ્વત્તા ઉપરાંત એ બધા અનુભવને નિચોડ આ પ્રવચનમાં મળશે. આથી પ્રિયનેમિમુનિ મારા, વિચારોની અસરકારક પ્રતિકૃતિરૂપ જ નથી રહ્યા. તેમણે ભાલનળકાંઠા પ્રયોગ પ્રવૃત્તિને, તેમાં કાર્ય કરનારાં પરિબળોને તેમ જ રાજસ્થાનમાં વિધવાત્સલ્ય ચિંતક સમિતિ વ. કાર્યોને અનુભવ કરીને અમુક હદે આ પ્રયોગની જાતસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેથી જ આ પ્રવચનોમાં પ્રાણું પુરાયે છે. ' ઉપરાંત આ પ્રવચને સાથે શિબિર સભ્યોની ચર્ચા જાઈ છે તે સોના સાથે સુગંધની ગરજ સારે છે. દંડી સન્યાસીનાં પાકટ અનુભવ, બૌદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ધર્મ પ્રત્યેને તેમને અપાર આદર અને ઇતિહાસ દૃષ્ટિએ તથા વિશાળ પ્રવાસ દષ્ટિએ તેમને વૈદિકાદિ ધર્મોના સંતે, તીર્થો વ.ને પરિચય તેમ જ શિબિરાર્થી બહેને, ભાઈએ વ.ના ઉડા જાત અનુભવનું તારણ પણ એમાં સાંપડે છે. એ જ રીતે પ્રસંગે પાત અંબુભાઇ, ફૂલજીભાઈ વગેરે ભાલ નળકાંઠા કાર્યના પ્રત્યક્ષ કાર્યકરોના જાત અનુભવને પણ ફાળો રહેલો છે. આ પ્રવચન તથા ચર્ચાનું ટૂંકું તારણ (જે કદાચ આ પહેલાં સાધુ સાધ્વી શિબિર પ્રવચનની ઝાંખી રૂપે) વિશ્વ વાત્સલ્ય”ના સન ૧૯૬૧ના ભેટ પુસ્તક રૂપે-આ પુસ્તક ગ્રાહકોના હાથમાં પહેચે તે પહેલાં બહાર પડી ચૂક્યું હશે. આ તારણનાં વાંચન પરથી શ્રી મણિભાઈ લોખંડવાળા (જેઓ ગૂર્જરવાડી જે જ્ઞાતિની છે, તેના અધ્યક્ષ છે અને આ માટુંગા ચાતુર્માસમાં જેમણે અનેક પ્રકારે હાર્દિક સેવા બજાવી છે, તેઓ)નું મન પુસ્તક છપાવવા રૂપે થયું. “એકને બદલે બીજાઓ પણ સામેલ થાય તે સારું જે પરથી તેમણે સ્વેચ્છાએ ભાગીદારી જેટલી જે નેંધાવે તેમાં ખુશીથી સંમતિ બતાવી. સદ્ભાગ્યે તેમના જ પ્રયને મદ્રાસ સ્થા. જૈન છાત્રાલયના ગૃહપતિ પ્રિય ભાઈશ્રી ગુલાબચંદભાઈ જેવા યોગ્ય સંપાદક પણ મળી ગયા. શિબિર સહાયક શ્રી છોટુભાઈ મણિભાઈ મીરાંબહેન અને આ પ્રવચનના બીજા શ્રોતા ભાઈબહેનેને હિસ્સો પણ ભૂલી ન શકાય. આ રીતે જોતાં આ પુસ્તકમાં કેટલાં બધાં પરિબળોને ફાળે છે, તેને વાચકોને ખ્યાલ આવશે. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ સંચાલિત “સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ” નિમાયેલી તે આ પુસ્તકની નૈતિક સંપાદિકા છે, પણ બધી સગવડ જોઈ મહાવીર સાહિત્ય પ્ર. મંદિરનું પ્રકાશક તરીકે નામ રખાયું છે. શિબિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પછીના કાર્યનું સંકલન રહે, એ માટે (૧) અનુબંધ વિચારધારા પ્રચાર સમિતિ ( ૨ ) સાધુસાધ્વી સ ંપર્ક સમિતિ અને (૩) તપ, સાધન વ. અંગેની એક કાળા સમિતિ પણ વિશ્વવાસણ્ય પ્રાયેાગિક સધ તળે રચાયેલ છે. જ્યાં લગી · વિશ્વવાત્સલ્ય પ્રાયેાગિક સધ” દેશભરમાં વ્યવસ્થિત રૂપે ન ઊભા થાય ત્યાં લગી દેશદેશાંતરના શુદ્ધિપ્રયાગા ઉપરાંત શાંતિસેનાની કામગીરી પણ વ્યકિતગત ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઆની પ્રેરણા નીચે ગ્રામ પ્રાયેાગિક સંઘે તથા વિશ્વવાસભ્ય પ્રાયેાગિક સત્રેની શાખાએ એ જ ખજાવવાની રહેશે. એ દૃષ્ટિએ ધર્મદૃષ્ટિએ સમાજરચના પછીનું સાધુસાધ્વી શિબિરનુ દશેક પુસ્તકમાં પ્રગટનારું આસાહિત્ય ભવિષ્યના સમાજ પ્રેરક ચારિત્ર્ય ઘડતરમાં પેાતાનુ આગવું અને અજોડ સ્થાન લેશે એવી સંભાવનાને કારણે મને આશા જ નહીં; બલકે ખાતરી છે કે આ પુસ્તકના લાભ વાચકો પૂરેપૂરા લેશે અને અનુબંધ વિચારધારાના સક્રિય અંગ બની પાતપાતાની કક્ષા અને પરિસ્થિતિ મુજ્બ ધર્મદૃષ્ટિએ સમાજરચના લડાવે લૂટશે. કરવાન ચીખલી, તા. ૬–૪-૨ ‘સ’તમાલ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ બે બેલ મુનિશ્રી સંતબાલજીને તમો સૌ જાણો છો. તેઓ એક ક્રાંતિકારી જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહેનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહી ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલેને પગલે અશાન્તિ દેખાય છે. તેના નિરાકરણ માટે સાધુસંતોએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તે જ બની શકે કે જે સાધુસાધ્વીઓ, પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છેડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆ૫ ગ્રામજનતાને અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તો માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થા દ્વારા જનતા વાટે કરવો પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે, અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચોકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ સ્નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની એક બ્રાહ્મણે કરતા, તેઓ કયાંય વ્યસને, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહે છે. અને તે આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની ચોકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સતે, બ્રાહ્મણોને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાન્તિથી જીવતો. અને અધ્યાત્મલક્ષી રહી શકત; કઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતે તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દેટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણું સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂ૫ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪. હવે વિશ્વરાજ્યમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે. ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિનાં પાયા પર સંગઠને બનાવવા જોઈએ. એ સંગઠને સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે; તેનું સંચાલન આજના બ્રાહ્મણો કે જે રચનાત્મક કાર્યકરે કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ. અને રચનાત્મક કાર્યકરની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણા મળતી રહે તે માટે સાધુસંતોએ ધ્યાન રાખવું જોઈએ. દુનિયા ભરનાં રાજ્યની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોએ ધ્યાન આપવું જોઈએ. આ સાધુસંતો સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે કારણે સંવત ૨૦૧૭ ના ચાતુર્માસમાં મુંબઈમાં માટુંગા (ગુર્જર વાડી) મુકામે સાધુ સાધ્વી અને સાધક સાધિકાઓને એક શિબિર યોજવામાં આવેલો. તે સતત ચાર માસ ચાલે, તેમાં જે પ્રવચને ચર્ચા વ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તે બીજાં સાધુ સાધ્વી, સેવકે અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણું ભાઈ બેનેને લાગણું આવી. ખાસ કરીને પૂ. નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતુ. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણાં પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે. માટુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લોખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખૂબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામોમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતાં હતા. તેમણે કહ્યું કે “મહારાજશ્રી આ શિબિરપ્રવચને પુસ્તકરૂપે છપાય અને સાધુસંતોને અપાય તો તેને લાભ તેમના જીવનવિકાસમાં તો થાય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પણ તેઓ છકાયનાં પિયર (સમાજનાં માબા૫) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણું ઉપયોગી થઈ શકે.” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છપાવવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે. આ પુસ્તકોનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતો જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જૈનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી. અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું; તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવસાયટીમાં રહેતા વોરા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુદ્રાવાલાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે, તે બદલ તેઓશ્રીને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ ? તે સવાલ હતું. અને મદ્રાસવાળા શ્રી ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની " સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી દંડીસ્વામિ, શ્રી માટલિયા વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપ્યો છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. - સાધુસંત, સાધ્વીઓ, સેવકે અને જનતા આ પુસ્તકોનો અભ્યાસ કરી સ્વાર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. ૨૪-૪-૧૨ સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ લેખક २७ ૪૭ ૬૫ - 19 અનુક્રમણિકા પ્રકરણ વિષય ૧. વિશ્વ વાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ . મુનિશ્રી નેમિચંદ્રજી ૨. વાત્સલ્યથી વિશ્વ વાત્સલ્ય-વિવેચન... મુનિશ્રી નેમિચંદ્રજી ૩. વિશ્વ વાત્સલ્યનાં પાસાંઓ ... મુનિશ્રી નેમિચંદ્રજી ૪. વિશ્વ વાત્સલ્યને બીજમંત્ર ... મુનિશ્રી નેમિચંદ્રજી ૫. વિશ્વ વાત્સલ્યનાં એકમો .. મુનિશ્રી નેમિચંદ્રજી ૬. વિધવાત્સલ્યની આચારનિષ્ઠા ... મુનિશ્રી નેમિચંદ્રજી ૭. વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠા ... મુનિશ્રી નેમિચંદ્રજી ૮. વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા ... મુનિશ્રી નેમિચંદ્રજી છે. વિશ્વ વાત્સલ્યમાં વ્રત-વિચાર ... મુનિશ્રી નેમિચંદ્રજી ૧૦. વિશ્વ વાત્સલ્યમાં બ્રહ્મચર્યવિચાર .... મુનિશ્રી નેમિચંદ્રજી ... ૧૧. વિધવાત્સલ્યમાં સત્ય શ્રદ્ધાવત . મુનિશ્રી નેમિચદ્રજી .... ૨૨૮ ૧૨. વિશ્વ વાત્સલ્યમાં માલિકી હકમર્યાદા.... મુનિશ્રી નેમિચંદ્રજી ... ૨૫૨ ૧૩. વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમો . શ્રી દુલેરાય માટલિયા. ર૭૬ ૧૪. સર્વોદયનું આજ સુધીનું સ્વરૂપ છે. મુનિશ્રી નેમિચંદ્રજી - ૩૦૪ ૧૫. સર્વોદયનાં કાર્યક્રમો અને ... મુનિશ્રી નેમિચંદ્રજી અને ખૂટતાં તત્તે શ્રી દુલેરાય માટલિયા ૩૨૬ ૧૧. સર્વોદયને રાજનૈતિક દૃષ્ટિકોણ . મુનિશ્રી નેમિચંદ્રજી અને શ્રી દુલેરાય માટલિયા... ૩૫ર ૧૭. કલ્યાણરાજ્ય અને તેની પૂર્વભૂમિકા.શ્રી દુલેરાય માટલિયા.... ૩૮૦ ૮. વિવાત્સલ્ય વિચારની વિશેષ જવાબદારી ... શ્રી દુલેરાય માટલિયા. ૩૮૪ . ૧૮૬ ૨૦૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧] વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ [ તા. ૧૭૭–૬૧ ] -મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વને સુખી કરવા માટે, તેમાં વસેલાં જીવેાના કલ્યાણ માટે જગતમાં પ્રાચીન કાળથી આજ સુધી અલગ અલગ પ્રકારની શ્રેણી વિચારધારા રજુ કરવામાં આવી છે; જ્યારે જ્યારે લાકસમૂહમાં દુ:ખ, સતાપ કે કલેશા વધે છે ત્યારે ત્યારે વિચારકા આગળ આવીને તેમનાં સુખ, શાંતિ અને કલ્યાણ માટે પેાતાની રીતે વિચારધારા રજૂ કરે છે; યાજનાએ ધડે છે અને લેાકસમૂહને તે રીતે નવિનતા લાવી, નવી રીતે જીવવાના આદેશ આપે છે. આને લેકક્રાંતિ કહી શકાય. આ લાકક્રાંતિની અંદર ઊંડાણુમાં એક જ ઉદ્દેશ્ય રહેલા હોય છે અને તે છે માનવજીવનની એક વ્યવસ્થિત પ્રણાલિકાને સ્થાપિત કરવી; જેનાથી લેાક-જીવનમાં સુમેળ બન્યા રહે. આ વિચારસરણીએ જગત સમક્ષ જુદા જુદા ધર્મના નામે રજૂ થઈ જુદા જુદા વાદેાના નામે પ્રગટ થઈ તેમ જ જુદી જુદી ભાવનાએ રૂપે રજૂ થઈ. પાશ્ચાત્ય દેશમાં આજે મુખ્યત્વે ભૌતિકવાદને સ્થાન આપવામાં આવેલ છે. મૂડીવાદી લેાકશાહીને લ્યે! કે સામ્યવાદી મજૂર સરમુખત્યારશાહીને ધ્યેા. બન્નેનાં અંતિમ ધ્યેય રૂપે તે માનવજીવનનાં ઉચ્ચતમ ભૌતિક સુખા જ છે. લેાકેા દ્વારા વધુ ધન મેળવી, તેના ઉપયેાગ તેમનાં અનિય ંત્રિત ભૌતિક સુખા અંગે કરવામાં મૂડીવાદ માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ છે, જ્યારે જેટલું અને જેવું કામ તે પ્રમાણે મૂડીને સરખે ભાગે વહેચી બધા સમાન રીતે સુખોને ભોગવે તેમાં સામ્યવાદ માને છે. એની સાથે પ્રાચીન કાળથી ભારતે લોક–જીવન જીવવા માટે જે વિચારધારા આપી છે તે ધર્મમય સમાજવાદની છે; ધર્મમય સમાજરચનાની છે. આમાં “ધમ ને મુખ્યતા આપવામાં આવી છે. આ ધર્મમય સમાજરચનાને સમજવા માટે જગતના જે જે વિચાર પ્રવાહે છે તેને બરાબર જાણું લેવા જોઈશે. પાશ્ચાત્ય વિચારવાનો આધાર મુખ્ય ભૌતિક સુખ તરફ વળે છે ત્યારે પૂર્વના વિચારપ્રવાહને આધાર આધ્યાત્મિક ઉન્નતિ છે. વિચારોનું કહેવું છે કે આ માનવજીવનની ઉપયોગિતા કેવળ ભૌતિક સુખમાં પૂર્ણ થતી નથી, પણ તેની આધ્યાત્મિક ઉન્નતિમાં રહેલી છે એટલે લોકજીવનના સુમેળ માટે પૂર્વના વિચાર પ્રવાહને અહીં સમજી લઈએ. સમાજરચના સાથે ધર્મને અહીં વિશેષ રૂપે જોડવામાં આવેલો છે અને ભારતીય લોકજીવનના ઈતિહાસને તપાસશું તો એ સ્પષ્ટ જણાઈ આવશે કે જગતનાં જુદા જુદા લેક–જીવને “ધમ ” કે ધર્મ જેવી કોઈ વિચારસરણીની આસપાસ ગૂંથાયેલાં છે. આ વિચારસરણીને સર્વાગી રીતે સમજવા માટે ત્રણ શબ્દો હમણું અવારનવાર સંભળાયા કરે છે [૧] વિશ્વ વાત્સલ્ય, [૨] સર્વોદય, [૩] કલ્યાણરાજ. આ ત્રણે શબ્દો એકબીજાથી એટલા બધા મળતા હોવા છતાં, દરેકની પોતપોતાની વિશેષતા છે અને જગતમાં જે ધર્મમય સમાજની રચનાને પ્રયાસ થઈ રહ્યો છે, તે આ ત્રણેને સમન્વય થયા બાદ જ પૂર્ણ બની શકે છે. આ ત્રણે વિચાર પ્રવાહે સામાન્ય રીતે લોક-જીવન કેવી રીતે ઉન્નત બને તેને લક્ષ્યમાં રાખીને જવામાં આવ્યા છે. સ્થૂળ અર્થમાં વિશ્વ-વાત્સલ્યની જે વિચારધારા છે, તે સમાજ કે સંસ્થા દ્વારા, અથવા સંસ્થા રચાઈને; પ્રચલિત સ્થાપિત હિતેની વિરૂદ્ધ ક્રાંતિ કરવામાં અને તે વડે લેકજીવનને સુમેળ સાધવામાં માને છે. વિશ્વવાત્સલ્ય વિચારધારાનું મૂર્તિરૂપ ધર્મમય સમાજરચના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ * સર્વોદય વિચાર-ધારા વ્યક્તિના સર્વાગી ઉદયને માને છે. તે (ગાંધીજી પછી ભૂદાન આંદોલનના સમયથી વિનોબાજીના સમયથી વ્યકિતના સંપૂર્ણ વિકાસ વડે ક્રાંતિ કરી લોકજીવનને સુખ-શાંતિ અપાવવામાં માને છે. ગાંધીજી તે સંસ્થામાં માનતા પણ હમણાં અમારે સંસ્થાઓ સાથે શું ?” એ ઝોક સર્વોદય કાર્યકર્તાઓમાં જોવા મળે છે. ત્યારે, કલ્યાણરાજ એટલે કે સંપૂર્ણ રાજ્ય દ્વારા અથવા સત્તા દ્વારા રાજ્યક્રાંતિ કરવાની કલ્પનાને લઈને લોકજીવનને આરોગ્ય, ન્યાય, શિક્ષણ વામાં રાહત આપવી, એવો વિચાર–પ્રવાહ છે. એમાં એક રાજ્યતંત્ર તરીકે રાજાશાહીના પ્રતીક રાજા વડેને વહીવટ આવી જાય છે અને પ્રજાતંત્ર તરીકે પ્રજાશાહીના પ્રતીકરૂપે રાજસભાને વહીવટ પણ આવી જાય છે. એમાં રાજતંત્ર પ્રજામાં રાહતનાં કામ કરી સુખ આણે એ વિચાર સમાએલો હોય છે. | સર્વોદયવાદ અને કલ્યાણરાજમાં એક પ્રકારને અદેશે રહેલ છે કે તેના વડે કયારેક પ્રથમ વિચારધારા સર્વોદયવાદ પ્રમાણે વ્યક્તિત્વ પૂજાના ફેલાવવાને ડર રહે છે અને સિદ્ધાંતને સ્થાપિત હિતો હેઠાં મૂકી દે છે ! અથવા ક્યારેક સંપૂર્ણ રાજતંત્ર સ્થાપિત હિતેનું શિકાર બને છે અને લોક-કલ્યાણના બદલે લેક-શેષણને ક્રમ આવીને ઊભ રહે છે. આ કલ્યાણરાજનું મોટામાં મોટું ભયસ્થાન છે. ભારતની પ્રાચીન પ્રણાલિ તરફ નજર કરશું તો જણાશે કે લોકક્રાંતિના વાહન રૂપે જનતાની સંસ્થાઓને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સર્વોદયના પ્રતીક રૂપે ધર્મ સંસ્થાપકોએ વિચાર-ધારાઓ, રજૂ કરી પણ તેને અમલમાં લાવનાર તે સંસ્થાઓ જ હતી. કલ્યાણરાજના આદર્શરૂપે રાજા-રામે રામ-રાજ્ય સ્થાપ્યું પણ ત્યારબાદ તે પરિપાટીને ચાલુ રાખી શકાઈ હોય તે સંસ્થાઓ દ્વારા જ. સર્વોદયની વ્યકિત કે કલ્યાણરાજના પ્રતિનિધિ, વંશપરંપરાગત એવી જ સ્વચ્છ ' પ્રણાલિને ટકાવી શકે તેવી વ્યક્તિઓ આવી શકી નહીં; અને જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ તેમણે સંસ્થાઓને આધાર લીધો ન હોત તે તેમના અવસાન સાથે ઘણીવાર બને છે તેમ તે વિચાર પ્રવાહ સૂકાઈ ગયે હેત. પ્રાચીન કાળમાં ક્રાંતિના વાહન રૂપે વર્ણાશ્રમ સંસ્થાઓ હતી. તે વર્ણાશ્રમ વ્યવસ્થાને પાયે ધર્મ હતો એટલે ધર્મમય સમાજ રચનાને તે વખતે જોઈ શકાતી હતી. ત્યારબાદ વ્યક્તિઓ ક્રાંતિની પ્રેરક બની એ હકીક્ત છે; પણ તેમની ક્રાંતિનાં વાહન રૂપે તે આગળ જતાં સંસ્થાઓએ જ કાર્ય કર્યું. વર્ણાશ્રમ વ્યવસ્થા પછી તેમાં ક્રાંતિ લાવવા માટે બુદ્ધ અને મહાવીર જરૂર લોકક્રાંતિના પ્રેરક બન્યા અને એ દ્રષ્ટિએ “બુદ્ધ શરણં ગચ્છામિ” અને “અરિહંત શરણું પવનજામિ” રૂપે તેમને પ્રથમ સ્થાન આપ્યું પણ ત્યારબાદ “સંધ શરણં ગચ્છામિ ” અને “સાહુ શરણે પવન્જામિ-ધમ્મ શરણે પવન્જામિ” ને, ક્રાંતિના વાહક રૂપે મૂકવામાં આવ્યા. આમ ક્રાંતિના વાહન રૂપે તે સાથે, સમાજે કે સંસ્થાઓ જ આવે છે. આમ એ વિચાર પ્રણાલીને અનુરૂપ અને નજીક કેવળ વિશ્વવાત્સલ્ય વિચાર–સરણ જ આવીને ઊભી રહે છે. વર્ણાશ્રમ વ્યવસ્થાથી લઈને સંધરચના સુધી વિશ્વવાત્સલ્યને આમ મહત્વ આપવામાં આવ્યું છે. જૈન કે બૌદ્ધ શ્રવણે સાથે સાથે શ્રવણોપાસકોને પણ લેવામાં આવ્યા છે. તેને અનુરૂપ વિશ્વ વાત્સલ્ય વિચાર પ્રવાહમાં ક્રાંતિપ્રિય સાધુસંતોનાં માર્ગદર્શન સાથે અનુક્રમે; સર્વાગી દષ્ટિવાળા જનસેવકોનું સંચાલન, ગામડાં અને શહેરમાં મધ્યમવર્ગ–માતૃસમાજનાં સંગઠને દ્વારા લોકજાગૃતિ આણ; આજની રાષ્ટ્રિય મહાસભાની લોકશાહી સરકાર દ્વારા ક્રાંતિ કરવાની વાત રજૂ કરવામાં આવે છે. એ ભારતની પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ અને બંધ બેસતી છે. કદાચ કોઈને લાગે કે આમાં કોઈ વર્ગ કે સમૂહની ટીકા થઈ રહી છે, પણ તેવું નથી. આજના પ્રવાહને ઊંડાણથી સમજવા અને તેને સમન્વય કરી ખરે માર્ગ શોધવા માટે જ આ વિચારણા થઈ રહી છે. એક રીતે એમ પણ કહી શકાય કે વ્યકિતત્વના સંપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ વિકાસના સર્વોદય, અને રાજ્યદ્વારા કાંતિની વિચારધારારૂપ કલ્યાણરાજને પણ વિશ્વવાત્સલ્ય જોડે છે. જે ક્રાંતિની પ્રેરક વ્યક્તિઓના વિચારને સંસ્થાઓ વડે ન ફેલાવવામાં આવે તે રાજ્ય દ્વારા એ ક્રાંતિનું મૂલ્યાંકન ક્યાંથી થઈ શકે? આમ વિશ્વવાત્સલ્યની કડી વગર કે સાધન વગર બને વિચારપ્રવાહે અમલી બની શક્તા નથી એવું લાગ્યા વગર રહેતું નથી. | સર્વોદય વિચારપ્રવાહને આજને વળાંક કંઈક જુદા પ્રકારનો છે. સર્વોદયી સંત વિનોબાજીએ પ્રારંભથી એકવાર કહ્યું છે કે સંગઠને આવતાં ત્યાં અનેક પ્રકારના દોષો પ્રવેશી જવાનો ભય ઊભો રહે છે. એથી ક્રાંતિ અટકી જાય છે કારણ કે વ્યક્તિઓ (સભ્યો ) ઉપર દબાણ આવે છે એટલે ત્યાં હિંસા થાય છે. એ માટે વ્યક્તિ શુદ્ધ થવી જોઈએ. તેણે આત્મોન્નતિને લક્ષમાં રાખીને કામ કરવું જોઈએ. અને સંગઠનની લપમાં પડવું ન જોઈએ. વ્યકિતઓ પવિત્ર થતાં, સમાજ આપોઆપ પવિત્ર થઈ જશે ! આ વિચારપ્રવાહમાં એટલું ખરું કે સંસ્થાઓ વગર વ્યકિતઓનું અમૂક અને તે પણ નજીકના અંશે ઘડતર થઈ શકે; પણ ત્યારબાદ આખા સમાજના ઘડતરની આશા ન રાખી શકાય ! મહાન વ્યકિતઓએ સર્વોદય પ્રગટાવ્યા બાદ તેમના વિચારપ્રવાહને ધપાવવા માટે કોઈ પણ સંગઠન કે સંસ્થા ન રચી તે તેમને વિચારપ્રવાહ તેમના સુધી જ અટકી જાય છે. સંસ્થાના અભાવે, એવું પણ જોવામાં આવ્યું છે કે તે વ્યકિતની પૂજા થાય છે પણ તેના સિધ્ધાંત પડખે મૂકાય છે અને તેમના અનુયાયીઓમાં અસંગત લાગે તેટલી વિરૂધ્ધ આચાર પ્રણાલી આવી જાય છે. એ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે સંગઠન રચાય ત્યારે જે દેષોની ભીતિ તરફ વિનોબાજી અંગુલિ નિર્દેશન કરે છે તે અંગે અગાઉથી કાળજી સેવવામાં આવે છે તે દે વિકસવાને ઓછો સંભવ રહે છે. સંગઠને ત્રણ પ્રકારનાં હોય છેઃ (૧) નીતિ પ્રધાન; જેમાં નીતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય હોય છે. (૨) બંધારણ પ્રધાન: એમાં બંધારણ મુખ્ય અને નીતિ ગૌણ રહે છે. (૩) અર્થ પ્રધાન; એમાં અર્થ (ધન) પ્રાપ્તિને જ મુખ્ય ઉદ્દેશ હોય છે. વેપારી સંગઠને ત્રીજા પ્રકારમાં આવે છે ત્યારે રાજ્ય સંગઠને બીજા પ્રકારમાં આવે છે. તેમાં બંધારણ જળવાઈ રહે તે મુખ્ય જવાય છે. વિશ્વ વાત્સલ્ય દ્વારા જે સંગઠને રચવાની વાત કરવામાં આવે છે તેમાં નીતિ અને ધર્મને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. જ્યાં સત્ય અને અહિંસાનું પાલન થાય તેવી કે તેના જેવી ઉપયોગી સંસ્થાઓને જ વિશ્વવાસલ્યને ટેક હોય છે, એટલું જ નહીં સત્ય અને અહિંસાના આચારને જીવનમાં ઉતારી, બીજ પણ તેને આચરે એ પણ એની ક્રિયાત્મક આગળની દિશા છે. ઘડતર પામેલી આધ્યાત્મિક વ્યક્તિઓ અને સુસંસ્થાઓ દ્વારા લોકોને અધ્યાત્મ તરફ વાળવા માટે વિશ્વ વાત્સલ્યના માધ્યમથી ક્રાંતિ કરવી એ એનો મુખ્ય હેતુ છે. રાજકીય પક્ષે સત્તા દ્વારા ક્રાંતિ કરવા ઈચ્છે છે ત્યારે અહીં સેવા દ્વારા (હૃદયપલટાની) ક્રાંતિની વાત રહેલી છે. - હવે “વિશ્વવાત્સલ્ય” શબ્દ ઉપર વિચાર કરીએ. એમાં બે શબ્દો છે –વિશ્વ અને વાત્સલ્ય. આખા વિશ્વ સાથેનું વાત્સલ્ય તે વિશ્વ વાત્સલ્ય. વિશ્વ શબ્દ સાંભળતાં આખું જગત નજર આગળ ઊભું થાય છે. આ જગતમાં જડ અને ચેતન બને તત્વો રહેલાં છે. બન્નેના મિશ્રણથી વિશ્વ બન્યું છે. તે કેવળ ચેતનને જ સમૂહ નથી તેવી જ રીતે તદ્દન જડને સમૂહ પણ નથી. અહીં તો વિશ્વ સાથે ચૈતન્યને જ જોડવાને છે કારણ કે તેની સાથે જે ભાવ જોડવાનું છે તે કેવળ ચેતન્ય જ અનૂભવી શકે છે. તેની સાથે ચૈતન્યથી સંકળાયેલી વસ્તુઓને પણ વિચાર કરે અનિવાર્ય બને છે. તેમાં શરીર, મકાન, ઘર, ગ્રામ, નગર, રાષ્ટ્ર, સમાજ, વિચારધારા, પક્ષ, વાદ, મિલ્કત વ. અનેક વસ્તુઓ આવી જાય છે. સાદી સમજણ માટે વિશ્વના ત્રણ વિભાગ કરી શકાય : [૧] વ્યક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ [૨] સમાજ (માનવજાતિ) [2] સમષ્ટિ ( ઈતર જીવસૃષ્ટિ). એ ત્રણેએ મળીને આખું વિશ્વ એક એકમરૂપે અને છે. '' : , , - વાત્સલ્ય શબ્દનો અર્થ સામાન્ય રીતે બધા વહાંલ કે પ્રેમ એને કરે છે. ખરેખર વાત્સલ્ય શબ્દનો અર્થ એથી પણ વ્યાપક છે. તેને ભાવ માતૃભાવ સાથે વધારે બંધબેસત છે. જેમકે એક માતા પિતાના બાળકને ચાહે છે પણ સાથે જ તેને સંરક્ષણ આપે છે અને તેના જીવનને પોતાના સ્તનપાનથી પિષણ આપે છે અને બાળક માના ખેળામાં આવીને જગતના બધા દુઃખો અને ભયને ભૂલી જાય છે. આ બધા પવિત્ર-ભા વાત્સલ્યમાં આવી જાય છે. વાત્સલ્ય એટલે પ્રેમ સાથે જીવન વિકાસ અને તેની સંરક્ષકતા તેમ જ અભયનું સર્વ શ્રેષ્ઠ સ્થાન. : આમ આખા વિશ્વ સાથે વાત્સલ્ય ભાવ કેળવે એટલે કે દરેક જીવનને સંરક્ષણ આપી તેને વિકાસ થવા દેવો તેમ જ અભયવૃત્તિ કેળવવી એ વિશ્વ વાત્સલ્ય છે. વિશ્વ સાથે વાત્સલ્ય કેળવવું, સાધવું કે કરવું એને એ સ્પષ્ટ અર્થ છે. , શું આવું વિધવાત્સલ્ય સાધી શકાય ખરૂં! જ્યારે ઘરની અમૂક વ્યક્તિઓ સાથે પણ તે સાધી શકાતું નથી, તેમ જ દરેક માણસ આખું વિશ્વ જોઈ શકતા નથી તે શું વિશ્વ વાત્સલ્યના ધ્યેયને પહોંચી શકાય ? એક માણસ ભલે આખા વિશ્વમાં ન પહોંચી શકે; પણ જે તે સમાજમાં દરેક માણસોને અને સમષ્ટિનાં દરેક પ્રાણીઓને; પિતાનાં જ અંગ રૂપે માની, આત્મીયતા કેળવે, સંયમ અને અહિંસાને પથે પોતે ચાલે અને બીજાને જવાની પ્રેરણા આપે. પોતાના જીવનને અમિષ્ટોથી દૂર રાખે અને બીજાનાં જીવનને અનિષ્ટોથી દૂર રાખી, સંરક્ષણ અને સંવર્ધન સમપે છે ત્યારે આપોઆપ વિશ્વ વાત્સલ્ય સધાય છે. મુનિશ્રી સંતબાલજી કહે છે કે “વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સાથે અનુબંધ (ધ્યેયપૂર્વક સંબંધ) જોડાયા પછી વિધવાત્સલ્યની સાધના સરળતાથી થઇ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ - વિશ્વ વાત્સલ્યને બદલે વિપ્રેમ કે વિશ્વબંધુત્વ વન શા માટે રાખવામાં આવ્યા નથી, એમ કેટલાક કહેશે. “પ્રેમ” શબ્દ સાંભળતાં, જ્યાં સુધી તેની આગળ શુદ્ધ શબ્દ ન ઉમેરીએ ત્યાં સુધી એક પ્રકારને વિકાર ભાવ જણાશે; એટલું જ નહીં તેની મર્યાદા મુખ્યત્વે સ્ત્રી અને પુરુષની એક બીજા સુધીની રહેશે. ઈશુ અને કૃષ્ણ માટે વિશ્વ પ્રેમી શબ્દ વાપરવામાં આવ્યા છે પણ આજે “પ્રેમ' શબ્દનો ઉપયોગ એ. રીતે થતું નથી. “બધુત્વમાં સમાનતાને ભાવ આવેલો છે ખરે પણ તે માણસને માણસ પ્રત્યે રહી શકે. વિશ્વબંધુત્વની મર્યાદામાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ આવતું નથી. જ્યારે વિશ્વ-વાત્સલ્ય શબ્દ આવતાં જ માતાના બાળક પ્રત્યેના કેવળ શુદ્ધ પ્રેમને જ ખ્યાલ આવતો નથી; પણ એ જીવનને ટકાવી રાખવાની કાળજી અને તેના વિકાસ માટે બધું કરી છૂટવાની ભાવના એ બધા ભાવોને સમાવેશ થઈ જાય છે. સાગરમાં બધી નદીઓ સમાઈ જાય તેમ વિશ્વ વાત્સલ્યમાં, વિશ્વબંધુત્વ અને વિશ્વપ્રેમ અને સમાઈ જાય છે. આવા વિશ્વવાત્સલ્યની સાધના જે સંપૂર્ણ રીતે કરી શકે છે, તેને શાસ્ત્રોએ મેક્ષને અધિકારી ગણે છે. આખી પ્રાણીસૃષ્ટિમાં કેવળ માનવને જ આ અધિકાર આપવામાં આવ્યું છે. એજ બીજાં પ્રાણુઓ કરતાં વધુ વિચારવાન, બુદ્ધિમાન અને જ્ઞાનવાન છે, તે દૃષ્ટા છે, જ્ઞાતા છે અને કર્તા, ભોક્તા અને મુક્તા બની શકે છે. માનવ સિવાયના બીજ પંચૅન્દ્રિય, ચેતનાવાળા પ્રાણીઓ તરીકે પશુ-પંખી આવે છે. તેઓ બહુ બહુ તે પિતાનાં સંતાન પ્રત્યે અમુક સમય સુધી વાત્સલ્ય કરી શકે છે, કદાચ પિતાની જાતિનાં પ્રાણીઓ સુધી પણ કેળવી શકે છે, પણ સમાજ અને તે પછી સમષ્ટિ સાથે વાત્સલ્ય સાધવા માટે તે માનવ જ સમર્થ છે. માનવમાં પણ આ વૃત્તિ ધીમે ધીમે વિકસે છે. તેનું વાત્સલ્ય પ્રારંભમાં કુટુંબ સુધી જ રહે છે. તે ધીમે ધીમે સમાજ સુધી પ્રસરે છે અને જ્યારે સમાજ-વાત્સલ્યમાં પરિપકવતા આવે છે ત્યારે તે સમષ્ટિ-વાત્સલ્ય પ્રગટાવે છે. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ વાત્સલ્યની સાધના માનવા માટે સરળ બની શકે છે. ત્યારે માનવ ઘર, સમાજ, રાષ્ટ્રના પણ સંકુચિત દાયરામાંથી બહાર આવી સમષ્ટિ પ્રતિ પોતાને વાત્સલ્યભાવ કેળવે છે. ભગવાન મહાવીરે કર સર્વ ચંડકૌશિક પ્રતિ વાત્સલ્ય વહેવડાવ્યું હતું. શિબિરાજાએ પારે માટે વાત્સલ્ય વહેવડાવ્યું હતું. કેટલાક મુસલમાન સતએ પોતાના શરીરમાં કીડો સળવળે છે કે તેમને ન મારી તેમના પ્રતિ વાત્સલ્ય પ્રગટ કર્યું હતું. આમ વિવવાત્સલ્ય “આત્મવત સર્વ ભૂતેષુ ”ની સંપૂર્ણ કેળવણીનું પ્રતીક બનીને ઊભું રહે છે. ભગવાન મહાવીર માટે જૈન શાસ્ત્રોમાં “જગવછલ' (વિશ્વવત્સલ) વિશેષણ રૂપે આવે છે. જૈનધર્મમાં સમ્યકુ-દર્શનના આઠ અંગોમાં “વચ્છલ ને પણ સ્થાન આપવામાં આવેલ છે. સમ્યદૃષ્ટિ ગૃહસ્થ શ્રાવકની ગણના ચોથા ગુણસ્થાનક (જૈન ધમની વિકાસ પદ્ધતિ)થી કરવામાં આવેલ છે ત્યાંથી ચૌદમા ગુણસ્થાનક સુધી એટલે કે સંપૂર્ણ કેવળની દશા સુધી સમદર્શનનું હોવું જરૂરી છે. એટલે કે ગૃહસ્થો માટે સમ્યક્દર્શન અને તેની રૂએ વાત્સલ્ય હોવું જરૂરી છે. ગૃહસ્થાના વાત્સલ્યને “સાહસ્મિય વચ્છલ” એટલે કે સાધમ વાત્સલ્ય ગણવામાં આવેલ છે. આજે જે કે સંપ્રદાયવાદને કારણે સહુ તેને પિતાના સંપ્રદાય સુધી ગણે છે પણ તેનો ખરો અર્થ તે “સંઘ વાત્સલ્ય” થાય છે. આજની ભાષામાં તેને “સમાજ વાત્સલ્ય” પણ કહી શકાય અને એ જ અર્થ બંધબેસતો છે. કારણકે સાધમને અર્થ સમાનધર્મી થાય છે. મનુષ્ય સમાનધર્મો માનવ છે એટલે સમાજવાત્સલ્ય એને સ્પષ્ટાર્થ થાય છે. એના વિકાસ રૂપે વિશ્વ વાત્સલ્ય કેળવવું ઉચ્ચ સાધકો (સાધુઓ) માટે આવશ્યક ગણાયું છે કારણકે જૈન સાધુવર્ગને છ કાયાના મા-બાપ કહ્યા છે. આ ત્યારે જ થઈ શકે જ્યારે વિશ્વ-વાત્સલ્ય કેળવવામાં આવે. એ માટે ગૃહસ્થ પૂરતી મર્યાદા સાધર્મા–વાત્સલ્ય સુધી આંકવામાં આવી અને સાધુઓ માટે તેને સમષ્ટિ સુધી લંબાવવામાં આવી. વિકાસકમના ભેદે અહીં વાત્સલ્યની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦ એ જુદી જુદી મર્યાદાએા દેરવામાં આવી છે પણ બન્નેનું ધ્યેય તે સંપૂણ વિશ્વવાસણ્ય પ્રગટાવવામાં રહેલું છે. C હવે આ વિશ્વવાત્સલ્ય વહેવડાવવું તે કઈ રીતે ? કારણકે આ જગતમાં બધા એક શ્રેણિના લાકા નથી અને પ્રાણીએ પણ અલંગ અલઞ શ્રેણિના છે. જ્યાં ગાય જેવું કામળ પ્રાણી છે ત્યાં સિદ્ધ જેવું હિંસક પ્રાણી પણ છે. અનુકૂળ માનવ, સમાજ અને રાષ્ટ્ર છે ત્યાં પ્રતિકૂળ માનવ, સમાજ અને રાષ્ટ્ર પણ છે. અમુક લેાકેા સજ્જન છે; સત્ય અને અહિંસાની દિશામાં આગળ વધેલા છે; ત્યારે બીજા દુર્જન પણ છે; અસત્ય અને હિંસાની દિશામાં આગળ વધેલા છે. સુખી છે અને દુ:ખી પણ છે; શાસક પણ છે અને શાષિત પણ છે. પીડિત, દલિત અને પછાત પણ છે ત્યાં મુક્ત, સ્વતંત્ર અને આગળ વધેલા પણ છે. કેટલાક પ્રેમભાવ રાખે છે તેા કેટલાક ઉદાસીન પણ છે. આ બધા સાથે કેવી રીતે એકસરખું અને સક્રિય વાત્સલ્ય સાધી શકાય ? આ એક વિચારણીય પ્રશ્ન છે. આ અંગે જૈનદર્શન, બૌદ્ધદર્શન અને યાગદર્શને ચાર ભાવનાએ બતાવી છે. શબ્દના ફેરફાર સિવાય દરેકના ભાવ લગભગ એક જ પ્રકારના છે. જૈનદર્શન પ્રમાણે ચારે આ પ્રમાણે છે :—મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને માધ્યસ્થ ઉચ્ચકોટિના સાધકે વિશ્વવાસણ્ય પ્રગટાવવા માટે આ ચારે ય ભાવના કેળવવી જોઈ એ, એમ જૈનદર્શન કહે છે. માતા જેમ બાળક પ્રત્યે સ્નેહમય વર્તાવ રાખે એવી જ રીતે આ ચારે ય ભાવનાને જીવનમાં સક્રિય રીતે ઉતારી; સમસ્ત જીવે સાથે પ્રેમમય વહેવાર કરવાનુ બૌદ્ધદર્શન સૂચવે છે, ત્યાં આ ચારે ભાવનાને ‘બ્રહ્મવિહાર ’ એવું નામ આપવામાં આવેલ છે. યાગદર્શન એ ચારે ભાવનાઓને ચિત્તશુદ્ધિનુ ( ચિત્તની પ્રસન્નતાનું ) કારણ માને છે. આમ દરેક દને તેમની ઉપયોગિતાના સ્વીકાર કરેલા છે. i અભિતગતિ “ સૂરિજીએ સામાયિક પાહમાં એક શ્લેાક વડે આ ભાવનાને સ્પષ્ટ કરી છે :~~~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ सत्त्वेषु मैत्रो, गुनिषु प्रमोद, जिलप्टेषु जीवेषुः कृपापरलम माध्यस्थामाबं विपरीतवृत्तौ सदा ममारमा विद् धातुदेव: હે દેવ ! આ મારે આત્મા પ્રાણીભાગ સાથે મૈત્રી રાખે, ગુણીજનો સાથે પ્રમોદભાવ રાખે; દુઃખી છો ઉપર કરૂણભાવ રાખે અને વિપરીત કે અનિષ્ટ આચરણ કરનારાઓ પ્રત્યે માધ્યસ્થ ભાવ (સમભાવ) હમેશાં રાખે. આ ચારને નવેસરથી અર્થ વિચારવા પડશે. એક માતા હમેશાં પિતાના બાળક પ્રત્યે પ્રેમ રાખે છે; તે સારું કામ કરીને આવે ત્યારે તેને શાબાશી આપે છે, તે દુઃખમાં હેય તે તેના પ્રત્યે કરૂણ દાખવી તેનું દુઃખ દૂર કરે છે. તે પેટે માર્ગે જાય કે ખરાબ આચરણ કરે તો તેને ઠપકો આપે છે અથવા અસહકાર કરે અગર તે મૌન રહે છે; પણ, આ ચારેય પરિસ્થિતિઓમાં માતાના હૃદયમાં બાળક પ્રત્યે વાત્સલ્યનું ઝરણું તે વહેતું જ હોય છે. તેવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક પણ ચારેય પરિસ્થિતિમાં સમસ્ત વિશ્વ પ્રત્યે વાત્સલ્ય તે વહેવડાવતે જ રહે છે... મિત્રી ભાવના:-સર્વ પ્રથમ મૈત્રી ભાવ આવે છે. વિશ્વ વાત્સલ્યના સાધકની મૈત્રી પોતાની આસપાસના લોકો સુધી જ નથી રહેતી પણ તેણે વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સુધી એને વિકાસ કરવો પડશે.. એટલે જ “fકરી સવ્ય મૂ ” અર્થાત્ સર્વે જીવો સાથે મારી મૈત્રી થાય” એમ કહ્યું છે. બીજા છ કરતાં માનવ વધારે વિચારશીલ, બુદ્ધિવાન અને જ્ઞાનવાન છે. તે સમાજ વ્યવસ્થા સાચવી શકે છે એટલે તેની જવાબદારી બીજા જીવો કરતાં વધારે છે. મૈત્રીભાવ પ્રગટાવવા માટે તેણે “જી અને જીવવા દે !” નું સૂત્ર અપનાવવું પડશે. પોતે જીવે અને બીજા પણુ જીવે એ સહઅસ્તિત્વના સિદ્ધાંત એને વ્યાપક રૂપે રાષ્ટ્ર, સમાજ, જ્ઞાતિ, ધર્મ કે માનવ નીમિંત અન્ય સંસ્થાઓ સાથે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ લાગુ કરવું પડશે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે સમૂહ સમૂહ વચ્ચે મિત્રી સધાય છે તેવી જ રીતે એક બીજા દેશે એક બીજા વચ્ચે મિત્રી કેળવે; એક બીજાના પૂરક બને, સહાયક બને તે મૈત્રી ચિરસ્થાયી બને. અમેરિકા અને રશિયા વચ્ચે આજે અથડામણ ચાલે છે. તેનું મૂળ કારણ તપાસી બન્ને દેશો; શાંતિથી જીવવું અને જીવવા દેવું, એમ વિચારે તે વિશ્વમત્રી સાધી શકાય. આ માટે ભારતે હમેશાં પ્રિરણું આપી છે અને હજુ પણ આપે છે. એનું કારણ એ છે કે અહીં “જીવો અને જીવવા દો”ની ભાવના લોકોમાં ઊંડાણથી પ્રવેશી છે. કોઈ વખત કોઈ ભારતવાસીએ પરદેશ જઈને આક્રમણ કર્યું એને એક પણ દાખલા મળતો નથી. અહીં જરૂર પરસ્પરમાં ન્યાય, નીતિ કે ધર્મની રક્ષા નિમિતિ યુદ્ધ થયાં; વિદેશીઓએ આક્રમણ કર્યું તે જરૂર લડત આપી; પણ રાજ્ય લાલસા માટે અહીં યુદ્ધોને ઉત્તેજન ઓછું મળ્યું છે. રામનું રાવણ સાથેનું યુદ્ધ કે પાંડવોનું કૌર સાથેનું યુદ્ધ ન્યાય, નીતિ અને સંસ્કૃતિની રક્ષા નિમિત્તે હતું. એમ પણ કહી શકાય કે મહાભારતનું યુદ્ધ તે પરસ્પરના સહઅસ્તિત્વને સ્વીકારવા માટે જ હતું. આ બધાની વિશેષતા એ હતી કે આ યુદ્ધો થયાં બાદ કોઈએ વિજેતા પક્ષે સંહારલીલાની પ્રશંસા કરી નથી. મૈત્રીભાવ કેળવવા માટે એક તરફ જ્યાં સમસ્ત નાના છો તરફ તેને પ્રગટાવવી જરૂરી છે તેવી જ રીતે બીજી તરફ સમાથી લઈને રાષ્ટ્ર અને સમષ્ટિ સુધી તેને પ્રગટાવવી જોઈએ. આ ભાવ પ્રગટ કરવા માટે સર્વ પ્રથમ તે દરેકના જીવનના અસ્તિત્વને સ્વીકાર કરી; તેનામાં પોતાના જેવી આત્મીયતા નિહાળવી જરૂરી છે. એ આત્મીયતા જ જગતના છ પ્રતિ આત્મવતું મિત્રી પ્રગટાવશે. પ્રમોદભાવના : સારી સંસ્થા દ્વારા ઉગ્ર ઘડતર પામેલી વ્યક્તિ, ગુણીજને, સત્ય-અહિંસાની દિશામાં પુરૂષાર્થ કરનારી સંસ્થાઓની પ્રશંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ કરવી, તેમને જોઈને હૃદયમાં આનદ ઉપજ; તેમના કાર્યને ટેકે આપ કે બિરદાવવો. આ બધી વાતે પ્રમેદ કે મુદિતાભાવમાં આવે છે. આ પ્રમોદભાવનાની વ્યાપકતા વ્યક્તિથી સમદષ્ટિ સુધી છે. જેમ કોઈ વ્યક્તિ વિશેષના સારા ગુણોથી આકર્ષાઈને તેની પ્રશંસા કરવામાં આનંદ આવે છે એમ અમૂક સારી સંસ્થા કે સારા રાષ્ટ્રના સારા ગુણોની પ્રશંસા કરવી એ પણ પ્રમોદભાવનાની મર્યાદામાં આવી જાય છે. સંસ્થા અને રાષ્ટ્રના ગુણોની પ્રશંસા કરવામાં કેટલાક લોકોને એવા ભયની આગાહી લાગ્યા કરે છે કે કયાંક એથી એમનામાં રહેલા દુર્ગાને પણ પરોક્ષ રીતે પ્રશંસીએ છીએ. દા. ત. કોંગ્રેસે કરેલા સારાં. કાર્યોની પ્રશંસા કરતાં કોંગ્રેસની પ્રશંસા કરીએ એ સ્વાભાવિક છે. આ દેશને સંગઠિત કરી તેમાં સર્વાગી ક્રિાંતિ આણી કેંગ્રેસે દેશને સ્વતંત્રતા અપાવી છે તેનું મૂલ્યાંકન સહુએ કરવું જ પડશે. દેશમાં જ્યારે એને જેવી તૈયાર થયેલી બીજી સંસ્થાએ એના જેટલું રચનાત્મક અને સર્વાગી કાર્ય ન કરી શકે ત્યાં સુધી એની મહત્તા સ્વીકારવી જ પડશે. તેના દરેક કાર્ય પાછળ રહેલાં કારણે તપાસીને, તેના બદલે બીજી સંસ્થાઓએ શું કર્યું એને ધ્યાનમાં રાખી તેના યોગ્ય કાર્યને બિરદાવવું પડશે. આ સંસ્થા પ્રતિની પ્રમેદભાવના છે. વિશ્વ વાત્સલ્યના સાધકે તે કેળવવાની છે. પણ ઘણું લોકોનું એમ માનવું છે કે એ. બહાને કેગ્રેસની બધી બાબતોને સમર્થન અપાઈ જાય છે એ માનવું જરા વધુ પડતું છે. કેગ્રેસ કેટલીક હિંસાને પ્રવૃત્તિમાં રાષ્ટ્રહિતના ખ્યાલમાં સમર્થન આપે છે. એટલે એના પ્રતિ પ્રમોદભાવના જે એની સુપ્રવૃતિ તરફ દેખાડાય છે–તેનાથી તેની હિંસક પ્રવૃતિને સમર્થન અપાય છે એવું ન માની શકાય. પ્રાચીન કાળમાં રામ-રાવણનું યુદ્ધ થયું. હવે રામની મર્યાદા તરફ પ્રમોદભાવના દાખવીએ એટલે તેમનાં યુધ્ધ કે સંહારને પણ સમર્થન અપાય છે એ યુકિતસંગત નથી. ભગવાન મહાવીરે કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ રાજાઓને શ્રાવક બનાવ્યા, એટલે તેઓ તે રાજાઓની યુદ્ધજન્ય હિંસાના ભાગી થયા હતા; એમ નહિ માની શકાય. કે. ' - અહીં પ્રમોદભાવના દેખાડવાની છે તે મુજનો પતિ અને તેમના ગુણે પ્રતિ છે. પછી તે વ્યકિત, રૂપ હેય તે વ્યકિત તરફ, સમાજ રૂપે હોય તો સમાજ તરફ, સંસ્થા હોય તો સંસ્થા તરફ અને રાષ્ટ્ર હેય તો રાષ્ટ્ર તરફ તેના વિશિષ્ટ ગુણે પ્રતિ જ અમેદભાવ છે. આ પ્રદભાવના કેળવવાને ઉદ્દેશ એક જ છે કે જે ગુણોના કારણે જીવનની ઉચ્ચતા અન્યમાં આવી છે તેવી જ ઉચ્ચતા તરફ જવાનું બળ પ્રમોદભાવના ભાવનારને મળે. દુર્ગુણના પ્રભાવને નિર્બળ બનાવી સગુણનું બળ વધારવું એ પ્રમોદભાવનાની રચનાત્મક દિશા છે. કરૂણા–ભાવના : વિશ્વ વાત્સલ્યની ત્રીજી ભાવના કરૂણું કે કારૂણ્ય છે. જગતના જે છ દુઃખી છે; સંતપ્ત છે, પીડિત છે, શેષિત છે તેમના પ્રતિ કારૂણ્ય દાખવવું એ કરૂણ છે. આ ભાવના પણ વ્યકિતથી લઈને સમાજ, દેશ, વિશ્વ અને સમષ્ટિ સુધી વ્યાપક બનવી જોઈએ. કરૂણાભાવના એટલે કેઈન દુઃખને જોઈને દુઃખી થવું એટલું જ નથી પણ, દુઃખને સમજીને તેનું નિરાકરણ કરવામાં તેની સક્રિયતા રહેલી છે. માતાની કરૂણું કેવળ સંવેદના બનીને નથી રહેતી; તે તો પિતાના બાળકના દુઃખને દૂર કરવા માટે જીવન અર્પણ પણ કરી દેવા તૈયાર થઈ જાય છે, એવી જ રીતે વિશ્વ વાત્સલ્યના સાધકની કરૂણું પણ સક્રિય બનીને જગત-જીવનના દુ:ખને દૂર કરવા માટે કામે લાગી જાય છે. આ કરૂણું જ્યારે વિશ્વ વાત્સલ્યના એક અંગ રૂપે પ્રગટે છે ત્યારે કરૂણું કરનારના મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન જાગતું નથી. તેને એ પણ ભાન રહેતું નથી કે હું કરૂણું કરું છું. એ એને સ્વભાવિક જીવનક્રમ બની જાય છે! “હું કોઇના ઉપર ઉપકાર કરવા માટે નહીં, પણ આ તે મારો આત્મધર્મ છે અને હું કરું છું !” એવી વાત્સલ્યની ઉત્કટ ભાવનાની સાથે કારૂણ્ય સક્રિય બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૦૦ વર્ષ ઉપર જગતના બીજા ભાગોની જેમ ભારતમાં પણ દાસ-પ્રથા હતી. દાસદાસીઓનું ઘેટાબકરાની જેમ બજાસ્માં ખરીદ વેચાણ થતું હતું. દાસીઓનું જીવન સ્વતંત્ર ન હતું. જે. એકવાર દસબને તેને વશ સુધી દાસપણે ભગવ્રવું પડતું. એમાં પણ નારી જાતિ ઉપર તે જલમ જ ગુજારાતો. આવા સમયે ભગવાન મહાવીરનું હૃદય તેમના પ્રત્યે કરૂણથી દ્રવી ઉઠયું. તેમણે સંકલ્પ કર્યો : “કોઈ રાજકુમારી જે દાસી બની હય, ત્રણ દિવસની ભૂખી હય, માથે મૂડી હય, કછોટો ભારેલો હોય, સૂપડામાં અડદાના બાકડા હોય, હાથે હાથકડી હેય, પગમાં બેડી હોય, આંખમાં આંસું હોય, તેના હાથે હું ભિક્ષા ગ્રહણ કરીને મારી તપસ્યાનું પારણું કરીશ.' એક નહીં; બે નહી; પાંચ પાંચ માસ અને પચ્ચીસ દિવસ નીકળી ગયો. અને એવી એક દાસી મળી. ચંદનબાળા રૂપે અને ભગવાનને અભિગ્ર (સમાજના દુઃખને દૂર કરવાનો સંક૯૫) પૂરો થ. પણ કરૂણાનિધિ મહાવીરે એમની એ કરૂણાને અંત ત્યાં જ ન કર્યો પણ એ દાસીને ૩૬૦૦૦ સાધ્વીઓની શિરછત્રા બનાવી. આ છે કારૂણ્ય ભાવનાની ઉત્કટતા ! ગાંધીજી આફ્રિકામાં ગયા હતા વકીલાત કરવા પણ ગોરા માનવીઓને કાળા માનવી પ્રતિ અમાનવીય વર્તાવ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠયું અને તેમનું આખું જીવન દીન, દુ:ખી અને દરિદ્રીઓના ઉદ્ધાર અથે જ ખર્ચાઈ ગયું. આ છે કારૂણ્ય ભાવનાની સક્રિયતા. કરૂણ્ય ભાવનામાં આવી સક્રિયતા ન આવે તો તે ગુજ કહેવાશે. માધ્યસ્થ ભાવના : વિશ્વ વાત્સલ્યની ચોથી ભાવના માધ્ય છે. એને સીધે અર્થ આ પ્રમાણે છે. .' मध्ये तिष्ठतीति मध्यस्थस्तस्य भावः कार्य वा माध्यस्थां –એટલે કે જે વચમાં રહે છે, તે મધ્યસ્થ અને તેનાં ભાવ કે કાય તે માધ્યસ્થભાવ છે. આને એક અર્થ એ પણ થાય છે કે બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પક્ષની વચ્ચે સમતુલા જાળવી રાખવી. ઘણું એને અર્થ તટસ્થ રહેવું એમ પણ કરે છે. તે અમુક અંશે ઠીક છે. પણ નિતાંત એને જ સત્ય ન માની શકાય ! - સાચી તટસ્થતા ત્યાં જ આવી શકે, જ્યાં પહેલાં તદાત્મતા (એકરૂપતા) તેની સાથે મેળવી લીધી હોય. એક માતા જેમ બાળકની સાથે એકરૂપતા સાધી લે છે, પણ જ્યારે બાળક તેનું કહેવું માનતું નથી, અનિષ્ટ માર્ગે જતાં નિવારવાં છતાં તે ઈષ્ટ માર્ગે વળતું નથી, ત્યારે માતા કોઈ વખત તટસ્થતા એટલે કે પ્રેમમય અસહકાર સ્વીકારે છે, તેની અસર બાળક ઉપર પડે છે, તે માતાના તથી પિતાના અનિષ્ટ વર્તનને છોડવા તૈયાર થાય છે. એવી રીતે જ વિશ્વ વાત્સલ્યસાધક તટસ્થતા ત્યારે જ સાધી શકે, જ્યારે જગતના પ્રાણી એ. સવિશેષે માને સાથે તાદામ્ય સાધી લીધું છે. માત્ર તટસ્થ રહેવું કોઈ સાધકની સામે અનિષ્ટ કરતું હોય, ખરાબ રીતે સમાજમાં વર્તન કરતું હોય, તે વખતે સમાજને જવાબદાર સાધક જે કંટાળીને ઉદાસીન થઈ જાય, તટ એટલે એક કોરે જઈને સ્થિત થઈ (બેસી) જાય, તો તે “તીરે ઊભા જુએ તમાશા” જેવી કહેવત પ્રમાણે તે અનિષ્ટ પ્રત્યે આંખ મીંચામણાં કરી, આડકતરી રીતે તે અનિષ્ટને વધારે છે. તટસ્થતાને અર્થ એમ પણ છે કે બે પક્ષો વચ્ચે તે તટસ્થતા રાખે એટલે કે કોઈના મતે દેરવાઈ ન જાય! પણ વિવેકબુદ્ધિઓ સારા-નરસાંના ભેદને પારખી શકે. માધ્યસ્થ ભાવને મધ્યસ્થ વ્યક્તિના ભાવ તરીકે ઓળખવો એ બરાબર થશે. જ્યારે પણ કોઈ બે પક્ષમાં ઝઘડે થાય ત્યારે એક મધ્યસ્થની નિમણુંક કરવામાં આવે છે. તેનું કામ બે પક્ષો વચ્ચે સમાધાન કરાવવાની સાથે ખરાને ખરૂં અને ખોટાને ખોટું કહેવાનું હોય છે. છે ઘણું વાર આંખ આગળ ઉપદ્રવ થતા હેય, અનિષ્ટો ચાલતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ હેય, ગુંડાએ ગૂંડાગીરી કરતા હોય; ત્યારે “હું તટસ્થ છું” એમ કહીને કંઈ પણ કર્યા વગર બેસી રહેવું એ તે તદ્દન નિર્માલ્ય ભાવના છે. શકિત હોવા છતાં અનિષ્ટ પ્રતિ આંખ આડા કાન ન કરવાં અને હું તે તટસ્થ છું એમ કહીને બેસી ન રહેવું જોઈએ; પણ એને દૂર કરવા સક્રિય પ્રયત્ન કરવો જોઈએ. અહીં ગાંધીજીએ મિલમાલિકો અને મજૂર વચ્ચે અમદાવાદમાં જે ઘર્ષણ થયું તેનું સમાધાન કરાવ્યું તેને દાખલો ટાંકી શકાય છે. તેમણે “મારે શું” એમ કહીને બેસી રહેવું યોગ્ય ન ગયું પણ જાતે જઈ વચમાં પડ્યા અને બન્નેનું સહિયારું સંગઠન ઊભું કર્યું. એને સાચી મધ્યસ્થતા કહી શકાય. સામાજિક જીવનનાં મૂલ્યો બગડતાં હોય, સંસ્કૃતિનાં તો નષ્ટ થતાં હોય ત્યારે વિશ્વ વાત્સલ્યને સાધક શી રીતે ચૂપ રહી શકશે ? માધ્યશ્ય ભાવનામાં જ્યાં સુધી કાર્ય ને સક્રિય રૂપે પ્રગટાવવામાં ન આવે તો તે પણ પંગુ જ ગણાશે. માધ્યશ્ચ ભાવનાની સક્રિયતા તે સારા નરસાં તોમાં સારાં તને તારવી તેને ઉત્તેજન આપવું અને નરસાં તો દૂર થાય તેવો પ્રયત્ન કરવામાં રહેલી છે. એક રીતે એણે સમાજની અદાલતમાં સાચો ન્યાય કરવાને છે. કેટલાક એમ કહેશે કે આમ તો (ખરાબ લોકોની પ્રતિષ્ઠા તેડવાથી) ખરાબ લોકોનું મનદુઃખ થાય છે તેથી વિશ્વ વાત્સલ્ય સાધના અટકે છે પણ આમ માનવું એ ભૂલ ભરેલું છે. એક ડૉકટર છે. તેને દર્દીનું ઓપરેશન કરવાનું છે. જો તે એમ માને કે ઓપરેશન કરવાથી દર્દીને દુઃખ થશે તેને ચેપ મને લાગશે તો તે ઓપરેશન નહીં કરી શકે. એવી જ ભૂલ અનિષ્ટોનો પ્રતિકાર કરવાથી આપણામાં અનિષ્ટ આવશે, એમ સમજવામાં છે. સમાજમાં કે રાજ્યસંસ્થામાં જ્યારે અનિષ્ટને સડે પ્રસર્યો કે પ્રસરતો હોય ત્યારે તે સડાની શુદ્ધિ માટે સમાજના જવાબદાર સાધકને તે અનિષ્ટકારને અડવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ જ પડશે. ઘણું લેકે આ અંગે કહે છે કે આપણે એવી ખટપટમાં ન પડવું જોઈએ. સંસ્થાઓ સાથે આપણે શું લેવા દેવા ! આપણે તટસ્થ રહેવું જોઈએ. એ એક પ્રકારની ભ્રમભરેલી ભૂલ છે. આગ લાગે છે ત્યારે પાડોશમાં લાગી હોય છતાં તેને બુઝવવા માટે સહુ દેડે છે. સહુ જાણે છે કે ઘરમાં આગ લાગી નથી પણ સાથે સાથે તેમને એ પણ ભય તો હોય છે જ કે તે પ્રસરશે તો આપણા ઘર સુધી પણ પહોંચશે. તે વખતે તેની તટસ્થવૃત્તિ યોગ્ય ન ગણાય. એ જ રીતે સમાજમાં વધતા અનિષ્ટોને જવાબદાર સાધકે ખાળવાં જ પડશે, રોકવાં જ પડશે અને જરૂર જણાય તો સમૂળગો કાપ પણ મૂકો પડશે. જે જાગૃત રહીને અનિષ્ટોની શુદ્ધિ કરે તો તેને અનિષ્ટોને ચેપ લાગવાને જરાય ભ્રમ નથી. માધ્યસ્થ ભાવનાવાળી વ્યક્તિએ તે એ અનિષ્ટને દૂર કરવાનું જે સુંદર પરિણામ આવશે તેને ખ્યાલમાં રાખીને તેને પ્રતિકાર કરવાને છે. ડોકટર દર્દીનું ઓપરેશન કરે છે ત્યારે જાણે છે કે છેવટે દર્દી સારે થશે. એટલે જ તે દર્દીની બૂમ, ચીસે કે વેદનાની પરવાહ કર્યા વગર પણ તટસ્થ રહીને પિતાનું કાર્ય કરે છે. દર્દીને પહેલાં તે એમ જ લાગે છે કે મારે જીવ કપાઈ રહ્યો છે પણ દર્દ ગયા બાદ તો તે ડેક્ટરને આશિષ આપશે. એવી જ રીતે વિશ્વ વાત્સલ્યના સાધકે અન્યાયી, અત્યાચારી, ક્રૂર, શોષક, પાપી અને હિંસક પ્રત્યે સિદ્ધાંતની દષ્ટિએ વિરોધ કે પ્રતીકાર તે કરવાને રહ્યો. એવા લોકોને પ્રતિષ્ઠા ન મળે એને પણ એ ખ્યાલ રાખશે. આમ છતાં પણ તે સુધરે અને તેનું ભલું થાય એવું અંતરનું વાત્સલ્ય પણ તેનામાં જરૂર રહેશે. એનું દિલ તો માના દિલ જેવું હશે. જે બાળકના ભલા માટે ધમકાવે, ઠપકો આપે છતાં પણ તેના અંતરે તો બાળકના ભલાની ચાહના હોય ! વિશ્વ વાત્સલ્યને સાધક જાણે છે – वेर पापसे, ना पापीसे કેટલાક લોકો માધ્યસ્થ ભાવને મૌનમાં ખપાવે છે. એ અમુક અશે સત્ય છે. તે એક કસોટી રૂપે પણ છે. સામાન્ય રીતે અનિષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ તનું જોર વધતાં, તે કોઈ સાધક પાસે બળજબરીએ અનિષ્ટોની સ્થાપના કરાવવા ઈચ્છે ત્યારે સાધકે મૌન રહેવું જોઈએ. અહીં વિશેષ સ્પષ્ટતા રૂપે ૧૮૪ર ના આંદોલન પછી જે ભાંગફેડ અને હિંસા થયેલી તેને દાખલે મૂકી શકાય. ગાંધીજી આગાખાન જેલમાં હતા તે વખતે મુંબઈના ગવર્નર સર રોઝર લુમલીએ ગાંધીજીને આ ભાંગફેડની કાપલીઓ બતાવી અભિપ્રાય આપવા જણાવ્યું. ગાંધીજી તે વખતે મૌન રહ્યા. જે એ સમયે તેઓ એમ કહે કે તે સારૂં નથી તે લોકોને જુસ્સો તૂટી જાય. ભાંગફોડ પ્રવૃત્તિ કરતાં પરતંત્રતાનું અનિષ્ટ મોટું હતું. સાથે જ મૌન રહેવાનું કારણ એ હતું કે જે હિંસાવૃત્તિને ટેકો આપે છે તે વધી જાય એમ હતું. એટલે તેમનું તે વખતનું મૌન મધ્યસ્થ ભાવના સક્રિય મૌન સ્વરૂપને રજૂ કરે છે. - ઘણીવાર એવું બને છે કે સાધક જ્યારે પિતાના સિદ્ધાંતે માટે અનિષ્ટોને પ્રતિકાર કરતો હોય ત્યારે બળવાન અનિષ્ટ તો તેને તેડી નાખવા પ્રયત્ન કરે છે. એક તો પ્રલોભનોથી અને બીજુ હિંસાથી. આવા સમયે સાધક તૂટી ન પડે એ માટે માધ્યસ્થભાવ કેળવવો જરૂરી છે. એના કારણે આત્મબળ તો મળે જ છે પણ સાથે એમ સમજી લેતાં કે એ તે અનિષ્ટ છે. એને દૂર કરવા માટે કયારેક જે પ્રતિહિંસા જાગે છે તેનાથી પણ બચાય છે. આ ઉપરાંત મૌનને બીજો અર્થ એ છે કે વિપરીત તોમાં સંમતિ ન આપવી. એનું પોતાનું અલગ મહત્વ છે. કયારેક સારી અને ઘડતર પામેલી વ્યક્તિઓ પણ અનિષ્ટ તત્ત્વોને પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે સંમતિ આપી દે છે. ત્યારે એક યા બીજી રીતે તેઓ અનિષ્ટોને પોષે છે. ઘણીવાર વિપરીત વૃત્તિમાં વિરોધ કરવાથી પણ એને પોષણ મળે છે. દા. ત. ઝઘડાળુ માણસને કંઈ પણ કહીએ તે એ એને બળતામાં ઘી નાખ્યા જેવું બનાવી દે છે. આવા સમયે ચૂપ રહેવું, એ જ શ્રેષ્ઠ છે. માધ્યસ્થ ભાવને બૌદ્ધ દર્શનમાં “ઉપેક્ષાના રૂપમાં રજુ કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ આવેલા છે. એ રીતે ઘણું માને છે કે ચેર, પાપી, અત્યાચારી વિ. પ્રતિ ઉદાસીનતા કેળવી; એમને વિચાર પણ ન કરે. પણ એથી એ લોકોને મોકળું મેદાન મળે છે અને તેઓ તેવા સાધકના મૌનના ભેગે અનિષ્ટને ફેલાવે છે. " આજનું એક મોટું અનિષ્ટ તત્ત્વ ફેશનના નામે પ્રવેશી ગયું છે. તે છે. અંગે ઉઘાડાં દેખાય એવાં બારીક કપડાં પહેરવાં! ઘણું વિચારક અને સામાન્ય બુદ્ધિના બન્ને પ્રકારના લોકો એ સારી વસ્તુ નથી એમ જાણવા છતાં–આધુનિકતાના બહાને ચૂપ રહ્યાં. પરિણામે એ અનિટે ઘર તે માનવ સમાજમાં કર્યું જ છે પણ સાથે સાથે આજે ચારિત્ર્ય સંબંધી અનિષ્ટ કે દોષને પણ પિષણ મળી રહ્યું છે. હવે અહીં ઉપેક્ષા જ રાખવાથી પરિણામ શું આવ્યું છે તે સમજી શકાય છે. એવી જ એક બીજી વાત છે; દાન આપવું અને પ્રતિષ્ઠા કરાવવી. ખરેખર જે દાતા દાન આપે છે તે બીજાને મદદ કરવા આપે છે અને તેની મદદ ઉપયોગી બની કે નહીં એ જ એને જોવાનું છે. એ છતાં એ આજે જોવામાં આવે છે કે દાનદાતાઓ શરતો મૂકાવે છે; છાપામાં જાહેરખબરો છપાવે છે; તખ્તીઓ ઉપર નામો મૂકાવે છે; અને ઘણીવાર તે સભામાં બહુમાન-પ્રશસ્તિ પણ મળે એવી ભાવના સેવે છે. આ બધું લગભગ એક રીતે અનિષ્ટ પ્રતિ સાધકોઠારા ઉપેક્ષા કરવાથી અથવા તેને બીજા બહાને પિષણ આપવાની વૃત્તિમાંથી જન્મે છે, વિકસે છે અને નવા અનિષ્ટ રૂપે ફાલેફુલે છે. એક વ્યક્તિ સમાજ પાસેથી વધુ કમાય છે એટલે તેણે સમાજના સંકટગ્રસ્ત વર્ગને દાન આપવું જ જોઈએ. કારણ કે તેણે જોઈએ તેના કરતાં વધુ કમાણી કરી છે. એટલે કે બીજા લોકોની થતી કમાણીમાંથી તેણે ભાગ પડાવ્યો છે. એ જ ભાગમાંથી તે છેડે ભાગ દાન આપે છે એમાં તે પરોપકાર કરતો નથી પણ પિતાનું કર્તવ્ય પાળે છે, પિતાની ભૂલને સુધારે છે અગર તો શેષણથી મેળવેલ ધન આપીને તેનું પ્રાયશ્ચિત કરે છે. એવા દાતાની પ્રતિષ્ઠા કરવાને અર્થ શું? તે છતાંએ જ્યારે અમૂક અજ્ઞાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ * ૨૧ તર વધીને તેની પ્રતિષ્ઠા કરે છે ત્યારે સાધકે તેની ઉપેક્ષા ન કરતાં, તેનો એક રીતે વિરોધ કરવો જોઈએ કે જેથી આવા માન-પાન કે પ્રતિષ્ઠા પ્રતિ લોક-માનસ ઉપેક્ષા કરે. એને બદલે જે તે સાધક ઉપેક્ષા રાખે કે મારે શું ! તે, એ અનિષ્ટને પ્રસાર થાય અને દાનનું મહત્વ ન રહે. પણ એ એક પ્રકારને વેપાર બની જાય કે હું તમને આટલા રૂપિયા આપું એના બદલે તમે મને આટલી પ્રતિષ્ઠા આપો ! પછી ક્યાં રહી કરુણા કે મદદની ભાવના ! - એક બીજી ભ્રામક વિચારણું ઘણી વાર રજૂ થાય છે કે જે એમ દાતાઓના ગુણગાન ન ગાઈએ તે બીજા ક્યાંથી આગળ વધે ! એક વસ્તુ તો નિતાંત સત્ય છે કે તે કમાઈને દાન આપે કે ન આપે; તેની સાથે ધન હમેશાં રહેવાનું નથી. તેના બધા ધનને સંપૂર્ણ ઉપભોગ પણ કરી શકવાને નથી; અને તેને જે જરૂર કરતાં વધારે ધન મળ્યું છે તે બીજાની કમાણીના ભોગે ! એટલે તે દાન આપીને પિતાનું એક કર્તવ્ય જ બજાવે છે. એની દાનની પ્રવૃત્તિ બીજા માટે અનુકરણીય છે. પણ તે એની પ્રતિષ્ઠા કરાવે એ તે ઈચ્છનીય નથી, અને તેમાં સાધક પણ સહાયક બને છે તે નિતાંત અકલ્પનીય છે. જરૂર સાધક તેની દાન કરવાની વૃત્તિને ઉત્તેજન આપી શકે જેથી તેને લાભ અન્યને મળતું રહે. એ ઉપરાંત એ પણ ખરું કે દાનવીરના દાનની પ્રતિષ્ઠાને ઉત્તેજન ન મળે એની જેટલી કાળજી રખાય તેનાથી વધારે કાળજી તો તેને અપશબ્દોથી ન નવાજીએ એ અંગે રાખવાની છે. “ આ તો કાળા બજારીઓ છે, ચેર છે, લોકોને લૂંટનાર છે ” આવા આકરા શબ્દપ્રહાર કરવાથી, તેનામાં દાન કરવાની જે ભાવના અને શક્તિ પ્રગટ થઈ છે, તે અટકી જાય અને તેને લાભ બીજાને મળતો બંધ થઈ જાય; એ વધુ સંભવ છે. જેમ દાનની પ્રતિષ્ઠા ઈચ્છનીય નથી તેમ દાન કરનારને વખોડવું એ પણ ઈચ્છનીય નથી. આવા સમયે મૌન રહેવું એ શ્રેષ્ઠ છે. સૂય ગડાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે – जे य दानं पसंसंति वद मिच्छत्ति पागिणो । जे एग पडिसेहन्ति, वित्ति छेयं करेंति ते॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ જે એવા દાનની પ્રશંસા કરે છે તે અનેક પ્રાણુઓના શોષણરૂપ વધને પોષે છે. જે એને નિષેધ કરે છે તે ગરીબોને સહાયતાની વૃત્તિને વિચ્છેદ કરે છે. જે અનૈતિક કમાણુમાંથી દાન કરે છે તેને પ્રતિષ્ઠા મળતાં તે વધુ ને વધુ અનેતિક કમાણી તરફ દોટ મૂકશે પછી થતું દાન કરીને બેટી પ્રતિષ્ઠા મળવાની વૃત્તિને પિષતિ રહેશે. એ ભયને ઓળખીને ઉપર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. માધ્યસ્થ ભાવનાની વિશેષતા એ છે કે વ્યક્તિ, સમાજ કે સમષ્ટિના અનિષ્ટની સામે લડવું. પણ તે એનાં અનિષ્ટો દૂર થાય અને સારાં બને એવી સતત વાક્યની ભાવના સાથે તેની પરાકાષ્ટારૂપે દુષ્ટ-કૂર કે પાપીને દુઃખમાં જોઈને તેને મદદ કરવી જોઈએ. એટલે જ સાધકો પાણીમાં ડૂબતા વીછીને, એ જાણવા છતાં કે ડંખ મારશે, છતાં બચાવે છે; આજ મધ્યસ્થ ભાવનાની સક્રિય વાત્સલ્યતા છે. અહીં વીંછીને સ્વભાવ ડંખ મારવાનો છે તે પ્રતિ માધ્યશ્ય ભાવ પ્રગટ કરી તેને બચાવવાની ભાવનાને સજીવન કરવામાં આવેલી છે. આ ચારે ય ભાવના પરસ્પરમાં ઓતપ્રેત છે. તેમને યથાર્થરૂપે સમજીને આચરવાથી વિશ્વવાસિલ્યના માર્ગે જવાનું સરળ થઈ પડશે. ચર્ચાવિચારણું વાત્સલ્યભાવની સક્રિયતા પંજાભાઈ –સવારે નેમિમુનિએ કરેલી વિધવાસલ્ય પ્રવાહની ચેખવટ જે રીતે કરી છે તેથી અત્યધિક સતોષ થયેલ છે. ચાર ભાવનાઓ મિત્રી, મુદિતા, કરૂણું, અને માધ્યસ્થની છણાવટથી ઘણું જાણવા મળેલ છે. સામાન્ય રીતે ઉપેક્ષાને જ માનવ માધ્યસ્થભાવનામાં ઘટાવે છે. અનિષ્ટ ધેળે દહાડે ચાલતું હોય તોયે હશે, મરશે, કરશે તે ભરશે એમ કહીને ચલાવી લેવાય છે. તેના બદલે અનિષ્ટને વિરોધ અને ઈષ્ટનું સમર્થન કરવું જોઈએ. આજુબાજુનું વર્તુળ સક્રિય ન બન્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ હેય અથવા નાના અનિષ્ટને વિરોધ તરત સક્રિય કરતાં, મોટું અનિષ્ટ એ વિરોધને પિતાની તરફેણમાં લઈ જાય એ પણ સંભવ છે. ત્યાં વિરોધની સક્રિયતામાં વાર લાગી શકે અથવા મૌન રૂપે વિરોધ થાય એ પણ જુદી વાત છે. પણ માધ્યસ્થભાવ કેવળ વિરોધી નથી તે સમજાયું. એવી જ વાત મૈત્રીભાવની છે કે તે દરેક સાથે ન બાંધી શકાય. અવન્તિ મવેબ્યુ ક્ષતિન –એટલે કે સગુણના સલ્લુણને લીધે તેને પક્ષપાત થાય, અને દુર્ગણી હોય તે તેની સાથે પ્રેમથી લડાય પણ ખરું. એવું જ મેદભાવનું છે કે તે કેવળ ગુણ વ્યક્તિ તરફ જ નહીં, ગુણી સંસ્થા પ્રતિ પણ પ્રગટ થઈ શકે. કરૂણ પણ ઉપકારની રીતે નહીં પણ કર્તવ્યભાવે થવી જોઈએ. એ બધી વાત જાણીને ખૂબ આનંદ થયો. વેલફેર સર્વોદય અને વિધવાત્સલ્ય માટલિયાજી –(શબ્દની સંપૂર્ણ છણાવટ કર્યા બાદ ) મૂળે તો પુરોહિત અને પંડા વ.ના “ધર્મના નામે અંધવિશ્વાસ ની સામે બંડરૂપે રાજ્ય ક્રમે ક્રમે બધી બાબતો પચાવી પાડી. પ્રજાને પ્રથમ તે એ ગમે કે ભલે બધું રાજ્ય કરે. પણ પાછળથી પ્રજાને એ ગમતું નથી. ડેન્માર્કમાં બચ્ચાં અને વૃદ્ધોની જવાબદારી રાજ્ય ઉપાડી લીધી છે. તે માટે પચાસ ટકા કરવેરે ઉઘરાવી લેવામાં આવે છે. નાનાભાઈ અને મનુભાઈ પંચોલી ત્યાં પ્રવાસે ગયા ત્યારે આ અંગે પૂછવાથી વૃદ્ધોએ કહ્યું -“બીજુ બધું તે ગમે પણ અમારાં બાળકો સાથે રહીને જે વાત્સલ્યની આપ-લે થવી જોઈએ તે થતી નથી.” ટુંકમાં રાજ્ય બધી વસ્તુઓ હાથમાં લે એ યોગ્ય નથી અને કલ્યાણરાજ થાય તોયે વાત્સલ્ય તો આવે નહીં. એ આ દેશની સંસ્કૃતિને અનુકૂળ પણ નથી. તે છતાં ૧૯૩૦ થી આ અગે પ્રયત્ન થઈ રહ્યો છે. સર્વોદય વિચાર વિનોબાજીએ રજૂ કર્યો છે. તેમાં જનશક્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ આગળ લાવવી જોઈએ. ડાંક વર્ષોમાં વિવિધ આંદલથી માણસે એવા તૈયાર થાય કે પછી આખે સમાજ સહેજે બદલાઈ જાય ! અથવા, હિંસા કે દંડ આવે તોયે થોડાં આવે, એવી એની પાછળ નેમ છે. પણ કાર્યકરે ઓછા અને સંઘશકિતને વિરોધ એટલે સર્વોદય સક્રિય સફળ બની શકયું નથી. * એ માટે વિશ્વ વાત્સલ્યની વિચારધારા નવો પ્રયોગ કરી રહેલ છે. તે પરિસ્થિતિ પરિવર્તનની સંઘ શક્તિને વ્યવસ્થિત કરવી, અને ધીરે ધીરે એ વ્યવસ્થિત સંધશક્તિ રાજ્યને ભાર ઉઠાવી લે અને રાજ્ય નિવૃત્ત થતું જાય એ યોજના વિશ્વવાત્સલ્યની છે. એટલું જ નહીં તે કલ્યાણરાજ અને સર્વોદયના ચાલુ પ્રવાહને અનુબંધ જાળવીને દુનિયાના પ્રવાહે સાથે આગળ વધી રહ્યું છે. કલ્યાણરાજ પહેલું પગથિયું છે. જનશક્તિમાં વિચાર ભરવાનું અને નવી સ્મૃતિ રચવાનું કામ વિનોબાજીએ કર્યું છે. કરી રહ્યા છે. એથી વિચારોની સાથે ઉદય પરિવર્તનની દિશામાં ઠીક ઠીક પ્રગતિ સધાઈ છે પણ જે વેળાસર પરિસ્થિતિ પરિવર્તન ન થાય તે તે પ્રગતિ થઈ ન ગણાય ! ઉલટું અટકી જવાય અને ઉંધું પરિણામ પણ આવે. એટલે વિશ્વ વાત્સલ્ય પ્રવાહ તેને યથા સમયે યોગ્ય સામગ્રી પૂરી પાડી રહ્યો છે. ટુંકમાં ત્રણે સંબંધિત છે અને એકમેકના પૂરક છે. વિશ્વ વાત્સલ્ય પ્રવાહ કલ્યાણ રાજને તેડતા નથી છતાં પણ સંશોધન તે કરે છે. જેમકે ગણેતધારા શુદ્ધિપ્રયોગ વડે વિશ્વ વાત્સલ્ય કલ્યાણરાજની કાર્યપદ્ધતિમાં કલ્યાણકારી સંશોધન કરાવ્યું. ઘણું કહે છે કે એવા શુદ્ધિ પ્રયોગથી આગ્રહ લદાય છે. એ ખરું છે કે લોકો જાગૃત થઈ સત્ય અને અસત્યને છૂટાં પાડે છે અને સત્ય જરૂર લદાય છે. - દંડી સન્યાસી ગેપાળ સ્વામી : અનિષ્ટને શિક્ષા મળે એ દંડ નથી, સત્ય લદાય એ દુરાગ્રહ નથી; એ તે શિક્ષણ અને સત્યાગ્રહ છે. તે ન રહે તે સમાજ ટકી ન શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાણિક સંપત્તિના દાનની પ્રતિષ્ઠા શા માટે નહીં? બળવંતભાઈ : (બે પ્રશ્નોમાંને પહેલો પ્રશ્ન) અપ્રમાણિકતાથી મેળવેલી સંપત્તિમાંથી દાન કરનાર પ્રાયશ્ચિત કે કર્તવ્યભાવે આપે તે તે સ્વીકારવાથી, અપ્રમાણિક્તા એનામાં ટકી રહે પણ અપ્રમાણિકતાને સામાજિક પ્રતિષ્ઠા મળે નહીં એટલું જ ને? આ અંગે બીજા સભ્યએ છણાવટ કરી હતી કે – એક વાર દાતા તરીકે, કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિતરૂપે આપનાર દાનને સામાજિક પ્રતિષ્ઠા મળે તે સમાજ સાવધાન બને છે, અને એ રીતે શોષણ કરીને વગર પશ્ચાતાપે કે કર્તવ્યભાવ વગર કરેલ દાનને પ્રતિષ્ઠા કે તે અનિષ્ટને ઉત્તેજન મળતું નથી. તેથી તે વધતું નથી. એ સાથે અનિષ્ટના પ્રતિકારની પ્રક્રિયા ચાલુ રહે છે જેથી અપ્રમાણિકતાને વ્યકિત છોડે તેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. તેને એમ થાય છે કે દાતા તરીકે મને પ્રતિષ્ઠા મળતી નથી તો પછી પ્રમાણિક બની દાન કરી શા માટે કૃતાર્થ ન થાઉં! ઘણું સારી વ્યક્તિઓ સંસ્થામાં હોય તે તે સંસ્થાને શા માટે ના પ્રશંસની બળવંતભાઈ –(બીજો પ્રશ્ન) કેટલીક સંસ્થાઓમાં ઘણું સારી વ્યક્તિ હોય છે તે તેવી સંસ્થાઓની શા માટે ની પ્રશંસા કરવી? આ અંગે છણાવટ કરતાં સાર નીકળે કે વ્યક્તિઓ કરતાં સંસ્થા મુખ્ય છે. આ યુગમાં વ્યક્તિ કરતાં સંસ્થાનું મહત્વ વધારે છે અને તેથી ગુણે ઘડાએલી સંસ્થાની પ્રશંસા કરવી જોઈએ. દેવજીભાઇ -ઓસવાળ ભાઈઓની એક સભા ઘાટકોપરમાં થઈ. તેમાં હું હાજર હતા. ત્યાં ભચાઉ ખેડૂત મંડળને દાન આપવાની . વાત મેં રજુ કરી. લોકો ખેડૂત મંડળના કાર્યને જાણતા હતા એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પહેલા ટેકો આપે. પણ પાછળથી લોકો પ્રશ્ન કરતા થઈ ગયા. કારણ કે કોઈકે એમ કહી દીધું કે આ મંડળ ધનિકોની પ્રતિષ્ઠા તોડવામાં માને છે. આજે ધનિકોની પ્રશંસા એટલી હદે થાય છે કે ન પૂછો વાત! લોકે દાનની વાહવાહથી ધન પેદા કરવાના અનિચ્છનીય માર્ગે વળે છે અને તેને પ્રોત્સાહન મળે છે. પરિણામે ગરીબી અને અમારી વચ્ચેની દિવાલ વધે છે. માટલિયાજી:–તખ્તીથી (લગાડવાથી) લેક ખૂબ નાણું આપે છે કારણ કે એમેર તેની બેલબાલા છે. આપણું આદર્શોમાં એ પ્રતિષ્ઠાને તેડવાની વાત હેઈ આપણી રચનાત્મક સંસ્થાઓને મુશ્કેલીઓ પડે છે. તે પણ એક તપ છે એવું મને લાગે છે. ધનની પ્રતિષ્ઠા તેડવા માટે આકરી કે કડવી ભાષા કરતાં પ્રેરણાદાયક મધુર ભાષા વધુ અસર કરે છે. એક સભામાં એક દાનદાત્રી બહેનની ઘણી જ તારીફ થઈ. કાવ્યો ગવાયાં. મને પણ કંઈક બોલવાનું સૂચન થયું. ત્યારે મેં તે નમ્રભાવે કહ્યું : “એ બહેને તે ભગવદ્ ભગત છે અને બ્રહ્મને સમપિત થયાં છે. હવે તમે ભગવાનને બદલે બહેનની તારીફ કરે છે તો બહેનને એમ દુઃખ નહીં થાય કે ભગવાનની તારીફ ભૂલીને તેની પોતાની તારીફ કરે છે ?” આની સારી એવી અસર સભામાં થઈ હતી. આજે શિબિરાર્થી બહેને એ પણ દાનની તારીફ સામે અસરકારક કહેવાવું જ જોઈએ એમ એકી અવાજે કહ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ [૨] વાત્સલ્યથી વિશ્વવાત્સલ્ય-વિવેચન [ ર૪-૭-૬૧] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્યને આજના પ્રવાહ વચ્ચેનું સ્થાન અને તેની ભાવનાઓ ઉપર અગાઉ વિચાર કરવામાં આવેલ છે. વિશ્વ વાત્સલ્ય તો એ વિષય છે કે તેની છણાવટ કરવામાં ઘણું દિવસે લાગે. અહીં તેના સંબંધમાં ટુંકમાં પણ અલગ અલગ મુદ્દાઓની છણાવટ કરવાની છે. અત્રે વિશ્વવાસલ્યનાં મૂળ ક્યાં અને કેવી રીતે વિકસે છે તે અંગે વિચાર, કરવાને છે. - વાત્સલ્યનું બીજ –વિશ્વવાત્સલ્ય શબ્દમાં બે શબ્દો આવેલા છે. વિશ્વ અને વાત્સલ્ય. વિશ્વપ્રતિનું વાત્સલ્ય એ વિશ્વ વાત્સલ્ય છે. એટલે વિશ્વ વાત્સલ્ય ઉપર વિચાર કરતાં, સર્વ પ્રથમ આપણે વાત્સલ્ય ઉપર વિચાર કરીએ કે તેનું બી(જ) શું છે ? એ વૃત્તિને ઉદ્ભવ ક્યાંથી થયો ? સમસ્ત જીવના જીવન ઉપર નજર નાખશું તો જણાશે કે પ્રાણીમાત્રની બધી પ્રવૃત્તિઓના મૂળમાં એક વૃત્તિ છે તે જીવવું અને ટકી રહેવું. I want to sarvice–“લાંબા કાળ સુધી જીવી શકું” આ ભાવના જીવનની દરેક પ્રવૃત્તિમાં જોવામાં આવશે. બીમાંથી વૃક્ષ થશે. વૃક્ષને ફળ આવશે. ફરી તેનાં બી વવાશે અને વૃક્ષ કાયમ રહેશે. એવી જ રીતે બીજા દરેક જીવનનું છે. એટલું જ નહીં ખાવાની, પીવાની, પહેરવાની, વિચાર કરવાની, બેલવાની ઇત્યાદિ બધી, પ્રવૃત્તિઓનો હેતુ જીવનને ટકાવી રાખવા માટે જ છે. નાની જીવસૃષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ પિતાની રીતે, માનવજાતિ પિતાની રીતે કેમ સારી રીતે ટકી શકાય તે અંગે પ્રયત્ન અને પ્રવૃત્તિ કરે છે. જ્ઞાન-વિજ્ઞાનની શોધ વડે માણસ સરળતાથી કઈ રીતે વધારે ટકી શકે એ જ ઉદ્દેશ્ય સધાય છે. દીકરબાપનું નામ ચલાવે, આમ સામાન્ય વંશપરંપરાથી લઈને, સિદ્ધ બુદ્ધ-મુક્ત થઈને અમર થવું ત્યાં સુધીની દરેક પ્રવૃત્તિઓ પાછળ ટકી રહેવાની-અમર થવાની ભાવના જ પ્રેરક બળ છે. - માનવ અનંતકાળ સુધી એજ શરીરે ન ટકી શકે એટલે સ્ત્રી અને પુરુષ બન્નેએ મળી સંતાનનું સર્જન કર્યું. તેમણે એને પિતાને અંશ માન્ય અને વંશાવળી વડે પોતાની ગણતરી પ્રમાણે અનંતકાળ -સુધી ટકી રહેવાની ઈચ્છાને પૂર્ણ કરી. એ ભાવના, ઊર્મિ કે અનુભૂતિ જ વાત્સલ્યનું બીજ છે. એના * વડે બીજા જીવાત્મામાં પિતાપણું અનુભવાય છે અને તેને ટકાવી રાખવાની ભાવના અમલમાં આવે છે. વાત્સલ્ય પ્રગટ થતાં જુદાઈ રહેતી નથી. સંતાને ટકે તે માટે પિતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાય છે. એ ટકી રહેવાની ભાવનાના કારણે માનવપ્રાણમાં સંતાન–ઈચ્છા વિશેષ રૂપે હોય છે. માતામાં એ વધારે પ્રગટ થાય છે. માનવ સિવાય અન્ય જીવનમાં, પણ ઈડામાંથી પક્ષી અને પક્ષીમાંથી ઈડું કે બીમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બી એ રીતે આ ભાવનાનો સંચાર હોય છે. ગર્ભમાંથી સંતાન તરફની કાળજી એ પિતાના પગે ઊભું રહે ત્યાં સુધી પશુ-પક્ષીઓમાં અને પિતાને શ્વાસ રહે ત્યાં સુધી માનવસમાજમાં જોવામાં આવે છે. નબળી હરિણીને સિંહ સાથે પોતાના સંતાન માટે લડતી જોવામાં આવે છે એ આ ભાવનાની પૂર્ણતા છે કે પિતાને વિનાશ થાય છતાં તેનું સંતાન છે. થોડા વખત પહેલાને એક દાખલો છે. બારૈયા કોમને એક પિતા પિતાના ૧૭ વર્ષના દીકરાને પાસેના ગામના એક છાત્રાલયમાં રાખવા માટે લઈ જવાનો હતો. મા અને દીકરો અલગ થતાં, માતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #45 -------------------------------------------------------------------------- ________________ જોર જોરથી રડવા લાગી. બાપ મજબૂત મનને હતું એટલે તે બોલ્યો - “એને રડવા દે. તું ચાલ દીકરા !” એમ કહી તે બાપ દીકરાને લઈને ચાલવા લાગે. કોઈ પણ દિવસ દીકરાને અલગ નહોતો કર્યો એટલે મા પણ રડતી રડતી પાછળ જવા લાગી. બરાબર છાત્રાલય સુધી દોઢ માઈલ તે રડતી રડતી ગઈ. છોકરે છાત્રાલયમાં દાખલ થયે અને મા પાછી વળી. બે ત્રણ દિવસ થયા કે તે ફરી તેને ઘેર તેડી ગઈ. આ માતાનું હૃદય છે. તેની અંદર કેટલો પ્રબળ ભાવ હેઈ શકે તેને આ દાખલો છે. આજકાલ તે લોકોને બાળક થાય, એ ગમતાં નથી; તેમ જ ભણતરની સાથે એક ખોટો વા ચાલ્યો છે, તે પ્રમાણે શિક્ષિત માતાઓમાં બાળ ઉછેર તરફ બેદરકારી વધતી જાય છે. રશિયામાં બાળકને જન્મ આપ્યા પછી સરકાર માતા પાસેથી બાળકને લઈ લે છે. યુરોપમાં પણ મેજ-શોખ પાછળ માતાઓ બાળકોને ઉછેરવાથી કંટાળી જાય છે એટલે આઘા રાખે છે. પણ જે વાત્સલ્યભાવ એક માતા બાળક પ્રતિ રેડે તે બીજી ન રેડી શકે. આ વાત્સલ્ય અગાઉ લોહીના સંબંધ સુધી હતું. એક સમય એવે હતે જ્યારે સ્ત્રી બાળકોની સારસંભાળ રાખતી, તેને ઉછેરતી અને તેમનામાં સંસ્કારે રેડતી. બાળકે તેની આંખ આગળ મોટાં થતાં. 'પણું ધીમે ધીમે માનવે ટોળાઓમાં રહેવું શરૂ કર્યું, સમાજ સ્થપાય. અને પ્રજાજીવનના ઘડતરની જવાબદારી સાથે બાળકોના ઘડતરની જવાબદારી સમાજ ઉપર વધારે ને વધારે આવી. આજ સુધી માનવસમાજે પિતાની જે પ્રગતિ સાધી છે તેના ઉપકારના બદલે સમાજને ચરણે સંતાને ધરવા અને સમાજનું ઋણ ઉતારવાનું સાધન સંતાન મનાવવા લાગ્યું. જેને સંતાન ન થાય તે અભાગી ગણાવા લાગે. અપુત્ર તરિત, स्वों नैवच नैवच Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૮ . એટલે કે જેને પુત્ર ન હોય તેની ગતિ થતી નથી, તેને સ્વર્ગ મળતું નથી, તેમ જ વાંઝણા મા-બાપનું મ ન જેવું આવી ભાવના પ્રસરવા લાગી. પિતાને પુત્ર ન હોય તે વંશ ચલાવવા માટે પિતાના ભાઈ કે કુટુંબીના પુત્રને દત્તક લઈને ઇચ્છાની પૂર્તિ કરવા લાગ્યા. લોહીના સંબંધમાં કેટલીક વાર વાત્સલ્યને બદલે મોહ હોય છે પણ જે માનસિક સંબંધ હોય છે તેમાં કર્તવ્યને સંબંધ હઈ વાત્સલ્ય શુદ્ધ રહી શકે છે. તેમજ તેને વિકાસ પણ થઈ શકે છે. " એટલે વાત્સલ્ય જે માણસના કુટુંબ સુધી સીમિત હતું તેને વિકાસ થશે અને તેણે સમાજ-વાત્સલ્યનું રૂપ ધારણ કર્યું. પોતાના માટે, પિતાના કુટુંબ માટે દરેક કંઈક કરે છે પણ એવી જ કર્તવ્ય ભાવનાએ પ્રેરિત થઈ આખા સમાજને ટકાવી રાખવા માટેની જે અનુભૂતિ માણસે પ્રગટાવી તે સમાજ-વાત્સલ્ય કહેવાયું. માણસ એક સામાજિક પ્રાણી છે. તેને પિતાનું જીવન ટકાવી રાખવા માટે સમાજના ઘણા અલગ-અલગ એકમોને સહયોગ મેળવવો પડે છે, તેમ જ તેને પણ એ સામાજિક સહયોગમાં પિતાને ફાળે આપ પડે છે. માણસના જીવનને ઉચ્ચ અને દિવ્ય બનાવવા માટે પૂર્વજોએ ઋષિમુનિઓએ સાધના કરી એક ભૂમિકા તૈયાર કરી છે. તેના આધારે માણસ આગળ વધે છે. ઈતિહાસ-ભૂગાળ કે વિજ્ઞાનની જે શોધખોળ થઈ છે તે લોકોએ પિતાના એકાંત હિત માટે નથી કરી. તેઓ તે સુખી હતા પણ પિતાની સાથે સમાજને પણ સુખી જેવા ઈચ્છતા હતા એટલે તેમણે શોધખોળ કરી. તેની પાછળ જે કોઈ એક ભાવના કાર્ય કરતી હોય તે તે સમાજ વાત્સલ્યની હતી. સમાજવાત્સલ્યમાં વાત્સલ્ય કેવળ એક તરફી નથી હોતું; પણ તે તે બીજાને પાવાનું તેમજ પીવાનું હોય છે. માનવજાતિને જે સમાજવાત્સલ્ય ન મળ્યું હેત તે તે પણ બીજા પશુઓની જેમ જ રહેત. આસપાસનું સામાજિક વાતાવરણ, સભ્યતા, સંસ્કૃતિ વગેરે જે કંઈ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩ ક્રમે ક્રમે મળ્યું તેને સંબંધ સ્થૂળ દેહના–લોહીના કરતાં પણ વધારે છે. લોહીના સંબંધે વાત્સલ્ય સીંચીને માણસ વ્યકિતગત જીવનમાંથી જેમ કૌટુંબિક જીવનમાં આવ્યો તેમ તેણે આંતરિક અને માનસિક ભૂમિકાએ બંધાયેલા સંબંધોમાં પણ તેવી આત્મીયતા અને શુદ્ધતા મેળવવાની છે. એટલા માટે જૈનસૂત્રોમાં કુટુંબવાત્સલ્ય પછીની ભૂમિકાએ સાધ=વાત્સલ્યને મૂકવામાં આવ્યું છે. તેનો અર્થ છે સમાન ધર્મવાળા એટલે સમાન માનવજાતિના લોકો પ્રતિ વાત્સલ્ય ભાવ રેડો. જો કે આજે તે તેને અર્થ જૈન કેવળ પોતાના સાંપ્રદાય સુધી જ કરે છે. પણ તેની વ્યાપકતા ખરેખર સમસ્ત માનવ જાત સુધી છે. ભગવાન ઋષભદેવના સમયમાં અકર્મ ભૂમિકા હતી અને યુગલિયા પ્રજા હતી. તેઓ કેવળ પિતાના પડ સુધી જ રાચતા. તેમણે એ પ્રજાને વ્યક્તિવાદથી કુટુંબ અને પછી વર્ણવ્યવસ્થા બાંધીને સમાજ સુધી આણું સમાજ વાત્સલ્ય શીખવ્યું. ત્યારબાદ તેમણે જોયું કે એ પ્રજાને સમાજવાત્સલ્યથી વધીને સમષ્ટિ-વાત્સલ્ય સુધી લઈ જવાની જરૂર છે. એ માટે જાતે વિશ્વવાત્સલ્ય સાધવું જરૂરી હતું. તે માટે તેમણે સાધુ–દીક્ષા લીધી. જગતના સમસ્ત જીવોની (સમષ્ટિની) સાથે આત્મીયતાને અનૂભવ કરવા માટે તેમણે એક વર્ષ સુધી સમૌન તપ કર્યું. જૈને તેને વર્ષીતપ કહે છે. ત્યારની પ્રજાને આ વિશ્વવાત્સલ્ય સાધક શું લે છે-કેવી રીતે લે છે? એની જાણ ન હતી. કોઈ હાથી હાજર કરે, કારણ કે ઋષભદેવ રાજા હતા, તેમને સવારી માટે જોઈએ ને? કોઈ છેડે હાજર કરે કારણ કે એમને પગે થોડું ચાલવાનું હોય ! કોઈ મોતી ભરેલા થાળ હાજર કરે, કદાચ કોઈએ પ્રભુને મેણું માર્યું હશે એટલે આભૂષણ વગર ફરતા હશે ! કોઈ કન્યા હાજર કરે કે કદાચ એમને રાણીઓથી અસંતોષ થયો હશે! પ્રજાને પ્રેમ ખૂબ અને જેને જે સૂઝે તે રીતે પ્રભુને રીઝવવાનો પ્રયાસ કરે ! પણ કોઈ નહોતા જાણતા કે તેમને તે માત્ર શુદ્ધ, કલ્પનીય, સૂઝતે અચિત આહાર જોઈએ ! કારણ કે એ સમષ્ટિ-વાત્સલ્યને સાધક એકન્દ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩ર જીવને સચિત્ત આહાર પણ ન લઈ શકે ! કોઈને કદિ કલ્પના પણ નહીં અને અહાર આપે નહીંપ્રભુ નિર્દોષ આહાર મેળવવા તપ કરીને ફરી રહ્યા છે એમ કોઈના મનમાં થાઈ જ નહીં! અંતે, હસ્તિનાપુરના રાજા નેયાંસકુમારના મન ઉપર આ અવ્યક્ત આંદોલનને ઊંડો પડઘો પડ્યો. તેને વહરાવવાની ઈચ્છા થઈ. તે વખતે પાસે ઈ-(શેરડી) રસના ઘડા હતા. તે અચિત્ત અને કલ્પનીય આહાર હતું, તેણે તે વહેરાવવાની ભાવના કરી અને ભગવાન અષભદેવે શેરડીના રસથી વર્ષીતપનાં પારણું કર્યા. આ રીતે સંસ્કૃતિના આદિકાળમાં વિશ્વાત્સલ્યનું ખેડાણ થયું. બીજી બાજુ માતા મરૂદેવીને ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી ત્યારથી કુટુંબ-વાત્સલ્યના કારણે ચિંતા થતી કે “મારો ઋષભ ક્યાં રહેતો હશે ? શું ખાતો હશે? કયાં સૂતા હશે !” એ ચિતામાં તેમના બાર માસ નીકળી ગયા. ખાવા-પીવાનું ભાવે નહીં, ઉંઘ રાત્રે આવે નહીં. એકવાર માતા મરૂદેવીએ સાંભળ્યું કે ભગવાન ઋષભદેવ અયોધ્યામાં આવ્યા છે. ત્યારે માના વાત્સલ્ય પ્રેરાઈને તેઓ પ્રભુને જેવા હાથી ઉપર નીકળ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે એક મોટી પરિષદ ભરાઈ છે! તેમાં સ્ત્રી-પુરૂષ, દેવી-દેવે જ નહીં, પશુપંખીઓ પણ બેઠાં છે. આ જોઈને માતા વિચાર કરે છે: “અરે હું તે ઋષભની ચિંતા કરૂં પણ એ તે જગતના પ્રાણી માત્રની ચિંતા કરે છે. એ પ્રાણીઓ પ્રતિ કેટલો વહાલ રેડી રહ્યો છે ! એને તો કોઈ વસ્તુની ચિંતા લાગતી જ નથી. તે પિતાની મસ્તીમાં છે. મારે પણ સીમિત કુટુંબ-વાત્સલ્ય મૂકીને વિશ્વપ્રતિ વાત્સલ્ય રેડવું જોઈએ.” આમ મરૂદેવી માતાનું વાત્સલ્ય જે કુટુંબ સુધી સીમિત હતું તે અસીમ વિશ્વપ્રતિ વહેવા માંડે છે. ભગવાન ઋષભદેવથી તેમને વિશ્વવાત્સલ્યની પ્રેરણું મળે છે. અને તેમને ત્યાં જ પૂર્ણ આત્મજ્ઞાન થઈ જાય છે. સમાજવાત્સલ્યથી વધીને વિશ્વવાત્સલ્યની સાધના ગૃહસ્થ જીવનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૩ વ્યક્તિ પોતે કરી શકે પણ વિશ્વ વાત્સલ્ય-સાધનાની પ્રેરણા આખા સમાજને આપવા માટે તે સાધુજીવન જ સફળ સાધન છે. ગૃહસ્થ જીવનમાં વિશ્વ વાત્સલ્યની પ્રેરણા આખા સમાજને આપવી એ લગભગ સશકય જેવું છે. કદાચ ગૃહસ્થ સંયમી બને તે પણ વિધવાત્સલ્યની પ્રેરણું જગડવા માટે સાધુઓની સંયમ મર્યાદાજ પ્રેરક બની શકે છે. ઉતરાધ્યયન સૂવમાં બતાવ્યું છે - संति एगेहिं भिक्खुहि, गारत्था संजमुत्तरा। गार त्थेवि सम्वेहि ‘साहवो संजमुत्तरा॥ કોઈક સાધુ કરતાં ગૃહસ્થ સંયમમાં ઉત્તમ હોય છે પણ બધા ગૃહસ્થ કરનાં સાધુઓ જ સંયમમાં ઉત્તમ હેય છે. વિશ્વવાત્સલ્યની સાધનાની પ્રેરણા આપવા માટે ઉત્કૃષ્ટ પ્રકારનો સંયમ લેવો જરૂરી છે અને તે કેવળ સાધુજીવનમાં જ હોઈ શકે છે. જ્યારે ગૃહસ્થાશ્રમમાં કુટુંબ-મોહ વગેરે દેષ હેઈને તેમની વાત્સલ્યની મર્યાદા કેવળ સમાજ વાત્સલ્ય સુધી રાખી છે. તે છતાં જે ગૃહસ્થો સંયમની ભૂમિકામાં આગળ વધ્યા હોય છે, જેમણે ત્રસજીવોની નિરપરાધી હિંસાને ત્યાગ કર્યો છે અને સાપરાધી ત્રસ જીવે હિંસામાં વિવેક બતાવ્યો છે અને સુક્ષ્મ એકેન્દ્રિય જીવોની પણ મર્યાદા કરી છે તેમને શ્રમણોપાસક કહેવામાં આવ્યા છે. તેઓ વિધવાત્સલ્યની સાધનામાં મદદગાર હોય છે, તેને અનુસરનાર હોય છે. આજે કેટલાક જૈન ગૃહસ્થ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એકેદ્રિય જીવોની મર્યાદા કરે છે પણું તેઓ સમાજહિત વિરૂદ્ધ કામ-ધંધો કરતા હોય છે. આવા લોકોનું એકેન્દ્રિય જીવોની મર્યાદાવાળું વિશ્વ વાત્સલ્ય વિકૃતિનું સૂચક છે કારણ કે તેમણે સમાજવાત્સલ્યની સાધના કરી નથી અથવા છોડી દીધી છે. સમાજ–વાત્સલ્યની પૂર્ણતા પછી જ વિશ્વ વાત્સલ્યની સાધના સફળ થઈ શકે છે. મહાત્મા ગાંધીજીને વિશ્વ વાત્સલ્યની સાધનાની પ્રેરણા એક જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાધુ વ્હેચરજી સ્વામી તેમ જ શ્રીમદ રાજચંદ્ર તરફથી મળી. તે પહેલાંનાં ગાંધીજીના જીવનમાં, તેમણે માંસ ખાવાન, બીડી પીવાનું તેમ જ ચોરી કર્યાનો એકરાર કર્યો છે. પણ તેમણે પૂર્ણ બ્રહ્મચર્યવ્રત લીધું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં વિશ્વ વાત્સલ્યનું ખેડાણ કર્યું. તેમની એ સાધના ધીમે ધીમે વધવા લાગી અને તેમણે સમષ્ટિ-વાત્સલ્યની સાધના પણ કરી. માં જોવા માટે જોઈએ તેટલું જ થોડું પાણી તેઓ વાપરતા. એકવાર એક ભાઈ માટીને એક ઢે; ઉપાડી લાવ્યા. તેમાંથી થિોડીક ભાટી રાખી બાકીનું પાછું યથાસ્થાને તેમણે નંખાવ્યું તેને પણ દાખલ છે. કાકાસાહેબ એકવાર લીમડાનાં પાન વધુ તોડી આવ્યા એટલે તેમણે ટકોર કરી હતી : “ જોઈએ તેનાથી વધારે લેવું એ અપરાધ છે !” આમ વિશ્વવસલ્ય પ્રગટાવવા માટે ઘણી સક્સ બાબતમાં પણ વિવેક રાખવો પડે છે. - દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં એક ઠેકાણે કહ્યું છે –“અચિત અને ક૯૫નીય આહાર ઉપાશ્રયે લાવ્યા પછી, સાધુએ જમતી વખતે વિચાર કરવે કે હું આ વનસ્પતિ કાયના જીવોનું કલેવર લાવ્યો છું. એ બધા મારા જેવા આત્મધારી હતાં, છતાં ના છૂટકે શરીરને પોષણ આપવા માટે લેવાં પડે છે ! ” પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્યની આ કેટલી ઊંચી ભાવના છે ? કાણુગ સુવમાં કહ્યું છે કે સાધકના જીવન ઉપર ચારને ટે ઉપકાર છે:-(૧) છ કાય (વિશ્વના પ્રાણી માત્ર) (૨) ગણ (સમાજ) (૩) રજા (તે કાળની રાજ્ય સંસ્થાઓ ) અને (૪) ધર્માચાર્ય. આ બધાનું ઋણ, ધર્મમાર્ગે પ્રેરવાથી, પિતે સંયમ રાખવાથી અને રખાવવાથી તેમજ જીવાત્માઓને સાચે રસ્તે દોરવા-દોરાવવાથી, ફેડી શકાય છે. ભગવાન મહાવીરે ૫ માસ ૨૫ દિવસની તપશ્ચર્યા, તે વખતના અનિષ્ટોને દૂર કરવા માટે કરી હતી. તેમણે ચંડૌસિક જેવા કણધર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સાપના રાફડા પાસે જઈને, તેના દેશપ્રહારને બદલે તેને પ્રતિબંધ આપી, વિશ્વવાત્સલ્યની પૂર્ણ સાધના કરી હતી. જ્યારે સમાજ વાત્સલ્યને વિકાસ વિશ્વ વાત્સલ્યની સાધનામાં પરિણમે છે ત્યારે સાધક માટે કઈ પારકાં રહેતાં નથી. સર્વ ધર્મો, દેશ, જાતિઓ, કુટુંબ અને પ્રાણી માત્રને વિશ્વ વાત્સલ્યમાં સમાવેશ થઈ જાય છે. દરેક ધર્મ સ્થાપકે પિતાપિતાના ઠેકાણે જે કલ્યાણને પ્રવાહ વહેવડાવ્યા છે તેને તે લાભ લે છે, જનતાને આપે છે. તે કોઈની સાથે ખરાબ વહેવાર કરશે નહીં કારણ કે આખું વિશ્વ તેનું કુટુંબ હેઈ “વસુવ કુટુંબકમ” પ્રમાણે તે વર્તશે. જેમ ઘરના માણસો પિતાના હોઈને, કુટુંબમાં માણસ કોઇની સાથે અસત્ય, હિંસા, ચોરી, વ્યભિચાર કે અસમાનતાનો વહેવાર કરતા નથી તેવી જ રીતે વિશ્વવાત્સલ્યને સાધક આખા વિશ્વ કુટુંબ સાથે સદ્દવહેવાર જ કરશે. આ વિશ્વ વાત્સલ્યનું ધ્યેય છે અને તેને સિદ્ધ કરવાનું છે. અત્યારે કેટલું સિક થશે તેનો વિચાર કરવાને નથી; પણ આદર્શ તે હમેશાં ઊંચો રાખવાને રહ્યો. હિમાલયની તળેટીમાં રહેનાર, હિમાલયે જવાને આદર્શ ખે તે જ તે એક દિવસ ત્યાં પહોંચી શકે છે. જૈન ધર્મમાં એક વસ્તુ બતાવવામાં આવી છે કે જે સમ્યગદર્શન થયું તેને મોક્ષ ધીમી ગતિએ પણ અર્ધ પુરાલ પરાવર્તન કાળમાં નક્કી થઈ જાય છે. ગૃહસ્થ, વાનપ્રસ્થી અને પડિમાધારી શ્રાવક પણ વિશ્વાત્સલ્યનાં લક્ષ્ય સુધી જઈ શકે છે તેમ જ મેક્ષ પામી શકે છે. સાધુ સન્યાસીઓ માટે આ લક્ષ્ય મેળવવું સુલભ છે. જ્યાં સુધી ખેતીની શોધ નહોતી થઈ, ત્યાં સુધી વનમાં રહેતા ઋષિ મુનિઓ પિતાને જીવનનિર્વાહ ઝાડે પાકેલાં ખરી પડેલાં ફળો કે ગોપાલન કરી તેના દૂધ ઉપર કરતા. કાચાં અને ઝાડ ઉપરનાં ફળે ન તેડવા કે બીજી જીવ હિંસા ન કરવી એ તેમને વિશિષ્ટ ઉદ્દેશ્ય હતે. જેનું બેય વિધવાત્સલ્યની સાધના હતી. વૈશેષિક દર્શનના પ્રવર્તક કણાદ ઋષિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં રહેતા હતા. ત્યાં જંગલમાં જે અનાજ થતું તેના કણે વીણું વીણીને તેઓ જીવનનિર્વાહ કરતા અને અપરિગ્રહ અને સંયમથી રહેતા. એક વાર એક રાજા તેમને શાલ વ. ભેટ આપવા આવ્યો પણ તેમણે મને જરૂર નથી!” કહીને સ્વીકારવાની ના પાડી દીધી. . કેટલાક લોકો કહે છે કે વિશ્વ વાત્સલ્યની સાધનામાં અહિંસા કર્યો આવે છે? કારણ કે અહિંસા એટલે તે હિંસા ન કરવી; એ અર્થ છે. ખરૂં જેવા જોઈએ તો અહિંસાની બે બાજુઓ છે!-(૧) નિષેધાત્મક અને (૨) વિધેયાત્મક. અહિંસાની નિષેધાત્મક બાજુને લઈને તેને એકાંગી બનાવી દેવામાં આવી છે. એટલે જ અહિંસાની વિધેયાત્મક બાજુ ઉપર ભાર મૂકવો પડશે. આ વિધેયાત્મક અહિંસા એટલે જીવનું સંરક્ષણ કરવું. સેવા કરવી, સહાનુભૂતિ બતાવવી, વિકાસ કરવો અને એ અર્થમાં વિશ્વવાત્સલ્યને લેવામાં આવ્યો છે એટલે વિશ્વ વાત્સલ્યની સાધનામાં અહિંસા આપોઆપ આવી જાય છે. એટલું જ નહીં નિવૃત્તિ અને પ્રવૃત્તિ બન્નેને પણ સમાવેશ વિશ્વ વાત્સલ્યની સંપૂર્ણતામાં થઈ જાય છે. વિશ્વ વાત્સલ્યની શ્રેષ્ઠ સાધનાને દાખલો મહારાજા રંતિદેવના જીવન ઉપરથી મળી શકે છે. તેઓ પ્રજાવત્સલ રાજા હતા. એકવાર તેમના રાજ્યમાં દુકાળ પડ્યો. રાજા રંતિદેવ મહેલના આંગણામાં બેઠા બેઠા વિચાર કરે છે : “ રાજ્યમાં દુષ્કાળ પ્રર્વતતો હોય ત્યારે હું સુખે કઈ રીતે ખાઈ-પી શકું? રાજ્યને દરેક પ્રાણી મારો આત્મીય છે. પ્રજા તો મારી સંતતિ છે. તે ભૂખી તરસી રહે તે હું કેમ ખાઈ-પી શકું ?” રાજ્યના પીડાતા જીવોને જોઈને રાજાની ભૂખ અને તરસ બન્ને ઊડી ગયાં છે. એક પછી એક એમ કરતાં ૪૮-૪૮ દિવસના રાજાને ઉપવાસ થયા છે. તે છતાં તેમને પ્રજાની જ ચિંતા છે. તે વખત મુખ્ય પ્રધાન આવીને રાજાને અરજ કરે છે: “મહારાજ. ૪૮ દિવસના ઉપવાસ થવા આવ્યા છે. આપની જીવનશકિત ઘટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ રહી છે. પ્રજા માટે આપ કેટલી બધી ચિંતા રાખી બધું કરી છૂટયા. રાજ્યભંડાર ખુલ્લું મુકી દીધે, મહેલની બધી વસ્તુઓ વેચી નાખી, એટલું જ નહીં ભૂખ્યાને અન્નજળ મળે તે માટે જાતે ઉપવાસ પણ ર્યા હવે કોઈ ઉપાય બાકી રહ્યો નથી. આપે બન્યું તે કર્યું. હવે તે પારણું કરો ! ” એટલામાં મહેલની બહાર પ્રજાજનેએ પિકાર કર્યો : ય થાવ મહારાજા રતિદેવને મહારાજના ઉપવાસને અંત જલદી આવો ! લાખે મરે પણ લાખોના પાલનહાર ન મરે!” તે સાંભળી મુખ્ય પ્રધાને કહ્યું : “મહારાજ ! આપે પ્રજાને પિકાર સાંભળ્યો ! પ્રજાના આ પિકારને પ્રજાવત્સલ રાજા શી રીતે અવગણી શકે ! હવે તે આપે પારણું કરવું જ રહ્યું. આપ પ્રજાને કોળિયો ઝૂંટવીને તે અન્ન લેતા નથી ! આ તો તમારી વહાલી પ્રજાની આજીજી છે. તેને કઈ રીતે અવગણી શકશે !” ત્યારે રાજાએ કહ્યું: “ઠીક પ્રધાનજી! જ્યારે સહુને આટલો આગ્રહ છે તે હું મારી પ્રજાને સામાન્ય માણસ મેળવી શકે એટલું અન્ન અને પાણી લઇશ!” પ્રધાને કહ્યું : “આપે મહા કૃપા કરી મહારાજ ! આ બટક રોટલો અને થોડું પાણી આપના પારણા માટે હાજર છે !” મહારાજે પૂજતે હાથે રોટલીને ટુકડે તેડવા જાય છે કે લથડિયાં ખાતી એક બાઈ ત્યાં આવે છે. બાઈને પાછી ફરવા પ્રધાન ઇશારે કરે છે પણ મહારાજ તેને અટકાવીને પૂછે છે: “બોલ ! બાઈ તારે શું કહેવું છે ?” બાઈ બોલી : “મહારાજ! મારી ભૂલ થઈ કે આજે આપ જેવા પ્રજાવત્સલ રાજા પારણું કરે અને હું આવી !” બાઈ! તું ગભરા નહીં ! જે કાંઈ કહેવું હોય તે સુખેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કહે !” રાજાએ આશ્વાસન આપતાં કહ્યું. * “મહારાજ, મારી ભૂખને પ્રશ્ન હોત તો હું મરી ગઈ હતી પણ, મારો એકને એક લાલ એક કેળિયા માટે તરફડે છે. તેનું દુઃખ જોયું ન ગયું અને હૃદય હાથમાં ન રહ્યું એટલે લથડાતા પગે પણ અહીં આપના દ્વારે આવી પહોંચી !” બાઈએ કહ્યું. - રાજા રંતિદેવ બેલ્યા : “બાઈ ગભરાઈશ નહીં! હું તે તારી શ્રદ્ધાને દગો આપનાર નથી. લે આ રોટલી અને તારા બાળકનું કાળજુ તાજુ કર !” અંતરના આશિષ આપતી બાઈ રોટલીને ટુકડે લઈને ત્યાંથી જાય છે. પ્રધાન મન મારીને રહી જાય છે અને પાણીનો ઘૂંટડે પીવા રાજાને કહે છે. રાજા જેવો ઘૂંટડે ભરવા જાય કે એક ચંડાળ પ્રજો પગે દાખલ થાય છે! રડતો રડતે મહારાજના ચરણોમાં નમી પડે છે. મહારાજ પૂછે છે: “ભાઈ તને શેનું દુઃખ છે? તું શા માટે ચંડાળ કહે છે: “મારું એકનું એક સાથીદાર કુતરૂં આજ સુધી મારા સુખદુ:ખમાં સાથે રહ્યું. આજે ચાર દિવસથી એક ટીપું પાણી તેના ગળા નીચે ગયું નથી. તે તરફડતું-તરસતું મારી ઝૂંપડી બહાર પડ્યું છે. તેનું દુઃખ ન જોયું ગયું એટલે હું આપની પાસે દોડી આવ્યો !” રંતિદેવ કરૂણાપૂર્ણ આંખોથી કહે છે : “લે ભાઈ, આ પાણીને પ્યાલો ! તારા સાથીને પાઈને તેને સંતોષ આપ!” * આવી હતી રંતિદેવની વિશ્વ વાત્સલ્યતા ! તેમણે પ્રાણીમાત્ર સાથે આત્મીયતા સાધી વિશ્વનું દુઃખ પિતાનું માની લીધું હતું. તેમના અંતરમાંથી એ જ નાદ ગૂજતો હતે – नत्वहं कामये राज्यं, न स्वर्गनापुनर्भवम् । कामये दुःख तप्तानां प्राणिनामातिनाशनम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ “હું રાજ્ય નથી ઈચ્છત કે નથી સ્વર્ગ ઈચ્છત મને મોક્ષની પણુ લાલસા નથી. દુઃખથી સંતપ્ત પ્રાણીઓના દુ:ખને નાશ કરું એ જ મારી ઇચ્છા છે. * આવી હતી રંતિદેવની વિધવાત્સલ્યની સાધના ! તેઓ એક ક્ષેત્રમાં કામ કરતા હતા છતાં પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્ય રેડવા તેઓ આતુર હતા. તેઓ કટીએ ખરા ઊતર્યા દુકાળ મટ. રાજાનાં પારણું થયા. આમ વિશ્વ વાત્સલ્યની સાધના માં જગતની ચિંતા પિતાની બની જાય છે. વ્યકિતત્વનું વિસર્જન સમષ્ટિમાં થઈ જાય છે. એ જ અદ્વૈત સાધના છે. એ જ આત્મૌપમ્ય છે. “આત્મવત્ સર્વ ભૂતેષુ”ની સક્રિય ભાવનાનું રૂપાંતર છે. ક્રમે કરી વાત્સલ્યને સમાજ વાત્સલ્ય તરફ રેડી. તેની પૂર્ણતા વિશ્વ વાત્સલ્ય રૂપે સમષ્ટિ સાથે આત્મીયતા પ્રગટાવવામાં રહેલી છે. ચર્ચા અને મુક્તસહચિંતન મપુત્ર' કોણ? આજની ચર્ચા શરૂ કરતાં શ્રી દેવજીભાઈએ મહાભારતને દાખલે ટાંક્તાં કહ્યું : “શકુંતલાના પુત્ર ભરતને ત્રણ રાણીઓથી દશ પુત્ર થયા. પણ તે પૈકીના એકેય રાજ્ય સ્થાન માટે લાયક ન નીવડ્યા એટલે એમના મનમાં વિચાર આવ્યો કે “અપુત્ર વિનંતિ” એમ શાસ્ત્રો કહે છે. એટલે કે પુત્ર તો જોઈએ પણ તે ચારિત્ર્યશીલ અને સુયોગ્ય જોઈએ. ભરદ્વાજજીએ પેતાના શિષ્ય ધૌમ્યને સમાજ આગળ પુત્રરૂપે ધર્યો એટલે એક નવું સૂવ નીપજ્યુઃ “બ્દ (વીર્યજ સંતાન) કરતાં નાદ' (નાદજન્ય સંતાન) વધુ ઉત્તમ છે. ભગવાન બુદ્ધ અને મહાવીરે એ રહસ્યને વધારે પ્રગટ કર્યું કે ચારિત્ર્ય અને ઊંચા વિચારથી જેઓ આકર્ષાઈને સંયમ માગે અનુસરે અને સંયમમાગને પ્રચાર કરે તે જ સાચાં સંતાને !. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પુરાવાત્સલ્ય ને વ્યાપક સમાજ વાત્સલ્ય બનાવ્યું શ્રી માટલિયાજીએ પિતાને અનુભવ ટાંકતાં કહ્યું: “હું જયારે ગામડામાં ગયો ત્યારે મારા પુત્ર ઉપરને સ્નેહ છે તેને વ્યાપક કરવાની ભાવના અને જાગી. સન ૧૯૪૨ માં ભાવનગર જેલમાં હતા ત્યારે એકવાર ભીંતને અઢેલીને ઊભો હતો. તે વખતે હેક મિનિટ મને દિવાસ્વપ્ન આવ્યું. એમાં મેં ત્રણ દશ્યો જયાં :-(૧) નદીને પૂર ખૂબ આવ્યું. (૨) કુભાર અને દાંડી વિનાને કુંભારને ચાકડે જે. (૩) બધું જ ચકકર ચક્કર ફરતું દેખાયું. આ દિવાસ્વપ્નની તીવ્રતા તે વખતે ખૂબ જ રહી અને પંદર દિવસ સુધી એ અણુ ખર્યું નહીં. હું તન્મય બની ગયો. એ વખતે જીભ ખાંડ કે મીઠું પારખી શકતી ન હતી. જેલમાંથી નીકળ્યા બાદ પાંચ વર્ષ સુધી હું નાનાભાઈ ભટ્ટ પાસે રહ્યો અને મને જણાયું કે તત્વજ્ઞાન અને ભાવનાએ આકાર લે જોઈએ. તેવામાં પુત્ર-પ્રાપ્તિ થઈ ત્યારે થયું : “માબાપ રેશે, કચવાશે અથવા માથામાં પરોવાઈ જઈશ એમ માની હું ઘેરથી તે ભાગે પણ હવે મારા બાળકથી ભાગીને કયાં જઈશ” * એટલે આગળ કહ્યું તેમ પુરસ્નેહને વ્યાપક કરવાની ઝંખના થઈ અને હું ગામડામાં ગયો. ગામડામાં ગયા પછી “મા માંથી સાત ભાવ તારવ્યા. મા ના સાત ભાવ તે આ પ્રમાણે છે –(૧) અમી અથવા સ્નેહનું અમૃત (૨) પાસે રહીને સેવા કરવી (૩) સુશ્રુષા (૪) તદ્દરૂપતા અનુભવવી. (૫) શિક્ષણ (૬) રક્ષણ (૭) વિજ્ઞાનયુક્ત સંસ્કાર. આમાં સર્વ પ્રથમ બાળમંદિરને વિચાર આવ્યો. ગામની શાળામાં પંદર બાળકો આ ત્યાં બાળમંદિર કઈ રીતે શરૂ થાય? બીજે વિચાર આવ્યું દવાખાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ખાલીએ. તે વખતે એક શાસ્ત્રી ગુલાલવાડીમાં રહેતા. તેઓ દવાના કેટલાક ડબ્બાઓ મોકલતા. તેનો ઉપયોગ કરવો. આમ મેં બે કાર્ય ગામના વિશ્વાસે શરૂ કર્યા. આ અગાઉ પ્રા પરિષદમાં, જેનાં નેતા બળવંતરાય મહેતા હતા, અને મુરબ્બી શ્રી નાનાભાઈની સંસ્થા મામ દક્ષિણા મૂર્તિમાં અને સંસ્થાઓ સાથે સંકળાઈને કામ કરવાને મોકો મળ્યો હતો. પણ મને ગામ ઉપર “વાત્સલ્યની દષ્ટિએ વધુ આકર્ષણ હતું. ગામ તરફથી દાણા-ગળ વ.ની વ્યવસ્થા થઈ. ગામને કહ્યું : જેમ જેમ જરૂર પડશે તેમ તેમ લઈશું. બધી વ્યવસ્થા ગામ જ કરે!” આથી ગામને થયું કે આ તે આપણે માણસ છે. દેઢેક માસ બાદ ગામને લાગ્યું કે આ કુટુંબ જે વર્ગમાંથી આવે છે તેને બીજી ચીજો પણ જોશે અને દૂધ ઘી વગેરે માટે રેકડી રકમ આપવી જોઈએ. મેં કહ્યું: “મને વશ જુવાને રાત્રિશાળા માટે આપ ” ગામે દર જુવાને બે રૂપિયા નક્કી કરી દાણુ-ગોળ સાથે બીજી ચાલીશ રૂપિયાની વ્યવસ્થા જોડી દીધી. ગામમાં કામને ઘાટ બંધાયે. બહેને પણ આવવા લાગ્યાં. તેમની નિરક્ષરતા દૂર કરવા માટે તેમને ખબર ન પડે તે રીતે રાસડાથી કાર્ય શરૂ કર્યું. એમાં તેમને ગમે તેવી ઢાળે ગોઠવતે ગયો. પછી તો તેમણે સામેથી અક્ષરજ્ઞાનની માગણું કરી. રાસડામાં શીલ, સંસ્કાર, બાળઉછેર, ગ્રામ ભક્તિ, બહેનેનું ગૃહ કર્તવ્ય, સમાજ કર્તવ્ય વ. વાત વણ લેવાઈ હતી. તેમાં અક્ષરજ્ઞાન શરૂ થતાં તે વિભાગને પણ વિકસાવવાની તક મળી. આમ ગામ સાથે આનંદ અને ઓતપ્રેતતા વધતાં ચાલ્યાં. ત્યાં એકવાર રાત્રે હું બહાર ગામથી આવતું હતું. તે વખતે બાજુના ગામના કાઠીઓ વગેરે અહીંના લોકોને ખૂબ હેરાન કરતા જણાયા. એમનાં ઢેર ચેરે-વાડે ચરે! કોઈ ખેડૂત ચૂં કે ચાં કરી શકે નહીં. આ વખતે જે હેરને જયાં તેમને લઇને ડખે પૂર્યા. પણ પેલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ કાઠી મૂછે ઉપર તાલ દઈને ડબ્બામાંથી કાઢી ગયો. હું તે શમશમી ઊઠ. આટલો બધે જૂલ્મ સહન થાય શી રીતે ? મેં પોલિસમાં ફરિયાદ કરી; પણ મુખીએ, “ઢોર પરાયાં નથી” એવું જૂઠું લખાણ કર્યું. કોઈ સાક્ષી તરીકે પણ ઊભું ન રહ્યું. એટલું જ નહીં, જે ખેડૂતની ભેળ થયેલી તેણે જાતે કહ્યું કે મારું કંઇપણ ભેળવાયું નથી. રોટલી અને દૂધપાક નીચવીને આપે ! હવે શું થાય ! હું તો ખૂબ મુંઝાયો. એક દિવસ વિચાર થતાં હું અને મારા પત્ની બન્ને જણ તે ગામ તે કાઠીને ત્યાં જ પહોંચ્યા. તેમણે આગ્રહ કર્યો અને અમે જમવા રોકાયા. ભાણમાં રોટલીઓ આવી કે મેં કહ્યું : “આ નીચવીને મને આપો !” તે કાઠીના ભા અને ઘરના બધાય મુંઝાયા. પહેલાં તો તેઓ કંઈ ન સમજ્યા. પછી મેં ચોખવટ કરતાં કહ્યું : “આમાં અનેક ખેડૂતોને પરસેવે ચેટ છે, તે કાઢીને મને રોટલી આપે !” ' છેવટે કાઠી પીગળી ગયા અને તેમણે કહ્યું : “આ મારી ગાય, મારી જ મહેનતે ઉછેરીને મોટી કરી છે અને તેને ભેળથી અલગ રાખી છે. તેનું દૂધ લો !” - સામાન્ય રીતે ભેળ તે થેડી, ભેંસ વ. થી થતી હોય છે એટલે મેં થોડું દૂધ લીધું. ત્યારબાદ કાઠીને આખા કુટુંબે પિતાની આપવીતી કહી સંભળાવી : “અમને પણ કે ખેડૂતોને રંજાડગ ગમતા નથી, પણું, શું કરીએ ? અમારી પાસે સો વીઘા જમીન હતી પણ અમુક પટેલને ત્યાં ગિરે મૂકેલી. ત્રીશ વર્ષ થઈ ગયાં હવે એ આપતા નથી!” એમનું પણ કંઈક કરવું જોઈએ એમ નક્કી કરી તેમની વિદાય લઈને અમે પાછા ફર્યા. એ પટેલ બાપા ચૂસ્ત વેદાંતી હતા. થોડા દિવસો પછી સમય જોઈને હું તેમને ત્યાં ગયો. મેં તેમને કહ્યું : “બાપા ! આપ તો અતવાદી! આપનાથી આવું થાય ! ” સભાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ બાપ સમજી ગયા. તેમણે કહ્યું : “બાયું તે થયું છે પણ હવે ખેતર જૂતું નથી ! " મારા માટે બાપાએ દૂધપાકનું જમણ બનાવ્યું હતું. મેં કહ્યું: “બાપાદૂધપાક તે મને બહુ ભાવે, પણ તમારે નીચોવીને આપવું પડશે ! ” “ દૂધપાક તે નીચેવાતો હશે?” બાપાએ પૂછ્યું. પણ મારે તે નીચોવીને જોઈએ. એમાં અણહક્કનું તત્વ ભળી ગયું છે.” બાપા સમજી ગયા. છેવટે એક મોસમ લઇને તે જમીન છેડવા માટે માની ગયા. માણસોની સામે એ મુજબનું લખાણ થયું. કાઠીની ઘડી વેચાવી નાખી. દાણચેરી વ. અનિષ્ટો બંધ થયાં. કાઠીભાઈ બે બળદ ખરીદી ખેતીમાં લાગી ગયા. આ વ્યક્તિગત પ્રશ્ન તો સારી રીતે ઉકેલાયો, પણ આવું ઠેર ઠેર હતું. એટલે જુલ્મ-નિવારકસેવાદળ રચાયું. એ જ અરસામાં સેવાદળ પાસે એક સવાલ આવ્યો, એક ગુડ માણસનું ઊંટ બધાનાં ખેતરોમાં ફર્યા કરે. તે પાકો ગુડે કોઈકની ભરીને બાર વર્ષથી પિતાના ઘરમાં રાખેલી છતાં કોઈ એને કંઇ ન કહી શકે. તે વખતે અમે અહિંસાની દિશામાં ઊંડા ઉતર્યા ન હતા. એટલે સેવાદળના માણસોએ ઊંટના પગમાં ગોળી મારી તેને લંગડ બનાવી દીધું. આ ખબર પડતો પેલો ચીડાયો. એક દિવસ દારૂ ઢીંચીને આવ્યો અને બોલવા લાગ્યો : “ભવાની ભોગ માગે છે? તમને મારીને લોહી આપવું છે!” . બધાય ગભરાયા. મારી પાસે બેઠેલા બે મોટા પટેલો તે ચાલવા લાગ્યા. સેવાદળના યુવાને ચિત્રવત બની ગયા. હું ઊભું થયું અને પેલા ભાઈને અડે. તે છંછેડાયો નહીં. કંઈક શાંતિ આવતાં તેણે કહ્યું: “ઠીક, તલવાર નહીં તે માન, મારવા દે !” વાત ઉતરતાં કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ તમારા સેવાદળના એક ભાઈને મારવા દે છે અને અંતે “તે ભાઈ માફી માગે !” ત્યાં સુધી વાત આવી. હું સાંઢિયાને બાઝી ગયે. એટલામાં મુખીએ આવીને પેલા માણસને પિતાના મકાનમાં બેસાડ અને બહારથી પાણી આવ્યું છે એમ કહી તેને પાણી પાયું. ધીમે ધીમે તેને નશો ઊતરી ગયો અને માફી મંગાવવાને બદલે એ તે એમને એમ પાછો ફર્યો. તેવામાં એક બનાવ બન્યું કે કોઈ હરતાફરતાઓ સાથે એને ઝઘડે થયો. તેને માર પડ્યો અને તેની બંદૂક પણ તેઓ લઈ ગયા, ગામમાં વાત ફેલાઈ કે માટલિયાએ એવું કર્યું લાગે છે. એક વાર હું બહારગામથી આવતો હતો કે મારી ઝૂંપડીમાં એક ચેર આવેલો. મને જોઈને માલ ફેંકી તે ચાલતો થશે. બસ વહેમ શરૂ થયા છે માટલિયા પાસે કંઈક છે. રાખ આપે તે માણસ સાજો થઈ શકે છે.” એ જ અરસામાં બધા વહેમે સામે થનારૂં “ખેડૂત-ય-સાધક - મંડળ” રચાયું. સંસ્થારૂપી સૂર્યનાં સપ્ત પટ્ટીના સાત ગુણ ગામમાં ખીલ્યાં. અમે અમારી સામે વાસલ્યનું પ્રતીક પણ રાખ્યું છે, જેથી સતત જાગૃતિ રહે. મમતા-મોહ કે અહંતા એકદમ તે જતાં નથી પણ ગાળમાં પાણી પડતાં ચીકાશ ઘટે તેમ એ વ્યાપક થતાં ઘટે છે, અહંતા-મમતા સંપૂર્ણપણે ગયાં નથી. પણ તે વ્યાપક થયાં છે જેથી સાવ મૂર્શિત થવાતું નથી એમ મને લાગે છે. દુજન સંહારમાં વિશ્વ વાત્સલ્ય ખરું? આ અનુભવો સાંભળી દંડી સ્વામીજીએ પ્રશ્ન કર્યો: (૧) હિરણ્યકશ્યપને વધ નૃસિંહે કર્યો. (૨) રામે રાવણને માર્યો ( ૩ ) કૃષ્ણ દ્વારા કંસ ભરાય તે આમાં વિધવાત્સલ્ય ગણાય ખરું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ માટલિયાજીએ જવાબ આપતાં કહ્યું: “ફળે બીજને નાશ કર્યો કે ફળ પાકી જતાં બીજે ફળને નાશ કર્યો! આમાં વાત્સલ્ય ગણાતું હોય તે ઉપરની વાતમાં શા માટે ન ગણાવું જોઈએ. . . પંજાભાઈએ કહ્યું : ભાળીને વ્યવસ્થા માટે જાળઝાંખરાં સાફ તે કરવી જ પડે ને! ટુંકમાં સમાજનાં મૂલ્યો માટે, અંગત જુથી નહીં, તેમ રાગદ્વેષ રાખ્યા વગર, સમાજની કક્ષા પ્રમાણે સશસ્ત્ર સામને કરવું પડે તેય “વિશ્વવાત્સલ્યને બાધા નહીં પહેચે ! એટલું ખરું કે એ અરાગ અને અવની અસર તત્કાળ નહીં તો બીજે જન્મે પણ જેને માર્યો હોય એને પણ પહોંચી વળવી જોઈએ. એ રીતે જોતાં રાવણ અને વાલી બન્નેને રામ ઉપર પ્રીતિ અંતકાળે થાય જ છે, તેમ કંસને થતી જણાતી નથી. જો કે કંસ તો જાણી જોઈને આક્રમણ કરવા જતાં જ મલ્લશાળામાં ભણે છે !” માતૃવાત્સલ્ય પુરૂષ-વાત્સલ્ય કરતાં વધારે - શ્રી દેવજીભાઈએ પિતાની પુત્રીને માતવાત્સલ્યને અનુભવ દાખવતાં કહ્યું : “હું બાળાઓને ખૂબ સાચવું છું. છતાં એક દિવસે મારી નાની દીકરીએ કહ્યું કે “બાપા આપણે કરતાં પડોશીની “મા” ગરીબ છે છતાં એના બાળકે “મા” કહે છે. એ કેવું રૂડું લાગે છે? તમે અમને સારી પેઠે રાખો છે પણ “મા” જેવું આનંદમય બીજુ નથી લાગતું !” શ્રી પુંજાભાઈએ હાજર જવાબ આપે : “એટલા માટે તે “બાપા” કહેવાય છે. મતલબ કે માતા કરતાં બાપાનું વાત્સલ્ય. પા ભાગનું જ હોય છે.” પછી સ્ત્રી અને પુરૂષ અંગે ચર્ચા ચાલી. પુરૂષમાં પણ વિશિષ્ટ ગુણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને સ્ત્રીઓમાં પણ પોતાના વિશિષ્ટ ગુણ હોય છે. સમર્પણને ગુણ પુરૂષોમાં પણ હોય છે એટલે જ સાધકો વિશ્વાત્મય વધુ અંશે અને સંખ્યામાં સાધે છે. સ્ત્રી-સાધિકાઓ ઓછી જોવા મળે છે અને સ્ત્રીઓનું વાત્સલ્ય જરૂર વિશ્વવાસલ્ય માટે પ્રેરણું આપી શકે પણ તે કુટુંબ સુધી સીમિત વધુ જોવામાં આવે છે. બાળકો માટે ભાનું બલિદાન સવિશેષ હેઈને, સમાજના ઉત્થાનમાં સ્ત્રીઓએ જ વધુ ભોગ આપ્યો છે અને વિશ્વવાસયમાં પણ માતસમાજે વધુ ભેગ આપવો પઢશે. વિચવાત્સલ્યમાં કોને મુખ્ય સ્થાન? શ્રી દંડી સ્વામીએ અજગતને દાખલો આપતાં કહ્યું: “તેના ત્રણ પુત્રો હતા. પહેલો બાપને ભાગે હતો–ડેલો માને ! તેથી જ શુન-શેપ જે અગતને વચેટ પુત્ર હતું તેને સમાજ માટે હમ પડ્યો હતે. “મા”ને નાના ઉપર પ્રેમ વધારે હોય તેનું કારણ તે નાને, છેવટ અને નબળો હોય છે. આમ વિશ્વ વાત્સલ્યમાં આખા સમાજને સ્થાન છે. પણ પછાત રહી ગયેલાંઓને માટે પક્ષપાત રખ જ જોઈએ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ [૩] વિશ્વવારાલ્યનાં પાસાંઓ [ ૩૧-૭-૬૧] –મુનિશ્રી નેમિચંદ્રજી વિધવાત્સલ્યનાં કયાં ક્યાં અને કેટલાં પાસાં છે તે અંગે અત્રે વિચાર કરવાને છે. વિશ્વવાત્સલ્ય શબ્દની એવી વિલક્ષણતા છે કે એનું નામ લેતાં જ માતાનું ચિત્ર • આંખ આગળ ઉભું થાય છે. વિધવાત્સલ્યનાં પાસાંઓ ઉપર વિચાર કરવા માટે પણ માતઇદયનાં પાસાંઓ પણ તપાસવા પડશે. • માતા કેવળ બાળક ઉપર આસકત થઈને પ્રેમ કરે છે એ એના હૃદયનું એક પાસું છે. તે એને મારે પણ છે-દંડ પણ આપે છેગુસ્સો પણ કરે છે. આ એક બીજું પાસું છે. પણ બને સ્થિતિમાં તેના અંતરમાં વાત્સલય તે ભરેલું જ હોય છે. તે ચાહે છે ત્યારે પણ તેના દિલમાં વાત્સલ્ય હેય છે અને જ્યારે દડે છે ત્યારે પણ એ વાત્સલ્ય હેય છે. તે જ એને પ્રેરે છે કે તેનું બાળક નઠારું ન થવું જોઈએ. બગડવું ન જોઈએ. એવી હિતભાવના તેના હૃદયમાં સતત રહે છે. એમાં મમતા પણ છે અને સમતા પણ છે. જ્યારે બંનેને સમન્વય થાય ત્યારે જ વાત્સલ્ય ખીલે છે. વિશ્વવસલ્યમાં પણ આમ બંને પ્રકારની વૃત્તિ અને ભાવનાને સમન્વય સાધવાનો રહે છે. વિશ્વ વાત્સલ્ય જ્યાં એક તરફ અનિષ્ટોને દૂર કરવાનું સૂચવે છે ત્યાં બીજી તરફ સમાજજીવનમાં સંયમ, ધર્મ અને નીતિ વગેરેને પ્રવેશ કરવાનું સૂચવે છે. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ઘણા લોકો કહેશે કે શું સર્વોદયથી એમ નહીં થાય ? સર્વોદયમાં અવિકસિત અંગને વધારે ઉદય કે પ્રકાશ અને વિકસિત અંગેને છે ઉદય કે પ્રકાશ સૂચવતો હેય, પણ જ્યાં અંધારું છે તેને દૂર કરવા માટે ખાસ કહેવાતું નથી. અંધારું દૂર કર્યા સિવાય ઉદય કે પ્રકાશ કઈ રીતે થઈ શકશે ! સૂરજનો પ્રકાશ તો મેર પથરાયો પણ જેના બારી બારણું તદ્દન બંધ છે તે મકાનમાં પ્રકાશ કયાંથી પ્રવેશી શકે? સર્વોદયમાં એવું માનવામાં આવે છે કે એની ચિંતાની જરૂર નથી. એવાં મકાનનાં બારીબારણું ઉઘાડવાની જરૂર નથી. બીજા શબ્દોમાં સર્વોદય કેવળ વિકાસ પામેલાં, ભલે તે ઓછાં હોય કે વધારે એવાં અંગોને લાગુ પડે છે. પણ જે વિકાસને અવરોધનારાં ત તરફ તે ઉપેક્ષા જ સેવે છે. સર્વોદય એમ માને છે કે બધું રૂડું થતાં એટલે કે રૂડાનું રૂડું થતાં–બધું સારું થઈ જશે. પણ તેમ થતું નથી. એમાં મોટો ભય તો એ રહેલો છે કે જે વિકસિત હોય છે તે વધુ વિકાસ પામે છે પણ અણવિકસિત પાછળ રહી જાય છે. ઘણી વાર એક વર્ગમાં નબળા અને સબળા વિદ્યાર્થીઓ હોય છે. નબળા વર્ગ જોઈને શિક્ષક વિશેષ-વર્ગ ચલાવે છે. આને લાભ બધાને લેવાને તેય છે. પરિણામે જોવા મળે છે કે જે સબળા હેય છે તે વધારે સબળા બને છે અને નબળા વધુ નબળા બને છે. જે નબળા તરફ વિશેષ ધ્યાન અપાય તો જ તે આગળ વધી શકે છે. જે અનિઇને દૂર કરવાનો પ્રયત્ન જ ન કરવામાં આવે, અને કેવળ ઈષ્ટને જ વિકસાવવાનું હોય તો ઇષ્ટ વિકસે એમાં હમેશાં ભયસ્થાન રહેલ છે. શરીર ઘણું જ સુંદર અને સ્વસ્થ હોય, તેને સારી રીતે રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે એમાં ઉપસેલા એક નાનકડા ગૂમડાની ઉપેક્ષા સેવવામાં આવે છે તે આખા શરીરને વેદનાથી ભરી શકે છે. એ જ ભય સર્વોદયવાદમાં આજે અંધારાભર્યા ત તરફ ધ્યાન ન અપાતાં; રહે છે. એટલે જ અંધકાર કે અનિષ્ટને મટાડવા તેમજ પ્રકાશ અને ઇષ્ટને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રગટાવવા માટે વિશ્વવાત્સલ્યમાં પ્રતિકારક અને નિર્માણ અને શક્તિને સમન્વય સૂચવવામાં આવ્યો છે. વિશ્વવાત્સલ્યમાં અનિષ્ટને પ્રતિકાર અને ઈષ્ટને સ્વીકાર વ્યવહારૂ રીતે સચિત થાય છે તેમ સર્વોદયમાં થતાં નથી. મા બાળકને ભલા માટે, તેની ખરાબ પ્રવૃત્તિઓ અંગે નિર થાય છે, ત્યારે તેને માતૃત્વ લજાતું નથી. બલકે શોભે છે. તેના અંતરમાં તે બાળક પ્રતિ આત્મીયતા હોય છે. જે અંગે તે ( મા ) બાળકના ખરાબ કામ અગે, પિતાનાં બાળકને ઠપકો આપવા પ્રેરાય છે કારણ કે તેનું અંતર રડતું હોય છે. એ વાત્સલ્યની પ્રેરણાથી જ બની શકે છે. વિશ્વ વાત્સલ્યને સાધક પણ એવી જ રીતે બન્ને પાસાંઓ લઈને ચાલે છે. તે સિવાય પણ સર્વ શબ્દ કરતાં વિશ્વ શબ્દ વધુ વ્યાપક છે. કારણ કે સર્વને અર્થ કયારેક એક કુટુંબ, એક સમાજ કે એક વર્તુળ પૂરત લેવામાં આવે છે. જ્યારે વિશ્વ શબ્દથી આખા વિશ્વનું ભાન થઇ જાય છે. વિશ્વના પાણી માત્ર ઉપરાંત બધા ધર્મો, રાષ્ટ્રો, જાતિઓ, કુટુંબ કે સમાજોને સમાજને સમાવેશ વિશ્વમાં થઈ જાય છે, એટલે જ વાત્સલ્ય શબ્દની પૂર્વે વિશ્વ શબ્દ જોડ્યો છે. ઘણા લોકો કહેશે કે શું “અહિંસા” શબ્દથી વિશ્વવાત્સલ્યનું કામ ન થઈ શકે ? એને વિનમ્ર ઉત્તર એ છે કે અહિંસા શબ્દથી કેવળ હિંસાથી નિવૃત્ત થવાને ભાવ ઘોષિત થાય છે–તેમાં પ્રવૃત્તિ તરફ જવાનો પડઘે પડતું નથી. ત્યારે વિશ્વવાત્સલ્યમાં અનિષ્ટથી નિવૃત્તિ અને ઈષ્ટની પ્રવૃત્તિ-બને ભાવો સૂચિત થાય છે. સર્વપ્રથમ તે વિધવાત્સલ્યમાં પ્રવૃત્તિ સુચિત થાય છે પણ એ પ્રવૃત્તિને અનુરૂપ નિવૃત્તિનો ઘોષ પણ તે અંગે ઊંડી વિચારણા કરતાં સ્પષ્ટ થાય છે. - આમ તે જૈન સાધુઓ અહિંસાનું પાલન કરે છે. તે છતાં તેમને અહિંસક કહેવામાં નથી આવતા પણ તેમને “વિશ્વવત્સલ” કહ્યા છે એટલે કે તેઓને છકાય (સંપૂર્ણ જીવસૃષ્ટિ)ના માતાપિતા, પીહર અને રક્ષક કહ્યા છે. તેઓ છ કાયની સાથે ઓતપ્રોત રહે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૦ પણ જ્યાં જ્યાં અનિષ્ટ, દે કે વિકારે જુએ ત્યાં અનાસક્ત રહી તેનાથી નિવૃત્ત પણ રહે છે. વાત્સલ્યમાં “હકાર” અને “નિકાર” બને આવે છે. આજે માત્ર નકારથી એટલે કે છેટા રહેવાથી કામ ચાલે એમ નથી. “હકાર” પણું જરૂરી છે. એટલા માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે :- ' "एगओ विरई हुज्जा, पगओ य पवत्तणं । असंजमे नियत्तिं च संजमे य पवत्तणं ॥" એટલે કે જીવનમાં બે વૃત્તિઓ છે નિવૃત્તિ અને પ્રવૃત્તિ. અસંયમથી નિવૃત્ત થવું જોઈએ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધક એક બાજુથી સમાજના બધા પ્રશ્નો ઊંડાણથી લેવા માટે સંયમ માર્ગે પ્રવૃત્ત થાય અને બીજી બાજુથી જ્યાં જ્યાં સમાજમાં અનિ, વિકારે કે દે જણાય ત્યાં તે દોષોથી પોતે નિવૃત્ત રહે. એક તરફ સમાજમાં કરૂણ, સેવા અને વાત્સલ્ય પીરસે અને બીજી તરફ સમાજના દેથી પિતે વેગળો રહી ગુણોને પૂરે ! આમ બને વૃત્તિઓ કામ કરે તે જ સાધકના જીવનમાં વિશ્વ વાત્સલ્ય પ્રગટ થઈ શકે ! કેટલાક લોકો નિવૃત્તિને અર્થ સમાજના દેષો જોઈને ભાગવું, પણ તે દેષોને દુર કરવા નહીં, એ કરે છે. તેઓ પ્રવૃત્તિને પણ કેવળ વ્યકિતગત જીવન પૂરતી જ માને છે, પણ તે બરાબર અને બંધબેસતું લાગતું નથી. આ જીવન એક અને અખંડ છે. એના ભાગલા નિશ્ચયદષ્ટિથી થઈ શકતા નથી. જીવન એકાંગી કે એક તરફી બની જાય તો તે વિકસિત જ ન થઈ શકે. ભગવાન મહાવીર તે બુદ્ધ જે લોકજીવનની ઊંડી કરૂણા અનુભવ્યા વગર બહાર પડ્યા હતા તે તેમને કઈ યાદ ન કરત. જગતના જીવનમાં જે વિસંવાદિતા છે તેને દૂર કરવા અને લોકજીવનને સંવાદી બનાવવા માટેની અંતરની ઊંડી પ્રેરણાએ જ તેમને રાજપાટને ત્યાગ કરવા, ઘોર તપ કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રેર્યા. એટલું જ નહીં; પિતાના એ પરમ જ્ઞાન-દર્શનને બેધ, લેકજીવનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૧ અનિષ્ટ તરફ જતાં રોકવા માટે અને ઉન્નત બનાવવા સક્રિય કરવા માટે આપે. જે આવી વ્યાપકતા સાધક જીવનમાં ન હોય તે બંધિયાર પાણીની જેમ તેનામાં પણ વિકૃતિ આવવા માટે સંભવ છે. - દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે સાધક જીવનની વ્યાપક્તા હેય તે જ દે ન પેસી શકે. જે સાધક પિતાનું વિચારશે જગતનું કે સમાજનું નહીં વિચારે તે તેનામાં અહકાર, સ્વાર્થ, ધણું, દ્વેષ વગેરે અનિષ્ટ પેસવાની શંકા છે. એટલા માટે દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે :– “सव्वभूयप्पपूस्सं समं भूयाइ पासओ । पिहि आसवस्स दंतस्स पावकम्मं न बंधई ॥" જે બધા પ્રાણીઓમાં, હું બધાં પ્રાણુઓમાં છું અને મારામાં બધાં છે; એમ તત (તન્મય) બની જાય છે, બધા પ્રાણીઓને આત્મવત્ લેખે છે, તે પિતે આa (દે) થી દૂર રહે છે અને પાપકર્મને બાંધતો નથી. અહીં સ્પષ્ટરૂપે બધા જીવોને પિતાના સમાન લેખવાને આદેશ છે. એટલે કે સાધકે કેવળ પિતે સાધના વડે વિકાસ કરી ઉન્નત થવાનું નથી, પણ સાથે બીજાને પિતાના સમાન એટલે કે શુદ્ધ કરવાના છે અને તે માટે તેણે ઈદ્રિયમન અને આત્મસંયમ કેળવવાને છે. જે આવું કરે છે તે પાપકર્મને ન બાંધે એ સ્વાભાવિક છે અને સાથે જ અહંકાર, સ્વાર્થ, ધણું, વગેરે અનિષ્ટો તેનાથી દૂર રહે એ પણ એટલું જ સહજ છે. વિધવાત્સલ્યને સાધક આમ સમાજ જીવનમાં સંયમ, ધર્મ, નીતિ વગેરે પૂરવા એક તરફ આત્મીય બની પ્રવૃત્ત થાય છે જ્યારે બીજી બાજુ સમાજનાં અનિષ્ટ અંગે વિરોધ કરી-નિવૃત થાય છે. આમાં એક તરફ તે “ઈન્ટ” અંગે સહકાર અને અનિષ્ટો અંગે અસહકાર; એક બાજુ તાદાઓ અને બીજી બાજુ તટસ્થતા દાખવે છે. બીજા શબ્દોમાં સરળ રીતે કહીએ તે બાજુ ચિતન્ય તત્વની દષ્ટિએ આત્મીયતા કેળવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ છે–અનિષ્ટ કરનારાઓ પ્રતિ પણ અને બીજી બાજુ જીવનના પરમ કર્તવ્ય માટે અન્યાયને પડકારે પણ છે. જેમ એક માતા બાળક સાથે સહકાર અને અસહકાર અને કર છે તેમ વિશ્વવાત્સલ્યને સાધક પણ સહકાર અને અસહકાર બને કરશે. ઘણીવાર માતા બાળકને વહાલ કરે છે. તેના હિત માટે બધું કરે છે, એ સહકારની ભાવના છે અને એ જ માતા ક્યારેક બાળક સાથે, તેના દે માટે રોષ કરે છે, બેલતી નથી પિતે ભૂખી પણ રહે છે એ અસહકારની ભાવના છે. બંને ભાવનાઓની પછવાડે બાળકની હિતચિંતા તેને હૈયે હેય છે એવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક અન્યોના અનિષ્ટ જોઈને તેની સાથે અસહકાર દાખવે છે, તેને નિદે છે, વખોડે છે; પિતે ભૂખ્યા રહે છે પણ હિત માટે અને તેને દૂર કરી સારૂં છે તે અંગે સહકાર આપે છે તે પણ હિત માટે, આ માટે આત્મીય ભાવ હેવો જરૂરી છે. વિશ્વ વાત્સલ્ય શબ્દ બહુ મોટો છે. એટલા ઉચ્ચ વાત્સલ્ય સુધી પહોંચવા માટે કુટુંબ–વાત્સલ્ય, સમાજવાત્સલ્ય પ્રગટાવવાં સર્વપ્રથમ જરૂરી છે. જેને કુટુંબ સાથે વાત્સલ્ય ન હોય તે વિશ્વ સાથે કઈ રીતે વાત્સલ્ય દેખાડી શકે કે સાધી શકે? રામાનુજચાર્ય પાસે એક ગૃહસ્થ દીક્ષા લેવા આવ્યો. તેણે કહ્યું: આ સંસાર ખારે છે. આમાં બધા સ્વાર્થના સગાં છે. મારે એ બધું છોડીને આત્મકલ્યાણ કરવું છે, માટે મને દીક્ષા આપે.” રામાનુજાર્યો પૂછયું: “કુટુંબમાં તારે કોઈ સાથે પ્રેમ છે ખરો!” તેણે કહ્યું: “કુટુંબ તે સ્વાર્થી છે એટલે જ તે આપની પાસે દીક્ષા લેવા આવ્યો છું.” રામાનુજાચાર્યે કહ્યું: “ત્યારે હું દીક્ષા ન આપી શકું! જેનું કુટુંબ સાથે વાત્સલ્ય ન હોય; ભલે મહમમતા ન હેય પણ શુદ્ધ લાગણીભર્યો વર્તાવ ન હોય. જેને બધા પ્રતિ ઘણું હોય તે વિશ્વવાત્સલ્યની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ 23 સાધના જેવી દીક્ષા પાળી ન શકે! એટલે કે વિશ્વવાસણ્યની સાધના માટે કુટુંબ મેહ ન હોવા જોઈ એ પણ કુટુ ંબ હિત અને તેને અનુરૂપ વાત્સલ્ય તે હોવું જ જોઈ એ. જૈનામાં દીક્ષા આપતાં પહેલાં, દીક્ષાર્થીએ કેવળ મા-બાપની નહીં પણ સમાજની યે સંમતિ લેવી પડે છે. એમાં રાજીખુટીથી સંમતિ અપાય છે, તેના અર્થ એ છે કે દીક્ષાર્થીના કુટુંબ પ્રતિ વાત્સલ્ય ભાવ છે, સમાજ પ્રતિ વાત્સલ્ય ભાવ છે અને હવે તેઓ એને વિશ્વવાત્સલ્યની સાધના માટે રજૂ આપે છે. વિશ્વવાસણ્યની સાધના માટે કુટુંબ, સમાજ અને જ્ઞાતિ તરફ તે તેનું વાત્સલ્ય હોવું જ જોઇ એ, એ પહેલાં પગથિયાં ચડ્યા વગર ઠેકડે। મારીને વિશ્વવાસલ્ય સાધી શકાતું નથી. જૈન આગમામાં જિન-કપી સાધુએની ચર્ચાનું વણ્ન આવે છે. આવા સાધુએ સંધથી, નગરથી દૂર રહીને એકાંતમાં સાધના કરે છે, તપ કરે છે. પણ તેમની આત્મીયતા કે અનુબંધ ધ્યેયાનુકૂળ સંબધી તે સમાજની સાથે રહેજ છે. તેમના વ્યતજગતની સાથે સ્થૂળ અનુબંધ દેખાતા નથી પણ અવ્યક્તજગતની સાથે સૂક્ષ્મ અનુબંધ વધતા જાય છે. તે પેાતાના જ્ઞાન વડે પરોક્ષરીતે સમાજની ગતિવિધિથી જાણુકાર રહે છે. એટલુંજ નહીં, સમાજમાં પ્રબળ અનિષ્ટો ચાલતાં હોય, સમાજ ઉપર ખાસ આફત આવી હોય, સમાજમાં જ્ઞાનદર્શન ચારિત્ર્યની સુરક્ષા કરવાના પ્રસંગ હોય ત્યારે તેઓ પોતાની સાધના છેાડીને, જરૂર પડે ત્યારે આવે છે. 4 ભદ્રબાહુસ્વામીના જીવનના એક પ્રસગ છે. તેએ નવંશના અંત સમયે અને મૌર્ય કાળના પ્રારંભમાં થઈ ગયા. તે વખતે મગધની રાજધાની પાટલીપુત્રમાં જૈનેનું એક માટુ' સમેલન ભરાયું. તેમાં જૈનાના સારા સારા વિદ્વાન સાધુએ, વિદુષી સાધ્વી, શાસ્ત્રનુભવી શ્રાવકા અને શ્રાવિકાઓ ભેગાં થયાં, તે કાળે જે જ્ઞાન અપાતું તે સભળાવીને અપાતું; પૂર્વ જ્ઞાનીએ એને કંઠસ્થ કરતા અને અનુગામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ - ૫૪ એને તેઓ કંઠસ્થ કરાવતા. ધીમે ધીમે સ્મૃતિઓ ઘટતાં કંઠસ્થ જ્ઞાન સાચવી રાખવું મુશિલ બનતું ગયું. એટલે ચતુર્વિધ સંઘે મળીને જેને જે વસ્તુ યાદ હેય તે બધું લિપિબદ્ધ કરવું, એ આ સમેલનને ઉદ્દેશ્ય હતે. ભદ્રબાહુ સ્વામી વિશિષ્ટ જ્ઞાની હતા અને તેઓ હાજર હેય તે જ શાસ્ત્રોના પાઠ વ્યવસ્થિત થઈ શકે અને જ્ઞાન દર્શન ચારિત્રમાં વૃદ્ધિ થઈ શકે એમ શ્રીસંઘને લાગ્યું. શ્રીસંઘે બે સાધુઓને ભદ્રબાહુ સ્વામી પાસે સંદેશ લઈને મેકલ્યા. તે વખતે ભદ્રબાહુ સ્વામી નેપાળની તળેટીમાં મહાપ્રાણુ ધ્યાનની સાધના કરતા હતા. સાધુઓએ જઈને સંઘને સંદેશો આપો. ભદ્રબાહુસ્વામીએ કહ્યું : “હું અત્યારે યોગ સાધના કરી રહ્યો છું. તેને અધૂરી મૂકીને કઈ રીતે આવી શકું !” સાધુઓએ પાછા વળી સંઘને વાત કરી. સંઘે એક જ વાકયમાં ભદ્રબાહુસ્વામીને ફરીથી કહેવડાવ્યું : “વ્યક્તિસાધના મોટી કે સંધસાધના !” આ સંદેશો મળતાં જ ભદ્રબાહુ સ્વામીએ તરત જ ત્યાંથી વિહાર કર્યો. તેઓ પાટલિપુત્ર આવ્યા અને તેમણે સંઘની ઉન્નતિમાંલિપિબદ્ધ કરવામાં પિતાનો ફાળો આપ.. આ ઉપરથી એમ માની શકાય છે કે કોઈ સાધક ભલે એકાંતમાં રહેતો હોય પણ તેને તાળો (કર્તવ્ય-સંબંધ) જગત સાથે વધારે રહેવો ઘટે છે. - વિશ્વ વાત્સલ્યમાં માતાને આદર્શ સામે હોય છે. જેમ માતા પિતાના બાળકોમાંના નબળાં, રોગી કે મૂર્ખ બાળકને તરછોડતી નથી, પણ તેની વધારે કાળજી રાખે છે તેમ વિધવાત્સલ્યને સાધક, સમાજના પછાત ગણાતા, નબળા કે તરછોડાએલા વર્ગને તરછોડશે નહીં, ઉલ્ટી વધારે આત્મીયતા તેમની સાથે રાખશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૫ - રામાયણમાં શબરીનું વર્ણન આવે છે. શબરી ભીલડી હતી. તે સંસ્કારી હતી. પિતાને વિકાસ થાય તે માટે તેને કોઈ આશ્રમમાં રહેવાની ઈચ્છા થઈ. તે પ્રબળ જિજ્ઞાસા સાથે માતંગ ઋષિ પાસે આવી અને પિતાને આશ્રમમાં રાખવાની તેણે વિનંતિ કરી. આશ્રમનું વાતાવરણ પવિત્ર હતું અને શબરી પણ બ્રહ્મચારિણી હતી. શિષ્યો પણ વિદ્વાન હતા. શબરીને દાખલ કરવામાં કોઈ પણ સિદ્ધાંતને બાધ આવતે ન હતો. ઋષિએ વિચાર્યું કે આવી પછાત જાતિની સ્ત્રીને ઉદ્ધાર કરે જોઈએ અને તેમણે તેને આશ્રમમાં જગ્યા આપી. શિષ્યોએ વિરોધ કર્યો. આ તે બ્રહ્મચારીઓને આશ્રમ; તેમાં વળી સ્ત્રી કેવી? અને તે પણ આવી નીચ જાતિની! તેને રખાય જ કેમ? સમાજમાં ઉહાપોહ થશે અને આપણું પ્રતિષ્ઠાને ફટકો લાગશે. માટે તેને રાખવી નહીં. ઋષિએ કહ્યું : “આપણે આ પ્રશ્નને સિદ્ધાંતની દષ્ટિએ જેવો જોઈએ. પ્રતિષ્ઠા કરતાં સિદ્ધાંત મોટો છે.” ઋષિએ શબરીને આશ્રમમાં રહેવાની અને જ્ઞાન વિકાસ પામવાની રજા આપી. વિરોધમાં શિષ્યોએ ગુરુ અને આશ્રમ બન્નેને ત્યાગ કર્યો. તેઓ પ્રતિષ્ઠાના વાળમાં સપડાઈ ગયા. માતંગ ઋષિએ એક નીચલા થરની સ્ત્રીને ખાતર સમાજ અને શિષ્યને પ્રકોપ વહોર્યો પણ તેઓ વાત્સલ્ય સિદ્ધાંતને ન ચૂક્યા. પોતાને દેહ છોડતી વખતે માતંગ ઋષિએ શબરીને કહ્યું : “તારું કલ્યાણ ભગવાન રામ આવશે ત્યારે થશે !” તેથી શબરી પિતાના પ્રભુ રામમાં મગ્ન થઈને રહેવા લાગી. તે પિતાની કુટીરમાં રહેતી, આશ્રમને સાફસૂફ કરતી, સેવા કરતી. નાના નાના છોડ અને મોટા-મોટા વૃક્ષો, પશુ-પંખીઓ સાથે પણ તેને પરિચય વધવા લાગ્યો. તેની આત્મીયતાની સાધના વધતી ગઈ. પરિણામે, જ્યારે રામ આવ્યા ત્યારે તે રામને, પંપા સરોવર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ બસ, મવષણુ પર્વત કે બીજા સ્થળ અને સુગ્રીવ, હનુમાન વગેરે વ્યક્તિઓને પરિચય આપી શકી હતી. જેણે વિશ્વના પ્રાણીઓ સાથે વાત્સલ્ય સાધ્યું હોય તેના નિર્મળ અંતઃકરણમાં વિશ્વના પ્રવાહને પડ પડે, એમાં નવાઈ નથી. માતંગ ઋષિએ આપેલા વિશ્વાસભ્યનું પાન શબરીએ કર્યું અને તે પણ વાત્સલ્ય-રસમાં તળ થઈ ગઈ હતી. ઘણીવાર વિશ્વ વાત્સલ્યના સાધકને પિતાની પ્રતિષ્ઠાને ભોગે બીજાની ભૂલોનું પ્રાયશ્ચિત જાતે કરી, સંસ્કૃતિની રક્ષા કરવી પડે છે. કવષિ પિતાના આશ્રમમાં રહેતા હતા અને વિદ્યાભ્યાસ માટે પિતાને ત્યાં આવેલા શિષ્યો અને શિષ્યાઓને જ્ઞાન આપતા હતા. એ કાળે આશ્રમમાં મુનિ પરિવારે રહેતા. ઋષિ તે વખતની સમાજની પરિસ્થિતિથી સુપરિચિત હતા. એક વખત મેનકા અને વિશ્વામિત્ર ઋષિના સંગથી, મેનકાને બાળા જન્મી. તે પાછળથી શકુતલા તરીકે ઓળખાણું. વિશ્વામિત્ર મુનિએ એક ભૂલ તે એ કરી કે મેનકામાં લપટાયા પણ તેનાથી બીજી મોટી ભૂલ એ કરી કે એ બાળાને નિરાધાર છોડી દીધી. તેમણે લજજા કે સમાજના ડરના કારણે કદાચ એવું કર્યું હશે. કવષિને ખબર પડી કે છષિ અને અપ્સરા એ છોકરીને નિરાધાર છોડીને ચાલ્યા ગયા છે. તેમણે એ બન્નેની ભૂલના પ્રાયશ્ચિતરૂપે એ કન્યાને ન કેવળ અપનાવી પણ પિતાની પુત્રી તરીકે ઉછેરીને મોટી પણ કરી. તેમણે એ એક પળ માટે પણ ન વિચાર્યું કે સાધના છોડીને આ લપમાં શા માટે પડું? વળી એક ત્યજાયેલી કન્યાને લાવવી એ અપ્રતિષ્ઠાનું કારણ હતું છતાં તેને અપનાવવા માટે તેમના હૃદયમાં રહેલ વાત્સલ્ય આ કાર્ય માટે પ્રેરતું હતું. સમાજની ટીકાની પરવા કર્યા વગર તેમણે એ બાલિકાને આશ્રમનિવાસિની બનાવી દીધી. અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણન આવે છે કે એ કન્યા શકુંતલા કેવી રીતે આશ્રમના હરણાં, વૃક્ષો, લતાઓ, કુડે તેમ જ લોકો સાથે ઓતપ્રોત થઈ જાય છે. એને કણવ ઋષિ પિતાના સગા પિતા જેવા જ લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ એકવાર રાષિ કયાંક બહાર ગયા હતા. તેવામાં દૂષ્યત રાજા ત્યાં આવે છે અને શકુંતલા અને તેને પ્રેમ થાય છે; તેમ જ બન્નેને ગાંધર્વ વિવાહ થાય છે. દુષ્યત ચાલ્યા જાય છે કષિ પાછા આવે છે. લોકો કહે છે કે શું આશ્રમ-કન્યા તેમ જ આશ્રમ માટે આ વસ્તુ શોભે? એક ઉપર બીજી આફત આવી. પણ કવષિ તેને સમ્મતિ આપે છે. રાજા દૂષ્યતથી શકુંતલાને ગર્ભ રહેલો હોય છે. રાજા શહેરમાં જઈને રાજકાજમાં શકુંતલાને ભૂલી જાય છે. શકુંતલા એની આપેલી મુદ્રિકા નિહાળીને સાંત્વન મેળવે છે. અંતે જેની છે તેને ત્યાં મોકલી આપવી એ વિચાર કરી કણ્વઋષિ શકુંતલાને વળાવે છે. એ વખતે સંસ્કૃતિના રક્ષક એ ઋષિની વિદાયવાણી સાંભળીને આજે પણ ગદગદિત થઈ જવાય છે. પાલક પિતા હોવા છતાં પણ તેમણે મા-બાપ બન્નેનું વાત્સલ્ય શકુંતલામાં રેડ્યું હોય છે. શકુંતલામાં પણ એજ વાત્સલ્યભાવ ભરેલો હોય છે અને તે કહે છે: “આ વૃક્ષો, આ લતાએ, આ પંખીઓ અને આ હરો! આ આશ્રમના નિવાસીઓ જેમનાથી એક પળ વિયોગની મેં કોઈ કલ્પના કરી ન હતી તેમને મૂકીને જતાં મારું હૃદય ચિરાઈ જાય છે.” દુષ્યત રાજાને ત્યાં શકુંતલા પહેચે છે પણ તે ભૂલી જાય છે કે મેં શકુંતલા સાથે ગાંધર્વ લગ્ન કર્યા છે. શંકુતલા તેને પેલી લત્તાઓ, કુંજે, પંખીઓ બધાની યાદ અપાવે છે પણ રાજાના મગજમાં તે ઉતરતું નથી. અંતે પેલી મુદ્રિકાની યાદ અપાવે છે અને તે દેખાડવા જાય છે પણ નશીબ વેગે તે રસ્તામાં નદી પાર કરતી વખતે આંગળીમાંથી સરકી ગઈ હોય છે. તે મુદ્રિકા દેખાડી શકતી નથી અને રાજા એને સ્વીકાર કરવા માટે ના પાડે છે. પતિથી ત્યજાયેલી, સમાજમાં અપ્રતિષ્ઠિત અને પિતાના ગર્ભમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ સંતાન ને ધારણ કરનારી શકુંતલા પેલી નદીના કિનારેથી જ પાછી વળે છે. કણ્વઋષિને તેની ખબર પડે છે અને તે આવી તોડાયેલી પાલક દીકરીને પણ પાછી લઈ આવવા જાય છે. તેમને આશ્રમ, સમાજ કે પ્રતિષ્ઠાને ભય હેતો નથી. પણ શકુંતલા એ બાપને નીચું જોવડાવવા ઈચ્છતી નથી એટલે તે પિતાને રસ્તો શોધી લે છે. આગળ ઉપર શકુંતલા વનમાં પુત્રને જન્મ આપે છે જેનું નામ “ભરત' રાખવામાં આવે છે. આ તરફ દુષ્યત રાજાને માછીમારની પાસેથી માછલીમાંથી પેલી મુદ્રિકા મળે છે અને તેને શકુંતલાનું સ્મરણ થાય છે. તે બધે તપાસ કરાવે છે પણ શકુંતલાને ક્યાંયે પત્તો લાગતો નથી. અંતે ઘણા વર્ષો બાદ સ્વર્ગલોક તરફ જતાં અનાયાસે પતિ-પત્ની તેમજ પુત્રને મિલાપ થાય છે. અહીં કરવઋષિના દાખલા વડે જવાનું છે કે વિશ્વ વાત્સલ્યને સાધક કપરા પ્રસંગમાં પણ ધીરજને ગુમાવત નથી; સિદ્ધાંત માટે પ્રતિષ્ઠા અને પરિગ્રહને પણ જતાં કરવામાં સંકોચ અનુભવ કરતા નથી. આજના જગતના પ્રવાહે જેમાં વિશ્વ વાત્સલ્ય ને જગતમાં ફેલાવવાનું છે. તે એકમાત્ર વ્યકિતથી નહીં થાય. એકલા હાથે કોઈપણ મહાપુરૂષે વિશ્વ વાત્સલ્યને સાધ્યું નથી. જેટલા તીર્થકરો, પયંગબરો કે અવતાર થયા તેમણે સર્વપ્રથમ અને પિતાનામાં પ્રગટાવ્યું અને પછી તેમણે એને સમાજમાં રેડીને, આ કાર્ય સાધ્યું છે. હાથ જો કે શરીરનું મહત્વનું અંગ છે છતાં તે બીજા અંગો સાથે જોડાયેલા છે. જે ભૂજાનું બળ મળે, પેટ દ્વારા અન્નથી શક્તિ મળે, પગ વડે ગતિ મળે, તોજ હાથ કોઈ કાર્ય કરી શકે, તેમાં પણ આંખ બરાબર જોઈ લે ત્યારે જ તે પાર પડે. એવી જ રીતે વિશ્વપાત્સલ્યને વિશ્વમાં ફેલાવવા માટે સમાજના દરેક અંગોએ મળીને કાર્ય કરવાનું છે અને તેજ તે ઝડપથી થઈ શકશે. એક વસ્તુ જરૂર વિચારવાની રહે છે કે વિધવાત્સલ્યના બને પાસાંઓની જાગૃતિ રહેવી જરૂરી છે. નહીંતર તણાઈ જતાં વાર નહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ લાગે. જે માત્ર નિવૃત્તિ કે ઉદાસીનતા રાખવામાં આવે તો સ્વાર્થ, ઘણું, અહકાર વગેરે દોષ પસી જાય; અને જે માત્ર પ્રવૃત્તિ જ રાખવામાં આવે એટલે કે આત્મીયતાજ રાખવામાં આવે પણ આત્મીયતા વખતે દોષ કે અનિષ્ટો તરફ સાવધાની ન રાખવામાં આવે કે જાતે સાવધાન ન રહે તો મોહમાં તણાઈ જવાનો ભય રહે છે. એટલે ઘણું સ્વાર્થ, અહંકાર વિ. દેષોની નિવૃત્તિ સાથેની આત્મીયતાની પ્રવૃત્તિ એ બન્ને પાસાંઓ સાથેનું વિશ્વ વાત્સલ્ય સંપૂર્ણ, પ્રેરક અને ફળદાયી બનશે. મુક્ત ચર્ચા અને ચિંતન વાત્સલ્ય વિકાસ પધ્ધતિની ત્રિવેણી શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું – મેં માલપુરાનું કામ ગોઠવવા માંડયું અને ત્યાં અન્યાયના પ્રતીકારના પ્રશ્નો આવ્યા. મુરબ્બી નાનાભાઈએ કહ્યું કે ખેડૂત સંગઠન એક ગામનું ન હોય. એટલે ખેડૂત-શ્રેયસાધક મંડળના થોડા સભ્યો વધારવા હું મોરબી તરફ ગયો. ત્યાં કપાસ લોઢવાની રાજ્યની મનાઈ હતી. કપાસના ભાવ પણ બાંધેલા ભાવ કરતાં વધારે થાય તો તે વધારાના પચાસ ટકા રાજ્ય કરરૂપે લઈ લેતું. એટલે ત્યાંના એક કાર્યકર ગોકુલભાઈએ એક સંમેલન કર્યું. તેમને રાજ્ય પકડી લીધા. હું મોરબી પહેઓ કે મને ગામડામાં જવાની ના પાડે ! મેં નાનાભાઈની સલાહ માગી : “શું કરવું?” નાનાભાઈ ભટ્ટે કહેવડાવ્યું : “અત્યારના સંગોમાં પાછા આવવું, પણ રાજ્યની આજ્ઞા ભાંગવી નહીં !” આ પછી મેં મોરબીની પ્રાર્થના સભામાં જ વાત કરવી શરૂ કરી. ખેરાણા ગામના ત્રીશ ખેડૂતોએ ઉપવાસ એટલા માટે માંડયા કે માટલિયા અમારી વાત સાંભળવા આવ્યા છે તે રાજયે અમને છૂટ આપવી ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ છેવટે બે દિવસે રાજ્ય નમ્યું. લોકોમાં ગરમી આવી, સભ્યો તૈયાર થયા. મેં કહ્યું : “પંદર જ લઈશું!” અંતે રાજ્ય નમતું કર્યું. મેં ઢેબરભાઈને લખીને વિગતો મોકલી. તેમણે કહ્યું : “ખેડૂતની વાત વ્યાજબી છે પણ આપણે મોરબી રાજ્યથી બગાડવું નથી.” આ તરફ રાજ્ય એક રાતમાં પ્રજામંડળ (નામનું) ઊભું કરાવી નાખ્યું. તે મંડળ કોઈ ઠરાવ કરે તે પહેલાં હું અને વજુભાઈ ત્યાં પહોંચી ગયા અને એ સભામાં અમે ગયા. સભા અમારી જ બની ગઈ અને જવાબદાર તંત્રને માંગો ઠરાવ થઈ ગયો. આ વાતની ખબર પડતાં મેરબીના મહારાજ ગુસ્સે થઈ ગયા. ત્રણશો ગરાસિયા હાથમાં તલવાર લઈ પ્રાર્થના સભામાં ધાંધલ કરવા માટે આવ્યા. તેફાન શરૂ કરે તે વખતે અચાનક આરઝી હકુમતવાળા શ્રી પુરોહિત વગેરે આવી પહોંચ્યા, તેમની બીકમાં ગરાસિયાઓ દબાઈ ગયા અને તેફાન કર્યા વગર ચાલ્યા ગયા. પુરોહિતના હાથમાં સભા આવી પણ મેં તો કહ્યું : “આપણે માર્ગ અહિંસાને છે!” . આની જાણ મહારાજાને થઈ. તેણે કહ્યું : “રાજ્ય અને ખેડૂતે સમાધાન કરી લેશે; માટલિયા વચ્ચે નહીં !” ખેડૂત પૂછવા આવ્યા : “શું કરીએ ?” ગોકળભાઈને છોડવાની શરતે સમાધાન કરી લે. વાંધો નથી!” મેં કહ્યું. રાજ્ય તે વખતે જે ખેડૂતમંડળ રચ્યું તે આખરે કોંગ્રેસના અંગભૂત મંડળ જેવું કામ કરે છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર સરકાર તરફથી હું ચાર માસ માટે ત્યાં વહીવટ માટે ગયે. તે દરમ્યાન મુનિ શ્રી સંતબાલજી આવેલા, ત્યારે પણ પ્રાર્થનાસભા થઈ. કેટલાક રાજના ભાડૂતી લોકોએ તેફાન તે કર્યું પણ આ બધામાંથી હું નિર્ભયતા તથા ખેડૂતમંડળ અને નૈતિક ગ્રામ સંગઠનની વાત શીખ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ તેવામાં જ એક બાજુ સનાતન ધર્મીઓ અને બીજી બાજુ વેપારીઓનો વિરોધ શરૂ થયો. તે દરમ્યાન મને વિચાર આવ્યો કે “સ્થાનિક કાર્યકરે પકવવા તૈયાર કરવા) માટે વગ શરૂ કર !” અષાઢી બીજનું મુદ્દત હતું પણ માંડ ત્રણ જણ બહારથી મળ્યા અને ત્રણ ગામમાંથી. થોડા દિવસમાં બહારના ત્રણ ભાગી ગયા. એટલે ગામે મને બીજા ત્રણ આપ્યા. આ વર્ગ ગામથી દેઢ માઈલ દૂર અમે ચલાવતા. આ વિરોધ થવાનું મૂળકારણ તે એ કે આ ક્રાંતિની વાતો સાથે લોકોમાં અફવા ફેલાઈ : “માટલિયાના ઘરમાં બેરી તે ભંગિયાણી છે. તે ઉપરથી ટૅગ કરે છે પણ છેકરાઓને ભરતી કરી લશ્કરમાં લઈ જશે?” સામાન્ય જનતા તો આવી વાતોથી દૂરથી ભોળવાઈ જાય એટલે મુશ્કેલી ખૂબ પડી. પણ હિમ્મત રાખી વર્ગ ચલાવ્યો જ. અમે ખેતી કરતા પણ થયા. તેવામાં વીસા માંજરિયાએ ખેડૂતોનાં નાક કાપવાનું શરૂ કર્યું. મેં રતુભાઈ તેમજ અમુલખભાઈને પૂછયું : “શું કરવું?” તેમણે કહ્યું : “શસ્ત્ર રાખીને સામને કરવો જ જોઈએ!” એક તરફથી લોકોની રક્ષા હથિયારથી થાય, હું હથિયાર વગર જે જે પ્રદેશ બહારવટિયાઓને સંઘરતા તેમાં ફરું અને મારા ઘરની આસપાસ સશસ્ત્ર પહેરો ન રખાવું. આમ છતાં મને ભય તદન ન હતો એમ ન કહી શકાય. ત્યારે રજોગુણ હો; અધીરાઈ હતી,. ઉતાવળ પણ થઈ જતી. ભાષામાં હાકલા-પડકારો આવી જતાં. તે છતાં ત્રણ વખત હુમલાઓ થતાં થતાં; હું બચી ગયો. એક વખતે ભૂપતને સાગરિત રાણો માલપરા ગામ ભાંગવા અને મને મારવા આવતા હતા પણ સહેજે ન આવ્યો ! બીજી વાર રાતના બાર વાગે હું ચાલ્યો આવતો હતો કે કોઈએ પડકાર કર્યો : “રાતના બહાર નીકળે છે, પણ ખબર છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ' મેં સહેજે કહ્યું : “રામ રાખે એને કોણ ચાખે છે અને કોણ જાણે કેમ તે વાત પડકાર કરનાર હૈયાને લાગી ગઈ. તે ચાલ્યો ગયો. ત્રીજી વખત મારાં ગાડાંની પછવાડે હોવા છતાં, મને ન માર્યો. તેમાં કોઈ અજ્ઞાત શકિત જ કામ કરતી હેવી જોઈએ. " એકવાર તે મેં રસિકભાઈને પત્ર લખેલો : “સોનીને ત્યાં તેનું આવવાનું છે.” રસિકભાઈને તે વાતની બાતમી પહેલેથી જ મળી ગયેલી પણ મારા પત્રની નકલ પેલા બહારવટિયાઓના હાથમાં આવી ગઈ. ગરાસિયાઓ મને ચેતવવા આવ્યા. કાપૂવકના સસરા વાજસૂરવાળાએ પણ અમને ચેતવ્યા; છતાં નિસર્ગની દયા હતી; અને કંઈ ન થયું. બે ખેડૂત સંમેલનો થયાં. તેમને તેડવા બહારવટિયાઓએ વિચાર કરેલો પણ એક ભાઈને (મોહનલાલ મેતીચંદ) આ ખૂનરેજી થવાની ખબર પડતાં રાયે લશ્કર ગોઠવી દીધું. આ બધા ઉપરથી લાગ્યું : “જગતમાં અવ્યકત શકિત કામ કરે છે, મદદ પણ કરે છે.” બધા અનુભવ ઉપરથી વાત્સલ્ય વિકાસની પદ્ધતિમાં મને ત્રણ વસ્તુ ત્રિવેણી રૂપે અગત્યની લાગી – (૧) નેહપૂર્ણ વહેવાર (૨) વિશ્વાસપૂર્વક ગતિ અને (૩) જાન, માલ, શીલ અને વ્યવસ્થાની સામાજિક સલામતી. વાત્સલ્ય વિકાસને પ્રારંભ ઘરથી શ્રી પુંજાભાઈએ ભક્ત જલારામને દાખલો આપતાં કહ્યું કે તેમના વાત્સલ્યનું ઝરણું પહેલાં ઘરથી ફૂટે છે, પછી તે પરબ, દાળિયા અને પછી આવેલા ભૂખ્યાતરસ્યાને રોટલી-દાળ આપી સદાવ્રત શરૂ કર્યું. તેમાં એક બાજુ સમાજ તેમને આપને ગમે તો બીજી બાજુ તેઓ સમાજના જરૂરતમંદોને નિઃસ્પૃહભાવે આપતા ગયા. આ રીતે વાત્સલ્ય વિકાસ તેમણે સમાજ સુધી સાશે. વાત્સલ્યમાં નિકુરતા અને પ્રેમ બને હોય છે ત્યારબાદ બ્રહ્મચારીજીએ કહ્યું : “એક બાળકે ચોરી કરેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ચેરી નાની હતી પણ એના પિતાએ એ છોકરાને ખૂબ માર્યો. બીજે દિવસે આવેશ શમ્યો ત્યારે તેણે બાળકને કહ્યું : “બેટા ! મારું હૃદય રતું હતું અને હુ તને દંડ આપી રહ્યો હતો. તે એટલા માટે કે સમાજમાં આવો દોષ વ્યાપક ન બને !” દેવજીભાઈએ એક ગરીબ મજૂરી કરનાર બહેનને દાખલો આપો. એકવાર તેના દિકરાએ એક વાણિયા પાસેથી બે વાર દૂધના પૈસા લીધા તેથી તેણે દીકરાને ખૂબ માર્યો ખરો પણ છેવટે છોકરાને પ્રેમથી સમજાવ્યો પણ ખરો. ન્યાય નિષ્ફરતાની મર્યાદા ડે. મણિભાઈએ વાત્સલ્યમાં ન્યાય માટે નિધુરતાની મર્યાદા અંગે પ્રશ્ન કર્યો કે તે ક્યાં સુધી હોવી જોઈએ ? પૂજાભાઈએ એક રબારીને દાખલો આપતાં કહ્યું: “તેણે પિતાના ખૂની પુત્રનું જે સત્ય હતું તે અદાલતમાં કહી દીધું અને દીકરાને ફાંસી મળે તો તેની પરવા ન કરી. આ રીતે સત્ય અને ન્યાય આકરો જ છે. માટલિયાએ કહ્યું : “દરેક વ્યક્તિ ન્યાય તેળવા બેસે તે ભૂલ થવાને પૂરો સંભવ છે. બીજું ન્યાયને નામે પણ અહિંસાને જ આગળ ધપાવવી જોઈએ, હિંસાને નહીં. બ્રહ્મચારીજી તેમજ દેવજીભાઈએ જે જે દાખલા આપ્યા તેમાં ભારને પ્રધાનતા ન આપવી જોઈએ પણ સમાજમાં સદાચાર ફેલાવવાના હેતુને આપવી જોઈએ. શારિરિક દંડ કે ઊંચી સજા તે માત્ર રાજ્યના હાથમાં રહે તોજ એના ઉપર અંકુશ રહેશે; નહીંતર તેને દુરૂપયેગ થવાનો વધુ સંભવ છે.” ને છૂટકે થતી હિંસાને બદલે વાત્સલ્યથી જ ચૂકા જોઈએ પૂજાભાઈએ જાપાન અને જર્મનીના જાસુસને પ્રસંગ ટાંકતાં કહ્યું: એક વાર એક જર્મન જાસુસે અગત્ય જણાતાં એક જાપાની જાસુસને ગેળી મારીને ઠાર કર્યો. લડાઈ પતી ગઈ પછી તેણે એનું નામ શોધી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ એની પત્નીને પૈસા મેકલ્યા અને તેના ખળકોની સંભાળ લીધી ! -- આમ હિંસા, સમાન ન્યાય માટે ન છુટકે થાય અને તેને બદલા માનવતાની ઉચ્ચ ભાવના વાસભ્ય વડે અપાય તેા સમાજ તેમજ વ્યક્તિ બન્નેના ઉધ્ધાર થાય. . tr દંડીસ્વામીએ કહ્યું : વાત્સલ્ય હોવા છતાં પિતા સામે પ્રહલ્લાદ થયેા. ઉદ્દાલક સામે નચિકેતા થયા. ત્યાં મુખ્યભાવ તા વિશ્વવાસલ્યના જ હોય છે. ’ ગરીબ-તવંગરના ભેદમાં વાત્સલ્ય શી રીતે આવે? અળવતભાઇએ પૂછ્યું : સમાજમાં ગરીબ તવગરના ભેદ હોય, ત્યાં લગી વાત્સલ્ય કેમ આવે ? જ્યાં પરાણે પૂરું થાય નહીં તે ‘માતુ વાત્સલ્ય તૂટે ત્યાં વિશ્વવાત્સલ્ય કેમ આવે?” દેવજીભાઈ એ પેાતાના નાના ભાઈ લકવા સાથે જન્મ્યા છતાં મા એ ગરીબીમાં પણ પ્યાર રાખી કેવી સેવા કરી તેને ખ્યાલ આપ્યો. તગી અને મોંધવારીમાં મહા મહેનતે પેટ ભરાતું હોય તેા ચે કુટુંબવાત્સલ્યની સ ંસ્કૃતિ હજુ માતાઓમાં અને ગામડાઓમાં છે, અનાં ઘણા દાખલા મળી આવે તેમ છે. આજે પારકી સંસ્કૃતિના કારણે એ ભૂલતા જવાય છે. એથી જ સંસ્કૃતિના મુખ્ય અંગા જાળવી ફરીથી વસુધૈવ કુટુંબકમ્ '' કરવું પડશે. te આર્થિક સમાનતા આવે તા ચે વિશ્રવાત્સલ્યની જરૂર કદાચ આર્થિક સમાનતા આવી જાય તેા કે બુદ્ધિ, શરીર વગેરેની કુદરતી વિષમતા તેા રહેશે જ. એટલે વિષમતામાં પણ નાનામાં નાના માણસને ન્યાય અને વિકાસની તક મળે તેવુ ખળ સમાજમાં જાગવું જોઈએ અને તે વિશ્વવાત્સલ્ય વડે જ જાગશે. ✩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ [૪] વિશ્વ વાત્સલ્યને બીજમંત્ર [૭-૮-૬૧] ' –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્યનું ધ્યેય એક આદર્શ ધ્યેય છે. પણ એ ધ્યેયને આચરવા માટે જે તેનું સતત સ્મરણ, ચિંતન અને દર્શન ન થાય તે તે આચરી શકાય નહીં. જગતમાં જુદી જુદી સાધના અને ઉપાસનાઓ ઉપર દષ્ટિપાત કરતાં એમ જણાશે કે દરેક સાધનાના પ્રારંભમાં કોઈ એવો બીજમંત્ર હોય છે, જેની અંદર સાધનાનું ધ્યેય આવી જતું હોય છે. સાધકને સર્વ પ્રથમ પોતાની સાધના માટે ધ્યેય નક્કી કરવાનું હોય છે. પણ તે ધ્યેય નકકી થઈ જતાં જ એને સિદ્ધિ મળતી નથી. એને એ માટે એકાગ્ર બનીને એની સાધના–એ દિશામાં ગતિ કરવી પડે છે. જગતના વેપાર અને વહેવારોમાં-એની સાધના વિચલિત ન - ચાય એ માટે; ધ્યેય ચૂકાય નહીં અને તે સતત આંખની આગળ રહે એ માટે, મહાપુરુષ બીજમંત્ર નક્કી કરે છે. આ બીજમંત્ર પણ ન ભૂલાય, તે માટે કેટલાક મહાપુરુષો એને જાપ કરવાનું સૂચવે છે. માણસના મનનું એવું છે કે તે ચંચળ છે અને તેને એકાગ્ર ન કરવામાં આવે તો તે ડામાડોળ થતું જ રહે છે. એટલા માટે બીજમંત્રનો જાપ સ્થિરતા લાવવા માટે ઘણું આવશ્યક માને છે. એ મનને કેવળ એકાગ્ર જ કરતું નથી પણ એટલા સમય માટે જગતની ઈતર પ્રવૃત્તિઓથી આત્માને અલગ અને પવિત્ર રાખે છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ગીતામાં એને યજ્ઞોમાં-સર્વશ્રેષ્ઠ યજ્ઞ કહ્યો છે. જપ કરવાથી . સતત ધ્યેયનું સ્મરણ રહી શકે છે, તેમજ એની સાધના કરવામાં એકાગ્રતા કેળવાય છે અને અંતે બેયની સિદ્ધિને વરાય છે. બીજમંત્ર એવો હોવો જોઈએ જેનાથી પ્રેમની ભાવના સ્પષ્ટ થાય. જે ધ્યેયની ભાવના, બીજમંત્રથી સ્પષ્ટ ન થતી હોય તો સાધક માટે તે બીજમંત્ર અઘરે, ગૂંચવણભર્યો અને નિરર્થક પણ બની જવાને સંભવ રહે છે. અંબા કે ભવાની પાછળ સ્ત્રી શક્તિરૂપે માતાની પૂજાને ભાવ રહે છે અને “જય જગદંબા” બીજમંત્ર એની ભાવનાને અનુરૂપ છે. માતા તો જગતનું પાલન કરનારી હોય અને વિશ્વ–માતા તે કેઈનું બલિદાન કે લોહી ન ઇચછે. ત્યારે જય જગદંબા કહીને તેના નામે બકરા-ઘેટાં કે પાડાનું બલિદાન દેવાતું હોય તે એ બીજમંત્ર નિરર્થક બનીને રહી જાય છે. આ તે એક દાખલો આપ્યો છે કે કેવી રીતે ભાવનાને અનુરૂપ બીજમંત્ર ન હોવાથી કેટલી હદે તદ્દન વિરૂદ્ધ પ્રવૃત્તિ તેના નામે ચાલી શકે છે! જગતના જુદા જુદા ધર્મો કે સોએ પોતપોતાને બીજમંત્ર રાખ્યો છે. જેને “અહÉભ્ય નમઃકે “ નમઃ સિદ્ધભ્ય” છે. વૈષ્ણને “2% નમઃ વાસુદેવાય” છે. શૈવોનો “ નમઃ શિવાય” છે. વેદિકોને “ ” કેવળ છે. સર્વોદય સમાજનો “યે જગતું” મજ સત્ય સમાજનો “જય સત્ય” છે. ત્યારે વિશ્વ વાત્સલ્ય માટે “ કે મૈયા” બીજમંત્ર છે. ઉપર બતાવી ગયા તે પ્રમાણે જુદા જુદા આટલા બધા બીજમા હેવા છતાં આ નવો બીજમંત્ર શા માટે મૂક્યો? એ સવાલ ઊભે થશે. તે અંગે જે વિચારણું કરવામાં આવે તે જરૂર તેનું સમાધાન થઈ શકે. સત્ય સમાજના “ જય સત્ય માં સત્ય ભગવાનને જ આવે છે પણ ભગવતી અહિંસાને જય આવતું નથી. ભગવતી અહિંસા વગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ સત્ય ભગવાનને જ્ય કેમ થઈ શકે! એ અધૂરું લાગે છે. ખુદ સત્ય ભક્તજીએ બનાવેલ ધર્માલયમાં સર્વધર્મોના સંસ્થાપકની મૂર્તિઓ ઉપરાંત ભગવાન સત્ય અને ભગવતી અહિંસા બન્નેની પ્રતીક મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. જે ત્યાં ભગવતી અહિંસાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું હોય તો પછી બીજમંત્રમાં શા માટે નહીં! એટલે બીજમંત્ર ધ્યેયની ભાવનાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરતા નથી. | સર્વોદયને બીજમંત્ર “જય જગત” છે, એટલે કે જગતને જ્ય થાવ! હવે જગતને મિથ્યા માનવામાં આવેલ છે તે એના જ્યની કલ્પના કઈ રીતે થઈ શકે ! સંત વિનોબાજીએ “શ્રેષ્ઠ સર્વે જ્ઞાતિપૂર્તિ વનું સત્ય શોધનમ” એવું એક સૂત્ર બનાવ્યું છે. એમાં જગતને તેમણે ફૂર્તિદાયક કહ્યું છે. અને જીવનને સત્યની શોધ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ જગત ટૂર્તિદાયક ત્યારેજ બની શકે જ્યારે જગતમાં વાત્સલ્યાદિ ગુણે પ્રવર્તે. તે જ એવા જગતને જ થઈ શકે. આમ એમાં પણ ભાવ અસ્પષ્ટ છે. એવી જ રીતે શિવ, વાસુદેવ, અરિહંત કે સિદ્ધ ના નમસ્કારમાં તેઓ આપણુથી ઊંચા છે એવો ભાસ થાય છે. એટલે એમનામાંથી પ્રેરણાની ભાવના મેળવવાને સંભવ ઓછો છે. પ્રેરણા તે ત્યારે જ મળે જ્યારે તેમની કર્તવ શકિતને ભાસ થાય. યેન કેન પ્રકારેણ જે તેમની કર્તવ શકિતને ભાવ તારવીએ તે શિવની સંહાર શક્તિ, વિષ્ણુની પાલન શકિત; બ્રહ્માની સૃજન શક્તિ; અરિહંતની વીતરાગ શકિત–સિદ્ધની નિરપેક્ષ શકિત—એ જ ભાસ થાય છે. આમાં દરેકની એક એક શકિતને આભાસ પ્રતિબિંબિત થાય છે. પણું, “ મૈયામાં વિશ્વની સર્વ શકિતઓને સશે ભાસ થાય છે. એટલે વિશ્વવાત્સલ્યના બીજમંત્ર તરીકે “ મૈયા ”ને પસંદ કરવામાં આવેલ છે જેમાં બધા ભાવો રહેલા છે. તેમાં કયા કયા ભાવો રહેલા છે તે અંગે વધુ વિચાર કરવો જરૂરી થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ સર્વપ્રથમ “ ” શબ્દને જોઈએ. “3” શબ્દ એક અથવા બીજી રીતે બધા ધર્મોમાં છે. જૈન ધર્મમાં “” શબ્દ પંચપરમેષ્ટિને સમાવેશ આ પ્રમાણે સૂચવે છે:–અ ( સિદ્ધ) + અ (અરિહંત) + આ (આચાર્ય) + ઉ (ઉપાધ્યાય + મ (મુનિ સાધુ) = આમ છે થાય છે. વદિક ધર્મમાં ગુણપૂજાના સ્થૂળ પ્રતીકે રાખવામાં આવતા હોવાથી “ ” શબ્દથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ અર્થ થાય છે. બ્રહ્મા એટલે જગતના ઉત્પતિ કર્તા, વિષ્ણુ એટલે જગતના પાલક રક્ષણ કર્તા અને મહેશને જગતના વિનાશક–સંહાર કર્તા માનવામાં આવ્યા છે. ન દર્શન ગુણ-પૂજામાં માનતું હોવાથી એણે ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય ધર્મ, વિશ્વના દરેક પદાર્થમાં છે. તેને માન્યતા આપી છે. “૩પજોવા યુવા વિકામેવા” એ ત્રિપદીમાં જૈનદર્શને તેને સમાવેશ કર્યો છે. એને યોગદર્શનમાં ઉદિત, શાંત અને વ્યપદેશ કહેવામાં આવે છે. પુરાણમાં “ માં જ ૩ ને અંક છે તેને ત્રિલોક-ઊર્વલક, મધ્યલોક, અધોલક-એમ ત્રણલોક રૂપે માનવામાં આવેલ છે. એવી જ રીતે ઈસ્લામ ધર્મમાં 3 ને બદલે આમિન શબ્દ પ્રયોગ જોવામાં આવે છે. તેજ ખ્રિસ્ત ધર્મમાં Omni (એની) શબ્દ રૂપે આવે છે જેને અર્થ પૂર્ણ થાય છે. આમ “ ને કોઈપણ પ્રકારની પરિપૂર્ણતા માટે પ્રયોગ કરવામાં આવે છે. વિશ્વ વાત્સલ્યના બીજમંત્ર રૂપે છે માં, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિનાં અખંડ સ્વરૂપ સમાન વિશ્વને લેવામાં આવેલ છે. એવી જ રીતે ને પ્રયોગ ઈશ્વરના અર્થમાં છે. ત્યારે ઈશ્વરના પ્રતિક રૂપે સત્યને » શબ્દ વડે લઈ શકાય છે. હવે “મૈયા” શબ્દના જે જુદા જુદા અર્થો થાય છે તે જોઈએ. મૈયા એટલે માતા. આ તે સામાન્ય, સરળ અને સીધો અર્થ છે. જૈનધર્મમાં ગુણ-પૂજા મુખ્યત્વ હોઈને, તે દષ્ટિએ માતાને અર્થ પ્રવચન માતા” લેવામાં કોઈ બાધ નહીં આવે. જૈનસાધકને પ્રવૃત્ત અને નિવૃત્ત બન્નેમાં સારી પેઠે વિવેક રાખવાની વાત બતાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ આવી છે. અને સાધુના સંયમનું માતાની જેમ રક્ષણ કરનારી પાંચસમિતિ (ઈર્ષા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ, પરિબાપના) અને ત્રણ ગુણિને (કનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ) એ બંનેને આઠ પ્રવચન માતા બતાવવામાં આવી છે. આ આઠેય માતાઓ નિવૃત્ત કે પ્રવૃત્તિમાં કોઈને કોઈ તરફ નિયંત્રણ રાખનાર શક્તિ છે અગર તે સાધકના સંયમની સુરક્ષા રાખનારી હોવાથી પ્રવનસ્ય દ્રાવરશાંતા તલાધાર વા સંઘસ્થ માતર ફરી પ્રવજન માતર –પ્રમાણે બાર અંગો રૂપ પ્રવચની અગર તે તેના આધાર રૂપ સંધની માતાની જેમ . હેવાના કારણે તેને પ્રવચન માતા કહેવામાં આવી છે. એની વિશેષતા બતાવતાં, ઉતરાધ્યયન સૂત્રમાં કહ્યું છે – एया पवचन माया जे सम्म आयरे मुणी । सो खिप्पं सव्वसंसारा विजमुच्चइ पंडिए ॥ –આ પ્રવચન માતાનું .જે મુનિ સમ્યક્ પ્રકારે (સત્ર અવિપત્તિન ન તુ સંમતિના) આચરણ કરે છે–એટલે કે સાચી પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે તે પંડિત વહેલી તકે સંપૂર્ણ સંસારને અપાવે છે અને મુક્ત થાય છે. વૈદિક ધર્મના એક ભાગ રૂપે–ભાગવતધર્મમાં ગુણપૂજાના સ્થળ પ્રતીક રૂપે વિવિધ શકિતઓ–દેવીઓને બતાવવામાં આવી છે. જેમાં મુખ્યત્વે જગદંબા, માતા ભવાની, બ્રહ્માણી, કાલી, દુર્ગા વગેરે છે. તેને ભગવાનની કર્તવ શક્તિ રૂપે બતાવવામાં આવી છે. એટલે મૈયાને અર્થ જગદંબા વગેરે શકિતઓ પણ થાય છે. જેને એ પણ ઋષિમંડળસ્તોત્રમાં એ દેવીઓ અને શકિતઓને લીધી છે. મૈયાને ભગવતી અહિંસા રૂપે પણ લઈ શકાય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં “કરી રહ્યું માવે” કહીને સત્યને નિશ્ચય રૂપે ભગવાન બતાવવામાં આવે છે તેવી જ રીતે અહિંસાને પણ “સા સા માવ માિ ના ના મિજાનવ સાં” કહીને ભગવતી રૂપે વર્ણવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ વૈદિક ધર્મમાં માને માયા (માતા) રૂપે જગતની નિયામક શક્તિ ગણવામાં આવી છે. જેનધર્મમાં “કર્મ અને જગતના કાર્યકારણ ભાવની મહા નિયમા શકિત બતાવવામાં આવી છે. સાંખ્યદર્શનમાં એને પ્રકૃતિ રૂપે બતાવવામાં આવી છે, જે માતા રૂપે જગતની પ્રેરકશકિત છે. એવી જ રીતે મૈયા શબ્દથી વાત્સલ્ય સ્વરૂપા શકિતનું ભાન થાય છે જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્ને નિહિત છે. આમ અને મૈયા શબ્દો પાછળની બધા ધર્મની પ્રેરકશકિતઓ જે પૂર્ણ વાત્સલ્યભાવ પ્રગટાવવા સમર્થ છે તેનું સૂચન થતું હોય છે. છે. એટલે વિશ્વ અને મિયા એટલે વાત્સલ્યભાવ એ રૂપે તેને વિશ્વવાસલ્યના સંપૂર્ણ પ્રતીક રૂપે બીજમત્ર તરીકે લેવામાં આવ્યો છે. અહીં % અને મૈયા બે શબ્દોને અલગ રાખવામાં આવ્યા નથી પણ એકબીજાથી સંકળાયેલા રખાયાં છે. એ બન્નેને જોડનારૂં » શબ્દની પાછળની રેખા પૂછડીની જેમ ૩ નિશાન છે. એ બને શબ્દ મળીને જે અર્થો ફલિત થાય છે તે આ પ્રમાણે છે – મૈયા એટલે વિશ્વની માતા ! » મૈયા એટલે વિશ્વ પ્રત્યે વત્સલતા; » મૈયા એટલે ભગવાન સત્ય અને ભગવતી અહિંસા, » મૈયા એટલે વિશ્વની મહાનિયામિક શક્તિ, » મૈયા એટલે પંચ પરમેષ્ઠીની પ્રવચન માતા, » મૈયા એટલે જીવન અને જગતની મહાનિયમા શક્તિ, » મૈયા એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશરૂપ ઈશ્વરત્રયની કત્વ શક્તિરૂપ જગદંબા. છે મૈયા એટલે જગતની પ્રેરક શક્તિ. બધા ધર્મો, બધા દર્શને અને બધી વિચારધારાને સમન્વય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૧ છે મથામાં જ થતો હોય એવું લાગ્યા વગર રહેતું નથી. અહીં કોઈ પણ વિચારધારાને વિરોધ નથી પણ તેને સમાવેશ છે અને દરેક ધર્માનુયાયીઓને તે પિતાનું જ જણાય છે. જેને માટે » મૈયા શબ્દ ન લાગે તેમ નથી. પંચપરમેષ્ઠીને તે તેઓ શબ્દમાં સમાવેશ કરે છે; પણ પ્રવચનમાતાને કરતા નથી. વધારામાં પંચ પરમેષ્ઠીના પાંચ પદની સાથે બીજા ચાર પદ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ભેળવી નવ પદની આરાધના કે સ્મરણ કરવાની પ્રણાલી ચાલુ કરી છે. વિશ્વવાત્સલ્યમાં ૩ પંચ પરમેષ્ઠીની સાથે મૈયા શબ્દ એટલા માટે મૂક્યું છે કે વિશ્વમાં જે કાંઈ જ્ઞાન-દર્શન, ચારિત્ર્ય-તપ વગેરેની પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ કરવાની હોય તેમાં સતત જાગૃતિ રાખવા માટે પ્રવચનમાતાનું સ્મરણ સતત થયા કરે. જેનેના ભગવતી સૂત્રમાં “નમો વંમીણ વિ” કહીને બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યા છે. બ્રાહ્મી લિપિ કાંઈ ચૈતન્યરૂપ નથી, જડરૂ૫ છે પણ તેને નમસ્કાર કરવાનું પ્રયોજન એટલું જ કે ગુણને ગ્રહણ કરવા. એવી જ રીતે સાધકોને છ કાય (વિશ્વની જીવ સૃષ્ટિના)ના રક્ષક, પહર અને મા-બાપ (વિશ્વ-વત્સલ) કહ્યા છે. તો તેમનું ધ્યેય કેટલું ઉંચું અને વિશ્વ વાત્સલ્યને રેડનારૂં છે! તે ધ્યેયનું સતત ધ્યાન રહે તે માટે છે મૈયા એટલે કે વિશ્વ-વત્સલતાને બીજ-મંત્ર કેટલો બધે ઉપયોગી છે! વૈદિક ધર્મમાં તો ઠેર ઠેર વિવિધ શક્તિઓ રૂપે “જગદંબા વગેરે દેવીઓને સ્થૂળ પ્રતીક રૂપે માનવામાં આવી છે. ત્યાં તે મૈયા શબ્દ યથાર્થરૂપે પડેલો જ છે. દેવી-ભાગવતમાં જગદંબાનું વર્ણન કરતાં કહ્યું છે – “વિદ્યા: સનસ્તાક્તર દેવ! મેવાઃ | स्त्रियः समस्ता सकला जगत्सु॥" હે માતા ! બધી વિદ્યાઓ તારા જ ભેદે છે તેમ જ જગતની કળાવંતી સઘળી સ્ત્રીઓ પણ તારા જ રૂપ છે. તારી જ આત્મીયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ઘણા લોકો કહેશે કે ઘણા બીજા શબ્દો વિશ્વ વાત્સલ્યને પ્રગટ કરનારાં હોવા છતાં ગયાને જ બીજમંત્ર રૂપે શા માટે પસંદ કરવામાં આવ્યું છે? શું તેનાથી વિશિષ્ટ લાભ મળે છે? તો તે લાભ કયા છે? “ મૈયા શા માટે?” તેને વિચાર તે અગાઉ થઈ ચૂક છે. હવે તેના ખાસ લાભ અંગે વિચાર કરવાને છે. » મૈયા બોલવાથી સર્વ પ્રથમ લાભ એ થાય છે કે તે સાંભળતા નિર્દોષ આહાદની ઊર્મિઓ ઉછળવા માંડે છે. “મા” એ શબ્દ બેલતાં જેમ હૃદયમાં અપૂર્વ આનંદ hકાય તેવી જ રીતે જ મૈયા શબ્દ પણ સ્વાભાવિક રીતે વાત્સલ્યના આનંદને પ્રગટાવે છે. ગમે તે વ્યભિચારી, દુષ્ટ કે પાપી માણસ હશે, તો પણ માતાનું નામ સાંભળતાં તેના હૃદયમાં શુભ ભાવનાઓ જ ઊઠશે. માનું વાત્સલ્ય એવું હોય છે કે તે હદયના વિકારોને ધોઈ નાખે છે. પંચપરમેષ્ઠીમાં બધી કેટિના ઉચ્ચ સાધકો આવી જાય છે. એમના માટે તે આખા વિશ્વની માતા બનવાનું ધ્યેય ફરજિયાત સાધવાનું હોય છે. એટલે જ્યારે % મૈયા ઉચારાય ત્યારે એને સતત આવું ભાન રહી શકે કે હું જગતરૂપ સંતાનની ધર્મમાતા છું. જગતના બધા પ્રાણીઓ પ્રત્યે સુખ-સંવર્ધનસંરક્ષણરૂપ વાત્સલ્ય મારે સતત રેડતા રહેવાનું છે. એક સામાન્ય ભાતામાં પિતાના બાળક પ્રતિ વાત્સલ્ય રેડવાની, હુંફ આપવાની વૃત્તિ હોય છે ત્યારે જે સાધક વિશ્વની માતા બને છે, તેનામાં આખા વિશ્વના પ્રાણુઓ પ્રતિ વાત્સલ્યને સક્રિય વહેવાર રહેવું જરૂરી છે તેને માનવ અને પ્રાણીઓ પ્રતિ મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવ યુકત વાત્સલ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવાની રહે છે. તેનામાં વિશ્વ વાત્સલ્યતા એટલે કે વિશ્વ માતૃત્વવૃત્તિનું ભાન સતત રહેવું જરૂરી છે. પિતભાવમાં મોટા ભાગે કઠોરતા જ હોય છે જ્યારે માતૃભાવમાં કમળતાને અંશ વધારે અને કઠોરતાને અંશ એ હોય છે. આમ બને ભાવે તેનામાં હોય છે. માતા ગમે તેટલી કઠેર બને તે પણ તેનું અંતર રડતું હોય છે. આમ 2 મૈયા બોલવાથી કેવળ જગતના છ પ્રતિ આત્મીય ભાવ જ જાગતું નથી પણ એમના જીવનની સુરક્ષા પણ સજાગ બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૩ - તેનું સતત ભાન થાય છે. સમસ્ત વિશ્વ પ્રતિ પ્રેમ પ્રગટ થતાં રાગદ્વેપ, ભય-શેક કષાય-વિષય વગેરે રહેતાં નથી અને જીવનમાં અપૂર્વ અને નિર્દોષ આનંદ પ્રગટે છે. * બીજે લાભ, 3 મૈયા બેલવાને એ છે કે તેનાથી બ્રહ્મચર્યની સાધના સહજ બને છે. બ્રહ્મચર્યની સાધના કેવળ નિષેધાત્મક રૂપે શબ્દને ગ્રહણ કરવાથી સહજ સિદ્ધ થતી નથી. કેવળ વિષય-વાસનાને વશ ન થવું એ ભાવ લેવાથી બ્રહ્મચર્ય સાધવુ કઠણ થાય છે. એના માટે કોઈને કોઈ બીજો મહાનભાવ હોવો જરૂરી છે. સંત વિનોબાજીએ કહ્યું છે કે “બ્રહ્મચર્યની સાધના કરવા માટે તેની સામે એક બૃહતકલ્પના હોવી જોઈએ. જે ધ્યેયની પૂતિ કરનારી હોય ! તો તે સાધકનું બ્રહ્મચર્ય સહજ સિદ્ધ થઈ શકશે !” જેમકે ભીષ્મપિતામહે પૂર્ણ બ્રહ્મચર્ય સિદ્ધ કરવા માટે પિત–ભક્તિની બૃહતું કલ્પના સામે રાખી હતી. મહાત્મા ગાંધીજીએ દેશસેવા કે સ્વરાજ્યની બૃહતક૯૫ના સામે રાખીને બ્રહ્મચર્યની સાધના કરી હતી. એવી જ રીતે કેટલીક વિધવા માતાઓ પુત્ર–સેવા સામે રાખીને બ્રહ્મચર્યને સાધે છે. કામ અને વાત્સલ્ય એ બન્ને મનોવૃત્તિઓનું મૂળ એક જ છે. એટલે જે કામવાસના સંતાત્પત્તિ કે જાતીયવૃત્તિનું કારણ બને છે, તેનું જ ઉધ્ધકરણ કરવાથી બ્રહ્મચર્ય સાધી શકાશે. સ્થૂળ રૂપે સંતાન સર્જન કરતાં, સૂક્ષ્મરૂપે આખા જગતને (પ્રાણી માત્ર) સંતાન માનવું પડશે અને તેને અનુરૂપ તેનાં માનસિક સર્જન રૂપે, ઘડતર, રક્ષણ, સંવર્ધન એક માતા તરીકે વિશ્વ વાત્સલ્ય રેડીને કરવું પડશે. આમ વિશ્વ માતા તરીકે બૃહત કલ્પના સામે રાખતાં બ્રહ્મચર્ય સાધના સહજ તે થાય જ છે, પણ અસરકારક પણ નીવડે છે. એવું પણ જોવામાં આવે છે કે કેટલીક સામાન્ય માતાઓમાં પિતાના બાળકો પ્રત્યેજ નહીં; બીજાનાં બાળકો પ્રત્યે વાત્સલ્ય રેડવાની વૃત્તિ હોય છે. એ રીતે વાત્સલ્ય રેડતા તે માતામાં આનંદની સહાનુભૂતિ તેમજ આલ્હાદની ઊર્મિઓ પ્રગટે છે. કેટલીક માતાઓ. કેવળ હરિ તળકે પત્યેજના છે કે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ • ૭૪ પિતાનાં જ નહીં પારકાં બાળકોને પણ ધવડાવે છે. હરિજન સેવકમાં એક સત્ય ઘટના આ પ્રમાણે આવી હતી. ગેરખપુર જિલ્લામાં પૂરના કારણે દુઃખી એક અભણ ગામડિયણ બાઈ પિતાના નાના બાળકને ધવડાવતી હતી. એટલામાં તેને યાદ આવ્યું કે બકરીનું મા વગરનું બચ્ચું પણ ભૂખ્યું છે. તેણે પિતાની મોટી દીકરીને કહ્યું : “બકરીનાં બચ્ચાંને પણ લઈ આવતેને પણ ધવડાવી લઉં!” આશ્ચર્યની વાત એ હતી કે તે બાઈએ પોતાના એક સ્તનથી પિતાનાં બાળકને અને બીજા સ્તનથી બકરીનાં બચ્ચાને ધવડાવ્યું. માતામાં જેમ સહજ વાત્સલ્ય હોય તેજ ગુણ ઉચ્ચ સાધકમાં હવે જોઈએ. બુદ્ધ ભગવાને એક ઠેકાણે કહ્યું છે: “સાધક બધા પ્રાણીઓની માતા બનીને આત્મીયતા સાધે! મૈત્રી, કરૂણું, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ દ્વારા બ્રહ્મવિહાર કરે !” » મૈયા બોલવાથી વિશ્વને વિનાશથી ઉગારી લેવાની ભાવના હંમેશા સામે રહે છે. એ પણ એક ખાસ લાભ છે. પોતાના બાળકો ઉપર આફત આવે ત્યારે તે આફત જાતે ઝીલવા માતા પ્રયત્ન કરે છે અને તે એની વિશેષતા છે. એ વખતે એ પ્રાણની પણ પરવા કરતી નથી. એવી જ રીતે વિશ્વની માતા બનેલો સાધક; વિશ્વરૂપી બાળક ઉપર આફત આવે, તેની આસપાસ અનિષ્ટો ફૂલે ફલે કે તેને નૈતિક વિનાશ થાય, તેના આત્મગુણોની હાનિ થાય ત્યારે જાતે, પિતાના તપ, ત્યાગ બલિદાન વડે વિશ્વને બચાવી લેવા કટિબદ્ધ થાય. » મૈયા સાધકની એ સાધનાને સક્રિય બનવા પ્રેરણા આપે છે અને તેને ધ્યેયની નજીક પહોંચાડે છે. પુરાણોમાં હરિણીને દાખલો નજરે ચડે છે. શિકારી જ્યારે તેનાં બચ્ચાં ઉપર બાણ છોડવા જાય છે ત્યારે તે આગળ આવીને ઊભી રહે છે અને કહે છે: “મારા ઉપર બાણ માર, પણ મારાં બાળકો ઉપર નહીં !” એવી બલિદાનની ભાવના છે. મૈયા બોલવાથી દિલમાં સતત વહે છે. » મૈયાથી બીજે એક લાભ એ પણ છે કે એ બીજમંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ઉચ્ચારતાં જ અંતરના વિકારો ઉપર સંયમ આવતાં, સ્પષ્ટ સુખદર્શન થશે. પછી સ્ત્રી એક માતા રૂપે જ આંખ આગળ રહેશે! તેના તરફ જોતાં જાતીય આકર્ષણ નહીં રહે. અને એક કલ્પના આકાર લેશે કે અરે એ તે “માતા” છે. પછી બધી જ કલ્પનાઓ બદલાઈ જશે. તરતજ ખ્યાલ આવશે કે અરે, હું કઈ ક્ષુલ્લક દૃષ્ટિએ જોઉં છું! એના, અંગેપગે વાસનાના ઉપભોગ માટે નથી પણ મોટા ઉદ્યોગના છે. એનું મુખ તે વાત્સલ્યના મધુર વચનામૃતથી ભરપુર છે. તેનું વદન પ્રતિભાને જ છે. તેનાં લોચન વાત્સલ્યની અમી દૃષ્ટિના આગાર છે. તેનાં સ્તને તો વાત્સલ્ય સુધાના અખંડ સ્ત્રોત છે. માતાનું ઉદર નરરત્નનો રત્નાકર છે. માતાનાં નાભિ અને નિતંબ યોગનાયેયોગની આધારશિલા છે. મા તે એક વસુધાનું વૈકુંઠ છે. આમ માતાનું એકેએક અંગ પવિત્ર છે. મારી વાત્સલ્ય સાધનામાં તેને ઉપયોગ થઈ શકે ઉપભોગ નહીં. આ રીતે ૩ મિયા બોલવાથી વિકારો ઉપર સહજ સંયમ થાય છે અને સંયમને આહાદક આનંદ મળે છે. આજે જગતમાં માતૃજાતિની ઘોર દુર્દશા થઈ રહી છે. “મિયા થી એ પણ લાભ છે કે તે માતૃજાતિ તરફ માન રાખવા તેમ જ તેમને ઉદ્ધાર કરવા માટે સતત જાગૃતિ રખાવશે. આજે માતજાતિને ન્યાય મળતું નથી. અગાઉ તે ભારતમાં સ્ત્રીઓને પૂજવામાં આવતી પણ આજે અહીં વિપરીત સ્થિતિ છે. અન્ય દેશોમાં તે સ્ત્રીઓને તેમના ન્યાયયુક્ત હકક કે અધિકાર આપવામાં આવ્યા ન હતા. આજે જે કે નામને હક્ક અને અધિકાર પાશ્ચાત્ય દેશોમાં અમૂક અંશે છે પણ ઊંડા ઊતરીને જોવા જઈએ તે તે પુરૂષોની સ્વચ્છંદતાને પિષવાનું રમકડું માત્ર છે. ભારતમાં હમેશાં સંસ્કૃતિની દષ્ટિએ વિચાર થયો છે એટલે પૂર્વકાળમાં માતૃજાતિ પ્રત્યે આદર અને માન હતાં જ. તેના અનેક પ્રમાણે ઉપનિષદો, સ્મૃતિઓ અને વેદમાં મળી આવે છે – मातृदेवो भव –માતા દેવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ मेध्याः सर्वागतः स्त्रियः સ્ત્રીઓ બધા અંગેથી પૂજ્ય કે પવિત્ર છે. नास्ति मातृसमों देवः –માતા સમાન બીજો કોઈ દેવ નથી. माता पृथिव्याः मूर्तिस्तु नास्ति मातुः परोगुरुः –માતા પૃથ્વિીની મૂર્તિ છે. માતાથી મહાન કોઈ ગુરુ નથી. यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः – જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. જિતુરાજુમાતા તિચિત્તે –દશ ઉપાધ્યાયના એક આચાર્યમાં, સે આચાર્યના એક પિતામાં અને એવા દશ પિતાના ગુણ એક માતામાં રહેલા છે. એવું તેનું ગૌરવ છે. –આ બધા ઉદ્ધરણો માતજાનિનું ગૌરવ અને પ્રતિષ્ઠા ભારતમાં કેટલાં હતાં તે સૂચવી જાય છે. પણ કમનશીબે ભાતજાતિની અવલેહના થવા લાગી. તેની પાસેથી જ્ઞાન અને મુકિતને અધિકાર છીનવાતે ગયે. તેને કોઈ પશુ કે વસ્તુની જેમ બજારમાં વેચવામાં આવી અને મધ્યયુગમાં તે તે પરાકાષ્ઠાએ પહોંચ્યું. માતજાતિને સહુથી વધારે તિરસ્કાર છે, તેનું અપમાન થયું, એના અધિકારે છિનવાઈ ગયા; એને નીચ ગણવામાં આવી, એને દાસી કે પગની સપાટ ગણવામાં આવી. એટલું જ નહીં એને પશુની શ્રેણિમાં બેસાડી તે “મારને પાત્ર ” છે એમ ઠરાવવામાં આવી. એટલે નારી જાતિને ન્યાય મળી શકે; તેને પ્રતિ શુભેચ્છા રહી શકે તેમ જ “માતા” તરીકે ભાવનાત્મક પૂજ્ય - વલણ રહી શકે તે માટે છે મિયાન બીજમંત્ર યોગ્ય છે. જ્યાં સુધી વાત્સલ્ય ભરનારી માતજાતિ ગૌરવપૂર્ણ સ્થાન ન પામે ત્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ CO કોઈ પણ સમાજ, ધર્મ કે દેશ આગળ વધી શકે, ક્રાંતિ કરી શકે કેસુખપૂર્ણ જીવનનું નિર્માણ કરી શકે એ માનવું વધારે પડતું છે. એવી જ રીતે જગતના બધા ધર્મો, જાતિઓ, પક્ષે, વાદે, વિચારધારાઓ, રાષ્ટ્રો, પ્રાતે, વિદ્યાઓને તેમની કક્ષાએ ન્યાય આપ જરૂરી છે. કેવળ “હું” સાચે અને બીજા બેટા એનાં કરતાં દરેક શુભ વસ્તુઓમાં–જે સત્ય રહેલું છે તેને તાગ મેળવે એ વધારે શ્રેયકર છે. આ સાચો ન્યાય ત્યારે જ મળી શકે જ્યારે આત્મીયભાવ, હેય! “ મા”ના બીજમંત્રથી એ આત્મીયતા સાધી શકાય છે. હવે એ વિચારવાનું છે કે “ મૈયા ”ની ઉપાસના કઈક નવીન છે કે અગાઉ પણ તેની ઉપાસના કરનાર ઉપાસકો થઈ ગયા? એ ઉપાસના પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ જંગલમાં શકિતઓને આહ્વાન કરતાં ત્યારથી ચાલી આવે છે. અને હજુ પણ ઉપાસકો તેની ઉપાસના કરે છે. એવા કેટલાક ઉપાસકોને જઈએ. આજના યુગમાં થઈ ગયેલા યોગી અરવિંદની માતાની ઉપાસના સુપ્રસિદ્ધ છે. તેમણે વિશ્વને માતા ગણ; તેને ભગવતી માની ઉપાસના કરી અને બીજાને કરવાનું સૂચવ્યું છે. તેમણે કહ્યું છે કે “વિશ્વમાતાની પ્રેરણથી ચાલો અને દરેક કાર્ય (પ્રવૃત્તિ કે નિવૃત્તિ) કરે. માતાની આગળ તમારું હૃદય તમે ખુલ્લું કરી દો! એ તમને બધી રીતે પવિત્ર રાખશે; પવિત્રતાનું બળ આપશે તેમજ તમારે વિકાસ સાધશે !” » મૈયા ઉપરની એમની શ્રદ્ધા કેટલી અડગ હતી તે સહુ જાણે છે અને આજે શાંતિના ઉપાસકો માટે અરવિંદ આશ્રમ એક સ્પર્ધામ જેવું ગણાય છે. એવી જ રીતે રામકૃષ્ણ પરમહંસે પણ માતાની ઉપાસના કરી. છે. તેમનાં લગ્ન શારદામણિ સાથે થયાં કે તેમણે વિચાર કર્યો કે તેનામાં એક મહાન શકિત પડેલી છે. એને માટે ઉપભોગ ન કરવો. જોઈએ પણ એ ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રી એ જગદંબાને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ -અવતાર છે અને એ શકિતને જગાડવી જઈએ. તેમણે સંકલ્પ કર્યો અને તેઓ શારદામણિ દેવીને માતા રૂપે માનવા લાગ્યા. તેમણે માતાની એવી ઉપાસના કરી કે બધા વિકારે ઉપર કાબુ મેળવ્યો અને દરેક સ્ત્રીને–તેમણે માતા રૂપે નિહાળી. એકવાર તેમની પરીક્ષા કરવા માટે દશ વેશ્યાઓને તેમની પાસે મોકલવામાં આવી. તેમણે બધાં વસ્ત્રો કાઢીને તેમની આગળ નૃત્ય કર્યું. ત્યારે રામકૃષ્ણ કહ્યું : અરે માતાઓ! આ બાળકની આવી પરીક્ષા શા માટે કરે છે ?” એકવાર તેમનામાં રહેલ ઉત્કટ વાત્સલ્યતાના કારણે તેમના સ્તનેમાંથી પણ દૂધ નીકળ્યું હતું. માતૃજાતિમાં વાત્સલ્યતાને ઝરે અખંડ રહે છે એટલે તેનાં સ્તનોમાંથી લોહીનું પરિવર્તન થઈને દૂધ નીકળે એ સ્વાભાવિક છે પણ વાત્સલ્યતાની પરાકાષ્ઠા પુરૂષોમાં હોય તો તેમનું લોહી પણ દૂધ બની શકે છે એ ભગવાન મહાવીરના દાખલા પરથી ઉપરથી જાણી શકાય છે. ભગવાન મહાવીર ચંડકૌશિક સર્પને પ્રતિબોધ દેવા જાય છે ત્યારે ચંડકૌશિકસપે ભગવાનને ડસે છે. તે વખતે તેમના અંગૂઠામાંથી લોહીના બદલે દૂધ વહે છે. કેટલાક લોકે એને હસી કાઢે છે પણ ઉત્કટ વાત્સલ્યના પ્રતાપે પુરૂષ સ્તનમાંથી દૂધ નીકળે તે વાત્સલ્ય પ્રેરિત લોહીનું દૂધ બનીને અંગૂઠામાંથી ધાર રૂપે વહે તે અશકય તે નથી જ. માતાની ઉપાસના કરનાર મહાત્મા ગાંધી પણ હતા. તેમણે બ્રહ્મચર્ય ધારણ કરતાં પોતાની પત્ની કસ્તુરબાઈને “કસ્તુરબા” (માતા) કહ્યા. પૂજ્ય મુનિશ્રી સંતબાલજી મૈયાની ઉપાસના જૈન દૃષ્ટિએ કરે છે. જૈનધર્મમાં ગુણપૂજાને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના આત્માને વિકાસ જાતે પોતાના પુરુષાર્થ વડે સાધવાને હેય છે. તેને અનુરૂપ વિકાસ સાધી વિશ્વની માતા બનવાને સંકલ્પ કરે છે. “સકળ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેવું” એવા કોડ -સેવે છે. અરવિંદની માતૃ ઉપાસનામાં, માતાને એક વિશિષ્ટ અને પિતાનાથી ઉચ્ચ માનીને સાધના કરવાની હોય છે ત્યારે સંતબાલજીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉપાસનામાં જાત ભાતસ્વરૂપ બની માતૃ ઉપાસના કરવાની હોય છે. “દેવે ભૂવા દેવં યજે” એ પ્રમાણે જાતે માતૃસ્વરૂપ બની, માતૃગુણ (વિશ્વ વાત્સલ્યવ) પિતાનામાં ધારણ કરીને માતૃ ઉપાસના કરવી એ વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ છે. સાથે સાથે પૂ. મહારાજશ્રી સંતબાલજી એ ૩ મૈયાને જીવન અને જગતની મહાનિયમા અવ્યક્ત શકિત પણ માની છે, જે અવ્યકતરૂપે સંકટ પ્રસંગે પણ પ્રેરક અને સાધનામાં સહાયક બને છે. માતસ્વરૂપ બનીને માત-ઉપાસનામાં માતૃજાતિ પ્રત્યે આદરભાવ હેવાથી બ્રહ્મચર્યની સાધના સહજ બને છે અને માતાતિને સાચે ન્યાય આપવામાં આ મયા સહાયક નીવડે છે. આ ઉપરાંત પણ આપણું દેશમાં શક્તિની ઉપાસના જગદંબાની ઉપાસના તરીકે થાય છે. દુર્ગા, ભવાની, ચંડી વગેરે તેનાજ અમરનામ છે. આ ઉપાસના પાછળ શક્તિઓ પ્રગટાવવાનો હેતુ હોય છે. પણ તેને સિદ્ધ કરવા માટે દારૂ અને માંસને ભોગ આપવાની જે કર પદ્ધતિ ઘણા સ્થળે નજરે ચડે છે તે વિકૃત છે; નિરર્થક છે અને કોઈપણ ભોગે ઈચ્છનીય નથી. જૈન ધર્મે તે સ્ત્રીઓને જ્ઞાન અને મુક્તિના અધિકાર આપી માત–ઉપાસના યા બીજી રીતે કરી જ છે. હરિભદ્રસૂરિ ગૃહસ્થ જીવનમાં પુરોહિત હતા અને ચિત્તોડ પાસેના ગામમાં રહેતા હતા. તેમને ખૂબ અભિમાન હતું પોતાની વિદ્વતા ઉપર. તેમણે એ સંકલ્પ કર્યો હતો કે મને ન આવડે એવા શ્લોકને અર્થ જે મને સમજાવે તેને હું શિષ્ય બની જાઉં, એકવાર તેઓ ઉપાશ્રય પાસેથી જતા હતા કે એક જૈન સાધ્વીજી જેમનું નામ “યાકિની મહત્તરા” હતું, તેઓ એક ગાથા બેલી રહ્યા હતા. તે ગાથાને અર્થે ખૂબ ચિંતન મનન કરવા છતાંયે ન જડ્યો. એટલે તેઓ સાધ્વીજી પાસે ગયા. તેમણે પૂછયું અને સાધ્વીજીએ અર્થ બતાવ્યો. પિતાના સંકલ્પ પ્રમાણે હરિભદ્રસૂરિ તેમના શિષ્ય બનવા તૈયાર થયા પણ જૈન પ્રણાલિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે તેમને સાધ્વીજીના ગુરુ (આચાર્ય) પાસે દીક્ષિત થવું પડયું. હરિભકરિ તે એ સાધ્વીને પિતાની ધમમાતા જ માનતા. તેમની દરેક વૃત્તિ (ટીકા) કે ભાષ્યના અંતે તેમણે “યાકિની મહત્તરા–સૂતઃ” (યાકિની મહત્તાને ધર્મપુત્ર) એમ લખ્યું. આમ જોઈ શકાય છે કે માત-ઉપાસનાનું મહત્વ બધાએ સ્વીકાર્યું છે. એટલે વિશ્વવાત્સલ્યના બીજમંત્ર “૩૪ મૈયા”ની આરાધના સારી પેઠે કરવાથી ધ્યેયનું સતત સ્મરણ રહે છે અને જીવનને વિકાસ સધાય છે. ચર્ચા-વિચારણા નિર્ચીજ-વાત્સલ્ય શ્રી માટલિયાએ આજની ચર્ચા ઉઘાડતાં જણાવ્યું કે “છે. મૈયાની ઉપાસનામાંથી કાર્ય પ્રેરણું મળી. સર્વ પ્રથમ પોગક્ષેત્રની પ્રવૃત્તિ શરૂ થઈતેને વ્યાપક બનાવવા રૂ૫ ખેડૂત–શ્રેય સાધક મંડળ શરૂ કર્યું અને પછી તેફાની તો સાથે ઝઝૂમવાનું શરૂ થયું. આ બધી પ્રવૃત્તિઓમાં મને જે સુક્ષ્મભાવ મળે તેના ત્રણ ભાગ કરી શકાય : (૧) વ્યવહારમાં વાત્સલ્યદૃષ્ટિ રાખવી (૨) પરિચયમાં આવે તેના ઉપર વિશ્વાસ રાખવો અને (૩) સમાજને સલામતિની ખાતરી આપવી. આની અગાઉ ચાલુ સમાજમાં અંકુશને અર્થ કેવળ, શિક્ષા, દંડ, તાડન વ. હતેા. માણસ દબાયે અને ચંપાયો જ સુધરે એવી સમાજ-માન્યતા હતી, અને આપણી જે માન્યતા હતી તેનામાં ઘણે ફરક હો, ગામના લોકોને ગળે એ વાત ઊતરે તેમ ન હતી. તેમણે ચાર છોકરા રજુ કરી કહ્યું : “આ છોકરાઓ ઉપર પ્રયોગ કરીને દેખાડે તે જાણીએ ? ” હવે તે પ્રત્યક્ષ પરીક્ષા આવી. ત્યારે છોકરા ચાર પ્રકારના અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર મગજના હતા. એક અળખામણ હતો ને બીજો રીસાતે હતે. ત્રીજે હો મારકણે. એની મા મરી ગયેલી અને બાપ હો પિલિસ પટેલ. બાપે દીકરાને કહી રાખેલું. “મારી પાસે તારે ફરિયાદ લઈને ન આવવું. તારી ફરિયાદ ભલે બીજા લોકો લાવે!” એટલે તેનો હાથ બહુ ઉપડત. ચોથ છેક ચેરી કરતો હતે. ચેરે વાત થયેલી મે છોકરીઓને કહ્યું: “ચાલો મારે ત્યાં!” છોકરાએ ગભરાયા. મેં કહ્યું: “ગભરાઓ નહીં! આપણે વાત કરશું.” Bકરાઓ મારી સાથે ચાલ્યા. પહેલાં તો ખૂબ ડરતા પણ હું વાર્તા સિવાય કાંઈ નથી કરતો જાણીને તેમને ડર ઓછો થયો. હું વાર્તા કરું અને છોકરાઓને ગમે એમ કરતાં કરતાં રાત્રે મારે ત્યાં સુવા પણ લાગ્યા. મેં તે નિર્ચા જ વાત્સલ્યને પ્રયોગ આદર્યો. ૧ ધીમે ધીમે એ છોકરાઓ શા માટે બદનામ હતા તે પણ જાણી લીધું. કોએ મળીને તેમને ખૂબ માર માર્યો હતો તે પણ જાણ્યું. એ છોકરાઓમાં એક કુટેવ હતી. છોકરીઓ જાજરૂ જાય તેની પાછળ જતા. છોકરાઓ નાના હતા અને બાળક કેમ જન્મે તેની જિજ્ઞાસા. તેમને હતી. આ જિજ્ઞાસાએ તેમને ગામમાં બદનામ કર્યા હતા. મારી પાસે કરાઓએ સહેજ સંકોચ સાથે આ વાત કરી. બાળમાનસ ઉપર કેવા વિચિત્ર સંસ્કાર પડેલા હોય છે, તેને આ દાખલો છે. એકવાર એક “ગાને વાછરડું જન્મતું દેખાડયું એટલે તેમની કુતૂહલવૃત્તિ શમી ગઈ અને પેલી કુટેવ ભૂલી ગયા. એ ચાર છોકરાઓમાંથી ત્રણને તો “મા”નું વાત્સલ્ય જ મળ્યું ન હતું. મારા વાત્સલ્ય પ્રોગમાં તેમને તે અહીં. મળ્યું. પાછળથી એ જ છોકરા પૈકીના આજે ત્રણ તે સારા કાર્યકર્તા થયા છે.. ત્યારબાદ ગામે રાજ્ય પાસે નિશાળ માંગી; જે રાજો આપી. આજે ૨ થી ૧૦ સુધીની શાળા ચાલે છે. છે. અલબત્ત બહેનેમાં આથીયે વધુ સફળતા મળે એમ લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ પણ, આપણું કાર્ય મર્યાદાને લીધે તે કામ ઉપાડ્યું નથી. બાકી, આજે જે કાર્ય કરે છે તેમાંના અઢાર તે ગામના જ છે. તે પૈકીના પચાસ ટકા તે એક વખતે તેફાની અને ભારાડી હતા. પછી એમાંના સરપંચ થયા. એમ કરતાં કરતાં ગામનું તંત્ર પણ ઠીક થયું. શાળામાં બાળકો વચ્ચેના પ્રશ્નો બાળકોજ પતાવે છે. રંજાડ, ચોરી વગેરે પ્રશ્નો બાળક બાળક વચ્ચે આવેજ છે, પણ તેને નિકાલ બાંહોમાંહે પતાવી લે છે. તેથી એક તસ્કુ તે ન્યાય કરવાની, વ્યવસ્થા સાચવવાની તેમજ વ્યવસ્થામાં રહેવાની જવાબદારી શીખે છે, સાથે બીજી તરફ ઘડિયાળ ન રાખવું–જશોખ ન કરવા વગેરે ગુણે પણ આપોઆપ આવ્યા છે. કારણ કે, જે ચીજ જાય તેની જવાબદારી સૌએ ઉપાડવાની હેય છે. ટુંકમાં છોકરાઓજ નિયમો ઘડે છે અને વ્યવસ્થા કરે છે. અલબત્ત ગામમાં આવું ચાલતું નથી. બાળકોમાં સડે ઓછો હોય છે. એ તરત માની જાય છે અને સુધરી જાય છે. જ્યારે ગામમાં અનિષ્ટો વધુ અને ઊંડા ઘર કરેલાં હોય છે. આથી ક્યારેક ચોકી રાખવી પડે છે; સામાજિક દબાણ પણ લાવવું પડે છે. પણ આ બધું અદરની વાત્સલ્ય ભાવનાને લીધે જ. એક પ્રસંગમાં પોલીસને પણ બોલાવવા પડેલા. એક છોકરે રીઢે તેફાની થઈ ગયેલો. તે કોઈ રીતે ને માને એટલે તેને પોલીસ આગળ માત્ર બે-ત્રણ કલાક બેસાડ્યો. ગામેજ આ કાર્ય ગોઠવેલું પણ મારે તે પ્રસંત થવું પડેલું. એ છોકરે નહાવા જતાં છોકરાંઓને પાણીમાં ડૂબકી મરાવી ગુંગળાવતો હતો. પિલિસ ચેકીમાં બેસાડતાં તેને લાગ્યું: “પોલિસ છે ખરી!” ત્યારે તે ત્યાં રે. બધાની માફી માંગી અને “હવેથી નહીં કરું.” એવી કબૂલાત આપીને છૂટો થયો. પછી તેનામાંથી એ આદત સદંતર ચાલી ગઈ. ટુંક્યાં આ નાના ક્ષેત્રમાં સફળતા મળી એટલે ખાતરી થઈ ગઈ કે આ ત્રણ વસ્તુથી અહિંસક સમાજરચના થઈ શકે ખરી. નિસ્વાર્થ સેવાના બીજા દાખલાઓ 1. પૂંજાભાઈએ નિર્ચીજ-વાત્સલ્યના બે દાખલા ટાંકયા. એક તેમને પિતાને હતો. તેમણે કહ્યું – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ પિતા કશા કે તમણે જવાબ એક હતી. હું ટાઈફોઈડમાં બીમાર હતો. મારા મિત્રો અને બીજા વર્ગના ડબ્બામાં બેસાડી અમદાવાદ લઈ જતા હતા. તે ડબ્બામાં એક યુરોપિયન ખ્રિસ્તી દંપતિ પણ મુસાફરી કરતા હતા, તેમણે અમદાવાદ લગી મારી ખૂબજ સેવા-સુશ્રુષા કરી. અમે છૂટા પડ્યા ત્યારે વિદાય વેળાએ ઇસ્પિતાલમાં જતાં પહેલાં જે શિખામણ આપી છે તે મને હજુયે યાદ છે. તેમાં તેમને કશો સ્વાર્થ ન હતા. માત્ર નિર્વ્યાજ સેવાજ ગણી શકાય. બીજો દાખલો આપતાં તેમણે જણાવ્યું – અમારા એક મિત્ર હાલેલ તાલુકામાં રહે. એક ભગી તેના ગામમાં બીમાર પડ્યો. તે ભંગી ભાઈની પત્ની-ભંગી બહેન બહેરી હતી. આ વાતની જાણ થતાં એ મિત્ર એમને ઘેર ગયા. ઝૂંપડામાં જતાં જોયું કે ભંગી ઉપર ઢાંકેલું ગાડું વરસાદથી પલળી ગયેલું. ઝૂંપડું આખું ચૂયા કરે. આ મિત્રે ઘેરથી લાકડાં મંગાવ્યા. પેલા બીમાર ભંગીને તેમણે પિટીસેક કર્યો. છાપરાં ઉપર કંતાન-પતરાં વ. નખાવ્યાં. ચાર કલાક સુધી ત્યાં રહીને સેવા કરી, એમ પદર દિવસ સુધી સેવા કરી. સૌને વિરોધ થશે. ઘરમાં પણ વિરોધ જાગે. પણ તેમણે સ્વપત્નીને સમજાવ્યું: “સાચી સેવા તે આજ છે !” - પેલા મિત્રને કઈ સ્વાર્થ ન હતું. પણ જ્યારે વાત્સલ્ય જાગે ત્યારે આમ સહજ રીતે જાણે છે. મને તો લાગે છે કે ખેડા ઠેરની પાંજરાપોળ પણ મૂળે આવા જ વાત્સલ્યભાવથી પ્રેરાઈને જ શરૂ થઈ હશે. • ખંભાતમાં એક શકરીબહેન ઢેરેની સેવા કરે. તેઓ ખાસ, પરૂ, જીવડાં કાઢીને ઢોરનું ધ્યાન રાખે એમને એમાં સૂગ જ ન ચડે. તેઓ કહે: માણસને દુઃખ થાય તે વાચા છે, આમને કયાં છે તેઓ પિતાનું દુઃખ કોને જઈને કહેશે !” અજ્ઞાન વડે પશુ સેવાઓમાં અવરોધ દેવજીભાઈએ કહ્યું કે કેટલીકવાર ઓછું જાણનારા લોકો સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ એના પ્રવચનને અવળે અર્થ લઈ આવા સહજ વાત્સલ્ય ઉપર બ્રેક મારી દે છે. ' ' . . . . કચ્છના એક ગામમાં એક બહેન અને એક ભાઈએ (પતિ) પશુઓની સહેજ સેવા કરવા માંડેલી. ગામ પણ રાજી થયું અને પશુઓ માટે ચારો આપી જાય. એક શિક્ષક આવીને બધું જોઈ જાય. તે વખતે ઉપાશ્રયમાં જૈન સાધુ આવ્યા. તેમના વ્યાખ્યાનમાં પિલું કુટુંબ જાય. સાધુએ પિતાના પ્રવચનમાં કહ્યું: “જીવ માત્ર સરખા છે. સર્વે જીવો પિતાપિતાનાં કર્મથી સુખ દુઃખ પામે છે.” આવું સાંભળી અજ્ઞાનના કારણે અવળે અર્થ લઈ તે કુટુંબે સેવાં મૂકી દીધી. તેથી પેલા શિક્ષક મહારાજ પાસે ગયા અને તેમણે પૂછયું : “આ કુટુંબે સેવા મૂકી તે બરાબર છે?” મુનિએ જવાબ ન આપો. છેવટે અમે મુનિશ્રીને બધી વાત કરી અને પેલા કુટુંબને પણ સમજાવ્યું : “એકેદ્રિય કરતાં બેઈદ્રિય અને એમ ઉપર આવતાં સંસી (મનવાળા ) પંચેન્દ્રિય પશુઓનું મૂલ્ય વધારે છે. તેમને મરૂદેવ માતાના આગલા ભવને દાખલો પણ આપો કે તેમણે પૂર્વભવમાં લક્ષપાક તેલ વ. થી સાધુઓનાં ઘામાંથી જીવડાં કાઢી સેવા કરેલી. તેથી વળી પાછું એ કુટુંબ સેવા કરવા લાગ્યું અધુરૂં જ્ઞાન એટલે ધર્મને હાનિ . ' અજ્ઞાન અને અધૂરાં જ્ઞાનથી કેટલી હાનિ થાય છે અને ધર્મ વગેવાય છે તેને એક દાખલે તેમણે આપે :[, એક છોકરા સાને ઉપલક રીતે વાંચી ગયો. પછી તેને શું થયું કે તે પોતાની માને કહેવા લાગ્યો: “સંસારમાં કોઈ કોઈનું નથી. તારે અને મારે શું? આત્મા એકલો આવે છે અને એકલો જ જવાનો છે.” * - માને દીકરાની આ વાત સાંભળીને થયું કે છોકરે હાથેથી ગયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ સારું થયું કે એકસાની સાઇજી ત્યાં હતા. માએ તેમને બધી વાત કરી. તેમણે છોકરાને લઈ આધવા કહ્યું . છોકરી આવતાં તેમણે સમજાવ્યું: “જે આ ભગવતી સૂત્રમાં અધિકાર છે કે માના તરફથી ત્રણ અગ–મહત્વનાં (૧) માથું (૨) હદય અને (૩) નસો મળે છે. તેનાં બદલો ચૂકવ્યા વગર આગળ વધાય શી રીતે ? ઠાગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “ચામડી ઉતરડી દિવા છતાં મા-બાપનું ઋણ વાળી શકાતું નથી.” આ બધું સાંભળી પેલા છોકરાને સાચું જ્ઞાન થઈ ગયું. તેની ભાને સંતોષ થયો. પણ, આવા સાચાં જ્ઞાની ગુરુઓને તોટ પડી ગયો છે. આસક્તિના કારણે મુક્તિના બદલે સ્વર્ગ : 'માટલિયાએ પૂછયું. સાંભળ્યું છે કે તપ કરતાં ધન્નાએ કુટુંબ સામે ન જોયું અને શાલિભદ્ર માતા સામું જોયું એટલે તેને મેક્ષ ન મળતાં સ્વર્ગ જ મળ્યું. તે શું માતા તરફ જવા માત્રથી આમ થઈ જાય?” કે તેને જવાબ આપવામાં આવ્યો “માત્ર જેવાથી નહીં પણ તપમાં આસક્તિ ભળે તે કર્મનિર્જરા થવાને બદલે શુભકર્મો બંધાય અને સ્વર્ગ મળે. મોક્ષ ન મળે, એટલું જ તાપર્યું છે. જૈન આગામો પ્રમાણે જૈન, વાવડી બનાવવાના કારણે નંદન મણિયાર દેડકો ન થયો પણ વાવડીની આસક્તિના કારણે થયો અને વૈદિક ગ્રંથો પ્રમાણે ભારતરાજ હરણને બચાવવાથી નહીં પણ તેના ઉપર મૂછ થતાં મૃગયોનિમાં જમ્યા; તે પ્રમાણે જાણવું જોઈએ.” શહેરીઓ અને સાંકડું વાત્સલ્ય બળવંતભાઈએ કહ્યું: “આજે શહેરીઓને વાત્સલ્ય સિનેમા ઉપર પથરાયું છે. પ્રેમ શબ્દ વિકૃત રૂપ ધારણ કર્યું છે. પ્રેરણા માટેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ગતિમાઓને કુત્રિમ સાંદર્યથી શણગારાય છે. તપ, ત્યાગની પ્રતિષ્ઠા ઓછી થાય છે. આમ તે ભારતમાં પીપળાં જેવાં વૃક્ષો સાથે પણ સંબંધ જોડવા પ્રયત્ન થયા છે, પણ પિતાના પ્રિય જાનવરે ઉપર ગામડામાં પણ સ્વાર્થ સુધી જ સંબંધ રહે છે. તે સાધુઓ પાસે કોઈ પ્રશ્નને સાચે ઉત્તર મળતો નથી. ટુંકમાં વાત્સલ્યનું ક્ષેત્ર સાંકડું થયું છે. તેમણે પિતાને પ્રસંગ ટાંકીને કહ્યું કે વાઘરીને ઘર કરવા મારી જમીન આપેલી. પણ સમગ્ર બ્રાહ્મણે એ વિરોધ કરી વાધરીનું મન ભાંગી નાખ્યું. આમ સમાજમાં સ્વાર્થ વધી રહ્યો છે. અહિંસાને સાચા પાઠ દેવજીભાઈએ સ્વ. જૈનાચાર્ય જવાહરલાલજી મ. સા.ના રાજકોટ ચાતુર્માસને દાખલો ટાંક હતો કે તેમણે પિતાના ચાતુર્માસ દરમ્યાન લોકોને અહિંસા શું છે તે સમજાવવા પ્રયાસ કરેલે. તે મુજબ આજે જેમાં પેઠેલી અહિંસાની પોકળતાને દૂર કરવી જોઈએ એમ મને તે લાગે છે. કતલખાના બંધ કરે !” એવી સરકારની સામે બૂમ પાડી અહિંસાની ઈતિશ્રી થઈ એમ ન મનાવું જોઈએ; પણ તેના બદલે પ્રથમ પ્રજાએ જાગૃત થઈ પશુપાલન અને તેમાં પણ સારી ગૌનું પાલન ગોવંશને ઉછેર પ્રજા તરફથી થવો જોઈએ. ત્યારબાદ જે જનતાનું શુદ્ધ દબાણું સરકાર ઉપર આવે તો જ કાર્ય પૂરું અને નક્કર થાય. અહિંસાની પ્રતિભા ને અને તેમાં પણ આ જ જનતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવાત્સલ્યનાં એક [૧૪-૮-૬૧] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યનાં જુદાં જુદાં પાસાંઓ અંગે આ અગાઉ વિચાર કરી લેવામાં આવ્યો છે. પણ તેને વહેવારમાં મૂકવા માટે તેના જહાં જદાં એકમો ઉપર હવે વિચાર કરવો જરૂરી થશે. વિશ્વ વાત્સલ્યને વિષય કેવળ સિદ્ધાંતને નથી પણ તે ક્રિયામાં મૂકવાન છે. એક માતા પિતાનાં બાળકની કોઈ પણ ક્રિયા પ્રત્યે અજાણ રહેતી નથી. તેની દરેક ક્રિયામાં તે બાળકને પ્રેરણું, શિક્ષણ, અને સંસ્કાર તેમ જ ઉપદેશ વગેરે યથાયોગ્ય આપીને તેનામાં વાત્સલ્ય રેડે છે. વિશ્વ વાત્સલ્યને સાધક એ જ રીતે આખા વિશ્વની માતા બને છે. તેને વિશ્વના બધાં ક્ષેત્રમાં સતત જાગૃત રહી; વિશ્વ વાત્સલ્યનાં નક્કી કરેલાં એકમો દ્વારા વાત્સલ્ય રેડવાનું છે. એકમે નક્કી થઈ ગયા બાદ એ કાર્ય સહેલું બને છે. - વિશ્વવાત્સલ્યમાં બધા ક્ષેત્ર–કૌટુંબિક, સામાજિક, આર્થિક રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વગેરે સર્વે ક્ષેત્રે સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કોઈ પણ ક્ષેત્રને છોડીને ચાલવાનું નથી. એટલે દરેક ક્ષેત્રને કોઈને કોઈ માધ્યમ વડે વાત્સલ્ય આપવાનું છે. તે માટે જ અલગ અલગ ક્ષેત્રનાં એકમ નક્કી કરવાનાં છે. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવાત્સલ્યનું સર્વ પ્રથમ ક્ષેત્ર કુટુંબને ગણવામાં આવે છે. કુટુંબમાં જ પ્રાગરૂપે વિધવાત્સલ્ય રસ તૈયાર થાય છે. એટલે કૌટુંબિક ક્ષેત્રનું એકમ “ઘર” થશે. ઘરમાંથી જ પ્રેરણ, સંસ્કાર અને શિક્ષણ વગેરે મળે છે. વાત્સલ્યને પ્રવાહ જ્યાંથી શરૂ થાય છે તે ઘર છે. ઘર એટલે ઈટ અને ચુનાની ભીતે કે ઈમારતે નથી. ઘરમાં વસતી ગૃહિણું માતાને લઈને જ એ ઘર કહેવાય છે. કુંવારા, વાંઢાઓનાં ધરને કઈ ધર ગણતું નથી. એનું કારણ એ જ છે કે ગૃહિણી વગરનું ઘર, એ ઘર નથી. એટલે ઘર વડે જ્યારે વાત્સલ્ય રેડવાની વાત થાય છે ત્યારે સહેજે ઘરની ગૃહિણને માધ્યમ તરીકે માની શકાય છે. આ જગતની માતાઓમાં–ભારતની માતાઓનું સ્થાન અનેખું છે. તેઓ નાનપણથી જ બાળકોમાં વિશ્વ વાત્સલ્યના સંસ્કાર રેડે છે. તેમનું પિતાનું બાળક હોવા છતાં પણ તે કહે છે કે તે ભગવાનનું બાળક છે; અને આમ તેને વિશ્વનું બનાવે છે. આદર્શ માતાઓ નાનપણથી પારણું ઝૂલાવતાં બાળકોમાં સંસ્કારો રેડે છે. તેનામાં વિશ્વ વાત્સલ્ય પ્રગટાવે છે. “ જન માતાઓ એવી આદર્શ અને વિશ્વ વાત્સલ્ય.ભાવનાવાળી થઈ ગઈ છે કે જેના ઘણુ દાખલા આપી શકાય છે. જ્યારે જૈન બાળક દીક્ષા લે છે ત્યારે આજ્ઞા આપતી વખતે જૈન માતા કહે છે: – બેટા ! હવે તું દીક્ષા લઈને એવી કરણું કરજે કે આખું વિશ્વ તારું કુટુંબ બને તુ વિશ્વવાત્સલ્ય સાધીને મોક્ષ મેળવજે અને મારી કુખને ઉજાળજે.” ઘણું ક્ષત્રિય માતા પિતાના પુત્રને પારણામાં ઝૂલાવતી વખતે સુંદર હાલરડાં ગાતી ગાતી સુંદર પ્રેરણા આપે છે: “હું તને જે ધોળુંઉજળું દૂધ પાઉં છું તેમાં કાયરતાને કાળો ડાઘ ન લગાડજે. મારી કૂખને દીપાવજે અને મેંટો થાય ત્યારે આખા વિશ્વને જીતજે. (તલવારથી નહીં, પણ પ્રેમથી હદય જીતીને.) રાજસ્થાનમાં આ હાલરડાં–લોરીને નામે પ્રસિદ્ધ છે. માતાઓ પારણુમાં બાળકને ઝુલાવતી ઝુલાવતી તેને વિશ્વના કલ્યાણ માટે ઉપયોગી બનાવે છે. તેને વિશ્વને ઉપયોગી બનવાનું સુંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ અવિષ્ય ઘટે છે. એટલે જ કહ્યું છે - જે કર ઝૂલાવે પારણું તે ભાવિ ઘડે છે વિશ્વનું.” ' પુરાણમાં રાણુ મદાલસાનું આખ્યાન આવે છે. માતા મદાલસા પિતાના ૭ પુત્રને પારણમાં ઝુલાવતાં ઝુલાવતાં કહે છે – शुद्धोऽसि, बुद्धोऽसि, निरंजनोऽसि संसारमाया परिवजितोऽसि । -a; ચક એના . मदालसा वाकयमुवांच पुत्रम् ॥ ' હે દીકરા ! તું શુદ્ધ છો! બુદ્ધ છે. નિરંજન છે એટલે કે આખા વિશ્વના છે! સંસારની માયા-કુટુંબ મેહ વગેરેથી રહિત છે ! સંસાર તે સ્વપ્ન છે. એટલે મોહનિદ્રા ત્યાગે એમ મદાલસા તમને કહે છે. • આમાં સ્પષ્ટપણે સંસાર સાથે મોહ સંબંધ તેડીને ધમસંબંધ બાંધવાને આદેશ છે. ધર્મને અનુબંધ બાંધી કલ્યાણ માર્ગે જવાની પ્રેરણા છે. સંસાર સ્વપ્ન જેવું છે તે ખરૂં પણ તેમાંયે સત્ય-અહિંસા વગેરે સારભૂત તો લેવા અને મોહનિદ્રાને ત્યજી ગનિદ્રા સાધવા માટે મા પુત્રોને કહે છે. " કહેવાય છે કે મદાલસા માતાના આ ઉપદેશની સાત પુત્ર ઉપર એટલી બધી અસર થઈ કે એના સાને પુત્રે કુટુંબમોહ છોડી વિશ્વ વાત્સલ્યને માર્ગે ગયા–સંત થયા. તે વખતે મદાલસાના પતિ રાજાને ચિંતા થઈ કે મારું રાજ્ય કોણ ચલાવશે? ત્યારે મદાલસાએ કહ્યું: “સવામી ! આપ ચિંતા ન કરે. આઠમા બાળકમાં હું એવા સસ્કોરે ભરીશ કે તે ધર્મનીતિથી તમારું રાજ્ય ચલાવનાર બનશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ !. માલસાએ ખરેખર આઠમા બાળકને ધર્મનિહિત રાજનીતિન શિક્ષણ આપ્યું અને તેને ધર્મપાલક રાજા બનાવ્યા. કહેવાનો સાર એટલો કે એક માતા સંસ્કારી અને ઉંચા વિચારોની હોય તે તે બાળકને વિધવાત્સલ્ય પ્રતિ દેનારી નીવડે છે. જાપાનમાં બાળકોને નાનપણથી કેવળ પિતાના દેશને મા-બાપ” માનવાની વાત શીખવવામાં આવે છે. પરિણામે ત્યાં બાળકોનું વાત્સલ્ય કેવળ રાષ્ટ્ર-વાત્સલ્ય સુધી જ વિકસે છે. પણ ભારતમાં ભારતીય માતાઓ બાળકમાં નાનપણથી વિશાળ અને વ્યાપક વિશ્વ વાત્સલ્યને ભાવ ભરતી આવે છે. એટલે ભારતે જેટલા વિશ્વ વાત્સલ્ય સંત-મહાત્માઓ અને પરમપુરુષે આપ્યા છે તેટલા કોઈ બીજા રાષ્ટ્ર આપ્યા નથી. - રાજા ગોપીચંદની વાત બહુ જાણીતી છે. તેની માતા મેનાવતીએ ઘરથી જ રાજા ગોપીચંદને વિશ્વ વાત્સલ્યની પ્રેરણા આપી હતી. એક વખત રાજા ગોપીચંદ સ્નાન કરતો હતો. રાણીઓ તેને નવડાવતી હતી. ત્યારે તેનું સુડોળ શરીર અને અન્ન વદન જેઈને મેનાવતીના મનમાં વિચાર આવ્યો. “આ મારો દીકરો જે કેવળ કુટુંબ, રાય, ધન, કે યૌવનના મોહમાં ફસાઈ જશે તે તેને આ જન્મ નિરર્થક જશે. આ શરીર, ધન, યૌવન બધું ક્ષણિક છે. એમાંથી કંઈ પણ સાથે આવવાનું નથી. એના પિતા પણ આમને આમ ચાલ્યા ગયા. કુટુંબ રાજ્ય-એશ્વર્યમાં રચ્યાપચ્યા રહીને તેઓ પણ જન્મ સફળ ન કરી શકયા. માટે મારું કર્તવ્ય છે કે આ પુત્રને તો ચેતવું.” એમ વિચાર કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયાં. રાજા ગેપીચદે મેં ફેરવ્યું અને જોયું કે માની આંખમાં આંસુ છે. - રાજા ગોપીચંદે કહ્યું: “મા! તું રડે છે શા માટે ? તને શું દુખ છે?” મેનાવતી બોલીઃ “પુત્ર! તારૂં મુખ જોઈને મને તારા પિતાજી યાદ આવી ગયા. તન-ધન યૌવનમાં ફસાઈને તેઓ પણ એમજ ચાલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ગયા અને પિતાને ઉદ્ધાર ન કરી શક્યા. હું પણ મોહમાયામાં ફસાયે છે અને તારું જીવન પણ એળે ગયું તે મારું માતૃત્વ લાજશે !” ગેપીચંદ રાજા કહેઃ “તે મા, મારે શું કરવું જોઈએ?" મેનાવતીએ કહ્યું “તને કહ્યું તે પ્રમાણે કર – वो नाथ जालंधर योगी, ब्रह्मानंद रस भोगी - कर सेवा हो निस्तारा, मेनावती वचन उच्चारा सुन गोपीचंद पियारा “હે પ્યારા પુત્ર ગોપીચંદ, તું સાંભળી જાલંધર નામના યોગી છે જેઓ આત્માના આનંદના રસને પીનારા છે. તેમની સેવા કરી છે પણ તારૂં તેમજ વિશ્વનું કલ્યાણ કર એમ મેનાવતી કહે છે” કહેવાને અર્થ એ છે કે માતાએ પુત્રને સલાહ આપી કે કુટુંબ વાત્સલ્ય કરતો વિધવાત્સલ્ય એજ છે. તેને તું સ્વીકાર અને વિશ્વને તારૂં કુટુંબ માન. ગોપીચંદ રાજાએ કુટુંબ અને રાજ્યને મેહ છોડ્યો. તેણે વિશ્વવાત્સલ્યનો માર્ગ સ્વીકાર્યો અને આખા વિશ્વના પ્રાણુઓમાં “એક બ્રહ્મ”ત્વની અનુભૂતિને આનંદ માણવા લાગ્યો. આમ જોઈએ તે વિશ્વ વાત્સલ્યને પ્રેરનારૂં પહેલું એકમ ઘર છે. માતા એ વાત્સલ્ય પ્રેરણાની માધ્યમ છે. માણસ ગમે ત્યાં જાય તે તેને ઘર યાદ આવે જ છે. તે પોતાનું વાત્સલ્ય ઘરને અર્પે છે. તેને વાસય પણ ઘરમાંથી મળે છે. આવી વાત્સલ્ય પ્રેમી વ્યક્તિ જ્યારે ઘરબહાર જાય છે ત્યારે ત્યાંની–પરદેશની અમૂક વ્યક્તિઓને તે વાત્સલ્યભાવે પિતાની માને છે અને ત્યાં પિતાનું વાત્સલ્ય રેડે છે. તેને પારકાં છોકરાંઓ પિતાનાં લાગે છે. એક પ્રકારનું મમત્વ તે બાંધતા જાય છે. આ બધું વાત્સલ્યના કારણે જ સંભવે છે. છે. રવીન્દ્રનાથ ટેગારની વાર્તા “કાબુલીવાલા માં એક સરહદ નિવાસી પઠાણ અને એક બંગાળી કન્યા વચ્ચે વાત્સલ્યને તંg Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ વિણવામાં આવ્યો છે. તે પાણ પેલી બંગાળી કન્યાને ચાહત હોય છે. બધા તેમાં કંઈક સીધું-ઊધું માને છે પણ અંતે જ્યારે તે પિતાની પુત્રીના હાથના પંજાનું ચિત્ર બતાવીને કહે છે કે મારી પણ આના જેવડી જ પુત્રી છે–આને જોઈને હું તેની સ્મૃતિ તાજી કરું છું. એટલે બંગાળી કન્યાના બાપ વાત્સલ્યથી પ્રેરાઈને તે પઠાણને દેશ જવા માટે રૂપીયા આપે છે અને કન્યાના લગ્ન વખતની રોશનીને જતી કરે છે. અહીં સ્પષ્ટપણે ઘરનું વાત્સલ્ય કે પ્રભાવ જમાવે છે તેની કેટલી પ્રગાઢ અસર છે તે જોવાનું છે. બે અલગ દેશના, અલગ ધર્મના પિતાઓ એકબીજાની પુત્રીને ચાહી શકે છે તે આ વાત્સલ્યના પ્રતાપેજ ! ઘરનું વાત્સલ્ય ધીરે ધીરે કુટુંબ, સમાજ, નગર, ગ્રામ, રાષ્ટ્ર સુધી ધીરે ધીરે ફેલાવી શકાય છે. ( કૌટુંબિક ક્ષેત્રથી આગળ આવતા વિશ્વવાત્સલ્યનું મોટું ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર છે. આ સામાજિક ક્ષેત્રનું એકમ ગામડું છે, મા માટે તો બધાં બાળકો સરખાં હોય છે. તે છતાં તે નાનાં બાળક તરી વધારે ધ્યાન આપે છે કારણ કે તે નાનું છે; નવું છે અને મોટાની અપેક્ષાએ ઓછા વિકાસને પામ્યું છે. એવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક જેની કલ્પના વિશ્વમાતા રૂપે કરવામાં આવે; તે પણ સમાજમાં સંસ્કૃતિ કે સામાજિકતાના કારણોસર જે અંગ નબળું રહી ગયું હેય પાછળ રહી ગયું હોય તેને પહેલું લેશે. તેના માટે જે પીડિત, શોષિત, અપ્રતિષ્ઠિત હોય તેનામાં વધુ વાત્સલ્ય રેડવાનું રહેશે. એ માટે જ સામાજિક ક્ષેત્રના એકમ તરીકે ગામડાને લેવામાં આવ્યું છે. ગામડામાં ખેડૂત, ગેવાળ, મજરે, પછાત વર્ગના લેકે આદિવાસીઓ અને એવી બીજી જાતિઓને સમાવેશ થઈ જાય છે. સંસ્કૃતિ અને નીતિની દષ્ટિએ ગામડું શહેર કરતાં આગળ છે. પણ સામાજિકતાની દ્રષ્ટિએ તે પાછળ છે. સભ્યતા અને બહારના રૂપરંગમાં શહેર આગળ વધેલું જણાય છે પણ ધર્મ તેમ જ પ્રામાણિકતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ગામડામાં વધારે જોવા મળે છે. વિશ્વ વાત્સલ્યને સાધક સામાજિક ક્ષેત્રના એકમ સ્વરૂપે ગામડાં પ્રતિ કઈ રીતે વાત્સલ્ય રેડી શકે? '' આજે ગામડાં જે ઉત્પાદન કરે છે, તેનું તેને વળતર બરાબર મળતું નથી. અલગ અલગ રીતે શહેરે તેનું શોષણ કરે છે. તેમને સંગઠિત કરી; સભ્યતાનો સંચાર કરી જરૂર પડે તે તપ-ત્યાગની મૂડીથી તેમને જમાડી તેમને અન્યાય દૂર કરવામાં આવે, કે તેવી પ્રવૃત્તિઓને સક્રિય સમર્થન આપવામાં આવે–એ તે એકમ પ્રતિ વાત્સલ્ય રસ રેડવું થશે.. - વિશ્વ વાત્સલ્યને સાધક ગામડાંની ઉપેક્ષા કરી શકે નહીં. એટલેજે મહાત્મા ગાંધીજીએ ગામડું પસંદ કર્યું હતું. તેમણે અમદાવાદ કે. કેઈ બીજા શહેરમાં આશ્રમ બાંધ્યો ન હતો; પણ કેચરબ અને સાબરમતીમાં બાંધ્યા હતાં–જે. ગામડાં જ છે. એવી જ રીતે વર્ધામાં નહીં પણ ત્યાંથી થોડે દૂર સેગાંવ-સેવાગ્રામમાં તેમણે આશ્રમ બાં હ. વિદેશીઓ આવીને તેમને આશ્ચર્યથી પૂછતા કે આપની આટલી બધી વિશાળ પ્રવૃત્તિ હોવા છતાં આપ આવા ગામડામાં કેમ બેઠા છે ? - ગાંધીજી કહેતા કે “જે તમારે ભારતનાં દર્શન કરવા હોય તે ગામડાં જેવા પડશે. ભારતીય સંસ્કૃતિ પણ તમને ગામડાઓમાં જ જોવા મળશે. ભારત મારું ગામડાઓમાં પડ્યું છે. પણ દુઃખની વાત એ છે કે ૮૦ ટકાથી વધારે વસ્તી ગામડાંઓમાં હોવા છતાં; ગામડાઓનો કોઈ અવાજ નથી. તેમનું કોઈ સંગઠન નથી. તેમની ઉપેક્ષા થઈ રહી છે.” એટલા માટે જ ગાંધીજીએ ગ્રામોદ્ધાર-ગામડાંને ઊંચા આણવાની વાત પલાં કરી. દરેક સેવકોને તેમણે ગામડે મેકલ્યાઃ ગ્રામોદ્યોગ અને ખાદી ઉપર ભાર મૂક્યો; જેથી ગામમાં રહેતા લોકોને કામધ મળી શકે. તેઓ આર્થિક દષ્ટિએ ઉન્નત થાય હિંદ આબાદ થાય. દર્શન અને તત્વજ્ઞાનનું ચિંતન પણ મોટેભાગે જંગલો કે નાના એવાં ગામડાઓમાં આ દેશમાં થવા પામ્યું છે. ઋષિમુનિઓએ કાં તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ જંગલે પસંદ કરેલા અથવા ગામડાં જેવામાં પિતાના આશ્રમે વસાવ્યા હતા. અયોધ્યાની રાજગાદી ઉપર આવ્યા છતાં ભારતે નંદીગ્રામ જઈ ત્યાં ઝૂંપડી બાંધી રહેવાનું પસંદ કરેલું. તેઓ ગામડાની સાથે અનુબંધ કરવા માગતા હતા એ સાફ જણાઈ આવે છે. તેઓ શહેરોને ગ્રામ્યસંસ્કૃતિના પિષક બનાવવા માગતા હતા. આજે પણ તેની એટલી જ જરૂર છે. ગ્રામ્ય સંસ્કૃતિ જેનાં મૂળ સચ્ચાઈ–પ્રમાણિક્તા, નીતિમત્તા વડે સીંચાયા છે તે જ જીવનને ખરે સંસ્કાર છે. તેવા સંસ્કારે આજના શહેરીજીવન માટે બહુ જરૂરી છે જ્યાં ડગલે અને પગલે બેટાઈ, આડંબર, દંભ અને છળક૫ટનાં દર્શન થાય છે. વિશ્વ વાત્સલ્યના સાધક માટે ગામડું તે સામાજિક ક્ષેત્રના એકમ રૂપે આમ આપોઆપ આવીને ઊભું રહે છે. પિતાનું વાત્સલ્ય ગામડાંમાં રેડી તેણે ગામડાંને ઉન્નત કરવાનું રહે છે. સામાજિક ક્ષેત્રથી આગળ વધતાં આર્થિક ક્ષેત્ર તરફ અવાય છે. એટલે હવે વિશ્વ વાત્સલ્યનું આર્થિક એકમ કયું? એ અંગે વિચાર કરવાનું છે. ભારત દેશમાં કદિ પણ કોઈ વાતને કેવળ આર્થિક દષ્ટિએ વિચારવામાં આવી નથી. અહીં અર્થ અને કામની પાછળ પણ ધર્મને અંકુશ રાખવામાં આવ્યો છે. એટલે ધર્મના અંકુશમાં રાખીને આર્થિક ક્ષેત્રનું એકમ વિચારતાં તે તે મજૂરવર્ગ અને મધ્યમવર્ગ રૂપે જ આગળ આવે છે. આ બન્ને વર્ગ આર્થિક નબળાઈના કારણે નીતિધર્મ ઉપર દઢ રહી શકતાં નથી. પરિણામે પાપી-પેટ માટે કેટલાંયે અનિ ચ્છનીય કર્મો અને પાપાચારનું તેમને સેવન કરવું પડે છે. ત્યાંથી તેમને ઊઠવાનો કોઈ રસ્તો જડતું નથી. પરિણામે તેઓ પણ પછાત અને દલિત વર્ગોરૂપે નજરે ચડે છે. આર્થિક ક્ષેત્રના આ એકમ તરફ વાત્સલ્ય વહેવડાવવું એટલે કે આ બન્ને વર્ગોને સંગઠિત કરવાં જોઈએ, બને વર્ગો ન્યાયનો રોટલો રળી શકે એ રીતે તેમનું મેતિક સંગઠન થવું જોઈએ. વિશ્વવાત્સલ્યનાં રાજકીય ક્ષેત્રનાં એકમ રૂપે તે કોઈ રાજ્ય જ આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ શકે! આવું રાજ્ય ધમદ્રષ્ટિએ ચાલતું રહેવું જોઈએ. એવાં કયાં રો છે? તેના જવાબમાં એકમાત્ર ભારત-દેશ જ આવીને ઊભો રહે છે. અહીં હજારો વર્ષોથી ધર્મ અને નીતિને નજર આગળ રાખીને રાજ્ય કરવામાં આવ્યું છે. અહીં રાજ્યધુરા હાથમાં લેવી એટર્સે ધર્મપ્રવર્તન કરવું એમ આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવે કરી બતાવ્યું છે. જો કે આમાં ભરતી અને ઓટ આવ્યા છે પણ એકંદરે ભારતના રાજા ધર્મ અને ન્યાયની દૃષ્ટિએ રાજ્ય કરવાનું વધારે પસંદ કરતા એની એક ભવ્ય તવારીખ પણ છે. આ ભારત રાજ્યમાં જે બે ગ્રંથોનો અહીંની સંસ્કૃતિ ઉપર પ્રભાવ પડ્યો છે તે છે રામાયણ અને મહાભારત. એ બન્ને મહાકાળે ધર્મગ્રંથ ગણાય છે. તેમાં ઠેર ઠેર આદર્શ રાજ્ય કોને કહેવાય તેને ઉલલેખ મળી આવે છે. રાજાઓના ધર્મને ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે – दुष्टस्य दण्डः, सुजनस्य पूजा, न्यायेन कोषस्य च संकवृद्धिः। अपक्षपातो निजराष्ट्रचिंता, पंचाऽपि धर्मा नृपपुंगवानाम દુષ્ટોને દંડ, સજજનોની પૂજા, ન્યાયની રીતે કોષવૃદ્ધિ, નિષ્પક્ષપાતતા, પિતાના રાષ્ટ્રની ચિંતા-(સામાજિક મૂલ્યોનું રક્ષણ), એ પાંચ ધર્મો રાજાના છે. એટલે અહીં જે રાજ્ય શાસન ચાલ્યાં છે-તે રાષ્ટ્રધર્મની દષ્ટિએજ ચાલ્યાં છે. એ દષ્ટિએ રાજકીય ક્ષેત્રના એકમ તરીકે ભારત રાષ્ટ્રને લઈ શકાય છે. એ રાષ્ટ્રના માધ્યમથી બીજા રાષ્ટ્ર તરફ વિશ્વવાત્સલ્ય વહેવડાવી શકાય. “સૂઈબં-માતે આપણા ઋષિ મુનિઓએ ભારતમાં જન્મ લે ખરેખર દુર્લભ છે–એમ કહ્યું છે તે સાચું જ છે. અહીં પ્રકૃતિની અનુકૂળતાએ પુષ્કળ છે, ભૌગોલિક વિવિધતાઓ પણ અનુકૂળ છે; તેમજ અહીં સમૃદ્ધિની વિપૂલતા પણ છે. આ બધા કારણેએ અહીંની પ્રજામાં–આર્યોમાં ઉદારતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ આવી. અહીં આવનાર અતિથિઓને દેવ ગણીને તેમણે પૂજ્યા. એ સિવાય પણ અહીં બીજા દેશે, ધર્મો, સંસ્કૃતિઓ, રીતરિવાજવાળા લોકો આવ્યા. તે બધાને ન કેવળ આવકાર્યા પણ પિતાનામાં ભેળવી લીધા. ક્યારેય બહારના લોકોએ તેની ઉદારતાને દુરૂપયોગ કર્યો અને અહીંના લોકોને તેમના અન્યાયની વિરૂદ્ધ યુદ્ધ પણ કરવાં પડયાં. પણ અંતે તે તેમણે બધાને પચાવીને રાખ્યા હેય તેમ મેળવી લીધા. કોઈ પણ દેશમાં હિંદુ, બૌદ્ધ, જૈન, ઈસાહી, ઇસ્લામી, પારસી, શીખ અને બીજા ધર્મો આટલી સંખ્યામાં નહીં હોય, અહીં જેટલી પ્રકારની માનવજાતિઓ વસે છે તેટલી જાતિઓ પણ નહીં હોય. એટલે ભારતને રાજકીય ક્ષેત્રનું એકમ, વિધવાત્સલ્યના ખેડાણ માટે બનાવવું એ બધી રીતે એગ્ય છે. ગાંધીજીએ ભારતને વિશ્વવાત્સલ્યનું રાજકીય એકમ બનાવવા માટે દેશીવન રજુ કર્યું. જૈનધર્મમાં ગૃહસ્થ સાધકો માટે દિશાપરિમાણવ્રત તેમજ દેશાનકાશિકવ્રત પણ એ જ ભાવનાને અનુરૂપ રજુ કરવામાં આવ્યાં છે. સ્વદેશીને અર્થ એ છે કે પિતાને દેશ અને દેશની બનેલી બધી વસ્તુઓ માટે આગ્રહ રાખવો. તેને અર્થ અન્ય રાષ્ટ્ર પ્રતિ ધણાભાવ ફેલાવવાનું નથી. જે માણસ જે ભૂમિ ઉપર જમે છે તેને કુદરતી રીતે ત્યાં જ વિકાસની બધી સામગ્રીઓ મળી રહે છે. તેને મૂકી વિદેશી વસ્તુઓ તરફ લલચાવું; પિતાના દેશના ઉત્પાદકોને કામધંધા વગરના કરી મૂકવા; દેશને આર્થિકદષ્ટએ ગરીબ થવા દેવો – એ બધાં અનિષ્ટ એક પછી એક આવતાં જાય છે. એટલા માટે સ્વદેશીવ્રત ગાંધીજીએ આપ્યું–જૈનધર્મો પણ આપ્યું. આ આમ બધી રીતે વિચાર કરતાં ભારતને રાજકીય ક્ષેત્રનું એકમ માનવું જ પડશે અને તેથી એના વડે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વવાત્સલ્ય વહેવડાવવું સહેલું થઈ જશે. એનું એક બીજું કારણ એ પણ છે કે અહીં હજારો વર્ષોથી સાધકોએ વિશ્વવાસલ્યના પ્રયોગો કર્યા છે અને અહીં તેની અનુભૂતિઓને ઝીલવામાં પણ આવી છે. " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ વાત્સલ્યના સાંસ્કૃતિક ક્ષેત્રના એકમ તરીકે વિશ્વને રાખી શકાય. જ્યારે સંસ્કૃતિની દષ્ટિએ વિચાર કરવામાં આવ્યા છે ત્યારે માનવ માત્ર જ્યાં વસે છે, એવા સંપૂર્ણ વિશ્વને તેની સંસ્કૃતિનું ક્ષેત્ર ગણી શકાય. વેદના ઋષિઓએ પણ એજ વાત કરી છે – यत्र विश्व भवत्यंकनीडम् –જ્યાં આખું વિશ્વ પંખીના એક માળા જેવું બની જાય છે. स्वदेशो भुवनत्रयम् –ત્રણે લેક (ભારતના લોકો માટે) સ્વદેશ છે. એવી જ રીતે “૩ારવરિતાનાં તુ વસુધૈવ કુટું ” કહીને જણાવવામાં આવ્યું છે કે જેઓ ઉદાર હૃદયના છે તેમના માટે તે આખું વિશ્વ કુટુંબ છે. આમ એક કુટુંબની રાષ્ટ્રની અને એક સંસારની ભાવના વિશ્વમાં વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વમાં બધા પ્રાણીઓ, બધી સુસંસ્થાઓ, બધા રાષ્ટ્ર, બધા સમાજેની સાથે બધા પ્રકારના વાદ, પક્ષ, વિચારધારાઓ અને સંસ્કૃતિઓ પણ આવી જાય છે. પ્રાણીમાત્રની દષ્ટિએ વિચારવાથી સાંસ્કૃતિક એકમની કલ્પના થઈ શકે અને તેને વિશ્વ પૂરું પાડે છે. સાંસ્કૃતિક ક્ષેત્રના એકમ તરીકે વિશ્વવાત્સલ્ય સાધવું એટલે કે સાધકે વિચાર કરવાનું કે તે આખા વિશ્વને સંસ્કૃતિથી સભર કેવી રીતે કરી શકે અને તેનો અમલ કઈ રીતે થાય? અહીં નાનામાં નાના પ્રાણું પ્રત્યે કરૂણા આણી તેના સુખ અને વિકાસને વિચાર કરવાને છે. તે સમસ્ત પ્રાણીઓના કલ્યાણની કામના કરે છે; એ રીતે વિચારે છે અને તે પ્રમાણે અનુસરે પણ છે. સાધક જ્યારે વિશ્વ વાત્સલ્યને વિકાસ સાધે છે ત્યારે તે વિશ્વ સાથે સાંસ્કૃતિક દૃષ્ટિએ અનુબંધ જોડે છે. ત્યારે તેની ચિંતા તેને કરવાની રહેતી નથી. તેની ચિંતા વ્યક્ત જગતની સાથે અવ્યક્ત જગત આપોઆપ કરવા લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ “તત્ર મોદ: : શેર? gવનુપરવતઃ ” , જે બધાને એકસમાન દષ્ટિએ જુએ છે–વિચારે છે ત્યાં મેહ કે શોક શું? જ્યારે સાધક બધા પ્રાણીઓ પ્રતિ વાત્સલ્ય રેડશે તે જગતના બધા પ્રાણીઓને સોગ, તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળશે જ. * આખા વિશ્વ પ્રતિ વાત્સલ્ય વહેવડાવવાના ઘણા દાખલા સુપ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરે ચંડકૌશિક જેવા ઝેરી સાપ તરફ અને શિબી રાજાએ પારેવા પ્રત્યે પ્રાણના ભોગે વાત્સલ્ય વહેડાવ્યું હતું. એવી જ રીતે ભગવાન ઋષભદેવની દીક્ષા બાદ માતા મરૂદેવી તેમની ખૂબ ચિંતા કરતા. એકવાર ઋષભદેવ અયોધ્યા આવ્યા ત્યારે માતા ભરૂદેવી તેમના દર્શન કરવા સમવસરણમાં ગયા. ત્યાં તેમણે જોયું કે જે ઋષભની તેઓ ચિંતા કરતા હતા તે તે આખા જગતની ચિંતા કરે છે. બધા અલગ અલગ જાતિના પ્રાણુઓ વેરભાવ ભૂલીને એની સભામાં બેઠા છે. ત્યારે માતા મરૂદેવીને વિધવાત્સલ્ય પ્રગટાવવા માટે પ્રેરણા મળે છે અને તેઓ પુત્રવાત્સલ્યને બદલે વિશ્વ વાત્સલ્યને વિચાર કરે છે જેથી મોહ, શોક કે ચિંતા રહે જ “હીં. તેમને ત્યાં જ આત્મજ્ઞાન (કેવળજ્ઞાન) થાય છે અને તેઓ મુક્ત થાય છે. કોઈ પણ તીર્થ કર, અવતાર, મસીહા કે પયગંબર જ્યારે વિશ્વ વાત્સલ્યના સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિશ્વવાત્સલ્ય રેડે છે તે તેઓ કેવળ કોઈ એક વાત કે જાતને નહીં, સમસ્ત માનવ સમાજ અને જીવમાત્ર તરફ તેને વહેવડાવે છે. એટલે વિશ્વવાસનાં સાંસ્કૃતિક ક્ષેત્રનાં એકમ તરીકે આખું વિશ્વ લઈ શકાય છે. વિશ્વવસલ્યના આધ્યાત્મિક ક્ષેત્રના એકમ તરીકે “માનવ”ને લઈ શકાય છે. બીજા પ્રાણીઓ કરતાં માનવમાં, બુદ્ધિ, શક્તિ, ઉદારતા, સંસ્કાર અને વિચારશકિત વગેરે વધારે છે. તે જ આખા વિશ્વમાં વાત્સલ્યા વહેવડાવી શકે, એની તેને બીજું કોઈ પ્રાણી આવી શકે નહીં. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ . આખા વિશ્વના જીવાત્માઓમાં કેવળ માનવને જ મોક્ષને અંધકારી માનવામાં આવ્યો છે. માનવ વડે જ, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ એટલે વિશ્વ સુધી વાત્સલ્યને સંચાર થઈ શકે. માનવ પ્રાણું જેટલું સંવેદનશીલ છે તેટલું બીજું કઈ નથી. એ વાત્સલ્યરસની અનુભૂતિ ઝીલી શકે છે તેમ જ તેની પ્રત્યાનુભૂતિ બીજા ઉપર પાડી શકે છે. જ્યાં સુધી વિશ્વવાત્સલ્યનું આધ્યાત્મિક એકમ સર્વ પ્રથમ પોતે જ ઉત્કટ વાત્સલ્ય રસમાં ન ભજાય. તે એવું ઉત્કટ વાત્સલ્ય બીજા પ્રતિ ન વહેવડાવી શકે. એ માટે માનવ જ શ્રેષ્ઠ એકમ છે. એકવાર જેણે વિશ્વવાત્સલ્યને સિદ્ધાંત સારી પેઠે જાણે; તેણે સમસ્ત જીવ-સૃષ્ટિ પતિ-પશુપખી, કીટપતગ, તેમજ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે જીવસૃષ્ટિ પ્રતિ સ્વયંભૂ વાત્સલ્ય વહેવડાવ્યું છે. પછી તેના માટે ધર્મ, જાતિ કે પ્રદેશના બંધને રહેતાં નથી એટલું જ નહીં. તેના વાત્સલ્ય માટે કેવળ માનવસમાજ એવું પણ બંધન ટકતું નથી; તે તો સમસ્ત સમષ્ટિ, અને તેની જીવસૃષ્ટિ પ્રતિ સમાનભાવે વહે છે. માનવ આવું વિશ્વ વાત્સલ્ય સાધી શકે છે એટલે જ તેને આધ્યાત્મિક ક્ષેત્રના એકમ તરીકે સ્વીકારી શકાય છે. આજે પણ એવા અનેક દાખલાઓ મળી આવે છે કે જેમણે જીવનમાં વિશ્વ વાત્સલ્ય સાધ્યું છે એવા યોગીઓ પાસે હિંસક પશુઓ-વાઘ-સિંહ વગેરે શાંતિથી બેસે છે. એટલું જ નહીં પરસ્પરના વેરી અને કર પ્રાણીઓ સાપ-નાળિયે, સિંહ-બકરી પણ સમાનભાવે શાંત બેસે છે. તેઓ પરસ્પરના વેરને વિસરાવી દે છે. એટલેજ એગદર્શનમાં કહ્યું છે – * “અહિંસા–તિદાસ; સાનિઘ દ્વાચાર” અહિંસાની સંપૂર્ણ પ્રતિષ્ઠા થઈ જતાં; ત્યાં આગળ બધા જ પરસ્પરને વેરભાવ છેડી દે છે. ગીતામાં વિરાટનું દર્શન માનવ મુખમાં બતાવવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહાભારતમાં “માનવથી કઈ મહાન નથી !” એવું સનાતન સત્ય ઉચ્ચારવામાં આવ્યું છે. જેનેએ ત્રણલેકની કલ્પના જે ચૌદ રાજ પ્રમાણમાં કરી છે તેની આકૃતિમાં માનવ-આકાર બતાવવામાં આવેલ છે. એની પાછળનું રહસ્ય એ જ છે કે કેવળ મનુષ્ય એટલી અને એવી આધ્યાત્મિક શક્તિ ધરાવનારે છે કે તે પિતાની અંદર આખાં વિરાટ વિશ્વને સમાવી શકે છે. તે એટલી સિદ્ધિને સાધી શકે છે. બધા ધર્મશાસ્ત્રોએ એટલા માટે જ એકસ્વરે મનુષ્ય જન્મને દુર્લભ બતાવ્યો છે. જેનોએ ચાર પરમ અંગની દુર્લભ પ્રાપ્તિમાં પહેલાં અંગ તરીકે મનુષ્યભવને બતાવેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં યુ વનુ માપુરે મ” મનુષ્ય જન્મ ખરેખર દુર્લભ છે એમ કહ્યું છે. બૌદ્ધધમેં પણ માનવ જન્મને દુર્લભ બતાવે છે. હિંદુઓમાં પણ बडेभाग मानव तन पावा। सुरदुर्लभ ग्रन्थकोटिन्ह गावा ॥ – તુલસીદાસજીએ રામાયણમાં ઉપરની પંક્તિઓ કહી છે કે મહાપુણ્ય મનુષ્યનું શરીર મળે છે જે દેવોને પણ દુર્લભ છે અને જેનો મહિમા કોટિ કોટિ ગ્રંથોએ ગાયો છે. ઈસાઈ ધર્મમાં પણ એજ વાત કહેવાઈ છે: “ Human body is the tempel of god.” મનુષ્યનું શરીર ઈશ્વરનું મંદિર છે. કારણકે ઈશ્વર સુધી આ મંદિર વડેજ પહોંચી શકાય છે. આનો અર્થ એ કેઈએમ કરે કે બધા મનુષ્યો વિશ્વવાત્સલ્યની પૂર્ણ સાધના કરી લે છે. માનવને તેને અધિકારી જરૂર માનવામાં આવ્યો છે પણ જો અધિકારથી વિરૂદ્ધ કામ કરે તો તે “ધિકારી ધિક્કારને પાત્ર પણ બની જાય છે. તેને સર્વોચ્ચ બતાવીને તેના ઉપર પ્રાણ-વાત્સલ્યની સંપૂર્ણ જવાબદારી નાખવામાં આવી છે. એ તેને બજાવવાની છે. તેણે એમ ન સમજવું જોઈએ કે હું તો સહુ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છું. માટે મને બધાં અનિષ્ટ કરવાને હક્ક છે. તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ જે બુદ્ધિ, બળ અને વિચારશકિત મળ્યાં છે તેનો ઉપયોગ તેણે બીજા કાણુઓને વધારેમાં વધારે સંરક્ષણ, જીવન સંવર્ધન અને અભયપ્રદાન કરવામાં કરવાનું છે. આમ આખા વિશ્વ પ્રતિ વાત્સલ્ય વહેવાડી શકે તેનું મેગ્ય પાત્ર અને અધિકારી કેવળ માનવ આવે છે. એટલે તેને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિશ્વ વાત્સલ્ય વહેવડાવવાના એકમ તરીકે લેવામાં આવ્યા છે. ઉપર જે જે એકમે અને વિચાર કરવામાં આવ્યો છે, તેના ઉપર પરે વિચાર કરી; તે તે એક મારફતે તેમનાથી સંબોધિત ક્ષેત્રમાં વાત્સલ્ય વહેવડાવવાનું કાર્ય સાધકનું છે. તે કાર્ય એ રીતે ઉપાડી લે ને વિશ્વ વાત્સલ્ય સિદ્ધ થવામાં સરળતા રહેશે અને વાર નહીં લાગે. ચર્ચા-વિચારણું પ્રત્યક્ષ અને પક્ષ વિજીવાત્સલ્યનાં એકમો શ્રા માટલિયાએ વિશ્વવાત્સલ્યનાં એક ઉપર ચર્ચા શરૂ રતાં કહ્યું – વિશ્વ વાત્સલ્યના પ્રત્યક્ષ એકમે ત્રણ ગણું શકાય :–(૧) કુટુંબ (૨) ગ્રામ (૩) નગર (મુંબઈ જેવા મોટાં શહેર નહીં) બાકીનાં બે એકમો પરોક્ષ છે તે (૧) દેશ અને (૨) વિશ્વ. હવાને અનંત ઉપકાર છતાં યાદ ન રહે કારણ કે તે સ્વાભાવિક છે. એવું જ સ્વાભાવિક કુટુંબ જીવન માટે આ દેશમાં છે. એક કુટુંબ સમાજ જીવનમાં શું શું કરે છે, તેને કોઈ ગણવા બેસતું નથી. તે છતાં તેના જે ઉપકાર છે તે અમૂલ્ય છે. કુટુંબનો ફાળો એક કુટુંબમાં ઘણું ભાઈ અને બહેનો, સ્ત્રી અને પુરુષે રહે છે. જેમકે દીયર, ભેજાઈ. જે, નાનાભાઈની વહુ, સસરે, સાસુ, વહુ તે છતાં અપવાદ સિવાય નવાઈની વાત છે કે આખું કુટુંબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ આટલા જુદા જુદા પુરુષ અને સ્ત્રીઓ સાથે રહેતા છતાં અધિકારી ભાવે રહી શકે છે. કોઈપણ પ્રકારના ચિત્તકલેશ વિના કોઈપણ પ્રકારના ભય વિના નિર્ભયતાપૂર્વક સહજીવન ગાળી શકે છે. આ પ્રણાલી જળવાય છે, એનું કારણ કુટુંબ ભાવનાના વર્ષોના સહજ સંસ્કાર છે. ત્યાં વિકાર જોવામાં આવતા નથી. આમ કામ-વિકારનું ઉપશમન કરવામાં કે કામ-વિકારને મંદવામાં કુટુંબ-એકમને અગત્યને ફાળે છે અને તેણે વિશ્વવાત્સલ્યના માર્ગને સરળ કર્યો છે. એજ બીજે ગુણ કુટુંબ એકમે ખિલવ્યો છે તે છે નિર્લોભને. એક કુટુંબમાં એક સભ્ય કમાય, બીજે ન કમાય ! એક વધુ કમાય અને એક ઓછું કમાય તોયે સોને સરખાં ગણીને ચાલવાનો કાયદે કુટુંબ વડે જ આવ્યો છે. એક રીતે તે નિર્લોભાવૃત્તિને કેળવે છે. ઘણીવાર કુટુંબમાં સાથે રહેતાં એવું પણ બને છે કે કોઈને રીસ થાય. કોઈ આવેશમાં આવી જાય કે ધે ભરાઈને વઢવાડપણ થાય તે છતાંયે છેવટે તો કુટુંબ માટે સારૂ નહીં, એમ કહી તેના અંગે શરમાવું પડે, પસ્તાવું પડે કે ગમખાઈ જવો પડે. આમ કેધ ઉપર અંકુશ આવે. “ડગે માર્યા પાણી ન છૂટે તેમ ભાઈઓનાં હેત ન છૂટે” એ કહેવત કુટુંબ ભાવનાનું જ પ્રતિબિંબ છે. નિરંકુશ ક્રોધને સામ્ય-શાંત કરવાની ક્રિયા પણ કુટુંબમાં જ સધાય છે. એવી જ રીતે વધારે પડતી મમતા કે પક્ષપાત ઉપર પણ કુટુંબમાં અંકુશ આવી જાય છે “મારું બાળક” કે “મારા પતિ” વિ. મમતા બેટુ રૂપ પામી વિકસતી નથી પણ તે અંતરની ઊમિ બનીને વાત્સલ્ય ભાવમાં પરિણમે છે. આમ જોશું તો કુટુંબમાં કામ, કેપ, લેભ અને મોહ ઉપર અંકુશ લાવવામાં મદદ મળે છે તેમજ અનેક જાતના સંબંધને કારણે કર્તવ્યનું ખેડાણ પણ કુટુંબમાં વધે છે. કાકા-કાકી, ભત્રીજાની વહુભત્રીછે, નણંદ-ભોજાઈ એમ અનેક તરફનાં કર્તવ્ય બજાવવાં પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ જેમ કામને ડામવામાં મદદરૂપ છે તેમ અંગાર ભાવને પણ અંકુશમાં આણવામાં અકસીર છે. કદાચ સ્ત્રી અને પુરુષ એકલાં રહે તેને કુટુંબ ગણી શકાય તે બહિર્લક્ષી છે. તેનાં મૂલ્યો કે સાધને કર્તવ્યના ખેડાણમાં ઉપયોગી થતાં નથી. તેવું કુટુંબ ભાગ્યે જ વિશ્વવાસલ્ય ને પિષક બને છે. એવું કુટુંબ પિતાનાં સંતાનોને એકલપટું બનાવે છે. તેમનામાં એજ્યાં રહેવાની, ખાઈ પી લેવાની જે આદત પડે છે, તેના કારણે તેવાં સંતાને આગળ જતાં મા-બાપને પણ ધક્કો દઈ એકલવાયાં બને છે. કયારેક કુટુંબમાં ન રહેતાં ભાઈઓના બાળકોને તેમના મા-બાપ “કાકા આવા છે—કાકી આવાં છે.” એમ કહીને એક પ્રકારની રીસ અને ઝેર બાળકોમાં ભારે છે. આવું કુટુંબ સ્વાર્થ તેમજ બેગ પ્રધાન હોઈને વિશ્વ વાત્સલ્યને પિષક બનતું નથી. એવી જ રીતે સંયુક્ત કુટુંબની પવિત્ર જવાબદારીઓ જ્યાં અદા ન થતી હોય તે તે પણ દોષયુક્ત બને છે. જે કુટુંબના સભ્યોમાં રૂઢિચુસ્તતા હોય ત્યાં નાહક જીદના કારણે કુટુંબને વિકાસ રૂંધાય છે અને જ્યાં દાંડાઈ હેય છે ત્યાં કન્યા-કરાર, વરકરાર કે અન્યાયી તોની છત થાય છે. પરિણામે કુટુંબમાં જે વાત્સલ્ય રહેવું જોઈએ તે ચાલ્યું જાય છે અને પિતાની જોહુકમી ને દાંડાઈના બળે જીતવાનો તે અખાડે બની જાય છે. આ કારણે કુટુંબમાં જે છિન્ન-ભિન્નતા થાય છે, તે નુકસાનજનક છે. આજે મેણું ટોણાં મારવા, ખાનગીપણું રાખવું વ. કુટેના કારણે સંયુકત કુટુંબની પ્રથા ઉપર પ્રહાર થાય છે. પણ એ બધી ટેવોને સુધારવાથી જ જીવનકલ્યાણ થઈ શકે છે. વિવિધ તામાં એકતા સાધવાની દષ્ટિએ કુટુંબ વિશ્વ વાત્સલ્યનું એકમ જરૂર છે. રાષ્ટ્રહિત માટે કુટુંબપ્રથાને નાશ યુરોપમાં, ખાસ કરીને રશિયા અને પૂર્વ જર્મનીથી એ કાર્યક્રમ શરૂ થયો છે કે માનવી મમતાવાળો ન થાય પણ રાષ્ટ્રહિતેચ્છુ બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તે માટે કુટુંબપ્રથાને નાશ કર. બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી આવે-જાય પણ ત્યાર બાદ સંબધે બધ. વૃદ્ધ મા-બાપે જાય વૃદ્ધાશ્રમમાં. આમાં માનવીને સ્વાભાવિક વાત્સલ્ય-અનુબંધ તૂટી જાય. એથી અમેરિકાએ (૧) કુટુંબ (૨) વિચાર સ્વાતંત્ર્ય (૩) ખેરાક અને (૪) ધર્મ એ ચારેય બાબતોમાં લોકોને સ્વતંત્ર રાખ્યા છે. તે એકંદરે ઠીક છે. જો કે ઈતિહાસ પ્રમાણે આર્યોની જ એક શાખા યુરોપ વ. દેશોમાં ગઈ છે પણ ત્યાં કુટુંબ જીવન ખીલ્યું નથી. આ ભારત દેશમાં તે ખીલ્યું અને પરિણામે ગ્રામ્યજીવન પણ ઠીક ઠીક ખીલ્યું. ધારીઓને કામ, પિષણહીનને પિષણ, શિક્ષણ વિહીનને શિક્ષણ, વ્યક્તિને રક્ષણ વ. બધું કામ સમાજમાં વ્યાપક બને છે. અહીં કુટુંબમાં મળેલી તાલીમ જ વ્યાપક બને છે. કુટુંબ વાત્સલ્યને તાંતણે જ ત્યાં પ્રેરક બળ બને છે અને વિકસે છે. ગ્રામ સમાજના એ રીતે વેપારી, ખેડૂત, વસવાયા, ચેકીદાર, પંચ વગેરેના કારણે કુટુંબ ભાવના આવી. બધા એક કુટુંબના સભ્યો જેમ વર્તવા લાગ્યા. ગ્રામની સ્ત્રીની પવિત્રતા માટે સમગ્ર સમાજે આગ્રહ સેવ્યો. સહિયારી રોજી અને સહિયારૂ કાર્ય તેમજ સહિયારાં જીવન થયાં, સંબધ નેહાળ બન્યાં. તેમ જ જ્યાં એવું નથી થયું ત્યાં વિશ્વ વાત્સલ્યની દષ્ટિએ ગ્રામ સમાજ જેવી સુસંસ્થાઓ ઊભી કરવી પડશે અને વિશ્વ સાથે તેમને સાંકળવા અનુબંધ વિચારને અપનાવવો પડશે. કહેબ એકમ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ - શ્રી દેવજીભાઈએ કુટુંબ એકમને ઉપકારી બનાવવા માટેનો એક દાખલો આ પ્રમાણે આપો :– અમારા ભચાઉ ખેડૂત મંડળ પાસે ઘણીવાર ઘણા પ્રશ્નો આવે છે. એમાં એકવાર એક કુટુંબને પ્રશ્ન સામે આવ્યો. એક મા, દીકરે અને દીકરાની વહુ વચ્ચેનું ઘર્ષણ વધ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દિકરાએ શુદ્ધિ પ્રાગની વાત સાંભળેલી એટલે તે ઉપવાસ ઉપર ઊતર્યો. મા એથી વધારે ગુસ્સે થઈ. ગામના લોકો માને ઠપકો આપવા લાગ્યા. મારી પાસે સાંજે પાંચ વાગે વાત આવી. બીજાઓ ત્યાં હતાં. હું પણ ત્યાં પહોંચ્યો. આ વાત જાણવા માટે મેં બાઈને પૂછ્યું : “શું વાત છે?” બાઈએ કહ્યું : “છોકરાના બાપ ગુજરી ગયા ત્યારથી ઘરનું માંડમાંડ ચાલે છે. છોકરે અલગ રહે તે ખર્ચા પૂરાં પડતાં નથી. તે પરદેશ જાય તે મને ગમતું નથી. એટલે સૌ સાથે રહીએ એવી મારી ઇચ્છા છે.” હવે છોકરાની વહુને પૂછયું : “તને શું વાંધો છે?” એણે કહ્યું : “સાસુની પ્રકૃતિ સાથે મારે મેળ ન પડે?' આથી સાસુ અને વહુ બન્નેને સમજાવ્યા. વહુને કહ્યું “સાસુને ધ થાય તે પે સામું ન બેલવું!” સાસુને કહ્યું : “ટેવને લઈને બેલાઈ જાય તે દિલગીરી દર્શાવવી. આમ પ્રયત્ન વડે તે કુટુંબને મેળ જામી ગયે. બીજુ ઘર ભાડે આપતાં કુટુંબની આવક પણ વધી; કારણે બે ઘર હતાં તે એક થતાં, બીજું ઘર ખાલી પડયું હતું. જે આ રીતે કુટુંબ એકમને સાધવામાં આવે તે વિશ્વ વાત્સલ્યની સાધના સરળ થાય. આ જ એક બીજો દાખલો આ પ્રમાણે છે – - ભચાઉ ખેડૂત મંડળ સારું કામ કરે છે એ જાણીને લોકો કેટે ન જતાં અમારી પાસે આવવા લાગ્યા. એકવાર બીજા ગામની એક ફરિયાદ આવી. તેમાં જેઠાણીના દીકરાની વહુ સાથે ઝઘડો થતાં તેણે અને ગામમાં રહેતી તેની માએ બાઈને ખૂબ મારી. ફરિયાદ આવતાં ગામના બે-ત્રણે પ્રતિષ્ઠિત માણસોને લઈને હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ તે ગામમાં ગયે. પહેલાં તે દાંડાઈનું જોર હતું પણ આ તે સામાજિક દબાણ છે એમ માની તેઓ નરમ પડ્યા. મોટાભાઈએ એક વાત મૂકી : “મારે નાનો ભાઈ મારી સાથે બેલતો નથી–રામરામ પણ કરતા નથી.” તેની વાત રીતસરની હતી એટલે અમે મોટાભાઈની વાત નાનાભાઈ આગળ મૂકી કે “ગમે તેમ તોયે તારા મોટાભાઈ! તેમને જઈને પગે પડ ! તું અમારી સામે એમ કરીશ તે ગામના લોકો જશે અને તારી આબરૂ વધશે. સાથે કુસંપ પણ દૂર થઈ જશે!” . તેણે તેમ કર્યું. ગામ નાનું હતું અને તરત બને ભાઈઓમાં સંપ થઈ ગયો. ' આમ જ્યાં ગ્રામ સંગઠને હેય તેમણે કુટુંબ એકમોમાં મેળ સાધવો જોઈએગ્રામશકિત વધે કે રાજ્યને પણ તેની આગળ નમવું પડે છે કારણ કે લોકશાહીમાં લોકે જ શક્તિ છે. કેવળ તેમનાં સંગઠન યોગ્ય અને ન્યાયપુરઃસર થવાં જોઈએ. વિધવાત્સલ્યની પહેલ કુટુંબથી થવી જોઈએ! શ્રી પૂજાભાઈએ વિધવાત્સલ્યની પહેલ ઘરથી થવી જોઈએ તે ઉપર વિચાર દર્શાવતાં કહ્યું : “જે કુટુંબ સારાં ન હોય તે વિશ્વ વાત્સલ્યના માર્ગે પહેલ કયાંથી થાય? એટલે કુટુંબ એકમને વિશ્વાત્સલ્ય બળને સંચાર કરવા શકિતમાન કરવું જોઈએ. - સાસુ વહુ કડાકૂડ લડતા હોય અને બાળક ધાવતું હોય તે તેની કેવી છાપ પડે? બાળક પર, ગર્ભ ઉપર વિચારો અને વાતાવરણની અસર થાય છે. એટલે વિશ્વ વાત્સલ્યના માર્ગે પહેલ કરવા કુટુંબ માર્ગે જવું જોઈશે. વડીલોએ નીતિ-રીતિ સમજી ગ્ય માર્ગે જવું જોઈએ તેમજ બાળકોએ પણ વડીલોને સત્કારવા જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ - કેટલાંક કુટુંબે આપણું ઉપર એવી આદર્શ છાપ મૂકે છે કે તે વિસરાતાં નથી. ૧૯૫૧-૫ માં ભાલ–નળકાંઠા પાલક મંડળને પચાસહજાર રની વ્યવસ્થા સંભાળવાની હતી. ત્યારે સાખબારા અને છેલઆંબા વચ્ચે એક સહકારી ખેતી મંડળીને એક કુટુંબના વિવિધ સભ્યો ચલાવતા હતા. તેને જોઈને ઘણો આનંદ થયો. અમે ગયા કે તરત આવકાર આપ્યો. મંડળીના સભ્યોનું મજૂર સાથેનું જે વર્તન હતું. તે અજોડ હતું. એક બહેન ઘરના માણસની જેમ સૌને પીરસતા હતા. બધાને કામ સરખું; ખોરાક સરખે અને આરામ સરખો. અમુક સમય ગાંધી વિચારની ગીતા (અનાસક્તિ યોગ)નું વાંચન થતું. તે કુટુંબને જોઈને સંતોષ થયો કે આવું કુટુંબ ખરેખર વિશ્વવાત્સલ્યનું એકમ બની શકે. એની વિરૂદ્ધ એક વાઘરી કુટુંબને દાખલો આપી શકાય. આ લોકો છત્રી સમી કરવાને ધધ કરતા. કુટુંબમાં મા-બાપે નાનપણથી. બાળકોમાં સંસ્કાર ન નાખ્યા પરિણામે બાળકો મોટાં થતાં ચોરી વગેરે શીખ્યાં અને કુટુંબને આનંદ ચાલ્યો ગયો. જરાક એ સુધરતા કુટુંબ શ્રી દેવજીભાઈએ કહ્યું: “એ વાત સાચી છે. વાઘરી કુટુંબ પાછળ છે કારણકે તેમને જાત–વિકાસની તક ઓછી મળી છે. તેમનામાં બે ગુણે તે જોવામાં આવે છે? –(૧) નાતને સુસં૫. (૨) ગરમ સ્વભાવ. તેમને જરાક ઓથ સાચી દિશાએ જવાની. આપવામાં આવે તે વાળ્યાં તરત વળે તેવા છે. અમલદારે, શ્રીમતે અને નગર ઉપર ઉપકાર કરીએ તેયે શંકાની નજરે તે જુએજ કે કંઈક કારણ હશે. ત્યારે આ પછાત વર્ગ થોડા ઉપકારને પણ મેકો મળતાં વધુ આભારે તરત વાળે. આ લોકશક્તિ વ્યવસ્થિત થાય તો દેશ અને વિશ્વને કેટલી બધી ઉપયોગી થઈ પડે! એટલું જ નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિશાળ સમાજને બાધકરૂપ થવા કરતાં સહાયક બને અને પિતાને ઉગારી લે. આ બધાના અનુબંધની તત્કાળ જરૂર છે. વિશ્વ વાત્સલ્યમાં બાધક તત્તે શ્રી બળવંતભાઈએ કહ્યું: “મારા નમ્ર મત પ્રમાણે વિશ્વ વાત્સલ્યમાં ચાર બાધક ત છે –(૧) ગરીબી (૨) ગામ અને નગરના દાંડતર (૩) રાજકીય પક્ષ અને (૪) વધારે પડતા કાયદા કાનને. અમે એક ગામમાં ગયેલા. શરૂઆતમાં આત્મશુદ્ધિ માટે ત્રણ ઉપવાસ કરીને, ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. બપોર સુધી રેંટિયો કાં પણ કઈ મળવા ન આવ્યું. સાંજે સહકારી મંડળીમાં કામ કરનાર એક ભાઈ ત્યાં આવ્યા. સાંજના જમણની વ્યવસ્થા પણ ત્યાં થઈ ગઈ રાત્રે સભાને વિચાર કર્યો પણ દરબારે બતી ન આપી. તેથી ખુલ્લા દિલે વાતે ન થઈ શકી. વહેલી સવારે ભજન ગાતા હતા ત્યારે લેકે આવ્યા. તેમણે કહ્યું: અહીંની બધી સ્થિતિ તેમજ પંચાયત વ. એવાં છે કે આગળ વધી શકાય નહીં. કારણ કે અહીંની પરિસ્થિતિમાં અમલદારે લગભગ દરબારને ત્યાં ઊતરે છે. તેથી અમલદારો શેહમાં તણાઈ જાય છે. દરબાર અને તેને કારભારી (કામદાર) મળીને આખા ગામને દબાવે છે. આમ ગરીબાઈના કારણે ન બેસવું અને દાંડતાનું સહન કરવું. જેથી લોકો ઉપર આવી શકતાં નથી. એવું જ એક તત્વ રાજકીય પક્ષે છે. તેઓ પણ લોકોના મનને જુદાં પડાવે છે. મહાગુજરાત જનતા પરિષદે જે સ્થિતિ જન્માવી હતી તે એવી ખરાબ હતી કે તેના પ્રત્યાઘાત રૂપે નડિયાદની પરિસ્થિતિ - સુધી સુધરી નથી. 1. આ સિવાય વાત્સલ્ય વહેવડાવનારી અને વિશ્વ વાત્સલ્યની પ્રતીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સમાન “માતા” પિતાના સ્થાનેથી નીચે ઊતરતી જાય છે. જ્યાં સુધી માતૃપક્ષ સબળ, સમૃદ્ધ અને ઉન્નત ન બને ત્યાં સુધી વિશ્વ વાત્સલ્યનું રાણ ક્ષણ બને છે. આજે સ્ત્રીઓમાં આપઘાતના બનાવ વધતાં જાય છે. દાંડ. તો તેને કચડી નાખવા પ્રયત્ન કરે છે. ચારસો માણસની વસતિના એક ગામની આ વાત છે. ત્યાં એક બાઈ સગર્ભા હતી. બિચારીનું કઈ ન સાંભળે. તેને પતિ પણ ન સાંભળે. તેની સાસુ તેના ઉપર ગુજારવામાં બાકી ન રાખે. ધણું માના સૂરમાં સૂર ભેળવે. તેને કોઈ સમજાવનાર પણ નહીં. તેમને માર્ગદર્શન આપનાર પણ કોઈ નહીં. એટલું જ નહીં કોઈ વચ્ચે પડવા જાય તો તેના માર્ગમાં અવરોધ થાય. આ બાઈ એટલી બધી કંટાળી ગઈ કે આપઘાત સિવાય કઈ આરે ન રહ્યો. ખરેખર એ વાવમાં જઈને પડી. એનાં કાગળિયાં થયાં પણ ટાં. સરપંચને તે કુટુંબે વશ કરેલા. એટલે સરપંચે પેલી પટેલને સાધ્યા અને તેમણે એક હલકાં ચારિત્ર્યવાળી બાઈને સાક્ષીમાં ઊભી કરી; જેણે કહ્યું : “ભરનાર બાઈને વાઈ આવતી હોવાથી વાવમાં પડી ગઈ છે. તે મેં જોયું છે !” કેસ ઊડી ગયા. પેલું કુટુંબ પિતાની દાંડાઈ ઉપર રાજી થયું અને પાછી સમાજમાં એની પ્રતિષ્ઠા પણ કાયમ રહી. તે છોકરાંને બીજી કન્યા આપનાર માબાપ પણ મળી રહ્યા. આમ આજે માતૃપક્ષ નીચે પડી રહ્યો છે. આને દૂર કરવા માટે ભાલનળ કાંઠા, કચ્છ અને ગુજરાતનાં જેવાં નાકર ખેડૂત મંડળ વ. સંગઠન ઊભાં થાય તે દેશભરમાં માતૃપક્ષ સાથે થતા અન્યાય દૂર થઈ શકશે અને પત્નીને સળગાવી નાખવી: વહુને મારી નાખવી કે કન્યાઓએ કુ પુરવાની વાત એછી સાંભળવા મળશે. તેમજ એવાં તત્ત્વનું સામાજિક મૂલ્યાંકન થતાં તેમની પ્રતિષ્ઠા નહીં રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વાત્સલ્યમાં માન ન લેવું જોઈએ - પૂ. દંડી સ્વામીએ માતૃપક્ષમાં જે બેટી માનમર્યાદા પ્રવેશી છે નેને દાખલો આપતાં કહ્યું : “વિશ્વવાત્સલ્યનાં એકમેની વાત બરાબર છે. પણ એ એક સારાં હોવાં જોઈએ. * આજે તે એવું બને છે કે વહુ ના પડે તેમાં પણ સાસુને પિતાના મઢે “ના” નથી કહેવાણ એમ સમજીને હીણું લાગે છે. - એક બ્રાહ્મણને એક વહુએ લોટ ન આપે. રસ્તામાં સારુ મળ્યા, ગિર મહારાજને કહ્યું : “પાછા ચાલો !” " એમ કહીને ગરજીને સાથે લઈ ગયા. પછી ઘેર જઈને ડેલીએ ઊભી ને કહ્યું : “મહારાજ, પછી આવજે!” પેલા બ્રાહ્મણે કહ્યું: “તે, પછી મને શા માટે પાછો લાવ્યા હતા? ત્યારે સાસુએ કહ્યું: “મહારાજ ના પાડવાની સત્તા વહુની ન હોય. તે મારી છે એટલે તમને પાછા બેલાવી ના પાડી. કાલે કોઈ એમ તે નહીં કહેને કે સાસુનું ચાલતું નથી ?” આવા બેટાં માન-અપમાનમાં રાચીને ભાત પક્ષ લજાઈ રહ્યો છે. જેતપુરને પણ એક એવો દાખલો છે. ત્યાં એક દુર્ગુણી સ્ત્રી પિતાના પતિ સાથે બાઝયા તો કરે પણ તેને મારેય ખરી. બધા ઘણું રીતે સમજાવી પણ તે તે ધણીને બાયલો જ ગણે. અંતે તેને તેડ કાઢવા સલાહ આપી : “ખેતર તારે નામે છે! તે તું ખેતી કર અને અનાજ લઈ લે. બનતું નથી તે જુદી એરડી રાખીને રહે ” આમ થવાથી બાઈની અક્કલ ઠેકાણે આવી. ટુંકમાં માતપક્ષ માતૃભાવથી નીચે ઉતરત જઈ રહ્યો છે તેને સુધારો રહ્યો અને કુટુંબ એકમને સહર બનાવવું જોઈએ. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અભેટ સેવા શ્રી સવિતાબેને કુટુંબ વાત્સલ્યને સેવા રૂપે બીજા સુધી રેડવાને દાખલો આપતાં કહ્યું – એક પટાવાળાને ૧૦૬° ડીગ્રી તાવ આવે. તે વખતે મોટા મંત્રીએ સેવા ન કરી પણ અમે બંનેએ (પત્ની-પતિ) સેવા કરી તે વખતે મંત્રીના ઠરેલા પત્નીએ કહ્યું : “એવાને બહુ ન ચઢાવીએ.” અમારે તે સેવા કરવી હતી એટલે કરી. પટાવાળો સાજો થયો તે અમારો ખૂબ ઉપકાર માનવા લાગ્યો, મેં કહ્યું : “ભાઈ! તું હમણાં જ પરણે છે. તારી મા હોય તે તેને કેવી લાગણી થાય! એવી જ પ્રેરણાએ અમે બન્યું તે કર્યું છે. અમારે છોકો માં પડે તે અમે સેવા કરીએ કે નહીં?” બિચારો ઉપકારવશ થઇને ગળગળો થઈ ગયો. તે મંત્રીનાં પત્નીને લાગ્યું કે અમે દેખાવ કરીએ છીએ. તેમણે અમારી બનેની પરીક્ષા વિધી. પણ એમને ખાતરી થઈ કે આમને (અમને) કશા પણ પૂર્વગ્રહ કે સ્વાર્થ વિના સેવા કરવાની ટેવ છે. એટલે રાજી થયાં. આ પ્રસંગ એટલા માટે કહેવો પડ્યો કે મોટા ગણાતા અને ગાંધીબાપુના વખતના આગળ વધેલા લોકો પણ અભેદભાવે સેવાની વાત ભૂલવા લાગ્યા છે. જેથી આપણું કામ ઘણું કઠણ થઈ પડ્યું છે. વિશ્વ વાત્સલ્યને રસ્તે જવાની ભાવના પ્રભુ કાયમ રાખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ [૬] વિશ્વવાત્સલ્યની આચાર નિષ્ઠા [૨૧-૮-૬૧]. –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્ય ઉપર વિચારની દ્રષ્ટિએ અત્યાર સુધી સારી પેઠે વિચારાઈ ગયું છે. વિશ્વ વાત્સલ્યની ભાવનાઓ, પાસાંઓ અને એકમે. ઉપર પણ જોઈએ તેટલે પ્રકાશ પાડવામાં આવ્યું છે. હવે તેની આચાર દિશા શું છે તેને વિચાર કરવાને છે. - કોઈ પણ કલ્પના ઘણી જ સુંદર હોય પણ તે જ્યારે આકાર લે છે ત્યારેજ લાખ માણસોને તેની સૌદર્ય કલ્પનાની ઝાંખી થાય છે. એવી જ રીતે વિચારે ગમે તેટલાં સુંદર હેય પણ જો તે આચારમાં ન આવે તો તેની ઉપયોગિતા નહીંવત રહેશે. વિચાર જેટલી જ આચારની જરૂર છે. માત્ર વિચાર કરવાથી સમાજમાં પરિવર્તન કે ક્રાંતિ થઈ જશે નહીં. આચારમાં મૂકતા પહેલાં વિચારો પરિપકવ થવા જોઈએ પણ છેવટે તો તે આચારમાં મૂકાય તે શ્રેણિએ પહોંચવાને પ્રયત્ન થે જરૂરી છે. આજે તો ભારતવર્ષમાં આચારની વધારે જરૂર છે. | વિચારોનું ખેડાણ તે ભારતવર્ષમાં હજારો વર્ષોથી થતું આવ્યું છે. એ ઉચ્ચ વિચારોને પચાવી તેને કાર્યાન્વિત કરવાની જરૂર છે. એ માટે દરેક વિચારકોએ પણ એટલો જ ભાર મૂક્યો છે. વિશ્વવાત્સલ્યને લાગે વળગે છે ત્યાં સુધી વિચારની દષ્ટિએ દરેક ધર્મોએ તેને માન્ય કરેલ છે અને કદાચ નવી કોઈ ધાર્મિક વિચારધારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આવે તે તેને પણ એને માન્ય કરવું પડશે. દરેક ધર્મોના શબ્દોમાં ફેરફાર હોઈ શકે. કોઈ એને વિવપ્રેમ કહેશે, કોઈ વિશ્વભાવતા કહેશે તે કોઈ વિશ્વબંધુતવ કહેશે! કોઈ વિશ્વમૈત્રી રૂપે રજૂ કરશે તો કોઈ અતભાવ રૂપે કોઈ સામાયિક સ્વરૂપે સમજાવશે તે કોઈ બ્રહ્મવિહાર રૂપે કોઈ આત્મૌપમ્પ કહેશે તો કોઈ આત્મવત સર્વભૂતેષુ કહેશે. આમ અલગ અલગ શબ્દોની પાછળ ભાવનાને વિચાર કરવામાં આવે તો તે વિશ્વ વાત્સલ્યની ભાવના જ હશે. એટલે વિધવાત્સલ્યના વિચારનું ખેડાણ, આપણું ઋષિઓએ કર્યું છે અને હજારે વર્ષોથી સંતે, ભક્તી, શ્રમ, ઋષિ-મુનિઓ વિશ્વ વાત્સલ્યના વિચારોનો ઉપદેશ, વ્યાખ્યાન, લેખ કે સંદેશ રૂપે પ્રચાર કરતા રહ્યા છે. તે ઉચ્ચ વિચાર ભારતના લોકોને ગમ્યો પણ છે. ઉચ્ચ વિચાર અને તેના ઊંડાણભર્યા પૃથક્કરણને પરિણામે અહીં છ દર્શને આલેખાય છે. આ વિશ્વવાત્સલ્યના વિચારને આચારમાં મૂકવાને પ્રશ્ન આવે છે ત્યારે અનેક નડતરે કે બાધક કારણે ઊભાં થાય છે અને અનેક વાર ભરતી અને ઓટ આવતી નજરે ચડે છે. એનું કારણ એ છે કે વિશ્વ વાત્સલ્યમાં બધા ધર્મો, વાદ, દર્શન, વિચારધારાઓ, વણે, જ્ઞાતિઓ, સંસ્થાઓ તેમ જ રાષ્ટ્રને સમાવેશ થઈ જાય છે. બધાયને પોતપોતાની યોગ્યતા પ્રમાણે સ્થાન મળે છે. એટલે આચારમાં મૂક્તી વખતે ઉપર કહ્યા તે બધાયના અનેક સંસ્કારે આડા આવે છે. જગદ્ગુરુ શંકરાચાર્ય અદ્વૈતવાદના જમ્બર પ્રચારક હતા. તેમના મત પ્રમાણે જગતમાં આત્માના સર્વત્ર એકત્વને સ્વીકાર કસ્વામાં આવ્યું છે. પણ રૂઢિગત સંસ્કારો તેમને પણ કેટલે આડે આવતા તેને એક દાખલો આ પ્રમાણે છે – જગદ્દગુરુ શંકરાચાર્ય કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરીને પાછા ફરતા હોય છે. તે વખતે સામેથી એક ચાંડાળ તેમને મળે છે. પોતાના પૂર્વ સંસ્કારોના પ્રભાવના કારણે શંકરાચાર્યજી તેને આ ખસવાનું કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે ચાંડાળ કહે છે – નવમવમથવા વૈતર વૈતા . द्विजवर! दूरीकर्तुं वाच्छसि, किं वृहि गच्छ गच्छेति ॥ તે બ્રાહ્મણવર ! આપ કોને દૂર ખસવાનું કહે છે ! આ શરીરને કે ચૈતન્યને ! જે શરીરને દૂર ખસવાનું કહે છે તે જેવું મારું આ શરીર પંચભૌતિક છે તેવું જ આપનું છે. એમાં કોઈ અંતર નથી તે એને ખસવાની જરૂર નથી. જે આત્માને દૂર ખસવાનું કહે છે તે આત્મા આપના અદ્વૈતવાદ પ્રમાણે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તે તે આ ખસીને જશે કયાં ? આ સાંભળીને શંકરાચાર્યને આનંદ થાય છે કે મારો અદ્વૈતવાદ ચાંડાળ પણ સમજી શકે છે સાથે જ તેને આચરણમાં મૂકવાના સંસ્કાર પિતાનામાં પ્રગટ થયાં નથી એ જાણીને ખેદ થાય છે. તેઓ ભૂલ કબૂલ કરતાં કહે છે : “ભાઈ ! આજ સુધી તે હું અદ્વૈતવાદને વિચાર કરતા હતા પણ આચરણમાં મૂકવાને ખરો સમય આવ્યો ત્યારે હું સિદ્ધાંતથી ડગે. મારી ભૂલ તે બતાવી એટલે તું મારે ગુરુ !” એવી જ રીતે વિષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક રામાનુજાચાર્યને પણ દાખલો છે. તેઓ એકવાર પોતાના શિષ્યો સાથે ફરવા જતા હતા. સામેથી એક અત્યંજ સ્ત્રી આવતી હતી. શિષ્યએ મેટા સાદે તેને દૂર ખસી જવાનું કહ્યું. ત્યારે તે બાઈની આંખમાં ચમકારો આવ્યો અને તે બોલીઃ “આ આખી ભૂમિ ભગવાનના ચરણોથી મપાએલી છે. આ આખું વિશ્વ પ્રભુનું મંદિર છે. માટે હે વિધાન પુરૂષ! હું કયાં ને કેવી રીતે ખસી જાઉં ?” રામાનુજાચાર્યો તે સાંભળ્યું ને તેમને પશ્ચાત્તાપ થયો. તેમણે કહ્યું: “બહેન ! હું તો સંન્યાસી છું. છતાં મારામાં ખોટું અભિમાન ભરેલું છે ! આ વૈષ્ણવ ચિહ્નો મારાં શરીર કરતાં તારા શરીર ઉપર વધારે શોભા આપી શકે એવાં અને યોગ્ય છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે કે તે દિવસથી રામાનુજાચાર્ય, પોતાના શિષ્યોને જાતિ, કુળ, વિદ્યા અને ધનનું અભિમાન છોડવાને ઉપદેશ અને આદેશ આપતા. એટલું જ નહી તેમણે એને અનુરૂપ પિતાનાં સંસ્કારને ફેરવ્યા. વૃદ્ધાવસ્થાએ નદીમાં સ્નાન કરવા જતી વખતે તેઓ પિતાના બ્રાહ્મણ શિષ્યને ખભે હાથ મૂકીને જતા અને આવતી વખતે કોઈ શુદ્ર શિષ્યને ખભે હાથ મૂકીને આવતા. લોકોમાં આ બન્ને આચાર્યોની ખૂબ જ ટીકા થએલી. લોકો નિંદા પણ કરવા લાગ્યા. પણ તેમણે એની પરવા ન કરી. વિચારને આચારમાં મૂકવાની આવી નિષ્ઠા જાગે તે જ વિચાર આચાર એકમેકમાં સંકળાઈ જાય અને તદનુરૂપ જીવન બની જાય. એક ભાઈએ તો રામાનુજાચાર્યને પૂછયું પણ ખરું – “આપ આમ શા માટે કરો છો ?” ત્યારે તેમણે કહ્યું: “આપ લોકો જેને નીચ સમજે છે તે શુકને સ્પર્શ હું એટલા માટે કરું છું અને જાતિ-અભિમાનને ગાળવાને - આજ ખરો મા જણાય છે. આ અભિમાન રૂપી મેલને હું બહારના સ્નાન કે શુદ્ધિથી ધોઈ શક્તો નથી.” આ દાખલાઓ રજૂ કરવાનું કારણ એ છે કે લોકો અદૈતવાદ કે બ્રહ્મવાદને વિચારમાં મૂકતી વખતે તે સંમત હતા પણ ખદ જ્યારે તેમના આચાર્યો તેને અમલમાં મૂકવા લાગ્યા તે વખતે તેમણે વિરોધ કર્યો. કેટલીવાર લોકે વિધવાત્સલ્ય, બ્રહ્મ, આત્મા વગેરે અંગે મોટી મોટી વાત કરે છે પણ તેમનું આચરણ તે તદ્દન વિરૂદ્ધ થતું જોવામાં આવે છે. રાજા જનકને એક શંકા હતી. તેમણે એના સમાધાન માટે તે વખતના મેટા મેટા બ્રહ્મજ્ઞાની પંડિતોને બોલાવ્યા હતા. પણ, કોઈથી તેમની શંકાનું સમાધાન થયું નહીં. એટલે રાજાએ તેમને કહ્યું: “જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ સુધી આપ મારું સમાધાન ન કરે ત્યાં સુધી હું આપને જવાની રજા નહીં આપું!” આ પંડિતમાં અષ્ટાવક્રના નાના પણ હતા. એક દિવસ અષ્ટાવક પિતાની મેટી બાને પૂછ્યું: “બા! નાના ક્યાં છે?” તેણે આંસુ સારતાં કહ્યું: “તેમને રાજાએ રાજસભામાં રેકી રાખ્યા છે. જ્યાં સુધી રાજાની શંકાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેમને છોડવાના નથી.” આ સાંભળી અષ્ટાવક્રે કહ્યું: “હું તેમને છોડાવી લાવું!” તેને આગ્રહ જોઈને નાનીએ જવાની રજા આપી. અષ્ટાવક્ર નામ પ્રમાણે આઠ અંગોથી વાંકા હતા. તેમનું શરીર બેડેળ અને કદરૂપું લાગતું હતું. તેઓ સીધા જનકરાજાની સભામાં પહોંચી ગયા. - વિદ્વાન પંડિત બેઠા હતા. અષ્ટાવક્રને જોઈને તેઓ હસી પડ્યા. અષ્ટાવક્ર પણ તેમને જોઈને હસવા લાગ્યા. આ જોઈને રાજા જનકને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું: “વિપ્રવર ! આપ નાના છે, વળી આઠ અંગે વાંક છે એટલે અમારા પંડિતો હસ્યા, તે તો હું જાણી શક્યો! પણ, આપ શા કારણે હસ્યા તે મને સમજાતું નથી!” મને તેનું રહસ્ય કહે !” અષ્ટ્રાવકે કહ્યું : “મને તે થતું હતું કે જનક રાજાની સભામાં બધા બ્રહ્મજ્ઞાનીઓ હશે પણ અહીં તો ચમારની સભા હેય એવું લાગે છે!” જનક રાજાએ કહ્યું “ મહારાજ ! બ્રાહ્મણને-પંડિતોને આપ ચમાર કઈ રીતે કહે છે ?” - અષ્ટાવકે કહ્યુંઃ “બ્રહ્મજ્ઞાનીઓ હેત તે મારા બહાને જુવે પણ અહીં તે તેઓ શરીરમાં ચામડાં વગેરે ને જોઈ રહ્યાં છે અને હસે છે. એલે મને હસવું આવ્યું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ કહેવાય છે કે જનકરાજાની શંકાનું સમાધાન અષ્ટાવકે કરાવ્યું અને નાનાને છોડાવીને આવ્યા. અહીં જોવાનું એ છે કે જેઓ વિશ્વવાત્સલ્ય બ્રહ્મદૈતના વિચારમાં પ્રવિણ હતા તેઓ વિશ્વ વાત્સલ્યની વાત છોડીને “શરીરાદૈત” વાદને આચારમાં મૂકવા લાગ્યા. એવી જ - સ્થિતિ આજે ઘણાખરા ઉચ્ચ સાધકો અને વિદ્વાનોની છે. લોકોને સમાજ બને છે અને ત્યાં પણ એવું જોવામાં આવ્યું છે કે વિચાર માટે જેટલે ક્ષોભ હોતા નથી તેટલો જ કે તેના કરતા પણ કયારેક વધારે ક્ષોભ આચાર માટે થઈ જાય છે. મુનિશ્રી સંતબાલજી મ. વિશ્વવાસલ્યની વાત કરતા હતા ત્યાં સુધી તે સમાજમાં તેમના માટે ક્ષોભ ઘણો ઓછો હતે. એને જ્યારે આચારમાં મૂકવાની વાત આવી તે તેમના ગુરુદેવે પણ એમજ કહ્યું કે તમે તેને વિચારમાં જ રાખો, અથવા તેને આચારમાં મૂકવાનું હોય તે નિવેદન બહાર પાડી તેની જાહેરાત ન કરે. પણ, તેમણે જ્યારે પોતાના વિચાર અમલમાં મૂકવા અગે નિવેદન બહાર પાડ્યું કે લોકોમાં એકદમ શોભ ઊભો થયો. તેમના સંપ્રદાયવાળ ઉકળી ઊઠયા. તેમણે સારામાં સારો રોષ પણ પ્રગટ કર્યો. તેમણે વિચારભૂમિકાને પાકી કરી હતી અને તેને આચારમાં મૂકવાની નિષ્ઠા કેળવી અને આજે તેઓ વિશ્વવાત્સલ્યના સાધક બની શક્યા છે. એવી જ રીતે એક સુધારક જૈનપંડિતે આંતતીય વિવાહની વાત કરી ત્યારે ઘણુ પંડિતાએ તેમાં સંમતિ આપી. પણ, જ્યારે તેમણે જાતિભેદ તોડીને આંતર્જાતીય લગ્ન કર્યું ત્યારે એ જ પતિએ ઉહાપોહ મચાવ્યા. પંડિતજીએ કહ્યું કે તમે જ મારા વિચારમાં સંમતિ આપી હતી ને ? ત્યારે તેમણે કહ્યું : “અમુક વિષય ઉપર સંમતિ આપવાને અર્થ એ નથી કે અમે તે કાર્યમાં શામેલ થઈએ છીએ. સમાજમાં અશાંતિ કે વિક્ષોભ ઊભું કરે એ બરાબર નથી.” આમ વિચાર સુધી ઘણું સહમત હોય છે પણ આચારની વાત આવે છે ત્યારે ખસવા માંડે છે. એનું કારણ એ પણ છે કે વિચારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જે વાત સામાન્ય લાગે અથવા સમાજ તેને સામાન્ય ગણે એ જ વાત આચારમાં મૂતાં વિશેષ-વાતનું રૂપ ધારણ કરે છે. આ વાત વિશેષ રૂ૫ ધારણ કરતાં અસુંદર બની જતી નથી પણ લોકો એમ માનવા પ્રેરાય છે. જૈન ધર્મે ખરેખર વર્ણાશ્રમને તોડી ન નાખ્યો પણ તેણે તે સહુવર્ણવાળાને સમાન સ્થાન આપી દીક્ષા તેમજ મુકિતને અધિકાર પણ આપે છે. એટલે જ્યારે કોઈ જૈન વ્યાખ્યાનકાર કહેઃ “જૈનધર્મ તે વિશ્વધર્મ છે. તેણે માનવજાતિમાં “મનુષ્યનાનિદૈવ જાતિ કયો મવા” કહીને સર્વ મનુષ્યોને સમાન બતાવ્યા છે. ત્યારે શ્રોતાઓ ગદગદી જાય છે અને તેના ઉપર ગર્વ લે છે. પણ જે એજ વ્યાખ્યાનકાર સાધુ-સાધ્વી માનવ સાથેની એકતાને આચારમાં મૂકવા માટે હરિજનવાસમાં ઉતરે છે, તેમને વ્યાખ્યાન આપવા જાય છે, અગર નિર્માસાહારી હરિજનોને ત્યાં ભિક્ષા લેવા જાય છે ત્યારે એજ માનવ એકતા માટે ગર્વ લેનારા લોકો સુબ્ધ થઈ જાય છે. જાતિવાદ-વિરૂદ્ધ કર્મવાદને જે વિચાર અને આચાર ભગવાન મહાવીરે આચરીને બતાવ્યું તે આજે જૈનમાં નથી. “આત્માની એકતા” અને “વિશ્વ વાત્સલ્ય”ની વાતે કાં તે પ્રથામાં પડી છે અથવા વ્યાખ્યાને પૂરતી મર્યાદિત બની છે. સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિક રૂપ ચતુર્વિધ સંઘમાં એ કયાં યે નજરે ચડતી નથી. જે કોઈ સાધુ ક્રાંતિ કરી એમ કરવા જાય તે તેની પ્રતિષ્ઠા તોડવાથી લઈને વિરોધ, નિંદા, અપશબ્દો અને ભિક્ષાબંધી સુધી પણ પહોંચી જાય છે. આનું કારણ એક જ છે કે વિચારોને આચારમાં મૂકવાની પ્રામાણિક - નિષ્ઠા સમાજ કેળવતો નથી. સ્વામી રામતીર્થ જ્યારે અમેરિકામાં અદ્વૈતવાદને પ્રચાર કરવા લાગ્યા ત્યારે અમેરિકાની પ્રજા તેમને બહુ પૂજવા લાગી. તેમને ઈશું ખ્રિસ્તના અવતાર તરીકે Love is God (પ્રેમ એ જ પ્રભુ છે) ને સંદેશ અદ્વૈતવાદના રૂપમાં આપનાર તરીકે માનવા લાગી. એક ધનિક બાઈ જેને ત્રણ પુત્ર ક્રમે ક્રમે મરી ગયા હતા. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ બહુ ખિન્ન અને દુઃખી હતી. તે એક દિવસ સ્વામી રામતીર્થ પાસે આવી. ઘૂંટણીએ પડીને નમસ્કાર કર્યા પછી તેણે કહ્યું: “હું આપનું નામ સાંભળીને આવી છું. આપ ઈશુ ખ્રિસ્તની જેમ પરમાનંદ આપનારા છે. એક દુખિયારી બાઈ તરીકે હું આપની પાસે એ પરમાનંદનો મંત્ર લેવા આવી છું.” સ્વામીજીએ તેની બધી વાત સાંભળીને કહ્યું: “હું તને પરમાનંદ આપીશ! પણ તારે એનું મૂલ્ય ચૂકવવું પડશે!” તે બાઈ બોલીઃ “પ્રભુ ! આપને જોઈએ તેટલું ધન હું આપીશ પણ મને તે મંત્ર આપો !” સ્વામીજીએ કહ્યું : “મને જડદ્રવ્ય જોઈતું નથી. મને તે આત્માનું ધન (વિશ્વવાત્સલ્ય ) જોઈએ છે. એ આપવા તૈયાર છે !” “શું એનાથી મને પુત્ર મળશે!” તે બાઈએ પૂછયું. મળશે પણ તે ઔરસ (પિતાને) નહીં હોય ! એ જ તને પરમાનંદ આપનાર બની શકશે !” સ્વામીજીએ કહ્યું. બાઈ બેલીઃ “આપ જે કહે તે હું કરવા તૈયાર છું.” સ્વામીજીએ આશ્રમમાંથી એક સ્વસ્થ અને સુંદર હથ્થી બાળક વાવીને બાઈની આગળ મૂકતાં કહ્યું : “લ્યો! આ બાળકને ઉછેરજે ! વાત્સલ્ય રેડજો! એ તમને પરમાનંદ આપશે !” હળી બાળકને જોઈને તે બાઈ મોઢું મચકોડવા લાગી. “પ્રેમ એ જ પ્રભુ છે !” એવા ઈશુવચનને અદ્વૈતવાદના રૂપે તેણે સ્વામી રામતીર્થના મુખે સાંભળ્યું હતું અને તે આનંદી થઈ હતી, તેને ક્ષોભ થવા લાગ્યો. તેણે કહ્યું: “એ મારાથી નહીં બની શકે ! હું ઉચ્ચ જાતિની આ હથ્થી બાળકને કેવી રીતે ઉછેરી શકું !” આ ઉપરથી સમજી શકાય છે કે જ્યાં સુધી વિચારને આચારમાં મૂકવાની નિષ્ઠા ન કેળવવામાં આવે ત્યાં સુધી ઘણું બાધક તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ એને આડે આવે છે. એક વક્તાએ કહ્યું : “આપણે બધાએ સંપ્રદાયની પરવા ન કરવી જોઇએ. સત્યથી ઉપાસના કરવી જોઈએ?” ત્યારે તેના એક એક વાકયો ઉપર તાળીઓ પડે છે પણ જ્યારે એ સત્યને જીવનમાં આચરે છે તો ગાળે વરસે છે. તે માટે એકએકથી ચઢિયાતાં બહાનાં શોધાય છે. શું વિચારની મધુરતા આચારમાં આવી કડવાશ રૂપે બદલાઈ શકે? ના, એવું તો નથી ! ખરેખર જૂની પરિપાટીઓ મૂકીને નવે ચીલે ન જવા માટેના રૂઢિગત સંસ્કારે જ એને એવું સ્વરૂપ આપી દે છે. સર્વ ધર્મ સમન્વય અંગે ઘણું કહેવાય છે અને વિચારાય છે. “ દરેક ધર્મો સારાં તત્ત્વોથી સભર છે. બધા યે માનવકલ્યાણ ઇચ્છે છે. બધાયને આદર કરવો જોઈએ !” એવી વાત સાંભળતાં શ્રોતાઓ પ્રશંસા કરે છે અને ઉદારતા પ્રગટ કરે છે કે “અહા ! કે સુંદર વિચાર છે!” પણ જ્યારે સર્વ ધર્મ સમન્વય અને સર્વધર્મ સંસ્થાપક સમદરની વહેવારિક જના રજુ થઈ ત્યારે ઘણું કહેવા લાગ્યા કે આ તે બરાબર નથી. જેનોએ કહ્યું કે પહેલાં જૈનેને તે એક કરે ! હિંદુઓએ કહ્યું કે હિંદુ જાતિ તે એક થાય! બધાને ક્યાં ભેળવશો. ઈસાઈ, મુસલમાનોને ભેગા કરવાં એ ગાંડપણ છે. આ રીતે આચારમાં મૂકવાની વાત; એ જ વિચારના પ્રશંસકોને કાં તે ભગીરથ લાગે છે, કાં મર્યાદા બહાર જણાય છે અથવા કેઈ અવ્યક્ત ભયને નિહાળે છે. વિચારોને આચારમાં મૂકનાર આચારનિષ્ઠા પ્રત્યે ઘણું વાર અશ્રદ્ધા અને ઘણું પણ પ્રગટ થાય છે. માણસ જેટલાં પુરૂષાર્થનાં ગીતથી ખુશ થાય છે તેટલા કર્મઠતા(પુરૂષાર્થ)થી થતું નથી. તેને કલ્પનાની કળા જોઇએ છે; વિચારોની બૌદ્ધિક કસરતા જોઈએ છે પણ તેને આચાર(કાય) નીરસ લાગે છે. તેમાં પંડિતાઈ નથી, કે નથી કવિત્વ ! પણ એ આચાર, વિચારોની જ આકૃતિ છે તેને એ જોઈશકવા સમર્થ બનતું નથી. આ માણસ જાતિનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે. વિશ્વના ઈતિહાસમાં આવા દાખલાઓ ઠેર ઠેર માનવજીવનમાં જોવા મળે છે. એટલે જ ઊંડા ઊતરીને વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ બાધક કારણોને શોધીને હાંકી કાઢવાના ઉપાયો શોધવા પડશે. ત્યારે જ વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા સ્થાપી શકાશે. વિશ્વ વાત્સલ્યમાં જગતના બધા ધર્મો, વાદ, વિચારધારાઓ, જ્ઞાતિઓ રાષ્ટ્ર વિ.ને લેવામાં આવ્યા છે. દરેક સાધકને વિચાર સુધી તે ખૂબજ સરસ લાગશે પણ જે તે આચારમાં મૂકવા જશે તે તેનાં શરીરથી લઈને, કુટુંબ, જ્ઞાતિ, સમાજ, ધર્મપંથ, સંપ્રદાય, વાદ, રાષ્ટ્ર વગેરેના જુના સંસ્કારોના આવરણે આવી તેને ઘેરી વળશે. પણ, જે તેણે એ બધા બાધક કારણેને અગાઉથી વિચાર કર્યો હશે તે તેને દૂર કરી શકશે અને આચારનિષ્ઠાને સ્થાપી શકશે. હવે ક્યાં ક્યાં બાધક કારણ આચારનિષ્ઠામાં આવીને ઊભાં રહે છે તેને વિગતવાર જોઈએ: (૧) સામાજિક પરિસ્થિતિની પ્રતિકૂળતાઃ આચારનિષ્ઠામાં સૌથી પહેલું આ બાધક કારણ છે. વિશ્વ વાત્સલ્યના વિચારોને સાંભળીને સમાજમાં ઉહાપોહ તે થાય છે પણ જ્યાં સુધી એ વિચાર ઉપર અમલ ન થાય ત્યાં સુધી સમાજ દંડ આપવા તૈયાર થતો નથી. પણીવાર પ્રતિકૂળ વિચારેને કેવળ વિનોદ માટે સાંભળીએ છીએ. પણ, ત્યારે આચારમાં મૂકવામાં આવે છે ત્યારે જ સમાજની કોપદષ્ટિને સાક્ષાત્કાર થાય છે. ધર્મસંપ્રદાય, જ્ઞાતિ કે સમાજ બહિષ્કાર પણ કરે અને પ્રતિષ્ઠા પણ તોડે. ખોટા આક્ષેપ પણ આવે અને કનડગતે થાય. એ આચારને સાધક મૂકી દે તેવી લાચારીભરી પરિસ્થિતિ પણ ઊભી કરવામાં આવે છે. સમાજની કોપદષ્ટિની તીવ્રતા ખાન-પાન બહિષ્કાર સુધી પણ પહોંચી શકે ! આ વખતે સાધકે સમાધાન વૃત્તિથી કામ લેવાનું હોય છે. વિશ્વ વાત્સલ્ય માટે નીકળેલો સાધક પિતાનાજ સમાજ પતિ ત્યારે સમાધાન રાખે. એણે તે રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર કે ગાંધીને આદર્શ સામે રાખે જોઈએ. જે તે પોતાની આચારનિષા ઉપર સ્થિર રહેશે તો ધીમે ધીમે સામાજિક પરિસ્થિતિની પ્રતિકૂળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ – અનુકુળતા રૂપે બદલાઈ શકે અથવા તેની આચારનિકાનું મૂલ્યાંકન બીજા લોકો કરવા લાગે એ પણ શક્ય છે. (૨) પિતાની પરિસ્થિતિની પ્રતિકૂળતા : આચારનિષ્ઠાને અમલમાં લાવવા માટેનું આ બીજું બાધક કારણ છે. ઘણીવાર સાધકને તેના કુટુંબવાળાઓ જ ન માને, જ્ઞાતિ કે સંપ્રદાયવાળા ન માને એવું પણ બને. ક્યારેક સાધકની આજીવિકા કે ભિક્ષાચરી એવા લોકોનાં હાથમાં છે, જે તેની આચારનિષ્ઠાના વિરોધમાં તેને મુશ્કેલીમાં મૂકી દે. ઘણુંખરા સાધુઓની પરિસ્થિતિ પણ સમાજ સાથે સંકળાયેલી હોય છે. તેઓ વિશ્વ વાત્સલ્યને આચારમાં મૂકવા જાય તે સમાજ તેમની ભિક્ષાચરી પણ બંધ કરી શકે–તેમને ઉતરવાનું સ્થાન ન આપે કે બિમારીમાં ચિકિત્સાને પ્રબંધ પણ અટકાવે. તેમના શિક્ષણ માટે પંડિતને ખર્ચ પણ બંધ કરાવે ! આ બધી ચિંતાઓ મોટાભાગના બધા ય સંપ્રદાયના સાધુઓને થયા કરે છે. એથી એક વાત તેઓ ભૂલી જાય છે કે તેમણે વિશ્વવત્સલ (છ કાયના મા-બા૫) બનવાની પવિત્ર જવાબદારી લીધી છે તે પૂર્ણ થતી નથી. એટલું જ નહીં તેમણે જાતે પેદા કરેલી આ માનસિક પ્રતિકુળતાના કારણે જેમની પાસે વિશ્વ વાત્સલ્યના વિચારોનું સ્પષ્ટ ચિત્ર છે તેમની પાસે જવામાં, સમજવામાં કે વિચાર વિમર્શ કરવામાં પણ સંપ્રદાયને ભય અનુભવે છે. જેવા જઈએ તે આ જાતે ઊભાં કરેલાં બધને છે. તેને સાધકે તેડવાં જોઈએ. (૩) જૂના સંસ્કારે જૂના સંસ્કારે એ પણ એક જબ્બર બાધક કારણ છે. “આ વિચારે બરાબર છે. તેનામાં વિશ્વહિત રહેલું છે !” એમ સમજવા છતાંય તેને આચારમાં મૂકવા અચકાવનાર જૂના સંસ્કાર હોય છે. જ્યારે સર્વધર્મ સમન્વયની વાત રજૂ થઈ ત્યારે કોઈએ તેનાથી ખાસ આંચકે ન અનુભવ્યો ! કેટલાક કહેવાતા સુધારકોએ ઉદાર દિલે પિતાના સંપ્રદાયના દે બતાવ્યા. પણ જ્યારે સર્વધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સંસ્થાપક પ્રતિ સમાદાર વ્યક્ત થયો; બધા ધર્મના સાધુ-સન્યાસીએ. સાથે મળવાનું શરૂ થયું કે જૂના સંસ્કારોને તે ન રૂગ્યું. કહેવાતા. સુધારકોએ પણ સ્વસંપ્રદાયના પ્રચ્છન્ન–મેહના કારણે ધૃણ કરવી શરૂ કરી. માણસનું માનસ ધીમે ધીમે જે વાતોથી ટેવાયેલું થતું જાય છે તેને તે તરત છોડી શકતું નથી પણ તેણે જે વખતે પહેલીવાર જે વાતને પકડી હતી. તે નવી હતી એમ માની નવાને પામવાનો વિચાર કેળવવાથી જૂના સંસ્કારોને સાધક સરળતાથી છોડી શકશે. (૪) પ્રતિષ્ઠા, ભય અને યામાહ: ઘણીવાર જામેલી પ્રતિષ્ઠા તૂટી પડવાને ભય તેમજ અત્યાર સુધી મેળવેલો યશ મોહ પણ વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠામાં બાધક બનીને ઊભાં રહે છે. સમાજમાં જામેલી પ્રતિષ્ઠા તૂટી પડે તે! લોકો બદનામ કરે તે સમાજથી ફેંકાઈ જઈએ તો ! આ બધાં ભયે પ્રતિષ્ઠાના કારણે ઊભાં થાય છે. શિબિરના પ્રચાર માટે મુંબઈમાં ઠેર ઠેર સાધુ સાધ્વીઓ પાસે ગયા હતા. ત્યારે કેટલાક સાધુઓએ કહ્યું : “શિબિરનો વિચાર સુંદર છે–યુગાનુકૂળ છે. પણ સમાજથી ફેંકાઈ જઈએ અથવા આજે મળતું ભાન કાલે ન મળે તો અમારી શું દશા થાય !” મતલબ કે વિચારથી વસ્તુ સારી છે એમ સમજવા છતાં આચારમાં મૂકતી વખતે પ્રતિષ્ઠામહ બાધક બને છે. તેને દૂર કરવો જોઈએ. (૫) આદત : આદત પણ એક મોટું બાધક કારણ છે. આદતને લઈને ઘણીવાર ખરી વસ્તુ સમજવા છતાં માણસ આચરી શકતો નથી. કેટલાક લોક પિતાની આદત કેવળ કળાપ્રેમ તેમજ બૌદ્ધિક ખેજ સુધી કેળવે છે. એવા માણસો વ્યાખ્યા કરી શકે છે, ઊંડામાં ઊંડું રહસ્ય પ્રગટ કરી શકે છે પણ એ વસ્તુને આચરણમાં ઉતારતા નથી. કેટલાક સાધકોના પરિચયમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું : “અમારે વિષય જ્ઞાનયોગ છે. સમાજ સુધારણું એ અમારી રૂચિને વિષય નથી !” સર્વોદયી લોકો પણ રાજકારણની શુદ્ધિમાં રૂચિ દાખવતા નથી. એનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ કારણ એટલું જ કે તેમણે એ રીતની ટેવ કેળવી નથી અથવા શરૂઆતથી તે એક કપ છે એમ માની સંધર્ષથી કંટાળીને ભગવાનની આદત એમણે પિતાનામાં નાખી છે. એવી આદત અને માનસ બદલાવું જોઈએ તેમજ સાધકો જે ધર્મસંસ્થાપકોના જીવન ઉપર નજર કરશે તે જાણી શકશે કે સમાજમાં કેવળ બુદ્ધિની નહીં પણ સમસ્ત આચરણની તેમણે ક્રાંતિ કરી હતી. એ રીતે વિચારને અમલમાં મૂકવાનું મને બળ મજબૂત થશે અને ટેવ પડશે. (૬) માનસિક નબળાઈ : આદતને જે કોઈ પણ વસ્તુ ઉત્તેજન આપતી હોય તે તેમાં માનસિક નબળાઈ મહત્વને ભાગ - ભજવે છે. માનસિક નબળાઈ એ પણ મહત્વનું બાધક કારણ છે. ઘણીવાર ચર્ચામાં મોખરે રહેનાર, આકરી ટીકા કરનાર સાધકો પણ આચરણને પ્રશ્ન આવતાં વહેવારિક બનવાની સલાહ આપતા જોવામાં આવે છે કે “સમય પ્રમાણે કામ કરવું જોઈએ ! આપણે જ શા માટે ભાર ઉપાડવા જોઈએ. તેમજ ઉપહાણ પગ ઉપર કોણ લે ! શા માટે ક્ષોભ પેદા કરવો થાય છે તે જ સારૂં છે!” આ એક પ્રકારની માનસિક નબળાઈ છે. તેને દૂર કરવી જરૂરી છે. આવા લોકે બધું કાર્ય કરતા હશે પણ પરિવર્તન કે સંધર્ષને પડખે ઊભા નહીં રહી શકે. (૭) ઇર્ષા અને પ્રકોપ: ઘણીવાર એવું જોવામાં આવે છે કે કોઈ બંધું વિશ્વ વાત્સલ્યને સમર્થક હોય છે પણ તેની સલાહ ભૂલથી ન લેવામાં આવે છે તે વિરોધી બની જાય છે. તે અગાઉ જેનું સમર્થન કરતે હતો તેને જ વિરોધ કરશે; ખાંચખૂંચ કાઢશે. આ માનસિક ઈર્ષાને આભારી છે. આ પ્રકોપને બીજો પ્રકાર પણ જોવા મળે છે. એક સારે પ્રયોગ કોઈએ શરૂ કર્યો હોય અને કોઈ બીજા ઉચ્ચ ગણાતા સાધક પાસે જાય છે તે ઉચ્ચ સાધક એમ કહેશે કે “એમાં મારું શું કામ છે એ તો અમુક ભાઈ કહે જ છે ને?' આની પાછળ જે ભાવના કામ કરે છે તે એ છે કે મને આ કાર્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ બેય મળતું નથી, માટે મારે શું કામ પડવું? વિશ્વ વાત્સલ્યને સાધક આવી કોઈપણ પ્રકારની ગ્રંથિથી પીડાતા ન હો જોઈએ. (૮) સમાજની ભડક: પ્રયોગ ન ન હોય ત્યારે નવાથી ભડકવાની સમાજમાં જે વૃત્તિ હોય છે તે પણ એક બાધક કારણ છે. નવું આવતાં જાણે કોઈ આગ લાગી હોય અને બધું નષ્ટ થઈ જવાનું હોય એ રીતે વર્તે છે. ઘણીવાર સંપ્રદાય બહાર કરવા કે જ્ઞાતિબહિષ્કાર સુધી પણ એ લોકોની હેરાનગતિ પહોંચે છે. નવી વાતને આકાર ન લેવા દેવા માટે તેઓ બધું કરી છૂટે છે. એટલે વિચારેલું બધું કાં તે વિરોધમાં વહી જાય છે અથવા વિચારમાં પડ્યું રહે છે અને આચારમાં કશું પણ મૂકાતું નથી. આવી ભડકને શમાવવા માટે નવા પ્રયોગ પછીનાં સ્પષ્ટ પરિણામો અંગે સાધકે મક્કમતા કેળવીને કાર્ય કરવાનું રહે છે. (૯) સાચી સમજણ (દષ્ટિ)ને અભાવ : ક્યારેક આચારમાં ન મૂકી શકવાનું કારણ સાધક પાસે સાચી દષ્ટિ કે સ્પષ્ટ સમજણનો અભાવ હોય છે. તેને જે કરવાનું છે તે અંગે તેની સ્પષ્ટ દષ્ટિ હશે તો તે બીજાને પણ તે અંગે સમજાવી શકશે તેમજ પોતે પણ આચરણમાં મૂકી શકશે. આ બધાં કારણે એક ને એક સ્વરૂપે આચારનિષ્ઠામાં બાધક બનીને ઊભાં રહે છે. ત્યારે વિશ્વ વાત્સલ્યના સાધકે આ બધાં બાધક કારણેને દુર કરીને સમાજમાં આચારનિષ્ઠા કરવી રહી. ભૂમિના ખેડાણ પહેલાં ખેડૂત જેમ ખેતરમાંથી કચર, ડાંખરા કે ઝાડીઓને વિણે નાખે છે અને મેદાનને એકસરખું હળથી ખેડે છે તેવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક ઉપરના બધાં બાધક કારણે કે અવરોધને દૂર કરે છે, એથી વિશ્વવાત્સલ્યના વિચારરૂપી બીનું વાવેતર સમાજમાં થાય છે અને તે એની આચારનિષ્ઠા છે. જેનું પરિણામ શિવાત્સાય ભાવરૂપી પુષ્કળ પાક આવે છે. વિચારેની સાર્થકતા તે તેની રચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કુતિમાં રહેલી છે. વિચારને દશમાંશ ભાગ પણ આચરણમાં આવે તે સમાજમાં પરિવર્તન આવી શકે; અને તે ક્રાંતિ કરી શકે. | સર્વાગી ક્રાંતિ માટે પ્રથમ વિચારક્રાંતિ થવી જરૂરી છે પણ તેના વડે પેદા થયેલાં આદેલને જે સંગઠનબળ વડે ન ધપાવાય તે પછી એ કેવળ બુદ્ધિને વિલાસ તે પડિતોનું મનોરંજન બનીને રહી જશે. વિચારક્રાંતિના બીજને સંગઠનરૂપી જળથી સીંચવું જરૂરી છે જેથી સર્વાગી ક્રાંતિના સુંદર ફળો પેદા થઈ શકે. ઘણા લોકો ભેગા થાય, પરિષદ યોજાય, વિચારોની આપલે થાય પણ સંગઠન વગર એનું વિચારતત્વ નષ્ટ થઈ જશે. વિચારક્રાંતિ વડે જે ઉત્સાહ કે જુસ્સો આવે છે તેને સંગઠનના નિયમનમાં રાખવાથી તે સ્થિર, સંકળાયેલો અને ગ્ય માર્ગે વહેનાર બને છે. વિચારક્રાંતિને જે આચારમાં ન પરિણત કરવામાં આવે તે તેનાં ભયસ્થા તરીકે જેમ વિચાર-વિલાસ કે શબ્દ-મનરંજન રૂપે રહી જવાનો ભય રહે છે તેમ વિચારક્રાંતિ વડે જે જો પેદા થાય છે તે અનિયમિત કે ઉÚખલ બનવાનો પણ ભય રહે છે. આ જ આવેશમાં આવીને તાત્કાલિક કઈક કરી શકે પણ વ્યવસ્થિત સમાજક્રાંતિ કે આચારનિષ્ઠાને ન આણી શકે. ક્ષણિક આવેશમાં આવીને ઉચ્છખલ જુસ્સો કોઈની હત્યા કરી શકે પણ સંધર્ષ જીતવા માટેનું જેમ ન બની શકે. પણ એજ જુસ્સાને સંગઠન રૂપી નિયમનમાં રાખવામાં આવે તો તે ધાર્યા પરિણામો લાવી શકે. વિચારક્રાંતિ સાથે એટલા માટે જ આચારવીરનું સંગઠન હોવું જોઈએ તો જ સર્વાગી ક્રાંતિ આચારવિચાર બન્નેની સંપૂર્ણ બને. ઘણા લોકો પિતાને ક્રાંતિકારી માને છે; ક્રાંતિના દર્શનની ઉત્કંઠા સેવે છે પણ સંગઠન જોઈને ગભરાઈ જાય છે. તેમની કાર્યશીલતા કે અનુમોદન (2) કેવળ વિચારક્રાંતિ સુધી જ હોય છે. આવા લોકો આચારને સમાજ વ્યાપી તે બનાવી શકતા નથી પણ ઘણીવાર આચારનિષ્ઠાનું અપમાન કરવાની ભૂલ પણ કરી બેસે છે. વિયુક્ત કે અનુબંધપૂર્વક નેતિક સંગઠનનું નિયંત્રણ ન હોય તો વિચારક્રાંતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭ જસ્સામાં અસંભવનાં સ્વપ્ન જ નજરે ચડે છે અને એમ હૈય, દૂરદર્શિતા કે અધ્યવસાય પ્રગટ થતાં નથી. સમૂળી ક્રાંતિ માટે સંગઠન જરૂરી છે. “અમે તો એક્લા ઊડશું, એકલાજ તરણું કે મરી ફીટશું” એમ કહેનારા પિતાના પ્રયત્નમાં સફળ થતા નથી તેમજ કયારેક અધટિત ઉો પણ કરી બેસે છે. વિચારક્રાંતિ એ નદીની વિસ્તૃત જળરાશિ જેવી છે. તે ક્યાંક ધોધ બનીને નીચે પડે તો ત્યાંના પ્રદેશને તેડી ફાડી નાખે પણ જે એજ જળરાશિને બાંધી તેમાંથી નિયમિત રૂપે વિજળી પેદા કરવામાં આવે તે તે ઉપયેગી બની શકે. એટલે ક્રાંતિ માટે સંગઠન પણ વિચારક્રાંતિ જેટલું જ જરૂરી છે. વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠા સમાજમાં સ્થાપવા માટે કેવળ વિચારોજ કામ નહીં કરે પણ તેની સાથે, સમાજસેવકો કે સમાજના માર્ગદર્શક દ્વારા ઘડાયેલી સંસ્થાઓ કે સંગઠને વડે તેને આચારમાં મૂકવા પડશે; કારણ કે વ્યકિત ક્રાંતિની પ્રેરક બની શકે પણ તેનું વાહન, તે સંસ્થા જ છે. સંગઠિત પ્રયાસ થતાં વિચારના પરિવર્તતની સાથે, ધર્ય. અધ્યવસાય અને દઢતા પૂર્વક પરિસ્થિતિમાં પરિવર્તન થશે. એજ વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાને મંત્ર છે. ચર્ચા-વિચારણું સાધકે અને આચારનિષ્ઠા શ્રી દેવજીભાઈએ વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું :– અમારા ગામમાં સ્થ. જેને સંપ્રદાયના સાધુઓ આવ્યા હતા. ચીરઈ ગામે વિહાર કર્યો એટલે અમે ૩૦-૩૫ શ્રાવકો તેમને તેટલે દર મૂકવા ગયા. રસ્તામાં અસ્પૃશ્યતા અગે ચર્ચા ચાલી. મેં કહ્યું : “જેમ હું બીજા શાકહારીઓને ત્યાં જમું છું તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ પડે નાતજાતના, ધર્મ કે કેમના ભેદભાવ વગર મુસ્લિમ, હરિજન વ.ને ત્યાં પણ જમું છું.” તરત જ શ્રાવકો બોલ્યા : “તમારા જેવા માણસે ધમને રસાતળે લઈ જશે !” મેં કહ્યું: “જે ધર્મ ભેદભાવ માનતો નથી તેમ જ કર્મથી વર્ણ વ્યવસ્થાની વાત કરે છે. ત્યાં જન્મગત ભેદો કે રેટીબેટીને ભેદભાવ હોઈ શકે નહીં, જૈન ધર્મે તે એને તેડ્યા છે.” તેમને મારી વાત ગળે ઊતરી નહીં. મેં કહ્યું : “ચાલો, મહારાજને પૂછીએ.” તેઓ સંમત થયા. મહારાજશ્રીએ વાત સાંભળીને કહ્યું : “વાત તે દેવજીભાઈની સાચી છે. પણ અમે જ નબળા છીએ કે તમારામાં જ્ઞાનને ફેલાવો કરીએ છીએ પણ આ એકતા લાવી શક્તા નથી. તેથી તમે પણ દેવજીભાઈ જેવા એકલ દોકલ સાચના આગ્રહીને પણ એકલવાયા પડાવી દે છે !” તેમને તે ઉપરાંત પણ મહારાજશ્રીએ કહ્યું તે સાંભળ્યું. તે છતાં કહ્યું : “મહારાજ ભલે વાત કરે! પણ જે સાચું હોય તો શા માટે તેની વિરૂદ્ધ ન બેલે? માટે એ સાચું કેમ કહેવાય ?” સામાન્ય પ્રજા આચારને જ જુએ છે. વિચાર સાથે એને છે સંબંધ છે. તે તે વર્તનમાં આવે તેને જ સાચું માને છે. જે મેટા મેટા સાધકો વદે તે પ્રમાણે આચરે નહીં તે ઉદાત્ત વિચારે અદ્ધર જ રહી જાય. ક્રાંતિકારે તે શુરતાથી આગળ આવવાનું છે, આ દેશમાં પંડિતે તે ઘણું થયા છે, પણ ભક્ત સતે જે કે ઓછું ભણ્યા હતા; છતાં તેમણે લોક હૃદયમાં તે આદર મેળવ્યો છે. કાલિદાસ ભવભૂતિ કે માધ કરતાં કબીર, તુલસી કે મીરાં કહદયમાં વધારે વિસજે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ - ૧૯, આજે. લોકો કહે છે કે “ આદર્શ અને વહેવારમેન બને !” એ ખેઠું છે. લોબુદ્ધિને આંજી વાહ વાહ કરાવી શકતા: ભષણો જીવનમાં ઉપયોગી અને સક્રિય ન બને તો તે કામનાં નથી. , ' '. જનતાને લોકો ભલે જડ ગણે પણ તે સાચો કાંતિકાર અને વાતોડિયા ક્રાંતિકારને માપી લઈ પોતાની હૈયામાં ધરી લે છે. કાળી, હરિજન અને આદિવાસી કોમમાં સંતો પણ પાક અને જનતાએ તેમને પિતાના હૃદયમાં બેસાડી દીધા. આ છે આચારર્તિની વહેવાંરિકતા. આદર અને વહેવારના છેડા મળે તે સફળ ધર્મ - શ્રી નેમિ મુનિ કહે : “આદર્શ અને વહેવારના છેડા જુદી દિશામાં હોય તે ધર્મ નિષ્ફળ ગયે સમજે જોઈએ, આદશે અને વહેવાર વચ્ચે અંતર ગતિનું હોઈ શકે પણ બન્નેના છેડાની દિશા તો એક જ હોવી જોઈએ. ' ' . ' આજે ચારે તરફ અનિષ્ટો વચ્ચે વ્યક્તિ માત્ર કંઈ કરી શકતી નથી. (૧) હૃદય પરિવર્તન (૨) વિચાર-પરિવર્તન (૩) અને પરિસ્થિતિ–પરિવર્તન આમ ત્રિવિધ પરિવર્તન સંસ્થાઓ અને સંગઠન વિના ન થઈ શકે. વિધવાત્સલ્ય પગની સફળતાને સુંદર નમૂને . “ શ્રી પૂંજાભાઈએ ૧૯૪૮ના દુકાળ વખતે ભાલનળકાંઠા પ્રયોગની કાર્યવાહીમાં વિશ્વ વાત્સલ્યની આચારનિખાના ઘણું નમૂનાઓ અને પરિણામે રજૂ કર્યા, ત્યારબાદ તેમણે ભા. ન. ખેડૂતમંડળના ભૂ. પૂ. પ્રમુખ શ્રી ફૂલજીભાઈને દાખલો આપે છે , શ્રી ફૂલજીભાઈએ ભંગી કુટુંબનાં છાપરાં જઈને પ્રતિજ્ઞા લીધી હતી અને પછી ત્યાં જ થઈ ગયેલાં સાદાં છતાં સુંદર મકાનોને ચિતાર આપ્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નવલભાઈની વાત જણાવતાં કહ્યું કે તેઓ એક હરિજન બાળકને લઈને ગૂદીમાં અચલેશ્વર મહાદેવની ઓરડીમાં રહ્યા. ત્યારે લોકો કહે: “તમે વિદ્વાન ! તમારી વાત મીઠી પણ આ ભંગી બાળકને સાથે ન રાખે! નહીંતર તમારી પાસે કોઈ નહીં આવે !” પણ નવલભાઈ મકકમ હતા. તેમણે વિશ્વવાત્સલ્યના પ્રયોગમાં દટાયું હતું કે તેઓ મક્કમ રહ્યા. છાત્રાલય શરૂ કરવું હતું ત્યારે સદગત કાળુ પટેલે પિતાનાં બાળકે મોકલ્યાં પછી તે પૂછવું જ શું ? ક્રાંતિના માર્ગમાં મક્કમતા, ધીરજ અને વિનયથી કામ લેતાં જવું અને આગળ વધવું એ નવલભાઈએ આચરી બતાવ્યું. એ છે વિશ્વવાસત્યના પ્રયોગવીરોની આચારનિષ્ઠા. તેમણે વધુમાં જણાવ્યું: “ધર્મશાળા, સદાવ્રત, પર પણ તે યુગની વિચારક્રાંતિની આચારનિષ્ઠાને અનુરૂપ શરૂ થયાં હશે. પણ પછીથી વિકૃતિ આવી હશે. આજે વેરવિખેર તે ઘણું પડયું છે તે છતાંયે ભૌતિક્તામાં પણ સંસ્કૃતિના દર્શન તે થાય જ છે. તેમણે પિતાને દાખલે ટાંકતાં કહ્યું : “એકવાર ધૂળકાથી હું વટામણ જતો હતો. વૈશાખ મહીનો હેવા છતાં માવઠું થયું અને મારે એક કેળીની ઝૂંપડીમાં રહેવું પડયું. તેણે પોતાની પાઘડી ઝૂંપડા ઉપર નાખી મને શરદી અને વરસાદથી બચાવ્યો.” - આવાં સંસ્કૃતિના બી છે એટલે પ્રયોગ સફળ થશે એમ માનવું જોઈએ. માનવતા અને નિર્ભયતાની વાત ! - શ્રી બળવંતભાઇએ, સાધુઓએ માનવતા અને નિર્ભયતાની પિકળ વાત ન કરવી જોઈએ એમ જણાવતાં કહ્યું : “નિર્ભયતાથી વાતે બધા કરે છે. સાધુઓ પણ કરે છે. તે છતાં તેઓ શિબિરમાં કેમ ન આવ્યા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ . કેટલાંક કારણ જાણવા મળ્યા. એક મુનિ મહારાજે કહ્યું: “બીજા સન્યાસીઓ સાથે અમે કેમ બેસી શકીએ ! “આત્મવત્ સર્વભૂતેષુ” સિદ્ધાંતને આમાં કયાં મેળ ખાય ? ઉત્સાહભેર પત્ર લખનાર એક મુનિશ્રીએ મોટા મહારાજની આજ્ઞા મંગાવવાની વાત કરી, ન તો એ આજ્ઞા આવી કે ન તે મુનિ ભેગા ભળ્યા. એવા ઘણા દાખલાઓ આપી શકાય છે કે જ્યાં સંપ્રદાયવાદને કારણે સાધુઓને ધર્મસ્થાનકમાં જગા મળતી નથી અને તેમને સ્કુલો વ. માં ઉતરવું પડે છે. કયાંક લોકો ઉદાર થયા છે પણ હજુ સંકુચિતતા પણ એટલી જ જણાય છે. નાથદ્વારામાં બન્ને મુનિઓ સાથે હું ગયેલે, ત્યાં આવકાર તે ઉમળકાભેર મળે. પણ બન્ને મુનિઓએ કહ્યું કે અમારા પ્રવચનમાં હરિજને વ. પણ આવી શકે તેવી જગ્યાએ પ્રવચને ગોઠવશું. હરિજનવાસમાં જવાને કાર્યક્રમ આવતાં અને મુનિઓને તકાઢયા પણ મારાં કપડાં અંદર હતાં તે પણ ન આવ્યા. જ્યારે શુદ્ધિપ્રગ કરશું એવું જાહેર કર્યું ત્યારે કપડાં પાછાં મળ્યાં. જે જૈનધર્મ વિશ્વધર્મ હોય તે આટલો સંકુચિત બની જાય તો શું કામનું? ત્યારે બીજા ધર્મો અંગે તો શું કહેવાય. જ્યાં સુધી આચાર નિષ્ઠા ન આવે ત્યાં સુધી કોરા વિચારો હાસ્યાસ્પદ લાગે છે. આશા રથનો : પૂ. શ્રી દંડી સ્વામીએ કહ્યું: “આચારઃ પ્રથમ ધર્મ ? ” એને બ્રાહ્મણોએ ટુંક જ અર્થ કરી નાખે છે. પૂર્વ મીમાંસાના ભાષ્યમાં નીતિમય સમાજગત અને વ્યક્તિગત આચરણને ધર્મ કહ્યો છે, એમ મારા ખ્યાલ પ્રમાણે છે. વૈદિક ધર્મના આચાર્યોમાં શંકરાચાર્યે સૌથી પ્રથમ મણિકર્ણિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઘાટ ઉપર હરિજન સ્પર્શ સ્વીકાર્યો જ છે. રામાનુજાચાર્યને શિષ્ય અહોવાહ અત્યજ હતો. સ્ત્રીને તજી પણ અહેવાહને તેમણે ન ત. વલ્લભાચાર્યના શિષ્યોમાં રસખાન પઠાણ, મંગલ ચંડાળ પણ હતા. મીરાંબાઈનાં ગુરુ રૈદાસ ચમાર હતા. શિષ્યાને પૂજાય અને ગુરુને ન અડાય એ તે કઢંગપણની પરાકાષ્ઠા જ છે. આ ભૂલો આપણે સુધારતા નથી. કોઈ કાંતિપ્રિય સુધારે તે ગ૭ બહાર, સંધાડા બહાર અને નાતબહાર કરીએ છીએ. A ૮૪ વૈષ્ણ અને ર૫ર વૈષ્ણવોની વાર્તાઓમાં બધા વર્ષે સાથેના ધર્મસબધે આવે છે, એક કાશીના પંડિતે અત્યજ-સ્પર્શ માટે એક જ શ્લોક છે એમ ગાંધીજીને લખ્યું. ગાંધીજીએ “ઊંટનું લાકડું” (ઊંટ ઉપરના લાકડાના ભારામાંથી એક લાકડું કાઢીને મારવું) એ ન્યાયે એજ લોક બસ છે એમ કહી પરાજય કર્યો. લોક કદાચ આ પ્રમાણે પણ છે : દેવયાત્રા-વિવાહેબુ, સગ્રામે દેશવિપ્લવે ઉત્સવ ચ સર્વેષ સ્પર્શ સ્પર્શ ન વિદ્યતે” ટુંકમાં દુર્ગુણ અસ્પૃશ્ય હેઈ શકે-માણસ નહીં. અસ્પૃશ્ય નિવારણ અને સિદ્ધરાજ મહમ્મદ બેગડાની જેમ સિદ્ધરાજ પણ લોકપ્રિય રાજા ગણાય. ધોળકાના મહલાવ તળાવ વખતે મયા” અત્યંજની વાત પ્રસિદ્ધ છે. તે જમાનામાં અત્યંજને કોડિયું મેં આગળ રખાવતા, પૂઠે ઐડિયું રખાવતા. ફાળકો અને ભૂંગળ વગેરે ઉપર કર હતા, તે બધું સિદ્ધરાજે કઢાવી નખાવ્યું. એટલું જ નહીં એ અત્યંજના સમાજની પ્રતિષ્ઠા પણ કરાવી. ખીજડાનું લાકડું માણેકથંભમાં નખાવ્યું, ભૂંગળના ત્રણ ટુકડા હોય તેને લગ્નનું વાજું બનાવ્યું. ફાળકો વર કન્યાને અર્પિત થયે અને કેડિયું લગ્નમાં મંગળરૂપ ગણી રખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ આમ કાળે કાળે માણુસા પાછળ રહી જાય છે તેવાં માનવાને આગળ લાવવા પુરુષાર્થો પણ થાય છે એ પુરાણકાળથી પ્રચલિત છે. શુનઃ શેપનુ નામ દેવવ્રત રાખી વિશ્વામિત્ર તેને માટા કરે છે. એટલું જ નહીં, જેણે એને ભાઇ તરીકે સ્વીકાર્યો નહીં તેને એવા હલકી ગતિમાં પડયાની વાત પણ આવે છે. ટુકમાં માનવ માત્ર એક છે. સદ્ગુણ અને દુર્ગુણુના ભેદ થઈ શકે. કાળી જેવી હલકી કેમમાં પણ ભકતા પાકી શકે છે. વિચારક્રાંતિનું મૂલ્યાંકન તેમ જ સ’ગઠનાની મહત્તા શ્રી માટલિયાએ જણાવ્યું : “ પશ્ચિમના ક્રાંતિ શાસ્ત્રીઓએ કબૂલ્યું છે કે પ્રથમ વિચારે જેટલી વધુ સંખ્યમાં આગળ પહોંચે તેટલે અંશે ક્રાંતિ સામે દમન કરનારને જુસ્સા એ થાય છે, નબળા પડે છે. એટલે જ પરિવના સમાજમાં અમલી બનાવવા માટે વિચાર–પરિવર્તન અને હૃદય-પરિવતન જેટલાં જરૂરી છે તેટલું જ પરિસ્થિતિ પરિવર્તન પણ જરૂરી છે. ફ્રાંસ, ઇંગ્લાંડ, રશિયા અને ચીનની ક્રાંતિઓ પણ પુરવાર કરે છે કે વિચાર–પરિવર્તન સાથે પરિસ્થિતિ પરિવર્તન માટે સંસ્થાએ જોઈ એ જ અને સંસ્થાએએ કાર્યક્રમ આપવાં જોઈ એ; તે જ સમાજમાં રૂઢ થયેલા વિચારો ફેરવાઈ શકે. ક્રાંતિકારી વિચારાને આચારમાં લાવવામાં ઘણા વિઘ્ને આડે આવે છે. તેથી તે વખતે સંયમ, નિગ્રહ અને તપ વિના ક્રાંતિમય વિચારાની આચારનિષ્ઠાનું કુળ આવે જ નહીં. ભાગવતમાં એક દાખલેો છે. ઋષિ ફળ આપે છે પણ તેમની પત્ની ધૂધલી લેતી નથી. કારણ કે પુત્રરૂપી ફળ મેળવવા માટે, તેને ૮-૯ માસ ગર્ભામાં રાખવા પડે, પછી તે મેટા થાય ત્યાં લગી મહેનત કરવી પડે, સયમ, નિગ્રહ અને તપકરવાં પડે. તે માટે ધૂધલી બ્રાહ્મણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ માતા બનવા તૈયાર નથી થતી. તે ફળ લઈને ગાયને ખવડાવે છે. ગાય ગર્ભ ધારણ કરે છે અને પ્રસૂતિના બધાં કષ્ટો સહે છે. ધૂધલી પિતાની બહેનના પુત્રને દત્તક લે છે. અંતે પરિણામ એ આવે છે કે કષ્ટ વગરને પુત્ર મા-બાપને મારે છે અને અવગતિમાં નાખે છે. જ્યારે એ અવગતિયાંએની ગતિ પેલી ગાયમાંથી જન્મેલો “ક” કરે છે. વિચારની આચાર પરિણતિ માટે સાત ગાંઠે તેડવી અવગતિયાંની ગતિ કરવા માટે શેરડીને સાંઠે પ્રતીક તરીકે (ગાંઠોના કારણે) રખાય છે. એવી જ રીતે ક્રાંતિમય વિચારને આચારમાં પરિણત કરવા માટે પણ સાત ગાંઠે આવે છે. મારા નમ્ર મત પ્રમાણે સાત ગાંઠ છૂટયા વિના કોઈ પણ વિધવાત્સલ્યને કાંતદષ્ટ ન બની શકે, તે આ પ્રમાણે છે :-- (૧) હું પુરૂષ છું એટલે કે દેહાભિમાન એ પહેલી ગાંઠ. (૨) “હું સ્ત્રી છું”, “ હું પુરૂષ છું” એ નરનારીને ભેદભાવ બીજી ગાંઠ છે, (૩) કર્તવ્યને નામે કુટુંબમાં જ પરોવાઈ રહેવાય; વિશ્વને વિચાર જ ન થાય એ ત્રીજી ગાંઠ છે. (૪) જ્ઞાતિ માટે છાત્રાલય, વાડી, જમણ બધું થાય પણ બીજા માટે નહીં એવી ગોત્રની કે જ્ઞાતિની ચોથી ગાંઠ છે. (૫) ધર્મ તે વિશાળ છે છતાં સંપ્રદાયમાં ગુંચવાઈ જવું એ પાંચમી સંપ્રદાય–ગાંઠ છે. તે જ દષ્ટિએ વ્રત ઉપવાસ કે કે દાન થાય અથવા દેરાસર, હવેલી, મસ્જિદ, ગિરજાઘર થાય. આ ભાવ વિધવાત્સલ્યને આવવા દે નહીં. (૬) રાષ્ટ્રાભિમાનને લીધે દેશ પૂરતી ભાવના કેળવાય તે છઠ્ઠી રાષ્ટ્ર-ગાંઠ છે. “હું હિંદી છું', “હું જર્મન છું” “હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિશ છું” આવું દેશવ્યાપી અહી લોકોને લડાવી મારે છે તો તે દૂર થવું જોઈએ. (૭) એ જ રીતે “મારૂં છે. મારૂં ચાલવું જોઈએ' એવી સાતમી માલિકીપણની ગાંઠ છે. આ ગાંઠના કારણે “હું જ આ સંસ્થાનો કર્તા, આ મારી માલિકીનું ધન અથવા બધાએ મારું માનવું જોઈએ” એ ભાવ પેદા થાય છે, જે વિશ્વ વાત્સલ્યમાં બાધક છે. આમ આ સાત ગ્રંથિઓનાં સાત કુંડાળાં ભેદાય નહીં, ત્યાં સુધી બ્રહ્મનિષ્ઠ, અધ્યાત્મનિષ્ઠ, કે વિશ્વ વાત્સલ્યનિષ્ઠ બનાય નહીં. તે આચારનિષ્ઠામાં પણ મારે કહેવું જોઈએ કે માણસ એકલો આચાર કરી શકે નહીં તેને બીજા ઉપર આધાર રાખવાનું છે. એટલે જ આચારની એક વ્યાખ્યા છે કે “પરસ્પર કરેલો વહેવાર તે આચાર !” આચારની જ્યાં વાત આવી કે તરત સંસ્થાઓ આવીને ઊભી રહે છે. ભેગા થઈને નક્કી કર્યા સિવાય વિચારબીજ સુકાઈ જાય, ઊગે જ નહીં, માટે જ ધર્મને આચાર કરવા ઇચ્છનારા મહાપુરૂષોએ સંસ્થા અને સંસ્થાદ્વારા પ્રયોગ કરવા ઉપર ભાર મૂકે છે. જેમ લીંબુ અને ચીકુ, બીજોરું અને મોસંબી એક જાતિનાં છે તે પ્રયોગ કલમ કરીને માળી કરે નહીં, ત્યાં લગી તે ક્રિયા લેકવ્યાપી બને નહીં. એવી જ રીતે સર્વાગી ક્રાંતિકારે બધા ક્ષેત્રમાં અને મુખ્યત્વે આર્થિક (૨) સામાજિક (૩) રાજકીય અને (૪) સાંસ્કૃતિક ક્ષેત્રે નૈતિક સંસ્થાઓ ઊભી કરવી જોઇએ અને હેય તેને વ્યવસ્થિત કરીને ટેકો આપવો જોઈએ. જે નો વિચાર મૂકાય તેને આ સંસ્થાના સેવકો જાતે આચારમાં મૂકે અને સંસ્થાની આસપાસ નવા સમાજનું ઘડતર કરતા જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ . * એકવાત ત્યાં રાખવાની છે કે તે એ કે શૂન્યાવકાશ ઊભો ન થવા દેવો જોઈએ. “આ નહીં પણ આ ” એમ દરેક બાબતની અવેજી મૂકવી જોઈએ. મર્યાદિત નિષ્ઠાને આંચકો લાગે ત્યારે ખળભળાટ મચી જાય પણ, મક્કમ રહીને સત્યનું વ્યક્તિગત અને સામૂહિક આચારરૂપ સિદ્ધ કેરવું પડે. આવું ક્રાંતિબીજ હોય; તે ભલે ક્રાંતિકાર જાતે ચલે જાય, પણ એણે પેરેલું બીજ તેના ગયા બાદ પણ ઊગી નીકળે. ૮૦થી ૧૨૦૦ સાધકો અને બીજા અનેકોનાં બલિદાન અપાયાં બાદ ઇશુ પછી ૭૦૦ વર્ષે તેના વિચારે ફેલાયા. બુદ્ધના વિચારે અશોક પછી હિંદ બહાર ફેલાયા. એમ વિશ્વવાત્સલ્યને વિચાર ધીમે ફેલાય, એ હકીકત છે પણ; એ ફેલાશે જ.” ટુંકમાં સહુએ કબુલ્યું હતું કે આચારનિષ્ઠા માટે, વિચારનિષ્ઠા કરતો પાયાની અનેકગણી તાકાત જોઈએ છે. એટલા માટે જ આટલી વિશદ અને ઊંડાણથી ચર્ચા થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ [9] વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠા [૨૮-૮-૬૧] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાદ્યની આચાર નિષ્ઠા અંગે અગાઉ વિચાર થઈ ચૂક્યા છે. એકલી વિચારીનષ્ઠાથી સામાજિક ક્રાંતિ થઈ શકતી નથી. એ ઉપર પણ વિચાર થઈ ગયો છે. વિચારનિષ્ઠા, જૈનદર્શન પ્રમાણે ચતુર્થ ગુણસ્થાનકની ભૂમિકામાં આવે છે. ત્યાં સમ્યકજ્ઞાન અને સમ્યદર્શન સાધકને મળેલાં હોય છે, પણ સમ–ચારિત્ર એટલે કે આચાર માટેની ભૂમિકા તે પાંચમા અને છઠ્ઠ ગુણસ્થાનકમાં જ પ્રાપ્ત થાય છે. પાંચમાં ગુણસ્થાનકમાં ચારિત્ર–આંશિક રૂપે હોય છે ત્યારે છઠ્ઠાથી લઈને ચૌદમાં સુધીમાં સંપૂર્ણ ચારિત્ર-ક્રમશઃ વધતું જાય છે, પહેલાંના ત્રણ ગુણસ્થાનકમાં તે વિચારનિષ્ઠા પણ આવતી નથી. પહેલાં ગુણસ્થાનકમાં તો મિથ્યાદર્શન એટલે બેટી વિચારસરણી હોય છે. બીજામાં સમ્યકદર્શન-જ્ઞાનને થોડોક સ્વાદ રહી જાય છે. જેમ કોઈએ ગળ્યું ખાધું હાય પછી એનો સ્વાદ રહી જાય. તે પણ ડીક ક્ષણ માટે એવું આ ગુણસ્થાનકનું છે. ત્રીજામાં મિશ્ર–એટલે કે આ સાચું કે આ ખોટું એવું ઢચું-પચું મન રહે છે અને વિચાર-નિષ્ઠા કે સાચી શ્રધ્ધા પણ આવતી નથી. આ ત્રણ ગુણસ્થાનક સુધી તો જેની દષ્ટિએ જૈન તરીકેનું ઘડતર પણ થતું નથી. ચોથા ગુણસ્થાનકમાં એ અંગેની શ્રદ્ધા-વિચારનિષ્ઠા જામે છે અને ત્યાર પછી પિતાને અને સમાજને વિકાસ સાધી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આમ દરેક સ્થળે સર્વપ્રથમ સમ્યક્ શ્રદ્ધા-વિચારનિજા હેવી જરૂરી છે, પણ એની સાથે એને આચારમાં મૂકવી એની પણ એટલી જ જરૂર છે. વિશ્વ વાત્સલ્યને વિચાર લગભગ દરેક ધર્મોએ-વિચારધારાએ સ્વીકારેલો છે પણ એને આચારમાં મૂકવા જતાં કેટલાં વિદને આવીને ઊભાં રહે છે તેને ખ્યાલ અગાઉ અપાઈ ગયો છે. છતાંયે જુદા જુદા ધોરણે અલગ અલગ તિક સંગઠને રચવામાં આવે અને સમાજનું ઘડતર કરવામાં આવે તે અઘરી લાગતી આચારનિષ્ઠા સરળ અને સહજ બની શકે છે. વિશ્વાત્સલ્યની આચારનિષ્ઠાનાં બે અંગ છે –(૧) નીતિનિષા (૨) ધર્મનિષ્ઠા (વ્રત નિષ્ઠા). આ બે અંગ પૂર્ણ થાય તો જ આચારનિષ્ઠ પૂર્ણ થઈ શકે, નહીંતર તે આંશિક આચારનિષ્ઠા કહેવાશે. અહીં ધર્મ એટલે અહિંસા, સત્ય, ન્યાય વગેરેવાળું વ્યાપક ધમંતવ, એ અર્થ લેવાને છે, કઈ જૈન, બૌદ્ધ, વૈદિક, ઈસાઈ કે ઈસ્લામ એવા નામવાળે ધર્મ સમજવાને નથી. ઘણું લેક એમ કહેશે કે વિશ્વવાત્સલ્યમાં એકલી ધર્મનિષ્ઠા (વ્રત નિષ્ઠા) હોય તે શું આચારનિષ્ઠા ન આવે ? વળી નીતિ-નિષ્ઠા ઉપર એટલો ભાર મૂકવાની શું જરૂર છે? નીતિનિષ્ઠા વગરની ધર્મનિષ્ઠા હોય તે વ્યકિત કે સમાજનું જે સર્વાંગી ઘડતર થવું જોઈએ, તે થતુ નથી. નીતિ સ્પષ્ટ ન હોવાને કારણે સર્વાગી-વિરૂધ એકાંગી કે અને કાંગી આચારનિષ્ઠાને ટેકો કે સમર્થન અપાઈ જવાને ભય ઊભો રહે છે. આચાર નિષ્ઠા માટે નીતિ પાયા રૂપે છે અને વ્રત એની ઉપરનું ચણતર રૂપ છે. પાયા વગરની આચારનિષા ટકી શકે, એને સંભવ ઓછો છે. આજે નીતિનિષ્ઠાના અભાવે એવું જોવામાં આવે છે કે પારેવાને કણ નાખનારા લોકો કસાઈને પૈસે ધીરે છે અને કીડીની રક્ષા કરનાર લોકો રેશમને વેપાર કરે છે. જેમાં નીતિનિષ્ઠા તરફ જે. ઉપેક્ષા સેવાય છે તેનું પરિણામ એ આવ્યું છે કે ઠેર ઠેર પૈસા અને પૈસાદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ બેની ખેતી પ્રતિષ્ઠા વધી ગઈ છે. કાળાબજાર કે અનીતિ કરીને પસે રળનાર એકાદ વ્રત ગ્રહણ કરે છે તેની પ્રતિષ્ઠા થાય છે. મૂળ તે પાંચ વ્રત–અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. તે લીધાં વગર તેને પિષનાર વ્રત લેવાને કઈ અર્થ નથી. પરિણામે ધર્મ જેટલો શેભ જોઈએ તેટલે શોભતે નથી. આજ નીતિનિષ્ઠાને અભાવે જેવામાં આવે છે કે રોજ પૂજા-પાઠ કરનારા પણ પૈસો મેળવવા અનિષ્ટ અને નિકૃષ્ટ પ્રકારને ધધ કરતાં અચકાતા નથી. તેઓ વ્રત અને નીતિન પરસ્પરને મેળ કરતા નથી. નીતિનિષ્ઠા કાચી રહેવાથી કેવળ ધાર્મિક ક્ષેત્રે જ નહીં, ઓપતું બીજા ક્ષેત્રમાં પણ અસંગત લાગે તેવી વાતો આદરાતી જોઈ શકાય છે. મહાત્મા ગાંધીજીએ વતનિષ્ઠા સાથે નીતિનિષ્ઠા જાતે આદરીનેઆચરી બતાવી હતી. તે તેમની વ્યક્તિગત હેઈને તે વખતની સંસ્થાએની નીતિનિષ્ઠા કાચી દેખાય છે. ગાંધીજી પછી મુખ્યત્વે બે સંસ્થાએ તેમને માનનારી આવે છે એક સર્વોદય અને બીજી કોંગ્રેસ. નીતિનિષ્ઠાને પાયે મજબૂત ન હોવાથી આ બન્ને સંસ્થાના નેતાઓ ઘણીવાર અસંગત અને અણુધડ વાત કરતાં જણાય છે. એક સર્વોદયી કાર્યકર શ્રી જયપ્રકાશ નારાયણે, “પાકિસ્તાનને પાયાની લોકશાહી બતાવી અને ભારતે પણ એવી લોકશાહી આદરવી જોઈએ ” એવું વિધાન કર્યું. એવી જ રીતે “કાશ્મીર અને ચીનને પ્રશ્ન લવાદીથી ઉકેલવો” એવું વિધાન પણ કરવામાં આવ્યું. કોઈપણ સમજ વ્યક્તિ આવાં વિધાને ન કરી શકે અને તે પણ સર્વોદયવાદી તે નહીં જ! પાકિસ્તાનને લોકશાહી રાજ્ય માનવું એ તે જગજાહેર ભૂલ છે. તેવી જ રીતે લવાદ તે ત્યાં નીમી શકાય જ્યાં બે પક્ષ વચ્ચે મતભેદ હેય. પણ આક્રમણકારી કે અન્યાયીને નમતું આપવા માટે લવાદ નીમવો એ યુકિત સંગત નથી. એવો જ દાખલ સર્વિસેવાસંઘના મંત્રી શંકરરાવ દેવને છે. નીતિનિષ્ઠા ન હોવાના કારણે તેમણે સંયુકત મહારાષ્ટ્ર સમિતિમાં ઝંપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ લાવ્યું પરિણામે હિંસક અને તોફાની તત્ત્વને પ્રતિષ્ઠા અને ઉત્તેજન મળી ગયું. જો કે પાછળથી તેમણે પિતાની એ ભૂલ કબૂલી હતી. નીતિનિષ્ઠા ન હોવાના કારણે વિવેક વિસારીને પિતાનાથી સર્વથા ભિન્ન આચાર પ્રવાહમાં તણાઈ જવાય છે, એના કેટલાયે દાખલાઓ મળી આવે છે. મહાગુજરાત જનતા પરિષદે વિદ્યાથીઓને ઉશ્કેર્યા, તેમણે ભાંગફોડ કરી અને જનતાના જાનમાલની સુરક્ષા માટે સરકારને ગોળીબાર કરવો પડ્યો. કેટલાક માર્યા ગયા અને તેમને અંજલિ આપવા કેટલાક સાધુઓ પણ ગયા અને તેમને શહીદ તરીકે ખપાવ્યા. આનું કારણ નીતિનિષ્ઠાને અભાવ છે. સાધુ કદી તોફાની તને વખોડી ન શકે તો ઠીક, પણ તેને બિરદાવી તે ન જ શકે. એવી જ રીતે કોંગ્રેસને દાખલો લઈએ. નીતિનિષ્ઠાના અભાવે સમાજવાદી ઢબની સમાજ રચના કેમ કરવી ? તે શું છે? તેને કોઈને સ્પષ્ટ ખ્યાલ નથી. એમાં ક્યાં ક્યાં સંગઠનને, ક્યાં ક્ષેત્રો સોંપવા એ નીતિ પણ નક્કી નથી. એના કારણે તે બધાં ક્ષેત્રને પકડવા જાય છે અને પોતાની નીતિ બહારનાં ક્ષેત્રમાં અસફળતા મળતાં તેની બીજા ક્ષેત્રમાં પણ ટીકા થાય છે. આચાર નિષ્ઠાને પાયે નીતિનિષ્ઠા છે. એમાં કચાશ રહેતાં સમાજ કે સંસ્થાનું ઘડતર કાચું રહી જાય છે. કોંગ્રેસમાં આવી નીતિનિષ્ઠાની કચાશ છે. પરિણામે જોવામાં આવે છે કે વર્ષોને કોંગ્રેસી કાર્યકરે, સંસ્થામાંથી છુટાં થાય છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર-ગુજરાત વખતે ઘણા ગ્રેસીઓએ જઈને પિતાનાથી ભિન્ન આદર્શવાળી સંસ્થાઓ સાથે હાથ મેળવ્યા હતા. કેરલમાં કોમવાદી સંસ્થાઓ સાથે કોંગ્રેસે હાથ મેળવ્યું હતું. મહાત્મા ગાંધીજીના રચનાત્મક ઘડતરના મુદ્દાઓમાં એક મુદ્દો હતા–“રાષ્ટ્રભાષા -માતૃભાષા પ્રચાર ” તેમણે એના આધારે એકતાના સૂત્રને મજબૂત કર્યું હતું ત્યારે આજે થોડાક અંગ્રેજી ભણેલાઓએ લોકોની શેહમાં તણાઈહિંદીનું મહત્વ ઘટાડયું છે અને પ્રાથમિક ધોરણોથી અંગ્રેજી ભાષાને દાખલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ કરવામાં આવી છે. એ કંઈ ઓછું હોય તેમ ઘણું યે પ્રાંતમાં હિંદીની ઉપેક્ષા અને વિરોધ પણ કરવામાં આવેલ છે. આ બધી સંસ્થાના ઈતિહાસની પરસ્પરની વિસંગતતાઓ છે, અને તેનું કારણ નીતિનિષ્ઠાની કચાશ છે. ઉપરના બધા દાખલાઓનું પૃથક્કરણ કરતાં આપણને ઘણું કારણે જેવાં મળશે જે આચારનિષ્ઠાને બાધક હોય છે. તેમાં ઘણા પાયાના મુદ્દાઓ પણ છે. વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાને પાય એટલાં માટે જ નીતિનિષ્ઠાને માનવામાં આવ્યો છે, અને તેને અનુરૂપ વિશ્વવાત્સલ્યની નીતિ-નિષ્ઠાના અગ્યાર સત્ર માનવામાં આવેલા છે. આ સૂત્રે વગર વિધવાત્સલ્યની આચારનિષ્ઠા કદિ સક્રિય નહીં બની શકે - વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાના ૧૧ સૂ [૧] ધમદષ્ટિએ સમાજ રચના : વિશ્વ વાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મદષ્ટિએ સમાજ રચના છે અને એને જ નીતિનિષ્ઠાનું પહેલું સૂત્ર માનવામાં આવે છે. અહીં ધર્મ એટલે કોઈ વિશેષ સંપ્રદાય સૂચક નહીં, પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ન્યાયનીતિ વગેરે ધર્મતત્વોને સુચક શબ્દ છે.. - ધર્મદષ્ટિએ સમાજ રચનાના બદલે અહિંસક સમાજ રચના શા માટે નહીં ? એ ઘણું પ્રશ્ન કરશે. જે ઝીણવટથી જોવામાં આવે તે અહિંસામાં બાકીના ચાર વ્રતો આવી જાય છે. જૈનાચાર્ય હસ્પિદ્રસૂરિએ એ વાતને સ્વીકાર કર્યો છે કે : सवाओ दि नइओ कंमेण जह सायरंभि निवडति। . तह भगवई अहिंसि सव्वे धम्मा संमिलंति ॥ . संबोध सचरी (જેમ બધી નદીઓ ક્રમશઃ સાગરમાં જઈને મળે છે તેમ અહિંસામાં બધા ધર્મો આવીને મળે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર अहिंसाग्गहणं पंचमहव्वयाणि गहियाणि भवंति दशवैसेलि र हरिकृति (અહિંસાના પ્રહણથી પાંચ મહાવ્રતનું ગ્રહણ થાય છે.) પણ, સામાન્ય જનતા માટે આટલી ઝીણવટ અશક્ય છે અને તે ઉધે રસ્તે દેરવનારી પણ નીવડી શકે છે, અહિંસામાં કેવળ અહિંસાને જ તેને બંધ થશે; જ્યારે ધર્મશબ્દમાં અહિંસાદિ પાંચેતે ઉપરાંત બીજા ઉપવ્રતા જે બધા ધર્મોને માન્ય છે, તે આવી જાય છે. એટલા માટે જ ભગવાન મહાવીરે તેમની પૂર્વે થયેલ ભ. પાર્શ્વનાથના ચાતુર્યામ સંવર માંથી પંચમહાવ્રતની પ્રતિસ્થાપના કરી હતી. આજે અહિંસક સમાજ રચના કહેતાં માત્ર એવા સમાજની રચનાને બંધ થશે કે જે માંસાહાર ન કરતા હોય છવવધ ન કરતો હોય કે લીલોતરી ન ખાતે હોય. અને તેવી કલ્પના સામાન્ય રીતે જૈન સમાજ કે તેને માનનારે સમાજ કરશે. વૈષ્ણવ અહિંસાને અર્થે કરશે - ગોહત્યા ન કરવી, પશુવધ ન કરો અને શાકાહાર કરવો.” માનવાનું પરસ્પરનું શોષણ, અન્યાય, અત્યાચાર, અનીતિ, ભેદભાવ, ગુલામી વગેરે હિંસાના પ્રકાર છે એવી વાત કોઈને ગળે અહિંસા કહેતા નહીં ઉતરે. એટલે જ “ધર્મ' શબ્દને અહીં આગ્રહપૂર્વક લેવામાં આવ્યું છે અને ધર્મદષ્ટિએ સમાજ રચનામાં એ વાત સ્પષ્ટ થાય છે. કોઈપણ કાર્યનું મૂર્તરૂપ સ્પષ્ટ થાય તે જ એ કાર્ય વ્યાપક બની શકે છે. વિશ્વવાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મમય સમાજ છે. એ દષ્ટિએ વિશ્વ વાત્સલ્યને લક્ષમાં રાખીને જે સંગઠને ઊભાં થયાં છે તેમાં ધર્મદષ્ટિ રહેવી જોઈએ. તેમાં અર્થ કે કામ દષ્ટિ ન હોવી જોઈએ. કદાચ અર્થ-કામદષ્ટિ આવી પણ જાય તે ત્યાં સાવધાની રાખીને તેને દૂર કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ આમ પહેલા સૂત્ર પ્રમાણે એમ કહી શકાય કે વિશ્વવાત્સલ્યને અનુલક્ષીને થયેલાં સંગઠનમાં ધર્મદષ્ટિ મુખ્ય રહેશે અને અર્થ-કામદષ્ટિ ગૌણ રહેશે. અત્યાર સુધી એ જ દષ્ટિ વિશ્વ વાત્સલ્ય વિચારને અનુલક્ષીને સંચાલિત સંગઠનમાં રાખવામાં આવી છે. કદાચ પ્રારંભમાં થોડેક લોભ જતો કરવો પડે, પણ અંતે તો નીતિના ધોરણે ચાલતી સંસ્થાઓ જ લોકમાનસને વિશ્વાસ મેળવી શકે છે અને તેમનામાં નીતિને પ્રચાર કરી શકે છે. ભાલ નળકાંઠો ખેડૂત મંડળને દાખલો આ વાતને સ્પષ્ટ કરશે. તે મંડળ હજુ સ્થપાયું જ હતું. તે વખતે કંટ્રોલ ચાલતો હતો. ખેડૂતોને બાંધેલા ભાવે ફરજિયાત અનાજ વેચવું પડતું હતું. પણ, તેમને જોઇતી ચીજો બહુ મુશ્કેલીથી લાવવી પડતી હતી. આમ ખેતી પરવડે તેમ ન હતી. કારણ કે અંકુશ એકતરફ હતો. એવી પરિસ્થિતિમાં ખેડૂતોએ મુનિશ્રી સંતબાલજી પાસે વાત મૂકીઃ “કાં તે સરકારે અનાજના ભાવ વધારવા જોઈએ અથવા અંકુશો કાઢવા જોઈએ.” ગુજરાતના રચનાત્મક કાર્યકરે મુનીશ્રીની હાજરીમાં મળ્યા. ખાનાર અને ખેડનાર બન્નેને પોષાય તેવા ભાવો બંધાવા જઈએ-એ જ વ્યાજબી છે. પણ તે થાય કેવી રીતે? તે વખતે ગાંધીજીએ અંકુશો કાઢી નાખવા માટે દેશવ્યાપી પ્રશ્ન મૂક્યો. સરકારને ડર હતો કે અંકુશો જતાં ભાવમાં ઉછાળો આવી જશે. અંતે ૧૯૪૭ના ડિસેમ્બરમાં અંકુશો ગયા. તે વખતે વેપારીઓ (બાવળા વ, કસ્બાના)ની એક સભા બોલાવવામાં આવી. પૂ. મહારાજશ્રીએ વેપારીઓ અને ખેડૂત સમક્ષ સ્વેચ્છાપૂર્વકનો અંકુશ રાખવાની વાત રજૂ કરી. સહુએ તેને સ્વીકાર કર્યો અને રૂ. ૧૦) ને ભાવ નક્કી થશે. આમાંથી મોટા ભાગના વેપારીઓ વચન આપવા છતાં આ નૈતિક સંગઠનમાં ન ભળ્યા, વચન ઉપર ટકી ન શક્યા. તેમને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ લોભ લાગે. કારણ કે નીતિનિષ્ઠા ઉપર તેમને શ્રદ્ધા ન હતી. તેઓ નક્કી કરેલા ભાવ કરતાં ઉંચા ભાવે લેવા અને વેચવા લાગ્યા. ખેડૂત મંડળના ખેડૂતો તે નકકી કરેલા ભાવે અનાજ ખેડૂતમંડળને જ આપતા પણ મંડળની બહારના ખેડૂતો ભાવ વધારે મળતાં બહાર વેચવા લાગ્યા. ત્યાં ભાવ તે ઊંચે મળતે પણ તોળવામાં ગોટાળો થતે એટલે તેમણે ત્યાં આપવું બંધ કર્યું અને ખેડૂતમંડળને આપવું શરૂ કર્યું. તેમને વિશ્વાસ બેસી ગયો કે ખેડૂતમંડળ નીતિ ઉપર છે અને ત્યાં અર્થને લેભ નથી. લગભગ ૧૭ હજાર મણ અનાજને સંગ્રહ થઈ ગયે. ભાવ ધાર્યા કરતાં ઊંચાં ન ગયા. એટલે ખેડૂતમંડળ સામે પ્રશ્ન આવ્યો કે તેને ખરીદશે કોણ? તે વખતે લક્ષ્મીદાસ આસરે કહ્યું કે “ગાંધી-હાટ' ખેડૂતમંડળનું બધું અનાજ ખરીદશે. એ વખતે ખેડૂતમંડળની સ્થિતિ એટલી સધ્ધર ન હતી કે અનાજ ખરીદીને સંઘરી શકે. જે તે વખતે ખેડૂતે અર્થ (પૈસા) પાછળ પડ્યા હોત કદાચ વધારે નફો મેળવી શકત પણ નીતિ ઉપર રહેવાની તેમની જે નિષ્ઠા પાકી થઈ તે કદાચ ન થાત. પરિણામે ખેડૂતમંડળ ભવિષ્યમાં જે કામ કરી શકયું તે ન કરી શક્ત. અહીં અર્થદષ્ટિ ઉપર ધર્મદષ્ટિને અંકુશ આવી ગયો. આમ અર્થ અને કામ-લક્ષીથી ઉપર ઊઠીને ખેડૂત મડળ ધર્મલક્ષી બનીને નીતિનિષ્ઠા ઉપર ટકી રહ્યું, તે લાભ નાનોસૂને નથી. (૨) સર્વસમન્વયમાં પાયે ધર્મતત્વ: વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાનું બીજુ સત્ર એ છે કે બધા ધર્મો, વિચારે, સંસ્કૃતિઓ, રાષ્ટ્ર, ક્ષેત્ર અને જ્ઞાતિઓને સમન્વય ધર્મતત્વના પાયા ઉપર કરો. કોઈ એમ કહેશે કે બધા ધર્મોનો સમન્વય કરો છો તો બધા રાજકીય પક્ષોને સમય વિશ્વ વાત્સલ્યમાં કેમ ન થઈ શકે? આ અંગે પૂ. સંતબાલજીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ “આપણે બધા ધર્મોને સમન્વય કરી શકીએ કારણ કે તેમને પાયે ધર્મ ઉપર છે. ત્યારે બધા રાજકીય પક્ષોનું એવું નથી. કોંગ્રેસ સિવાય કોઈ પણ પક્ષને પાયો ધર્મતત્વ ઉપર નથી. એમને પાયે “સત્તા પ્રાપ્તિ છે. સત્તાની કામના એ કામલક્ષી દૃષ્ટિમાં આવે છે. આપણે સમાજમાં ધર્મદષ્ટિ રાખી છે, એટલે એને મેળ ન બેસી શકે.” એવી જ રીતે જે પંથ કે સંપ્રદાય માત્ર હિંસા, અસત્ય, અંધવિશ્વાસ, પંચમકાર વગેરે ઉપર રચાયેલ છે તેમને પણ સમન્વય “ થઈ શકે. ઘણાનું એમ માનવું છે કે કોંગ્રેસ તો રાજકીય પક્ષ છે, તે પણ સત્તા ટકાવવા મથે છે તો શા માટે તેના સમન્વયને આગ્રહ રાખ જોઈએ? ફેંગ્રેસને ઇતિહાસ જે લોકે ઊંડાણથી જોશે તેમને જણાશે કે કેગ્રેસના પાયામાં સત્તાની વાત જ ન હતી. તેની સ્થાપના રાષ્ટ્રસેવા માટે કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસી કાર્યકરે આગળ ૧૯ કાર્યક્રમ અને વ્રતો મૂકીને અલગ અલગ સંગઠને વડે તેમને ઘડ્યા હતા. એમના એ મુદ્દાઓ અને રચનાત્મક કાર્યક્રમોમાં વિશુદ્ધ માનવસેવા અને માનવસમાજના ઉત્કર્ષનું ધ્યેય હતું. દેશ માટે સારામાં સારે તન-મન અને ધનને ભોગ તેના નેતાઓએ આપે અને કોંગ્રેસ એ રીતે તપ-ત્યાગ અને બલિદાન વડે ઘડાયેલી છે. આજે જો કે એમાં અનિષ્ટોનાં જાળાં બાજ્યાં છે તે તે ક્રાંતિપ્રિય સાધુઓ અને રચનાત્મક કાર્યકરોની અસાવધાનીના કારણે. તેને પણ જનસેવક સંગઠને અને લોકસંગઠન દ્વારા શુદ્ધિ પ્રયોગ વડે દૂર કરી શકાય છે. ધર્મ તત્વ ઉપર રચાયેલ બધા સંગઠનને સમન્વય કરવાનું એટલા માટે જણાવવામાં આવ્યું છે કે કેવળ ધર્મ દષ્ટિ જ એવી છે જેમાં કોઈ પણ પ્રકારની સ્વાર્થભાવના કે વિકારવાસનાને પોષણ મળતું નથી. એટલે એના આધારે જે સંગઠનો થયાં હોય તેઓ વિશ્વવાત્સલ્યને પ્રચાર કરવામાં મદદરૂપ થઈ શકે. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ (૩) માનવજીવનના સર્વક્ષેત્રે નીતિધર્મને પ્રવેશ: વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠાનું ત્રીજું સૂત્ર એ છે કે વિશ્વવાસત્યને સાધક માનવ જીવનના બધા પ્રકારનાં ક્ષેત્રોમાં પ્રવેશ કરશે અને તે ક્ષેત્રે માં નીતિધર્મ પ્રવેશ કરાવવા પ્રયત્ન કરશે. આ માનવજીવનનાં ક્ષેત્રોમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક કે શિક્ષણિક બધાય ક્ષેત્રેનો સમાવેશ થઈ જાય છે. બધાં ક્ષેત્રને લઈએ ત્યારે વિશ્વવાત્સલ્યને સાધક રાજકીય ક્ષેત્રથી એકલે, અટુલે કે અતડે ન રહી શકે ! તેમ જ ત્યાંથી ભાગી પણ ન શકે. - મહાત્મા ગાંધીજી રાયકીય ક્ષેત્રની ગંદકી જોઈને ભાગ્યા નહીં; ડર્યા નહી તેમજ કટાળ્યા પણ નહીં. તેમણે તે એની સાથે અનુબંધ જોડ્યો અને ગંદકી કાઢી એમાં ધર્મપ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો. એવી જ રીતે આર્થિક ક્ષેત્રમાં ખાદી-ગ્રામવેગેનાં સંગઠને રચાવી ત્યાં પણ ધર્મનીતિને પ્રવેશ કરાવ્યો. સામાજિક ક્ષેત્રમાં હરિજનો અને મજૂરોના પ્રશ્નો લઈ તેમના સંગઠન દ્વારા તેમાં ધર્મ અને નીતિ દાખલ કરાવી. સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રશ્નો પણ તેમણે આફ્રિકામાં લીધા હતા અને હિંદમાં પણ સ્ત્રી જાગૃતિ અને નારી-પ્રતિષ્ઠ, સંતતિનિયમન વગેરે પ્રશ્નો લીધા હતા. શિક્ષણના ક્ષેત્રમાં “નઈ તાલિમ પ્રમાણે નવી શિક્ષણ જના ઘડી, એ સંગઠન વડે શિક્ષણનું માળખું બદલાવ્યું હતું. ધાર્મિક ક્ષેત્રમાં પિસલી વિસંવાદિતાઓ દૂર કરવા માટે સર્વધર્મ સમન્વય કરવા તેમણે તનતોડ મહેનત કરી. “ઈશ્વર અલ્લાહ તેરે નામ"તે ઘર ઘર ગાજતું કર્યું હતું. ઘનિષ્ઠામાં તેમણે નવું જીવન રેડયું હતું અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેમણે અનુબંધ રાખ્યો હતો તેને અનુરૂપ તપ, ત્યાગ, બલિદાન, દાન, પ્રાર્થના ઉપવાસ વગેરે કાર્યક્રમો મૂક્યા હતા. * આમ જોઈ શકાશે કે ગાંધીજી જેમ બીજા વિશ્વવાસિલ્ય સાધકે પણ ભાન જીવનના કેઈ ક્ષેત્રને મુકી શકશે નહીં. એટલે વિશ્વવાત્સલ્યના સાધકે માનવજીવનના સર્વ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈશે. ગાંધીજી પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ આજના સર્વોદયી વિચારકામાં આર્થિક અને સામાજિક સિવાય બધા ક્ષેત્રેથી અલગ રહેવાની વૃત્તિ આવી છે તે ઉચિત નથી; તેમજ સંગઠનમાં ને માનવાથી નીતિનિષ્ઠાને પાયો કાચે રહી જાય છે. (૪) ચારે પ્રકારનાં સંગઠનનો અનુબંધ : વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું ઉપરની વિચારસરણને અનુરૂપ શું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકે આ માનવજીવનના બધા ક્ષેત્રમાં કામ કરનાર ચારેય સંગઠને [ (૧) કાંતિપ્રિય સાધુ-સન્યાસી– સાધ્વી (૨) સર્વાગી દૃષ્ટિવાળા લોક સેવકો (૩) નૈતિક જનસંગઠને (૪) રાજ્ય સંસ્થા (કોંગ્રેસ) ની સાથે અનુબંધ રાખશે અને અનુબંધ વિચારને મૂકીને એક પણ ડગલું આગળ ભરશે નહીં. આ સૂત્ર ઉપરથી નીચેના ચાર મુદાઓ ફલિત થાય છે – [૧] જ્યાં અનુબંધ તૂટતો કે તૂટેલો હશે અથવા બગડતો કે બગડેલો હશે ત્યાં વિશ્વાત્સલ્યને સાધક તેને સાંધવા કે સુધારવા મથશે. [૨] અયોગ્ય તને (જેમકે કોમવાદી, હિંસાવાદી, મૂડીવાદી બળે કે પક્ષો, અસ્પષ્ટ દષ્ટિવાળી કે એવા પક્ષોને ટેકો આપનારી સંસ્થાઓ) પ્રતિષ્ઠા આપવાથી કે ટેકે આપવાથી અનુબંધ બગડે છે એમ માની, કામ વધારે થવા માટે, જલદી થવા માટે, કે કાર્યમાં મદદ મેળવવા માટેના લોભમાં કે શેહમાં તણાઈને, અથવા નાહક સંધર્ષ થશે એથી ડરી જઈને વિશ્વ વાત્સલ્યને સાધક તેને પ્રતિષ્ઠા કે ટેકો આપશે નહીં. એવી જ રીતે પૈસાદાર કે સત્તાધારીને માત્ર પૈસા કે સત્તા ખાતર મેટું પદ કે પ્રતિષ્ઠા આપશે નહીં. ૩] અનુબંધ રીતે જે ચાર સુસંસ્થાઓને આ કમ છે – (૧) ક્રાંતિપ્રિય સાધુ, સન્યાસી સાધ્વી (૨) સર્વાગી દૃષ્ટિવાળા લોકસેવકોનું સંગઠન (૩) નેતિક જન સંગઠન, અને (૪) રાજ્ય સંસ્થા, એ ચારેયને, વિશ્વ વાત્સલ્યને સાધક જેનું જ્યાં સ્થાન અને યોગ્ય ક્ષેત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ હશે તે સ્થાને અને તે ક્ષેત્રમાં તેને રહેવા દેશે. જો એ ચારમાંથી કઈક અયોગ્ય રીતે આગળ આવી હશે કે કોઈ કે વધારે ક્ષેત્રે આંચકી લીધી હશે તે તે તેને યોગ્ય સ્થાને અને યોગ્ય ક્ષેત્રે ગાઠવવા સતત પુરુષાર્થ કરશે. દા. ત. કોંગ્રેસને લઈએ. અનુબંધ પ્રમાણે તેને કેમ ચોથો આવે છે પણ એણે પહેલું સ્થાન લઈ લીધું છે એટલું જ નહીં, જોઈએ તેના કરતાં વધારે ક્ષેત્રે-સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક-તેણે ચકી લીધા છે, તે તે ક્ષેત્રને વેગ્ય સંસ્થાઓને અપાવવાનો પ્રયત્ન ભાલ નળકાંઠા પ્રયોગમાં ચાલુ છે. કેંગ્રેસ માત્ર રાજકીય સંસ્થા તરીકે રાજકીય ક્ષેત્રમાં કામ કરે તો જ તે હળવી થઈને નીતિનિષ્ઠ બની શકશે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં સંસ્થાનવાદ મુક્તિ, પંચશીલ વિ. નાં કાર્યો સારી પેઠે કરી શકશે. [૪] જ્યાં અનુબંધ ચતુષ્ટયમાં કોઈ એક સંસ્થાને અનુબંધ ન હોય ત્યાં તેની અવેજી પૂરવી; કારણ કે જ્યાં અવકાશ રહેશે ત્યાં તરત પિલ જોઈ બીજું અનિષ્ટકારક બળ પેસી જશે. અહીં જરા જેટલી ઉપેક્ષા સેવવાથી અનર્થ થવાને સંભવ છે. પારડીમાં ઘાસિયા મજૂરોને પ્રશ્ન ઘણે જ ગુંચવાએલો હતો. પૂ. મનિથી સંતબાલજી ત્યાં ગયા. એમણે પ્રશ્નને સારી પેઠે અભ્યાસ કર્યો. સૂરત જિલ્લા પ્રાયોગિક સંઘ તે વખતે ઊગતા જ હતા. કોંગ્રેસનું ત્યાં ઠેકાણું નહતું અને પ્રજા સમાજવાદી પક્ષ સત્તા માટે કામ કરતા હતા. મહારાજશ્રીએ એ બધું જોયું. તેમણે પારડીમાં એક જાહેર સભા બેલાવી અને તે પ્રશ્નને સચોટ ઉકેલ બતાવ્યું. લોકોને તે ગો પણ તેમણે કહ્યું: આ પ્રશ્નમાં પ્રજાસમાજવાદી લોકે પ્રારંભથી મથતા આવ્યા છે માટે. તેમને બોલાવવા જોઈએ !” મહારાજશ્રીએ અનુબંધ દ્રષ્ટિ સામે રાખીને કહ્યું: “તેઓ સહેજ આવે તે તે જુદી વાત છે પણ આપણે તેમને બોલાવીને પ્રતિષ્ઠા આપી શકીએ નહીં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જન સંગઠન અને જનસેવક સંગઠન ગોઠવ્યાં અને ત્યાંનો ઉકેલ આયે. આ સંસ્થાઓ અગાઉ નહતી. રાજસ્થાનમાં સર્વોદય કાર્યકરોએ કહ્યું “કાંગ્રેસની વાત છેડી દે! બાકી બધી યોજના બરાબર છે. કોંગ્રેસને ટેકો આપવાની વાત છોડે તો અમે તમને સહયોગ આપી શકીએ!” પણ, એ તે પાયાની વાત હતી. જે તેને છોડવામાં આવે તે આખો પાયો ડગમગી જાય. સંઘર્ષ થશે એટલે ડરીને ભાગવાથી શુદ્ધિ કેવી રીતે થાય? એટલે વિશ્વવાત્સલ્યના સાધકે ચારે સંસ્થાના અનુબંધને સર્વાગી ક્રાંતિ માટે મહત્વ આપવું જોઈએ અને તેમાં જરા પણ ગફલત ન રાખવી જોઈએ. ભાલ નળ કાંઠા પ્રયોગમાં એક ખૂબી એ પણ છે કે ત્યાં ઘણું સંસ્થાઓ ચાલે છે. ત્યાં જે કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિતરૂપે મદદ આપે છે તેની મદદ માનભેર સ્વીકારવામાં આવે છે પણ, તેની કોઈ જાહેરાત થતી નથીછાપામાં નામ અપાતું નથી કે પાટિયાં લગાડવામાં આવતાં નથી, (૫) ધર્મદષ્ટિએ સપ્ત સ્વાવલંબન : વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાનું પાચમું સૂત્ર છે કે ગામડાઓ કે શહેરોમાં સપ્ત સ્વાવલંબનનું કાર્ય ધર્મદષ્ટિએ ચાલશે, માત્ર અર્થદષ્ટિએ નહીં. એમાં આર્થિક દૃષ્ટિએ નબળા માટે સબળાને ઘસાવાનું આવશે પણ તે ધર્મ કર્તવ્ય કે પ્રાયશ્ચિયતની ભાવનાએ જ. જે સ્વાવલંબનનું કાર્ય આર્થિક દૃષ્ટિએ ચાલે તો તેમાં સરકારી હપ્તાઓ કે મદદ લઈને ચલાવવાનું થાય. એથી કાર્યકરોની દૃષ્ટિ કેવળ પગાર પૂરતી જ રહે અથવા ગરીબોને રેજી મળે છે એ પૂરતી રહે. પણ અહીં તો ગામડાઓએ મળીને નૈતિક શકિત જાગૃત કરી સપ્ત સ્વાવલંબન સાધવાનું છે, ગામડાંઓએ કૌટુંબિક ભાવનાઓથી બંધાવાનું છે તે ધર્મદષ્ટિએજ શક્ય છે. એનો અર્થ એ નથી કે સરકારી મદદ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ લેવી. જે ડખલગીરી કર્યાવગર ચાલી-ચલાવીને સરકાર મદદ આપે તો તેને સ્વીકાર કરશે પણ, દબાણમાં આવીને સ્વીકારશે નહીં. કે (૬) પુણ્ય કરતાં ધર્મની મુખ્યતા : ઉપરની વાતો અગેથી જે છ8 સૂત્ર સામે આવે છે તે એ છે કે વિશ્વવાત્સલ્યને સાધક પુણ્યના (રાહતના આર્થિક મદદના) કામ કરતાં વ્યાપક ધર્મ (ક્રાંતિના એટલે સત્ય, અહિંસા, ન્યાય વ. યુક્ત ધર્મતવ)ના કાર્યને મુખ્ય ગણશે. આને અર્થ એ નથી કે સંસ્થાઓ અનિવાર્ય પુણ્યનાં કામને છોડી દેશે. સામાન્ય કાળમાં તો એ કામ ચાલતાં જ રહેશે, પણ વિશેષ પ્રસંગ આવે ત્યારે રાહતના કામોને ગૌણ ગણું ધર્મનાં કાર્યમાં સાધક ઝંપલાવશે. અન્યાય, અત્યાચારને અહિંસક રીતે પ્રતિકાર કરવા માટે તપ-ત્યાગ-બલિદાનને પ્રસંગ આવે કે કટોકટી અથવા તેફાનને પ્રસંગ આવે તો તેને મુખ્ય સ્થાન સાધકે આપવું જોઈશે. આનું કારણ એ છે કે માત્ર રાહતના કામથી જનતાની નૈતિક શકિત જાગૃત થતી નથી. ઘણીવાર રાહત આર્થિક મદદ વગેરેથી જનતા તેવી વૃત્તિવાળી અને પામર બની જાય છે. કાર્યકરો પણ સંઘર્ષથી ડરીને અત્યાચાર, અન્યાય વિ. અનિષ્ટ ચાલતાં હેય છતાં મૅન સેવે છે કે કંટાળીને ભાગી છૂટે છે. એથી દડ તવોને છૂટો દોર મળે છે અને અન્યાયો અકબંધ ચાલ્યા કરે છે. માત્ર રાહત આપવાથી લોકોમાં લઘુ (હીન) ગ્રંથિ પ્રવેશે છે અને રાહત આપનારમાં ગુરુ (ગૌરવ) ગ્રંથિ પેસી જાય છે. આવું ન થાય તે માટે સાધકે હમેશાં ધર્મને પ્રધાનતા આપવી જોઈએ.' એ માટે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘને દાખલો જોઈ જવા જેવું છે. તેણે રાહતનાં કાર્યો ચાલુ રાખ્યાં છે. શિયાળામાં આરોગ્ય માટે વિશ્વવત્સલ ઔષધાલય ચાલે છે. શિક્ષણ માટે ગૂંદી અને સાણંદમાં સંસ્થાઓ ચાલે છે. ખાદી – ગ્રામ માટે ગૂંદીમાં સંસ્થા ચાલે છે. તેમજ ખેડૂત – ગોપાલકનાં મંડળો ચાલે છે. પણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ જ્યારે જ્યારે તપ-ત્યાગ-બલિદાનના કે શુદ્ધિ પ્રયોગના પ્રસંગો આવ્યા ત્યારે લોકો, લોકસેવકો અને કેટલાક પ્રસંગમાં કાંતિપ્રિય સાધુઓ પણ આવી ધર્મક્રાંતિના કામમાં મંડી પડયા. આમ ધર્મને તેમણે પહેલું સ્થાન આપ્યું. રાહત પુણ્ય વગેરેનું સ્થાન ત્યારબાદનું છે અને તે મુજબ સાધકે તેટલું જ તેને મહત્વ આપવું જોઈએ. ઉપર વિચાર કરવામાં આવ્યો છે કે રાહતના કાર્યોથી ઘણીવાર જે લાઇ–ગૌરવ ગ્રંથિઓના શિકાર થવું પડે છે તેનાથી બચવાના ઉપાય રૂપે એમ સૂચવી શકાય કે જે રાહત અપાય તે લોકસેવકોની નૈતિક સંસ્થા દ્વારા અપાવી જોઈએ. ભાલમાં દુકાળ પડે ત્યારે લોકોને રાહતની અનિવાર્ય જરૂર હતી. મહારાજશ્રી તે વખતે અમદાવાદ હતા. તેમણે ત્યાંના લોકોને ધર્મ સમજાવ્યું કે “ભાલના ખેડૂતે તમને અનાજ આપે છે અત્યારે તેમને જીવાડશે નહીં તો તેઓ ફરી ક્યાંથી અનાજ આપી શકશે? અત્યારે તમારું કર્તવ્ય છે કે તેમને દુષ્કાળના ભોગ થતા બચાવ !” આ હાકલ સાંભળી, અમદાવાદ તેમજ મુંબઈની જનતાએ ખુલ્લાદિલે મદદ આપી હતી. તે વખતે એક સમિતિ નીમવામાં આવી હતી જેનું નામ “દુષ્કાળ રાહત સમિતિ” ન હતું પણ “દુષ્કાળ કર્તવ્ય સમિતિ » હતું. ખેડૂતોને પણ મહારાજશ્રીએ ધર્મ સમજાવ્યો કે તમે અત્યારે જે કંઈ મદદ રૂપે લો, તે તમે સદ્ધર થતાં પાછું વાળી દેજે !” - આમાં ધર્મદષ્ટિ મુખ્ય હેવાથી રાહત આપનાર તેમ જ લેનાર બને કર્તવ્ય બંધનથી બંધાઈ ગયા હતા. પરિણામે દેનારમાં અભિમાન કે ગૌરવગ્રંથિ ન હતાં તેમ જ લેનારમાં હીનવૃત્તિ, સંકેચ જણાતાં ન હતા. લોકસેવકની નૈતિક સંસ્થાકાર રાહત આપવાનું એ પરિણામ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ (૭) સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્યઃ વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠાનું સાતમું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકનું દરેક કાર્યમાં સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્ય હોવું જોઈએ. આ ત્રિપુટીને લક્ષમાં રાખી સંસ્થા વડે લવાદથી ધડા પતાવવા કે પ્રશ્નો ઉકેલવા જોઈએ. અન્યાય, અત્યાચારને સામુદાયિક રીતે અહિચ્છ પ્રતિકાર શુદ્ધિપ્રયોગ દ્વારા કરવા જોઈએ. એવી જ રીતે તેફાન કે હુલ્લડના સમયે ઘડાયેલા શાંતિ સેવકો વડે શાંતિ સ્થાપવી જોઈએ. એમ કરવા જતાં પ્રાણ-પ્રતિષ્ઠા કે પરિગ્રહ (સંપત્તિ) હોમવાં પડે તે તે માટે પણ તૈયાર રહેવું જોઈએ. - જે સત્ય, પ્રેમ અને ન્યાયને લક્ષમાં ન રાખવામાં આવે તે ઘણીવાર દાંડ તો સામે મચક મૂકાતાં વાર લાગતી નથી. ક્યારેક એવું પણ બને છે કે અન્યાય કર્તા કે તોફાની લોકો પણ પ્રાણ ત્યાગ કરે અને એનાં ખેટાપણુને પણ પ્રતિષ્ઠા મળે. આવે વખતે સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ વિવેકને કાયમ રાખવામાં મદદરૂપ થાય છે. તે ઉપરાંત કોઈપણ પ્રશ્નના ઉકેલમાં સામે ચાલીને, કોર્ટ, કાયદે કે પિલિસ-લશ્કરને આશ્રય માંગ ન જોઈએ; એને સમાવેશ પણ આ સત્રમાં થઈ જાય છે, કારણ કે–સમાજમાં ન્યાયનાં સાચાં મૂલ્ય સ્થાપવા માટે મધ્યસ્થ–પ્રથા દ્વારા સાચે ન્યાય આપવાનો પ્રયત્ન જન સંસ્થાઓ વડે થે જોઈએ. એથી અહિંસક સાધનથી ઉકેલ આવશે. લોકોની નિષ્ઠા અહિંસા ઉપર વધશે. (૮) નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા : વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું આઠમું સૂત્ર એ છે કે વિશ્વવાત્સલ્યના સાધકે વ્યકિતગત કે સંસ્થાગત દરેક કાર્યમાં નિયમિતતા, વ્યવસ્થિતતા -અને ઉપયોગિતા રાખવી. આને વિશેષ ખુલાસો એ છે કે સમયની કાળજી રાખવી જોઇએ, વ્યવસ્થાની કાળજી રાખવી જોઈએ અને કરકસર કરવી જોઈએ. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ઉપરાંત સંસ્થાની પ્રવૃત્તિઓ અને કાર્યોમાં વિવેક રાખવું જોઈએ કે કયું કામ પહેલું કરવું અને કયું બાદમાં તે ઉપરાંત દરેક કામ કઈ દષ્ટિથી કરવામાં આવ્યું છે કે તે કઈ દ્રષ્ટિથી થયું નથી તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઉપયોગિતા માટે બાર ભાવનાઓ (અનુપ્રેક્ષા) પણ ઉપયોગી છે. તેમજ પ્રતિક્રમણ (લતદેષ ભંગ કે પાપને એકરાર, વિચાર અને પુન ન થાય તે માટેની પ્રતિજ્ઞા) પણ જરૂરી છે. (૯) શેષણ મુક્તિ : વિશ્વ વાત્સલ્યનો સાધક દરેક પ્રકારના શોષણમાંથી લોકોને દૂર કરવા પ્રયત્ન કરે કે કરાવે એ વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું નવમું સૂત્ર છે. શોષણ મુક્તિ માટે સત્ય, પ્રેમ અને ન્યાયની દષ્ટિએ સહકારી પ્રવૃત્તિ, ફરજિયાત બચત વગેરે પ્રવૃત્તિઓ ચાલે અને ન્યાય માટેની પંચાયત (પંચ)માં નૈતિક પ્રતિનિધિત્વ જરૂર રાખવામાં આવે. એ જેવું જરૂરી છે. (૧૦) સફાઇ, પ્રાર્થના અને રેંટિયે : આ દશમું સૂત્ર છે; અને તે બહુ જ મહત્વનું છે. વિશ્વવાત્સલ્યમાં માનનારી દરેક સંસ્થાઓએ આ પ્રમાણે વર્તવું જોઈએ જેથી ત્રણે વસ્તુઓ જ્ઞાન, ભક્તિ અને કર્મ અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય સાધી શકાય. લોકો અને લોકસેવકો, તેમજ રાજ્ય સંસ્થાના કાર્યકરો આ ત્રણેય બાબતોને એ જ રૂપે લેશે; અને યથાયોગ્ય જીવનમાં આચરશે. સફાઈ એટલે અંદર તેમજ બહારની દરેક પ્રકારની સ્વચ્છતા એટલે કે પવિત્રતા ઉપર ધ્યાન આપશે. પ્રાર્થના વડે તે ભકિતભાવ-શ્રદ્ધા જગાડશે અને રેટિયા વડે તેને પિતાના કર્તવ્ય-વિશ્વ વાત્સલ્યનું સતત ભાન રહેશે. ત્યારે ઉચ્ચ કોટિના સાધકો-ક્રાંતિપ્રિય સાધવર્ગ બાહ્ય સફાઈ કરતાં આંતરિક સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપશે; અને સમાજશુદ્ધિનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સતત ખ્યાલ રાખશે; જેથી બન્નેને લાભ સમાજને મળશે. અનુબંધનું કર્મચક્ર, સતત પાદવિહાર, ભિક્ષાચારી અને તેને કારણે થતા ઊંડા જનસ પર્ક વડે ચાલુ રહેશે. તે ઉપરાંત પ્રાર્થના પિતે કરશે અને તે ઉપરાંત સંધ્યા, પ્રતિક્રમણ કે આત્મનિરીક્ષણ પણ કરશે. (૧૧) સત્યતા, વીરતા અને અગુપ્તતા : - વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું છેલ્લું સૂત્ર એ છે કે વિશ્વવાત્સલ્યને સાધક વીરતાપૂર્ણ સાચે અને ખુલ્લો વહેવાર કરશે. તે વહેવારની દરેક બાબતમાં સચ્ચાઈને આગ્રહ રાખશે. એટલું જ નહીં, તે કોઈ પણ પ્રકારની કાયરતાને જરા પણ સ્થાન નહીં આપે. તેમજ તે કોઈની શેહશરમમાં તણાઈને પણ કાયરતા લાવશે નહીં. તે પિતાના દેશે હશે તે વીરતાપૂર્વક ખુલ્લા કરશે અને સમાજના અનિષ્ટ તને પણ ઉઘાડા પાડશે. તેનું જીવન સ્વચ્છ અને બધા માટે ખુલ્લું રહેશે એટલે કે તે પિતાની દરેક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારની ગુપ્તતા રાખશે નહીં. આ સિદ્ધાંતનું આચરણ દરેક સંસ્થા પિતપતાના ઘેર યથાયોગ્ય કરશે. ઉપર મુજબ વિશ્વવાસલ્યની નીતિનિષ્ઠાનાં અગિયાર રાત્રે રજુ કરવામાં આવ્યા છે. આ અગિયાર સૂત્રો તે વિશ્વવસલ્યમાં માનનારી અથવા વિશ્વવત્સલ સાધકની પ્રેરણાથી ઊભી થનાર દરેક સંસ્થાઓ કે તેમાં કામ કરનારી વ્યકિતઓમાં, નીતિના પાયાના ચણતર રૂપે તેવાં જોઈએ. આ નીતિનિષ્ઠા હશે તે વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા આચરવામાં સરળતા થશે. ચર્ચાવિચારણા નીતિ અને અનીતિ શ્રી પૂંજાભાઈએ વિશ્વવાત્સલ્યની આચાર નિષ્ઠાના અંગ રૂ૫ નીતિ-નિષ્ઠાના મુદ્દા ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું – A. “ નક્કી કરેલા સમાજ બંધારણના નિયમને અનુસરવું એ નીતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અને તેને ભંગ કરે તે અનીતિ છે. રાવણ નીતિમાં ઢીલો પડ્યો કે તેનું પતન થયું. કૌરનું પણ એમ જ થયું. ઉધઈ જેવું નાનું પ્રાણું. આખી ઈમારતને ઢીલી બનાવીને પાડી દે છે. તેમ સમાજમાં અનીતિ પસીને તેને પાડી દે છે. માટે શરૂઆતથી જ વિશ્વાત્સલ્યની નીતિનિષ્ઠા કેળવવાની જરૂર છે. આપણે વિશ્વ વાત્સલ્યનું નાનું એકમ ઘર લીધું છે. એટલે આજે બે કુટુંબના અનુભવની વાત કરીશ. વિચાર જગાવવાની જરૂર પંચાવન વર્ષના એક બ્રાહ્મણ, ખાતાપીતા વેપારી હતા. પથ્થરની લાટી હતી. શરીર ઠીક હતું. તેમને બે છોકરા હતા, પત્ની હતી, છતાં બીજી સ્ત્રી કરવાનું મન થયું. તેમને કન્યા આપવાવાળા મળી. ગયા. તેમણે શરત મૂકી કે તમારી જૂની બૈરી સાથે ન રહે તે કન્યા આપુ. બને દીકરા જુવાન હતા. તેમને વધે અને જૂની પત્નીને, વાંધો પણ ખરો. વિકાર આવ્યો કે વિચાર ભાગ્યો. એજ ધૂનમાં તેમણે પત્નીને ઝેર પાયું અને મારી નાખી. બહારની દુનિયાને “આપઘાત. થયા છે” એમ જણાવ્યું. સોળહજાર રૂપિયા આપીને બીજા લગ્ન પણ કરી લીધાં. બે દીકરા અલગ થયા. સંબંધ તૂટી ગયા. છોકરાઓને સાથે રહેવા બહુ સમજાવ્યા પણ માને ઝેર આપનાર બાપ સાથે કઈ રીતે રહી શકાય! યુવાન દીકરાઓએ વિરોધ તે કરેલો પણ સંગઠિત રૂપે અસરકારક ન બની શક્યો. આમ ઘરના એકમને વડે વગર વિચાર કરે તે બધું તૂટી પડે. અને વહાલને બદલે ઝેર થાય. તેણે નીતિ ઉપર કાયમ રહેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પશુથી લીધેલો દાખલો આ એક બીજા ઘરની વાત છે. એક ભાઈ છોકરાઓની દેખભાળ માટે ફરીથી લગ્ન કર્યું. બાઈએ આગલા ઘરનાં હેકરાંઓને પારકાં જાણી પજવ્યાં. એકવાર એવો બનાવ બન્યો કે બે કૂતરીઓ સાથે વીયાઈ. એક “મા” રોટલો લેવા દેડી ને સડક ઓળંગીને જતી હતી કે મોટર નીચે ચગદાઈ ગઈ. પિળનાં છોકરાંઓ વિચારમાં પડ્યાં કે “શું કરવું?” કોઈને સૂઝયું એટલે એ બચ્ચાંઓને બીજી કૂતરીનાં બીજા બચ્ચાં સાથે સોડમાં મૂકી દીધાં; અને તે ઉછરવાં લાગ્યાં. આ દશ્ય પેલી બાઈએ જોયું. તેને પસ્તા થયા અને વિચાર જાગે : “હું કેવી અભાગણી ! આ પશુ સમજે છે તેટલુ માણસ થવા છતાં ન સમજી!” તેને વર્તાવ બદલાઈ ગયો અને આખું ઘર સભર બની ગયું. આમ નીતિની વાતથીજ સમાજ સભર રહી શકે નહીંતર સુકાઈ જાય. સંસ્થામાં નીતિવાન કાર્યકર શ્રી બળવંતભાઈ કહે –“સવારની વાતમાં મુનિશ્રી નેમિચંદ્રજીએ સંસ્થાની નીતિનિષ્ઠા વિષે કહ્યું છે તે સાચું છે. સંસ્થામાં દાખલ થનાર સભ્યો સાચા અને સંસ્થાની નીતિને વફાદાર ન રહે તે તેવા સભ્યોને લઈને સંસ્થા બગડે છે. સંસ્થાની કસેટી-નીતિનિષ્ઠા શ્રી દેવજીભાઈએ નીતિનિષ્ઠા ઉપર અડગ રહેવું એ સંસ્થાની કસોટી રૂપે છે તે અંગે દાખલો આપ્યોઃ અમારા ભચાઉ ખેડૂતમંડળ માટે એક કેસેટી હમણું થઈ મુંબઈમાં વસતા અને ધનવાન કહેવાતા એક ભાઈએ ત્યાં એક જમીનમાં વધુ જમીન અણહકની મેળવી લીધી. તેમણે ગાયમાં દેરાસર કરાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ છે. આ જમીન પ્રમાણે ગામના વીશ ફૂટ જાહેર રસ્તાની જગ્યા તેમ જ ચેક પણ ભેળવી લીધો. મંડળમાં દેરાવાસી ભાઈઓ પણ છે. લોકોને વિરોધ થયો. તેમણે ડેપ્યુટી કલેકટર સુધી દરેક અમલદારેને ફેડેલા. હવે તેમણે મંડળના સભ્યોને ફાડવાને પ્રયત્ન શરૂ કર્યો. પણ કોઈ ડયું નહીં. છેવટે તેમણે પંચ સ્વીકાર્યું પણ તેમને ફેંસલે માન્ય કર્યો નહીં. અમારા મંડળના આગેવાન તેમના સગા થાય. તેમણે નમતું ન આપ્યું પણ તાદામ્ય સાથે તટસ્થતાની વાતને લીધે તેમજ વ્યકિત કરતાં સંસ્થા મહાન છે, એ સિદ્ધાંત આગળ બધું ગૌણ માની. સંસ્થા ટકી શકી. સંસ્થાને ટકાવવી આ રીતે કઠણ હોય છે. સંસ્થાને ટકાવી રાખવા માટે સંસ્થાના નીતિ નિયામાં મક્કમતા હેવી જોઈએ, સુકાની દઢ હોવો જોઈએ તે જ જુદા જુદા વલણવાળા. સંસ્થાના સભ્યોને ટકાવીને રાખી શકાય. જે સંસ્થા આમ ટકે છે, તેને પ્રભાવ સમાજમાં પડે જ છે. દશ હજારની તખ્તી મારવાના તાજા પ્રલોભનને વશ ન થયાનું ખમીર વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધ માટે નવું નથી. ધર્મ દીવાલ છે પણ તેને પાયો નીતિ છે. ભલે સંસ્થા નાની હેય પણ ચેમેરના વિરોધ વચ્ચે જે ટકી શકે છે, તે જ મહાન કાર્ય કરી શકે છે. વ્યકિત કે સંસ્થાના વ્રતો ગમે તેટલાં હોય પણ જે નીતિ નિષ્ઠાની સાવધાની ન હોય તો વખત આવે તેને પડી ભાંગતાં વાર લાગતી નથી. આચરણ એજ નિષ્ઠાનું માપ શ્રી માટલીયાએ કહ્યું:–“મારા નમ્ર મતે ગાંધી વિચારધારાને આગળ લઈ જનારી શાખાઓ પૈકી વિશ્વ વાત્સલ્ય અને સર્વોદય એ બન્ને શાખાઓ છે. આ બન્ને ગાંધી વિચારનું સંશોધન કરનારી પ્રક્રિયાઓ છે. ગાંધીજીએ કહ્યું: “સત્ય એજ ઈશ્વર છે. તેની ખેજમાંથી મને અહિંસા મળી છે.” અત્યારસુધી બ્રહ્માંડમાં રહેલા સત્યનું તત્વજ્ઞાન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વિચાર ( ભાવના)ની શોધ ચાલી; દા. ત. હું, તું, તે વ. કોણ? પણ ગાંધીજીએ સામાન્ય માણસ સમજી શકે તે રીતે સત્ય આપ્યું. આ વિચારનિષ્ઠાની માપણી તેમણે માત્ર વ્રતથી ન કરી પણ, તેની સાથે કાર્યક્રમો મૂકયા. વ્યકિત હોય કે સંસ્થા અથવા સંધ હોય, પણ આચરણ ઉપરથી નિષ્ઠા માપી શકાય. ગાંધીજીના વ્રતે પ્રમાણે કાર્યક્રમો પણ આ પ્રમાણે હતા – (૧) જે પિતાને તેમજ બીજાને અભય કરે (જાત હેમીને). (૨) બીજાના જીવનને દુભાય તેવું ન કરે; આમાંથી અસ્પૃશ્યતા નિષેધને કાર્યક્રમ મળે. એ જ રીતે સવધર્મ ઉપાસના કરે તે હિંદુમુસ્લિમ એકતા આચરે. (૩) અસ્તેય વ્રત આચરનાર, શ્રમ કર્યા વગર ખાય નહીં. એમાંથી ખેતી, ગોપાલન અને ગ્રામોદ્યોગ મળ્યાં. તેમ સફાઈ જાજરૂસફાઈ વગેરે મળ્યાં જેથી આપોઆપ ભગી અને ડોકટરના ભેદ મટે. (૪) બ્રહ્મચર્ય સાથે આશ્રમનું જીવન અને અસ્વાદ વ્રતને જોડ્યાં. સાથે સાથે સેવા-કુષ્ઠ રેગીની સેવા સાધના પણ જોડી દીધી. પરચુરે શાસ્ત્રીની સેવા પિતે જ કરી. (૫) અપરિગ્રહ સાથે (૪) સ્વદેશી તથા (૩) સાદાઈભર્યું સંયમી જીન જેડયું. ટ્રસ્ટશીપની વાત મૂકી તે જ રીતે મજૂરનું મહાજન બનાવ્યું. ખેડૂતોનાં સંગઠનની વાત કરી અને પિતાના વહીવટની તાલીમ લેતાં સહુને કર્યા. મહિલા સંગઠન અને નઈ તાલીમની વાત મૂકી. - પણ, આપણે જોઈએ છીએ કે જેના સંગઠત બન્યાં. તે જ કામ ચાલુ રહ્યાં. બાકીનાં રાહત કામો જેવાં થઈ ગયાં. મજૂરનું કામ જે રીતે જાણ્યું તે રીતે ખાદી ગ્રામે વેગનું કામ ન જાણ્યું. સરકાર આગળ કે શ્રીમતે આગળ ને બનાવનાર ખેડૂત, કાંતનાર વ. લાચાર બન્યા. ' ' '' . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ક્રાંતિનું કામ તે એ કે ઈશારે કરે અને ચાલે; માર્ગદશકથી ચાલે. બાકી ભાર ઉપાડયા કરે છે તે રાહતનું કામ બને. હિંદુમુસ્લિમોને સંગઠન ન થયું એટલે નેતાઓ તેમને ખોટે ભાગે દેરી ગયા. વાલીઓ-વિદ્યાર્થીઓનું સંયુક્ત સંગઠન નથી એટલે નઈ તાલીમનું કામ પગભર થતું નથી. ભલે આપણે લેબોરેટરીને ખ્યાલ રાખીએ પણ બીજી બાજુ જોરથી બાળકોને અંગ્રેજી ભણાવવાનું જ કામ મા-બાપ કરે છે. - વિનેબાજીએ સંસ્થાએ જામવા પહેલાં પોતે સન્યાસી મનવાળા હોઈ છોડવાની અને સંગઠનોમાં હિંસાના જોખમની વાતો મૂકી. તેથી મૂળિયાં ઢીલાં પડયાં અને પછી ભૂદાન વ. નો કાર્યક્રમ આપો તેથી જના કાર્યકરો નઠાર થયા કે “વિનોબાજી શું કરી શકવાના હતા!” પરિણામે નવા કાર્યકરો ભૂદાનમાં દાખલ થયા. તેથી ધરતી કાચી રહી અને તેઓ જવાબદારી ઉપાડવા તૈયાર ન થયા. નવું લોહી થીજવા લાગ્યું. વિચારને આચારનું રૂપ આપવા સંધ દ્વારા પ્રયત્ન થયો તે જ વિશ્વ વાત્સલ્ય વિચાર–અનુબંધ વિચારનું તે જ બતાવે છે. કાંતદષ્ટા સાધુ સાધીઓનું અનુસંધાન આ દૃષ્ટિએ આપણા માટે જરૂરી છે. તે મુજબ (૧) ક્રાંતદષ્ટા તેના વિચારો પચવવા તૈયાર રહેવું (૨) વ્રતબદ્ધ રહેવું (૩) લોકોના સરળતા, સુખ અને વિકાસને એની સાથે જોડી, સદ્દવિચારને સત્યશ્રધ્ધા સાથે જોડી, વતબદ્ધતા સાથે સામુદાયિક કાર્યક્રમો તથા રેજના જીવનશકિત આપનારાં સંગઠને રચવાં. આજ મારા મતે સર્વોદય અથવા વિશ્વ વાત્સલ્યની આચાર નક્કાની ભૂમિકા છે. ભારતની સંત પરંપરાના આ સનાતન વિચારોનું આધુનિકીકરણ છે. સંસ્થાઓમાં ખેટું વર્ચસ્વ શ્રી સુંદરલાલ શ્રોફે પિતાને અનુભવ ટાંકતાં કહ્યું – . નીતિનિષ્ઠાવાળાને આજની ધણી ખરી સંસ્થાઓમાં ફાવતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ કારણ કે સંસ્થાઓમાં અમુકનું વર્ચસ્વ હોય છે. સંસ્થાની નીતિ કરતાં તેવી વ્યક્તિઓની વાત જ મુખ્ય રહે છે. એક ઠેકાણે હું દશ માસ રહ્યો. એમાં એક માણસનું મેં ધાર્યું ન કર્યું. મને સોંપાયેલા મિસ્ત્રીને હું સેપે તે જ કામ તેણે કરવું જોઈએ એ મેં આગ્રહ સેવ્યો. એટલે મારે સંસ્થા મૂકવી પડી. એવી જ રીતે વળી પાછો હું બીજી સંસ્થાના ઘર્ષણમાં આવ્યો અને મને સંસ્થા મૂકવી પડી; અને મારે ઘડિયાળનું કામ પસંદ કરવું પડયું. મારું કામ સરકારને ગમે છે પણ સંસ્થાઓમાં હું ફીટ થઈ શકતું નથી. એટલે વિનોબાજી સંસ્થા કે સંગઠનને વિરોધ કરતા હોય તે આ દષ્ટિએ કરતા હશે. અલબત જે સંસ્થામાં નીતિ મુખ્ય હેય, પૈસા ગૌણ હોય તેવાં સંગઠન અને સંસ્થાઓ નીતિમાં માનવાવાળાને અનુકુળ આવે ખરી. એ દષ્ટિએ આકર્ષાઈને હું અહીં શીખવા આવ્યો છું. સમાજ ઘડતર માટે સંગઠને શ્રી માટલિયાએ કહ્યું: “દેહ છે તે તેને ટકાવવા, વિસાવવા માટે ખેરાકની જરૂર છે, તેમ સમાજ છે, તે તેને ઘડવા ટકાવવા વિકસાવવા માટે સંગઠને અનિવાર્ય છે. દેહમાં બગાડે થશે એ ભયે ખેરાક કાયમ માટે ન તજી શકાય. સંસ્કરણ અને શુદ્ધિને પાયામાં રાખવાનું સૂચન યોગ્ય છે; પણ સંસ્થા અને સંગઠનેને છેદ કરવાની વાત એગ્ય નહીં જ ગણાય. પિતાનું માની લીધેલું સત્ય શ્રી બલવંતભાઈએ કહ્યું : ઘણીવાર પિતે માની લીધેલું સત્ય કલ્પી વ્યકિત આગ્રહી બને છે. તેવી વ્યક્તિ કોઈ પણ સંસ્થા સાથે બંધબેસતી થઈ શકતી નથી. તેને ઘણી જગ્યાએથી છુટા થવું પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ તે માટે ઉદારતા અને વિવેકબુદ્ધિ વ્યક્તિએ રાખવી ઘટે; તે વધે નહીં આવે; એવું મને નમ્રપણે લાગે છે. સાધુ સાધ્વીનું માર્ગદર્શન મુનિ શ્રી સંતબાલજી કહે –“ વિશ્વાવાત્સલ્ય અને સર્વોદય એ બન્નેને સમન્વય માટલિયાએ સુંદર રીતે કર્યો છે, એમાં અનુબંધની વાત સર્વોદય વિચારમાં ઉમેરવાની છે. એવી જ બીજી વાત ગાંધીજીના કાર્યક્રમમાં સાધુ-સાધ્વીઓના માર્ગદર્શનની છે. તે અવ્યકતપણે હતી; હવે વ્યક્તરૂપે લેવાની છે. ગાંધીજી વખતે ભારતનું કાર્યક્ષેત્ર મુખ્યપણે તેમને ફાળે હતું; હવે “વિશ્વનાલ્ય ધ્યેયને ફાળે જગતનું કાર્યક્ષેત્ર આવ્યું છે. ગાંધીજીને સાધુ-સાધ્વીઓ વિના ચાલ્યું પણ આ યુગે આપણને એમના વગર નહીં ચાલે. એટલે જૈનધર્મના ભગવાન મહાવીર અને તે પહેલાની જન પરંપરા સાથે ગાંધીજીના વિચાર અને કાર્યક્રમની સાથે આપણે તાળો મેળવવાને ખાસ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ [૮] વિવાત્સલ્યની ધર્મનિષ્ઠા [૪-૯-૬૧] | મુનિશ્રી નેમિચંદ્રજી - વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠાનાં બે અંગે પૈકી નીતિ-નિષ્ઠા ઉપર આ પહેલાં વિચાર કરી લેવામાં આવ્યો છે. આચારનિષ્ઠાની પૂર્વ ભૂમિકા નીતિનિષ્ઠા છે તો પશ્ચાદ્દભૂમિકા ધર્મનિષ્ઠા છે કેવળ નીતિનિષ્ઠાથી આચાર સંપૂર્ણ બનતું નથી પણ એ નીતિને અનુરૂપ ધર્મ (વ્રત) નિષ્ઠા હેવી પણ આવશ્યક છે. તે, વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા શું છે? અહીં ધર્મનિષ્ઠા એટલે પ્રચલિત કોઈ પણ એક ધર્મ, (જૈન, બૌદ્ધ, ઈસાઈ વૈદિક) પ્રત્યે જ નિષ્ઠા રાખવી એવો એનો અર્થ નથી. તેવી જ રીતે તપ, જપ, વ્રત, અનુષ્ઠાન ઉપવાસ કે બાહ્ય ક્રિયા કાંડમાં નિષ્ઠા રાખવી એ અર્થ પણ એને નથી. એવી જ રીતે પુણ્યાદિ, દાન વગેરેનાં રાહતનાં કાર્યોની નિષ્ઠાને ભાવ પણ એકાંગી રૂપે આવતો નથી. સાથે જ સ પ્રદાયવાદને પ્રશ્ન તે આના અર્થમાં ભળતા જ નથી. વિશ્વવાત્સલ્યની ધર્મ નિષ્ઠાને અહીં જે સ્પષ્ટ અર્થ લેવાને છે તે એ કે વિશ્વવાત્સલ્યને લક્ષ્યમાં રાખી, વિશ્વધર્મોની દૃષ્ટિએ તત્વજ્ઞાન અને સદાચારને માધ્યમ રાખીને રચાયેલાં વ્રતો ઉપરની નિષ્ઠા. સમાજને નીચે પડને બચાવવા ધારણ કરવા પિષણ અને રક્ષણ કરવા સર્વ સંશોધન કરવા માટે ધર્મ તત્વની અનિવાર્ય જરૂર દરેક યુગમાં રહી છે. તે તે યુગમાં દેશ, કાળ, પરિસ્થિતિ, પાત્ર વ. ને જોઈને કોઈએ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ એક તો કોઈએ ત્રણે; કોઈએ ચાર તો કોઈએ પાંચ, કોઈએ મૂળ પાંચ વ્રત અને સાત શીલવત તો કોઈએ ૧૧ વ્રતો ગોઠવ્યાં છે. એ બધાને આશય તો ઉપર કહ્યો તેજ હતું. આ આ બધા ધર્મોનું મંચન કરી બધા ધર્મોમાંથી સત્ય ખેંચીને સમન્વયાત્મક રીતે આજના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પૂ. મુનિશ્રી સંતબાલજીએ બાર વ્રતે વિશ્વ વાત્સલ્યની આચાર નિષ્ઠાના અંગ-રૂપે ગોઠવ્યા છે. તેનો નકશો આ પ્રમાણે છે. વિશ્વ વાત્સલ્ય સત્યશ્રદ્ધા બ્રહ્મચર્ય માલિકીહક મર્યાદા ૪ ૫ ૬ | ૭ | ૮ ૮ ૧૦ ૧૧ ૧૨ , | | | | ! | સર્વધર્મ ક્ષમાપના નિદા- વિભૂષા ખાન- રાત્રિનું વ્યસન વ્યવસાય વ્યાજ . ઉપાસના સ્તુતિ ત્યાગ પાન ભજન ત્યાગ મર્યાદા ત્યાગ પરિહાર શયન ત્યાગ | વિવેક આ વ્ર ક્યા ક્યા ધર્મમાંથી કેવી રીતે તારવ્યા છે, તેમજ તેમના વિવેચન અને હવે પછી વિચાર થશે. આ બાર વ્રતમાં સદાચાર અને તત્વજ્ઞાન બન્ને મળીને ધર્મનિષ્ઠા પરિપૂર્ણ થાય છે. જૈન દષ્ટિએ કહીએ તે ચારિત્ર ધર્મ અને મૃતધર્મ (સૂત્રધર્મ) બને મળીને ધર્મ નિષ્ઠા સંપૂર્ણ બને છે. જે માત્ર ક્રિયાકાંડોને જ આપણે ધર્મનિષ્ઠા માનીએ તે ભાવનિહિત સત્ય-અહિંસા વગેરે વતેમાં કચાશ આવી જવાને પૂરો સંભવ છે. તે ઉપર બતાવેલ બારવ્રત દરેક ધર્મને અનુકૂળ છે. કોઈપણ ધર્મને એમાં વાંધે આવી શકે તેમ નથી એટલે દરેક ધર્મવાળા પિતપોતાના ધર્મોની સાથે જે ક્રિયાકાંડે–તપ, જપ, વ્રત, અનુષ્ઠાન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ વ. સંકળાયેલા છે તેને ભલે અનુસરે પણ એ બાહ્ય ક્રિયા કાંડેનેજ પૂર્ણ ધર્મનિષા ન માની બેસે; તેમાં દેશ, કાળ, પરિસ્થિતિ પ્રમાણે તેણે સંશોધન પરિવર્ધન કરવું જોઈએ અને આ વ્રતને અનુકૂળ થાય એવા કાર્યક્રમ ગોઠવવા જોઈએ. એવી જ રીતે માત્ર પુણ્ય દાન રાહતનાં કાર્યોને જ ધર્મનિષ્ઠા માનવામાં આવશે તે સમાજ શુદ્ધિ માટે તપ, ત્યાગ-બલિદાન વગેરે ક્રાંતિના કામે રહી જશે. આને અર્થ એવો નથી કે માણસે દયા-દાન પુણ્યનાં કાર્યો ન કરવાં પણ ઘણીવાર એને જ સંપૂર્ણ ધર્મ માની લેતાં એવું બને છે કે દયા-દાન પુણ્ય કરનાર વ્યક્તિ અન્યાયશેષણ, અનીતિ અસત્ય વ.નું આચરણ જીવનમાં કરતા હોય છે અને પિતાને ધર્માત્મા માને હોય છે. એટલું જ નહીં કેટલીકવાર સમાજ પણ એવી વ્યક્તિને ધર્માત્મા તરીકે નવાજે છે. એક સંસ્થાને દાખલો અહીં લઈએ. એને એક વ્યક્તિએ ઉદાર હૃદયે વીશહજારનું દાન આપ્યું. તે વ્યકિતના દાનથી પ્રેરાઇને સંસ્થાના કાર્યકર્તાઓએ તેને માનપત્ર આપ્યું અને તેમાં એને ધર્મરત્નની ઉપાધિ આપી. હવે આ વ્યકિતનું ખાનગી જીવન બધા પ્રકારના વ્યસનથી પરિપૂર્ણ હતું. તે અંગે પાછળથી સંસ્થાના કાર્યકરોની ટીકા પણ થઈ. પુણ્યાદિ બાહ્ય પ્રવૃત્તિ સાથે આંતરિક વતનિષ્ઠા પણ એટલી જ શુદ્ધ હેવી જોઈએ. એમ ન થાય તે સત્ય-અહિંસા વગેરેના ક્રાંતિના કાર્યો અદ્ધરજ રહી જાય છે. ઘણા કહેવાતા સાધકો અંગે પણ એવું જોવામાં આવ્યું છે કે તેઓ પરિકલ્યાણ અને પરોપકારના કામમાં પડી જાય છે અને આત્મકલ્યાણ કે સ્વ-ઉપકારની વાત ચૂકી જાય છે. ખરેખર તે આત્મકલ્યાણ કે સર્વ ઉપકારની સાથે સાથે પરકલ્યાણ અને પરોપકારની વાત આવે તે જ સમાજમાં સુવ્યવસ્થા, શાંતિ અને શુદ્ધિ જળવાઈ રહે છે. માત્ર પુણ્ય દાન રાહતના કાર્યોથી સમાજ કે વ્યકિતની અનિષ્ટ શુદ્ધિ થતી નથી. એક સાધક માટે ધર્મનિષ્ઠા કે ધર્મનિષ્ઠા તરફ જવાને ઉદ્દેશ્ય મુખ્ય હવે જોઈએ. તેની સાથે આપોઆ૫ પુણ્ય, દાન, દયાનાં કાર્યો આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ જશે. ધર્મનિષ્ઠાના એક અંગરૂપે તેનું સમાન જળવાઈ રહેશે. પણ સાધકનું નિશાન તે સંપૂર્ણ ધર્મનિષા લેવું જોઈએ. એક ખેડૂત ખેતર ખેડે છે અનાજ માટે, ઘાસ માટે નહીં. ઘાસ તો અનાજની સાથે તેને આપમેળે મળી રહે છે. એટલે ખેડૂતનું મુખ્ય લક્ષ્ય અનાજ પેદા કરવાનું હોવું જોઈએ. ઘાસનું ગૌણ રહેવું જોઈએ. એવી જ રીતે હિંદુ, ઈસ્લામ, ઈસાઈ, બૌદ્ધ કે જૈન ધર્મો પૈકી જે એક ધર્મ ઉપર નિષ્ઠા રાખવામાં ધર્મનિષ્ઠા માની લેવામાં આવે તો પછી દરેક માણસને કેવળ વંશપરંપરાગત ધર્મજ મળે અને તેમાં પણ તેની ઉપરની લી બાહ્ય રીતે જ. દા. ત. કોઈ જૈનને ત્યાં જ એટલે તેને વારસામાં જૈન ધર્મ મળે છે, જ્યારે ખરેખર તો તેનું જૈનત્વ સત્ય અહિંસાના વતાચરણ વિ. પછીજ પ્રગટવું જોઈએ. પણ તેમ થતું નથી. દેવ-ગુરુ-ધર્મને પાઠ ભણાવી તેને સમકિત આપવામાં આવે છે ભલેને પછી તે બધી રીતે જૈનત્વ વિરૂદ્ધનું આચરણ કરતા હોય છતાં તે જૈન થઈ જાય છે. ભૂલથી આને ધર્મનિષ્ઠાનું રૂપ આપી દેવામાં આવે તો તપ-ત્યાગ-બલિદાન કરવાની ભાંજગડ કે નિરતિચાર વ્રતાચરણની કડાકૂટ કોણ કરે! પણ આવી સસ્તી ધર્મનિષ્ઠાનું જે ભયંકર પરિણામ આવે છે તે એ કે સાચે ધર્મ કદિ પ્રગટ થત નથી અને લોભ કે ભય અથવા વેપારની રીતે ધર્મ–ભ્રમનું પ્રચલન થઈ જાય છે. આજના દરેક ધર્મોમાં આ ખોટું તત્વ ઘણું ઉંડાણું સુધી પ્રવેશી ગયું છે એટલે ધર્મનિષ્ઠાને વ્યાપક રીતે અર્થ કરવાને છે. - કોઈ એમ પણ કહી શકે કે મુનિશ્રી સંતબાલજીએ આ બાર વ્રતોની ગોઠવણ કરી છે, તેઓ જૈનધર્મના સંસ્કારોથી ઉછરેલા અને ઘડાએલા છે માટે આ વ્રતે જેનધર્મના હશે. પણ, તેવું નથી. તેમને સર્વ ધર્મ સમન્વય કરવાથી આ વ્રત લાધ્યાં છે. બધા ધર્મોની સ્થાપના પાછળ તેમણે વિશ્વવાત્સલ્ય રસના પ્રવાહને વહેતે અનુભવ્યું . છે અને સત્ય મેળવ્યું છે કે બધા ધર્મોને સાર વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ એ છે. તેઓ જૈનધર્મમાં દીક્ષિત થયા છે તેના આચાર-વિચારને વફાદાર રહી; વિશ્વને વાત્સલ્ય રસથી તરબોળ કરવું છે, બધા ધર્મોને સમન્વય કરીને. એટલે તેમણે બધા ધર્મોના તત્વજ્ઞાન અને સદાચારને લઈને વિશ્વમાં ધર્મનિષ્ઠા ઊભી કરવા આ વ્રતોની ગોઠવણ કરી છે. ધર્મનિષ્ઠા (વ્રતનિષ્ઠા) અને નીતિનિષ્ઠા બને મળતાં વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠા સંપૂર્ણ બને છે. માત્ર વ્રતનિષ્ઠા હોય અને નીતિનિષ્ઠા ન હેય ને આચારનિષ્ઠા કાંતે જડ, કાંતો ઝનૂની, કાં તે અનઘડ વિધાન કરનારી અગર તે ક્રિયાકાંડમાં જ રાચનારી, એકાંગી અને અપંગ બની જાય છે. નીતિનિષ્ઠા આચારનિષ્ઠાને પામે છે તે વ્રતનિષા એનું ચણતર છે. બન્ને મળતાં વિશ્વ વાત્સલ્યને મહેલ ઊભું થઈ શકે. ' નીતિનિષ્ઠા તે વિશ્વવાત્સલ્યમાં માનનારો અને એને લક્ષ્યમાં રાખીને સ્થપાયેલ દરેક વ્યક્તિ કે સંસ્થા (–ખેડૂતમંડળ” ગોપાલક મંડળ, ગ્રામોગી મજૂર મંડળ ગ્રામસંગઠન ], માતસમાજ, પ્રાયોગિકસંધ, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધ, વિશ્વવત્સલસંઘ, (કાંતિપ્રિય સાધુસન્યાસી-સાધ્વીઓ સંધ – ભવિષ્યમાં રચાય તે) તેમજ રાજ્ય સંગઠન (કોંગ્રેસ)માં ઉપરની સંસ્થાઓને અનુલક્ષી કાર્યો કરતી હોય તેવી વ્યકિતઓમાં હોવી જરૂરી છે. સાધુ વર્ગમાં તે બન્ને નિછાઓ સર્વાશપણે હેવી જરૂરી છે. જનસેવકોમાં નીતિનિષ્ઠા અને આંશિકરૂપે વ્રતનિષ્ઠા હેવી જરૂરી છે. તથા સંગઠનમાં અને રાજ્યસંગઠનમાં ગયેલા વિશ્વવાત્સલ્યમાં માનતા લોકોમાં નીતિનિષ્ઠા પાકી હોવી જોઈએ. * નીતિનિષ્ઠા પછી ધર્મનિષ્ઠા તે સહુમાં પોતપોતાના ધોરણ પ્રમાણે; કોઇમાં એકાંશ રૂપે, કોઈમાં અણુવ્રત રૂપે, કોઈમાં સર્વાશ રૂપે તે કોઈમાં મહાવત પ્રમાણે હશે. નીતિનિષ્ઠા વગરની વ્રતનિષ્ઠાથી એવું બને છે કે વ્ર જડ બની જાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે એક વ્યકિત જાતે વ્રતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ પાળતો હશે. પણ સમાજમાં વ્રત વિરૂદ્ધ કામ થતું હશે ત્યારે ઘણીવાર કોઈ સમાજની કાર્યકારિણી સભ્ય બની તેનું સમર્થન કરતો હશે. * કંટ્રલના વખતને એક દાખલો છે. ત્યારે અનાજ રેશનથી મળતું અને સીમેટ પતરાં વ. ઉપર પણ નિયમબંધી ખરી. તે વખતે એક શહેરમાં એક મોટા આચાર્યનું ચોમાસું થયું. એમાસામાં દર્શનાર્થીઓ આવે તેમના રહેવા સૂવા જમવા વિ.ની બધી વ્યવસ્થા સંધને કરવી પડે. અનાજ તો રેશનથી પ્રમાણમાં જ મળતું હતું. એટલે સંધના કાર્યકરો અને હોદ્દેદારો (જેમાંના કેટલાંક વ્રત લીધેલાં હતાં)ની સામે સવાલ આવ્યો કે બ્લેકથી અનાજ, ખાંડ પતરાં વગેરે લાવવાં કે નહીં. તેમની નીતિનિષ્ઠા કાચી હતી એટલે તેમણે નિર્ણય કર્યો કે અહિંસાદિ વ્રત તો અમારે વ્યકિતગત પાળવાનાં છે. આ તો સંધ (ધર્મનું કામ છે. એમાં એવો વિચાર ન ચાલી શકે માટે બ્લેકથી તે તે વસ્તુઓ લાવવી જોઈએ. તે વખતે કાયદે હતું કે અમૂક સંખ્યાથી વધારે લોકોને જમાડવા નહીં પણ તેમણે ચાલાકીથી અને લાંચરૂશ્વત આપીને બેત્રણ સ્થળે રસોડું રાખીને; મર્યાદા-ઉપરાંતના લોકોને જમાડ્યા... એટલે માત્ર વ્રતનિષ્ઠા હોય પણ જે સમાજને ઉદ્દેશીને ધ્યેયલક્ષી નીતિ અને વિશ્વદષ્ટિ યુક્ત નીતિનિષ્ઠા ન હોય તે વ્રતમાં આ રીતે જડતા આવી જાય છે. અથવા ઝનૂન આવે છે. એનું પરિણામ એ આવ્યું છે કે બધા ધર્મોમાં માત્ર ક્રિયાકાંડેને વળગી રહેવાનું જોવામાં આવે છે. ઘણી વખત ક્રિયાકાંડને તેઓ મુખ્ય સ્થાન આપી દે છે. પરિણામે ધર્મ કે સંપ્રદાયના નામે ઝઘડા, ખંડન, ઘર્ષણ, શેષણ, ભેદભાવ, મનદુઃખ, મને માલિન્ય વગેરેથી થતી હિંસા તરફ દુર્લક્ષ સેવાય છે અને અહિંસાવતની નિષ્ઠા તેમને માટે ગૌણ બની જાય છે. સંપ્રદાય માટે ક્યારેક સત્ય પણ ગૌણ બની જતું હોય છે. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે કે ધર્મ-ક્રિયાઓમાં આડંબર કે પ્રદર્શન કરવામાં અચૌર્ય (નીતિ, ન્યાય, ઈમાનદારી, પ્રમાણિક્તા) ગૌણ બની જાય છે. કદાગ્રહ-વધારે, જૂથ વધારે, શિષ્યવધારે, સંપ્રદાય-વધારે અથવા સંપ્રદાય દ્વારા ચાલતાં જુદા જુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ખાતામાં દ્રવ્ય વધારો કરવામાં કે પૈસાદાર - મહાપરિગ્રહીને પ્રતિષ્ઠા આપવામાં અપરિગ્રહવત ગૌણ બની જાય છે. એવી જ રીતે કુટુંબમાં ચાલતાં બ્રહ્મચર્યનાશક વાતાવરણ, સંતાનવૃદ્ધિ, ફેશન કે વિલાસ દ્વારા કામેત્તેજના વૃદ્ધિથી બ્રહ્મચર્ય અણુવ્રત ભલે સ્થૂળ દષ્ટિએ પળાતું હોય પણ સૂક્ષ્મદષ્ટિએ તે ગૌણ બને છે. વતનિષ્ઠાનું સાચું હાર્દ નીતિનિષ્ઠાને ખરી રીતે સમજવામાં છે અને વ્રત પાલન સાથે સાથે જીવનમાં નીતિનિષ્ઠા પણ મજબૂત રહેવી જોઈએ. નહીંતર ઉપર જણાવવામાં આવેલ છે તે મુજબ નીતિ-નિષ્ઠા વગરની વતનિષ્ઠામાં જડતા, રૂઢતા અને અજ્ઞાન પિસી જવાનો સંભવ છે. : યુરેપમાં ખ્રિસ્તીધર્મસંઘ જે રોમમાં ચાલતું હતું તેના પાદરીઓ-પપે પિતે વ્રતબદ્ધ હોવા છતાં, તેમનામાં ધર્મ સહિષ્ણુતા ન હેવાને કારણે તેમજ તેઓ રાજ્યના આશ્રયે હેવાના કારણે, તેમણે સાચી ધર્મ-નિષ્ઠા ગુમાવી અને પરિણામે તેમણે સંત-ફાંસિસ અને એમના જેવા બીજા સાધુઓને નજીવા મતભેદના કારણે બાળી મૂક્યા; મરાવી નાખ્યા. એવી જ રીતે જેમને ડેક મતભેદ હતા એવા ઘણાને રીબાવીને મારી નંખાવવામાં આવ્યા. એવી જ રીતે ઘણા મુસ્લિમ શાસકોએઔરંગજેબ જેવા કદર અને ધર્મઝનૂની બાદશાહએ પણ હિંદુઓ ઉપર જો કર્યા, તલવારના જોરે ધર્માતર કરાવ્યું અને જે તાબે ન થયા તેમને મારી નખાવ્યા. આવા પ્રસંગે ધર્મના નામે થયા તેનાં કારણો જોતાં એમ લાગ્યા વગર નહીં રહે છે તે ધર્મવાળા લોકોમાં નીતિનિષ્ઠા ન હતી. મહમદ પૈગંબરે આરબના લોકોને એક કરવા માટે સત્તા સ્વીકારી, છતાં નીતિનિષ્ઠ હેવાના કારણે બહુ જ સાદાઈથી રહેતા હતા. તેમણે રાજ્ય ઉપર ઈસ્લામ ધર્મનું વર્ચસ્વ રાખ્યું પણ પાછળના ખલીફાઓમાં એક-બે સિવાયના બધામાં નીતિ-નિષ્ઠા કાચી હેવાના કારણે, રાજસત્તા હાથમાં લઈને તેઓ સાદાઈથી ન રહી શક્યા અને ભોગવિલાસમાં પડ્યા રહ્યા. જન, બૌદ્ધ કે વૈદિક સાધુઓમાં કેટલાક એવા થઈ ગયા જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ નામાં નીતિનિષ્ઠા ન હોવાથી તેઓ વતબદ્ધ હોવા છતાં રાજ્યાશ્રિત બની ગયા; એટલું જ નહીં ધર્મને પણ રાજ્યાશ્રિત બનાવી દીધા. મહાત્મા ગાંધીજીએ વતનિષ્ઠા માટે આશ્રમમાં સાધકને રાખીને તેમનું ઘડતર કર્યું. કેટલાક દૂર રહીને વ્રતબદ્ધ થયા; એમાં જેમની નીતિનિષ્ઠા પાકી થઈ ગઈ તેઓ આજે પણ વ્રતનિષ્ઠામાં પાકા રહ્યા છે. તેઓ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નીતિનિષ્ઠાની દષ્ટિએ આણી શકે છે. આવા લોકો સત્તા, ધન કે પદના મોહમાં તણાતા નથી; સત્તાધારી કે પૈસાદાર કરતાં લોકસેવકોને ઉચ્ચ પ્રતિષ્ઠા આપે છે, તેમજ ભારતીય સંસ્કૃતિ વિરોધી તને ટેકો આપતા નથી. પણ, એવાયે ઘણુ હતા જેમની નીતિ-નિષ્ઠા કાચી હતી. ગાંધીજી તેમને વધુ સમય ન આપી શક્યા હોય તે પણ બનવા જોગ છે; તેઓ વતનિષ્ઠ તો રહ્યા પણ તેમની નીતિનિષ્ઠા કાચી રહી ગઈ હોવાથી તેઓ ઘણીવાર અણધડ વિધાને કરે છે; પિતાની સંસ્થાની નીતિની વિરૂધ્ધ હોય એવાં તો કે સંસ્થાઓને પક્ષાતીતતાના નામે ટેકો આપતા હોય છે. ગાંધીયુગના કેટલાક કોંગ્રેસી કાર્યકરે તેમજ રચનાત્મક કાર્યકરોમાં આ રીતે ચાશ આવી ગઈ છે અને પરિણામે, ભારતીય સંસ્કૃતિ વિરોધી કાર્યો ચાલતાં હેય, અનિષ્ટ ફેલાતાં હોય તે છતાં ઉપેક્ષા, ઉદાસીનતા કે મૌન સેવીને આડકતરી રીતે તેમને ટેકો આપતા હોય છે, તેઓ છેડેક દાંડતો કે અનિષ્ટોને વખોડી શકતા નથી. નીતિનિષ્ઠા ન હેવાને કારણે કેટલાક સર્વોદયી કાર્યકરે પણ માત્ર રાહતનાં કાર્યો કરી ચૂપ બેસી રહે છે, અને સર્વાગી સ્પષ્ટ દષ્ટિ ન હોવાથી કયું કાર્ય મુખ્ય અને કયું કાર્ય ગૌણ તે સમજી શકતા નથી. પંડિત જવાહરલાલ નેહરૂ જેવા કેટલાક કાર્યકરે ગાંધીજીના સંપર્કમાં હતા; તેમની નીતિનિષ્ઠા પાકી હતી. એના કારણે તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને લક્ષમાં રાખીને કાર્ય કરે છે. તેઓ કોઈ પણ પ્રકારના ઘર આંગણેના તેમજ વિદેશના ધર્ષણ વિવાદના મામલામાં અહિંસાની દૃષ્ટિએ, પંચશીલ પ્રમાણે કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ કરે છે. તેમની પ્રખર નીતિનિષ્ઠાને કારણે તેઓ આડકતરી રીતે વતનિષા તરફ વળતા જાય છે. જેથી બીજા ઉપર પણ તેમને પ્રભાવ પડે છે. એક વખત પંડિતજી એકલા જતા હતા. રસ્તામાં એક ગૂડે એક બાઈને રંજાડતો હતો. પંડિતજીએ તે જોઈને પેલા નૂડને હાથ પકડશે અને કહ્યું: “અરે ! આ શું કરે છે? તને શરમ નથી આવતી?” પેલો ગૂડે શરમાઈને નાસી છૂટ. એ જ એક બીજો પ્રસંગ છે કે તેઓ મેટરમાં જતા હતા. ત્યારે લોકોએ ઉશ્કેરાઈને પત્થરને માર ચલાવ્યું. પંડિતજી શાંત રહ્યા અને મોટર અટકાવીને નીચે ઉતર્યા. તેમણે પેલા ઉશ્કેરાયેલા ટોળાને કહ્યું: “ભાઈ! તમે આ શું માંડ્યું છેશા માટે આવું કરે છો ?” પેલા લોકે નીચું મોં કરીને ચાલ્યા ગયા. બ્રહ્મચર્યનું તેજ હમેશાં પંડિતજીના ચહેરા ઉપર જોઈ શકાય છે. તેમણે સ્વેચ્છાપૂર્વક પરિગ્રહ પણ ઓછો કરી નાખ્યો છે. આમ તેમની વતનિષ્ઠા નીતિનિષ્ઠા સાથે વણાઈ ગઈ છે. એવી જ નીતિનિછા ભાલ નળકાંઠો ખેડૂત મંડળના ખાસ કાર્યકરોમાં પણ જોવા મળે છે. તેથી તેઓ સહજ વતનિષ્ઠા તરફ વળેલા હોય છે. એક વાર ખંભાતની ત્રણ કન્યાઓને એક વાઘરી ફસલાવીને દિલ્હી વેચવા લઈ જતું હતું. કન્યાના માતા પિતાઓએ તેમની ખૂબ શોધ કરી પણ કાંઈ પત્તો ન ખાધે. છેવટે છાપામાં જાહેરાત આપી, જવારજના ખેડૂતમંડળના માજી પ્રમુખ શ્રી ફૂલજીભાઈ છાપું વાંચતા હતા; તેમાં એમણે વાંચ્યું. સગવશ તે દિવસે જ સાંજે જવારજની એક ભરવાડણ બાઈ સીમમાં ભેંસ ચરાવવા જતી હતી. તે વખતે તેણે આ વાઘરી-વાઘરણ પાસે ત્રણ છોકરીઓ જોઈ. તેઓ ત્યાં રસોઈ કરતા હતા. એણે આવીને ફૂલજીભાઈને વાત કરી. છાપામાં વાંચ્યું હતું એટલે તાળે મળી ગયો. પણ શોધખોળ કરવા જાય ત્યાં તે વાઘરી કન્યાઓને લઇને જતો રહ્યો. આજુબાજુના ગામડામાં ચારે બાજુ લોકોને ઘેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉપર તપાસ કરવા માટે મોકલ્યા; પણ પત્તો ન લાગે. ફૂલભાઈ બીજા સાથીઓને લઈ ટ્રેનમાં ઉપડ્યા અને દિલ્હી પહોંચ્યા. ત્યાં પેલા વાઘરી-વાઘરણને પત્તે મળ્યો. તેમણે હજ કન્યાએ વેચી ન હતી એટલે ત્રણે કન્યાને લઈ ખંભાત આવ્યા અને તેમના મા-બાપને સોંપી.. બધા ખુશ થયા અને તેમને બહુ ઉપકાર માન્યો એટલું જ નહીં સમસ્ત જ્ઞાતિ તરફથી તેમનું સન્માન કર્યું અને માનપત્ર આપ્યું. શ્રી ફૂલજીભાઈએ કહ્યું : “આ તો અમારી માનવતાની ફરજ હતી. એમાં અમારા બધા સાથીઓને સહયોગ ન હેત તો અમે એકલા કંઈપણ કરી શકવાના ન હતા. અમને પૂ. સંતબાલજી મહારાજે આવી નીતિનિષ્ઠા બતાવી છે અને વિશ્વ વાત્સલ્યની પ્રેરણા પણ તેમની પાસેથી જ અમને મળી છે.” એ ઉપરાંત શ્રી ફૂલજીભાઇએ જવારજના હરિજનના પ્રશ્નો જે રીતે ઉકેલ્યા તે પણ પ્રશંસનીય છે. જવારજ ગામમાં ભંગી-હરિજનના ઘર કાચા માટીનાં અને ભાંગ્યાતૂટયાં હતાં. તેઓ ઘણી મુશીબતે સહીને રહેતા હતા. શ્રી ફૂલજીભાઈએ વિચાર્યું કે: “અમે સારા મકાનમાં રહીએ અને એ લોકોને ઝૂંપડાં પણ તૂટેલાં ! અમે એની મહેનતનું ખાઈએ. અને એમને એટલી પણ મદદ ન કરી શકીએ ?” એટલે ફૂલજીભાઈએ નકકી કર્યું કે જ્યાં સુધી એમના મકાનો ન બંધાઈ જાય ત્યાંસુધી હું ખાંડ નહીં ખાઉં. તેમણે ગામના બીજા ભાઈઓને વાત કરી, તેમણે સાથ આપો, કંઈક સરકારે મદદ કરી અને અંતે હરિજને માટે સારાં મકાને બંધાઈ ગયાં. તેમને એક બીજે આર્થિક પ્રશ્ન પણ હતો. તેઓ પારકા ખેતરમાં કામ કરે પિતાનું ખેતર મળે નહીં. એમને લગ્ન જેવા પ્રસંગે રૂપિયાની જરૂર પડે તો ધીરનાર પાસેથી ૨૦૦-૨૫૦ મેળવે પણ પછી આખી જિંદગી તેની વેઠ કરવી પડે. આ ગુલામીના દુ:ખમાંથી, મુક્ત કરવા માટે ફૂલજીભાઈએ સહકારી મંડળીમાંથી પિતાની જવાબદારી ઉપર હરિજનેને રૂપિયા અપાવ્યા મંડળીવાળાઓને શંકા હતી કે રૂપિયા પાછા નહીં આવે પણ એ શંકા બેટી કરી. તેમણે પૈસા પાછા વાળ્યા. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ એક ખેડૂતમાં વિશ્વવાત્સલ્યની નીતિ-નિષ્ઠા પાકી હેવાના કારણે વ્રતનિષા સહેજે આવતી જાય છે. આવી જ રીતે બીજા ખેડૂતેમાં નીતિનિષ્ઠા પાકી થતાં તેમની વતનિષ્ઠા પણ મજબૂત બનતી જાય છે. ઘણાને એમ પણ મનમાં થશે કે જે નીતિનિષ્ઠાથી કામ ચાલતું હોય તે વતનિષ્કાની શી જરૂર છે? આ અગે એટલું જ સૂચવી શકાય કે જેમ પાયા વગર ચણતર ન થાય અને ચણતર વગરના પાયાની શોભા નહીં, એમ નીતિ નિષ્ઠા ના પાયા વગરની વ્રતનિષ્ઠા ટકી ન ન શકે. ડગી જાય કે પછી પણ ભાંગે. વ્રત-નિષ્ઠા હોય અને નીત-નિકા ન હોય તે તે જડક્રિયા બની જાય. તે ઉપરાંત નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠાની જરૂર વિશ્વવાત્સલ્યને લક્ષમાં રાખીને કામ કરતા લોકસેવકોને અનિવાર્ય છે. આવા નીતિનિષ્ઠ લેકસેવકે-રચનાત્મક કાર્યકરોમાં વતનિષ્ઠા ન હોય તે તેઓ પોતાનું ઘડતર ન કરી શકે અને સમાજનું ઘડતર પણ ન કરી શકે. લોકસેવક જે વતનિઝ નહી હોય તે જે લોકો પાસે તેમને કામ લેવાનું છે, તે લોકોની આ સેવકો પ્રતિ શ્રદ્ધા રહેશે નહીં અને પરિણામે લોકસંગઠનું સંચાલન પણ સારી પેઠે થઈ શકશે નહીં. એક દાખલો લઈએ. એક કાર્યકર્તા છે. તેમાં નીતિનિષ્ઠા હેવા છતાં, તે બ્રહ્મચર્યની મર્યાદા પાળતે નથી. પ્રમાણિક રહેતું નથી; હિસાબ ચેક રાખતો નથી, વ્યવસાયની મર્યાદા કરતો નથી, વ્યાજને ખાનગી ધંધે ચલાવતો હોય છે, ભૂલ માટે ક્ષમા માગી શક્તા નથી, ખાન-પાનને સંયમ રાખતા નથી કે વ્યસન ત્યાગ કરતા નથી; આવો માણસ લેને વિશ્વાસ ન મેળવી શકે. એટલા માટે તેને વ્રતનિછાને અપનાવવી પડશે. ગાંધીજીએ જયારે લોક-સેવાની કલ્પના કરી ત્યારે તેમણે સપત્ની બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. તેથી સમાજને વિશ્વાસ કેળવાયો. તેમણે જુદાં જુદાં વ્રતને સાધ્યા અને પછી બીજા કાર્યકરે માટે વ્રતનિઝા આવશ્યક ગણું તેમનું ઘડતર કર્યું. તેમણે ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમ રજૂ કરીને તે વડે સમાજનું પણ ઘડતર એવા વ્રતનિષ્ઠ કાર્યકર્તાઓ વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કરાવ્યું. લાકસેવામાં વ્રતનિષ્ઠા હશે તેાજ તે સમાજને નિષ્ઠા તરફ દોરી શકશે. વળી ઉચ્ચ સાધકા સાધુ સાધ્વીઓ તેમજ સન્યાસીએના જીવનમાં પણ એ બધા વ્રતાની પૂનિષ્ઠા હશે તા જ તે સમાજનાં બધાં અગાને માદન, પ્રેરણા, ઉપદેશ કે આદેશ આપી શકશે. ધણા લેાકેા વ્રતનિષ્ઠા રાખે છે; વ્રત ગ્રહણુ કરે છે પણ વ્રતબદ્ધ થતા નથી. એવા કેટલાક યુવાન લેાકેા કે કાકા દલીલ કરે છે કે અમે પેાતાની મેળેજ વ્રતા પાળશું; પ્રતિજ્ઞામાં બધાઇને શું કરવું છે ?જો પ્રતિજ્ઞામાં બધાઇએ તે। સકટ ટાણે પ્રતિજ્ઞા તાડવી પડે, માટે પ્રતિજ્ઞા ન લઇને ખુલ્લાં રહેવામાં શુ વાંધા છે! મહાત્મા ગાંધીજીએ એના સખ્ત વિરોધ કર્યો હતા. જે સાધક કે સેવક વ્રત (પ્રતિજ્ઞા ) બદ્ થતા નથી, તે સમય આવે ઢચુપચુ થઈ જાય છે; અને સમાજ એવાને કોઈપણ કાર્યની જવાબદારી ન જ સાંપી શકે ! તેના ઉપર કઇ રીતે વિશ્વાસ બેસે ! ” એ અંગે ગાંધીજીએ એક દાખલા પણુ આપ્યા : એક માણસે દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી છે. બિમારીના પ્રસંગે ડાકટર દારૂ પીવાનું કહે છે. આ અપવાદ છે પણ પ્રશ્ન એ છે કે શુ દારૂ પીવાથી તે ખચી જશે ખરે ! અથવા કોઈ દેશી વનસ્પતિથી ઠીક ન થઈ શકે ! એની ગેરટી છે? ” એટલે જે વ્રતબદ્ધ થતા નથી તે છેવટે ઢીલે। પડી જાય છે. આ રીતે પતન પામેલા અને સ્ખલન થયેલાના ઘણા દાખલાઓ સમાજમાં બને છે. પૂ. મુનિશ્રી સતબાલજીના પ્રસંગમાં એક કા કર્તા આવ્યા. તેએ બહુ હોંશિયાર, પ્રામાણિક અને બુદ્ધિશાળી હતા; પણ બ્રહ્મચય માટે વ્રતબદ્ધ ન થયા. પોતે પાળીશ એમ તેઓ કહેતા. પાછળથી તેઓ ડગી ગયા; તેમના પત્ની પણ વ્રતબદ્ધ ન હાવાથી; તેમને સતાનેા થયા. મેવાડમાં અમારે એક ભાઈ ના સાંપ થયા. ઉત્સાહી, સેવાભાવી અને બ્રહ્મચય તરફ્ નિષ્ઠાવાળા દેખાતા હતા. તેમણે બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરી. લેાકાએ તેમને મદદ પણ કરી. તે પણ જાતે બ્રહ્મચર્ય' વ્રતપાલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કરવાની વાત કરતા હતા; પણ વ્રતબદ્ધ ન હોવાથી તેઓ ચૂકયા અને તેમને બાળકો થયાં. તેમના પ્રત્યેની લોકોની શ્રદ્ધા ડગી ગઈ. રખે, કોઈ એમ માને કે બધા કાર્યકરે માટે બ્રહ્મચર્ય વ્રતબદ્ધ થવું ફરજિયાત છે; જે તે પાળી શકાય તે સારું છે પણ એક વખત સમાજ આગળ બ્રહ્મચર્ય પાલનની વાત કર્યા બાદ તેને ન તોડવી જોઈએ; સ્વનારી મર્યાદિત બ્રહ્મચર્ય હોય તે પણ તે વ્રતબદ્ધ હેવું જોઈએ. તેનાથી સમાજને તેના ઉપર વિશ્વાસ બેસશે. વ્રતબદ્ધ થયા વગર “ જાતે તપાલન કરી લેશું ' એવી વાત કરનારા મૂળમાં જ કાચા છે. પ્રતિજ્ઞાબદ્ધ થવાથી દઢતા આવે છે તેમજ મક્કમ રહી શકાય છે અને વ્રતભંગ થવાને ટાળી શકાય છે. સાધના દ્વારા વિકાસ સાધી શકાય છે અને લોકશ્રદ્ધા પણ તેના ઉપર ટકે છે. ચા પિતાની મેળે છોડશું એવી વાત કરનારા ઢચુપચું રહે છે અને કેઈમાનતાણું કરે તો તરત ત્યાં નમી પડે છે. પછી તેમને અલગ અલગ બહાના કરવાં પડે છે કે ફલાણાભાઈ ન માન્યા !”, “શરદી થઈ હતી” “ત્યાં આપણું કંઈ ન ચાલે!” અને એવી વાતે કરી ચા પીવી પડી એને સ્વીકાર લાચારીથી તેમને કરવું પડે છે. ગાંધીજી વિલાયત જતા હતા ત્યારે તેમની બાએ, બેચરજી નામના જૈન સાધુ પાસે તેમને ત્રણ પ્રતિજ્ઞાઓ અપાવી હતીઃ “(૧) દારૂ નહીં પીકે (૨) માંસાહાર નહીં કરું (૩) પરસ્ત્રી ગમન નહીં કરું.” તેમની બાએ તેમને કહ્યું કે “તને જ્ઞાતિ બહિર કરે એને મને ડર નથી પણ જે ભયના કારણે જ્ઞાતિ તને બહાર કરી શકે તેનાથી તું દૂર રહે! એટલે આ પ્રતિજ્ઞા લઈ તું જ્ઞાતિને વિશ્વાસ આપી દે તે જ્ઞાતિને જરૂર તારા ઉપર વિશ્વાસ બેસશે !” ગાંધીજીએ ત્રણ પ્રતિજ્ઞાઓ જરૂર સ્વીકારી. વિલાયત જતાં લેકેએ કહ્યું: “આને ઠંડે મુકી છેઅહીં તે માંસાહાર વગર ન ચાલી શકે !” . પ્રતિજ્ઞાબહ હોવાથી ગાંધીજીએ શાકાહાર રાધીને લોકોને બતાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ આપ્યું કે એ રીતે પણ જીવી શકાય છે. એટલું જ નહીં, જ્યારે “ઇડા તે માંસમાં આવતા નથી” એવી દલીલ લોકોએ કરી તે તેમણે જવાબ આપ્યો કે “મારી માતાજીએ પ્રતિજ્ઞા આપી છે અને તેમાં ઈડાને માંસાહાર ગણવામાં આવ્યો છે. એટલે હું કંઈ લઈ શકતું નથી.” એવી જ રીતે પરસ્ત્રીગમન અંગે પણ તેમની કસોટી થઈ પોતે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી તેમાંથી પણ પાર ઉતર્યા. એ અંગે ગાંધીજીએ પિતાની આત્મકથામાં લખ્યું છે: “પૂજ્ય માતાની અપાવેલ પ્રતિજ્ઞા રૂપી ઢાલ તે વખતે મારી પાસે હતી એટલે હું પ્રતિજ્ઞા અને પ્રભુકૃપાથી અનિષ્ટોમાંથી બચી શકે.” આ છે પ્રતિજ્ઞાને ચમત્કાર.. જેમાં તે વ્રતબદ્ધતાની બહુ જ કીમત માનવામાં આવેલી છે. અમુક પ્રતિજ્ઞા લેતાં, અમુક અનિષ્ટથી બચી જવાયું. એવી વાત જણવતા ઘણા કથાનક જૈન કથાઓમાં મળી આવે છે. સુદર્શન શેઠ શીલની પ્રતિજ્ઞાના કારણે મોટા પ્રલોભનમાંથી બચી શકે એની મેરી વાર્તા છે. આજે જેમાં પ્રતિજ્ઞા અને પચ્છખાણ મોટા ભાગે રૂબિત થઈ ગયાં છે, તેની પાછળ ભાવ, સ્પષ્ટ રીતે સમજાવવામાં આવતો નથી; તે છતાયે એકદરે પ્રતિજ્ઞાબદ્ધ થવાથી લાભ જ થાય છે. વૈદિક ધર્મગ્રંથોમાં પણ “સંકલ્પ લેવાને મહિમા બતાવવામાં આવ્યું છે. સંકલ્પ કે પ્રતિજ્ઞા લીધા વગરનાં વ્રતે સફળ થતાં નથી, નિષ્ફળ બને છે એ અનુભવ સિધ્ધ વાત છે. * ઘણા લોકો એક બીજી દલીલ પણ આગળ મૂકે છે કે “અમે એકલા એકાંતમાં વ્રત-પ્રતિજ્ઞા લઈએ; સમાજ કે વડીલ અથવા ગુરુ વ.. સમક્ષ શા માટે લઈએ ?” આના પિતાનાં ભયસ્થાને છે. ભારતીય ધર્મોમાં ખાસ કરીને જન ધર્મમાં વ્રત-ગ્રહણ-વિધિ જાહેરમાં, વડીલે, ગુરુ અને સમાજ સમક્ષ કરવામાં આવે છે. એને મેટો ફાયદો એ થાય છે કે કટોકટીના સમયે પણ વ્રત ઉપર ટકી શકાય છે; વ્રત-બંગ કરતાં સંકોચ પમાય છે. એટલું જ નહીં એ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ઢાલ રૂપે પણ બનીને રહે છે કે આટલા બધાની સામે પ્રતિજ્ઞા લીધી અને હવે તેડી તે મારું શું નામ રહેશે? જેન સાધુઓને મેટી દીક્ષા આપતી વખતે વચ્ચાર-વિધિ સમાજ સમક્ષ કરવામાં આવે છે. તેની પાછળને એ હેતુ છે કે સમાજ એ વ્યક્તિને ઓળખી લે અને એના બદલે કોઈ બીજી વ્યકિત સાધુવેશ લઈ પેસી ન જાય. એવી જ રીતે ગ્રહસ્થો પણ વ્રત-ગ્રહણ કરવા માટે પ્રતિજ્ઞા સમાજ સમક્ષ લે છે જેથી સમાજ એને ઓળખીને એના ઉપર વિશ્વાસ મૂકી શકે. * આજે, જે કે બ્રહ્મચર્ય-વ્રત લેતી વખતે કે વ્રત-ઉપવાસના પચ્છખાણ લેતી વખતે ધર્મભાવનાની આડમાં, આડબર વધી ગયે છે. કયાંક વરઘડે કાઢવામાં આવે છે; કયાંક વતી તરફથી પ્રભાવના પરિગ્રહનું પ્રદર્શન કરીને વ્યકત કરવામાં આવે છે તે ક્યાંક મોટા પાયે જમણવારે જાય છે. એમાં સુધારો કરી જે સાદાઈપૂર્વક ગુરુ પાસે, અને ગુરુ ન હોય તે વડીલ શ્રાવક પાસે સાધક વ્રત ગ્રહણ કરે તો તે વ્રતનિષ્ઠામાં સહાયક બનશે; નહીંતર વ્રતની ભાવના કરતાં પ્રદર્શનને વધારે મહત્વ અપાઈ જવાનો ભય રહેલો છે. ભારતીય લગ્નવિધિમાં વર-વધૂ, બન્નેનાં લગ્ન અગ્નિ, પાણી, વિ. પંચભૂત અને પંચ સમક્ષ કરવામાં આવે છે તે પણ આજ દષ્ટિએ. સમાજ જાણી શકે કે પતિ-પત્નિ બન્ને લગ્નગ્રંથિથી જોડાયા છે અને તેઓ મર્યાદા ભંગ કરતા હોય તે રોકી શકે અથવા જવાબદારીથી છટકવા માંગતા હોય તે ટકી શકે. આ રીતે વિશ્વવસલ્યની ધર્મનિષ્ઠા, નીતિનિષ્ઠા પૂર્વક આચરવામાં આવે તે સમાજનું સુંદર ઘડતર થઈ શકે. ચર્ચા-વિચારણું ધર્મ એટલે સમાજને ટકાવી રાખનાર - શ્રી દુલેરાય માટલિયાએ વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા અંગે ચર્ચા શરૂ કરતાં કહ્યું ––જેના વિના ક્ષણભર પણ વિશ્વ અને સમાજ ન ટકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ શકે એનું નામ ધર્મ. અલબત્ત શ્વાસોશ્વાસ વિના આપણે ટકી શકતા નથી. પણ તે સહેજ હોય છે એટલે હવા હોય છે ત્યાં લગી ખબર પડતી નથી. હવા ન હોય ત્યારેજ ગુગળામણું જણાઈ આવે છે તેવુંજ સત્યનું છે. * : ' છે થોડાક અસત્યનો પ્રભાવ જેમકે, બાળકે એપ્રિલ ફૂલ તા. ૧લી કે ૪થી એપ્રિલના કરતા હેઈ, તે દિવસે સાચી વાતનેય વિશ્વાસ થતું નથી. પરિણામે હાસ્યમાંથી પણ કેટલીકવાર બુરું પરિણામ આવે છે. પ્રહસનનું ચિત્ર ગોઠવી અડધે કલાક જે ખોટું બોલવાનું ગોઠવાય, કે કોઈ મરી ગયું છે, ત્યાં લગ્નની વાત થતાં મડદાં પર જાનડીઓ ગીત ગાતી આવે તો કેવુ બેહુદુ બની જાય ! આ સત્યનું મહામૂલ્ય છે. તેજ સમાજને ધારણ કરી રાખે છે. સૂર્ય ગમે ત્યારે ઉગે કે ગમે ત્યારે આથમે તો શું થાય ? મોસમી પવન ન થાય તો ખેડૂતોને વિશ્વાસ ન રહે. ટુંકમાં જડગણાતી સૃષ્ટિમાં પણ નિયમનો ભંગ થતો નથી. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, એ બધું નિયમિત ચાલે છે. એટલે નિયમની પણ એટલી જ જરૂર છે. સમાજમાં જરા જૂઠું ચાલે છે, તે તેમાંથી દહેશત ઊભી થાય છે. દસ્તાવેજ, કાયદા, કાનૂન વ. કેટલું બધું વધી ગયું છે. એવી કલાકના દિવસની ગણત્રી કરીએ તે થોડીવાર માટેના, પૈડા' લોકોના જૂઠાણને કારણે પણ કેટલું બધું અંધારું અને અવિશ્વાસ વ્યાપી જાય છે. એટલું પણ જે અસત્ય ન હોય તે જગત, પ્રકાશમાં સ્વર્ગમય અને અમૃતમય બની જાય છે. સત્ય એ જ જગતનું અધિષ્ઠાન એથી જ કહ્યું છે જેના વિના જગતુ ન ટકી શકે તે જે સવા કય સર્વ પ્રતિ ”—એટલે કે જગતની બધી વસ્તુઓ સત્ય ઉપર પ્રતિષ્ઠિત છે. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની અનિવાર્યતા સતત ભયમાં જીવી શકાતું નથી. તે રીતે જોતાં બીજો પ્રશ્ન આ અહિંસાને. માનવસમાજને (૧) પ્રાણ, (૨) સંપત્તિ ( પરિશ્રમનું ફળ), (૩) શીલ, (૪) વ્યવસ્થાની રક્ષા–એ ચારેય મળવા જોઈએ. * કહ૫ના ખાતર વિચાર કરો કે એક કલાક માટે બધા માણસો હિંસક બની જાય તો? અરે, અમૂક લો બની જાય તો પણ લોહીની નદીઓ વહેવા લાગે. એટલે જાતે નિર્ભય થઈ બીજાને નિર્ભય કરવાને પ્રયત્ન કરે તે સ્વર્ગનું સુખ દેખાય. એટલે જ અહિંસા ધર્મ બન્યો. કારણકે માનવસ્વભાવમાં અહિંસા છે. જો તે અલ્પ-અંશે હિંસા કરે, ડાંક એટમ બોમ વાપરે તે આખો માનવસમાજ થરથર કાંપી ઊઠે. પાંચ પચ્ચીસ વર્ષે જગતમાં યુદ્ધથી હિંસા થાય છે તો યે આખા વિશ્વના રાજ્યમાં આટલો થથરાટ વ્યાપ્ત થઈ જાય છે તે સાર્વત્રિક હિંસા થાય તે શું થાય? અસ્તેયની જરૂર એ જ રીતે સમાજની મહેનત જે લૂંટાઈ જાય તે કોણ મહેનત કરે? એક વર્ગ ચોરી કરે, લૂંટ કરે અને તેમનાથી જો સલામતિ ન મળે તે બીજે વર્ગ પણ એ ભાગે જાય; અને સમાજ અસ્થિર બની જાય. પણ જે હજારમાં નવસો નવાણું પ્રત્યે ચોરીની નિશ્ચિતતા છે માટે જ સમાજ પુરૂષાર્થી બને છે; નહીંતર પુરૂષાર્થ નહીં ટકે. આમ ઉત્પન્ન થતું અટકે તે અધર્મ અને એટલે જ તેય અધર્મ ગણાયો અને અસ્તેય ધર્મ ગણાય. શીલ-કુશલ પિતાની સ્ત્રીથી કોઈ રસલુબ્ધ કે રૂપલબ્ધ બને તે તે કેટલો બળે! બળવાન લોકો સ્ત્રીઓને લઈ જતા હોય તે સમાજનું શું થાય ? અત્યારે તે વિકૃતિના કારણે થોડે એ અંગે સંતાપ છે તે પણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ • ૧૭, આવી દશા હોય તે સમાજની શું દશા થાય? તેના બદલે સ્ત્રી અને પુરુષ જે શરીર-ભોગ વગર આનદ લૂંટતા થાય છે. તેથી જ શીલ-રક્ષા એ ધર્મ થયો અને કુશીલ અધર્મ કહેવાયા. વ્યવસ્થા-રક્ષા અને પરિગ્રહ-મર્યાદા એવી જ રીતે સાધન અને સત્તા જેમના હાથમાં આવે તે સમાજની વ્યવસ્થા અને મર્યાદાનો ભંગ કરે તો! જ્યાં એવું થાય છે ત્યાં સમાજમાં લડાઈ તોફાન અને બંધને પેદા થાય છે. વ્યવસ્થાની રક્ષા થાય તેને ભંગ ન થાય તે શાંતિ આવે. આથી વ્યવસ્થા રક્ષા અને પરિગ્રહ મર્યાદાએ ધર્મ બન્યો. જો એમ ન થાય તે લડાઈ થાય. હાયય થાય અને જે પૈસો સુખને માટે ભેગે કર્યો તેને લીધે જ આ બધે બળાપો થઈ જાય. મૂળવતે અને ઉપવતે આમ માનવસમાજ જેનાથી ટકે છે તે ધર્મનાં ચાર અથવા પાંચ મૂળવતે થયાં (૧) સત્ય (૨) અહિંસા (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ. મૂળ તે આ બધા સત્યની આસપાસ ગૂંથાયેલાં છે અને જીવનની વિવિધ વસ્તુઓનું સત્ય રજૂ કરે છે. આ પાંચના ઉપવ્રત તરીકે ગાંધીજીને એક સૂઝ, સંતબાલજી બીજા બતાવે, સ્વામીનારાયણવાળા ત્રીજા બતાવે એ સંભવે છે. કારણું કે પાંચ વ્રતોની આસપાસ રહેલાં ઉપદ્રત કાળ મુજબ બદલી શકાય છે અને બદલવાં જ જોઈએ. તેનું આંશિક પાલન થાય તે પણ સમાજમાં તેટલું સુખ વધે છે, મૂળે જીવનના સત્ય ઉપર શ્રદ્ધા રાખી જાતે અહિંસાદિ વ્રતોનું પાલન કરે અને સાથીઓ પાસે પાલન કરાવે એ વિશ્વ વાત્સલ્યની પાયાની ધર્મનિષ્ઠા છે અને ખરેખર તે સર્વત્ર સ્વીકૃત છે. વિશ્રવાત્સલ્યની ધર્મનિષ્ઠા ફરજ બજાવવામાં શ્રા પૂંજાભાઈ કહે – માનવને ફરજનું ભાન હોય છે. કારણ કે તે માનવ છે. તેનામાં ઊંડી વિવેક બુદ્ધિ હોય છે. તેમાયા મેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અને સ્વાર્થને વશ થઈ ફરજને ટાળવા મથે છે. તેને બદલે પોતાના અસલી ધર્મને સમજીને ફરજ બજાવવાની પ્રવૃત્તિ કરે તે જગતમાં આનંદ આનંદ થાય. વિશ્વવાત્સલ્યની આજ ધર્મનિષ્ઠા ગણાય. ખેડૂત જે ખેતી, મજૂર, બળદ વ. બધાજ તરફ અને બધી જાતની ફરજ બજાવે તે સ્વાર્થ સાથે પણ પરમાર્થ થઈ શકે. બાકી બેદરકાર બને તે સ્વાર્થ અને પરમાર્થ બનેને હાનિ પહોંચાડે. એ જ રીતે વેપારી બ્રાહ્મણ કે સાધુ વગેરે જ્યાં ફરજ ચૂકે ત્યાં ત્યાં અધર્મ વધે છે. આજે તે માલની જ નહીં બાળકોની પણ ચેરી થાય છે. જે માણસાઈ દષ્ટિએ માનવ એમ વિચારે કે “જે કોઈ માનાં બાળકો ઉપાડે તે એ માને કેવું દુઃખ થાય. જેણે મહેનત મજૂરી કરી થોડું બચાવ્યું છે તેનું શોષણ કરે કે ચોરી કરીને ઝૂંટવી લે તો તેને કેટલો ત્રાસ પડે! આવા સમયે વિધવાત્સલ્યને જરા સરખો વિચાર આવે જોઈએ કે આવું ભયંકર કૃત્ય કદાપિ થઈ શકે જ નહીં–એજ એની ધર્મનિષ્ઠા છે. વ્રત અને નીતિને મેળ મળે જોઈએ શ્રી બળવંતભાઈ: “ધર્મનિષ્ઠાને જે વિશ્વવાત્સલ્યનું મૂળ કટપીએ તે નીતિનિષ્ઠા એનું થડ છે. બાકી તે વગેરે તેની શાખા ડાળીઓ છે. આજે થડ તરફ ઓછું લક્ષ અપાઈ રહ્યું છે. એટલે જ ભગવાન મહાવીરને માનનારાએ જેને વર્જનીય ગણ્યાં છે, તે પંદર કર્માદાનને આચરવામાં અનિષ્ટને જોતા નથી. અહિંસા અને અપરિગ્રહની વાત કરવા છતાં કાળાબજાર અને શોષણ કરી શકે છે. પર્યુષણમાં ઉપવાસ, લીલોતરી, ત્યાગ, અસ્નાન વ. આચરવા છતાં ઉપલાં કર્મો હેશથી કરી શકે છે. કારણ કે વ્રત અને નીતિને સુમેળ સધાયો નથી. વિશ્વ વાત્સલ્ય અને “આત્મવતુસર્વભૂતેષુ” ની મૂળભૂત જૈનધર્મની નીતિનિષ્ઠા તેમનામાં કાચી રહી ગઈ છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ કૃષ્ણ, રામ અને શિવને માનનારા લોકો જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ કે એકાદશીના વ્રત કરે છે પણ બીજીબાજુ ઉપવાસ હોવા છતાં જુગાર પણ રમવા બેસી જાય છે. એટલું જ નહીં નિર્જળઉપવાસમાં બીજુ ખાવું-પીવું વધી ગયું છે. વૈદિક ધાર્મિક પર્વોમાં પણ ખાવા-પીવા અને પહેરવા ઓઢવાનું જાણે થઈ ગયું છે. આમ વ્રત અને નીતિને સુમેળ ન થતાં તે હાસ્યાસ્પદ બને છે. ધર્મ કેને કહે ? - પૂ. દંડી સ્વામીએ લોકો પુણ્ય અને ધર્મને ભેદ સમજતા નથી તે અંગે જણાવતાં કહ્યું : “મનુસ્મૃતિમાં કહેલા પાંચ- મહાય -જે પાછળથી બૌદ્ધ ધર્મની અસરના કારણે પાંચ લઘુયો કહેવાયા. –તે બધાને લેક ધર્મ કહે છે. પૂર્વમીમાંસામાં પણ જે કર્મો કહ્યાં છે તે બધાને લોકો ધર્મ તરીકે ઓળખે છે. બૌદ્ધ ધર્મમાં (૧) દાન, (૨) અર્થ, (૩) દિનચર્યા અને (૪) સમભાવને-કર્મો કહ્યાં છે તેને પણ લોકો ધર્મ માને છે. આથી ધર્મ કયો અને પુણ્ય કયું? એ સમજવામાં મુશ્કેલી પડે છે, અને કેટલીકવાર પુણ્યને ધર્મમાં ગણવાને ગોટાળે થાય છે. એ વિષે અહીં ઠીક ઠીક જાણવા મળ્યું કે પુણ્ય અને ધર્મ બંને શું છે? વ્રતને આત્મા! શ્રી દેવજીભાઈ કહે : વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠામાં નીતિનિષ્ઠા સોનારૂપ છે અને ધર્મનિષ્ઠા સેનામાં સુગંધ રૂ૫ છે. માત્ર સુગંધ હોય તે તે લાંબો કાળ ન ટકે એટલે કે તેમાં પ્રાણુ જોઈએ. નીતિનિષ્ઠા હેય તે ધર્મનિષ્ઠા સહેજે વણાવાનો સંભવ રહે છે; પણ નીતિનિષ્ઠા ન હોય અને વ્રત લેવાય તો કેટલીકવાર તે પ્રદર્શન રૂ૫ જ બની જાય છે, અને તેમાં આત્મા ભળતું નથી. નીતિનિષ્ઠાવાળા જાહેરમાં વ્રત લે તે બે કારણે સર સારું છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ (૧) તેના લીધે દઢતા રહેશે અને (૨) સમાજની એકી રહેશે તેમજ સમાજમાં તેનું અનુકરણ થશે. નીતિનિષ્ઠાનું ઠેકાણું નહીં હોય ને વતેમાં આત્મા નહીં મળે તે દંભ રૂ૫ ક્રિયા થવાનો સંભવ છે, અને તેને સમાજમાં પડઘો પડ્યા વગર રહેતો નથી. આજે જાહેરમાં વ્રત લેવાય છે તેમાં મોટાભાગે વ્રત લેનારનું સ્પષ્ટદર્શન હોતું નથી કે વ્રત પાછળની મૂળ નીતિ-નિષ્ઠા અંતરની હોતી નથી. આશ્ચર્ય છે કે વિવેકી કહેવાતા સાધુએ પણ તેની વાહ વાહ કરે છે અને ઉપલક વાહ વાહથી સમાજમાં ઘણું લોકો વ્રત લેવા ખેંચાય છે. પણ આત્મા ન હોવાથી પરિણામ સારું આવતું નથી. આજે નીતિનિષ્ઠા ઉપર વધારે વજન આપવું પડશે. આ સંશોધનની ખાસ અગત્ય છે. નીતિનિષ્ઠા પછી વ્રત લેવાશે, આચરાશે, તો ચોમેર એ આચરણને ભારે પ્રભાવ પડશે.” નીતિનિષ્ઠાને પ્રભાવ શ્રી બ્રહ્મચારીજી : “વિશ્વ વાત્સલ્યની નીતિપૂર્વક ધર્મનિષ્ઠા જ ચોમેર પ્રકાશ પાથરી શકે છે. રામાનંદાચાર્ય એક ગામમાં ગયા. ગામના લોકોએ ફરિયાદ કરી કે આ ગામમાં એક બહુ ખરાબ દશ્ય જોઈને અમે લાજી મરીએ છીએ. એક પહેલવાન એક વેશ્યાની પછવાડે નીકળે છે. તેને બાળકો વિગેરે જેવા દેડે છે, તેથી ગામમાં ખરાબ સંસ્કાર પડે છે. ઘણા લોકોને તે ધણા જ થાય છે. સ્વામીજીએ કહ્યું - “બંનેને અહીં આવવા કહેજે !” બંને સ્વામી પાસે ગયા. સ્વામીએ બંનેને પ્રેમથી આવકાર આપે. તેમણે પહેલવાનને કહ્યું : તમે જરૂર વેશ્યા પાછળ નીકળો અને એનું વદન જોયા કરે. પણ એ રૂ૫ તે ભગવાનનું આપેલું છે માટે તેમાં ભગવાનની વિભૂતિનાં દર્શન કરો!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ આમ તો વેશ્યા પણ કંગળી ગઈ હતી અને પહેલવાનને પણ રસ નહોતો રહ્યો. પણ સ્વામીજીના વચનથી બન્નેમાં હૃદય-પલટે થવા લાગે. પહેલવાનને પણ પિતાના કૃત્યથી પસ્તાવો થવા લાગ્યો. સ્વામીજીએ તેને કહ્યું: “પેલી બાઈથી ઘણુ ને કરશે. તેને હદય પલટ કરાવનાર જાણીને પવિત્ર સંબંધ તે ચાલુ રાખશે.” આમ નિકાની જેમ સાચા સાધુ પિતે તે તરતા હોય છે પણ અનેક ને તારે છે. એ તેમની નીતિ-નિષ્ઠાને પ્રભાવ છે. ' ૫. જવાહરલાલ નેહરૂ પણ વિશ્વાત્સલ્યની નિષ્ઠાવાળા જણાય છે. એક નજરોનજર જોયાને પ્રસંગ છે. તેઓ ભિલાઈને કારખાનાનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. એક રીક્ષાવાળાએ વચમાં તેમની મોટર રોકાવી અને છૂરો કાઢેલો પણ તે ઊભેજ રહી ગયે. તેનાથી કંઈજ ન થઈ શક્યું. પંડિતજીએ તેને પૂછયું : “ભાઈ! તું કોણ છે ? તને કણે આવું શીખવ્યું !” બાપડે કશું બેલી ન શક્યો. તેને ક્ષેત્રનો પારાવાર ન રહ્યો. કોને ખબર દીવાનાપણમાં આમ કર્યું કે કોઇની ઉશ્કેરણુથી પણ તે પંડિતજી આગળ ભઠે પડી ગયો. થોડીવાર શેકાઇને પંડિતજી વિદાય થયા. આ ગાંધીજીની અહિંસાની તેમના ઉપર પડેલી નીતિનિષ્ઠાને જ પ્રભાવ હોઈ શકે. નીતિનિધ્ધની આદત કેળવીએ! શ્રી દેવજીભાઈ “મારા પિતાના અનુભવો કહું. નીતિનિષ્ઠાની આદત કેળવતા જીવન કેટલું સુધરે છે? સં. ૧૮૮૨ થી ૧૯૮૬ સુધી હું મુંબઈમાં કાપડની દુકાનમાં નેકરી કરતો. લાગ આવે ત્યારે ગલ્લામાંથી કે ધર્માદા, પેટીમાંથી રૂપિયે-પૈસે કાઢી લે. બીજી બાજુ વાદેવાદે સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ઉપવાસો કર્યા એટલે મારી પ્રતિષ્ઠા બહાર ખૂબ વધી. = " મારી સાથે એક રાજગાર પણ દુકાનમાં કામ કરતે. તેને ચોરીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ આદતખરી એટલે મારી ચેરીને આપ પણ તેના ઉપર આવવા લાગ્યા. પણ મને તે વખતે આ ડંખતું નહીં. ત્યારબાદ, કચ્છમાં જવાનું થયું. પિસા-પ્રતિક્રમણમાં રસતે જૈન કુળમાં જૈન્મવાના કારણે ખરો જ. પછી ધર્મને અભ્યાસ જરા ધીરજ અને ઊંડાણથી કર્યો. બીજું સાહિત્ય પણ વાંચવા લાગ્યા. ગાંધીજી અને સંતબાલજીનું સાહિત્ય પણ જોવામાં આવ્યું. ઊંડે વિચાર થવા લાગે. “જીવનમાં નીતિ નિષ્ઠા ન હોય તે વતનિષ્ઠા પ્રાણવાન નથી બનતી !” આ વિચારેના લીધે પૂર્વની ભૂલો ડંખવા લાગી. - ચાર-પાંચ વર્ષો પહેલાં મુંબઈ આવ્યા. ત્યારે પૂર્વ જે રૂા. ૨૦૦-૨૫૦ની ચોરી મારા હાથે થયેલી તેને હાદિક એકરાર કર્યો. જના શેઠને પ્રેમ ઘટયો નહીં, પણ વધ્યા. તેમણે કહ્યું: “અમે તે આવું ઘણું જાણી જોઈને કરીએ છીએ પણ અમને તમારી જેમ પસ્તાવો થતો નથી.” મારે કહેવું જોઈએ કે હજુ જીવનમાં પૂરેપૂર સત્ય આવ્યું નથી પણ ભૂલ થતાં ડંખ થાય છે. ચારેક દિવસ પહેલાં માટુંગા આવતાં ઘાટકોપરથી પ્રથમ વર્ગમાં ચઢી ગયો. ચઢયા પછી જ ખબર પડી કે આ તે પ્રથમ વર્ગ છે. ત્રીજા વગની ટિકીટ છતાં પહેલા વર્ગમાં ચઢાય કેમ ? એ મનમાં ડંખવા લાગ્યું અને સીટ ઉપર ન બેઠો. માસ્તર આવ્યા અને વધારાને રૂપિયો માંગ્યો ત્યારે પહેલાં તે સહેજ ખચકામણ થઈ પણ ભૂલ કરી હતી, એટલે તે ભરી આપ્યો અને પછી સમાધાન થતાં શાંતિ થઈ. ' કોઈકવાર પૈસાની તંગીના કારણે ભૂલ થઈ જાય; જેમકે કોઈ વાપરેલી ટિકીટ હોય તે તેને ફરી ઉપયોગ કરવાની લાલચ થાય પણ તેવી ભૂલ ડંખે છે ખરી. મને આનું કારણ તે નીતિનિષ્ઠાની આદત કેળવી એજ લાગે છે. ઘણા લોકો એને વેદિયાવેડા કહે છે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ભલે એ વેદિયા-વેડા કહેવાય, ખરેખર એજ સાચો સ્પષ્ટ માર્ગ જણાય છે.” નીતિનિષ્ઠાથી વિવેક બ્રહ્મચારીજી : “નીતિનિષ્ઠા હોય તે કર્મકાંડમાં વિવેક આવી જાય છે. કીડીઓને સથવા નાખનાર એક બહુ હૃદયવાન શેઠ હતા. એકવાર તેમને વિચાર આવ્યો : “આ કીડીઓ સહિત લોટ કુતરૂં ચાટશે તો દયા કરતાં કુદયા થઈ જશે.” એટલે તેમણે કાંટાની ઝાડીઓ એ લોટ ઉપર મૂકી કીડીએ તેથી બચી ગઈ કહેવાનો મતલબ એ કે ધર્મ કે વ્રતમાં આ વિવેક નીતિનિષ્ઠાના કારણે જ આવે છે; એમ લાગે છે. બળવંતભાઈ : “નીતિનિષ્ઠા હેય તે આંધળું અનુકરણ પણ મટી જાય.” એક માણસે અમદાવાદમાં ધર્મરાજ યુધિષ્ઠિરનું ખોટું અનુકરણ કરી જુગારમાં પિતાની સ્ત્રીને મૂકી હતી. ખરેખર તે; આવા મહાપુરૂષે પણ આવા માર્ગે ગયા, તે તેમણે ભૂલથાપ ખાધી તે બોધ લઈ જુગારને છંદ મૂકી જોઈએ. માટલિયા : “ધર્મને લક્ષમાં રાખી સહિયારી નીતિ ઘડાય તે નીતિ ગણાય.” મુનિશ્રી સંતબાલજી : “અહીં નીતિનિષ્ઠાને અર્થ, દર્શનજ્ઞાનના રૂપમાં લેશો તે વધુ સ્પષ્ટ થશે. વિશ્વ વાત્સલ્યનું દર્શન સ્પષ્ટ થયા પછી જ આચાર વિશ્વ વાત્સલ્યને માર્ગે થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ [૯] વિશ્વવાત્સલ્યમાં વ્રત–વિચાર [ ૧૮-૯-૬૧] મુનિ નેમિચંદ્રજી આ અગાઉ વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા ઉપર વિચાર કરવામાં આવ્યા છે. નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠા ત્યારે જ ટકી શકે જ્યારે આ બધાં તેનું વિવેકપૂર્ણ જ્ઞાન હોય તેમ જ યુગને અનુકૂળ ધર્મપુષ્ટિની દષ્ટિએ તેને નવો વળાંક અપાય. વતાચરણની જરૂર તે વ્યક્તિ તેમ જ સમાજના ઘડતર માટે રહેલી જ છે એ અંગે લંબાણથી વિચાર | થઈ ચૂકી છે. અહીં વિશ્વ વાત્સલ્યનાં વ્રત કયાં? તે વ્રતનું મૂળ શું? એની ગોઠવણીને કામ શું? એ અંગે વિચાર કરવાને છે. બધા વ્રતનું મૂળ વિશ્વ વાત્સલ્ય છે. મૂળ વત તરીકે પણ વિશ્વ વાત્સલ્યને સ્થાન આપવામાં આવેલ છે. એનું મુખ્ય કારણું તે એ છે કે બધા ધર્મો તેમ જ બધી વિચારધારાઓ વિધવાત્સલ્યની વાતો કરવા છતાં જોવામાં આવે છે કે અપવાદને બાદ કરતાં; એ ધર્મ-સંપ્રદાય કે પથમાં વિશ્વ વાત્સલ્ય વાતો રૂપે જરૂર રહે છે, પણ આચરણમાં તે આવતું નથી. જ્યાં સુધી એને વ્રત તરીકે સ્થાન આપવામાં ન આવે ત્યાં સુધી તે મુજબનું આચરણ શક્ય બનતું નથી. એટલે વિશ્વ વાત્સલ્યને જ મૂળ વત તરીકે રાખવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ બીજું કારણ એ છે કે એ લગભગ બધા ધર્મોના પ્રતીક જેવું બનીને સમન્વય સાધતું ઊભું રહે છે. સાથે જ બધા પ્રકારના માને અને સૃષ્ટિ વચ્ચે સુમેળ બાંધવા માટે દીવાસ્તંભ જેવું છે. તે ઉપરાંત તે બધાને માન્ય છે. ખ્રિસ્તી ધર્મમાં તેને વિશ્વપ્રેમ રૂપે રજૂ કરવામાં આવેલ છે. એમાંથી માનવસેવા નીકળી છે. પ્રેમ શબ્દ આજે મેહ કે વિકારરૂપે વપરાય છે તે યોગ્ય ભાવને પ્રગટ કરતા નથી. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહાર છે. એમાંથી મધ્યમ માર્ગના કારણે કરૂણ નીકળી છે પણ તેમાં પૂર્ણ અહિંસાને વિચાર સ્પષ્ટ થતું નથી. એવી જ રીતે હિંદુ ધર્મમાં “અદૈત” હેવા છતાં વહેવારમાં માનવ-માનવ વચ્ચેના ભેદભાવ, ઘણું અને દ્વેષ જોવામાં આવે છે. જૈન ધર્મમાં વિશ્વમૈત્રી અને અહિંસા છે પણ તેને મોટો ભાગ નિષેધાત્મક રૂપે છે. આથી વિધેયાત્મક રૂપ તરફ (સેવા, સંવેદના અને માનવીય કરૂણા પ્રતિ) બરાબર ધ્યાન અપાયું નથી. એવી જ રીતે મહાત્મા ગાંધીજીએ અહિંસા, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સમભાવ વગેરે વ્રતો વિધવાત્સલ્યના પૂરક તરીકે મૂક્યા છે ખરા, પણ આ બધા વ્રતને મૂળભૂત હેતુ જે વિશ્વવા સત્ય છે તે પ્રગટ થતું નથી; કારણકે એને અનુલક્ષીને વ્રતોને વિચાર થયે નથી જે વિશ્વ વાત્સલ્યને મૂળવ્રત રૂપે લેવામાં આવે તે જ માનવ-માનવ વચ્ચેની ગમે તે પ્રકારની દીવાલો હશે તે તૂટશે. સંઘર્ષો ઓછાં થશે અને દરેકને શાતિ અને સુખથી જીવન જીવવાની તક મળશે. વિશ્વવાત્સલ્ય ન કેવળ વ્યાપક છે, પણ તે બધા ધર્મો, જાતિઓ, મતે, વિચારપ્રવાહે વગેરેના સમન્વયનું ધર્મદષ્ટિએ પોષક પણ છે અને એટલે જ તે અહિંસાનું વિધેયાત્મક રૂપે પિષક હોઈને, કરુણા, સેવા-મિત્રી, ભાતભાવ, બંધુભાવ કે અદ્વૈતભાવ; દરેકને વહેવારિક રીતે આચરણમાં મૂકવા પ્રેરે છે. એટલે બધા ધર્મોના વ્રતને (અહિંસા વ.નો) એમાં સમાવેશ. થઈ જાય છે, એવી તેની વ્રત ઉપવ્રતની રચના છે. જ્યાં સુધી વિશ્વવાત્સલ્યને એક મૂળવ્રતે ન લેવામાં આવે ત્યાં સુધી વિશ્વપ્રેમ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ -બંધુત્વની અથવા “આત્મવત સર્વભૂતેષ” ભાવના વહેવારમાં નહીં આવે. એટલે મૂળ વ્રત છે–વિશ્વવાત્સલ્ય–જગતમાં બધા તરફ વાત્સલ્ય પ્રગટાવવું. આ વિધવાત્સલ્યના મુખ્ય ત્રણ મૂળવ્રત ઉપર હવે વિચાર કરીએ. એ ત્રણ વ્રતે આ પ્રમાણે છે – (૧) બ્રહ્મચર્ય (૨) સત્ય શ્રદ્ધા અને (૩) માલિકી હક મર્યાદા. બ્રહ્મચર્ય –એને લગભગ બધાજ ધર્મમાં ઉલ્લેખ છે. હિંદુધર્મ અને બૌદ્ધધર્મમાં તે બ્રહ્મચર્યનો ઉલ્લેખ છે જ. હિંદુધર્મમાં ચારેય આશ્રમને પાયો બ્રહ્મચર્ય ગણવામાં આવ્યો છે. ગૃહસ્થાશ્રમને મૂકીને બાકીના ત્રણેય આશ્રમમાં બ્રહ્મચર્યને અનિવાર્ય ગણવામાં આવ્યું છે. પછી તેને પાળવાની રીતિમાં ધરણસર ફેરફાર હોય છે. ગૃહસ્થાશ્રમમાં પણું સ્વપની મર્યાદા અને તેનું લક્ષબિંદુ પણ બ્રહ્મચર્યજ છે. જૈન ધર્મમાં સાધુઓ માટે સંપૂર્ણ બ્રહ્મચર્યને ઉલ્લેખ છે પણ ગૃહસ્થ માટે “મૈથુન વિરમણ” વ્રત એવું નિષેધાત્મક રીતે તે મૂકવામાં આવેલા છે તેથી બ્રહ્મચર્ય વ્યક્તિગત રહી જવાનો સંભવ છે અથવા તે તેના પાલનમાં ક્યાંક દંભ કે અતડાપણું પેસી જવાનો ભય રહે છે. ખ્રિસ્તી ધર્મમાં અને ઈસ્લામ ધર્મમાં આડકતરી રીતે બ્રહ્મચર્યને ઉલ્લેખ છે પણ એને મહત્વ અપાયું નથી એટલે એ . સર્વ સમાજ વ્યાપી તે બની શક્યું નથી. પરિણામે ગૃહસ્થ વર્ગમાં સ્વચ્છંદાચાર ફેલાય છે. લોકોની નિરકુશ વાસના ઉપર સ્વૈચ્છિક સંકુશ ન આવે તે એમાં અનિષ્ટો ફેલાવાને ડર રહે છે. એટલે આજના યુગે બ્રહ્મચર્ય વ્રત અનિવાર્ય છે અને તેને વિધેયાત્મક રીતે મૂકવામાં આવ્યું છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન સારી રીતે થાય તે માટે એના ત્રણ ઉપવતો મૂકવામાં આવ્યા છે –(૧) વિભૂષા ત્યાગ (૨) ખાનપાન શયન-વિવેક (૩) રાત્રિભોજન ત્યાગ. (૨) સત્ય શ્રદ્ધાઃ સત્યને બધા ધર્મોએ વ્રત રૂપે સ્વીકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ કર્યો છે. તેમાં પણ હિંદુધર્મ અને જૈન ધર્મમાં એના ઉપર ઉંડાણથી વિચાર કરવામાં આવ્યું છે. એટલે સત્યને જે સામાજિક રૂપ આપવું હેય તો સત્યવ્રત “જુઠું ન બોલવું” એવું નિષેધાત્મક હેવાને બદલે વિધેયાત્મક હેવું ઘટે છે. તે કેવળ બોલવામાં નહીં પણ તત્ત્વજ્ઞાન અને આચરણમાં પણ મૂકી શકાય; એ રીતે વિચારવું ઘટે છે. તત્ત્વ, વિચાર, (ભાવ) વાણું, તેમજ બીજા સાધને, અને મન, વચન, કાયા થકી થતી પ્રવૃત્તિઓમાં, સર્વભૂતહિત રૂપ સત્યનો વિચાર કરવામાં આવે અને તે મુજબ આચરણ કરવામાં આવે તે જ તે સાધના પાકી અને સર્વોગી થઈ શકે. સત્ય બહુજ વ્યાપક અને અવ્યકત છે. એટલે તેને જલદી ગ્રહી શકાતું નથી અને તે વહેવારૂ બની શકતું નથી. તે માટે તેને વહેવારૂ બનાવવા માટે સત્યશ્રદ્ધા એટલે કે સત્ય ઉપરની દઢ નિષ્ઠા એ નામ રાખવામાં આવ્યું છે. બુદ્ધિભ્રમ, સ્વાર્થ તેમજ બીજા આવરણોને લઈને સત્ય ન સમજાય, તો પણ, જે મહાપુરૂષોએ સત્યને શોધ્યું છે, આચર્યું છે તેમના ઉપર શ્રદ્ધા રાખી, તે સત્યને અનુસરવું જોઈએ. આજ સત્યશ્રદ્ધા વ્રતનું રહસ્ય છે. સત્યને જુદા જુદા ક્ષેત્રોમાં રહેતા માણસો પિતપોતાની કક્ષા પ્રમાણે ગ્રહણ કરશે તે વખતે પણ કક્ષા પ્રમાણે આંશિક સત્યનું આચરણ અને પરમ સત્યની તરફની નિષ્ઠા રાખવી પડશે. આ વ્રતને સારી પેઠે આચરવા માટે ત્રણ ઉપવ્રતો ગોઠવવામાં આવ્યા છે – (૧) સર્વ ધર્મ ઉપાસના એટલે કે બધા ધર્મોમાં રહેલાં સને તારવવાં, (૨) નિંદાસ્તુતિ-પરિહાર એટલે કે બીજાની નિંદા તેમજ પિતાની શ્વાધા કરવાની વૃત્તિને ત્યાગ (૩) ક્ષમાપના, એટલે કે દરેક ક્ષેત્રમાં ભૂલ થાય, બીજાને અન્યાય થાય તો તેની શુદ્ધિ માટે ક્ષમાપના કરવી. આ ત્રણે ય વ્રત સત્યશ્રદ્ધા વ્રતના પિષક અને રક્ષક છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ (૩) માલિકીહક મર્યાદા : આ ત્રીજું મૂળવંત છે. એમાં અસ્તેય અને અપરિગ્રહ (પરિગ્રહ પરિમાણુ) એ બન્ને વ્રતને સમાવેશ થઈ જાય છે. જીવનની જરૂરિયાત માટે જે કાંઈ વસ્તુ લેવી પડે તે નીતિ, ન્યાયથી ઉપાર્જિત કરી હકની લેવી એટલે કે પરિગ્રહ ની ન્યાયમુક્ત વિધિ અને સાથે અસ્તેય એટલે ચેર્યા વગરની લેવી, એ મળીને માલિકી હક બને છે. પણ આટલું જ બસ નથી. એની મર્યાદા પણ હેવી જરૂરી છે. જે તે ન હોય તે જાતે સંગ્રહદ્ધિ કરી બીજાનું શેષણ કરવામાં, બીજાને દુઃખમાં નાખવામાં, બીજાને પૂરતી વસ્તુ ન મળવામાં, આગળ વધાય, એટલા માટે જ કેવળ માલિક હક નહીં; પણ તેની મર્યાદા-એચ્છિક કાપ હોવાં જોઈએ; તેની સીમા બાંધવી જોઈએ. ટુંકમાં ન્યાયમુક્ત સંપત્તિની પણ મર્યાદા હેવી જોઈએ. એ મર્યાદા એટલે પરિગ્રહ-પરિમાણ. પરિગ્રહ પરિમાણ અને અસ્તેય બંને વ્રત ભેગા મળીને માલિકી હક મર્યાદાવ્રત થાય છે. આને અલગ એક મૂળવ્રત રૂપે લેવાની જરૂર એટલા માટે છે કે અગાઉ લોકો ન્યાય-નીતિની રૂએ ચાલતા અને તે કાળે એની આવશ્યકતા ન પણ જણાઈ હોય. પણ, આજે તેની જરૂર છે. બૌદ્ધ ધમેં પરિગ્રહ પરિમાણને બદલે નશાવાળી કેરી વસ્તુઓનો ત્યાગ પાચમાશીલ રૂપે સૂચવ્યો છે. એટલે ત્યાં પરિગ્રહની મર્યાદા ન થઈ ઈસ્લામમાં માલિક હક મર્યાદા ઉપર ખુબ જોર આપવામાં આવ્યું છે. મૂસાની દશ આજ્ઞાઓમાં અદત્તાદાનને ઉલેખ આવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ચેરી અને અણહકનું મેળવવું–બનેનો નિષેધ છે. હિંદુ ધર્મમાં પણ અસ્તેય અને અપરિગ્રહ એ બન્ને યમે છે જ માત્ર માલિકી હક વ્રત રાખ્યું હોત તો ત્યાગની ભાવના પેદા ન થાત. માલિકી હક સાથે મર્યાદા જોડીને, સરકારી કાનૂન વડે પણ જે માલિકી હક મળે છે એને છોડવા અને કેટલીક વખત બીજા માટે નિઃસ્વાર્થ ત્યાગ કરવાની પ્રેરણું મળે છે. • • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ માલિકી હક મર્યાદા વ્રત માટે ત્રણ ઉપવત આ પ્રમાણે છે – (૧) વ્યવસાય મર્યાદા (૨) વ્યાજત્યાગ (૩) વ્યસન ત્યાગ. આ ત્રણે ઉપવ્રત અસલવ્રતને પિષનારાં છે. એ સ્પષ્ટ જ છે. ઉપવતની યાજના:-હવે ઉપવતની યોજનામાં, કયાં કયાં અને કેટલો તફાવત બીજી વ્રત જનાઓ સાથે રહેલો હોય છે તે જોઈએ. બહાચર્યવ્રતના ત્રણ ઉપવતે ખાન-પાન-શયન વિવેક, વિભૂષા ત્યાગ અને રાત્રિભોજન-ત્યાગને સમાવેશ જૈનધર્મના સાતમાં ઉપભોગ-પરિભેગ-પરિમાણમાં વ્રતમાં તેમજ ગાંધીજીના વ્રતમાં, અસ્વાદ વ્રતમાં થઈ જાય છે. ખાન-પાન-શયન વિવેક, વિભૂષા-ત્યાગ અને રાત્રિભોજન-ત્યાગ નહેય તે બ્રહ્મચર્યનું પાલન રૂડી રીતે થતું નથી. વૈદિક ધર્મમાં “યમ”ને પાળવા માટેના જે નિયમ બતાવ્યા છે તેમાં શૌચ (શુદ્ધિ) અને નીચને સમાવેશ થઈ જાય છે. એવી જ રીતે સત્ય શ્રદ્ધાના ત્રણ ઉપવત સર્વધર્મ ઉપાસના ક્ષમાપના અને નિંદાસ્તુતિ-પરિહાર ગઠવ્યાં છે, તે જૈન ધર્મમાં સામાયિકવત, પિષધ-વ્રત તેમજ અનર્થદંડ-વિરમણું–વ્રતમાં આવી જાય છે. ગાંધીજીએ તે પ્રમાણે “સર્વધર્મ સમભાવ” “નમ્રતા અને અભય એ વ્રત ગોઠવ્યાં છે. માલિકીહક મર્યાદા” ના ત્રણ ઉપવ્રત, વ્યસન ત્યાગ, વ્યાજ ત્યાગ અને વ્યવસાય મર્યાદાને બદલે જૈનધર્મમાં અનર્થદંડ, વિરમણું વ્રત, દિશા પરિમાણ વ્રત, દેશાવકાશિક વત, અતિથિ સંવિભાગવત તેમજ ઉપભેગ પરિગ બતમાં કર્માદાન-ત્યાગ વ્રતરૂપે ગોઠવેલાં છે. એવી જ રીતે ગાંધીજીએ શરીર શ્રમ, સ્વદેશી વ્રત ગેદવ્યાં છે. આમ આ વ્રતોની ગોઠવણ પાછળ એ દષ્ટિ રહેલી છે કે તેમાં બધા ધર્મોની દષ્ટિએ વધારે ઉપયોગી ખાસ-ખાસ વ્રત અને ઉપવતેને સમાવેશ કરી લે. જેમ ઈસ્લામ ધર્મમાં વ્યાજ લેવાને નિષેધ છે અને તે ત્યાં વ્રત રૂપે છે. તેને અહીં ઉપવત તરીકે ગોઠવવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બૌદ્ધ ધર્મ તેમજ ઈસ્લામમાં નશાકારી વસ્તુઓ અને શરાબ વગેરેના સેવનને ત્યાગ કરવા માટે એક જુદું વ્રત છે. તે તેને આવરી લેતું વ્યસન-ત્યાગ નામનું ઉપવ્રત અહીં ગોઠવવામાં આવ્યું છે. એવી જ રીતે જૈનધર્મમાં સામાયિક વ્રત છે. તેને ઉપયોગ મોટા ભાગે કેવળ એક મુદ્દતની સાધના પૂરતેજ કરવામાં આવે છે. પણ ત્યારબાદ જીવનમાં સમત્વ ઉતરતું નથી, તેમજ ટકતું નથી. એટલે સર્વધર્મ-સમુપાસના અને વિશ્વવાત્સલ્ય વ્રત દ્વારા માત્ર એક પિતાના સંપ્રદાયના ક્ષેત્રે જ નહીં બધાં ક્ષેત્રમાં, દેશમાં અને બધા કાળ માટે સર્વધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, વિચારધારા ભાષા માં સમાવ (નિષ્પક્ષપાતતા) સમ્યકત્વ (સત્યતા) રાખી કે તારવી શકવાનો પ્રયાસ કરવો પડે છે. નવા વતનું પ્રયોજન ખરૂં? જૈનધર્મમાં બાર વતે છે. બીજા ધર્મોમાં ચાર, પાંચ, દશ, કે અગિઆર વ્રત છે. મહાત્મા ગાંધીજીએ પણ અગ્યાર વ્રતે ગોઠવ્યાં છે. પછી વિશ્વ વાત્સલ્યનાં આ નવાં બાર વ્રત શા માટે ગોઠવવામાં આવ્યાં છે ? એનું પ્રયોજન શું? એ જરૂર પ્રશ્ન થશે પેલાં વ્રતોથી કામ ચાલતું હોય તે આ નવાં વ્રત શા માટે ગોઠવવાં જોઈએ ? એને ઉત્તર તે એ જ છે કે યુગેયુગે જીવનનાં મૂલ્યો પલટાયાં કરે છે. દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે તેમાં અનેક ફેરફાર થાય છે. તે મુજબ મૂળ સિદ્ધાંતને સાચવીને જે ફેરફાર કે સુધારા વધારા ન થાય તે ધર્મ તેમજ સમાજને વિકાસ રૂંધાઈ જાય. જે લેકે અત્યાર અગાઉ એમ કહેતા હતા કે રાજકારણ અને અર્થકારણમાં ધર્મ ટકી જ ન શકે કે રહી જ ન શકે. તે લોકોને મહાત્મા ગાંધીજીએ રાજકારણમાં સત્ય અને અહિંસા તેમજ અર્થકારણમાં સત્ય ન્યાયનીતિ જાતે આચરીને બતાવી આપ્યું કે ધર્મ, જીવનનાં જોકે ક્ષેત્રમાં રહી શકે છે અને રહેવો જોઈએ. નહીં તે તે ધર્મની સાધનાં એકાંગી, અધૂરી કે કાચી છે. એનો સાધક પિતાની એ ખાત્રીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ઢાંકવા માટે જવાબદારીથી ભાગવાનું, એકાંત સેવન કરવાનું, કેવળ આત્માર્થ (સ્વાર્થ) સાધવાનું, હઠયોગ સાધવાનું બહાનું લેતો ફરે છે. એટલું જ નહીં, ઘણીવાર આવા સાધકોમાં દંભ પણ વધારે પડતું જોવામાં આવે છે; એટલે સમાજ જીવનનાં બધાં ક્ષેત્રમાં ધર્મની સાધના કરવી હોય અને ધર્મને સમાજ વ્યાપી બનાવે હોય તો દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈને વ્રતોને નવો વળાંક આપજ પડશે. નવાયુગને માનવી જે દષ્ટિએ વિચારે છે તે પ્રમાણે પાત્ર, સ્થાન તેમજ વાતાવરણ જોઈને તેને નવી રીતે ઘટાવીને તેમની આગળ રજૂ કરવા પડશે. નહીં તે વ્રતમાં જડતા આવી જવાની સંભાવના રહે છે. આ વસ્તુનું મહત્વ યુગે યુગે દરેક યુગ પુરૂષે સ્વીકાર્યું છે. ભગવાન મહાવીરે જોયું કે હવેના યુગના લોકો વક્રજડ એટલે કે ખાટા તર્ક કરનાર તેમજ જડ થવાના છે એટલે તેમણે માત્ર ચાતુર્યાયથી નહીં ) ચાલે; બ્રહ્મચર્યની સાથે લોકો અપરિગ્રહને નહીં ગણે, એમ ભાની પાંચ મહાવ્રતો ગોઠવ્યાં. તેમણે બ્રહ્મચર્યને એક અલગ વ્રત રૂપે સ્થાપ્યું. એવું મનાય છે કે તે પહેલાં ભગવાન પાર્શ્વનાથ સુધી ચાતુર્યામ ધર્મ હતો, તે અગાઉ ત્રણ વ્રતેજ હતાં–પ્રાણાતિપાત– ' વિરમણ, મૃષાવાદ વિરમણ અને અપરિગ્રહ. અસ્તેય અને બ્રહ્મચર્યને અપરિગ્રહમાં ગણું લેવામાં આવતાં હતાં. તે પહેલાં એક જ અહિંસા * વ્રત હતું. જેમાં પાંચેય વ્રતોનો સમાવેશ થઈ જાતો. તે કાળના લોકો સરળ અને બુદ્ધિમાન હતા એટલે તે બરાબર હતું પણ સમય સમય પ્રમાણે લોકસમુદાયની બદલાતી માનસ-પરિસ્થિતિ પ્રમાણે તીર્થ કરને, વ્રત–આયોજન બદલવું પડેલું. ભગવાન મહાવીર પછીના આચાર્યોએ પણ એ વ્રતો રાજાથી માંડીને સામાન્ય પ્રજા પાળી શકે એ રીતે ગોઠવ્યાં. મૂળ તે વ્રતોની ગોઠવણ કરવાને ઉદ્દેશ્ય છે, ધર્મની વૃદ્ધિ અને પુષ્ટિ કેમ થાય! જે ધર્મની વૃદ્ધિ એટલે કે વિશ્વના આત્માઓને વિકાસ થવાને બદલે ધર્મના કલેવરની (સંઘ, સમાજ તીર્થની) જ. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ દિ-પુષ્ટિ થતી હેય, સાચે ધર્મ ઝંખવાત હોય; સંખ્યા લોભમાં પડીને સાચા સિદ્ધાંત એક કોરે મૂકાતા હોય તે વ્રતમાં ફેરફાર કરવાની જરૂર છે; એમ સમજવું જોઈએ. કેટલીકવાર એવું પણ બને છે કે વ્રત સર્વગ્રાહ્ય ન થતાં, તેના નામે દંભ, ધણ, દ્વેષ વ. અનર્થો પોષાય છે. આ વાત ધર્મના વિકાસને રૂંધનારી છે. માટે યુગદષ્ટિએ તેમાં સુધારો વધારે થે જોઈએ. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અને એક એકતાની દષ્ટિએ આખા દેશનું ઘડતર કરવા માટે અહિંસાદિ મૂળ પાંચવો સાથે, અભય, સ્વદેશી, શરીરશ્રમ, અસ્પૃશ્યતાનિવારણ, સર્વધર્મ સમભાવ અને અસ્વાદ નામનાં ઉપદ્રત પણ ગોઠવીને રજૂ કર્યા હતાં. આજે તેમના અવસાન બાદ અને સ્વરાજ્ય આવવાથી ઘણું વસ્તુઓમાં ફેરફાર થયો છે, તેમજ ઝડપી વાહન વહેવારે વિશ્વને નાનું કરી મૂક્યું છે, એટલે આખા વિશ્વને સાંસ્કૃતિક દષ્ટિએ એક અને એકાગ્ર કરવાનું છે. આ બદલાયેલી પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને આજે વ્રત અને ઉપવ્રતો વિચારવા પડશે. આ નવી વ્રત વેજના વખતે પૂર્વવ્રતોનું અનુસધાન–મેળ તે રહેશે જ. રખે કઈ માને કે પૂર્વ પુરૂએ ગોઠવેલાં વતે આનાથી કાઢી નાખવામાં આવે છે અથવા પૂર્વત્રતાનું ખંડન થઈ જાય છે. એ પૂર્વત્રને સમાવેશ આજની નવી વ્રત આજનામાં થઈ જાય છે. ઘની ગોઠવણી પાછળની ભૂમિકા: આજે વ્રતને નવી ઢબે ગોઠવતી વખતે ત્રણ વસ્તુઓનો ખ્યાલ રાખવો પડશે. તે આ પ્રમાણે છે – (૧) તે વ્રત, આજના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ-ભાવને અનુરૂપ, પલટાતા વિશ્વને દષ્ટિમાં રાખીને ગોઠવાવાં જોઈએ. (૨) તે વ્રતે, સમગ્ર સમાજવ્યાપી એટલે કે સર્વ ગ્રાહ્ય બની શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ છૂતાછૂતપિતા છે કે ન કરી એવાં હોવાં જોઈએ. અર્થાત તે વહેવારમાં આચરી શકાય તેવાં હાવાં જોઈએ. - (૩) તે વ્રતમાં ધર્મનિષ્ઠા વિરૂદ્ધના ત –દભ, ધૃણા, ષ, ભેદભાવ વ. - પ્રવેશવાં જોઈએ. એટલે કે તે વ્રત વિકાસઘાત, દંભવર્યા સિદ્ધાંતવિરુદ્ધ ન હોવાં જોઈએ. ધર્મવર્ધક કે પિષક હોવાં જોઈએ. આ ત્રણેય મુદ્દાઓને જરા વિગતવાર જોઈ જઈએ એ ઠીક રહેશે. મહાત્મા ગાંધીજીએ જોયું કે ભારત પરતંત્ર છે. એનાં કારણેમાં સ્પૃશ્યાસ્પૃશ્ય (છૂતાછૂત)નો ભેદભાવ છે; લોકોમાં સાચા વીરની અહિંસક નિર્ભયતા નથી રહી, પોતાના દેશ અને ગામડામાં બનેલી વસ્તુઓને વપરાશ-વહેવાર ભૂલાય છે, તેથી લોકો રોજી અને રોટીબન્નેના અભાવે ભૂખે મરે છે. ધર્મ અને સંપ્રદાયના નામે દેશના ટુકડા થઇ રહ્યા છે. યંત્રે આવતાં શરીરશ્રમ ઓછો થયો છે અને પરતંત્રતા વધી રહી છે, સ્વાદલોલુપતા (પાંચે ઈદ્રિયોની) વધતી જાય છે તેના કારણે પ્રજા માયકાંગલી બનીને વિલાસિતા તરફ ઘસડાઈ રહી છે. એટલે એમણે જે ઉપદ્ર સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે આપ્યાં તે બરાબર હતાં તે યુગદષ્ટિએ યોગ્ય પણ હતાં. પણ, આજે યુગ બદલાયો છે. નવા યુગની દષ્ટિએ આ જૂના મસાલાને લઈને નવો વળાંક નહીં આપીએ તે સમાજ અને વ્યક્તિ પછાત રહી જશે અને યુગબળ આગળ વધી જશે. યુગબળ એટલે વિશ્વના બધા પ્રવાહને વિચાર કરીને આજે વિશ્વવાત્સલ્યનાં જે બાર વ્રતે મૂકાયાં છે તે બરાબર છે કે કેમ? તેની વિશેષતા સાંસ્કૃતિક દષ્ટિએ છે કે નહીં? એની ચકાસણી કરી લેવામાં આવે એ ઠીક થશે. આ બધાં વ્રતે મુનિશ્રી સંતબાલજીએ પિતાના ૧ વર્ષના સમાન એકાંતવાસના મંચને બાદ મૂક્યાં છે. કોઈ એમ ન માને કે તેના વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ને પંથ કે વાડો ઊભો કરવાની તેમની ઈચ્છા છે. તેમણે તે ધર્મવિચારમાં, યુગદષ્ટિએ ચિંતન-સંશોધન કરીને તેને નવી રીતે-તેનાં મૂલ્યોને સમાજ સ્વીકારે અને તે વહેવારૂ બને એ માટે રજૂ કર્યા છે; એમ વિનમ્રપણે કહી શકાય. વતનાં નવાં મૂલ્ય સૌથી પહેલાં બ્રહ્મચર્ય વ્રત છે. તે વિધેયાત્મક રીતે મૂક્યું છે. તે એટલા માટે કે તેથી બ્રહ્મચર્યને સામાજિક રૂપ મળે છે. વિશ્વવાત્સલ્યમાં માનનારા દરેક સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે એ તેનું અંતિમ લક્ષ્ય છે જ, સાથેજ કક્ષા પ્રમાણે નીતિનિષ્ઠા પ્રમાણે તેમણે સંયમ રાખવાનું છે. જનસંગઠનના સભ્યો એ બ્રહ્મચર્ય વ્રતમાં, સ્વપની સંતોષ જેવી મર્યાદા રાખવાની છે. એટલું જ નહીં આવા લોકસેવક જેઓ ગૃહસ્થાશ્રમમાં હશે તેમણે સંતાન મર્યાદા કરવાની છે અને તે પણ સંયમથી, એ અંગે તેમણે વિલાસ, વ્યસન, ટાપટીપ વગેરેથી દૂર રહેવાનું છે અને એ સાથે જ ખાન-પાન–શયનને વિવેક રાખવાને છે. ગ્રહ માટે તો બ્રહ્મચર્યની ચરમસાધના રૂપે સ્વપત્ની મર્યાદાથી માંડીને સ્વપત્ની બ્રહ્મચર્ય વ્રત છે તેમજ સાધુઓ માટે તો પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું છે. આમ છતાં નિર્દોષ શરીર સ્પર્શથી પણ સાવધાન રહીને, વિવેક પૂર્ણ રીતે તેમણે બ્રહ્મચારિણી બહેને અને સાધ્વીઓના ઘડતર માટે નવાં મૂલ્યોની દષ્ટિએ વિચારવાનું પણ રહે છે. આજના યુગ પ્રમાણે બ્રહ્મચારીએ પિતાના ઉપર વિશ્વાસ રાખવાને છે અને તેમણે સંપૂર્ણ તકેદારી રાખવાની છે. પણ, માતાઓ કે બહેનોથી અતડા કે બીતાં રહેવાની જરૂર નથી. એવી જ રીતે સત્યશ્રદ્ધાને પણ સામાજિક સ્વરૂપ આપવાનું છે. તેથી સમાજમાં આજે મેર જે છળછિદ્રો, દંભ, આશયમાં પરિવર્તન, અન્યાય, અનીતિ વગેરે ચાલે છે તે બધી જ બદીઓને દૂર કરવા માટે લોકસંગઠને સ્થાપી તે તે લોકસંગઠનોએ ન્યાય અને નીતિ ઉપર મદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭ બાંધવો પડશે. એ માટે સર્વપ્રથમ લોકસેવકોએ સત્યનું ખાસ–પાલન કરવું પડશે અને તેનું લક્ષ્ય પૂર્ણ સત્ય તરફનું રાખવું પડશે. એના માટે સર્વધર્મ સમન્વય, નિંદા સ્તુતિ પરિવાર અને ક્ષમાપના એ ત્રણે ઉપવ્રતોમાં તેમણે જાગૃતિ રાખવી પડશે. જો એમ ન થાય તે જગતને વિશ્વાસ સાધુ સંસ્થા ઉપર નહીં બેસે. હવે ત્રીજું મૂળ વત માલિકી હક મર્યાદા છે–તે અંગે જરા ઊંડાણથી વિચાર કરવો જરૂરી છે. અહીં માલિકી હક મર્યાદા મૂળ વ્રત સ્વરૂપે રજૂ કરવામાં આવે છે ત્યારે સંત વિનાબાજી માલિકી હક વિસર્જન કે માલિકી હક-ત્યાગની વાત કરે છે. દેખીતી રીતે એ બે વચ્ચે મોટો ફરક છે અને વિરોધાભાસ લાગે છે. અહીં જે વિચારવાનું છે તે કેવળ સાધુસંસ્થા કે એકલ દોકલ વ્યક્તિની દષ્ટિએ નહીં પણ જગતના બધા વર્ગના લોકો અને સંસ્થાઓની દૃષ્ટિએ વિચારવાનું છે. વિશ્વના બધા ધરણના લોકેની દષ્ટિએ વિચાર કરતાં એમ જણાયા વગર રહેતું નથી કે સર્વથા માલિકી હક ત્યાગ કે સ્વામિત્વ–વિસર્જન, એ વહેવાર થતું નથી. - પ્રશ્ન એ છે કે માલિકી હકને સર્વથા કણ ત્યાગી શકે? એવા જ લોકો કે જેમને સમાજ તરફથી નિશ્ચિતતા હોય. આવા વર્ગમાં તો કેવળ સાધુ સન્યાસીઓ આવી શકે અથવા ઉચ્ચ કક્ષાના થોડાક લોકસેવકો આવી શકે. તેમને એવી નિશ્ચિતતા હોય છે કે ભલે મારી પાસે માલિકી હક ન હોય, પણ હું જ્યાં જઈશ ત્યાં મને ખાવા-પીવાનું તેમજ રહેવાનું અને પહેરવા-ઓઢવાનું મળી રહેશે. કેટલાક લેક એક બીજી વાત રજૂ કરે છે કે સમાજને જીવતદાન આપી; સમાજ-સમર્પણ થઈને; ૧૦૦-૧૫૦ રૂ.ને પગાર નિર્વાહ અથે લેવા-માલિકીના ધોરણે લે; જીવતદાનના ત્યાગની સાથે એ બંધબેસતું નથી. એમાં તે જીવનદાની જીવનદાન અને સમાજ તરફથી પ્રતિષ્ઠા તે મેળવી જ લે છે અને નિર્વાહ-વ્યય લઈને બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮ માલિકી ઊભી કરે છે. એક તે એ અજુગતુ છે અને બીજુ એમાં દંભ પેસવાની સંભાવના ઊભી થવાને ભય હમેશાં રહે છે. - ઘણીવાર એવું જોવામાં આવે છે કે અમુકભાઈ પિતાના પરિગ્રહની મર્યાદા એક લાખ રૂપિયાની કરે છે. જ્યારે મૂડી એકલાખથી વધે છે તે તે વધારાની મૂડી પિતાની સ્ત્રી, પુત્ર, પુત્રી વ.ના નામે કરતો જાય છે અને માલિકી-હક પણ રાખે છે. આમ દંભ ન પિસે અને વહેવાર પણ બને તે માટે માલિકી હક મર્યાદા વ્રત રાખવામાં આવ્યું છે. વિશ્વમાં આજે મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ વિ. ઘણું બધા વાદે છે અને રહેશે. આ દરેક વાદમાં ક્યાંક સમાજની, ક્યાંક વ્યક્તિની તે કયાંક રાજ્યની માલિકીની વાત થાય છે. જે માલિકી હક-વિસર્જનની વાત થાય તે પછી રાજ્ય કે સમાજનું સ્વામિત્વ પણ છોડાવવું પડશે. જે એમ ન થાય તે સ્વામિત્વ-વિસર્જન નહીં થાય અને તે સ્વામિત્વ સમાજ કે રાષ્ટ્રમાં કેન્દ્રિત થઈ જશે. આમ થાય એ તો વધારે ભયંકર છે અને તેના પરિણામ-સ્વરૂપે એક રાજ્ય કે સંગઠન બીજા રાજ્ય કે સંગઠનેને શોધવાનું; કબજે કરવાનું કારણ બની જવાને સંભવ છે. ભૂદાનમાં પ્રારંભમાં માલિકી હક-મર્યાદાની વાત હતી એટલે પૂ. સંતબાલજી મહારાજશ્રીએ એમાં ખૂબ રસ લીધો હતો. જ્યારે ગ્રામદાન દ્વારા આખા ગ્રામની ભૂમિના સ્વામિત્વ-વિસર્જનની વાત આવી ત્યારે એમણે વિચાર્યું કે આમાં ખેડૂતને નિશ્ચિતતા રહેશે નહીં. તેમજ તેના ઘડતર કે વ્યવસ્થા માટે લોકસેવકો છેવટ સુધી રહેશે નહીં. ત્યારબાદ એકજ પરિણામ આવે કે ગ્રામદાનથી આવેલાં ગ્રામ બધા રાજ્યના હાથમાં સેંપવા પડશે. રાજ્ય પ્રાંટ આપ્યા કરશે; રાહત વૃત્તિથી આખું કામ ચાલુ રહેશે. આનાથી ગ્રામદાની ગ્રામોમાં નૈતિક શક્તિ જાગૃત નહીં થાય. એટલે એમને રસ ઓછો થશે. જ્યાં સુધી ગામડાં, મજુર-મધ્યમવર્ગ કે પછાતવર્ગને નિશ્ચિત ન કરી શકાય ત્યાંસુધી માલિકી હક-વિસર્જનની વાત હવામાં જ રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ એટલા માટે ભાલ નળકાંઠા પ્રદેશમાં, તળાવ વ. ખાદાવવાના કારણે સરકારે ખેડૂતની જે જમીન લઈ લીધી હતી તેના બદલે રૂપિયા ન અપાવતાં ખેડૂતોને જમીન જ આપવામાં આવી. જેથી ખેડૂતોને નિશ્ચિંતતા રહે. આ રીતે તેમને નિશ્વિત કર્યા પછી જ, માલિકી હક મર્યાદાથી આગળ લઈ જઈ શકાય. શરીર શ્રમ તો ગામડાં, શહેરો, લોકસેવક તેમજ સાધુએ વ. બધા એક યા બીજી રીતે કરે જ છે. માત્ર સ્થળશ્રમ હોય તે ભૌતિકતાની લાલસા વધે એટલે એની સાથે “વ્યવસાયમર્યાદા પણ વ્રત રૂપે મૂકી છે. એથી તન-મન અને બુદ્ધિ વડે જે વેપાર સેવક કે ખેડૂત કરશે તેમાં મર્યાદા આવશે. શરીરશ્રમ તેમજ બુદ્ધિને શ્રમ બનેને સમન્વય કરવો પડશે. રાષ્ટ્ર ઘાતક ધંધાઓથી લોકોને છોડાવવા પડશે. અસ્વાદમાં સ્વાદને સર્વથા ત્યાગ સૂચવાય છે–પણ તે વહેવાર નથી માટે ખાન-પાન શયન વિવેક” અને “વ્યસન ત્યાગ” ને વ્રતો રૂપે મૂકવામાં આવ્યાં છે. સાથે જ જીમ સિવાય બાકીની ઈદ્રિોને સ્વાદ પણ દૂર થાય એ માટે “નિંદાસ્તુતિ પરિહાર” છે. આ રીતે બાર વ્રતને વિચાર કરવામાં આવ્યો છે તેમાં યુગની દષ્ટિ રહેલી છે અને તેથી ધર્મની વિશેષ પૃષ્ટિ થશે અને વિશ્વવાત્સલ્યની ધર્મનિષા સારી રીતે ખીલશે. ચર્ચા-વિચારણું સજજને વસે તે સ્વર્ગ આજની ચર્ચા પ્રારંભ કરતાં પૂ. શ્રી દંડી સ્વામીએ કહ્યું : “વ્યક્તિગત અને સમાજગત જીવન વ્યવસ્થાને ટકાવનાર સદુધર્મને ભારતીય સંસ્કૃતિએ ઠીક ઠીક સાચવ્યો છે. સત, કિજે, મહાજને, ક્ષત્રિયો એમ અનેક સજજનેએ પ્રાણને હેમીને પણ ધર્મરક્ષા કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ' ધર્મરાજા સદેહે સ્વર્ગમાં ગયેલા એવી વાત મહાભારતના સ્વર્ગારોહણ-પર્વમાં આવે છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમને સામે લેવા માટે આવે છે. બન્ને જણું ચાલ્યા જાય છે. માયાથી જે સ્વર્ગ હતું તે નરક દેખાય છે. અને નરક છે તે સ્વર્ગ દેખાય છે, - ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છેઃ “બોલો ક્યાં જવું છે?” જવાબ મળ્યો: “જ્યાં મારા માજણ્યા ભાઈઓ છે ત્યાં કારણ કે, એમણે જે કર્મો કર્યા છે તેમાં મુખ્યપણે હું જવાબદાર છું. એ નરકમાં હેય તે ભારે નરકમાં જવું છે– સ્વર્ગમાં નથી જવું !” મતલબ કે જે સજને નરકમાં હોય તે યુધિષ્ઠરને મન તે સ્વર્ગ છે અને દુને જે સ્વર્ગમાં હોય તે તે સ્વર્ગ પણ તેને મન નરક છે.” આ છે વિધવાત્સલ્યની ધર્મનિષ્ઠા, જે નરકને સ્વર્ગ બનાવે છે. જ્યાં વિશ્વ વાત્સલ્ય હશે ત્યાં ધર્મ હશે. અને જ્યાં ખરેખર ધર્મ હશે ત્યાં વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા હશે જ ! ધર્મનિષ્ઠાનું ઉત્તમ પ્રતિક “મા” શ્રી માટલિયાજીએ કહ્યું : “મુનિશ્રી સંતબાલજીએ આપણને કહ્યું જ છે કે વિશ્વનાં પ્રાણીમાત્રને પિતાં રૂ૫ જેવાં અને “મા”ની જેમ વાત્સલ્યથી નવડાવવાં. વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા માટે “મા” ઉત્તમ ઉદાહરણ અને પ્રતિક રૂપ છે. તે બાળકો માટે ત્યાગ અને સેવા કરીને કે અજોડ આનંદ માણી શકે છે? એવી જ રીતે સૌ પોતપોતાના ધર્મમાં રહ્યા છતાં વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા રાખી શકે છે. અસત્યથી વિશ્વવહેવાર ચૂંથાઈ જાય છે અને સત્યથી તે વ્યવસ્થિત જળવાય રહે છે. એ માટે સત્ય મુખ્યત્વે (કેન્દ્રમાં) આવે ! જીવમાત્રને અભય આપવાની વાત આચારમાં અહિંસા આવ્યા વિના ન રહે. આમ સત્ય અને અહિંસા એ બેની આસપાસ જેમ કેટલાક તીર્થકરોએ ચાર; તે કેટલાકે પાંચ વાતો ગૂંથ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ પાપ્રભુએ ચાર આપ્યાં. મહાવીર પ્રભુએ પાંચ અને રાત્રિભેજનને ત્યાગ એમ છ વ્રતો કર્યા. તેમાં પણ ગૃહસ્થોના પાલન માટે અલગ મર્યાદા બાંધી એ પાંચ વ્રતોને લધુ કર્યા, અને તેમના વિકાસ માટે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષણવ્રત ઉમેર્યા, આમ બાર વ્રત થયાં. મહાત્મા ગાંધીજીએ યુગની માંગને ધ્યાનમાં રાખીને ધર્મને રાષ્ટ્રીય રૂપ આપીને અગિયાર વ્રતો પિતાની ઢબે રજુ કર્યા. આપણે જગતની માંગને દષ્ટિએ થોડે ફેરફાર કરીને અગિયાર કે બાર વ્રત કરીએ છીએ. પણ આ બધામાં મુખ્ય વાત એ છે -(૧) સત્ય-જગતના વહેવારને સરળ બનાવનાર તત્ત્વ, અને (૨) અહિંસા પ્રાણીમાત્રને અભય (સુરક્ષા) આપે તે જીવન ભાવના. આ રીતે જૈનધર્મ વિશ્વધર્મ બનવાની ગુંજાઈશ ધરાવી શકે છે. ગાંધીજી હિંદુધર્મને તેજ દૃષ્ટિએ જોતા. આપણે એ મૂળતત્વના આગ્રહી રહીએ એટલે બધા લોકોને એ વાત પોતીકી લાગશે. જ્યાં દર્શન સારું થયું કે બધાં વ્રત કેદ્રીય (મુખ્ય) તત્વની આસપાસ બરાબર ક્રમેક્રમે ગોઠવાઈ જશે. અહિંસાની ઉપયોગિતા દુનિયાની માનવજાત સામે પ્રથમ સવાલ છેઃ “રશિયન અને અમેરિકન જૂથને. તે બન્નેની સામસામે છાવણુઓ પડી છે. તેઓ એક બાજુ હથિયાર તેજીલાં બનાવી રહ્યાં છે, જ્યારે બીજી બાજુ બન્નેને પિતાના ખુદના અને પ્રજાના નાશને ડર છે. છતાં માર્ગ મળતો કેમ નથી? કારણ કે પરસ્પરનો અવિશ્વાસ છે. અવિશ્વાસ એટલા માટે કે કદાચ કહી દઈએ અને હુમલો સામેથી કરે તે શું? એટલે વાતે છુપાવે છે. અહીં અહિંસાજ કામ લાગશે. બાપુને સત્યની શોધમાંથી અહિંસા મળી હતી. આમ સત્ય-અહિંસાને આખું જગત ઝંખે છે. આપણે એમાં પણ બ્રહ્મચર્ય (સંયમ) ઉપર વિશેષ ભાર આપશું. જ્યારે પશ્ચિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ એ ઉપર ઓછો ભાર આપશે. પણ ગમે તે રીતે તત્વ જળવાઈ રહેવું જોઈએ. ધર્મનિષ્ઠા, વ્રતોને આચારમાં મૂકવા માટે છે. વિશ્વ વાત્સલ્યનું દર્શન જેનું સ્પષ્ટ હશે તે આપણાં વોને આચારમાં મૂક્યા વિના રહી શકશે નહીં. ગ્રામ સંગઠનની જરૂરત : સવારના નેમિમુનિએ ગ્રામદાનના સંદર્ભમાં જે કહ્યું તે આમ તે સાયું છે. પણ ઘેડે વધારે ખુલાસો કરી દઉ. ઓરીસ્સામાં કોરાપુર જિલ્લામાં જ્યારે ગ્રામદાને થયેલાં ત્યારે હું ત્યાં ગયેલો. ભૂમિ સૌને સમાન ન હતી. ચાર પાંચ ગણું અંતરવાળી હતી. દા. ત. એક કુટુંબને એક એકર હેય તે બીજાને ચાર-પાંચ એકર હેય. પણ આ મર્યાદા ગ્રામસમાજે નક્કી કરવી જોઈએ. વ્યક્તિમાં સ્વાર્થ અને મમતા વધુ હેવાને સંભવ છે એટલે સમાજ નક્કી કરે એ વાત ઠીક છે. પણ ગ્રામ-સમાજ કયો? સંસ્થા કે સંગઠન સિવાય ગ્રામસમાજ ઘડાય નહીં અને ઘડાએલો સમાજ ન બને ત્યાં લગી કાર્યક્રમો સફળ ન થાય; અથવા પછી તેવાં ગ્રામ રાજ્યોને સોંપવા પડે. આથી ત્યાં કેઈ નૈતિક બળ વાળી સંસ્થા હેવી જોઈએ. આ વાત વિનોબાજી સ્વીકારે ત્યારે જ વહેવાર સરળ થઈ શકે. એટલે ટ્રસ્ટીશિપ કે માલિકી હક મર્યાદાની વાત વિનોબાજી સ્વીકારે છે, તેમ ગ્રામ-સંગઠનની વાત પણ સ્વીકારે, તે બન્નેનો તાળો મળી જશે. જીવનદાની માટે તે તેઓ અપરિગ્રહની જ વાત કરે છે. બાકી ગ્રામસમાજ માટે તે તેઓ માલિકી હક મર્યાદાની જ વાત કરે છે. એ મારો નમ્ર અભિપ્રાય છે. ધર્મનિષ્ઠાને પ્રભાવ : શ્રી પૂજાભાઈએ કહ્યું : એક વખત ઇશું મહાત્મા અને એમના અનુયાયીઓ એક સ્થળે ગયા. તેમના માટે સરઘસ કાઢયું. તેઓ જતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ હતા કે એક જણે ગજવામાં બે સેનામાર નાખી. આ દશ્ય એક અનુયાયીએ જોયું. એટલામાં એક બીજા જણે તે બન્ને સેનામહોરોને કાઢી લીધી. આટલા બધા માણસો વચ્ચે કાઢી લીધી છતાં લેવા દીધી.. અનુયાયી બેલવા જતો હતો પણ ઈશુએ તેમને ચૂપ ર્યા. સત્સંગ કરી બધા વિખેરાયા ત્યારે પેલા અનુયાયીએ તેમ કરવાનું કારણ પૂછયું: “આપે આમ કેમ કર્યું ?” ઈશુએ કહ્યું: “માણસની પ્રતિષ્ઠા કરતાં બે સોનામહોરોનું મૂલ્ય વધારે નહતું. એટલા બધા માણસોમાં જે એ વાતની ખબર પત તો એ બાપડાનું શું થાત?” ખરેખર તો એ ગૂડે અને ચાર હતા. તેજ દિવસે તેણે ક્યાંક ચોરી કરેલી. એટલે એક મોટું માણસોનું ટોળું તેની પછવાડે આવતું હતું. તે નાસીને ઈશુનો ઉતારો હતો ત્યાં જ પેઠે. ઈશુ મહાત્મા દીવાના ઉજાસમાં વાંચી રહ્યા હતા. આ વખતે તેમણે દી ઠારી નાખે. ટેળું બીજે રસ્તે ભાગી ગયું. આટલા ઉપકાર છતાંયે તે ચારે ઈશુ પાસે મૂકેલી એક ચાંદીની દીવડી ચોરી લેવા માંડી. ત્યારે તેને બીજી ચાંદીની દીવડી આપતાં ઈશુએ કહ્યું: “આ પણ લઈ જા ! પણ આ ધધો સારો નથી !” આ પછીથી પેલા ચેરને વિચાર આવ્યું : “મેં સેનામહેર એટલા બધા માણસોની વચ્ચેથી લઈ લીધી. મને ચેર જાણવા છતાં જેમને ચહેરે બદલાયો નહીં. મારી પાછળનાં ટોળાંમાંથી હું બચવા અહીં આવ્યો તો યે મને આશરો આપે. મેં દીવીની ચોરી કરવા માંડી તો બીજી પણ આપવા માંડી, ખરેખર આ દૈવી પુરૂષ છે.” તે એમના ચરણોમાં ઢળી પડશે. તેણે ક્ષમા માંગી અને તે સંત થઈ ગયો. ઈશુના ચારિત્ર્યની તેના ઉપર અસર થઈ. વિશ્વ વાત્સલ્યની જે ધર્મનિષ્ઠા ન હોત તે આવા ચોર અને ડા ઉપર પ્રેમ આવી શકત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ નહીં. કેવળ માનવ જ નહીં, પશુપતિ પણ અબ્રાહમ લિંકને આત્મીયતા દેખાડી હતી. તેથી જ તેમણે કીચડમાં પડેલ ભૂલને કપડાંની દરકાર કર્યા વગર કાઢયું. તેમના કપડાં ઉપર છાંટા ઉડયા પણ તેમણે એવી ખોટી ઈજજતની દરકાર ન કરી અને તેઓ સમયસર અદાલતમાં પહોંચ્યા. દાદુ ભગતને દાખલ : ખેડા જિલ્લામાં દાદુરામ ભગત થયા છે. તેમણે દરિયા કાંઠાના ધુવારણ ગામે જતાં, એક સાંઢને ભાંભરતા સાંભળ્યા અને તેની આસપાસ સમડીગધનાં ટોળાં જોયાં. ભજનના બદલે ત્યાં જ સેવા કરવા મંડી પડ્યા. મેટું વજનદાર જનાવર ! ચાર દિવસ ખાધા-પીધા વગર તેની સેવા કરવામાં લાગી ગયા. ચાર દિવસે તેના માલિક દેખાય. જે વિશ્વ વાત્સલ્યની નિષ્ઠા ન હતા તે તેઓ આવે વખતે આટલું ન કરી શકત. આપણે તે આવી વ્યક્તિગત સાધના ઉપરાંત, સમુદાયગત અને સંસ્થાગત અનુબંધવાળી સર્વાગીક્રાંતિની વાત કરી રહ્યા છીએ, એટલે એ તે આનાથી આગળની વાત છે. પરિગ્રહ-પ્રાણુ અને અભિમાનને ત્યાગ શ્રી સુંદરલાલભાઈ કહે: “આપણે પરિગ્રહ, પ્રાણ અને અભિમાનને સંપૂર્ણ ત્યાગ નહીં કરતા શીખીએ તે સર્વાગી ક્રાંતિ આવી શકશે નહીં. આજે તે બધું ત્યાગ કરનાર ભક્તો, તે પણ અજ્ઞાનતા અથવા અભિમાનથી પિતાનું સ્થાન ગુમાવે છે. નારદજીને અભિમાન થયું એટલે એક નાના ભકતે કરી બતાવ્યું. તે તેમનાથી થઈ શક્યું નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ વતનિષ્ઠાને પ્રભાવ : શ્રી સવિતાબહેને કહ્યું: “એક બહેનની વાત આ પર્યુષણ પર્વ અંગે કહું છું. તે બહેને પૂછ્યું: “તમે તપ કરે છે એ જાણું મને નવાઈ લાગે છે. ચૌવિહાર, સામાયિક, પ્રતિક્રમણ બધું યે કરે છે. કેટલાંક તો આગળ વધીને આ બધાંને તરછોડે છે, જ્યારે તમે તે સર્વધર્મ સમન્વયમાં માનવા છતાં ભગવાન મહાવીર અને અહિંસા વગેરેમાં ઘણું માને છે. સમજણ તેમ જ જ્ઞાનમય ત્યાગથી બધી ક્રિયાઓ પણ કરે છો, આ જ ખરેખર સત્યદષ્ટિ છે. તમને આવા સતપુરૂષના સત્સંગને લાભ મળે છે, અમને ક્યારે મળશે?” તે પછી તેમણે પૂછ્યું “સંતબાલજી મુનિ મુહપત્તિ પણ રાખે છે ?” મેં કહ્યું: “મૌન વખતે ન રાખવી અને બેલતી વખતે કે જરૂર, વખતે રાખવી, આમ તેઓ કહે છે.” આ બધું જોઈ ખુલાસો સાંભળી તે ખુશી થયાં. આવા તો કેટલાયે પ્રસગો શિબિર દરમ્યાન જોવા મળે છે, શ્રી બ્રહ્મચારીજીએ દયારામ ભગતે શેરસિંહને સુધાર્યો તેની વાત, જણાવી હતી. એવી જ રીતે એક સંતે વેશ્યાને સુધારી તેને દાખલો આયે હતે. સર્વક્ષેત્રની ધર્મક્રાંતિ શા માટે? શ્રી દેવજીભાઈ કહેઃ “જૈન પરંપરામાં કુંદકુંદાચાર્ય જેવા તત્વ સુધારક થયા. હેમચંદ્રાચાર્ય જેવા સંસ્કૃતિના ક્રાંતિકાર થયા અને લોકશાહ જેવા ધર્મક્રાંતિકાર થયા. છતાં તેમણે સર્વ ક્ષેત્રે ધર્મક્રાંતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વાત ન કરી અને આ યુગે આપને સર્વ ક્ષેત્રની ધર્મક્રાંતિ માટે મૂળ વ્રતને સાચવી આવડા મોટા ફેરફારોની વાત કેમ સૂઝી ?” તેને જવાબ આપતાં મુનિ શ્રી સંતબાલજીએ કહ્યું: “સવારે નેમિમુનિએ કહ્યું તે મુજબ પ્રથમ સત્ય, પછીથી ત્રણ પાર્શ્વપ્રભુ વખતે ચાતુર્યામ અને ભગવાન મહાવીર વખતે પાંચ મહાવ્રતો તેમજ ગૃહસ્થ માટે બાર અણુવ્રતની વાત કરી હતી, તે અને પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિએ વગેરે ઉપરથી જૈનધમે વ્યાપક વાત કરી જ છે. આચાર્યોએ યુગાનુસાર ફેરફાર પણ કર્યા છે. હવેને જભાને બદલાય છે. સમાજ, સમુદાય અને સંગઠનોની વાત આગળ આવે છે. ગાંધીજીએ સામુદાયિક અહિંસાના પ્રયોગે ક્ય, સંસ્થાઓ ઊભી કરી અને તેને શુદ્ધ સંગીન બનાવી હતી. ધર્મક્રાંતિકાએ પણ સેંકડો વર્ષોથી દેશ-પરદેશમાં કામ કર્યું જ છે. આ બધાને સંદર્ભ લઈને જૈનધર્મનાં અનેકાંતવાદ, તેમજ વ્યાપક અને છતાં ઝીણામાં ઝીણું અહિંસાની વાતના કારણે આ ફેરફારો આવ્યા છે. એટલે આ વાત ચાવ નવી નથી. નાનું જ સંશોધન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ [૧૦] વિશ્વ વાત્સલ્યમાં બ્રહ્મચર્ય વિચાર [૨૫-૯-૬૧] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યના બાર વ્રતના પરિચય રૂપે આ અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. તેમાં વિશ્વ વાત્સલ્યનાં જે ત્રણ મૂળ છે -(૧) બ્રહ્મચર્ય (૨) સત્યશ્રદ્ધા (૩) માલિકી હક મર્યાદા. તેના ઉપર અલગ અલમ જરા વિસ્તારથી વિચાર કરી લેવો યોગ્ય ગણાશે. આ મૂળવતે અને તેમનાં ઉપવ્રતની યોજના ગાનુરૂપ નવી દષ્ટિએ કરવામાં આવી છે, એટલે મૂળવતો અંગે જેટલું સ્પષ્ટ અને સવિસ્તાર વિવેચન થાય તેટલું જ તે વિષયને સમજવામાં અને તે મુજબ આચરણ કરવામાં સરળતા રહે છે. આજે બ્રહ્મચર્યવ્રત ઉપર નવી દ્રષ્ટિએ વિચાર કરવાનો છે. વિશ્વ વાત્સલ્ય અને બ્રહ્મચર્યને હમેશાં અતિ નિકટને સંબંધ છે. વિશ્વ વાત્સલ્ય માટે જેમ બ્રહ્મચર્ય અનિવાર્ય છે તેમ બ્રહ્મચર્યની સંપૂર્ણતા પણ વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવામાં પરિણમે છે. એ દષ્ટિએ બ્રહ્મચર્યને કેવળ “મથુન સેવવું નહીં' એટલોજ નિષેધાત્મક ટુંક અર્થ લેવાને નથી. બ્રહ્મચર્ય અંગે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ સાંભળવા મળે છે. એક તો ઉપર કહેવામાં આવી તે પ્રકારની નિષેધાત્મક વ્યાખ્યા છે. પણ તે એક તરફી છે; સંપૂર્ણ નથી. મહાત્મા ગાંધીજીએ પાંચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૮ ઈદ્રિયોના સંયમને બ્રહ્મચર્ય કહ્યું છે. ભારતના પ્રાચીન ગ્રંથ-વેદમાં બ્રહ્મચર્યને અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યો છે –“બ્રહ્મ એટલે વિશ્વના આત્માઓ અને ચર્ય એટલે જેની સાથે વિચરણ કરવું.” એટલે કે વિશ્વના બધા આત્માઓ સાથે વિચરણ કરવું, એ બ્રહ્મચર્ય છે. આમ બ્રહ્મચર્યને બધા આત્માઓ સાથે વિચરણ કરવા માટેનું સાધન માનવામાં આવ્યું છે. એજ કાર્ય વિશ્વવાત્સલ્ય કરવાનું છે. બધાયે આત્માઓની સાથે વિચરણ કરવા માટે વાત્સલ્ય જરૂરી છે. અને વાત્સલ્ય જ્યારે જરૂરી બને છે ત્યારે બ્રહ્મચર્યને માત્ર નિષેધાત્મક અર્થ કરી; નારી જાતિથી અતડા, અળગા કે ડરતા રહેવું; સ્ત્રીનું મોટું પણ ન જેવું, એવો ભાવ તારવો ખોટો છે. એ તે બ્રહ્મચર્યની કેવળ એકાંગી, વ્યકિતગત, સ્વાર્થી અને અધૂરી કાચી સાધના ગણાશે. “કેવળ શારીરિક વિકારથી બચતા રહેવું” એટલો જ અર્થ બ્રહ્મચર્યને થતો નથી; ત્યાં તો બધા આત્માઓમાં આત્મભાવ સાથે વિચરણ કરવું એવી સ્પષ્ટ વ્યાખ્યા છે. વાત્સલ્ય અને વિકાર બન્નેનાં મૂળ એક નથી. વાત્સલ્યનું મૂળ ચૈતન્ય-આત્મા છે; જ્યારે વિકારનું મૂળ જડતા-શરીર છે. વાત્સલ્ય એ આત્માને ભાવ છે, જ્યારે વિકાર વિભાવ છે. ઘણા લોકો વાત્સલ્યને પણ વિકાર અને વિકારને વાત્સલ્ય ગણી, બન્નેની એકતાનો ભ્રમ ઊભો કરે છે. પરિણામે વિકારના જોખમે તેઓ વાસલ્યને પણ પડતું મૂકે છે. આમ થવાથી સમાજની પ્રગતિ રૂંધાય છે; અટકે છે કે એકતરફી બને છે. એટલે વિશ્વવાત્સલ્યની નિષ્ઠાપૂર્વકની સાધના માટે વિધેયાત્મક બ્રહ્મચર્યની જરૂર રહે છે, અને વિધેયાત્મક બ્રહ્મચર્ય માટે સ્ત્રી અને પુરૂષ બનની સહચારિતા અનિવાર્ય છે. અહીં સહચારિતા એટલે સાથે રહેવું અતડા બનીને ન ફરવું એ અર્થમાં છે, નહીં કે શારિરિક સંબંધ. જાતીય અને વિજ્ઞાનના પ્રવર્તક ફોઈડે મૈથુનને—સ્ત્રી પુરૂષનાસાહચર્યને અનિવાર્ય માન્યું છે. પણ એને જે અર્થ શારિરિક-સંબંધજન્ય સ્થળ વિષય ભોગ રૂપે ઘટાવવામાં આવે છે એ બરાબર નથી. સ્ત્રી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Re૯ પુરૂષ સાથે રહેવા છતાં બ્રહ્મચર્ય દ્વારા પરસ્પર પૂરક બને એવું આપણું ત્રષિ-મુનિઓએ આચરીને બતાવ્યું છે. એટલે વિધવાત્સલ્યને માનનારા સાધક-સાધિકાઓ માટે યુગાનુજ વિશાળદષ્ટિએ બ્રહ્મચર્યને વિચાર કરવાનું છે. એક્લા કે અતડા રહીને બ્રહ્મચર્ય પાળવા જતાં તે કાચું એકાંગી બને છે અને તેમાં દંભ પસી જવાનો ભય છે. માનવ-નર અને માનવ-નારી એ બને જ્યાં સુધી અભિક ત દામ્ય નહીં અનુભવે ત્યાંસુધી બન્નેને એકબીજાના સાચા ગુણેનાં દર્શન થઈ શકતાં નથી. આત્મીયતા અનુભવાયા વગર બને શારિરિક આર્ષણ અને વાસનાથી પ્રેરાઈને શરીર સંબંધ બાંધવા તદ્ધ ઘસડાય છે અને પરિણામે બ્રહ્મચર્યને હાસ નોંતરી બેસે છે. જે મર્યાદા કે તટસ્થતા બન્ને વચ્ચે કેળવાવી જોઈએ તે આ કારણસર કેળવાતી નથી અને પરસ્પરની આસક્તિ જાગે છે. તેના બદલે જે બન્નેને ગુણવૃદ્ધિની દષ્ટિએ પરસ્પર તાદામ્ય થાય તો બંને એકબીજાને પરસપરમાં અંગત વિકાસ સાધી શકે; અને સાથે સાથે સમાજને વિકાસ પણ કરી શકે. નારીમાં ઘણું ગુણો છે. જેમકે ક્ષમા, કોમળતા, સેવાસુશ્રષા, વાત્સલ્ય, ધતિ, વાણુ વગેરે. એવી જ રીતે પુરુષમાં સાહસ, સત્ય, પૌરૂષ, હિંમત ઉત્સાહ, નિર્ભયતા વગેરે વિશિષ્ટ ગુણો છે. જે નર અને નારીનું તાદામ્ય થાય તો નારીના ગુણની પૂર્તિ પુરૂષોમાં થઈ શકે અને પુરૂષના ગુણની પૂર્તિ સ્ત્રીઓમાં થઈ શકે એટલું જ નહિ પુરૂષોની ખામીઓ સ્ત્રીઓ વડે દૂર થઈ શકે અને સ્ત્રીઓની ખામીઓ પુરૂષો વડે દૂર થઈ શકે. આમ આત્મીય-સાહચર્ય કે તટસ્થતાપૂર્વકના તાદાઓથી પરસ્પરનું પૂરપ વધે અને બ્રહ્મચર્યની સાધના સમાજવ્યાપી બને. અને આમ તે બ્રહ્મચર્ય સમાજ-વિકાસનું કારણ બને. આમાં એક બાજુએ બ્રહ્મચર્ય માટે જાતે કડકમાં કડક રહેવાનું છે અને બીજી બાજુ ગૃહસ્થ સાધા-સાધિકાઓ કે સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સાધ્વીઓ અંગત વિકાસ અને સામાજિક વિકાસ માટે પરસ્પર પૂરક બનીને તાદામ્ય સાધે છે તેવી બ્રહ્મચર્ય સાધના સર્વાગી બની શકે. લાદામ્ય સાધના જ એકબીજાને પરસ્પર પ્રેરક બનાવી શકે છે; જોખમ વખતે ચેતવી શકે છે અને બ્રહ્મચર્યથી પડતી(ડગતી) વખતે જાગૃત કરી શકે છે. કે ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં સતીઓ દ્વારા પુરૂષને પ્રેરણું મળ્યાના તેમ જ પુરૂષ વડે સ્ત્રીઓને પ્રેરણા મળ્યાના અનેક ઉદાહરણ મળી આવે છે. જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથોમાંથી એક-બે દાખલાઓ લઈને તે અંગે વિચાર કરીએ. * યમ અને યમી : ઋદમાં યમ અને યમીનું એક સુંદર આખ્યાન મળે છે. યમ અને યમી બને ભાઈબહેન હેય છે યમી પિતાના ભાઈ યમને કામવાસના પિષવા માટે અને પોતાને પરણવા માટે કહે છે. યમ તે ભાગે જવાની ના પાડે છે. તે કહે છે: “જે વાત્સલ્ય, સ્ત્રી અને પુરૂષ બન્ને પરણતાં વિકૃત થઈ કામવિકાર બની જાય છે તે યોગ્ય નથી. તેના બદલે આપણે ભાઈ અને બહેન તરીકે રહીને બ્રહ્મચર્ય પાળીને વાત્સલ્યની વૃદ્ધિ કરીએ એ યોગ્ય છે.” યમી તેને ઘણું રીને લલચાવે છે. પણ ભાઈ યમ પિતાનું મન મક્કમ રાખે છે અને બહેનને પણ ચારિત્ર્ય માટે પ્રેરે છે. જેથી તેને પણ સાચા વાત્સલ્યને આનંદ મળી શકે છે. આ આખ્યાનમાં એક દઢ નિશ્ચયી પુરૂષ વડે નારીને અંગત વિકાર ઉપર સયમની સુંદર પ્રેરણા મળી છે. સુંદરી દ્વારા ભરતને પ્રેરણા: . એવી જ રીતે ભગવાન કષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી પિતાની ઓરમાન બહેન સુંદરીને પત્ની બનાવવા ઇચ્છે છે. એ યુગમાં ભાઈબહેનનાં લગ્ન પ્રચલિત હતાં. એ સહજ વસ્તુ હતી એટલે તેની નિદા કે તિરસાર ન થતાં, ભરતને ઘણી ઈચ્છા હતી પણ સુંદરીને આત્મા જાગૃત હતો. તે ચક્રવતના વૈભવ કે મહત્તામાં અંજાઈ જઈ તેને પતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ તરીકે સ્વીકારવા તૈયાર ન હતી. એટલે જે બાહ્ય સેંદર્ય ઉપર ભાઈની નજર હતી તેને ક્ષીણ કરવા માટે બહેને રસસ્વાદ ત્યાગ કરીને, તપ કરીને શરીરને એવું કૃશ બનાવી દીધું કે ભારતની લગ્ન કરવાની ઈચ્છા શમી ગઈ. જો કે સુંદરીનું શરીર ખુશ થઈ ગયું, પણ તેને આત્મા વધારે સુંદર બની ગયો અને બ્રહ્મચર્ય અંગેની પ્રેરણું તે ભારતને પણ આપી શકી. આમાં સુદરી વડે ભરતને જે પ્રેરણા મળે છે તેથી તેને અંગત વિકાસ થવા સાથે, તે સમાજવિકાસ માટે પણ લાભદાયી બને છે. રાજીમતી વડે રથનેમિનું ઉત્થાન " એવું જ બીજું ઉદાહરણ જૈન સુત્રોમાં રામતીનું મળે છે. તેનું રૂ૫ જોઈને મુનિ રથનેમિનું મન ચલાયમાન થઈને વાસના વેગે ચઢી જાય છે. તે રામતીની સચોટ વાત સાંભળી ૫ છું બ્રહ્મચર્યમાં સ્થિર થઈ જાય છે. જે રાજીમતી તે વખતે જાતે લપસી જાત. અગર તેને પ્રેરણું ન આપત તે એક સાધકને બ્રહ્મચર્યની જે પ્રેરણા મળી, અને તે સમાજ માટે આદર્શ બની. તે ન થાત. એવી તેજસ્વી સતી સાધ્વીઓ વડે સાધકોને અંગત વિકાસ માટે ખરેખરી પ્રેરણા મળી શકે છે. પણ એ માટે બ્રહ્મચર્યલક્ષી સાધકસાધિકાઓ અને સાધુ-સાધ્વીઓ પરસ્પરના નિકટ પરિચયમાં આવે તે જ એવાં જોખમોથી જાતે બચી અને બીજાને બચાવી શકે છે. " જે સ્ત્રીઓથી તદન અતડા રહીને અથવા એકાંતમાં અલગ રહીને એમ માને છે કે અમારી બ્રહ્મચર્ય–સાધના પાકી છે તો તેઓ એક બેટા ભ્રમમાં છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : वत्थगंघमलंकारं ) इत्थीओ सयणाणि च । अच्छदा जे न भुंजंति न से चाइत्ति वुच्चाई ॥ जे य हते पिये भोए लध्ध, विपिछी हुव्वइ । साहीणे चवई मार, से हु चाइत्ति वुच्चाई.... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ –અર્થાત વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન જેને સ્વાધીન નથી અથવા જેની પાસે નથી અને તેથી તે તેને ભગવતો નથી તે ત્યાગી કહે વડાવી શકતું નથી. જે પ્રિય કાંત ભોગે મળવા છતાં પોતાની પીઠ ફેરવે છે; પિતાને હસ્તક મળતા ભોગને ત્યાગી દે છે તે જ સાચે ત્યાગી કહેવાય છે. ભગવાન મહાવીરે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચારેયને મળીને ચતુર્વિધ શ્રીસંધ સ્થાપે. તે એટલા માટે કે આ ચારેયનું તાદામ્ય (અનબંધ) હોવું જોઈએ. તેઓ પરસ્પરના આત્મવિકાસ અને તેથી કરીને સમાજના વિકાસમાં સહાયક અને પુરક બને. જે તેઓ બ્રહ્મચર્યલક્ષી ગૃહ અને બ્રહ્મચારી સાધુ-સાધ્વીઓ માટે અલગતા ઈચ્છત, તે બધાયના અલગ અલગ સંઘે રચત. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બંનેની પૂરકતા બતાવવા માટે મહાદેવજીને અર્ધનારીશ્વરનું રૂપ આપ્યું છે. એની પાછળ એ જ તત્ત્વ છે કે વિશ્વની સર્વાગી સાધના નર અને નારી બન્નેના સહયોગથી જ થઈ શકે છે. બ્રહ્મચર્યને અર્થ એવો નથી કે પુરુષ સાધક, સ્ત્રી સાધિકાથી અતડો થઈને ફરતો રહે. ભગવાન બહષભદેવ, બાહુબલિમુનિને પ્રેરણું આપવા માટે બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વીઓને મેકલી. જે અતડા થઈને રહેવાનું વિધાન હોય તો પછી તેઓ કોઈ પુરુષ સાધકને મોકલત. આમાંથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચારી સાધક સાધિકાઓ, ભલે તે ગૃહસ્થ હોય કે સાધુ, તેમના માટે અજ્ઞાન અને નિર્દોષભાવે પણ અતડા રહેવું, એક બીજાના પૂરક ન બનવું એ વિશ્વ અને સમાજના વિકાસની સર્વાગી સાધનામાં કચાશ રાખવા જેવું છે. જો કે સદભાગ્યે સ્ત્રી-સાધિકા તે પુરુષ સાધકોની હુંફ અને પ્રેરણા ઈચછે છે મીરાંબાઈએ પતિ સાથે દેહસંબંધ તે હતો પણ આત્મભાવે ત્યાગ નહોતો કર્યો. અનેક ટીકાઓ થવા છતાં તેમણે પુરુજેની પૂરકતાનો સ્વીકાર હરહમેશ કર્યો જ હતો. એ જ કારણસર તે માનાના શ્રેષ્ઠ સાધુ છવાગે સાંઈનું સ્ત્રીઓથી અતડાપણું હતું તેમણે પણ તેણુએ ટકર્યા હતા. સાવાલા આમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ એક વિચારવાની વસ્તુ એ છે કે બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં તાદામ્ય સાધવા માટે સ્ત્રી અને પુરુષ બંનેને શરીરસ્પર્શ શા માટે વજનીય ગણવામાં આવ્યો છે જ્યારે કે સ્ત્રી અને પુરુષને ભેદ આકૃતિથી ઓળખાય છે અને બન્નેને આત્મા તે એક છે તો પછી શરીર સ્પર્શમાં શું થઈ જવાનું હતું? આને ઉત્તર એક જ છે કે બધા સાધકો એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હતા નથી; તેમજ તેમણે સમાજ વચ્ચે રહીને સાધના કરવાની હોય છે. એટલે કે સમાજ કલ્યાણ સાથે આત્મકલ્યાણ સાધવાનું હોય છે. આવા સાધકે માટે, સ્ત્રીને પુરુષના અને પુરુષને સ્ત્રીના શરીર-સ્પર્શ ત્યાગની મર્યાદા હેય, એ જ બરાબર છે. અમુક સાધકો જે એવી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હોય છે, જેમને શરીર ભેદ રહેતો જ નથી તેમના માટે શરીરસ્પર્શને વાંધો નથી. જિનકલ્પી મુનિઓ કે જેમને સમાજ સાથે પ્રત્યક્ષ સંપર્ક થતો નથી; એવી રીતે પરમહંસ સાધુઓ કે દિગંબર સાધુઓ જેમના માટે સ્ત્રી-પુરુષને ભેદ હેતો નથી. તેઓ આ કક્ષામાં આવે છે. એમાં પણ એક એવી કક્ષાએ પહોંચવું જરૂરી છે કે કોઈ પણ શરીરનાં બાહ્યદર્શન વિકારને ન જગાડે. શરીરસ્પર્શની મર્યાદા થઈ એટલે અતડા થઈને રહેવું એ યોગ્ય નથી. તેમણે ખુલ્લા દિલે પરસ્પર મળવાનું છે. આત્મભાવ જગાડવાને છે. નહીંતર પરસ્પરની પ્રેરણું વગર સામાજિક ક્રાંતિ કે વિકાસની સંભાવના નથી. જેને અહિંસા વડે ક્રાંતિ કરવી છે. જેને સ્ત્રીઓના બિંવિધ પ્રશ્નો લઈને તેનું નિરાકરણ ધર્મ દૃષ્ટિએ કરવું છે કે જેને ધર્મ દૃષ્ટિએ સમાજનું ઘડતર કરવાનું છે, તેને એ વિચારવું પડશે કે અહિંસાની પ્રેમ-વાત્સલ્યની શક્તિ કોનામાં વધારે છે? એ માટે પરસ્પરને ખુલ્લા હૃદયને પરિચય આવશ્યક છે. કેવળ બુદ્ધિથી ત્યાં કાર્ય પાર પડતું નથી. અહિંસાની શકિત ત્યાં જ વધારે પેદા થઈ શકે જ્યાં બુદ્ધિ કરતાં હદય વધારે વિસેલું યં! સામાન્ય રીતે પુરુષોમાં હૃદય કરતાં બુદ્ધિ વધારે વિકસેલી હોય છે. જ્યારે સ્ત્રીઓમાં બુદ્ધિ કરતાં દસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ વધારે વિકસેલું હેય છે. એટલા માટે સમાજની વચ્ચે રહીને સાધના કરનાર સાધક (જેનેની પરિભાષા પ્રમાણે સ્થવિર કલ્પી) ને સમાજમાં અહિંસક ક્રાંતિ કરવા માટે નારીને શરીર સ્પર્શ નહીં પણ હૃદય સ્પર્શ કરે વધારે જરૂરી છે. એવી જ રીતે નારી શરીર ધારી નાધિકાને પણ અંગત વિકાસ માટે પુરુષની બુદ્ધિને સ્પર્શવાની અગત્ય રહેશેજ. સાચી અને સંપૂર્ણ પૂરક્તા તો હદયના સ્પર્શથી જ આવી શકે છે. સામાન્ય માનવી વિકારને વશ થઈને સ્ત્રીના સ્થૂળ શરીર-સ્પર્શમાં આનંદ માને છે, તેમાં સુખની ક૯૫ના કરે છે જ્યારે ઉચ્ચ કોટિના સાધક હૃદય-અંતર અને આત્મભાવના મિલનમાં સાચું સુખ માને છે. અનુભવની એરણે એ વાત સિદ્ધ થયેલી છે. તાર્થ સૂત્રોમાં વર્ણવામાં આવેલ ઉચ્ચ કોટિના દેવોના જીવનથી આ વસ્તુ સિદ્ધ થાય છે. નીચેનાં સૂત્રો જરા ધ્યાન આપવા જેવાં છે – વાવ વવાર આ વેરાના મ. ૪, ૮ શેષા: રૂપ-રાજ-અના વિવાર રો: I | . ૪૩, ૧ swવવાર: ક. ૪ રૂ. ૨૦/- આ ત્રણે સૂત્રોને ભાવાર્થ આ પ્રમાણે છે:-વૈમાનિક દેવોમાં પહેલા અને બીજા સ ધર્મ અને ઈશાન દેવલોકમાં, દે મનુષ્યની જેમ મૈથુન સેવનથી ભોગ-વૃપ્તિ અનુભવે છે. ત્યારબાદના બબ્બે દેવલોકમાં ક્રમશઃ સ્પર્શમાત્રથી, રૂપદર્શનથી, શબ્દ-શ્રવણથી અને પછી કેવળ મનની કલ્પનાથી ભોગની તૃપ્તિ થાય છે. ત્યારપછી એટલે કે દશમા દેવલોક બાદ, ઉપરના દેવલોક, નવ ગ્રંથક વિમાનના દેવો અને પાંચ અનુત્તરવિમાનના દેવોની ભોગ તૃપ્તિ કેવળ આત્મ-સ્પર્શ કે હૃદય-સ્પર્શથી થાય છે. એમાં દેવો અને દેવી પરસ્પરના અપરિમિત ગુણે પ્રતિ પ્રીતિ રાખીને વાત્સલ્યરસના પરમ આનંદની અનુભૂતિ મેળવે છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એજ વસ્તુનું વિવેચન કરતાં તત્ત્વાર્થસત્રના ભાષ્યકાર કહે છે – : “ ધ કરીયાવાડ જતિ (લાલ) विशेषायपरिमित गुणप्रीति पुरुर्षाः परमसुख तृप्ता भवन्ति !" એ ઉચ્ચ કક્ષાના દેવને પાંચ પ્રકારની વિષયેચ્છાને ઉદય હતા નથી; એવું નથી પણ, તેઓમાં પ્રેમ (વાત્સલ્ય) ભાવ વધારે હોવાથી, અપરિમિત ગુણે પ્રત્યે અત્યંત પ્રીતિ હેવાથી પરમ આનંદથી તપ્ત થઈ જાય છે. વૈદિક પરિભાષા પ્રમાણે આને ક્રમશઃ અન્નમય, પ્રાણમય, મનેમય, વિજ્ઞાનમય કોષને અંતે બ્રહ્મમાં વિચરણ કરવાની આનંદમય કોષની ભૂમિકા માનવામાં આવી છે. આનંદમય કોષમાં વિચરણ કરતો બ્રહ્મચારી સ્ત્રીના શરીરસ્પર્શમાં નહીં પણ તેના અંતરસ્પર્શમાં વાત્સલ્ય – રસને સાચો આનંદ મેળવે છે. એવી ઉચ્ચ કક્ષાના સાધક સ્ત્રીમાં વાસનાને બદલે વાત્સલ્યને નિહાળે છે. વિશ્વ વાત્સલ્ય ગુણની વધારેમાં વધારે પ્રાપ્ત નારી-હૃદય (અંતર)થી મળી શકવાની હેઈ તે માતાતિની પ્રતિષ્ઠા સમાજમાં સ્થાપે છે. તે એ વાત્સલ્યાનંદ, અનંત જગતની સાથે તાદામ્યપૂર્વકની તટસ્થતા અનુભવીને મળે છે અને તેને અનુભવ જાતે કરે છે અને બીજાને કરાવે છે. સ્થૂલિભદ્ર વડે કશાનો હૃદય સ્પર્શ નગરનારી કોશામાં અશક્ત થયેલા સ્થૂળભદ્રને ગૃહસ્થાશ્રમમાં, પિતાના પિતાના મરણના સમાચાર મળે છે, તે એક આંચકો અનુભવે છે અને કેશા વેશ્યાને છોડીને, વૈરાગ્ય પામી મુનિ બને છે. મુનિ જીવનમાં તેઓ વાત્સલ્ય રસમાં તરબોળ બની જાય છે. વર્ષો બાદ એકવાર મુનિ સ્થૂલભદ્ર ચિંતનમાં લીન થઈને વિચારે છેઃ “મેં ગૃહસ્થાશ્રમમાં રહી વર્ષો સુધી કોશા સાથે શારીરિક વિષય સુખ ભોગવ્યા; પણ જે આનંદ અંતરના સ્પર્શમાં છે; આત્માની સાથે ઓતપ્રોત થવામાં છે, તે રસ વિષય સુખમાં નથી. હું આજે એકલેજ આ આત્માનંદ–વાત્સલ્યનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આનંદ માણી રહ્યો છું. મારી સાથે પૂર્વાશ્રમમાં શારિરિક સુખમાં રાચનાર કોશાને પણ આ વાત્સલ્ય રસને આનંદ પમાડું તે કેટલું સારૂં? કારણ કે પુરૂષ કરતાં સ્ત્રીઓમાં વાત્સલ્ય પ્રવાહ વધુ હોય છે..!” આ વાત તેઓ પિતાના આચાર્ય સંભૂતિ-વિજ્ય પાસે પ્રગટ કરે છે. તેમની સાથેના બીજા સાધુઓ, ચાતુર્માસ ગાળવા ભયંકર સ્થળે જવાની રજા માંગે છે ત્યારે રસ્થૂળભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવાની રજા માંગે છે. ગુરુદેવ ચારેય શિષ્યોને પોતપોતાની ઈચ્છા પ્રમાણેના સ્થળે ચાતુર્માસ ગાળવા જવાની રજા આપે છે. - યૂલિભદ્ર મુનિ પાટલિપુત્રમાં કેશાના આવાસે આવે છે અને ચાતુર્માસ ગાળવાની રજા માંગે છે. કોશા તેમને સહર્ષ રજા આપે છે. કોશાના મનમાં હતું કે “આ સૂનું હૃદય ભરાઈ જશે અને સ્થૂલભદ્ર મારા પ્રેમમાં રંગાઈ જશે. કોશાને ધૂલિભદ્ર ઉપર અનન્ય પ્રેમ હતો. પિતાને વિખૂટ પ્રેમી વર્ષો બાદ આવ્યું છે એટલે તેણીએ એના ઉપર પિતાનો રંગ જમાવાને પ્રયત્ન શરૂ કર્યો. તે નવા નવા પોશાકો સજી સજીને યૂલિભદ્રની સામે આવવા લાગી. નૃત્યો કરવા લાગી અને ગીત ગાવા લાગી. પણું યૂલિભદ્ર તો બીજાજ આનદને માણી રહ્યા હતા. એટલે તેમણે કોશાના આ વિષય-વાસનાના આનંદને નવો વળાંક આપવાનું નક્કી કર્યું. તેમણે એના રૂપ-રંગ નૃત્યગીત તેમજ ભજન-પકવાન તરફ ધ્યાનજ ન આપ્યું. એ જોઈ કોશાથી ન રહેવાયું. તેણે કહ્યું: શું તમને મારાથી કેમ નથ ? હું જે કેશને તમે એક ક્ષણ પણ લગી કરી શકતા ન હતા એ કશા નથી ગમતી?” સ્થૂલિભદ્ર કંઈ પણ જવાબ ન આપે. કોશાએ જ કહ્યું: “ના! એવું નથી હું જાણું છું કે તમને મારા તરફ પ્રેમ છે એટલે જ તમે મુનિ વેશે પણ અહીં આવ્યા છે. પણ અહીંની દરેક વસ્તુ તરફ, અરે! મારા તરફ અભાવ શા માટે દાખવે છે? તે સમજાતું નથી ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્રે કહ્યું: “કશા ! હું તને પહેલાં ચાહતો હતો અને હજુ પણ તને ચાહું છું. પણ તે ચાહના અને અત્યારની ચાહનામાં અંતર છે. સંયમ લીધા પછી મને જે આત્માનંદ-વાત્સલ્યને આનંદ મળે છે, તે એટલો બધે અપૂર્વ છે–અખૂટ છે અને શાશ્વત છે કે તેની આગળ વિષય-વાસનાને આનંદ કંઈજ નથી. આ નૃત્ય-ગીત રૂષ-શૃંગાર ક્યાં સુધી ચાલશે? શરીર ક્યાં સુધી ટકશે? કેટલાકને રીઝવી શકશે? અરે! એ તે બીજાને રીઝવવા માટે જ છે ને તે જ્યારે તને આનદ આપી શકતાં નથી તો બીજાને ક્યાંથી આપી શકે? કોશા બેલીઃ “મને તે તમારી આ વાત સમજતી નથી. સ્થૂલિભદ્રે કહ્યું : “એ સમજાશે ! એ સમજાવવા માટે જ તે હું આવ્યો છું. તારે તારે આ પ્રેમ જે વાસનાને પેદા કરાવે છે તેના બદલે વાત્સલ્ય તરફ વહેવડાવવાનો છે. આ શરીર કે વાસનાથી કઈ અનંત કાળ સુધી રીઝવી શકાતું નથી. ખરે, પ્રેમ તે આત્મભાવ વડે પ્રગટાવવાને છે. દરેક જીવો ઉપર વાત્સલ્યભાવ પ્રગટાવવામાં જે આનંદ છે તે કયાંયે નથી. તું તારા શરીરને અર્પણ કરવા બદલ હવે હૃદયને અર્પણ કરતાં શીખ! એ માટે સંયમ જરૂરી છે. શૃંગારત્યાગ જરૂરી છે; વ્રત-તપ કરવાં જરૂરી છે-આજે તારી પાસે જે વાસનાની દષ્ટિએ આવે છે તે પછી તારી પાસે વાત્સલ્ય પામવા આવશે અને તું ભૂલાં ભટક્યાને માર્ગદર્શન આપનારી બનીશ.” યૂલિભદ્રથી પ્રેરણા પામી કોશાએ વાત્સલ્યને માર્ગ લીધે. હવે નૃત્ય, સંગીત બંધ થયાં. એના બદલે વ્રત–તપ અને જ્ઞાનચર્ચાઓ થવા લાગી. ચાતુર્માસ પૂરૂં થયાં સુધી કોશા એક પાકી સાધિકા બની ગઈ સ્થૂલિભદ્રમુનિને પ્રયત્ન સફળ થશે. - બ્રહ્મચર્ય સાધનામાં એક વેશ્યાને ત્યાં સાવધાનીપૂર્વક સ્ત્રી અને પુરૂજ રહેવા છતાં શરીરસ્પર્શના બદલે અંતર (હૃદય) સ્પર્શ હાસ સાચા આનંદને પામવાનું આ એક આદર્શ ઉદાહરણ છે. સ્ત્રીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ અર્પણતાની મૂતિઓ તે હોય છે; એમાં નમ્રતા, કમળતા અને ક્ષમા એ ત્રિવેણી સંગમ રહેલો છે. જે એ ત્રિવેણીને સારા માર્ગે વળાંક આપવામાં આવે તો તેમાંથી એ પ્રેરણું મૂ તિ જાગે છે તે અનેકને માર્ગદર્શન આપનારી બને, એ નિઃશંક છે. એજ કશા જે હૃદયનીઅંતરની દીક્ષા ન પામત તે સ્થૂલિભદ્રના ગુરુભાઈ મુનિ, જે પાછળથી કેશાને ત્યાં ચાતુર્માસ ગાળવા આવ્યા અને પતનમાં પડવા જતા હતા; તેમને પતનમાં પડતા કશા અટકાવી ન શકત. તેઓ બીજે ક્યાં ય જાત તે તેમનું પતન પણ થાત. એટલે નારીના દેહને બદલે, તેનું હૃદય, તેનું અંતર કે તેને આત્માના સ્પર્શ વડે બ્રહ્મચર્યનું લક્ષ્ય સારી પેઠે સાધી શકાય છે, એટલું જ નહીં એ માગે તે જોખમ વખતે પ્રેરણા પણ મળી શકે છે. - બ્રહ્મચર્યને સમાજ વ્યાપ્ત બનાવવા માટે સર્વપ્રથમ તે એની સર્વાગી સાધના જરૂરી છે. જેમને એને સમાજવ્યાપી બનાવવું છે તેમણે, નારીને અંગત ઘડતર દ્વારા તેમજ નારી સાધિકાના આદર્શ વડે, સમાજને વ્યાપક પ્રેરણું આપીને બ્રહ્મચર્યને સમાજવ્યાપી કર્યું છે. એ દૃષ્ટિએ તેમણે સંસ્થા વડે બ્રહ્મચર્યને સમાજ વ્યાપી બનાવ્યું છે. ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરતાં પહેલાં એક પછાત પડી ગયેલી નારી-ચંદનબાળા જેવીના હાથે ગેચરી લેવાને અભિગ્રહ-(સંકલ્પ) કર્યો. એની પાછળ શું રહસ્ય હતું! તે એ જ કે પાર્શ્વનાથ પ્રભુથી ચાલતી આવતી ચાતુર્યામ પરંપરામાં તેમને બ્રહ્મચર્ય વ્રતને ઉમેરે કરી હતી અને તેને સમાજવ્યાપી બનાવવાનું હતું. તેમ કરવા માટે અને બ્રહ્મચર્યની સર્વાગી સાધના કરવા માટે ચંદનબાળા જેવી તરછોડાયેલી છતાં વાત્સલ્યમૂ તિ નારીને તેમણે સાધ્વી-સંઘની શિરછત્રા બનાવી. તેમણે, ચંદનબાળાના સહકારથી નવ સમાજની સર્વાગી રચના સફળ રીતે કરી અને સાધ્વીઓના માધ્યમ વડે તેમણે બહાચર્યને વિધેયાત્મક રીતે સમાજવ્યાપી વિકાસ સાધવામાં સફળતા સિદ્ધ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ - ભારતીય ધર્મોમાં તે જૈનધર્મે સ્ત્રીઓને પણ દીક્ષા આપવાની પહેલ કરી છે અને ભગવાન મહાવીરે તે એવા વિરોધી વાતાવરણમાં એ વસ્તુને કરી બતાવી છે. જ્યારે વિરોધી વાતાવરણ હતું; તે વખતે સ્ત્રીઓને પગની મેજડી, પુરૂષની દાસી, ભોગવિલાસની પૂતળી, પશુની. જેમ ગુલામરૂપે ખરીદવાની કે ભેટ આપવાની વસ્તુ ગણવામાં આવતી. આવા વિરોધી સમયમાં ભગવાન મહાવીરે ન કેવળ સ્ત્રીઓને સંઘમાં સમાન સ્થાન આપ્યું પણ તે વડે તેમણે બ્રહ્મચર્યની પ્રતિષ્ઠાપના કરી. જે તેમણે ચંદનબાળા જેવી સાધ્વીને સદ્યોગ સંઘ રચનામાં ન લીધે હેત તે તેમણે યંતી, રેવતી, શિવાનંદા, અગ્નિમિત્રા જેવાં અનેક નારી રને મેળવીને સમાજની જે સર્વાગી ક્રાંતિ કરી હતી, તે ન કરી શક્ત. સાથે સાથે એમ પણ કહેવું જોઈએ કે જે ભગવાન મહાવીરને સાથ ન મળ્યો હેત તે ચંદનબાળા જેવી કેટલીયે સાધિકાઓએ જે આત્મ વિકાસ સાધ્યો, તે ન સાધી શકત. છે. આ બધી વાતો ઉપરથી એક વાત અત્યંત સ્પષ્ટ જણાઈ આવે છે કે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રત નવું ઉમેર્યું પણ તેમણે બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં સ્ત્રી અને પુરૂષને સાધક અને સાધિકાને અતડાં રહેવાનું સૂચવ્યું નથી. કેવળ સાધુ નહીં, સાધ્વી પણ; કેવળ શ્રાવક નહીં, શ્રાવિકા પણ; એમ તેમણે સ્ત્રી-પુરૂષને હાદિક સગજ નહીં, પરસ્પરની પૂરકતાને પણ આવશ્યક ગણું. એટલે જ ચતુર્વિધ સંઘમાં સ્ત્રી અને પુરૂષ બન્નેને એકબીજાના પૂરક અને પ્રેરક ગયા અને એ રીતે નારીને સંપૂર્ણ પ્રતિષ્ઠા આપીને જ બ્રહ્મચર્યને સમાજવ્યાપી બનાવ્યું. બુદ્ધ ભગવાન પોતે સ્ત્રીઓને દીક્ષા આપવામાં, સંઘને હાસ થશે એવો ભય રાખતા હતા. પણ સમાજના સર્વાગી વિકાસ માટે તેમજ સ્ત્રીઓના પ્રશ્નોના ઉકેલ માટે સ્ત્રી સાધિકાઓને માધ્યમ બનાવ્યા વગર છૂટકો જ ન હતો. પાછળથી બુદ્ધ ભગવાનને વારાંગના નિમિત્તે આ સત્ય સમજાયું અને તેમણે ઉપાસક-ઉપાસિકા અને ભિક્ષુ-એ ત્રણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ - અગો સાથે ભિક્ષુણીનું આ ચોથું અંગ દાખલ કર્યું તેમણે સ્ત્રીઓને પણ પવર્જિત કરી. ઈશુખ્રિસ્તને દાખલો લઈએ તે તેઓ બ્રહ્મચારી રહ્યા હતા છતાં પણ તેઓ વાત્સલ્ય મૂર્તિ નારીથી અતડા રહેતા હતા. પિતાના જીવનકાળમાં તેમણે અનેક દુઃખો, દલિત અને પતિત નારીઓના દુખે દૂર કર્યા હતા અને તેવી સ્ત્રીઓને પ્રતિષ્ઠા પણ આપી હતી. તેમની એ ભાવના રૂપે આજે ખ્રિસ્તી સંપ્રદાયમાં પાદરીઓ અને સાધ્વીઓ (Nuns) બને છે. ખ્રિસ્તી ધર્મે નારી-જાતિને બ્રહ્મચર્ય સાધનાને અધિકાર આપે છે અને તેમ કરીને તેમને સર્વાગી વિકાસ સાધવાની તક આપી છે. જે ઈશુખ્રિસ્ત નારીને અતડી કે ઘણું પાત્રજ રાખત તે ઈસાઈ સંઘમાં સાધ્વીઓની તેજરિવતા જોવા ન મળત અને સમાજોપયોગી રીતે શિક્ષણ, સંસ્કાર, તેમજ સેવા-સુશ્રુષા વડે પિતાના વાત્સલ્યને સમસ્ત માને પ્રતિ ઈસાઈ સાધ્વીઓ વહેવડાવે છે તે જોવા ન મળત. બ્રહ્મચર્યની સહજ સાધના વડે જે પવિત્રતા તે સાધ્વીઓ (Nurs)માં જોવા મળે છે તે ખરેખર અનુકરણીય છે. જેમણે—જેમણે સર્વાગી સાધના કરી છે અથવા, કરવા માગે છે તેમણે સ્ત્રીથી અતડાપણું રાખ્યું નથી કે કદિ તેને સ્ત્રી નાગણી છે. કરડી જશે; “નરકની ખાણ છે પતનના ખાડામાં લઈ જશે” એવી ભયભરેલી ભાવના કે ધૃણ સેવી નથી. ઉલટું તેમણે જોખમે જયાં ત્યાં જાતે સાવધાની રાખી છે. - રામકૃષ્ણ પરમહંસ અને શારદામણિ દેવી; મહાત્મા ગાંધીજી અને અને કસ્તુરબા, અશ્વિનીકુમાર દત્ત અને તેમનાં પત્ની; આ બધા ગુહસ્થ દપતિઓએ સાથે રહીને બ્રહ્મચર્યની સાધના કરી હતી, એટલુંજ નહીં અનેક ગૃહસ્થ દંપતિઓને બ્રહ્મચર્યને માર્ગે જવા માટે પ્રેર્યા હતા. પણ, આવી બ્રહ્મચર્યની સાધના જે સેવા કે સમાજપયોગી કાર્યો સાથે ન હેય તે તે પણ એકાકી અને એકાંગી બની જવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ભય રહે છે. જેઓ દાંપત્ય જીવનમાં યુવાવસ્થામાં બ્રહ્મચર્ય સ્વીકારે છે. તેમણે સમાજસેવા, સુશ્રુષા કે શિક્ષણ એવી કોઈને કોઈ લોકોપયોગી પ્રવૃત્તિમાં પડવું જોઈએ. ઘણી વિધવા બહેને ફરજિયાત બ્રહ્મચર્ય પાળવું પડે છે પણ એવી બહેનની સમાજમાં કોઈ પ્રતિષ્ઠા થતી નથી. અને સાથે જ બ્રહ્મચર્યને પણ પ્રતિષ્ઠા મળતી નથી. એટલે બ્રહ્મચર્યની સમાજવ્યાપી પ્રતિષ્ઠા કરવી હોય તો એવી બ્રહ્મચારિણ બહેનનું ઘડતર સારી પેઠે થવું જોઈએ. તેમનું એ ઘડતર સર્વાચી દષ્ટિવાળી ક્રાંતિપ્રિય સાધ્વીઓ વડે થાય તો તેના સુંદર પરિણામે અવશ્ય આવશે. અનીતિને ધધ કરતી અને અનીતિને માર્ગે જતી વિશ્વા બહેનોને પ્રશ્ન, અનાથ, મધ્યમવર્ગી અને ગરીબ બહેનોને જવલંત પ્રશ્ન ધર્મદષ્ટિએ ઉકેલવામાં આવે તો આ રીતે સાધુ-સાધ્વીઓની સાધના સર્વાગી બની શકે. એક મોટું ભયસ્થાન બ્રહ્મચર્યની સાધનામાં આજના યુગને પાશ્ચાત્ય પ્રવાહ છે, જે ભોગને પ્રધાન સ્થાન આપે છે. તેના લીધે આજે બ્રહ્મચર્યનાં મૂલ્યો ખોવાઈ રહ્યાં છે. ફેશન આવવાથી સાદાઈ ચાલી ગઈ છે અને વેશભૂષાની સાદગી અને મર્યાદાના અભાવે આજના યુવાન વર્ગ અસંયમના માર્ગે ઘસડાઈ રહ્યો છે. તેમ જ કૃત્રિમ સંતતિ-નિયમનના સાધનો વડે આજના દંપતિઓમાં સંયમને હાસ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. તેને અટકાવવા માટે આવી બ્રહ્મચારિણી, કુમારિકા બહેને વડે પ્રયત્ન થાય; બ્રહ્મચારી દંપતિઓ વડે સંયમનું વાતાવરણ પેદા કરવામાં આવે તે બ્રહ્મચર્યને સમાજવ્યાપી બનતાં વાર નહીં લાગે. આવા બ્રહ્મચારી દંપતિઓ જે સમાજસેવા, સંસ્કારસિંચન કે શિક્ષણના કાર્યો કરતાં થાય તે તેમના વાત્સલ્યને લાભ સમસ્ત સમાજને મળે અને સાથે જ બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા સરળતાપૂર્વક થઈ શકે. ' આ માટે સાધ્વી સમાજનું ઘડતર પણ યોગ્ય, પુખત અને શાસ્ત્રીય ભાષામાં ગીતાર્થ સાધુઓ વડે થવું જોઈએ. અને ગીતામાં સાધુઓ તે જ કહેવાશે જેમને સમાજને સર્વાગી અનુભવ-જ્ઞાન હશે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ યુગના પ્રવાહની જાણકારી હશે; તેમ જ સર્વધર્મ સમન્વયની વૃત્તિ સાથે વ્યાપક સર્વાગી દષ્ટિ હશે તથા જનસંગઠન, જનસેવકસંગઠન, રાજ્યસંગઠન (કોંગ્રેસ છે અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વી વર્ગ, એ ચારેય સુસંસ્થાઓની સાથે જેને અનુબંધ હશે. આવા સાધુઓના નિર્દોષ સંપર્ક અને સાહચર્ય દ્વારા સાધ્વીઓ ઘડતર પામે – જેને જૈન, બૌદ્ધ અને ઈસાઈ ધર્મે માન્ય કરેલ છે – તે તેમના વડે બહેનનાં અનેક પ્રશ્નો ઉકેલાઈ શકે અને સમાજનું સાચું ઘડતર કરવામાં તેમના માધ્યમને પણ ઉપયોગ કરી શકાય. બ્રહ્મચર્યની આ યુગદષ્ટિ છે. વિશ્વ વાત્સલ્યના સાધકને જો આ સમજાય તો બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો સ્થપાતાં વાર નહીં લાગે એ ચેકસ છે. ચર્ચા-વિચારણું શું બ્રહ્મચર્યની ચર્ચા અસ્વાભાવિક છે – શ્રી માટલિયાએ બ્રહ્મચર્ય વ્રત ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું: આજે આપણે જે બ્રહ્મચર્ય વિષે વાત કહીએ છીએ, તેમાં ઘણુંને જુનવાણી માનસ અને અસ્વાભાવિક બોલાતું લાગે છે. એના કારણમાં આજના જાતીય અને વિજ્ઞાને એક વાત મૂકી છે કે જે પ્રવૃતિ થાય છે તેને પાયો સેક્સ અને લિબડે છે, એટલે કે જાતિયકૃતિ મળીને જ પ્રવૃતિ થાય છે. આવી આજની માન્યતા છે. એનું કારણ આ પ્રમાણે છે. સન ૧૯૨૧માં યુદ્ધમાં ગાંડા અને વિકૃત માનસવાળાની જે ભચિકિત્સા થઈ તેમાં નિદાન એ આવ્યું કે મનમાં કામવાસનાના વેગને રોક તેમજ શક્તિવાળાઓને સમાજે ગનિ ન આપી; આ બે કારણોસર તેમનું મગજ વિકૃત તેમજ ગાડું થયું. જે કે એવું તારણ નીકળ્યું પણ આ બધા વિકૃતિવાળાં હતાં; તે ઉપરથી સહજ નિયમ તારવવો એ મૂળભૂત દોષ કે ભૂલ છે. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ રોગીમાં કફ વાયુની પ્રધાનતાના કારણે રોગ થયો એટલે રોગ સર્જ છે એવું તારણ કાઢી ન શકાય. માતૃત્વ સ્વાભાવિક – ખરી રીતે, જગતભરમાં માતૃત્વ સ્વાભાવિક છે. તેના દાખલા તરીકે પૃથ્વીના છેવો એકંદ્રિય હોવા છતાં ફળને પોષણ આપે છે. વાયુ (વાયનસ) માતા રૂપે પિતાનાં અંગને ફેલાવી શકે છે. કીડી પિતાનાં બચ્ચાં માટે કણ ભેગાં કરે છે. મધમાખી ફૂલોમાં રસ લાવી પિતાનાં ઈડા પાસે મૂકે છે. વાછરડું જોતાં જ “ગા” પારસો મૂકે છે. આમ હોય તો જીવમાત્ર માટે ત્યાગ ભરી વહાલ સ્વાભાવિક છે. હિંદુ ધર્મો એનું નામ પ્રેમ આપ્યું. આમ એક પિતાનાં સંતાનમાં બધુ એક સરખું હોય એ સ્વાભાવિક છે. પણ, એ સ્વભાવના બે ભાગ પડે છે (૧) સેવાળ જેવી વનસ્પતિ સ્ત્રીકેશર કે પુંકેશરના યોગ વિના વધે છે, તેમ જટાધારી એટલે કે માનસિક-ભાવનામય જગત છે. (૨) બીજે સ્વભાવ, સ્થૂળ જગતને સનેષ લેનારૂં માતૃત્વ. બીજાની ઇચ્છા લગ્નની હેય છતાં સંયોગથી મનને દબાવવું પડે તે કામવાસનાના સતાવે અને તેવું માનસ છટકીને ગાંડું થાય. જેમ પિશાબની હાજતમાં માણસ સૂવે તો સ્વપ્નમાં પણ તે આવે એ રીતે વૈધવ્ય, વિધુરતા કે દીક્ષા સ્વચ્છાથી ન હોઈને બળાત્કારે આવે તો તેમાં વિકૃતિ થવાને સંભવ ખરે એટલે કે માનસજગતમાં ભાવના ઉત્પન્ન થતાં દીક્ષા લેવાય તે સ્વાભાવિક છે પણ બીજાને ગૃહસ્થાશ્રમ સ્વાભાવિક ગણાય. એક છું; ને બહુ થાઉં !” એ વૃત્તિ સહજ છે પણ સ્થૂળબીજ કરતાં વિચાર બીજ વધે તેમ છે તે સાધુ, અને સ્થળ સંતાન વધે તેવું ઈએ તે ગૃહસ્થ. વાત્સલ્ય ભાવનાને વિકાસ થાય સાધુઓના કારણે, કારણ કે તેઓ ઊંચે જાય એટલે જગત-વ્યાપક બને. પરમ દેખતાં માતરસ વધતો જાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉત્તમ નિર્દોષ પ્રવૃતિઓ વડે વિકાર શમન ઘણું અનુભવે મને એમ લાગ્યું છે કે (નાની ઉમ્મરથી ૬ થી ૧૦ વર્ષની બાલિકાઓને સંપર્ક રાખી વાત્સલ્યભાવ પવા-પીવાનું ભાઈઓ કરે અને તે જ ઉમ્મરનાં બાળકો માટે બહેને તેવું કરે તે મિથુન-ઇચ્છા વધશે નહીં. એવી જ રીતે પાણી ધૂળ વગેરે સાથે રમવાનું અને ચામડીના સ્પર્શને આનંદ લેવાનું–એ મુજબ બધી ઈદ્રિયોને બાહ્ય નિર્દોષ અને "ઉત્તમ પ્રવૃત્તિઓ અપાય તે વાત્સલ્ય રસના કારણે વિકાર સતાવશે નહીં. બહેને માટે તે આવી પ્રવૃત્તિઓ બ્રહ્મચર્ય સાધક બને જ છે. એમ છતાં ભાઈ-બહેને ગૃહસ્થાશ્રમી થવા ઈચ્છે તે તેમણે મર્યાદિત સંતાનોને યોગ રાખ જોઈએ. એવી જ રીતે સાધુ સાધ્વીઓ થાય તે મર્યાત શિષ-શિષ્યાઓને વેગ થવો જોઈએ. આમ વિચારાય તે બ્રહ્મચર્ય સરળ બને નહી તર, વંધ્યત્વ, કૃત્રિમ સંતતિ નિરોધ વગેરે દુર્ગણે સમાજમાં વધવાના છે. માતૃસમાજે આટલું કરે – મારા નમ્ર મત પ્રમાણે માતસમાજે –(૧) જમણ (૨) વહાલ કરવી (૩) બાગ અથવા ભંડાર ચલાવવા અને સેવા કરવી એ કામ બહેનને આપે બાળઉછેર બહેનોને સ્વાભાવિક છે. તે સાથે કેઢિયા કે વૃદ્ધોની સેવા પણ તેમને અપાય; નોધારાં બાળકોને પ્રેમપૂર્વક સાચવવા અપાય તે બહેન જગતમાં અજોડ કામ કરી શકે. એવી જ રીતે પુરૂષ, શિક્ષણ સંસ્થાઓ, છાત્રાલયો તથા જ્ઞાન વિજ્ઞાનનાં સંશોધનમાં પોતાની શકિત આપે, તો બ્રહ્મચર્ય સમાજમાં સહજ થતાં વાર ન લાગે !” આજ યુગધર્મ બ્રહ્મચર્ય - શ્રી પૂંજાભાઈ કહે : “એક જમાને એ હતું કે માનવસંખ્યા ઓછી હતી જેથી ખોળ મટો, તેની ઈજજત વધારે. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ “ઘણું સંતાનો થજે !” એવા આશીર્વાદ આપતા હતા. આજે બ્રહ્મચર્ય ધર્મ બન્યો છે. અને ઘણું અનૂભવથી જણાય છે કે બ્રહ્મચર્ય જેવો અનંત આનંદ ક્યાંય નથી. પણ દુઃખની વાત એ છે કે ગામડાં અને શહેરે બન્ને સ્થળે મા-બાપની મને દિશા એવી છે કે “જલદી સંતાનોને પરણાવી દે. રખે રખડી જશે !” એવી બીકથી અથવા ખોટી વાહ વાહથી–જલદી લગનને લહાવો લેવા દોડે છે. આથી નાનાં નાનાં બાળકો સમાજ જ્ઞની લગ્નની બલિવેદી ઉપર હૈમાઈ જાય છે. ક્ષય આદિ ભયંકર રોગોના ભોગ બને છે. એ માટે વડીલોને બ્રહ્મચર્ય અંગે પાયાની ઊંડી સમજણ આપવી જોઈએ. ખેરી દેરવણ અને ઉલ્ટાં મૂલ્ય (૧) વિશ્વામિત્ર અને મેનકા (૨) પરાશર અને મત્સ્યગંધા (૩) શકુંતલા અને દુષ્યતના દષ્ટાંત આપીને બાળકોને ભડકાવવામાં આવે છે કે બ્રહ્મચર્ય સરળ નથી. તેથી બાળકોને ઉંચે ચઢતાં અટકાવવામાં આવે છે. આ બ્રહ્મચર્યની વાત કઠણ છે એ જ રીતે સરળ પણ છે. પણ, છેલ્લાં દેઢ વર્ષથી બ્રિટિશ શાસન દરમિયાન કેવળ ભાષાને જ પલટો થયો નથી પણ વિદેશગમનથી જે વાતાવરણ આવ્યું તેને લઈને ઘણે પલટ થઈ ગયું છે. ચઢવું મુશ્કેલ થયું છે અને પડવું સહેલ. દુઃખની વાત તો એ છે કે ઉલ્ટાં મૂલ્યો સ્થપાયાં છે. સ્વચ્છ દીપણાને સંસ્કારીપણું મનાયું અને સંસ્કારીપણને જડતા કે રૂઢિચુસ્તતા મનાઈ. બીજુ દુર્ભાગ્ય એ થયું કે દેશની સંસ્કૃતિરક્ષાધર્મરક્ષા માટે જે સાધુસંસ્થા હતી; અને ચાર સંતાનોમાંના લગભગ એક સંતાન એ ભાર્ગે જતું તે માર્ગ બંધ જે જ થઈ ગયા. તેથી સાધુ સંસ્થા ક્ષીણ થતી ગઈ. રાજા રક્ષણને બદલે ભક્ષણ-અપહરણ કરવા લાગ્યો. નાના રાજ્યમાં તો કોઈ કુટુંબ ઇજજતભેર રહી શકે જ નહીં. એટલે બ્રહ્મચર્યની વાત કરવાવાળાં ઓછા થઈ ગયા. છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ બ્રહ્મચર્યના વિચાર ઉપર મક્કમતા વધે, માનવ સતત સંપર્કમાં આવે, અને મનને શુભ પ્રવૃત્તિઓમાં જોડવાની તક આપવામાં આવે તે બ્રહ્મચર્ય ટકાવવું સરળ થઈ પડે. બ્રહ્મચર્ય સાથે સતત શુભ પ્રવૃત્તિને મેળ બાંધવો જ રહ્યો. એક આદર્શ બ્રહ્મચારી પંચાવન વર્ષના પ્રોફેસર ડે. સેલટીને મેં જોયેલા. કોઈએ તેમને પૂછ્યું : “લગ્ન કેમ કરતા નથી ?” તેમણે જવાબ આપ્યો : “હજુ મને એ વિષે વિચાર કરવાને અવકાશ મળે જ નથી!” વિજ્ઞાનને તેમને વિષય અને દિવસ સુધી પગમાં પડયા રહે. આજે તે શું શહેશે કે શું ગામડાં, બધેય વિચિત્ર વાતાવરણ છે. સંયમની વાતનું કોઈને લક્ષ જ નથી. એટલે એની ઊંડી સમજ વ્યાપક કરવી પડશે. ધર્મ, બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીઓ શ્રી બળવંતભાઈ કહે : “વૈદિક ધર્મ કે જૈન ધર્મ, દરેક ધર્મમાં બ્રહ્મચર્યને મહિમા ગવાયો છે. ભારતમાં તો ચારિત્ર્ય અને બ્રહ્મચર્ય એ બને વસ્તુઓ ઉપર તે યુગયુગથી જોર આપવામાં આવ્યું છે. ગાંધીજીએ તે ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્ય પાઠ શીખડાવ્યો. ઋષિ દયાનંદજીમાં શરીરબળ, બુદ્ધિબળ અને જમ્બર હિંમત બ્રહ્મચર્યને લીધે જ હતાં. ભારતની નાડમાં આ વાત પડી છે. તે છતાં છેલ્લાં દોઢસો વર્ષમાં પરિસ્થિતિએ પલટે ખાધો છે. ગામડાના અનૂભવે મેં જોયું કે પાંચ વર્ષના બાળકે ખરાબ રવાડે, બેટી આદતમાં ફસાતાં, નજરે પડે છે. ગામને ચેરે જુઓ, ધર્મસ્થળ જુઓ કે કારખાનાં જુએ લોકો બિભત્સ વાત કરતાં હોય છે. હું જ્યારે એમને ટેકો ત્યારે તેઓ મને હસીમાં ઉડાવતા. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ દેશમાં સારું વાતાવરણ તે ઊભું કરવું જ પડશે. સિનેમા-નાટક તજાવવાં પડશે. બ્રહ્મચર્ય પોષક સારું સાહિત્ય પ્રજાને આપવું પડશે. ગુરૂકુળમાં પચ્ચીસ વર્ષ લગી વિકૃતિમય વાતાવરણથી દૂર રાખી નવી પેઢીને તાલીમ આપવી પડશે. ટુંકમાં આ કાર્ય ભગીરથ અને અત્યાવશ્યક છે. શ્રી દંડી સ્વામીએ કહ્યું : “બ્રહ્મચર્ય સાથે વિશ્વ વાત્સલ્યનો ઘણો સંબંધ છે. પણ એ બ્રહ્મચર્ય તેજવાળું જોઈએ. ભીષ્મ અને હનુમાન બ્રહ્મચારી જરૂર પૂરા ગણાય; પણ વ્યાપક તેજ તો કૃષ્ણ અને રામનું જ ગણયું. રામ પત્નીવ્રતધારી છતાં બ્રહ્મચારી રહ્યા અને તેમણે બ્રહ્મચર્ય ફેલાવ્યું. કૃષ્ણે નરકાપુર પાસેથી હજારો બહેનેને છોડાવી. તેમને અનેક સ્ત્રીઓ સાથે સંપર્ક છતાં તેમણે બ્રહ્મચર્યને સ્થાન આપ્યું. એટલે મને લાગે છે કે માટલિયાએ કહ્યું તેમ સમાજ અને વાતાવરણની વચ્ચે રહીને સંપૂર્ણ બ્રહ્મચર્ય પળાવવું પડશે. બ્રહ્મચર્ય પાલનના સારાં સાધનમાં મને ત્રણ સાધનો સૂઝે છે. જેને આશરે દરેક લઈ શકે: (૧) ગ સાધના (૨) હરડે સેવન (૩) સાદી રહન-સહન. - સાદો દાખલો આપું તે બે અંગૂઠા વચ્ચે લાકડું હોય છે તેથી પણ નસ સંબંધે બ્રહ્મચર્ય-પાલનને ટેકો મળે છે. ઘુંટીની ઉપરની રગ દબાય તે વિકારે ઓછા પડે એટલા માટે ઘૂંટી પર ચાંદીના અથવા બીજી ધાતુનાં કડલાં બહેને રાખતાં, પુરુષો પણ સાંકળા રાખતાં, આપણું શરીર પંચ મહાભૂતનું બન્યું છે. તેને વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી અને આકાશને શકય તેટલે સંબંધ વધુ રહે તે આપણું આરોગ્ય સારું રહે, અને આરોગ્ય સારું રહે તે બ્રહ્મચર્ય પાલનમાં ઠીક ઠીક ટેકો મળી રહે. બહેનને આવો શ્રમ અને વાતાવરણ ગ્રામજીવનમાં સહેજે મળી જાય છે. પણ આજે ત્યાં વાતાવરણ બદલાઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સેવા એ નારી માટે બ્રહ્મચર્યને તપાવવાનું સાધન શ્રી સવિતા બહેન કહે: “હું એક બહેનને પ્રસંગ કહું તેમાંથી નારી સંગ છતાં બ્રહ્મચર્યને અને હિંદુ મુસ્લિમ સંપર્ક વગેરેને ખ્યાલ આવશે. અમે મારી પુત્રીના પિતાજીની બીમારીની સારવાર માટે મદ્રાસ ગયેલા ત્યારે અમને એ બહેન મળેલા. જાતના મુસલમાન હતાં. નાનપણુથી વિધવા થયેલાં અને કામ કરી છૂટનારાં હતા. સાઠ વર્ષનાં થવા આવ્યાં હશે, પણ કરકસર ભારે અને મન તે એથી પણ વધારે કહે. લોકો કહેતા : “એ વઢગાડ કરનારી છે. એને ન રાખશો!” પણ, અમે તેમને રાખ્યાં અને જોયું કે સ્વભાવ આકરે ખરે . પણ ભારે હૃદયવાન હતા. સેવા ચાકરી ખંતથી કરે. એક વખતે બેબીના બાપુજીને તાવ આવ્યો, તો રાતભર તે બહેન ન ઊંધાં. સેવા બરાબર કરતાં રહ્યાં. મારી સાથે બરાબર જાગતાં રહ્યાં. પછી એકાએક પાએક કલાક આંખ મીંચીને બેસી ગયા. મેં પૂછ્યું : “આ શું કરો છો !” તેમણે કહ્યું : “પ્રભુને પ્રાર્થના કરું છું કે સાજા થઈ જાય !” જ્યારે તેઓ સાજા થઈ ગયા અને ડોકટરે તેમને હરવા-ફરવાની છૂટ આપી ત્યારે તેઓ રાજી-રાજી થઈ ગયા. ત્યાં અમે ઘણાં દર્દીઓની સેવા કરી શક્યા એ તે સાજા થઈને કાર્યવશ બહાર ગયા. મારે એક બીજા સગાની સેવા ખાતર એ ઇસ્પિતાલના કંપાઉંડના બ્લોકમાં (જ્યાં અમે હતાં ત્યાં) રહેવાનું થયું. પણ પછી એ બાઈ રહ્યાં નહીં. ખુદા, તમારું ભલું કરે !” એમ આશિષ આપી ચાલ્યાં ગયાં. એ હજુ યાદ આવે છે. જગતમાં સામાન્ય ગણાતા માણસો પણ આવાં હોઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ [૧૧]વિશ્વવાત્સલ્યમાં સત્ય શ્રદ્ધા વ્રત ૨–૧૦–૬૧ મુનિશ્રી નેમિચંદ્રજી - વિશ્વવાત્સલ્યના ત્રણ મૂળ વતેમાં પહેલું બ્રહ્મચર્યવ્રત છે. તેના ઉપર અગાઉ વિચાર થઈ ગયો છે. હવે તેના બીજા મૂળવ્રત “સત્યશ્રદ્ધા” ઉપર વિચાર કરવાનું છે. આમ તો સત્ય અને ઘણું ઘણું કહેવામાં આવ્યું છે. પણ, આજે એક નવાજ દૃષ્ટિકોણથી એ ઉપર વિચાર કરવાનો છે. છે. વિશ્વ વાત્સલ્યને સત્યશ્રદ્ધા સાથે બહુ જ નિકટને સંબંધ છે. બ્રહ્મચર્ય જેમ વિશ્વ વાત્સલ્યનું એક મૂળવત છે. મૂળભૂત અંગ છે તેમ સત્યશ્રદ્ધા પણ એક મૂળભૂત અંગ છે. - એક માતા બાળક ઉપર ખૂબ વાત્સલ્ય રાખે છે, પણ જ્યારે ન્યાયને કે સત્યને પ્રશ્ન આવે ત્યાં નિષ્ફર પણ થાય છે. કારણકે જે તે વખતે તે કડક કે નિષ્ફર ન બને તે બાળકના જીવનને સાચો વિકાસ અટકી જાય. એવી જ રીતે સત્યને સાધક, વિશ્વપ્રત્યે વાત્સલ્ય રાખશે. પણ જ્યાં ન્યાયને પ્રશ્ન આવશે. સત્યને સવાલ આવશે ત્યાં મક્કમતા રાખશે, બહારથી જોનારને કદાચ એ નિધુરતા લાગે પણ, ખરું જોતાં તે વખતે તે સત્યને આગ્રહ ન રાખે તો વ્યક્તિગત અને સામાજિક વિકાસ ન થઈ શકે. વિશ્વવાત્સલ્યમાં સમન્વય કરવાની અને ધ્યેયને લક્ષ્યમાં રાખી બધાયને તે રીતે જોડવાની વાત્સલ્ય દષ્ટિ રાખવામાં આવી છે. તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સત્ય શ્રદ્ધામાં બહારથી નિષ્ફરતાને લીધે તેડવાની વૃત્તિ દેખાય એ બની શકે, પણ ખરું જોતાં સામી વ્યક્તિના અંતરને જોડવાની દૃષ્ટિ એમાં પડેલી હોય છે. સત્યશ્રદ્ધામાં પિતે મક્કમતા દાખવીને બીજાને પણ તેજ તરફ આણવાની વૃત્તિ હોય છે અને આત્મીયભાવ પિતાપણાને ભાવ ન હોય તે તે નજ બની શકે. ઘણુ વિચારક-સાધકો એમ સમજી જાય છે કે સત્યશ્રદ્ધામાં જે પોતાનાથી માન્યતામાં જરાક જુદે પડ્યો, એની સાથે સંબંધ તેડવાની કે એની સાથે અલગતા સેવવાની વાત છે. ખરું જોતાં એવું છે જ નહીં જ્યારે સત્ય માટે કોઈ પણ આગ્રહ સેવે છે ત્યારે તેના દિલમાં સતત બીજાના ભલાનું ભાન હોય છે. એને લાગે છે કે પેલી વ્યક્તિ જૂઠું બોલે છે. એ એના તથા સમાજના હિતમાં ખરાબ છે માટે મારે એને સત્ય બતાવવું જોઈએ ! આવી આત્મહિતની લાગણી ત્યાં સતત પિતાપણું સાંધતી હેય છે. ખરૂં જેવા જતાં સત્યના અલગ અલગ પાસાંઓ છે. આપણે સમજીએ અને માનીએ તેટલું જ સત્ય છે, તે સિવાયનું બધું જ મિથ્યા એમ માનવું વધારે પડતું છે. એટલા માટે જન ધમેં સત્યને ઓળખવા અનેકાંતની વાત કરી છે. અનેકાંતવાદને અર્થ એ જ છે કે બીજાના દૃષ્ટિકોણ પણ જુઓ અને તેને સમજીને તે સત્યને પણ આદર આપે. બીજાના વિચારો પિતાનાથી વિરૂદ્ધ છે માટે ખરાબ છે એમ કહીને તેને ફેંકી ન દેવાય તેની સાથે સહાનુભૂતિ રાખી ઊંડાણથી વિચારવામાં આવે અને પછી તે સત્ય-સર્વહિતકારી ન લાગતું હોય તો તેને મૂકી શકાય છે. પૂર્ણસત્ય દરેક માણસની પકડમાં આવતું નથી. સત્યના એક કે અનેક અંશને પકડીને તે બીજા અંશને તરછોડી દેતા હોય છે. એ બરાબર નથી, ત્યાં જ તે મિથ્યા-દષ્ટિ બની જાય છે. અનેકાંતવાદમાં સાત આંધળાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એક વખત સાત આંધળા એક હાથીને તપાસવા લાગ્યા કે હાથી કે છે? એ કે હેય તેની એમને ખબર નહતી. એકે કહ્યું “હાથી તે કાઠી જેવડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ બીજાએ કહ્યું : “તું ખોટું કહે છે. હાથી તે થાંભલા જેવો છે.” ત્રીજાએ કહ્યું: “હાથી તે સૂપડા જે છે!” ચોથાએ કહ્યું: “નથી સૂપડે કે નથી થાંભલો, એ તો રાંઢવા જેવો છે.” - પાચમાએ કહ્યું: “વાહ ભાઈ વાહ તમે તે ઠીક હાંક્યું! અરે હાથી તો ત્રિશૂળ જેવું છે.” ત્યારે છઠ્ઠાએ કહ્યું: “ભાઈ મને તો એ દંડા જેવો લાગે છે.” સાતમાએ કહ્યું: “દડે....શું વાત કહે છે? એ તો દડા જેવો લાગે છે દડા જેવો !” આમ સાતે જણા પોતપોતાની માન્યતાને સાચી કરાવવા માટે બીજાના મતને બેટ ઠરાવવા લાગ્યા અને વિવાદ કરવા લાગ્યા. એવામાં એક સૂઝવાળા અને સમજુ માણસ ત્યાં આવ્યું. તેણે કહ્યું: “તમે બધા એક એક અંશે સાચા છે પણ સર્વાંશે સાચા નથી. તમે તમારા એક અંશને મુખ્યરૂપે અને બાકીના અંશને ગૌણરૂપે પ્રતિપાદન કરશે તે તમે સત્યને પામી શકશે.” એમ કહી તેણે દરેકને તેમની પોતાની માન્યતા અંગે સમજાવ્યા. એટલે બધાએ કબૂલ ર્યું કે અમે જે અંગને પકડ્યું હતું તેને જ સાચું માનીને હાથી અને પ્રતિપાદન કરતા હતા. પણ ખરેખર બધાયે અંગાને મળીને વિચાર કરીએ તોજ સર્વાશે સત્યને પકડી શકીએ. આ સત્ય શું છે? તે અંગે મૂળવતની વિચારણા કરતાં કરવામાં આવી છે કે તત્ત્વ, વિચાર, વાણુ તેમજ બીજા સાધને અને મન, વચન, કાયા દ્વારા થતી પ્રવૃત્તિઓમાં સર્વભૂત હિતરૂપ વિચાર અને આચાર એ સત્ય છે. વિશ્વ વાત્સલ્યનું સત્ય તો સર્વે જગતના છના હિત માટે વાત્સલ્ય રસને વહેવાડવા એટલે કે તેમનું કલ્યાણ થાય એ રીતે મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કરવી એ છે. આ પ્રવૃત્તિઓને સત્ય નામ આપવા સાથે વ્રત આયોજનમાં શ્રદ્ધાને પણ સાથે જોડવામાં આવી છે. એને અર્થ એ છે કે સર્વભૂત હિતરૂપ પિતાના સત્યને જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ દરેક આદર આપે છે તેમ બીજાના સર્વભૂત હિતરૂપ સત્ય ઉપર શ્રદ્ધા રાખી તેને ઓળખવાને પ્રયત્ન કરવો જોઈએ. એવો વિચાર ન થતાં એકાંત સ્વપક્ષી વિચાર કરવાના છેષભાગી થવાય. અને સર્વભૂત હિતરૂપ સત્યના જુદા જુદા કાળે થયેલા પાસાંઓને ન્યાય ન આપી શકાય. બનારસના એક રાજાને ચાર પુત્રો હતા. એકવાર ચારે રાજકુમારોએ સારથીને કહ્યું: “અમારે કેશુડાનું ઝાડ જેવું છે.” - તેણે કહ્યું : “ભલે લઈ જઈશ.” પછી એક દિવસ તે મોટા રાજકુમારને વનમાં લઈ ગયો અને તેણે કેશુડાનું ઝાડ બતાવ્યું. તે વખતે પાનખર ઋતુ હતી. એટલે બધાં પાંદડાં અને ફૂલો ખરી ગયા હતાં. ઝાડ જાણે કે સૂકું હેઠું જેવું હતું. તે જોઈને રાજકુમારે મનમાં ધારણ કર્યું કે કેશુડાનું ઝાડ હંઠા જેવું હોય છે. કેટલાક દિવસ પછી સારથી બીજા રાજકુમારને જંગલમાં લઈ ગયો. તે વખતે પાંદડાં આવી ગયાં હતાં. એટલે લીલાં પાંદડાં વાળું કેશુડાનું ઝાડ હોય છે એમ તે રાજકુમારના મનમાં સજજડ રીતે બેસી ગયું. થોડા દિવસો બાદ તે ત્રીજા રાજકુમારને ઝાડ જેવા લઈ ગયો. તે વખતે ફૂલ આવતાં હતાં. એટલે તેણે એ રીતે કેશુડાની કલ્પના કરી. - ત્યારબાદ તે ચોથા રાજકુમારને ઝાડ જેવા માટે લઈ ગયે. આ વખતે કૂલ લાલ અને પાંદડાં લાલ હતા. એટલે તેણે માન્યું કે લાલ રંગનાં ફૂલ અને પાંદડાં વાળું ઝાડ તે કેશુડાનું હોય છે. ચારે જણાયે જુદા જુદા કાળમાં કેશુડાનું ઝાડ જોયું હેઈને દરેકે તે રીતે કલ્પના કરી હતી. એક વાર ચારે રાજકુમારોમાં કેશુડાનાં ઝાડ વિષે વાત થઈ અને દરેકે પોતે જે જોયું હતું તે મુજબ કેશડાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ર૩૩ ઝાડને બતાવવું શરૂ કર્યું. દરેક પિતે સાચો અને બીજો બેટે એમ કહી લડવા લાગ્યા. તેઓ રાજા પાસે ગયા. રાજાએ સારથીને બેલાવીને બધી વાત જાણું લીધી હતી. એટલે તેણે ચારેય રાજકુમારોને કહ્યું : તમે ચારે બરાબર કહો છે ! પણ બીજાના દૃષ્ટિકોણને સમજવાને પ્રયત્ન કરતા નથી. એટલે તમારું કથન એકાંશે સત્ય હોવા છતાં, તે સર્વાશે સત્ય નથી. બીજાના મત ઉપર પણ તમારે વિચાર કરવો જોઈએ” એમ કહી રાજાએ દરેકે શા માટે મત બાંધ્યો હતો તે સમજાયું. રાજકુમારોને ઘેડ બેસી ગઈ કે દરેક બીજો કહે છે તે પણ તેની દષ્ટિએ સાચું છે અને સર્વાશે કેશુડાનું ઝાડ અમુક પ્રકારનું છે. એવી જ રીતે જ્યારે બીજાના મત પ્રત્યે શ્રદ્ધા રાખીને વિચારવા મથાય તો ઘેડ બેસી શકે છે. પણ બુદ્ધિના દ્વાર બંધ કરીને બેસાય તો સર્વાશ સત્યથી વંચિત ન રહેવાય. એટલે સત્યશ્રદ્ધામાં એ વસ્તુ છે કે જ્યાં-જ્યાં સત્ય દેખાય ત્યાં ત્યાંથી તારવવું. બધા ધર્મોમાં રહેલ સત્યને તારવવાની કોશિષ કરવી. એટલા માટે જ સત્યશ્રદ્ધાનું ઉપવ્રત ‘સર્વધર્મોપાસના” છે. એક માણસને પોતાના ધર્મમાં છે એ જ સત્ય અને બાકીનું બધું મિયા છે એમ કહીને હઠ ન પકડવી જોઈએ. તેણે નિરંતર જેટલાં સત્યાંશે છે તેની તપાસ તો કરતા રહેવી જોઈએ; તે જ તે સંપૂર્ણ સત્ય તરફ અગ્રેસર થઈ શકશે. પં. બેચરદાસજીએ “જૈન, બૌદ્ધ અને આય” એ ત્રણ ધર્મોના સમન્વય ઉપર એક ચોપડી લખી છે. તેની ભૂમિકામાં એમણે એક સરસ દષ્ટાંત આપ્યું છે – એક વખતે એક મોટા કુટુંબના ત્રણ મુખ્ય પુરુષે જુદી જુદી દિશામાં વેપાર કરવા ગયા. ત્યાં જઈને તેઓ વસી ગયા. થોડે વખત સુધી તેમને પરસ્પરને પરિચય થોડા જ કામકાજને લીધે ટકી રહો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પણ ધીમે ધીમે કામ વધવા લાગ્યું. સંતાને પણ વધવા લાગ્યાં અને એક બીજાના સમાચાર પણ આવતા બંધ થઈ ગયા. ધીમે ધીમે તેમની વચ્ચે બધે વહેવાર બંધ થઈ ગયો. - એકવાર એવું બન્યું કે વર્ષો પછી જુદા જુદા દેશમાં વસેલા એ ત્રણે કુટુંબના મુખ્ય માણસે પ્રવાસમાં ઓચિંતા મળી ગયા. વાતે ચાલી પાસે બેઠા અને સૌએ સાથે જમી પણ લીધું. તે છતાયે તેઓ એક બીજાને ઓળખી શક્યા નહીં. કારણ કે ત્રણે કુટુંબોની ભાષા, રહેણીકરણી, પોશાક વગેરેમાં ફરક પડી ગયો હતે. છતાં પણ તેઓ પરસ્પરને પ્રેમ અનુભવતા હતા. પ્રવાસ લાંબે હતો અને હજુ છૂટા પડવાની વાર હતી, એ પૂછપરછ થતાં પત્તો લાગ્યો કે ત્રણે કુટુંબોને એક જ સ્થળે જવું છે. એથી આપસમાં સવાલ-જવાબ થયા અને ખબર પડી કે ત્રણે એક જ કુટુંબના છે, કાળબળથી તેમના પૂર્વજો વિભિન્ન દેશોમાં જઈ વેપાર માટે વસી ગયા હતા. આ જાણ થતાં આ ત્રણે પકીના દરેકના મનમાં બહુ આનંદ થયો, ત્રણે કુટુંબ પિતાના મૂળ પૂર્વજોના ગામે પહોંચી ગયા. એવી જ રીતે ભારતમાં કે વિદેશમાં પેદા થયેલા બધા ધર્મોની સ્થિતિ છે. હિંદુ બૌદ્ધ અને જૈન એ ત્રણ ભારતીય ધર્મો અને ઈસ્લામ તેમજ ખ્રિસ્તી ધર્મના મળ અને ઉદ્દેશ તે એક જ છે. આર્ય જાતિની એક શાખા ઈરાન (આયપિન) ગઈ, એક આરબ (આર્યપ) ગઈ અને એક ભારત (આર્યાવર્ત) આવી, આ બધા લોકોની વિચાર પદ્ધતિ એક જ પ્રકારની હતી. તેઓ જે જે દેશમાં ગયા. તે તે દેશની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની પ્રજાકીય પરિસ્થિતિ તેમજ વહેણો પ્રમાણે અને સમયની જરૂર પ્રમાણે દરેક ધર્મસંસ્થાપકે ધર્મને પ્રરૂપો, જેઓ સર્વધર્મ–સમન્વયમાં માને છે તેઓ જાણે છે કે જેમણે આ બધા ધર્મો સ્થાપ્યા તેની પાછળ તેમની માનવહિતની ભાવના અને મૂળભૂત ઉદ્દેશ એક જ હતા. તે છતાં આજે તેમની વચ્ચે આટલે બધે તફાવત હોવાનું શું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ કારણ છે, એ જરૂર વિચારણુય પ્રશ્ન છે. એટલું જ નહીં આજે આ બધા ધર્મના અનુયાયીઓ ખાસ–પડેશમાં રહેવા છતાં, તેઓમાં એક-- બીજાની સાથે સ્નેહભાવ, એકબીજાના ધર્મ પ્રતિ જિજ્ઞાસા કે આદરભાવ દેખાતા નથી. ઊલટું, ખંડન-મંડન, દ્વેષ-ઘણાની ભાવના એ લોકોમાં એકબીજા પ્રત્યે હેય છે. આથી સત્યમાં–(સર્વ ભૂત હિત તવમાં ) પણ અસત્યને પ્રવેશ થાય છે. એમાં બીજા ધર્મોના તને જાણ્યા. વગર, વિચાર્યા વગર, માત્ર ઉપલક ક્રિયાકાંડે જોઈને નિર્ણય બાંધવામાં આવે છે કે અમારા ધર્મ સિવાય બીજા બધા ધર્મો ખોટા છે; કાંઈપણ સત્ય કે તથ્ય તેમાં નથી. આ સત્યના આગ્રહીની રીત નથી; એ તો સત્ય વ્રતમાં દેષ છે. એટલે આ બધે ઠેષ કે ખંડન અથવા મમત્વ કે મંડન દૂર કરવા માટે એક જ ઉપાય છે કે દરેક ધર્મને તેની સ્થાપનાના કાળ, લોકપરિસ્થિતિ તેમજ લોકમાનસને નજર આગળ રાખીને જેવા જોઈએ. જગતના બધા ધર્મો માનવસમાજની ભલાઈ માટે આવ્યા છે. લોકોના દુઃખને દૂર કરવાની ચિકિત્સા જેવું જ તેમનું નિદાન છે. એટલે ગમે તે પદ્ધતિથી-ધર્મવિચારણા અને વિધિથી દુઃખ દૂર કરવાની ચિકિત્સા થઈને રોગ મટવો જોઈએ અને દે નાબૂદ થવા જોઈએ. જે કોઈ ડેટર એવો દાવો કરે કે કેવળ મારી દવાથી જ રોગ, મટશે, અથવા દર્દી એમ માની બેસે કે અમુક ડકટરની દવાથી રેગ. મટશે અને બીજા ડોકટરની દવાથી નહીં મટે; તો એ વસ્તુ બરાબર નથી. એક ગામમાં એક માણસ બહુ જ માંદે રહેતા હતા. ત્યાં એક ડેકટરને તેડવામાં આવ્યો પણ તેના ઇલાજથી દર્દી સારો ન થયો. એટલે એક પ્રાકૃતિક ચિકિત્સક વેધને, એક એલોપથિક ડેકટરને, એક હોમિયોપેથિક ડોકટરને એક બાયોકેમિક ડોકટરને, એક યુનાની હકીમને –આમ દવાના પ્રખ્યાત નિષ્ણાતોને તેડાવવામાં આવ્યા. તે બધા આવ્યા. રોગીને તપાસ્યા પછી સહુ પિત પિતાની ચિકિત્સા પદ્ધતિની પ્રશંસા કરવા લાગ્યા; અને એક બીજાની નિંદા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ તેમજ ખંડન કરવા લાગ્યા. દરેક એમ જ કહેવા લાગ્યો કે મારી દવાથી જ આ રોગ મટશે. તેમને વાક-કલેશ એટલો બધો વધી ગયું કે તેઓ કોઈ એક નિર્ણય ઉપરજ ન આવી શક્યા કે રોગીને કઈ પદ્ધતિએ ઇલાજ કરવો જોઈએ? રોગી મરણાસન હતો પણ કોઈને એની ફિકર ન હતી. બધાને પિતાની ચિકિત્સા – પદ્ધતિની પ્રશંસા કરવાની જ પડી હતી. છેવટે એક સમજુ અને બુદ્ધિમાન માણસ આવ્યો અને કહેવા " લાગે : “તમને કંઈ પણ ભાન છે કે નથી ? તમે પિત પિતાની પદ્ધતિની પ્રશંસા કર્યા કરે છે પણ કેઇને, રેગીને સાજો કરવાની ચિંતા નથી. તમે બધા નિષ્ફર, હૃદયહીન, અને સ્વાથી લોકે છે !” અને અયોગ્ય ચિકિત્સકો છે. આ સાંભળી બધા શરમાઈ ગયા અને - નીચું મોઢું કરીને ચાલતા થયા. આવી જ હાલત આજે ધર્મોની થઈ છે. દુનિયા અનિષ્ટ રોગથી પીડાઈ રહી છે; હિંસા, અન્યાય, અનીતિ, દાંડાઈ અસત્ય વગેરે પાપતાપથી આ વિશ્વ પીડાય છે. બધા ધર્મો ભેગા થયા છે પણ તેમને અનિષ્ટ-નિવારણ કરવા અંગે કઈ પણ પડી નથી. તેઓ પિતપતાની પ્રતિષ્ઠા વધારવા માટે લડી રહ્યા છે કે કેવળ પિતાના ધર્મનુયાયીએને વધારો કરવામાં બેઠા છે. અનિષ્ટોથી પીડાતી આ દુનિયાને તેમના અનુયાયીઓને પણ તેઓ દુઃખ નિવારણ ઔષધ રૂપ સત્યઅહિંસા વગેરેના યુગાનુરૂપ કાર્યક્રમો આપવા તૈયાર થતા નથી. આજને માનવસમાજ માંડે છે. નૈતિક મૂલ્ય પરવારી ચૂક્યાં છે તે છતાં પિતાના ધર્મની પ્રશંસા અને બીજાની નિંદા, એનાથી ઉપર આવી તેને ઠીક કરવાની ચિંતા બહુ જ થોડા લોકોને છે. સંકુચિતતાના નાના અને બંધિયાર ક્ષેત્રમાં ધર્મ જેવા વ્યાપક તત્વને બંધ કરી લોકોને સત્યશ્રદ્ધા રૂ૫ ધર્મના પાલન કરવાને દા કરે; એ બેટ છે. આ માટે જરૂરી છે કે બીજાના ધર્મને દષ્ટિકોણને તેની અંદર રહેલા સત્યાંશને સમજવાનો પ્રયત્ન થવો જોઈએ અને તેમાં સત્યાંશ લાગતું હોય તે તેને સ્વીકૃતિ આપવાની તત્પરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ પણ રહેવી જોઈએ. એટલા માટે જ સત્યક્ષા વ્રતનું એક ઉપવ્રત સર્વ ધર્મ ઉપાસના રાખવામાં આવ્યું છે. કઈ વસ્તુ ક્યા કારણસર, કયા સ્થળેથી અને કેવા સમયમાં કહેવામાં આવી છે એને પૂર્વાપરને સંબંધ વિચાર્યા વગર, સંદર્ભ મેળવ્યા વગર કોઈને ખોટું કહેવું કે નિંદા કરવી એમાં અસત્યને અંશ આવ્યા વગર રહેતો નથી. . એક વખતે એક મેગી જે પહાડની ટોચે રહેતા હતા; તેમણે પિતાની આંખે અનુભવ કરીને એક ભેજપત્ર ઉપર લખ્યું : “ડે કુતરા જેવડે દેખાય છે.” આ ભોજપત્ર એક વાર વંટોળ આવ્યો અને ઊડી ગયું. તે ઊડતું ઊડતું એક ભાઈના હાથે લાગ્યું. એણે લખેલું વાંચ્યું અને પિતાના મિત્રને બતાવીને કહ્યું: “આ ખોટું છે.” મિત્રે પણ ટાપસી પૂરી કે “આ લખનાર ભૂખ લાગે છે.” ફરતા ફરતા તેઓ પેલા પહાડની ટોચે પહોંચ્યા. તેમણે પેલા યોગીને જોયા અને ભોજપત્રનું લખાણ સાચું છે કે કેમ તે વિષે પૂછયું. તે યોગીએ કહ્યું: “આ તો મેં લખ્યું છે. આંખ અને અનુભવની દષ્ટિએ તે સાચું છે પણ સામાન્ય સમજણ પ્રમાણે કોઈને ખોટુ લાગી શકે !” એમ કેમ ?” ત્યારે પેલા યોગીએ પહાડની તળેટીમાં એક ઘોડે જતો હતો તે બતાવ્યો અને કહ્યું: “જુઓ અહીંથી! આ કુતરા જેવો લાગે છે કે નહીં ? તેમણે સ્વીકાર્યું કે અમે આ દષ્ટિએ વિચાર્યું નથી અને એ. દષ્ટિએ લખેલું તે વાક્ય બરાબર છે. એવી જ રીતે બધા ધર્મોનું છે.. સ્થળ, કારણ, કાળ અને લોક માનસને ખ્યાલ કર્યા વગર જ ઘણા લોકો બીજાના ધર્મને ખોટો બનાવી દે છે, એટલું જ નહીં એક જ ધર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જુદા જુદા સંપ્રદાય પણ એકબીજાને ઉતારી પાડતા હોય છે. એ બરાબર નથી. એથી સત્યશ્રદ્ધાવતમાં દોષ આવે છે. દરરોજની વિધવાત્સલ્યની પ્રાર્થનામાં કહેવામાં આવે છે – “દેવેશના શિષ્ટાચારે વિકાસ માટે નહિ નડતા.” દેશના કે વેશના કોઈ પણ શિષ્ટાચારે વિકાસને બાધક ન બની શકે; એમાં જે સત્ય છે તેના ઉપર શ્રદ્ધા રાખવી. પણ તે તદ્દન બેટાં છે એમ વગર વિચારે કહી દેવું એ ખોટું છે. એમાંથી જે સિદ્ધાંતમાં બાધક હેય તે અંગે વાંધો હોઈ શકે, પણ સિદ્ધાંતમાં બાધક ન હોય અને કેવળ પૂર્વગ્રહથી પ્રેરાઈને એ આચાર-વિચારને ખાટા કહેવા એ સત્યશ્રધ્ધામાં બાધક છે. જે એ આચાર-વિચાર સર્વ હિતકારી-સત્યમય ન હય, સામાજિક વિકાસમાં અવરોધક હેય, ઘાતક હેય, દંભવર્ધક હોય કે અનિષ્ટકારક હોય છે તેમાં જરૂર સુધારા-વધારે સૂચવી શકાય, કહી શકાય કે તેને સમૂળું બદલાવી શકાય. સત્ય-શ્રદ્ધામાંથી બીજી એક વસ્તુ એ સૂચિત થાય છે કે ઉપરના ખાને ન જોવું. પણ અંતરનું તત્ત્વ જે સત્ય હોય તેને જેવું. ઘણી વાર એવું બને છે કે અમૂક ધર્મો, દેશ અને વેશોના ઉપરના બેખાને જોઈને તેના તરફ લોકો ઘણું કરવા માંડે છે અને તેને ખોટું બતાવવા લાગી જાય છે. એના હાઈ–અંતરમાં રહેલ સત્ય કે તત્વ જોતાં નથી. એક હિંદુ માતામાં જે વાત્સલ્ય છે, તે જ વાત્સલ્ય ભાવ મુસ્લિમ, હરિજન, કે ઈસાઈ માતામાં પણ હોય છે. પણ મુસ્લિમ કે હરિજન માતાને જોઈને ધૃણુ તિરસ્કાર કરે છે કે એની સાથે સંપર્ક રાખવામાં નાનમ સમજે છે. આ સત્યશ્રદ્ધામાં કચાશ છે. - શું સત્ય, અહિંસા, વાત્સલ્ય. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઉપર કોઈ એકની છાપ કે મહોર લાગેલી છે? આ હિંદુનું સત્ય કે આ સુસલમાનનું ? આ જૈનેની અહિંસા કે આ બૌદ્ધોની ? એવું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ લોકમાનસમાં રહેલી ટૂંકી દૃષ્ટિ જ આવા ભેદભાવો ઊભા કરે છે. પછી પિતાના મનથી બીજે જરાક વિરૂદ્ધ જતો હોય તે તેની નિંદા અને વગેવણ શરૂ થાય છે. આનાથી જે બીજે દોષ પ્રવેશે છે તે દેશદષ્ટિ અને નિંદાશોખીને ધીમે ધીમે તે વિકસીને અતિશયોક્તિ સુધી પહોંચે છે અને પછી તે સીમા-ઉલ્લંધન દરેક સ્થળે કરે છે. આના કારણે સત્યશ્રદ્ધા વ્રતમાં દેષ અતિચાર પ્રવેશે છે. ગાળ, નિંદા, ધૂણું, દ્વેષ એ બધાં અસત્યનાં ઉદ્દભવ સ્થાને છે. એવી જ રીતે આત્મપ્રશંસા, શેખી અતિશયોક્તિ એ પણ અસત્પાદક છે. એટલા માટે જ નિંદા-પ્રશંસા પરિહાર નામનું ઉપવત સત્ય-શ્રદ્ધાવત સાથે રાખવામાં આવ્યું છે. પિતાની સાથે કોઈને મત ન મળતું હોય તો તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ મતને આશય સારે છે કે ખરાબ એ પણ સમજવાનો પ્રયાસ કરે જોઈએ અને આશય જેવો લાગતો હોય તેનું નમ્ર પ્રતિપાદન કરવું જોઈએ. આમ છતાં પણ જે કોઈ આપણું ધ્યાન તેના મૂળભૂત સત્ય તરફ દોરે અને એની અનુભૂતિ થાય છે તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. આમ ન થાય તે મતમતાંતરોમાંથી મોટા ઝઘડા ઊભા થતા જોવામાં આવે છે. એક દાખલો લઈએ. એક વખતે એક દેશના રાજાને ખબર મળ્યા કે બીજા દેશને રાજા તેના રાજ્ય ઉપર ચડાઈ કરવા આવી રહ્યો છે. રાજાને આ ખબર મળતાં જ તેણે શું કરવું જોઈએ તે અંગે એક સભા બોલાવી અને સભાસદોની રાય માંગી: શત્રુથી રાજ્ય રક્ષા કરવા માટે આપણે શું કરવું જોઈએ, તે કહે ! આ સાંભળી એક એજિનીયરે આગળ આવીને કહ્યું: “નગરની ચોમેર ફરતી એક ખાઈ બોદાવી અને તેના કિનારે એક સળંગ જાડી ભીત ચણાવી દેવી જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ તેના ઉપર મત આપતાં સુથારે કહ્યું: “ભત અને ખાઈ બરાબર છે પણ ભીંત લાકડાની બને તે સારું છે.” લુહારે પ્રતિવાદ કરતાં કહ્યું. “લાકડાની ભીંત શું ટકશે ? લેઢાની ભીંત હોય તે સારી વાત છે. ગળી પણ અંદર ન જઈ શકે!” રાજ્યના વકીલે ઊભા થઈને કહ્યું “આમાંથી એકેય વાત કરવાની જરૂર નથી. શત્રુ પક્ષને યુક્તિ-પ્રયુકિતથી સમજાવી દેવો જોઈએ કે આ રીતે બળજબરીથી કોઇની સંપત્તિ ઝૂટવી લેવાને કઈને અધિકાર નથી. આ કાર્ય સંપૂર્ણ રીતે અન્યાયપૂર્વકનું અને કાયદા બહારનું છે. ” પુરે હિતથી ન રહેવાયું અને તેણે ઊભા થઈને કહ્યું: “એ બધું કરે કાંઈ પણ નહીં વળે. પહેલા દેવતાઓને રાજી કરે ને યજ્ઞ કર, હેમ કરે હવન કરે, દાન કરે, બ્રાહ્મણને જમા આશીર્વાદ એવા વરસશે કે શત્રુ પ્રજામાંથી કોઈને પણ હાથ લગાડી શકશે નહીં !” કોઈકે કહ્યું: “ગાંડો થયો કે?” બસ પછી જે વાક્યુદ્ધ ચાલ્યું અને પિતાના મતને સાચો કરાવવાની જે હેડ થઈ કે રાજાએ બધાને બેસાડી દીધા અને કહ્યું: “તમે બધા કક્કો ખરો કરવા માટે પ્રયાસ કરે છે એટલે રાજ્ય રક્ષણ માટે અગ્ય છે !” જે એ લોકો બીજાને આશય સમજીને નમ્રપણે પિતાને મત રજુ કરતા તે કદાચ તેમની વાતને સ્વીકાર પણ કરવામાં આવ્યો હેત. પણ મતાગ્રહી લોકો એ રીતે વિચારતા નથી. પિતાનું સાચું અને બીજાનું ખોટું છે, એમ જ માનતા ફરે છે અને યેન કેન પ્રકારેણું તેને સિદ્ધ કરવા યુકિતઓને એ તરફ દોરી જાય છે. આચાર્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે - आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । निष्पक्षपातस्य तु युकि, यत्र तत्र तस्य मतिरेति निवेशम् ॥ –યોગબિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ –મતામહી જ્યાં મતિને અભિનિવેશ-હઠાગ્રહ હોય છે તે તરફ યુકિતને ખેચે છે. ત્યારે મતાગ્રહ રહિત નિપક્ષપાતી ત્યાં યુતિ છે તે તરફ મતિને લઈ જાય છે. એટલે પોતાના મતને સાચે ઠરાવવાને બદલે જે સાચું છે તે મારું છે. એવો દ્રષ્ટિકોણ કેળવી બીજાના દષ્ટિકોણને સમજવો જોઈએ. દરેક માણસ જે સંસ્કારમાં ઉછરેલો હોય છે તે જ દષ્ટિએ તે દરેક વસ્તુને જોતો હોય છે, પણ સમષ્ટિ કે જ્ઞાની પુરૂષે તે ભાવ, ભાષા, કાળ અને સ્થિતિને ખ્યાલ કરી દરેક વસ્તુને ગ્રહણ કરવી જોઈએ, અને તેમાંથી તત્ત્વ તારવી લેવું જોઈએ. એક વખત રાજપૂતાનાના એક ગામમાં એક પ્રભુભકતને વિચાર આવ્યો કે આજે સવારે જે પાંચ જણ અહીંથી પસાર થાય તેમને પૂછું કે “તમારે પ્રભુ કે છે?” સૌથી પહેલાં એક હરિજન પસાર થયો. તેને પૂછ્યું કે “ભાઈ તમારે પ્રભુ કે છે?” તેણે કહ્યું: “ભારે પ્રભુ તો શ્રેષ્ઠ હરિજન છે.” પછી ધોબી આવ્યું. તેને પણ એ જ પૂછયું અને જવાબ મળ્યો : “મારો પ્રભુ તે ધોબી છે. બધાના મેલ ધૂવે છે.” ત્રીજે વણકર નીકળ્યો. તેણે જવાબ આપ્યો : “એ તે મોટો વણકર હે જોઈએ. આ આકાશને જુઓને, કેવું વણીને તાણી દીધું છે કે તે પડતું નથી.” ચેાથે ત્રાજવા કાંટા લઈને નીકળ્યો. તેણે જવાબ આપેઃ “મારો પ્રભુ બધું બરાબર તેળે છે એટલે જ તો જગતના ત્રાજવાં બરાબર રહે છે.” પાંચમો તંબૂરો વગાડનાર હતું. તેણે કહ્યું : “મારો પ્રભુ તે હમેશ તંબૂરો વગાડ્યા કરતો હશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ " આમ તેણે પાંચ પ્રકારના પ્રભુની કલ્પના સાંભળી. તેનું કારણ એ જ કે સહુ પિતપોતાના ઉછેર, સંસ્કાર અને ભાવના પ્રમાણે કાર્ય કરતા હોય છે. હજારો વર્ષ પહેલાં પ્રભુને ન્યાયાધીશ સાથે સરખાવવામાં આવતે. પછી પ્રભુને રાજા સાથે સરખાવવામાં આવતું. , ઈરાનને એક ભક્ત પ્રભુને મિત્ર ગણતે અને એક ભક્ત તેને ભેળે ગણતો. રવીન્દ્રનાથ ઠાકુરના મનમાં પ્રભુ કવિવરૂપ હતા. જર્મનીને એક ગણિતશાસ્ત્રી પ્રભુને ગણિતજ્ઞ કહેતો. કોઈ તેને “કળા”, તે કોઈ તેને “કળાકાર ગણાવે છે.” આ પ્રમાણે દરેક માણસ પોતાની કલ્પના પ્રમાણે ગોઠવણ કરે છે. પણ, જ્ઞાની પુરૂષોએ દરેકને આશય સમજી તે પ્રમાણે તેની ગોઠવણ કરવી જોઈએ. God, ઈશ્વર, પ્રભુ, કરતાર, સિદ્ધ કે અલ્લાહના ભાષાભેદને લઈને ઝઘડો ન કરવો જોઈએ; કારણકે તેની અંદર રહેલું તત્ત્વ એક જ છે. ગૌસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે – ‘जकी रही भावना जैसी, प्रभुमुरत देखी तिन तैसी' હિંદુધર્મ, અદૈતવાદને માનવા છતાં, બીજા ધર્મના મહાપુરુષે પ્રતિ ઉદારતા રાખે છે તેમ જ જાતે ઉદાર છે, તેવું આજે હિંદુ કહેવાતા લોકોમાં ભાગ્યે જ જોવા મળે છે. “g સત વિઘા વહુધા ઘત્તિ સત્ય એક હેવા છતાં વિદ્વાની તેને જુદા જુદા રૂપે કહે છે. આ સૂત્ર સત્યશ્રદ્ધા માટે ખૂબ જ અનુકૂળ છે. ખરું જોતાં તે જેવી દષ્ટિ હોય તેવી જ સૃષ્ટિ હોય છે. જે માણસની સમ્યક્દષ્ટિ હશે તેને તેની નજરમાં ગમે તે શાસ્ત્ર કે વ્યક્તિ હોય તેમાંથી ગુણ લેવાની કે સારે ભાવ તારવવાની તેની વૃત્તિ કે દૃષ્ટિ હશે. એટલા માટે નદી સૂત્રકારે કહ્યું છે કે સમ્યકષ્ટિ માટે બધાયે વિપરીત સુત્રે પણ સાચા સૂત્ર બની જાય છે. કહ્યું છે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ " "एआई चेव सम्म दि हिस्सं सम्यतपरिग्गहत्तेण सम्मसुयं, " વિછારિરિ મછાં જુથ # મિથ્યા એટલે કે વિપરીત કહેવાતા એ શાસ્ત્રો પણ સમ્યકષ્ટિ માટે સમ્યક કૃત છે, કારણ કે તેની દૃષ્ટિ સમ્યક્ ભાવ ગ્રહણ કરવાની હોય છે. અને મિથ્યા દષ્ટિ માટે સમ્યક્ કહેવાતાં શા પણ મિથ્યા શ્રત છે, કારણ કે તેને તે દરેકમાંથી દેજ જવાની કે તારવવાની દષ્ટિ હોય છે. શ્રીકૃષ્ણ ભગવાનના રાજદરબારમાં એક વખત ચર્ચા ચાલી કે દૃષ્ટિ તેવી સૃષ્ટિ હેય કે સૃષ્ટિ તેવી દૃષ્ટિ હોય? ત્યારે બહુમત દૃષ્ટિ તેવી સૃષ્ટિના પક્ષમાં હતો. એ વાતની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ દુર્યોધનને એક નેધપોથી આપીને કહ્યું: “આ નગરીમાં જેટલા સજજને હેય તેને નેંધી આવે!” તે ગયો પણ તેને કઈ સજજન લાગ્યું નહિ, એટલે તે ખાલી ધપોથી લઈને પાછો ફર્યો. તેવી જ રીતે યુધિષ્ઠિરને પણ એક નેપથી આપીને કહ્યું: “આ નગરમાં જેટલા દુર્જને હોય તેને નોંધી આવો.” યુધિષ્ઠિર પણ કરી નેંધપોથી સાથે પાછા ફર્યા કારણું કે તેમને કોઈ દુર્જન લાગે જ નહીં. આખી નગરીમાં સજજને કે દુર્જન હતા જ નહી એવી વાત ન હતી, પણ એકને એક ગુણ જોવાની દ્રષ્ટિ હતી એટલે તેને કોઈ દુર્જન ન લાગ્યો અને બીજાને દોષ જોવાની દ્રષ્ટિ હતી એટલે કોઈ સજજન મળ્યો નહીં. આમ શ્રીકૃષ્ણ બધા સભાસદોને દ્રષ્ટિ અને સૃષ્ટિને ન્યાય પ્રમાણિત કરી આપે. - સત્યશ્રદ્ધા વાળાની દષ્ટિ, ખરાબમાં ખરાબ વસ્તુમાંથી સાર કે તત્વ તારવાની હશે તે દુર્ગણો કે દુર્વાકયમાંથી પણ સવળે અર્થ લેશે. કૈકેયીએ રાજા દશરથ પાસે બે વચને માગ્યા હતા. તે વખતે શ્રીરામ કૈકેયી પાસે ગયા. તેમને રાજ્યાભિષેક થવાને હતું અને દશરથ મૂતિ થઈને પડ્યા હતા. એ વખતે કૈકેયીએ વરદાનની વાત કરતાં કહ્યું કે હું બે વરદાન માંગું છું, તે શું હું કરું છું? * * . . * કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામ કહે છે: “માતા કે તમે બહુજ સારું કર્યું છે. હું જે ઈચ્છતે હતા એજ તમે માંગ્યું છે. હું પોતે વિચારતા હતા કે ભરતને રાજગાદી શા માટે ન મળવી જોઈએ? રઘુવંશમાં મોટા દીકરાને રાજગાદી મળે એ બરાબર નથી. તે એ વિષે તમે ઠીક કર્યું છે. વનવાસની વાત પણ મારા હિતની કહી છે. વનમાં રહીને હું કુદરતને આનંદ મેળવી શકીશ. ઋષિ, મુનિ તેમજ આરણ્યકોને મળીશ એ પણ મે લાભ થશે ! - શ્રીરામે કૈકેયીના વચનેમાંથી આમ સારે ભાવજ તારવ્યો. માતા કૌશલ્યા પાસે જઈને, રામે નમીને આ વાત કરી. ત્યારે તેમણે પણ એજ કહ્યું: “જે માતાપિતાની એવી આજ્ઞા હોય તે તારે તેનું પાલન કરવું જ જોઈએ. તું એમજ કર !” કૌશલ્યાએ એમ ન કહ્યું કે તે ખોટું છે અથવા તારે માટે વનવાશ શા માટે ? - આ વસ્તુ ખૂબજ સમજવા જેવી છે. જે અવળી વાતમાંથી સારો ભાવ તારવવામાં આવે તે સત્યશ્રદ્ધાની પુષ્ટિ થઈ શકે. કદાચ સત્યાર્થી સાધકને કેટલીકવાર પોતાને ન સમજાય અને તે મિથ્થા વસ્તુને પણ સત્ય માની બેસે; પણ જ્ઞાની પુરુષે કહે છે કે જે તે અનાગ્રહી હોય તો તેના માટે તે સમ્યક્ જ છે. : આચારાંગ સૂત્રમાં કહ્યું છે – - 'समयत्ति मन्नमाणस्स समिया वा असमिया वा समिया ज्ञेइत्ति उहाए' –એટલે કે એક સત્યાર્થી સાધક જે વસ્તુને સમ્યક્ (સત્ય) સમજી રહ્યો છે તે કદાચ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં મિથ્યા હોય તે છતાં, જે સત્યાર્થીને અનાગ્રેહુ હેય તે તેને કોઈ સાચી વસ્તુ સમજાવે અને તેના ગળે ઊતરી જાય અને તે બેટી વસ્તુને છોડવા તૈયાર હેય તે સાધક સમ્યફષ્ટિવાળે છે. તેની તે વસ્તુ સમ્યક છે કારણ કે તેને તે સરળ ભાવે ગ્રહણ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ “હજરત મહમ્મદ સાહેબ જ એકલા પયગંબર નથી. બીજ પણ પયગંબર જુદા જુદા મુકેમાં ખુદ એ એકલવ્યા છે ! “ઈસ્લામ ધર્મની આ વાત પણ એકાંત હઠાગ્રહને છોડવા માટે જ છે. એવી જ રીતે જેમ દર્શને પંદર ભેદે સિદ્ધોમાં સ્વલિંગ સાથે અન્યૂલિંગ સિહીતે સ્થાન આપ્યું છે. એટલું જ નહીં ભરત ક્ષેત્રમાં જ્યારે તીર્થકર ન થઈ શકાય તે બહારના ક્ષેત્રોમાં તીર્થકર થઈ શકે છે એ વિધાન કર્યું. આની પાછળ પણ એકાંત હઠાગ્રહને મૂકવાની જ વાત છે. એટલે સત્ય શ્રદ્ધા માટે આમ બધી વસ્તુઓ ઉપર ઊંડાણથી જ વિચાર કરવો જોઈએ અને જ્યાં ભૂલ થતી હોય, બીજાને અન્યાય થત હોય, પિતાના મતમાં પૂર્વગ્રહના કારણે બીજને ખાટું કહેવામાં આવતું હેય; ત્યાં પોતાની ભૂલ સુધારી, સામી વ્યક્તિ પાસે ક્ષમા માગવી જોઈએ. ક્ષમાપનાને એટલા માટે સત્યશ્રદ્ધાના ઉપવ્રત તરીકે રાખવામાં આવી છે. આમ દરેક ધર્મ, શાસ્ત્ર, વ્યકિત કે વિચારધારામાંથી સત્ય કે તત્ત્વ તારવવાની દૃષ્ટિ અને વૃત્તિ રખાય તે સત્યશ્રદ્ધા વ્રતનાં બધાં પાસાંઓ સચવાશે. ચર્ચા-વિચારણા સત્યશ્રદ્ધાની કટી શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતા કહ્યું કે “જેમ બ્રહ્મચર્ય નિષ્ઠાની કટી સ્વાદ-જય અને જનનેન્દ્રિય સંયમ છે, તેમ સત્યશ્રદ્ધાની કસોટી છે –(૧) કુટુંબ (૨) સંપત્તિ (૩) સત્તા પરની મર્યાદા અને વિજ્ય. જેમ ગૃહસ્થાશ્રમીએ પણ સંતાન હેતુ માટે સ્ત્રી તથા સ્ત્રી પુરુષ વચ્ચે, ઈતર સ્ત્રી પુરૂષોની મર્યાદા જાળવવી અનિવાર્ય બને છે તેમ, સ્વાદ માટે માંસાહારી, માંસ છોડે, દડાં ડે; અને શાકાહારી કંદમૂળ છેડે, એવા મિઠાઈ છેડે; મસાલાવાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અને ફરસાણ યુક્ત ભેજન છે અને સ્વસ્ત્રી વિષે પણ સંપૂર્ણ સંયમ ક્રમે-કમે કેળવતે જાય તે રીતે સત્યની દિશામાં પણ સાધના ક્રમે ક્રમે કરવી પડે છે. અનુભવ નમ્રભાવે કહી દઉં –“પિતાજીની ઈચ્છા કાંતે હું ડેકટર થાઉં અને કાંતિ વેપારી બનું; એ જાતની હતી. પણ, ન્યાય-સંપન્ન આજીવિકા વેપારમાં અશકય હેઈ, તે મારા માટે બંધબેસતું નહોતું. બીજો વિકલ્પ ડેકટર બનવાનો હતો. હું જ્યારે ભણવા ગયો ત્યારે પિતાજીએ વાત્સલ્યભર્યા આગ્રહે રૂપિયા પચાસ મને આપેલા. તે મેં પ્રતીકરૂપે લીધા અને વાપર્યા નહીં, - હું ઈન્ટરમાં ભણતો હતો તે વખતે એક બનાવ બન્યો. એક વિદ્યાર્થી બી. એ.ના છેલ્લા વર્ષમાં હતા. ટર્મ ભરવાનાં નાણાં તેની પાસે નહીં. જે એ ઊઠી જાય તે સરકારી નેકરીમાં મેટ્રીક પાસ સુધીની જ યોગ્યતા ગણાય. મેં મહાવીર વિદ્યાલયની મને મળેલી લેન તેને આપી દીધી. હું કપડાં જોયેલાં પહેરું એટલે બીજા વિદ્યાર્થીઓ હું સાધન સંપન્ન છું એમ કદાચ માની લેતા હશે. મેં લોન બીજા વિદ્યાથીને આપી દીધાની વાત મહાવીર વિદ્યાલયના તે વખતના મંત્રી શ્રી મોતીચંદ કાપડિયાને લખી જણાવી. તેમને ઠપકો મળ્યો કે “આમ તમારાથી ન અપાય !” પણ મને તે જ્યારે જરૂર પડી ત્યારે લોન એક યા બીજી સંસ્થા તરફથી મળી ગઈ અને કામ ચાલ્યું. છે તે વખતે છાત્રાલયને ખર્ચ માસિક દશ-પંદર રૂપિયા આવે. હું ત્રણ વર્ષ રહ્યો. તાળું ભારત નહીં છતાં પણ એક પાઈ ચેરાઈ નહીં. બી. એ. ભણે ત્યાં સુધી આમ ચાલ્યું. એક છોકરો પૂના જતાં બેગ લઈ ગયો એટલે ધાબળામાં કપડાં વીંટીને હું નીકળી પડ્યા. જે કુટુંબમાં હું જમતે ત્યાં પણ મને મળે તેટલું આપી દેવાની વૃત્તિ હતી. એ કુટુંબને પણ અમારાથી રાહત હતી. મારી પાસે એક રૂપિયે હતે. તે લઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૭. નીકળી પડ્યો. ધોળા લગીની ટિકીટમાં જ તે વપરાયો. ત્યાં એક મિત્રે અનાયાસે પાંચ રૂપિયા આપ્યા. હું ચલાળા - ગ. ધાબળામાં કપડાં વીંટેલાં એટલે ત્યાંના રાજકીય કાર્યકર વગેરે સર્વેએ મને હરિજન માની લીધે અને ધડે ન કર્યો. “હું હરિજન નથી !” એ કહેવાની જરૂર જ કેમ હોય ? ઉલટું હરિજનેની દશાને આ રીતે અનુભવ થતાં આનંદ મળે. ત્યારે મારી સત્તાવીસ વર્ષની વય હશે. હું ખાદી કાર્યાલયમાં જોડાયો. ત્યારે રેંટિયો અને પુણે માંડ લઈ શકશે. એજ અરસામાં શુ. દશનું મ. એ. પેલા મિત્ર તરફથી મળ્યું. એટલે જરાક રાહત રહી. આમ પણ ખાદીમાં રેંટિયા પરથી થોડું વધ્યું હતું. તેવામાં પૃથ્વીસિંહજીએ અખાડે-કેપ ઘોઘામાં ખેલ્યો હતો. તેમાં હું દાખલ થયે. ત્યારબાદ મુનિશ્રી સંતબાલજી મોરબીમાં આવ્યા. હું પણ ત્યાં ગયા. કુટુંબને સમાધાન મળ્યું. તે વખતે અમે અમદાવાદ આવ્યા. હું વૈદક શીખતો અને મારા પત્ની બાલમંદિરમાં જતાં; પણ ઘણીવાર બસમાં બેસવાના નાણું ન રહેતાં. આની ખબર પરિચિત મુનિઓને થતાં તેમણે એક શેઠિયાને ઘેર જૈન શિક્ષણના પંડિત તરીકે મને મૂકો. મને એક દિવસ જ રાખી તેમણે રૂખસદ આપી. કારણ કે મેં પ્રથમ વ્રતનાં અતિચારોને ધરાવતા ગુમાસ્તાઓ ઉપર ત્રાસ ન ગુજારવાની વાત કરી હતી. એક બ્રહ્મક્ષત્રિયને ત્યાં બાળકને શિક્ષણ આપવાનું થયું ત્યાં તેમણે કહ્યું : “છોકરે રમતિયાળ છે એટલે શાળામાં એમના વતી સિફાર કરજે.” મેં કહ્યું: “એ બરાબર નથી.” તે ટયૂશન બંધ થયું. ત્યાં ચાર ઓસડના સંશોધન માટે કોઈએ આવીને કામ સેપ્યું. પણ જેને ઘર રહે તે મને રાંક (ગરીબ) જ માને; કારણ કે હું માટીના જ વાસણને જ આગ્રહ રાખું. તેવામાં વીરચંદ પાનાચંદ શેઠ પૂછતા પૂછતા આવ્યા; અને જમ્યા પછી તેમણે કહ્યું “મકાન તમારું જ ગણે અને ભણે !” અને મકાન મળી ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ત્યાં ભણ્યા બાદ સરાષ્ટ્રમાં આવ્યા. કોંગ્રેસે આગ્રહ કર્યો. ત્યાં કહ્યું : “રચનાત્મક કામ ગમે છે.” મુરબ્બી નાનાભાઈએ કહ્યું ત્યારે મેં વિનવ્યા કે “હું અન્યાયને પ્રતિકાર કર્યા વિના ન રહી શકું તેમણે કહ્યું : “તે એકલા શિક્ષણનું સાતત્ય ન રહે !” એવામાં મુનિશ્રી સંતબાલાજીને પ્રયોગ અપનાવ્યો. એટલે સૌરાષ્ટ્રની રચનાત્મક સમિતિએ કહ્યું : “સેવક અમારા અને કહ્યું કરે મુનિશ્રી સંતબાલજીનું !” તમારું આવું અનુકરણ બધા કરવા માંડે તો?” મેં કહ્યું: “વેતન નહીં લઉં.” પાંચ વર્ષ વેતન ન લીધું પણ ક્યારેય ખાસ મુશ્કેલી પડી નથી. આપણે માનીએ કે જમીન ઉપર પડ્યા, પણ ત્યાં પથારી પાથરેલી જ હાય, એટલે પડ્યા છતાં માર લાગે નહીં. બાકી સામાન્ય મુશ્કેલીઓ તે આવે છે. ત્રણેક માસ માત્ર છાસ-રોટલા ઉપર ચાલ્યું હશે. બાકી તે દરેક સ્થળે પ્રતિકૂળતામાં અનુકૂળતા જ મળતી ગઈ. અઢારથી બેતાલીસ વર્ષની ઉમ્મરના આ ગાળામાં સત્યશ્રદ્ધાના પ્રતાપે જ બધું થયેલું હું માનું છું. અમારી દાદીમાએ બે બંગડી અને ચેઈન બહુ આગ્રહથી મારી પત્નીને આપ્યા. તે ટ્રસ્ટી તરીકે એ પાંચ તોલા સોનું, કુટુંબનેહના પ્રતિક તરીકે સાચવી રાખ્યું છે. રાજયાશ્રિત થવાનો પણ મેં ત્યાગ કર્યો છે. પણ બધી સંસ્થાઓ સાથે સાતત્ય સાચવી રાખ્યું છે. કારણ કે માત્ર એકાકી રહેવાથી તે સ્વેચ્છાચારી થઈ જવાય છે. કાશ્રયી (જનાધારિત રહેવા માટે એક વર્ષ મારા પરિચિત સ્થળોની આતીઓ-(સૂતર)થી કામ ચલાવ્યું. દલીલ કરનારા મુરબ્બીઓએ દલીલે ખૂબ કરી; “આંટી આપી દે અને વેતન પૂરૂં લો !” કહ્યું : “ જનાધારિત રહેવાની વાત હોય છે એ જ રીતે ચલાવી લેવું રહ્યું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ છેવટે વિનેબાજી પાસે વાત ગઈ. તેમણે કહ્યું: “શાંતિ સૈનિક અને સર્વોદયનો પ્રયોગ કરે !” મેં કહ્યું: “ સંતબાલજીને શાંતિ સૈનિક થઈ ચૂક્યો છું. એ રીતે સન ૧૯૫૬ માં શાંતિ સૈનિકેની કાર્યવાહીમાં ગયે પણ છું.” વિનોબાજીએ કહ્યું કે તે તમે શાંતિ સૈનિક નહીં ગણાઓ પણ મિત્ર ગણશે ! ભૂદાન કાર્યક્રમના સંદર્ભની આ શાંતિ સેનાની વાત છે.” મેં કહ્યું: “તે મિત્ર તરીકે ઉત્તેજન આપીશ. અંગ નહીં બની શકું !” એવા પણ પ્રયોગો કર્યા કે ખેડૂતો એક મણ અનાજ આપે અને મારે ચલાવી લેવું. આ બધી વાતને સાર એ જ છે કે “કુદરત પર એટલે કે નિસર્ગનિષ્ઠા પર જીવન છોડે” તે છતાં મારી કોમળતાને આંચ આવી નથી. કાર્લ માકર્સની પરિભાષામાં કહું તે “તેજસ્વિતા વધે છે... ઘટતી નથી.” આ અનુભવયુક્ત છે સત્ય શ્રધની વાત ! ” શ્રદ્ધા ઉપર અડગ રહે : શ્રા પૂજાભાઈ કહેઃ “માટલિયાએ પ્રેરણા પદ જાત અનુભવો કહ્યા. એવા જ થોડા કે વધુ અનુભવો સેવક કાટિના દરેક માણસને થતા હશે. અવ્યક્ત જગતમાંથી કુદરત રક્ષણ અને પિષણ આપે જ છે. પણ શ્રદ્ધાની આકરી કસોટી થતાં ટકાતું નથી. એક ઘેડાને પરાણે ઘી-ગોળ મળતા હતા, ત્યારે એની સેવા કરનાર માણસને મળતા ન હતા. પણ તેણે જ્યારે સાવ નિસર્ગ ઉપર શ્રદ્ધા રાખી જીવન છેડી દીધું અને પ્રાણુ - પરિગ્રહની પ્રતિષ્ઠાની પણ દરકાર કર્યા વગર જંગલમાં ગયો તો મોંમાં પરાણે લાવીને મૂકન્ડર રાજવી અને એના માણસો મળી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સાચો સંકલ્પ કદિ અકળ જતા નથી. પ્રહલાદ અને સુધન્વાની કસોટી થઈ પણ અંતે જીતી ગયા. શિવરી કુંભારણના નિભાડામાંથી બિલાડીનાં બચ્ચાં આબાદ છવલાં નીકળ્યાં. એ કુદરતને પ્રભાવ. મને એક વાર બાર કલાક ખાવાનું ન મળ્યું. સ્ટેશન ઉપર ગાડીને વાર હતી એટલે એક ઝાડની નીચે બેઠે. પાસે બળિયાદેવનું સ્થાન હતું. થોડી જ વારમાં એક કુટુંબ આવ્યું અને કહ્યું: “ ! આ સુખડી; બળિયાદેવની પ્રસાદી છે.” અને એકના બદલે બે ટંકનું ભળી ગયું. વારણા રામણના વજા પટેલને દાખલ છે. બિચારા ખેતમજૂરગરીબ અને તળપદા પટેલ જાતના હતા. પૂરતું ખાવાનું પણ ન પામે. એટલામાં પત્ની ગુજરી જતાં, પિતાની દીકરીને છોડી દેવાનું મન થયું. તેમણે ઝાડીમાં જઈને નાખી દીધી. જંગલ ભયાનક. શિયાળ વગેરે પ્રાણી. રાત વધે તેમ થયું કે ઠીક નથી થયું! કદાચ બાળકી મરી ગઈ હશે તે! તેમણે જઈને તપાસ કરી તે બાળકી જીવતી મળી. તેમને જાત ઉપર ઘણા વછૂટી અને ગમે તે ભોગે બાળકીને મોટી કરવાનો નિર્ણય કર્યો. મજૂરીએ જાય ત્યાં પાછળ બધી જાય. મોટી થતાં પરણાવી. ઘડપણમાં પટેલને અંધાપે આવ્યું. ત્યારે એજ દીકરીએ તેમની સેવા ચાકરી કરી. આમ સત્ય ઉપર શ્રદ્ધાને અડગ રાખવી જોઈએ ! સત્ય શ્રદ્ધાનું અજબ બળ : શ્રી દેવજીભાઈએ સત્ય શ્રદ્ધાની કસોટી રૂ૫ દાખલો ટાંકો. એક વાર જંગલમાં એક ભરવાડ લાકડી લઈ અમારી સામે થયો. સાથેના બે જણ ભાગી ગયા. પણ હું, ભગવાનનું નામ લઈ ઊભો રહ્યો અને પેલા ભાઈની લાકડી અદ્ધર રહી ગઈ. પ્રારંભમાં તે પ્રાણુ અને પ્રતિષ્ઠા બન્ને જોખમમાં હતા પણ પાછળથી એણે સમાજ સમક્ષ મુને કબૂલ કર્યો. ટુંકમાં પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ હેમવામાં આવે ત્યારે સત્યશ્રદ્ધાનું બળ જ અજબ કામ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ સત્ય સર્વત્ર વ્યાપે :– શ્રી બળવંતભાઈએ કહ્યું : આજે સામાન્ય લોકમાં અપક્ષપાત. કે તટસ્થતા ઓછો જોવા મળે છે. ત્યારે સત્ય શ્રદ્ધા કેવળ સાધુઓને જ આચાર ગણાય છે. અને ધન, સત્તા તેમજ લાગવગ વધારે, તે વધારે ડાહ્યા ગણાય છે. - સત્યને ખ્યાલ તે હતા અને નાનપણથી “હરામનું ન લેવું એને જીવનમાં ઉતાર્યું પણ હતું; છતાં આજે અહીં જે રીતે સત્ય જાણવા મળ્યું છે તે પૂર્ણ અને સર્વાગી દષ્ટિનું છે. મને લાગે છે કે સત્યને સવંત્ર વ્યાપક બનાવવું જોઈએ. એ માટે અપરિગ્રહી બનવું પણ જરૂરી છે. શ્રી નેમિ મુનિ : “સાથે અપલાયન વૃત્તિ પણ જોઈએ. નહીંતર અપરિગ્રહી કાર્યકરે પણ એકાંગી બની જાય છે. સંસ્થાની સાથે સંકલન રાખે તો જ વિશ્વાત્સલ્ય વાળી સત્ય શ્રદ્ધા ટકી શકે...! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ [૧૨] વિશ્વવાત્સલ્યમાં માલિકી હકમર્યાદા [૯-૧૦-૬૧] મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યનાં મૂળ બે ઉપર આ અગાઉ સારી પેઠે છણાવટ થઈ ગઈ છે. હવે ત્રીજા મૂળવ્રત–માલિકી હકમર્યાદા ” ઉપર વિચાર કરવાનું છે. સૌથી પહેલો પ્રશ્ન એ ઊઠશે કે માલિકીહક મર્યાદા શા માટે ? માણસ કોઈ પણ વસ્તુ ઉપર માલિકી ન રાખે; છૂટથી ઉપાર્જન કરે અને છૂટથી તેને વાપરે એમાં શું ખોટું છે? જેમ યુગલિયા કાળમાં કે આદિમાનવ સંસ્કૃતિના કાળમાં હતું; તેમ ભગવાન ઋષભદેવના વખતે માલિકીને પ્રશ્ન જ નહોતું. એટલે હક ભોગવવાની વાત પણ ન હતી. તે વખતે કોઈ પણ માણસ કોઈ વસ્તુ ઉપર માલિકી રાખતે નહીં. પ્રકૃતિના ખોળામાં રહી તેની અસીમ વસ્તુઓ મુક્તપણે જેને જેમ ફાવે તેમ આ લોકો (યુગલિયા) વાપરતા. તેઓ સંઘરતા નહીં. ઘણાને એમ થાય છે કે શું તેમ આજે ન થઈ શકે? એના ઉત્તરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવાન ઋષભદેવે સમાજરચના કરી; સમાજની બધી વ્યવસ્થા ગોઠવી અને તરત માલિકીને પ્રશ્ન ઊઠશે. એટલે જ્યાં સમાજ આવ્યો ત્યાં તરત જ મર્યાદાઓ આવવાની. અમુક વસ્તુ ઉપર કોને હક એ પણ પ્રશ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ આવ્યું. ભગવાન ઋષભદેવે લોકોને માલિકી અને હકની મર્યાદા સમજવી અને બેટી મર્યાદાને મૂકાવી. એ જ રીતે આજે પણ માલિકી હકમર્યાદા હેવી જોઈએ. જો એમ ન થાય અને માનવસમાજને બે ખૂલી છૂટ આપવામાં આવે તે ભારે મુશ્કેલીઓ ઊભી થાય, અરાજકતા ફેલાય અને માણસ માણસ વચ્ચે સંધર્ષો વધે. આમ પણ આજના જીવનમાં ડગલે અને પગલે જોવામાં આવે છે કે એક માણસ પોતાની જરૂર કરતાં વધારે સંધરે છે ત્યારે બીજાને અછતનું દુઃખ વેઠવું પડે છે. પછી પેલે માણસ પોતાની માલિકી ઉપર પહેરે ગાઠવે છે અને જેની પાસે વસ્તુ નથી, તે પિતાની જરૂર પૂરતી વસ્તુના અભાવે ભૂખ-દુઃખ વગેરેથી ટળવળે છે. પરિણામે સમાજમાં અનિષ્ટ પ્રસરે છે. એ માટે માલિકી હક-મર્યાદા હેવી જરૂરી છે. આજના સંઘર્ષોના અંત માટે માલિકીહક મર્યાદા કેવળ વ્યકિતગત જ જરૂરી નથી, પણ તે રાષ્ટ્ર વ્યાપી અને છેવટે વિશ્વવ્યાપી થાય, એ અનિવાર્ય છે. એમ જોવામાં આવે છે કે જ્યારે અમેરિકા જેવા રાષ્ટ્રો પાસે વિપુલ અનાજ-સામગ્રી પડેલી હોય છે, અને ક્યારેક ભાવ-નિયમન કરવા માટે અનાજને બાળી નાખવામાં પણ આવે છે ત્યારે એશિયાના ઘણા યે દેશમાં અનાજ મળતું નથી. લોકે ભૂખે મરતા હોય છે, એટલું જ નહીં અનાજના પ્રશ્ન પાછળ બીજા રાષ્ટ્રીય પ્રશ્નો પણ ઉકેલાયા વગર રહી જાય છે. જે આવી માલિકીહક મર્યાદા રાષ્ટ્રવ્યાપી બને તો જરૂર તે રાષ્ટ્રને બીજા રાષ્ટ્રને મદદ કરવાની ભાવના જાગી શકે. માલિકી હક મર્યાદા સાથે બી જે જે એક શબ્દ પ્રચલિત છે તે છે માલિકી હક વિસર્જન. એ બંનેમાં શું ફરક છે? મર્યાદા જ હેવી જોઈએ અને વિસર્જન નહીં. તે અંગે અગાઉ બારવાને વિચાર કરતાં, વિશદ છણાવટ થઈ ગઈ છે. જેમ નધણિયાતા ખેતરની દશા થાય છે તેમ માલિકી હક વિસર્જન થતાં સમાજની દશા થાય.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ર૫૪ એટલે મર્યાદા વધારે વહેવાર અને વિશ્વવ્યાપી બની શકે, એ ચર્ચાઈ ગયું છે. એ સાથે માલિકી હક વિસર્જન બધા ન કરી શકે અને એ વાત અવહેવારૂ તેમજ અદ્ધર રહે. વિધવાત્સલ્ય સાથે માલિકી હક મર્યાદાને સંબંધ : વિશ્વ વાત્સલ્ય સાથે વળી માલિકી હક-મર્યાદાને શું સંબંધ હોઈ શકે ? એ એક પ્રશ્ન ઊભો થઈ શકે છે. તે અંગે ઊંડાણથી વિચાર કરતાં જણાઈ આવશે જ્યાં વિશ્વના સમસ્ત છે પ્રતિ વાત્સલ્યની દષ્ટિ હેય ત્યાં કોઈ પણ પ્રવૃત્તિથી વિશ્વને દુઃખમાં પડવું પડે કે વિશ્વની પ્રજાને કષ્ટ પડે એવું ન થવું જોઈએ, એને ખ્યાલ રાખવો જ પડે. અમર્યાદિત પરિગ્રહ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર માટે બને રીતે દુઃખ લાવનારૂં છે એ અગાઉ ચર્ચાઈ ગયું છે. કારણ કે જ્યાં વધારે છે ત્યાં સંરક્ષણ, ચેરી વગેરે પ્રશ્નો છે અને જ્યાં અભાવ છે ત્યાં ભૂખ, દુઃખ અને તત્વજનિત બધાં પ્રકારનાં અનિષ્ટો છે. એટલે વિધવાત્સલ્યના સાધકના જીવનમાં પરિગ્રહ ઉપર મર્યાદા કે અંકુશ રહે જોઈએ. તેના વધારાના સંગ્રહથી બીજાને એ વસ્તુ ન મળવાથી દુઃખમાં સપડાવું જ પડશે. આ માટે એક માતાને દાખલો લઈએ. જેમ માતા થોડાં સાધનોથી કરકસર કરીને પણ પિતાનું ચલાવી લે છે; પિતાના આત્મીયોને વધારે મળે અથવા તો પૂરેપૂરું પોષણ મળે એમાં રાજી થાય છે. તેવી જ રીતે વિશ્વવત્સલ સાધકે જાતે ભૂખે રહીને, ઓછું મળવાથી, ઓછાં સાધને પામીને અને કરકસર કરીને ચલાવી લેવાની ટેવ પાડવી જોઈશે. અને સાથે જ જગતને પૂરતું પોષણ મળે એ દષ્ટિ પણ તેણે રાખવી પડશે. આમ થતાં જગતને પૂરૂં મળે છે તેને આનંદ પામવાની પિતાની વૃત્તિ કેળવવી પડશે. એની એ દષ્ટિ વ્યાપક બનશે અને તેણે એ પણ જેવું પડશે કે જગતમાં અમુક રાષ્ટ્ર પાસે વધારે સંધરો છે અને બીજાને ત્યાં અછત છે, તે એવા અછતવાળા અભાવથી પીડિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ રાષ્ટ્રને તેમાંથી જરૂરનું અપાવવાનું અને તેને પગભર કરવા માટે તેને ચિંતન કરવું જોઈશે. વિશ્વ વાત્સલ્યની દૃષ્ટિએ તેવા કરકસરથી રહેશે અને અભાવથી જે પ્રાંત પીડાતા હશે તે પોતાને મદદ પહોંચાડવા માટે પ્રેરાશે અને શક્ય તેવા પ્રયત્ન તે કરી ટશે. ઈગ્લાંડને દાખલો લઈએ. તે લોકો લાઈના જમાનામાં, રાષ્ટ્રવત્સલથી પ્રેરાઈને, રેશનથી જેટલું અનાજ મળતું; કંટ્રલથી જેટલું કપડું મળતું તેનાથી ચલાવતા અને થીગડાં મારીને પણ કપડાં ચલાવતાં. એમાં ઘણા એવા પણ હતા જે કાળાંબજારમાંથી કે વધારે પૈસા આપીને ખરીદી શકે એવી સ્થિતિમાં હતા. તે છતાં એ લોકો એવું નહોતા કરતા. કોઈ ભારતવાસીએ એક ઈંગ્લાંડવાસીને પૂછ્યું કે તમે બ્લેક માર્કેટથી વધુ અનાજ કે કપડાં કેમ લઈ લેતા નથી. શા માટે આટલું દુઃખ વેઠી રહ્યા છો ? ત્યારે તેમણે જવાબ આપ્યો: “તેથી અમારા રાષ્ટ્રને મોટું નુકશાન પહોંચે છે. આવી મર્યાદાથી અમારા રાષ્ટ્રની મર્યાદા જળવાય છે. જે અમે એ મર્યાદા તોડી દઈએ તે અમારા બીજા દેશવાસી ભાઈઓને સામગ્રી પૂરતી ન મળવાથી કષ્ટ વેઠવું પડશે. એટલે રાષ્ટ્રભક્તિની દષ્ટિએ પણ અમારે આ મર્યાદા મૂકવી નહીં જોઈએ.” આ ઉપરથી સમજી શકાય છે રાષ્ટ્રવત્સલ લોકો સરકાર દ્વારા લાગુ કરેલ મર્યાદાનુ કાળજી પૂર્વક પાલન કરે છે તે આપણું દેશવાસીઓએ તે સ્વેચ્છાએ તેવી મર્યાદા લાગુ કરી તેને પાળવી જોઈએ. તેજ રાષ્ટ્રવાત્સલ્ય સાધી શકાય. જેને સમાજ વાત્સલ્ય સાધવું હોય તેણે પિતાની સંપત્તિ સમાજની ગણવી જોઈએ. (સમાજ-વાત્સલ્ય એટલે સાધર્મો વાત્સલ્ય એવી તારવણી અગાઉ થઈ ચૂકી છે.) પિતે મેળવેલી સંપત્તિ, સમાજ દ્વારા જ ઉપાર્જિત કરેલ છે અને પિતે એ સંપત્તિને ટ્રસ્ટી છે એમ તેણે માનવું જોઈએ. એટલે જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે ત્યારે તે કષ્ટો વેઠીને, કરકસર કરીને પણ તેણે સમાજને આપવી જોઈએ. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ર૫૬ ત્યારે જ થઈ શકે જ્યારે પિતાને સંપત્તિને માલિક નહીં, પણ ટ્રસ્ટી ગણે. તે તેને સંપત્તિને મોહ નહીં રહે; મમત્વ બુદ્ધિએ સંગ્રહ કરવાનું મન નહીં થાય, અન્યાય તેમજ અનીતિથી સંપત્તિ કમાવાની ધૂન નહીં લાગે અને જે કમાશે તેમાં સમાજને ભાગ છે, એમ સમજીને જ્યારે પણ ગામમાં, નગરમાં કે સમાજમાં કેઈ ભાઈને દુઃખી જશે, ખરાબ હાલતમાં જશે, બેકાર જશે, તે તેને મદદ કરવાની ભાવના આપોઆપ તેનામાં જાગશે. ભૂખે કે દુઃખી માણસ અનીતિને રસ્તે ન ચડે, તે ચોરી ન કરે તેની તે તકેદારી રાખશે. તેમજ તેવા માણસને અનીતિને રસ્તે ચડવું પડે છે તેમાં પોતાની જાતને તે જવાબદાર ગણશે; અને તેને ન્યાય-નીતિના રસ્તે લાવવા બધું કરી છૂટવા પ્રેરાશે. જૂના વખતમાં પૈસાદાર માણસો, પૈસાને સમાજની મૂડી સમજતા અને જ્યારે-જ્યારે દુષ્કાળ કે અમુક કપરા પ્રસંગો આવ્યા ત્યારે–ત્યારે તેમણે અનાજ તથા ધનના ભંડાર ખુલ્લાં મૂકી દીધેલાં. ખીમે દેદરાણું અને ભામાશા, વસ્તુપાળ-તેજપાળ કે જગડુશાહના જીવન પ્રસંગોમાં એ વાતે મળે છે. એટલું જ નહીં, જેમણે એ વખતે ભૂલ કરી સમાજ વાત્સલ્યથી જેઓ ચૂક્યા તેમણે પાછળથી પસ્તાવો કર્યો અને વળતર આપ્યું. આને એક દાખલો નીચે મુજબ અત્યંત ઉચ્ચ આદર્શથી પ્રેરાયેલો છે. ધારાનગરીમાં જિનદાસ નામે શ્રાવક રહેતા હતા. ધનવાન હતા પણ લોભી વૃત્તિ ખરી. એટલે કોઈ ગરીબ કે દુઃખી ભાઈને જોઈને તરત મદદ કરવાનું સૂઝે નહીં. તેજ નગરમાં જિનપાળ નામને એક ગરીબ શ્રાવક પણ રહેતો હતો. તેના બાપની જાહેરજલાલી હતી અને નિદાસ શેઠ સાથે બનતું પણ સારૂં. બાપના મરણ બાદ જિન પાળની હાલત બગડતી ગઈ અને અંતે એટલે હદ સુધી થળી ગઈ કે તેમના ઘરે ત્રણ દિવસના લાંબા થયા. પતિ પત્ની વિચારમાં પડ્યા કે શું કરવું? તેમને જિનદાસ શેઠ યાદ આવ્યા. તેઓ મદદ કરે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પતિએ વિચાર કર્યો કે જિનદાસ શેઠ સામાયિક કરવા જાય ત્યારે તેમને સોનામહોરને હાર ચોરી લઉં તો રે હાલધડીએ એના રૂપિયા પેદા કરી ધધો કરું અને મૂડી થતાં વ્યાજ સાથે પાછો આપી દઈશ તે એમાં જિનદાસ શેઠને કઈ પણ નુકશાન નહીં થાય; મારૂં પણ કામ બની જશે. સરોવરમાંથી એક ટીપું ઓછું થયું તેયે શું ? કોને ખબર પડશે ? ઇચ્છા ન હોવા છતાં પરિસ્થિતિના કારણે લાચાર બનીને જિનપાળ ન કરવાનું કરવા માટે પ્રેરાયો ને ઉપાશ્રયે ગયો. તેણે જિનદાસ શેઠને ઉપાશ્રયમાં જતા, ડગલો ઉતારતા અને સેનામહોરને હાર મૂક્તા જોયા. શેઠ સામાયિક કરવા માટે ગયા. જિનપાળનું હૃદય ધડકવા લાગ્યું. તે અચકાતા મને, ડગલાં ભરત ભરતો ડગલો હતો તે જગ્યાએ . આસપાસ જોયું તે કઈ ન હતું. ગલામાં હાથ નાખ્યો અને હાર કાઢીને પિતાના કપડામાં છુપાવીને જિનપાળ ઘરે આવ્યો. પનીને હાર કાઢીને દેખાડો. પત્નીને તેથી દુઃખ થાય છે પણ તે જિનદાસને ત્યાં હાર ગિરો રાખવાની તેને સલાહ આપે છે. જિનપાળનું હૃદય માનતું ન હતું. તે છતાં તે જે થાય તે ખરૂ. એવા વિચાર કરીને જિનદાસ શેઠને ત્યાં જવા માટે ઉપડે. જિનદાસ શેઠ સામાયિક પૂરું થતાં કપડાં પહેરે છે. હાર માટે ખિસ્સામાં હાથ નાખે છે તો તે ન મળે ! બહુ જ તપાસ કરી કે કયાંક આડા-અવળે મૂકાયો હોય તે મળી જાય, પણ હોય તો મળેને? ઘરે આવીને પૂછપરછ કરી પણ હારને પત્તો ન લાગ્યો. હાર ક્યાં ગયે હશે એવા વિચારમાં શેઠજી બેઠા હતા કે જિનપાળ ત્યાં આવ્યું અને હાર ગિર મૂકવાની તેણે વાત કરી. હાર જોતાં જ શેઠને થયું કે “આ હાર તે મારા તે છતાં તેમણે ઉડે વિચાર કર્યો કે “આને ચોરનાર અને ફરી મારે જ ત્યાં આવીને ગિરો મૂકવા આવનારે ગરીબીના કારણે ભલે અકૃત્ય કર્યું હોય પણ તેની નિt ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સાચી લાગે છે.” તેમણે લાવનાર તરફ જોયું અને ઓળખી કા કે તે એમના મિત્રને દીકરો છે. તેની આવી હાલત જોઈને શેઠને થાય છે કે આ બીચારાની આવી પડતી દશા થઈ છતાં મેં તેના તરફ ધ્યાન ન આપ્યું, અને તે આ પરિણામ આવ્યું એટલે હવે મારે બાજી સુધારી લેવી જોઈએ! તેમણે જિનપાળને કહ્યું : “તમે હાર ગિરો રાખ્યા વગર પણ આ દશ હજાર રૂપિયા લઈ જાવ !' ' પણ જિન પાળે કહ્યું કે “ના મારે હાર ગિરે રાખવે જ છે એટલે શેઠે હાર રાખીને દશહજાર રૂપિયા આપ્યા; તેમણે એક શબ્દ પણ ન કહ્યો. તેના ગયા બાદ પોતે ધ્યાન ન રાખ્યું તે અંગે તેમને પસ્તા થશે. જિનપાળે તે દશહજારમાંથી ધંધો શરૂ કર્યો. આ વખતે તેને સારી પેઠે કમાણ થઈ. એટલે તેણે રૂપિયા પાછી કરવાનું નકકી કર્યું. - તે એક દિવસ વ્યાજ અને મૂડી લઈને શેઠની દુકાને ગયો અને સ્કમ ચૂકતે કરી દઉં છું” એમ કહ્યું. શેઠે વ્યાજના પૈસા ન લીધા અને તેમણે ગિરો રાખેલ હાર પાડે આપવા માંડ્યો. ત્યારે જિનપાળે કહ્યું : “શેઠજી ! આ હાર તે આપને છે, મેં લાચારીથી આ હાર ચેર્યો હતો. આપે તે જોઈને પણ મારા પ્રતિ અવિશ્વાસ ન પ્રગટ કર્યો એનું જ આ પરિણામ છે, કે હું આજે પગભર થઈ શકો છું. મારી પાસે મૂડી પણ થઈ ગઈ છે, એટલે આપે વ્યાજ તે લેવું જ જોઈશે !” - શેઠ કહે: “આ હાર મારે રહ્યો નથી. મારે એક ભાઈ લાચારીએ આવું કૃત્ય કરવા પ્રેરાય, એમાં મારો જ મુખ્ય વાંક છે. એના પ્રાયશ્ચિત રૂપે આ હાર હું તમને આપું છું. આ તમારો જ છે એમ માનજે. બંધુઓ પાસે વ્યાજ લેવાય નહીં!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ રપ૦ છેવટે બને તરફને આગ્રહ વધતા જતા હતા એટલે, તે હારની રકમ ધર્માદામાં આપવાનું નકકી થયું. આ પછી જિનદાસ શેઠ જિનપાળ અને તેની પત્ની બધાય મુનિરાજ પાસે જઇ પોત પોતાની ભૂલોને પ્રશ્ચાતાપ કરે છે અને પ્રાયશ્ચિત સ્વીકારીને શુદ્ધ થાય છે. ' આવા અનેક બીજા દાખલાઓ મળી આવશે. જ્યાં શેઠે છાની મદદ કરતા, ગરીબોને ધધે લગાડતા એટલું જ નહીં પરદેશ જતા હોય ત્યારે ઘણાને સાથે પણ લઈ જતા; એ રીતે તેમને પગભર કરતા. કદાચ કોઈ માગી ન શકે તે તેની એકસાઈ કરી, છાની કે આડકતરી રીતે મદદ કરવાનું તેઓ ચૂકતા નહીં.' સૌરાષ્ટ્રમાં શામળશા શેઠ થઈ ગયા, એક વખત એમને ત્યાં પુત્રવધુના સીમંતને પ્રસંગ હતા. ગામની બહેને મંગળગીત ગાવા તેમને ઘેર ભેગી થઈ. બીજી તરફ ઘેરઘેર લાડવા મૂકવા માટે વળાતા હતા. શેઠે પોતાના પુત્રને કહ્યું : “દીકરા! મોટા મોટા ઘરમાં તો રેજ મિઠાઈઓ ખવાતી હોય છે એટલે એમાંથી કોઈને ભૂલી જવાય તે ચાલશે. પણ, ગરીબ અને મધ્યમવર્ગના લોકોમાંથી એકને પણ ભૂલ્યો તે મને આ લાડવા ગળ્યાં લાગશે નહીં. સાથે જ પેલી યાદી તે લઈ આવ-જેમાં ગરીબ, મધ્યમ વર્ગનાં નામ લખેલાં છે. એમને ત્યાં લાડવા મોકલવા કરવાનું ધ્યાન હું રાખીશ.” , આવી હતી ગરીબ ભાઈઓ અને બહેને તરફ ધનવાની આત્મીયતાની દષ્ટિ જેના લીધે તેમની પાસેનું ધન ગરીબોને ખૂચતું. નહી. તેઓ એમ જ માનતા કે પૈસાદારે તે અમારી રિઝર્વ બેંક છે. જ્યારે અમને જોઈએ ત્યારે અમે તેમની પાસેથી જ લઈ શકીશું. અમારે ધનને સંગ્રહ કરવાની જરૂર શું છે! * શામળશા શેઠને દીકરે ગરીબ અને મધ્યમ વર્ગની યાદી ઉપાડી લાવ્યો. શેઠે તે યાદી પ્રમાણે દરેક માટે સહેજ મોટા ચાર ચાર લાડવા બનાવતી વખતે દરેકમાં બબ્બે સેના મહોર મૂકી. અને તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ સારી પેઠે પાછા વળાવી લીધા. પેલી યાદી પ્રમાણે તેમણે દરેક ઘરે આ લાડવા પહોંચાડયા. એક ઘરમાં માયાળુ માએ વિચાર્યું કે મારે દીકરે આવશે ત્યારે જ હું ખાઈશ એકલી કેમ ખાઈ શકું? એમ વિચારી આવેલા લાડવા રાખી મૂક્યા. સાંજે તેને દીકરી નિશાળેથી પાછા આવ્યા. તેની માએ કહ્યું: “દીકરા ! આ લાડવા તારા માટે આવ્યા છે; તું ખાઈ લે!” જેને મહીનાઓ સુધી ગેળ નહોતે મળે તેને મન લાડવાની કેટલી કીંમત હશે? છોકરે તે ગેલમાં આવી ગયો. તેણે ખૂબ આનંદમાં આવી લાડવાને એક ટુકડે તેડ્યો. અંદર કેઈક પીળી વસ્તુને સ્પર્શ થયું. તેણે તરત માને કહ્યું. “બા! આ પીળું પીળું શું છે ? લાડવામાંથી નીકળ્યું છે.” માને સમજતાં વાર ન લાગી. તેણે કહ્યું: “લાડવા ખાઈ લે ! અને બીજુ છે એને તું ધોઈને બાજુએ મૂકી દે!” દીકરે અને માએ મળીને લાડવા પૂરા કર્યા. ચાર સોના મહેરો નીકળી હતી તેને પડીકામાં બાંધી, માએ દીકરાને કહ્યું: “તેં શામળશા શેઠનું ઘર જેવું છે ને. પેલું ઊંચું ઊંચું છે તે !” હા, મા! પણ તેનું શું કામ છે?” દીકરાએ પૂછયું. “દીકરા ! તેમને ત્યાં જઈને આ ચાર સોના મહોર પાછી આપી આવ. કદાચ લાડવા વાળતી વખતે અંદર પડી ગઈ હશે. “માએ કહ્યું. છોકરે તે તૈયાર થઈને શેઠને ત્યાં પહેઓ. ચાર ના મહેરની પડીકી શેઠને આપતાં કહ્યું: “બાપા! આ પડીકી મારી માએ મોકલી છે. શેઠ પડીકી ખોલીને ચકિત થઈ ગયા. ગરીબ છતાં મહેનત કરી કમાનાર અને છોકરાને ભણાવનાર તેમજ ઘર ખર્ચ ચલાવનાર વિધવા બહેનમાં આટલી પ્રમાણિકતા. તેમણે છોકરાને ખોળામાં બેસાડી દીધી અને . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ કહ્યું: “દીકરા ! ધન્ય છે તારી જનેતાને! જેણે ગરીબી છતાં પ્રમાણિકતા ગુમાવી નથી.” તેમણે પોતાની પાસેથી બીજી ચાર સેના મહેર કાઢીને પડીકીમાં નાખતા કહ્યું : “જા આને પાછી લઈ જા! તારી બાને કહે છે કે શેઠ પાછું લેતા નથી. કહ્યું છે કે છોકરાના ભણતરમાં એને સદુપયોગ કરજો !” છોકરે પિતાની મા પાસે આવ્યો. તે સમજી ગઈ કે શેઠે જાણી જોઈને ગરીબેને સ્વમાનભેર મદદ કરવાની દષ્ટિએ એવું કર્યું છે એટલે તે લેવામાં કોઈ વાંધો નથી. આવી રીતે જૂના વખતમાં લોકોને પૈસાદાર વર્ગ ઉદાર હતો. માલિકી ઉપર સહેજભાવે અંકુશ રાખતે અને વધારાની સંપત્તિ અને સામગ્રી સમાજની ગણતે. એટલે જ તે વખતે મોટા સંઘર્ષો ન હતા. ગરીબને અમીરોની સંપત્તિ જોઈને અદેખાઈ ન આવતી. જરૂર કરતાં કોઇપણ વધારે ન રાખવું એ આદર્શ ગણાત. લોકજીવનમાં પચાસ વર્ષ પછી નિવૃત્તિ લેવી આદરને વિષય હતે. ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ. સંગે બદલાતા ગયા. માણસ કરતાં પૈસાની વધારે કીંમત અંકાવા લાગી. પૈસાદારે સ્વાર્થી બનવા લાગ્યા અને પૈસે તેમના ગર્વનું કારણ બને. ગરીબ ભૂખે મરવા લાગ્યા. મહેનત કરવા છતાં પટને ખાડે પૂરે ન થવા લાગે. આજે પરિસ્થિતિ એટલી બધી વિચિત્ર અને વિષમ છે કે ગરીબ તે ભૂખે મરે છે પણ ધનવાન વર્ગ પૈસા મેળવવા માટે એટલા બધા અધમ ઉપાય કરે છે કે તે સમાજની શરમ બનીને ઊભે છે. એક વખત એક શેઠની મોટર સડક ઉપરથી પસાર થઈ રહી હતી. તે વખતે સડકની પગથી (ફૂટપાથ) ઉપર એક ભૂખ્યો અને ગરીબ માણસ પડ્યો હતે. તે ભૂખથી પીડાતો હતો. શેઠનું તેના તરફ ધ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ન ગયું. મોટર આગળ નીકળી ગઈ પણ શેઠે કંઇક જોયું અને મેટરને અટકાવી પાછી વાળી. પિલા ગરીબને થયું કે આવડા મોટા શેઠના હૃદયમાં કેટલી દયા છે કે કારને પાછી વાળી મને દાન દેવા આવ્યા છે. પણ તેને ભ્રમ ભાંગી ગયો. તેનાથી થોડે દૂર એક રૂપિયો પડ્યો હતો. શેઠનું તે તરફ ધ્યાન ગયેલું. તેમણે એ રૂપિયા ઉપાશે અને ગજવામાં નાખીને ચાલતી પકડી. તે જોઈને એક લેખકે પ્રસંગને વર્ણવતાં અંતે લખ્યું છે –“માણસ કરતાં સિકકાનું મહત્વ પૈસાદારને વધારે છે.” ધન ઉપર ધર્મ અને મર્યાદાને અંકુશ : - જ્યારથી ધન, ધર્મ અને મર્યાદાના અંકુશમાં નથી રહ્યું, ત્યારથી, લેક સમાજમાં વિષમતા પ્રસરવા લાગી છે. એટલા માટે જૈન શાસ્ત્રકારોએ પરિગ્રહ પરિમાણ વ્રતના સંપૂર્ણ પાલન માટે, છ દિશાની મર્યાદાનું વ્રત ઉપભોગ-પરિભેગ અને આજીવિકા મર્યાદા વ્રત અને માનવને ન શોભે તેવા વેપાર-કર્મો ન કરવાનું ફરમાન, યથાસભાગવત અને અનર્થદંડ વિરમણ વ્રતે પણ જયાં છે. આનું એક જ ધ્યેય છે કે કોઈ પણ પ્રકારે માનવી પિતાના માલિકી હક ઉપર અંકુશ રાખે-મર્યાદા કરે. એટલા માટે. ગાંધીજીએ પણ સ્વદેશીવ્રત, શરીરશ્રમ વગેરે વ્રત બતાવ્યાં છે. એજ પરિપાટીએ વિશ્વ વાત્સલ્ય માલિકી હક મર્યાદાવ્રત કહ્યું છે અને તેના ત્રણ ઉપવતે જ્યાં છે –(૧) વ્યવસાય મર્યાદા (૨) વ્યાજનો ધંધો કે તેની વૃત્તિને ત્યાગ અને (૩) વ્યસન ત્યાગ. આજે જે કંઈ કહેવું છે તે ગૂઢાર્થ કહેવાથી લોકો પોતપોતાના અર્થે લે છે અને પિતાની શિથિલતા દૂર કરવા માટે તેને પિતાની રીતે ઘટાડે છે. એટલા માટે જ સ્પષ્ટ પણે શબ્દ પ્રમાણે ભાવ નીકળે તેને અનુરૂપ માલિકી હક-મર્યાદા' કરવાનું કહેવામાં આવ્યું છે. મહાપરિગ્રહને તદંતર નિષેધ – માણસે પિતાની તેમજ સમાજની ભલાઈ માટે પોતાના પરિગ્રહ ઉપર અંકુશ મૂકવો જોઈએ. એવું જગતનાં વિશાળ હિત માટે આવશ્યક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ છે તેની વિચારણા થઈ ગઈ છે. પરિગ્રહને, ન તે ધર્મ સંમતિ આપે છે, ન સમાજવાદ કે વિચારધારાએ સંમતિ આપે છે કે ન તે રાજ્ય તેને પ્રતિષ્ઠા આપે છે. આ એક નિતાંત સત્ય છે. તે ઉપરાંત બધા યે સ્વીકારે છે કે ધન મેળવવામાં, સાચવવામાં અને વાપરવામાં દુઃખો જ મળે છે, અને તે આ જીવન પછી તો સાથે રહેતું નથી છતાં લેાકમાનસમાં એને જે ખોટું મહત્વ અપાઈ ગયું છે તે દૂર કરવું જ રહ્યું. સત્રમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ પોતાના પરિગ્રહ ઉપર અંકુશ ન મૂકે અને મોટાં મોટાં આરંભે અને હિંસક ધંધાઓ કરે તે સાચા ધર્મને પામી શકતો નથી. એટલું જ નહીં તે સાચા ધર્મનું શ્રવણ પણ કરી શકતો નથી. ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે - “दोहि ढाणेहिं जीवो केवलिघण्णत्तं धम्मं न लमेज सवणयाए तंजहाः महारंमेण चेव महापरिग्गहेण चेव" –એટલે કે બે કારણોથી છવ કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરીને પામી શકતો નથી; મહારંભ અને મહા પરિગ્રહ દ્વારા. ' એક વસ્તુ તે ચોક્કસ છે કે મહારંભ અને મહાપરિગ્રહમાં રચ્યાપચ્યા રહેતા લોકોને પહેલાં તો એટલો સમય જ મળતું નથી કે તેઓ ધર્મશ્રવણું કરી શકે. કદાચ શ્રવણ કરે છે કે તેના ઉપર રૂચિ થવી મુશ્કેલ છે, અને રૂચિ થઈ તે પણ તેને અમલ તે કરી શકર્તા નથી. મહાપરિગ્રહી કે મહારંભી હોય તે આત્માની વાત કરી શકશે નહીં. દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા કરી શકશે નહીં અને જે તે આત્માજ્ઞાની કે સમ્યકત્વી લેવાની વાત કરે તો તે પિતાની છેતરપીંડી સાથે બીજાની સાથે પણ બનાવટ છે. જ્યાં નીતિ નથી, મર્યાદા નથી, જરૂર ઉપરાંતની સંપત્તિ અને સામગ્રી છે તેના ઉપર મર્યાદા કે ટ્રસ્ટીપણાને જરાપણ વિચાર નથી ત્યાં અધ્યાત્મ કે ધર્મ ક્યાંથી હોઈ શકે ? સરકારી કાયદા પ્રમાણે ભલે કોઈને માલિકી હક મળી જતો હોય તે પણ ધર્મના કાયદા એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપર અંકુશ મૂકાવે છે. ધર્મે મહારંભી-મહાપરિગ્રહીને નરકગતિને અધિકારી માન્યો છે. હવે મહાપરિગ્રહીને સમાજની વિચારધારા પ્રમાણે વિરોધ છે તે જોઈએ. પશ્ચિમની બે વિચારસરણીઓ પ્રજાશાહી સમાજવાદ કે સામ્યવાદ છે. સામ્યવાદમાં તે સરખે ભાગે અર્થની વહેચણું છે એટલે પરિગ્રહને પ્રશ્ન ઊભો થતો જ નથી. પ્રજાતંત્ર કે રાજતંત્રની લોકશાહીમાં વધુ ધનોપાર્જનની છૂટ હોવા છતાં અંતે તે તેને બહુજન હિતાય બહુજન સુખાય ઉપયોગ કરવામાં વ્યકિત અને રાજ્ય બને માને છે અને રાષ્ટ્રહિતની જે પ્રબળ ભાવના ત્યાં જોવામાં આવે છે તે પરિગ્રહની સમાજમાં ઉપયોગિતા કરવાનું સૂચવે છે. અમેરિકામાં ફોડ, શોક ફેલા વગેરેએ કરડે રૂપિયા સમાજ અર્થે આપ્યા છે, અને તેને અનુકરણીય ગણવામાં આવેલ છે. ભારતની સાંસ્કૃતિમાં તે કદિ પણ ધનને મહત્વ આપવામાં આવ્યું નથી. એટલે કોઈ પણ વિચારધારા કે સમાજવાદે તેને સ્વીકાર કર્યો નથી. મહાપરિગ્રહ સાથે રાજ્યને સંબંધ છે ત્યાંસુધી ભલે તેને ખુલ્લે નિષેધ નથી પણ બીજી રીતે ઘણુ મર્યાદાઓ અને બંધને તેના ઉપર મૂકવામાં આવ્યા છે, કાયદા દ્વારા, ઇન્કમટેક્ષ, લેડટેક્ષ, સુપરટેક્ષ, ગીફટટેક્ષ, સેલ્સટેક્ષ, ડેથેટેક્ષ (મૃત્યુવેરે) વગેરે કરવેરા રૂપે રાજ્ય ઘણીખરી પૂછને ખેંચી લેવાનો પ્રયત્ન કરે જ છે, અને આમ પરાણે મર્યાદા મૂકાવે છે. જો કે એમાં અનેક પ્રકારના ગોટાળાઓ પણ ચાલે છે. ઘણાં લાંચરૂશ્વત આપી બચી જાય છે. કેટલાક કરવેરી બચાવે છે તે કેટલાક તેને કાળાંબજારમાં ફેરવે છે. નિષેધ શા માટે : ઊડે વિચાર કરતાં જોવામાં આવશે તે કોઈ પણ માનવ પિતાને જ ભાઈ દુખી હેય એમ નહીં જેવા ઈછે. પરસ્પરની સહાય એ માનવગુણ છે એટલે જ કાયદા તળે કે ધર્મના નામે પરિગ્રહને વહેંચી દેવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ બીજાના ઉપયોગમાં લેવાનું સૂચવવામાં આવે છે. ખરું જોવા જઈએ તો મહાપરિગ્રહી લોકો સમાજમાં વિષમતા ફેલાવે છે. સમાજવ્યવસ્થાને ચૂંથી નાખે છે. અને નરકમાં જવાના અધિકારી બને તે પહેલાં આ જગતને નરક જેવું બનાવી દે છે. બીજી બાજુ સામ્યવાદી લોકો આવા પૈસાદારોને મારી મળીને, હિંસા દ્વારા આર્થિક વિષમતા દૂર કરવા પ્રયત્ન કરે છે. પણ તે સ્થાયી ઉકેલ નથી. એટલા માટે જ વિશ્વવાત્સલ્યમાં અહિંસા દ્વારા સ્વેચ્છાથી અને એક વ્યક્તિ સ્વેચ્છાથી ન સ્વીકારે તે સામુદાયિક રીતે માલિકી હક મર્યાદાની વાત કરવામાં આવી છે. કોઈ ગરીબ કે કોઈ તવંગર કદિ એમ નથી ઈચ્છતો કે સમાજ વ્યવસ્થા બગડે, વિષમતાના કારણે હિંસા ફાટી નીકળે, અસતિષ અને સંઘર્ષ ચાલે! ધનિક જે પોતે ગરીબાઈમાં મૂકાઈ જાય તો તેને ખ્યાલ આવી શકે કે ગરીબના દુઃખ શું છે? માનસિક અશાંતિ શું છે? ગરી બેની લાચારી અને તેના કારણે અનીતિ તરફ જવાનું ખરૂં કારણ શું છે ! કોઈ પણ ધનવાનને પૂછશો તો તે પણ હૃદયથી એમ જ કહેશે કે “આ અનિષ્ટ ચાલવા નહીં જોઈએ. સમાજમાં સુખ અને શાંતિ જોઈએ.” તે આ વાતને સારી રીતે જાણુતા અને માનતે હવા છતાં સમાજમાં અશાંતિ, વિષમતા અને દુઃખના મૂળ કારણ માલિકી (પરિગ્રહ)ની વૃદ્ધિને દૂર કરી શકતા નથી; તેને સ્વેચ્છાએ છોડી શક્તિ નથી. સરકારી કાનૂન કે સામ્યવાદ દ્વારા પરાણે છોડવામાં હિંસા અને અનીતિના દે ઉદ્દભવે છે, એટલે જ સ્વેચ્છાએ ત્યાગ કરવાને ધર્મ, સમાજ અને રાજ્ય ત્રણે ઉત્તમ ગણે છે, જે સ્વેચ્છાએ ત્યાગ કરે છે તે ધર્મ ગણાય છે. તેથી તેના મનમાં પ્રસન્નતા અને શાંતિનો અનુભવ થાય છે અને સાથે જ સમાજમાં અનીતિ અને હિંસાના દેશો દૂર થાય છે, પેદા થતાં નથી. માલિકી હક મર્યાદાનું બીજું પાસું : હવે માલિકી હક મર્યાદાનું એક બીજું પાસું છે. તે આપણે લઇએ. કેટલીવાર એવું બને છે કે એક વ્યક્તિ જાતે માલિકી કહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ મર્યાદા કરે છે પણ તેના કુટુંબીએ તેને સાથ આપતા હતા નથી. કયારેક કુટુંબીઓ વ્યવસાય મર્યાદા ન સ્વીકારવા ઈચ્છે કે સંપત્તિને ટ્રસ્ટી તરીકે ઉપયોગ ન કરવા ઈચ્છે એવું પણ બને છે. પત્ની પણ વિરોધ કરે કે સાથ ન આપે અને સંતાનની મર્યાદા ન કરે તે સતાનના પાલણ–પષણમાં વાંધે આવે. પત્નીને સંતાનના લગ્નમાં જૂની પ્રણાલિકા પ્રમાણે ખેટો ખર્ચ અને કરિયાવર કરવાની ઈચ્છા પણ થઈ શકે. સમાજમાં ધન કે ધનવાનનું મૂલ્ય વધુ આંકવામાં આવે અને સાદાઈ ત્યાગ અને સંયમની પ્રતિષ્ઠા ઓછી થાય અને માલિકી હક મર્યાદાને પ્રતિષ્ઠા જ ન મળે. આવાં ઘણાં વિરોધી કારણે ઊભા થતાં એક વ્યકિત મન હેવા છતાં વ્રત લેતા અચકાય તે સ્વાભાવિક છે. તે એના માટે શું થવું જોઈએ? તેના માટે એક જ ઉપાય છે કે જેમ વ્યકિત માટે માલિકી હક મર્યાદા છે તેમ સમાજ માટે પણ માલિકી હક મર્યાદાને વિચાર પણ પહેલો કર પડશે. સમાજની આજની રૂઢ દ્રષ્ટિ અને પરિસ્થિતિ બન્નેમાં પરિવર્તનને પ્રયત્ન કરવો જોઇશે, દષ્ટિ પરિવર્તન માટે વિચારપ્રચાર કરવો પડશે અને પરિસ્થિતિ પરિવર્તન માટે નૈતિક સંગઠને અને સહકારી બે, માલિકીને સહિયારી બનાવવાની પ્રથા ઊભી કરવી પડશે. કે આજે પૈસાને કારણે પૈસાદારોને જે પ્રતિષ્ઠા અપાતી હતી તે ઘટતી જાય છે અને સમાજ તેમને ઓછા આદરની સાથે જોવા લાગે છે. છતાં, હજુ ભદ્ર સમાજમાં તેમની ઔપચારિક પ્રતિષ્ઠા ચાલુ છે. સંસ્થાઓની સભામાં, ધર્મસ્થાનકો વગેરે અમૂક સ્થળોમાં તેમને અગ્રસ્થાન કે ઉચ્ચ સ્થાન અપાય છે, એની પાછળ ભલે તેમની પાસે પૈસા કઢાવવાની દષ્ટિ હેય પણ, એ રીત ખોટી છે. હજુ પણ જોવામાં આવે છે કે મંદિરની પ્રતિષ્ઠા અને ઉત્સ વગેરેમાં પૈસા અને પૈસાદારને મહત્વ અપાય છે, ત્યાગ સાદગી કે ત્યાગીઓને મહત્વ અપાતું નથી એનાં કારણોમાં એ છે કે એ પ્રતિષ્ઠા કેવળ વધારે પૈસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ખવા પૂરતી જ છે, અવિશ્વાસ અને ચમત્કારોથી પ્રેરાઇને ખાટા ખ થાય છે તેમાં ધનિકોને પ્રતિષ્ઠા મળી જાય છે. આવા લેાકેાને સેવા અને સદાચાર, નીતિ અને ન્યાયના પ્રચાર કરનારી સંસ્થાઓમાં પ્રતિષ્ઠા. આપવામાં આવતી નથી એટલે તે ત્યાં કવચિત્તજ જોવામાં આવે છે. આ સંપત્તિ મારી નથી; હું એને ટ્રસ્ટી છું એવું માનવાના બદલે હુ એના માલિક છું તે મને પ્રતિષ્ઠા કેમ મળે? એ વિચાર આવતા નથી, આવે! વિચાર સમાજમાં ત્યારેજ વ્યાપક બને જ્યારે પ્રામાણિકપણે જીવનાર અને કમમાં કમ સંપત્તિ રાખનારની પ્રતિષ્ઠા થાય તેમ જ ધનના ટ્રસ્ટી તરીકે પેાતાને સમજનારની પ્રતિષ્ઠા થાય. પૂણિયા શ્રાવક પૈસાદાર નહતા, છતાં તેમની પ્રતિષ્ઠા ઓછી ન હતી. ખુદ મગધ નરેશ શ્રેણિક તેને ત્યાં ચાલી ચલાવીને ગયેલા. એવી જ રીતે જમનાલાલજી બજાજ પોતાને સંપત્તિના ટ્રસ્ટી સમજતા હતા અને મહાત્મા ગાંધીજીની સલાહથી સેવાનાં કાર્યમાં ખુલ્લા દિલથી પૈસા ખતા હતા. તેમની પ્રતિષ્ઠા ગાંધીજીના કારણે થઈ સાથે જ તેમના પ્રામાણિક જીવન વહેવારથી પણ થઈ. આ રીતે સમાજમાં માલિકી હક્કની મર્યાદાને પ્રતિષ્ઠા મળી શકે અને ત્યારબાદ વ્યકિતને માલિકી હક્ક મર્યાદા લેવામાં અકળામણ નહીં થાય. માલિકી હક્ક મર્યાદા સાથે વ્યવસાય મર્યાદા, વ્યાજ ત્યાગ અને વ્યસન મર્યાદા : સમાજમાં માલિકી હક્ક મર્યાદા માટે વ્યવસાયેની મર્યાદા કરવી જોઈ એ, પ્રાચીનકાળમાં તેા કમઁના હિસાબે ચારે વર્ણીના ધંધાનું વર્ગીકરણ કરી દેવામાં આવ્યું હતું. પણુ, આજે તે એની રીત બદલાઈ છે. આજે તે ગમે તે વને માણસ ગમે તે વ્યવસાય કરે છે. એટલે વ્યવસાય મર્યાદા તરીકે એક માણસ એક જ ધંધા કરે અથવા આવક માટે એક જ વ્યવસાયનું સાધન રાખે એવી વિચારણા સમાજમાં પ્રચલિત થવી જોઈ એ. તે એક વ્યકિત પાસે મૂડી ભેગી ન થઈ શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ અને તેથી કરીને, તેનાથી ઉત્પન્ન થતાં અનિષ્ટ સમાજમાંથી આછાં થઈ શકે. વ્યવસાય મર્યાદામાં, લાંચરૂશ્વતના ત્યાગ, અનીતિ ત્યાગ, પ્રામાણિક વ્યવસાય, રાષ્ટ્ર કે સમાજને ધાતક માદક વસ્તુએ, સટ્ટો, વ્યાજ, વ્યભિચાર અને જુગારના અડ્ડા વગેરે – ધંધાઓને! ત્યાગ આવી જાય છે. આજે કાનના ધંધાઓના નવેસરથી વિચાર કરવાની છે. તેમાં રાષ્ટ્ર, સમાજ અને પંચેન્દ્રિયને ઘાતક બધા ધંધા છેડવાના વિચાર આવી જાય છે. - - વ્યાજ – ત્યાગ ઉપવ્રતમાં વ્યાજકૃતિ કે વ્યાજના ધંધાને ત્યાગ સમજવે જોઇ એ. આ વ્યાજના ધંધા એટલે મૂડીના સ્વીકૃત પુરસ્કાર વિનિમય કરતાં શેાણુની દૃષ્ટિએ વધારે અને ચક્રવર્તી વ્યાજ લેવાય છે તે તરફ નિર્દેશ છે. આજે સુરક્ષાની દૃષ્ટિએ બેંકમાં કે શાહુકાર પાસે નાણાં મૂકતાં કે લેતાં જે સ્વીકૃત અને માન્ય વ્યાજ આપવુ પડે છે તેના આમાં સબંધ નથી. પણ બીજાની ગરજ કે લાચારીના ભાગે રૂપિયાના બમણા કે એથી વધારે; વ્યાજ વડે કરવા–એને આમાં સમાવેશ થાય છે. . વ્યસન – ત્યાગ ઉપવ્રત પણ માલિકી હક્ક મર્યાદાને પેાષનારૂ છે. ઘણીવાર નકામી મૂડીના હેતુ વ્યસન જ હોય છે. એવું પાલન પણ સામાજિક દૃષ્ટિએ થાય તા સમાજમાં વ્યસના આછાં થાય અને ખાટા ખર્ચાઓ પણ ઘટે. એનાથી સાદાઇ અને સંયમ આવે અને એના પગલે માલિકી હક્કની મર્યાદા આવે. માલિકી હક્ક મર્યાદાનું લખાતુ ક્ષેત્ર: જેમ વ્યકિત અને સમાજ માટે માલિકી હક્ક મર્યાદાના વિચાર કરવામાં આવે છે તેમ સંસ્થાઓ માટે પણ આના વિચાર કરવા જોઇએ. કેટલીકવાર સારી એવી ગણાતી રચનાત્મક કે ધાર્મિક સંસ્થાઓમાં જરૂર કરતાં વધારે મૂડી ભેગી થઇ જાય છે. તેમાં પછી ગોટાળા ચાલે છે. જેને રકમની જરૂર હોય તેને મળતી નથી અને ઉંચા વ્યાજે મૂડી મૂકીને વ્યાજ લેવામાં આવે છે. આમ સંસ્થાએ ધંધાદારી બનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ બીજાનું શોષણ કરનારી બની જાય છે. ઘણીવાર ખોટી રીતે અંધવિશ્વાસ, કુટિઓ કે જમણવામાં આવી સંસ્થાઓના હિસાબ વગરના પૈસા વેડફાય છે. પણ બેટાં મૂલ્ય નિવારી સાચાં મૂલ્ય સ્થાપવામાં, ગરીબ કે મધ્યમવર્ગના ભાઈઓને સ્વમાનભેર રેટી-રોજી મળે, એવા સકાર્યોમાં કે ક્રાંતિના સારા કાર્યોમાં પૈસા ખર્ચાતા નથી. ઘણીવાર એવું બને છે કે સંસ્થા માટે કેટલી રકમ રાખવી એની મર્યાદા અંગે કશો વિચાર કરવામાં આવતા નથી અને મૂડી વધવા લાગે છે. એટલે સંસ્થાના કાર્યકરોને પણ લાભ થતું જાય છે. એટલા માટે સંસ્થાની પણ માલિકી હક મર્યાદા હેવી જોઈએ. વ્યક્તિ સંસ્થા અને સમાજથી વધીને પ્રાંત અને રાષ્ટ્રની પણ માલિકી હકમર્યાદા હેવી જોઈએ. રશિયા જેવા સામ્યવાદી દેશોમાં મકાન, મિલકત, ધધે એ બધાં ખાનગી માલિકીનાં હતાં નથી, તેના ઉપર રાષ્ટ્રની માલિકી ગણાય છે. આવાં રાષ્ટ્ર માં બીજા રાષ્ટ્ર ઉપર પ્રભુત્વ જમાવવાનું વિશેષ જોવામાં આવે છે અને તે માટે માનવહિત માટે ઉપયોગી નહીં એવાં; અનેક માર્ગોમાં-અણુબમ, મેગાટનબમ, લડાયક શસ્ત્રો-સાધનો-સૈનિકે પાછળ અનાપસનાપ પસા ખર્ચાય છે. આ અંગે પ્રજાને ભય તેમજ બીજાં સુરક્ષાનાં કારણો બતાવીને, દબાવેલી રખાય છે. તેમનું વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય ઝૂંટવી લેવામાં આવે છે અને સરકાર ખોટે ભાગે જતી હોય તે પણ, પ્રજા તેને ચેતવી શકતી પણ નથી. જેમ હિંદુ કુટુંબમાં પત્ની પાસે આર્થિક અધિકાર ન હોઈને, તે પતિની વિરૂદ્ધ કંઈપણ બોલી શકતી નથી, સ્વતંત્ર રીતે કંઈપણ કરી શકતી નથી; એવી જ રીતે લોકશાહી પદ્ધતિથી ચાલતા ઘણું દેશમાં સરકાર બધાય ક્ષેત્રેથી સત્તા પિતાના હાથમાં રાખે છે અને એમાં ક્ષેત્ર મર્યાદા કરતી નથી; તે રાષ્ટ્ર વિકાસ અને વ્યવસ્થાની નજરે ઘાતક છે. કારણકે એવા રાષ્ટ્રોને ભારે કરવેરા પ્રજા ઉપર નાખવા પડે છે, શરાબ, તંબાકુ, ચા, માંસ, મત્સ્ય ઉદ્યોગ જેવા હિંસક અને ઘાતક ધંધાને ઉત્તેજન આપવું પડે છે અને એટલું જ નહીં તે કયાંયે એકસાઈ રાખી શકતી નથી. પરિણામે રાષ્ટ્રીય યોજનાઓની પાછળ ખર્ચાતા કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ રૂપિયા વેડફાય છે; અને લાંચરૂશ્વતમાં બર્બાદ થાય છે. આ બધી એટલી બધી રાષ્ટ્ર વ્યાપી બની છે કે પુલ, બંધ કે ડેમ બાંધવામાં મોટા મોટા ઇજારદારે ઓછો માલ વાપરી અડધા રૂપિયા પિતે હજમ કરી જાય છે અને રાષ્ટ્રને તેથી મેટો ફટકો પડે છે. આમાં દેશને કેટલું મોટું નુકશાન થાય છે એ તેઓ વિચારતા નથી. એટલે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક શૈક્ષણિક વગેરે ક્ષેત્રોની અલગ અલગ સંગઠનમાં વહેંચણી કરી દેવી જોઈએ. જેથી રાજ્ય સંસ્થા કેવળ રાજકીય ક્ષેત્રમાં સારી પેઠે કામ કરી શકે અને તંત્રને સંભાળી શકે. આ રીતે સત્તા અને સંપત્તિનું વિકેન્દ્રીકરણ થવું જરૂરી છે; તેજ અનિષ્ટો ઊભા થતાં અટકશે. આ વ્રતના પાલન માટે સામાન્ય પ્રજા તેમજ ખાસ કરીને લોકસેવકોમાં સંતાન મર્યાદા હોવી જરૂરી છે તે જ તેઓ ન્યાય અને નીતિપૂર્વક પ્રગતિ કરી શકશે. એવી જ રીતે ઘરબાર છોડીને નીકળેલા સાધુ-સાધ્વીઓએ પણ પુસ્તકો, વસ્ત્રો, ઉપાશ્રયે, શિષ્ય અને અનુયાયીઓ અંગે મર્યાદા બાંધવી પડશે કારણકે આ બધી વાતો અંગેની મમતા એટલી બધી વધેલી જોવામાં આવે છે કે તે બીજા અનિષ્ટોની દુનિયા સઈ શકે છે. જો તેઓ આ અંગે મર્યાદા નહીં કરે તે તેમને માલિકી હક મર્યાદાને ઉપદેશ લોકો ઉપર અસર કરી શકશે નહીં. આમ માલિકી હક મર્યાદાને વિશ્વવ્યાપી બનવવાને પુરૂષાર્થ આ યુગે યે જઇએ. ચર્ચા-વિચારણા બહાચર્ય અને પરિગ્રહ: - શ્રી માટલિયાએ માલિકી હક મર્યાદા એ વિષય ઉપર ચર્ચા ઉપાડતાં કહ્યું – સ્ત્રી અને પુરૂષ પરિણીત હેય અને રામકૃષ્ણ કે બાપુની જેમ, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં સંપૂર્ણ સંયમી ન હોય તે શ્રી નાનાભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ભટ્ટે કહ્યું છે તેમ, તેણે પોતાની મર્યાદા સમજી લઈને સંસારમાં પડવું પડશે. નાનાભાઈ ભટ્ટે કહ્યું છે –“મોટે ભાગે તે બ્રહ્મચર્ય સહજ રીતે જે પાળી શકે તે જ સંસારી ગૃહસ્થાશ્રમી બની શકે છે. સંસાર પિોતે જ પરિગ્રહ છે. બ્રહ્મચર્યની સાથે જેમ અપરિગ્રહ સહજે આવશે તેમ અબ્રહ્મચર્ય સાથે પરિગ્રહ સહેજે આવશે.” * બાળક આવ્યું કે તરત ચૂસણિયું, સીસી, બેસણિયું, ચાલણગાડી, વગેરે જોઈશે. બાળક અમૂક ઉમ્મરનું ન થાય ત્યાં સુધી એને પિષણ પણ જોઇશે. અસંયમ કે અબ્રહ્મચર્ય માતા-પિતાનું અને સહેવાનું બાળકને તેમાં ન્યાય નથી. એ જ રીતે સંતાન ગર્ભમાં આવ્યાથી લઇને તે દૂધ પીતું રહે ત્યાં સુધી ગાળો ફરજિયાત રીતે સંયમને રાખવો ઘટે. આ બધું ગૃહસ્થાશ્રમી સેવકોએ સમજવું જોઈએ. મેં રૂપિયા પચાસમાં ચલાવી લેવાનું એકવાર વિચારેલું. પણ મુ. નાનાભાઈના તેમજ બીજાના અનુભવ અને કથન ઉપરથી લાગ્યું કે પરિણીત સેવક એક વ્યકિત નથી. એ બેયે-પતિ-પત્નીએ મળીને વિચાર કરવો જોઈએ. નહીંતર વિપરીત પરિણામ આવવાને સંભવ રહે છે. માણસને પુખ્ત થતાં વાર લાગે છે માટે કંઈક પણ પરિગ્રહ જરૂરી બનીને રહે છે, જેથી કુટુંબ-જીવનમાં ચિત્ત-કલેશ ન થવા પામે, પત્ની કંટાળીને હમેશા વિરોધ કરનાર માનસ તરફ ન ફંટાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. સાથે પતિની ધૂનોને માત્ર આંધળી રીતે વળગી જ રહે એટલે કે પતિના પૌરૂષ આગળ તે પામર પણ ન બનવી જોઈએ. વળી જે સમાજની આસપાસ જીવે છે, જે રીતે તેને ઉછેર અને અત્યાર લગીનો વિકાસ થયો છે તે તમામ બાબતો સેવકે જોવી જોઈએ. આ રીતે વિચારીને મેં શિક્ષક તરીકેના જીવનની પસંદગી કરી લીધી અને તે પણ પ્રાથમિક શિક્ષક તરીકેની. - તે વખતે પ્રાથમિક શિક્ષણના શિક્ષકને પિસ્તાલીસ રૂપિયાનું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ વેતન મળતુ; તે લીધું. પછી સીનિયર શિક્ષક થયેા. આમાં એક વાત જણાવી દઉં કે જે સમાજમાં હું કામ કરવા ગયે। તે સમાજે મને ઠીક ઠીક અનુકુળતાઓ આપી. પછી શિક્ષકાના પગાર ૭૦ થી ૯૦ થયા. પણુ હજુ સુધી શરીર અને મન બન્ને મજૂર જેટલાં તૈયાર ન હતા. આમાં મારા અભ્યાસ કે યાગ્યતાની રીતની વાત હું નથી કસ્તા પણ પ્રાથમિક શાળાના શિક્ષક મધ્યમવર્ગીય છતાં મહેનત અને કરકસરથી જે રીતે જીવે છે તે આદત નહેતી પાડી એટલે હવે તે જાતનું સ્વાભાવિક જીવન જીવવા માડ્યું. તે સમય દરમ્યાન સતબાલ વિચારધારાના સક્રિય પ્રયેગ મારી ત્યાંની પરિસ્થિમિમાં શરુ કરવાનું મન થયુ. એક એ કાકાના મનમાં વિચાર આવ્યેા : “ રચનાત્મક સમિતિએ આ માલપરાની સંસ્થા માટે કાય કર્યું છે. સંસ્થાએ લાખ જેટલા ખર્ચ કર્યાં છે અને માટલિયાના મનમાં કંઈક ખીજુ આવે અને તે સસ્થાને ફેરવી નાંખે તે કેમ ચ લે?” મને લાગ્યું કે વાત બરાબર છે. મે દીધા. સંસ્થાનું વેતન બંધ કર્યું અને મારાં બનાવવાના પ્રયાસ કર્યા. અઢી વર્ષે તે વખતનાં સેા રૂપિયાના વેતનથી ચલાવ્યું. સંસ્થાના ટ્રસ્ટીએ નીમી પત્નીને સીનિયર શિક્ષિકા સીનિયર થયાં અને તે છેકરાંએ મેટા થયાં ને ખ વચ્ચે એટલે સતમાલ વિચાર– સરણીના પ્રયાગ કરતાં બન્નેનુ વેતન લઈ (શિક્ષક-શિક્ષિકા ) ખર્ચ ચલાવ્યા. એ અરસામાં એકવાર માંદા પડયા. બીજા પૃવા લાગ્યા કે કઇં ભેગું કર્યું છે? વીમા લીધા છે? મહાત્મા ગાંધીજીનું વાંચ્યા પછી વીમે લીધેલા તૈયે જતે કર્યો હતા. પછી કાર્ય કરાએ સલાહ આપી : “ સન્યાસી અને વાનપ્રસ્થાશ્રમી ન હાય તેણે પોતાની-પત્નીની અને બાળકાની, બધાનેા સહસાધના તરીકે વિચાર કરવા જોઈએ.' એ વાત સાચી હતી. માતા ઇચ્છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭૩ ન ઈચ્છે પણ દિકરીને પરણાવવાની હોય તે એને કંઈને કંઈ આપવાને વિચાર સહેજે આવે. એવી જ રીતે બાળકો માટે ઘરને વિચાર આવે. ત્યાં ખેડૂતોએ દશ વીઘાની વાડી આપી. મેં કહ્યું: “હું ખેડૂત રૂપે ધંધાદારી બની શકું નહીં. એટલે એ સંસ્થાની રહેશે. મકાન પણ બાળકોને રહેવા માટે, વેચવા માટે નહીં.” ટુંકમાં મકાન વેચવાની કે ભાડે આપવાની પ્રક્રિયા નહીં. વ્યાજ વટાવને ધ નહીં. કમાવા માટે ફાંફાં મારવાના નહી; આમ જે કુદરત નિર્ભરતાને મુખ્ય રાખવા છતાં પિતાની કક્ષા પ્રમાણે ઓછું લેવું અને વધુ આપવું એ રીતે પ્રમાણિક ધંધામાંથી આજીવિકા મેળવે અથવા એવો જ પ્રામાણિક સેવા-વ્યવસાય પસંદ કરી, પોતાની જાતને આ રીતે જોડે તે કશા પણ વ્રત-પચ્છખાણ કે ત્યાગના નિયમના ભાર વિના માલિકી હક મર્યાદા આવી રહે છે. આ મારો જાત અનુભવ મેં કહ્યો છે. એવી જ રીતે સૌ પિતપિતાની મર્યાદા વિચારી લે એટલું જ વિનમ્ર સૂચન છે. પરિગ્રહી વૃત્તિને ઇતિહાસ: શ્રી પૂંજાભાઈએ સંધરો-પરિગ્રહ કેમ કે તેને ઇતિહાસ રજૂ કરતાં કહ્યું – “એવું લાગે છે કે પ્રથમ માનવી કુદરત પર જ જીવતે હશે. પણ, કુદરતમાં ખાડા – ટેકરા આવ્યા, દુકાળ વગેરે આવ્યા અને શ્રદ્ધા ઢીલી પડી ગઈ. બીજી બાજુ સાથની તા સ્ત્રી – પુરૂષને જરૂર હતી, છે અને રહેવાની પણ કાયમ સાથે રહી સાધના કરતાં વિકાર વાસના સામે નરનારીએ ઘણું બંધો ખેડતાં, બન્નેમાંથી એક કે બન્ને હાર્યા હેવા જોઈએ. તેમાંથી લગ્ન સંસ્થાને જન્મ અને વિકાસ થયો. ૧૮ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વિશ્વવાત્સલ્યને વહેવડાવવું હોય તે સંતાનને કેમ છોડાય ? એ જવાબદારી ઉપાડી અને થોડે સંગ્રહ કરતા, દેખાદેખીએ વધુ સંગ્રહ થયે. જો કે અગાઉ સાર્વજનિક કાર્યોમાં સંગ્રહ, કાંઈ પણ કામ પ્રસંગે તરત વપરાઈ જતે પણ ધીમે ધીમે તે વધુ થવા લાગે. આમાં પણ સારાં કપડાં, દાગીના, મકાન, સામાજિક ખર્ચ વગેરેમાં હરિફાઈઓ થવા લાગી. પરદેશને બહુ ચેપ ન હતો ત્યાં લગી મર્યાદા કાંઈકેય રહેતી, પણ પછી તે પરિગ્રહ વધ્યો. એક ઠેકાણે ટકરે થાય તે બીજે ઠેકાણે ખાડે પડે જ! જેમ જેમ ખાઓ વધવા લાગ્યો કે નીતિના બંધ ઢીલા પડવા લાગ્યા. ચોરીનાં પણ સાધને મેળવવાં અને જોગવવાં એવી વૃત્તિ જાગી. બુદ્ધિવાળા દિન દહાડે અને ઓછી બુદ્ધિવાળાં દાંડ તર રાત્રે લૂંટવા લાગ્યા. જ્યાં પરિગ્રહ ન હોય ત્યાં કેવું સંધરે અને કોણ ચેરે? બાકી આજે તે પરિગ્રહની લાલસાએ માઝા મૂકી દીધી છે. ખુદ એક અપરિગ્રહી સાધુ જે ધર્મના ધુરંધર ગણાતા, અને જેઓ ધર્મ નિસર્ગ, નિર્ભરતા અને અપરિગ્રહની અવધિરૂપ ગણુતા, તેઓ વીસ હજાર રૂપિયા આડકતરી રીતે પિતીકારૂપે ફેરવતા હતા, આ સાંભળીને આપણે દિંગ થઈ જઈએ છીએ અને દુઃખ પણ ખૂબ થાય છે. આ દાખલો આપવાનું કારણ એટલું જ કે સમાજમાં પરિગ્રહને સડે કેટલો ઊડે ગયે છે. આથી જ વિશ્વ વાત્સલ્યના પ્રચારક સાધક – સાધિકાએ ઝીણું ઝીણી વાતને પરિગ્રહ છેડીને માલિકી હક મર્યાદાને વિચાર કરવો પડશે. શ્રી દેવજીભાઇએ ત્યાર બાદ પિતાની નજીકમાં રહેતા એક કુંભારકુટુંબને દાખલો આપ્યો હતે. ગરીબી કે તંગીમાં દેખાદેખીથી કેવી રીતે દૂષણ પેસે છે તેનું બયાન રજૂ કર્યું હતું. અને તેમાં થોડી ક છત થતાં; ચહેરા કેવા ખીલી ઊઠે છે તેને પણ અનુભવ રજૂ કર્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ માલિકી હક મર્યાદાને ઊંડે વિચાર થવા જોઈએ: શ્રી બળવંતભાઈએ કહ્યું : “ગાંધીજીએ આપણને ટ્રસ્ટશીપને શબ્દ આપે છે. વિનોબાજીએ માલિકી હક વિસર્જન રજૂ કર્યું છે અને પૂ. મહારાજશ્રી સંતબાલજીએ માલિકી હક મર્યાદા શબ્દ આપ્યો છે. મારા નમ્ર મત પ્રમાણે માલિકી હક મર્યાદાને મુદ્દો ખૂબ ઉડાણથી વિચારવા જેવો છે અને તે સાવ વહેવારૂ હોવાની સાથે યુગાનુરૂપ પણ છે. ચલાબા ખાદી વિદ્યાલયમાં મને આને અનુભવ થયો છે. સંસ્થાઓ તરીકે ભાલ નળકાંઠાની સંસ્થાઓ તરફ નજર કરે છે. મને તો ખરેખર અનુબંધ વિચારધારાને જ માર્ગ ગમે છે. મને એ પણ નવાઈ લાગે છે કે તેલંગાને બનાવ તાજો છતાં શ્રીમંત કેમ ચેતતા નથી. ' ગરીબો ગરીબ છે–એ તેમનાં કર્મે છે એવું શ્રીમતિ માને છે પણું, પિતાને દેષ જોતા નથી. એવી જ રીતે સાધુએ પણ દાનને પ્રતિષ્ઠા આપે છે પણ, એ નાણું ક્યાંથી આવે છે તેને વિચાર કરતા નથી. તો ભવિષ્યમાં શું થશે? આજના આર્થિક પ્રશ્નોને ઉકેલ મારા મતે તે માલિકી હક મર્યાદા જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ [૧૩] વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમ [૧૬-૧૦-૬૧] શ્રી દુલેરાયભાઈ ભાટલિયા - વિશ્વવસલ્ય, તેની ભાવના, તેની નિષ્ઠા તેમ જ વ્રતો અંગે અત્યાર અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. પણ એને અમલમાં મૂકવા ભાટને કાર્યક્રમ પણ હવે જરૂરી છે. અહીં તે ઉપર વિચાર કરવાને છે. દરજ (વિશ્વવત્સલ સંધની) પ્રાર્થનાને અંતે – સર્વથા સૌ સુખી થાઓ, સમના સાં સમાચરે; સર્વત્ર દિવ્યતા વ્યાપ, સર્વત્ર શાંતિ વિસ્તરે.” –એ ચાર સૂત્રે બોલવામાં આવે છે. એમાં વિશ્વ વાત્સલ્યને આ કાર્યક્રમ આવી જાય છે. તે કેવી રીતે તેને વિચાર કરીએ. કાર્યક્રમ પ્રથમ બધા પ્રકારે બધા સુખી થાઓ આ પહેલો કાર્યક્રમ છે. દાઢની અંદર ફોતરૂં હોય ત્યાં લગી જીભ અડયા કરે અને તેના ઉપર ફર્યા કરે તેમ જ તે નીકળે ત્યારે જ સતોષ થાય; ચેન પડે. આંખમાં કણું પડયું હોય ત્યાં સુધી સતેષ થતો નથી, તે નીકળેથી જ સંતોષ અને સુખ થાય છે. એવી જ રીતે જ્યાં સુધી દેહધારીને દેહનું દુખ હોય ત્યાં સુધી, એને ભગવાનનું નામ પણ સારું ન લાગે અને ભજન પણ વસમું લાગે. આ અંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ભગવાન બુદ્ધે આનંદને એક ભિખારીને જ્ઞાન આપવા મોકલ્યો તેને દાખલો ઘણે જ જાણે છે. ભિખારી ભૂપે હતો એટલે આનંદની ધર્મશિક્ષા ઉપર તેનું ધ્યાન ન ચેટિયું. પણ બીજે દિવસે બુદ્ધ ગયા અને તેમણે તેના ભૂખનું નિવારણ પ્રથમ કર્યું અને તેને ધર્મોપદેશ પમાડશે. દેહદુ:ખ નિવારણને કાર્યક્રમ એટલે દેહનાં દુઃખ દૂર કરવા એ પહેલો કાર્યક્રમ છે. એના ત્રણ ભાગ કરી શકાય. તે નીચે મુજબ છે –(૧) પાણીનું દુઃખ, (૨) ખોરાકનું દુઃખ (૩) અન્ન અને વસ્ત્ર તેમ જ નિવાસનું દુઃખ. - ભાલમાં પાણીનું દુઃખ હતું. એવો જ ત્રાસ રાજસ્થાનમાં પણ છે. આજે તે જે કે ભાલમાં પાઈપ લાઈન આવી છે. પણ તે વખતે પાણીને જે ત્રાસ હતા તેને દૂર કરવા માટે “ જલ સહાયક સમિતિ” રચવામાં આવી હતી અને તેના વડે તળાવ વગેરે ખેદાવવાનાં કાર્યો શરૂ થયાં પછી વિશેષ પ્રયત્નના અંતે મુંબઈ સરકારે પાઈપ લાઈન સ્વીકારી. - બીજું દુઃખ છે અનનું પઢાર લોકો અને અભાવે ટળવળે અને ઘેગ (એક જાતનું ખડધાન્ય) વીણીવીણુને લાવે છતાં ય અનાજ પૂરતું ન મળે. બીજાને ત્યાં વધારે ખાવાની સામગ્રી જોઈને મને અન્ન ઉપર રહ્યા કરે. અનશન (સંથાર) કરનારને બાદ કરતાં બધા ય લોકો અન્નની ચિંતા એક યા બીજી રીતે કરતા જ હોય છે. એ દુઃખ દૂર કરવા માટેનાં કાર્યક્રમો ભાલમાં પાયલટ પેજના વગેરે દ્વારા થઈ રહ્યા છે. અને દુષ્કાળ વખતે પૂ. મુનિશ્રી સંતબાલજીએ ભાલના લોકોને ભૂખનું દુઃખ નિવારવાને ખેડૂત મડળ દ્વારા પુરુષાર્થ કર્યો. પાણું અને અન્ન પછીનું ત્રીજું દુઃખ છે રહેઠાણ તેમ જ વસ્ત્રનું. માણસને રહેઠાણ ન મળે તે તે શરદી, ગરમી, વરસાદ વગેરેથી રક્ષણ કેવી રીતે કરે ? વસ્ત્ર ન મળે તો સમાજમાં જીવે શી રીતે ? ટાઢ, તાપ કે વરસાદથી પિતાનું રક્ષણ કેવી રીતે કરી શકે? એટલે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દુખોને (નિવાસ અને વસ્ત્રનાં) ર કરીને શરીરનું રક્ષણ કરવાને કાર્યક્રમ હોવો જોઈએ. સભાગે એક નાનકડા પ્રતીક તરીકે પણ ભાલમાં જવારજમાં હરિજને માટે મકાન બંધાયા અને વોગ માટે સહકારી જીન પ્રેસ તથા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ચાલે છે. રક્ષણને કાર્યક્રમ ઘણી વાર એવું બને છે કે અન્ન, પાણી, વસ્ત્ર, મકાન વગેરેની સુખસગવડ હોવા છતાં રક્ષા માટે નિરાંત હોતી નથી. કોઈ બહારવટીયાને ડર હોય છે; ગામને હેવા છતાં કેઈન્ડાને ભય રહ્યા કરે છે. આવા માણસો પિતાને પ્રાણ લેશે એવું દુઃખ માણસના મનમાં રહ્યા કરે છે. પ્રાણ હેય છતાં તેની રક્ષા બરાબર ન થતી હોય કે ન થઈ શકતી હોય તે તેનું દુઃખ થયા કરે છે. ગામના કે બહારના આક્રમકોને ફડકો ન રહે, તેનાથી રક્ષણ કઈ રીતે કરવું તેની ચિંતા થયા કરે તેમજ પ્રાણુ ન ટકે તેનું દુઃખ ખટકયા કરે છે આવું બધું હોય તે જીવન વિકાસમાં પ્રગતિ ન કરી શકાય. ચેરી થવાની વકી હોય ત્યારે ખેતી સુધારવામાં મન ચુંટશે નહીં. “હું વીરડે તૈયાર કરીશ પણ બીજા પણ ચરાવી જશે. ઝૂંટવી લેશે.” તે વીરડા ગાળવાનું મન થતું નથી. એટલે કેવળ પાણી, અન્ન, વસ્ત્ર અને વસાહતના દુઃખેના નિવારણના કાર્યક્રમ સાથે એ બધાના રક્ષણ કાર્યક્રમ હે જોઈએ. રક્ષણની વ્યવસ્થા નહેય તે આગળ વિકાસ ન થઈ શકે. આ તનના સુખને કાર્યક્રમ થયો. મને દુઃખ નિવારણનો કાર્યક્રમ : પણ શરીરનું સુખ હોય, પૈસા પણ પુષ્કળ હેય તે છતાંયે કેટલીક વખત વધુ મેળવવાની તૃષ્ણાને લીધે, બીજાની પાસે વધુ સામગ્રી જોઈ મનમાં અસંતોષ, અદેખાઈ અને ઈર્ષા થયા કરે છે. કેટલીક વાર પોતાની બિન-આવડતને લઈને દુઃખ થયા કરે છે. એમાં વસ્તુ હોવા છતાં માણસ મનના કે અજ્ઞાનના કારણે દુઃખ ભોગવ્યા કરે છે. એ દુખ કેવી રીતે ન ભોગવવું તેને ખ્યાલ શિક્ષણ-સંસ્કારથી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ માટે શિક્ષણ સંસ્કારના કાર્યક્રમ ગોઠવો જોઈએ. એનાથી મન શિબિત થતાં “મને જે મળ્યું છે તેને હું સારી પેઠે ભાગવું” એવી સમાધાન વૃત્તિ કેળવાય છે. આના સિવાય, ખાવા-પીવાનું સુખ હોવા છતાં અન્યાય થયો હેય, કોકે કડવા વેણ કહ્યાં હોય, અપમાન કર્યું હોય તે તેને સુખ મળતું નથી. ગમે તેટલા પૈસા ખરચ થાય, પણ હું આ અન્યાય સહન નહીં કરી શકુ આમ મનમાં થતું રહે છે. અન્યાયને ડખ દૂર થાય, દેષને બદલો વાળવાથી જ મન શાંત થતું હોઈને અન્યાયના દુઃખને દૂર કરવા માટે ન્યાય મેળવવાનો કાર્યક્રમ ગોઠવવા જોઈએ. સદ્દભાગ્યે ભાલ નળકાંઠામાં લવાદી પદ્ધતિ દ્વારા ઝઘડા પતાવવાનાં તથા શુદ્ધિ-પ્રયોગો દ્વારા ન્યાય મેળવવાના કાર્યક્રમ અને શિક્ષણ સંસ્કાર સમિતિ દ્વારા શિક્ષણ સંસ્કાર આપવાના કાર્યક્રમ ચાલે છે. આમ બધા મળીને સાત સ્વાવલંબનને કાર્યક્રમ બને છે. શિક્ષણ, રક્ષણ અને ન્યાય એ મને દુઃખ-નિવારણ માટેનાં અને અન્ન, વસ્ત્ર, વસાહત અને આરોગ્ય એ ચાર શરીર દુઃખ નિવારણ માટેના કાર્યક્રમ છે. આમ સપ્ત સ્વાવલંબનમાં ૩ આધિ (મને દુઃખ-શિક્ષણ, રક્ષણ અને ન્યાય) નિવારણના, ૧ વ્યાધિ (આરોગ્ય) નિવારણને અને ૩ ઉપાધિ (શરીર દુઃખ-જળ. અન્ન. વસાહત-વસ્ત્ર) નિવારણના કાર્યક્રમો થયા. સપ્ત સ્વાવલંબનની પાછળ આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણે તાપથી (દુ:ખથી) મુક્ત થવાની વાત છે. એટલે પ્રાથમિક જરૂરિયાત–આજીવિકાની ચિંતા, તનની ચિંતા અને મનની ચિંતા દૂર કરવાના ઉપાયો સંપ્ત સ્વાવલંબન દ્વારા કેવી રીતે થાય તે આપણે જોઈએ. જીવ માત્રમાં દુઃખ દુર કરવાના ઉપાયને પહેચી શકાતું નથી એટલે માણસ માત્ર સુધીની વાતમાં મર્યાદા લીધી. આખો માનવ સમુદાય પહેચી ન વળાય એટલે એક ઠેકાણે આ પ્રયોગ કરવામાં આ. ભાલપ્રદેશ દુઃખી હતો ત્યાં વિશ્વાત્સલ્યના કાર્યક્રમની ચતુપદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પકી પહેલાં ચરણને કાર્યક્રમ શરૂ થયે, પ્રતીક તરીકે ત્યાં જ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા. દા. ત. પાણીના દુઃખને દૂર કરવા માટે ભાલમાં તળાવડીઓ ખેરવામાં આવી. કાર્યકરોએ ખેડૂતોને આ વસ્તુની પ્રેરણા આપી. અન્ન માટે ગૂટીના આશ્રમમાં ત્યાં થોડીક જમીન ઉપર ખેતીના નવા ગે, પ્રતીક રૂપે કર્યા. અન્નભંડાર પણ પ્રતીક રૂપે રાખેલો. વસ્ત્ર અને બીજી જરૂરિયાતો માટે ખાદી ગ્રામોદ્યોગોને પ્રયોગ પ્રતીક તરીકે ચાલે છે. વસાહત માટે પ્રતીક તરીકે જવારજમાં ભંગી જેવા પછાત ગણાતા વર્ગ માટે મકાન બંધાવી તે કાર્યક્રમ શરૂ કર્યો. શિક્ષણ માટે સર્વોદય યોજના વડે જીવનશાળાઓ, પછી બુનિયાદી શાળાઓ (પૂર્વ બુનિયાદી અને ઉત્તર બુનિયાદી) અને અધ્યાપન મંદિર (નવા શિક્ષકો તૈયાર કરવા માટે)ને પ્રયોગ ચાલે છે. આરોગ્યના કાર્યક્રમના પ્રતીક રૂપે શિયાળ અને સાણંદમાં દવાખાનાંએ ઊભા કરવામાં આવ્યાં. રક્ષણ અને ન્યાય માટે લવાદી પ્રથા દ્વારા ઝગડા પતાવવા, અન્યાય નિવારણ કરવા શુદ્ધિપ્રયોગ તેમજ શાંતિ સ્થાપવા માટે શાંતિસેના પ્રયોગ દ્વારા કાર્યક્રમ ગોઠવાયા. આ બધા કાર્યક્રમો તે પ્રતીક રૂપે નાનકડા પ્રદેશમાં ગોઠવાયા છે, છતાં સાંસ્કૃતિક છે. એમાંથી શકિત જન્મવાનો સંભવ છે એટલું જ નહીં તે એક આદર્શ રૂપે રજૂ થઈ શકે છે. વિશ્વની માનવજાતિ સુધી તો નહીં પણ આખા ભારતમાં આ કાર્યક્રમ ફેલાઈ જાય તે પછી વિશ્વ સુધી પહોંચી શકે એવી શક્યતા આ કાર્યક્રમમાં પડી છે. આ પ્રયત્ન સાચી દિશામાં છે એટલે વિશ્વ સુધી પહોંચતા વાંધો નહીં આવે. એ જ કાર્યક્રમોને જેમ જેમ વ્યાપક બનાવવામાં આવશે તેમ તેમ આગળ વધશે અને એમ કરતાં તે આખા વિશ્વને આવરી શકશે. માનવજાતમાં સહેજે મદદ કરવાની તેમજ પોતાને તથા બીજાને સુખી જોવાની ખેવના હોય છે. એટલે એને અનુરૂપ અને વિશ્વવસલ્યના પ્રથમ ચરણ રૂપ “સર્વથા સૌ સુખી થાઓ આ કાર્યક્રમ લોકપ્રિય બનશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ કાર્યક્રમ દ્વિતીય સમતા સૌ સમાચરે: કાર્યક્રમનું બીજું ચરણ છે: “સમતા સૌ સમાચરે !” વિષમતા હોય ત્યાં ઉપલા કાર્યક્રમો શી રીતે ચાલી શકે? એ માટે સમતાનું આચરણ સૌ કરે એ જરૂરી છે. દા. ત. ગ્રામ-અર્થકારણ અને નગર–અર્થકારણમાં વિષમતાને લીધે ઘર્ષણે ઊભા થતાં હેય, એક સાધનહીન હોય અને બીજે સાધન-સંપન્ન હોય તો અર્થનીતિની વિષમતાને લઈને સપ્ત સ્વાવલંબન ટકી જ ન શકે. આ વિષમતા સ્વાવલંબનના પ્રયોગને ખાઈ જશે. વિષમતા કયાં યે હેય તો ત્યાં શાંતિથી કામ ન ચાલી શકે. મજૂરો –માલિકોમાં વિષમતા હોય તે પણ કાર્ય સરળતાથી ન થાય. આર્થિક વિષમતા કદાચ દૂર થાય પણ સામાજિક વિષમતા હોય તો સમાજમાં શાંતિ ન રહી શકે. ખેડૂત મંડળ, ગોપાલક મંડળ અને ગ્રામોદ્યોગી–મજૂર–મંડળમાં કાયદાના કારણે ઘર્ષણ ઊભા થયાં કરે, ઊંચ નીચ અને અસ્પૃશ્યતાના ભેદ કે સમાજમાં સૌને વિકસવાની સમાન તક આપવાની દૃષ્ટિ ન હેય તે સમાજમાં વિષમતા પેદા થાય અને સમાજ તરફડ્યા કરે. જેમ પાણી સૂકાતાં માછલાં તરફડે એવી જ રીતે સમાજમાં, સામાજિકતા અને સદગુણ રૂપી પાણી સૂકાવા માંડે છે તેવી જ રીતે સમાજ પણ તરફડે. એટલે આ ઉપલા ત્રણે મંડળો દ્વારા ઘડાતા સમાજમાં, સામાજિક્તા રૂપી પાણી પૂરવાની અને ત્રણે મંડળોમાં મેળ અને સમન્વય રાખવાની અનિવાર્ય જરૂરિયાત રહે છે. તેનાથી જીવનની આર્થિક અને સામાજિક વિષમતા દૂર થઈ શકશે. આ વિષમતા દૂર થયા વગર સમતા આવી શકે નહીં. હવે આ કાર્યક્રમ ઉપાડે કોણ? એના જવાબમાં જણાવવાનું કે જેમણે આજીવિકા અને પરિગ્રહની મર્યાદા કરી છે, સમાજસેવાનું વ્રત લીધું છે, પિતાના નિર્વાહની ચિંતા સમાજને સેંપી છે, જીવનમાં જાતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વ્રત–બદ્ધ થઈ આગળ વિકાસ સાધવાનું મળ્યું છે, જીવનમાં આવતી સામાજિક-આર્થિક વિષમતાને જેમણે આધ્યાત્મિક સમતાના વિચારોથી સમાવી દીધી છે; એવા નવા બ્રાહ્મણો એટલે લોકસેવકોએ આ કાર્યક્રમને ઉપાડવાનું છે. તેમણે રચનાત્મક કાર્યકરને સંધ - પ્રાયોગિક સંધ તેમજ જુદાં જુદાં સંગઠને અને કાર્યવાહક-સહાયક સંગઠને ઊભા કરવાનાં છે. સાથે જ એ સંગઠનમાં તેમણે પારસ્પરિક સમન્વય અને મેળ બેસાડવાને છે અને તેમની આજીવિકાની ચિંતા દૂર કરવાની છે. આ ત્યારે જ બની શકે જ્યારે પિષણ પૂરતી આજીવિકા મળી શકે તેવા કાર્યક્રમ તેઓ યોજે, જનાઓ ઘડે, જનતા સમક્ષ મૂકે અને જનતા દ્વારા રાજ્ય સુધી તે જનાને પહોંચાડે તેમણે સહકારી પ્રવૃતિઓમાં ફરજ્યિાત બચતથી આર્થિક આધાર ઊભો કરવાનો છે અને સહકારી પ્રવૃત્તિઓ દ્વારા તેમણે આર્થિક વિષમતા ભટાડવાની છે, એટલું જ નહીં દશ ટકા જેટલી બચત કરતાં શીખવે જે આફત વખતે વીમાની ગરજ સારી શકે. તેમણે ખેટા ખરચા ઓછામાં ઓછા થાય તે જેવું પણ જરૂરી છે. કદાચ પાકને વ્યાજબી ભાવ તેમને ન મળે તો પણ તેમણે એક આશ્વાસન તે રાખવાનું છે કે અમે એક્લા કે નેંધારા નથી, નૈતિક સંગઠને અમારી પડખે ઊભાં છે અને વિશ્વના ખેડૂત-મજૂર સંગઠને પણ અમારી પડખે બેઠાં છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય મજૂર સંધ (ઈન્દુક) સાથે અમારા સંગઠનને અનુબંધ છે અને તેને વડે અમારે અવાજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચાડવામાં આવશે અને એક દિવસ અમને જરૂર ન્યાય મળશે. આમ અન્યાયની સામે પણ આ નૈતિક જન સંગઠનને અહિંસક રીતે લડતાં શીખવવાનું છે અને અહિંસક ઢબે ન્યાય મેળવવાની તાલીમ આપવાની છે. ગાંધીજીએ માલિકોને અન્યાય સામે મજુરને જેમ અહિંસક રીતે પદ્ધતિસર લડવાનું શીખવ્યું હતું તે ગાંધી માર્ગ દ્વારા ખેડૂત, ગોપાલકો અને આમ મજુરો (શ્રમિકો) પણ અહિંસક ઢબે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ વડી શકે એ રીતે તેમને શીખવવાનું છે. પુનરચના મંડળની બેજના દ્વારા પ્રાયોગિક સાથે આ બધું કરવાનું છે. જેમ સામ્યવાદ વિશ્વની આર્થિક વિષમતા દૂર કરવા માટે અશુદ્ધ સાધને લઈને લડે છે તેમ વિનોબાજીએ શુદ્ધ સાધનોથી માલિકી હકક-વિસર્જનને નાદ દુનિયાભરમાં ગુંજા છે. એટલે આ બધા નૈતિક સંગઠનેને એવી ખાતરી મળવી જોઈએ કે અમે એકલાં નથી પણ વિશ્વના પ્રવાહે અમારી તરફેણમાં છે, એ રીતે શ્રદ્ધા મજબૂત કરવાની જરૂર છે. આ થયો આર્થિક વિષમતા દૂર કરવા માટે પ્રાયોગિક સંઘને કાર્યક્રમ. પણ સામાજિક વિષમતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? આજે તે એક જ વર્ણમાં એક બીજાને ઉંચા-નીચા માનવામાં આવે છે. આ વાઘરી છે એટલે નીચા છે; ભરવાડે ગમાર અને અણઘડ છે, ખેડૂતો રોંચા છે, પછાતવર્ગના લોકો હલકા છે આવી લાધવ-ગૌરવની ગ્રંથિઓ લોકોમાં પેસી ગઈ છે. ભંગી લોકો ધોબીને નીચા ગણે છે તેમ બેબી પઢારને નીચા માને છે; કારણ એ બતાવે છે કે એ લોકો ઉંદર ખાય છે અને ખાતા નથી. એવી જ રીતે વાણિયાની જાતિઓમાં વિશા પિતાને ઉંચા માને, દશા નીચા, પાંચા અને અઢીયાને તો એથી પણ નીચા ગણે કયાંક કારડિયા ઊંચા તો નાડોદા નીચા છે. આ પ્રકારની જે ગાંઠે સમાજમાં પડી છે તેના કારણે મેળ નથી પડતો અને આ વિચિત્ર પ્રકારની જ્ઞાતિ-વ્યવસ્થાના કારણે સમાજ વ્યવસ્થામાં વિષમતાના સંસ્કાર ભયંકર રીતે ઊંડા ઊતરી ગયેલાં છે. આર્થિક સમાનતા હોવા છતાં આવી સામાજિક-વિષમતાના સંસ્કાર જનતામાં હોય તો તેને તેડવાના કાર્યક્રમ ગોઠવવા જોઈએ. આ સમતા આચરવા અને અચરાવવાને કાર્યક્રમ પ્રાયોગિક સંઘને છે. ત્રી કાર્યક્રમ-સર્વત્ર દિવ્યતા વ્યાપે : વિશ્વવસલ્યના કાર્યક્રમનું ત્રીજું પગથિયું છે: “સર્વત્ર દિવ્યતા વ્યાપ !” સમાજમાંથી તનનાં અને મનનાં દુઃખ દૂર થાય, વિષમતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ દૂર કરવા માટે કાર્યક્રમો ચાલવા છતાં કે જ્યાં સુધી સમાજમાં દિવ્યગુણોના સંસ્કારે ન પ્રગટે ત્યાંસુધી સુખ કે સમતા ચિરકાળ સુધી ટકવાના નથી. એ જોવામાં આવે છે કે જ્યાં અભાવ -નથી, વિષમતાનું દુઃખ નથી, એવા ઘણાયે પ્રતિષ્ઠિત લોકો અને સામાન્ય પ્રજામાં સુખ લાંબા ગાળા સુધી ટકતું નથી કે એ સુખ એમનામાં દિવ્યતા પ્રગટાવી શકતું નથી. ગીતામાં, અભય, સત્વ સંશુદ્ધિ, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, જ્ઞાન, વગેરે ૧૬ દિવ્યગુણ બતાવેલ છે. તેને દૈવી સંપત્તિ કહેવામાં આવી છે. માનવસમાજમાં આ દિવ્ય ગુણે કેમ પ્રગટે? તેને પ્રગટાવવાનું કામ કોણ કરે? એ અંગે વિચાર કરીએ. છે જેણે પિતાનું જીવન દિવ્ય-ગુણની સાધનામાં અર્પણ કર્યું છે. સામાન્ય જ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીની સાધના માટે જે સતત મથતા રહે છેમનુષ્યનું પૂર્ણ સ્વરૂ૫ દિવ્ય અવસ્થા છે, તેને ક્રમે ક્રમે મેળવવા જે પુરૂષાર્થ કરે છે તે સાધવર્ગ સમાજમાં દિવ્ય ગુણો પ્રગટાવવાનું કામ કરી શકે. આ સાધુવર્ગમાં બધા પ્રકારના સાધુએ આવી જાય છે. તેઓ જુદા જુદા દેશમાં હાઈને જુદા જુદા દિવ્યગુણે ઉપર ક્રમે ક્રમે ભાર મૂકતા જશે. ક્યા દિવ્યગુણ ઉપર વધારે ભાર મૂકો અને કયા દિવ્યગુણ ઉપર છે ભાર મૂકવો એ તો તે-તે દેશ, કાળ, પરિસ્થિતિ જોઈને સાધુવર્ગ પોતે નક્કી કરશે. પણ, સાધુસંસ્થાને મુખ્ય કાર્યક્રમ સમાજમાં દિવ્યગુણે પ્રગટાવવા, વિકસાવવા અને વધારવાનું છે. તેઓ ગામડાં અને શહેરનાં અલગ અલગ જનસંગઠનોથી લઈને જનસેવક સંગઠને અને ધર્મસંગઠને સુધીમાં નિરીક્ષણ કરશે કે કયા કયા દિવ્યગુણની જરૂર છે અને તે માટેના કાર્યક્રમ મૂકશે. આજકાલ સામાન્ય રીતે લોકોને-મજૂરોને પૈસા વધારે મળે છે. તેમાં પણ શહેરમાં એથી યે વધારે મળે છે. એટલે તે પ્રમાણમાં સંપત્તિ - વધી છે પણ દિવ્યગુણે ન હોવાને કારણે તે સંપત્તિ ટકતી નથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ તેમ તેમની નિશ્ચિતતાનું સાધન બનતી નથી. પૈસો જેમ જેમ વધે છે. તેમ દિવ્યગુણોના અભાવે લોકે, સિનેમા, વ્યસને, દારૂ, તાડી, નિરર્થક સાહિત્ય કે વિષયવાસનાના પ્રકારે માં વધારે ને વધારે સંપત્તિ વેડફતા જય છે. તેમને જે આનંદ મળે છે, જે બેફિકરી છે તે ધૂનને આનંદ અને બેફિકરી છે. તે ક્ષણિક છે અને તેમાંથી સ્થાયી સુખ મળવાનું નથી. તેમને દિવ્યગુણે વડે સાચો આનંદ મેળવવાની વાત કોણ શીખવી શકશે કે સ્થાયી સુખ અને નિર્દોષ આનંદ તે દિવ્યગુણોમાં રહેલાં છે. એ કામ સાધુસંસ્થાનું છે. તેમણે દિવ્યગુણો વડે આનંદ મેળવ્યા છે અને તેઓ જ સમાજને એ વાત શીખવી શકશે કે એમાં જે આનંદ છે તે સંપતિ વેડફી નાખી ક્ષણિક વાસનાને સંતોષતા સાધનમાં નથી. તેમણે ઉત્સાહ આપી, પ્રેરણા આપી તેમનામાં દિવ્યગુણ પ્રગટાવવાની કળા શીખવવી પડશે અને એથી કરીને લોકોની શક્તિને સારી દિશામાં લગાડવી પડશે. આ દિવ્યગુણ વિકાસની અંદર, જનતા, જનસેવક, રાજ્ય અને સાધુ વર્ગ એ ચારેય સંસ્થાઓને અનુબંધ આવી જાય છે. સાધુ સંસ્થા આગળ ગુણ વિકાસનું આ મોટું કામ પડેલું છે. તેમણે મનુષ્યમાં પૂર્ણ ગુણોને વિકાસ કેમ થાય તેવા પ્રયોગ કરવાના છે, તેવું ચિંતન કરવાનું છે, અન્ન નિરીક્ષણ કરવાનું છે અને તદનુરૂપ અનુબ ધો જોડવાના છે. જ્યાં જ્યાં સંસ્થાઓ કે સંસ્થાની કડી તૂટતી હેય, અનુબંધ બગડતો હેય અને પરિણામે વિષમતા ફેલાતી હેય, આજીવિકાની નિશ્ચિતતા ન મળતી હોય, ત્યાં બરાબર નૈતિક ધામિક માર્ગદર્શન આપી તેમજ ન્યાય અને હૂંફ અપાવીને દિવ્યગુણે વધે તે રીતના પ્રયત્ન કરવા જોઈએ. આની સાથે એ જરૂરી છે કે સમાજમાં ગુણોની પ્રતિષ્ઠા વધે અને અવગુણોની પ્રતિષ્ઠા તૂટે એ પ્રયત્ન અનિવાર્ય કરવો જોઈએ. જે એમ નહીં થાય તો અવગુણોની પ્રતિષ્ઠા વધી જશે. પરિણામે દિવ્યગુણોની વાત, સાધુ વર્ગ વ્યાખ્યાનમાં કહેશે પણ કાંઈ વળે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નહીં આવું વાતાવરણુ બંધાઈ જાય અને દિવ્યગુણાની વાતા ફકત કહેવા સાંભળવા સુધીજ અટકી જાય. એટલે સાધુ સંસ્થાએ અવગુણ સાથે મારે શું એમ વિચારીને અલગ રહેવાનું નથી પણ આખા વિશ્વને પેાતાનુ ગણી અભેદ અનુભવ કરવા જોઈ એ. "" જ્યાં જ્યાં દાષા કે અવગુણા છે તે મારાજ છે, હુ દૂર ન કરી શકું તે મારી સાધનામાં ખામી છે. એ દાષા મારી વિશ્વાત્મભાવની આત્મવત સર્વભૂતેષુની-સાધનામાં નડશે, સાધનામાં અંતરાયે ઊભા કરશે. એટલે મારી સાધનામાં આવતા આ જાળાઝાંખરાં રૂપ દેવાની નિંદામણુ કરી મારે ક્ષેત્ર વિશુદ્ધ કરીને દિવ્યગુણાને વાવવાં જોઈ એ ’ એવા પેાતાની જાતને વિશ્વમાં વિલીન કરવાને અનુભવ મળે તે સાચા આનંદ મેળવી શકે. મા જેમ પાતાના ખાળકની સાથે અભેદતાને અનુભવ કરે છે તેમ, આ સાધુ સંસ્થાએ વિશ્વની સાથે અભેદતાના અનુભવ કરવાના છે. આ કામ પર ંપરાગતથી આવતી સાધુ–સંસ્થા ન કરી શકે એવું ઘણાને લાગ્યા કરે છે. તે એટલા માટે કે સંસ્થા ઢાય ત્યાં જુદી જુદી પ્રકૃતિ, ટેવા અને સંસ્કારવાળા માણસા એમાં હોય છે, એ માટે બંધારણ ધડવુ પડે છે અને તેમાં ઉત્સ-અપવાદ વગેરે રાખવા પડે છે. તે ન રાખવામાં આવે તે સંસ્થા જુદી જુદી પ્રકૃતિ અને અમૂક સયેાગવાળા સાધાને સિદ્ધાંત-બાધ કે અપવાદ સિવાય સાચવી અને ઘડી ન શકે. પણ આ ભિન્નતા તે સત્ર અમૂક અંશે રહેશે એટલે એ સંસ્થા કામ ન કરી શકે એવુ નથી, જરૂર એના સભ્યા પાતપાતાની શક્તિ અને પ્રકૃતિ પ્રમાણે જે દિશા નક્કી થયેલી છે તેમાં કામ કરશે. માણસમાત્રની પ્રકૃતિમાં એક વસ્તુ પડેલી છે કે જ્યાંસુધી પૂ દિવ્યતા ન પ્રગટે ત્યાંસુધી એમાં અદેખાઈ, ઇર્ષા, દ્વેષ, ધૃષ્ણા, આસક્તિ વગેરે નબળાઈઓ સૂક્ષ્મ અંશે પણ રહેવાની જ. કયારેક સાધુસંસ્થામાં જુના અનુભવી અને દિવ્યગુણવાળા રાહબર સાધુએ બે-ચારજ હાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ અને નવો વર્ગ વધારે હોય ત્યારે સાધુ સંસ્થાના બધા સભ્યોના ગુણના સરવાળા કરતાં નબળાઈને સરવાળે વધી પણ જાય, તે છતાંયે દિવ્યગુણોને સમાજમાં વિકાસ તો સાધુ સંસ્થા જ કરશે. એવું પણ જોવામાં આવે છે કે શિષ્ય-શિષ્યાના મેહના કારણે આહારની વહેંચણું વખતે સાધુઓમાં ખટરાગ ઊભો થયા કરે છે. એવું ન થવા પામે તે માટે સાધુસંસ્થાને શિસ્તનાં બંધને પણ છે. શિસ્તભંગ કરે કે અમૂક દેષ કરે એને પ્રાયશ્ચિત પણ આપવામાં આવે છે. પ્રાયશ્ચિત ન સ્વીકારે તો સમાજનું નૈતિક દબાણ પણ એના ઉપર લાવવામાં આવે છે અને ફરીથી દેષ કરતા અટકાવવા પડે છે. આ તેની ઉજળી બાજુ થઈ પણ તેની બીજી બાજુએ એવું પણ જોવામાં આવે છે કે એમાંથી (પ્રાયશ્ચિત) બચવા માટે કેટલાક સાધુઓ દંભને આશ્રય લે છે. દંભની સાથે અજ્ઞાન અને અહંકાર પણ હોય છે. એટલે સાધુ સંસ્થામાં રહેલા સાધુઓ “અહં” ન ઓગળે ત્યાં સુધી સર્વથા નિર્લેપ રહી શકતા નથી. પણ, બીજા ભાવો કરતા સાધુતા સ્વીકારી દિવ્યમાર્ગે જવા માટે અમુક દિવ્ય ગુણવાળા સાધુ પાસે રહીને વિકાસ સાધવાનો છે અને એ માટે જ સાધુ સંસ્થા રચાયેલી હોય તેણેજ દિવ્યગુણો સમાજમાં વિકસાવવાને કાર્યક્રમ પાર પાડવાનું છે. એના માટે દિવ્ય ગુણોને વિકાસ સાધનાર સાધુઓએ સાધુસંસ્થામાં રહી, દિવ્ય ગુણોને સમાજવ્યાપી બનાવવા માટે ભૂમિકા તૈયાર કરવી જોઇશે; તેમ જ ચારે ય અનુબધાને ગોઠવવાની તૈયારી કરવી પડશે. તે જ આ સંગઠનો દ્વારા ગુણવિકાસ સાધી શકાશે. સાધુસંસ્થાની કોઈ પરંપરા ગુણવિકાસ ઘાતક હશે તે તેમાં તેઓ સંશોધન કરશે. આવા ક્રાંતદ્રષ્ટા સાધુઓ પિતાની સાધના દઢપણે કરતા કરતા પિતાના આત્માને વિશ્વમાં વિલીન કરી શકશે. અરવિંદ કહે છે તેમ? “ઉધ્વગામી ચેતના થઈ ગઈ હોય તે દિવ્યગુણે તેમાં પ્રગટે છે અને તેનાથી બીજા, ચેતનાવાળા પ્રેરણા લે છે.” તે આ પ્રમાણે દિવ્યગુણ વિકાસી ક્રાંતિકા સાધુ, સમાજની અવ્યવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જોઈને એમાં સુવ્યવસ્થા કેવી રીતે સ્થાપવી, તેને ઉપાય સૂચવી શકે છે; તે પરિવર્તનને જોઈ શકે છે અને કાર્ય-કારણના અનુબધે ભવિષ્યમાં શું થશે તે જોઈ શકે છે. આથી અનુબંધમૂલક ત્રણે સંગઠનોના ક્ષેત્રમાં જ્યાં જ્યાં અશાંતિનાં મૂળ પડ્યાં હોય ત્યાં શાંતિનાં કારણે શેધી શકે અને બતાવી શકે છે. - જ્યાં જન્મે છે ત્યાં મરણ છે, એને ભય પડેલ છે. તેના કારણે સામાન્ય વ્યક્તિમાં એ ભયને લીધે અશાંતિ ઉપજે એ સહજ છે. એટલું જ સહજ દિવ્યદ્રષ્ટા સાધુઓ માટે એ અશાંતિને નિવારી, શાંતિ કરવાનું કામ છે. જેમ ખેડૂત શેરડીને જોઈને રસને ખ્યાલ કરી શકે છે, વૈજ્ઞાનિકો અણુનું ભવિષ્ય જોઈ શકે છે. તેમ દિવ્ય દ્રષ્ટા સાધુસમાજની અવસ્થા જોઈ એનું ભવિષ્ય જોઈ શકે છે. એ શાંતિચિંતક બીજા કરતા વહેલે સમજી શકે છે માટે જ એ નવી વ્યવસ્થા ગોઠવી શકે છે. જ્યાં શાંતિની સમતુલા બગડી ગઈ હોય ત્યાં તેને સાંધી શકે છે. કાર્યક્રમ ચેાથે-સર્વત્ર શાંતિ વિસ્તરે : એટલે વિશ્વ વાત્સલ્યનું ચોથું ચરણ “સર્વત્ર શાંતિ વિસ્તર!” છે અને તેની રૂએ સૌ સ્થળે શાંતિ વિસ્તારવાની છે. આ કાર્યક્રમ અગાઉ વિચારી ગયા તે પ્રમાણે ક્રાંતદષ્ટા સાધુઓ માટે જ છે. | સર્વત્ર શાંતિ એટલે માત્ર એક વર્તુળ, એક પ્રાંત, એક સંસ્થા, એક દેશની નથી પણ આખા વિશ્વની માનવજાતિમાં અને પ્રાણું માત્રમાં શાંતિ કેમ વિસ્તરે, એવો વિચાર નવેસરથી કરવાનું છે. એનું કારણ એ છે કે વિશ્વના રાષ્ટ્ર વચ્ચે જે અશાંતિની ધારા પડી છે તેને ખાળવા માટે આજની કોઈ એકલી સાધુ સંસ્થા કામ નહીં આપી શકે. વિશ્વશાંતિને પ્રશ્ન એટલે બધા જટિલ બની ગયો છે કે સાધુ સંસ્થા ધર્મની ભાષા બેલશે કે માત્ર ઉપદેશ આપશે તે એનાથી કોઈ પણ વળશે નહીં. ભાલમાં આ કાર્યક્રમ દ્વારા ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે અને તેથી આગળ વધીને આખા ભારતમાં એક રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯, કે ઉપરાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન ગમે તેટલા પ્રયત્ન કરે તે તેનું ધાર્યું પરિણામ નહીં આવે. આજે વિશ્વશાંતિની કડી રાજકારણ સાથે જોડાયેલી છે. એટલે વિશ્વના રાજકારણની રીતે જ્યાં સુધી ન વિચારય અને આવી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ ન ગોઠવાય, ત્યાં લગી આપણું ભારતના કાર્યક્રમો અધૂરા રહેવાના. ' વિશ્વના રાષ્ટ્રને વિચાર યૂનમાં થાય છે. વિશ્વના રાજકારણની સંસ્થા યૂને છે. તેમાં અલગ અલગ રાષ્ટ્રના પ્રતિનિધિઓ બેસે છે. આજે વિશ્વને ઘડનારૂં બળ રાજ્ય-રાજકારણ છે. આ બધા રાષ્ટ્ર વિશ્વને રાજકારણની રીતે જ ઘડવા માગે છે. વિશ્વને વિચાર કરવામાં ધૂનને નવો વળાંક આપવો હોય તે, તે ભારતરાષ્ટ્ર દ્વારા જ આપી શકાય. કારણ કે ભારત પણ યૂને સંસ્થાને એક પ્રતિનિધિ દેશ છે. ભારતરાષ્ટ્ર દ્વારા જે નવો વળાંક આપવાને છે, તે અહિંસક ક્રાંતિની દષ્ટિ એ જ હશે. ભારતમાં આજે ઘણું વિચાર પ્રવાહે છે. તેમાં કેટલાક આ અહિંસક દષ્ટિને અનુકૂળ છે તે કેટલાક પ્રતિકૂળ છે. તે બધાને તાળો કેવી રીતે મળે એ જોવાનું રહે છે. બીજી બાજુ રાષ્ટ્રની પ્રતિનિધિ રાજ્યસંસ્થા કોંગ્રેસને પણ આ વસ્તુ ગળે ન ઉતરે કે “સામાજિક, આથિક, સાંસ્કૃતિક, અને શૈક્ષણિકક્ષેત્રે પ્રેરક-પૂરક બળોનાં હાથમાં હેવાં જોઈએ.” આ વાત બીજા ઘણાઓને ગળે ઉતરતી નથી. અહીં એક વાત સાફ કહી દઈએ કે આ બધા કાર્યક્રમ પાછળનો હેતુ એટલો જ છે કે જે આ બધી જવાબદારીઓ કોંગ્રેસ ઉપરથી હળવી થાય તે તે ઘરઆંગણે રાજકારણમાં સંપૂર્ણ અહિંસક દૃષ્ટિએ કાર્ય કરવાની સાથે યૂનેમાં પણ અહિંસક દૃષ્ટિએ વિશ્વને વળાંક આપવાની શક્તિ ધરાવતી સંસ્થા બની શકે. | વિચારવાની વાત એ છે કે જે ઉપરોક્ત, વાત કોંગ્રેસ કે બીજાઓને ગળે ન ઉતરે તો વિશ્વસંસ્થા-યૂમાં, રાજ્ય સંસ્થા કેંગ્રેસ દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૦. તે વાતને કેવી રીતે મૂકી શકાય? જે આ રાજ્ય સંસ્થા-કોગ્રેસ અનુકૂળ ન થાય તે શિક્ષણ અને સંસ્કૃતિના કાર્યકમો કેવી રીતે મૂકી શકાય? કેંગ્રેસ પંચવર્ષીય યોજના પંચાયત દ્વારા ચલાવવાનું તેમજ શિક્ષણ સંસ્કૃતિનાં કાર્યો પ્રાયોગિક સંઘ દ્વારા ચલાવવાની વાત સ્વીકારે છે તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અનુકૂળ થઈ શકે. અને તેના વડે વિશ્વમાં અહિંસક દષ્ટિના વળાંકની વાત રજૂ કરી શકાય. વિશ્વમાં અહિંસક દષ્ટિએ નવો વળાંક આપવા માટે એક બીજો ઉપાય એ પણ છે કે વિશ્વના બધા ધર્મોની પરિષદ યોજાય અને તેમાં સર્વમાન્ય કાર્યક્રમની ચર્ચા થાય. અહિંસા, સત્ય, ન્યાય, અપરિગ્રહ તેમજ ભવાદી, નિઃશસ્ત્રીકરણ, અણુઅસ્ત્ર પ્રતિબંધ વગેરેની વિચારણા થાય અને વિશ્વની આચાર સંહિતા ગોઠવાય. આ રીતે સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી વિશ્વસંસ્થા તરીકે યૂનેસ્કો છે; તે દ્વારા જે એ કાર્યક્રમ આગળ ધપાવાય તે વિશ્વશાંતિને માર્ગ સહેલો બને. આજે યુનેસ્કો”, “યૂનો ના સંચાલન હેઠળ છે ત્યારે ખરેખર તો તે યૂની પ્રેરક–પુરક સંસ્થા હેવી જોઈએ પણ તેમ નથી. આમ છતાંયે તેનું બંધારણ સ્વતંત્ર છે. “યૂનો” રાજકારણમાં અને યૂનેસ્કો સાંસ્કૃતિક ક્ષેમાં કામ કરે તે જરૂર વિશ્વશાંતિ સ્થાપવામાં ઘણું નક્કર કાર્ય થઈ શકે આપણે ત્યાં સંસ્થાઓને જે કમ યો છે. તે પ્રમાણે સર્વ પ્રથમ (૧) ક્રાંતિપ્રિય સાધુસાધ્વી વર્ગ પછી (૨) રચનાત્મક કાર્ય કરેનું (જનલ કોનું) સંગઠન, (૩) વિવિધી જન સંગઠન અને (૪) રાજ્યસંસ્થા (કોંગ્રેસ)ને નંબર હતું અને હું જોઈએ એવી માન્યતા છે. યૂને (વિશ્વરાજ્ય સંસ્થા)થી એ (કોંગ્રેસ) આગળને નંબર ત્યારે જ લઈ શકે જ્યારે એ આન્તરરાષ્ટ્રિય બને. આજે વિશ્વભરના સાધુઓનું સંગઠન નથી તેમજ વિશ્વના રચનાત્મક કાર્યકરોનું સંગઠન પણ ગોઠવાયું નથી. આ બંને સંગઠને વગર એકલાં પ્રજાકીય (જન) સંગઠને-જેમકે આન્તરરાષ્ટ્રિય શ્રમિક સંગઠન (જેમાં ખેડૂત અને મહિલાઓ તે છે જ નહીં.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ચૂને ઉપર પ્રભાવ પાડવામાં ટાંયા પડે એવાં છે. યૂનેરકો આજે પૂના સંચાલનની નીચે છે; એટલે અને પૂર્વોક્ત પરિસ્થિતિને જોતાં આજે જે સ્થિતિમાં “ધૂને” છે તે દ્વારા વિશ્વને અનુબંધ ગોઠવાય તે માટે કોગ્રેસને વિશ્વનું વાહન બનાવવા મથવું જોઈએ. કોંગ્રેસને જ મહત્વ આપવાનું કારણ એટલું જ કે દેશમાં એ એક જ સંસ્થા એવી છે જેની ભવ્ય કારકદીને ભૂતકાળનો ઈતિહાસ છે. બાપુ દ્વારા સત્ય અને અહિંસાની દિશામાં ઘડતર અને દોરવણું જેને મળેલ છે, પંડિત નેહરૂ દ્વારા, એની મારફત આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં શાંતિ અને પંચશીલની વાત અમલમાં મૂકાવવાની વાત થાય છે. આ બધું જોતા વિશ્વ-એકતાનું વાહન તે બની શકે એમ છે. કેગ્રેસમાં વાસ્તવિક્તા છે. નક્કર કાર્યક્રમ પણ એની પાસે છે, માત્ર એની શુદ્ધિપુષ્ટિ કરવાની જરૂર છે; જનસંગઠન અને જનસેવક સંગઠને દ્વારા થાય એ જ બરાબર છે. વળી પાછું એકવાર યાદ અપાવી દેવું ઠીક થશે કે “વિશ્વમાં શાંતિ પ્રસરે તે માટે કઈ કઈ સંસ્થાઓ કેટલું કામ કરી શકે? અને તેવી સંસ્થાઓની પસંદગી શા કારણે કરી શકાય ? તેના સંદર્ભમાં આ વિચારણું થઈ છે. આ બધાં સંગઠન-સંસ્થાઓ પાસે વિશ્વશાંતિ તરફ ગતિ કરવાની શક્તિ છે એનો વિચાર થઈ ચૂકી છે. વિધવાત્સલ્ય શું કરી શકશે: વિશ્વ વાત્સલ્યના આ કાર્યક્રમે આખી દુનિયાને તરત બદલી શકશે એમ કહેવું વધારે પડતું થશે. તે કોંગ્રેસને પણ બદલી શકશે કે કેમ એ પણ ચોક્કસપણે ન કહી શકાય. પણ, એનાં પગલાં સાચી દિશામાં છે એટલે આ ચાર કાર્યક્રમો આશાસ્પદ છે. આ કાર્યક્રમ દ્વારા સત્ય અને અહિંસા પ્રગટ થઈ શકશે. આની સાથે એ પણ ન ભૂલાવું જોઈએ કે જ્યાં સુધી વિશ્વની દષ્ટિએ ધર્મની (અહિંસા, સત્ય ન્યાયની) રૂએ દરેક પ્રશ્નને ન સ્પર્શવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આવે ત્યાં સુધી વિશ્વશાંતિના પ્રશ્નમાં કશું નકર કાર્ય ન થઈ શકે. કેવળ અહિંસાદિ ધર્મને ઉપદેશ સાધુઓ આપીને બેસી રહે તે ધર્મની રચનાત્મક સંપૂર્ણતા ન આવે. એવી જ રીતે રચનાત્મક કાર્યકરે કેવળ એમ વિચારે કે સમાજમાં રાહતનાં કાર્યો કરશું અથવા કેવળ હિંદના અમૂક ગામડાંઓમાં સપ્ત સ્વાવલંબનમાં અમૂક કાર્યો કરશું, તે વિશ્વવાત્સલ્ય કાર્યક્રમ પૂરો થયો. તો એનાથી વિશ્વના પ્રશ્નો ઉકેલાશે નહીં અને વિશ્વશાંતિ દૂરગામી થશે. એના માટે વિશ્વને નજર સમક્ષ રાખીને જ દરેક કાર્યક્રમને સ્પર્શવો પડશે. તે સહેજે પ્રશ્ન એ થાય છે કે શું આ આ કાર્યક્રમ પાર પાડવાની વિશ્વ વાત્સલ્યમાં શક્તિ છે? અગાઉ જણાવવામાં આવ્યું તે પ્રમાણે એ દિશા તરફનાં તેના પગલાં સાયાં છે પણ આજની વિષમ પરિસ્થિતિમાં કયારે એ ધ્યેયને પહોંચી શકાશે એ કહી શકાય નહીં. સાધુઓને જ લઈએ. એમાંથી કોઈ પણ એક સાધુ આપદ્ ધર્મ તરીકે વિશ્વની દિશામાં ઉપરોક્ત કાર્યક્રમ લે એ બની શકે, પણ વિશ્વના સાધુઓને ધર્મ પરિષદના કાર્યક્રમ હેઠળ એક કરવાનું કાર્ય તે ગજા ઉપરાંતનું લાગે છે. એવી જ રીતે વિશ્વના તમામ રચનાત્મક કાર્યકરો મળી જાય એ પણ આજે કલ્પનાની વાત લાગે છે. અત્યારે કોંગ્રેસને મહત્ત્વ આપવાનું છે, પણ જે સાધુઓ અને રચનાત્મક કાર્યકરે ભળી જાય તે કેરોસ કરતાં વિશ્વધર્મની શુદ્ધિ-પુષ્ટિને વિચાર ત્યારે થશે. ઉપરની વાત ઉપરથી કદાચ કોઈ એમ પણ તકે કરે કે જે એમ ન થાય તે શું કાર્યક્રમ મૂકી દે? કલ્પનાનું નવું મકાન ન બંધાય એટલે હમણાંનું મકાન પણ મૂકીને નીકળી જવું; એના જેવી એ વાત થશે. જે હાથમાં છે તેને સાથે કરીને તેને અનુબંધ આપણું કાર્યક્રમ સાથે બેસાડીને આગળ ચાલવાનું છે. ભવિષ્યમાં કદી આ પરલોકમાં થશે. એમ માનીને પરલોક માટે આ લોકને બગાડવાનું નથી કે તેને અફસોસ કરીને બેસી રહેવાનું નથી. એ નથી બન્યું પણ બનવું જોઈએ. તે માટે જ વિચાર થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૩ છે કે વિશ્વના ધર્મગુરૂઓનું સક્રિય બળ ઊભું થાય તે કેસ આપ આપ ગૌણ બની જશે. પણ તેમ ન બને તે સામે જે બળ પડ્યું છે તેના વડે પ્રયત્ન કરવો જ પડશે–ચાલુ રાખવું પડશે. હલેસાં છોડ્યા વગર કોંગ્રેસ દ્વારા ધર્મ, અર્થ, કામ અને મેક્ષ પુરૂષાર્થ હાલ તે સાધવાને છે. આ વિશ્વાત્સલ્યના કાર્યક્રમ, ધર્મ, સર્વોદય તેમજ કલ્યાણ રાજના વિચાર સાથે કેટલા બંધબેસતા છે અને ક્યાં મુશ્કેલીઓ છે, તેનો વિચાર હવે પછી થશે. ચર્ચા-વિચારણા વિશ્વ વાત્સલ્યનું મૂર્ત રૂપ ધર્મમય સમાજ રચના: - શ્રી નેમિમુનિએ પિતાનું વક્તવ્ય એક અનેરાં પાસાંથી રજૂ કરતાં, ચર્ચા સમયે પ્રારંભમાં જણાવ્યું કે સવારના શ્રી માટલિયાએ વિશ્વવાત્સલ્યના કાર્યક્રમને પિતાની લાક્ષણિક શૈલીએ વ્યવસ્થિત અને પદ્ધતિસર જણાવ્યા હતા. તેમણે આગળ ઉપર જણાવ્યું – વિધવાત્સલ્યનું મારા નમ્ર મતે મૂર્ત સ્વરૂપ ધર્મમય સમાજ રચના છે. કાર્યક્રમ એટલે કાર્યને આગળ વધારવાનાં પગલાં માંડવાં તે. વિશ્વવાત્સલ્ય ધ્યેય, ધર્યમય સમાજ રચનાના કાર્યને આગળ ધપાવવાનાં પગલાં માંડવો તે છે વિશ્વવલ્ય કાર્યક્રમને હેતુ. આપણે વિશ્વાત્સલ્યની નીતિનિષ્ઠા અને વતનિષ્ઠા અંગે અગાઉ વિચારી ગયા છીએ. તે ત્યારે જ ટકી શકે જ્યારે કાર્યક્રમ આગળ છે. નહીંતર પ્રજામાં તેની ધારણા ન બેસે અને વિશ્વ વાત્સલ્ય ભાવનાને વ્યાપક વિકાસ થઈ શકે નહીં. “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” એ સૂત્ર જેમ વ્યકિત વિકાસ માટે હતું તેમ આજે સમાજમાં ધર્મ લાવવા માટે “ ત્યાગ ન ટકે રે કાર્યક્રમ વિના” એ સૂત્ર ઠેર ઠેર અને ઘેર ઘેર ગૂજતું કરવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ યોગશાસ્ત્રમાં “ધારણુ” શબ્દ આવે છે, એને અર્થ છે જે વિચાર કે વાત હોય તેને ધારણ કરવી. જે વિચાર આપણે કર્યા, તેની ધારણ નહીં થાય તે તેમાં કચાશ રહી જશે. પછી તે વિચાર કાંતે વિચારકો અથવા વ્યક્તિ વિશેષ સુધી જ બનીને રહી જશે. તે સમાજ વ્યાપી નહીં બની શકે. આપણા શરીરમાં-દરેક અંગોમાં (પગ, જારસ્નાયુ) બધી શક્તિઓ ધારણ શકિતથી પ્રગટ થઈ ક્રિયાશીલ બને છે. તેમાં જન્માંતરની ધારણા ઉપરાંત આ જન્મને પ્રયત્ન અને બીજાઓને પણ સહકાર હોય છે. જેમ માતા બાળકની આંગળી પકડે છે અને બાળક માની મદદ મેળવી ચાલે છે, તેમ ક્રાંતિકાર પિતાની ક્રાંતિ સમાજવ્યાપી બનાવવા માટે સમાજ આગળ કાર્યક્રમ મૂકે છે, જેથી વ્રતનિષ્ઠા વ્યાપકરૂપ ધારણ કરે છે; ઘડાય છે અને નીતિનિષ્ઠા મજબૂત થાય છે. એ માટે ગાંધીજીએ તેર અને વિસ્તારથી ઓગણીશ કાર્યક્રમો દેશની પ્રજા, પ્રજાસેવકો અને કોંગ્રેસ આગળ મૂક્યા. અસ્પૃશ્યતા નિવારણ, સફાઈકામ વગેરે કાર્યક્રમો પ્રારંભમાં લોકોને બહુ આંચકાવાળા લાગ્યા. પણ ધીમે ધીમે લોકો એનાથી ટેવાઈ ગયા. આમ ધારણ શકિત પ્રજામાં આવી ગયા પછી જ ધીરે ધીરે ક્રાંતિમય કાર્યક્રમો પચે છે. જેમ શરૂઆતમાં કોઈ માંડ પાંચ શેર વજન ઉપાડી શકે, તે ધારણ–બંધાતા ધીરે ધીરે એક મણ બેજે પણ ઉપાડી શકે છે. તેમ સમાજમાં ઘર ઘાલી બેઠેલાં ખોટા મૂલ્યો દૂર કરવામાં શ્રમ અને સમય અપરંપાર લાગવાને સંભવ છે. એટલે ક્રાંતિકાર જેની સામે ચિત્ર સ્પષ્ટ છે તેને કેટલીક વખત એકલા જ દેડવું પડશે. પ્રારંભમાં તે સાથી ભાઈ–બહેને પણ દલીલો કરશે અને કેવળ શ્રદ્ધાપ્રઘાન સાથીઓ જ સાથે ચાલશે, ખેંચાશે અને ધીમે ધીમે સમાજ પણ પાછળ ચાલવા માંડશે. નવા વર્ણો : આજે ચારેય વર્ણ લુપ્તપ્રાય બન્યા છે. તેના બદલે નવા વર્ષે કે વર્ષોની નવી રીતની વિચારસરણી વિચારીએ, એ ઠીક થશે. બ્રાહ્મણો એટલે રચનાત્મક કાર્યકરો, ક્ષત્રિય એટલે કોગ્રેસરૂપી સંસ્થા, વૈશ્ય એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ રહ્ય ખેડૂત નેપાલક અને વ્યાપારીઓ અને શો એટલે એમના સહાયકોશ્રમજીવીઓ. આ વાત કોઈને ગળે તરત નહી ઉતરે. ક્ષત્રિો અન્યાય પ્રતિષ્ઠા ન આપે એટલે તેમણે પૈસો તથા સત્તાને પ્રતિષ્ઠા ન આપવી જોઈએ. તે એ કોંગ્રેસને ગળે નહીં ઊતરે. શ્રમજીવી વૈશ્યો અને શુએ–બનેએ મુખ્યત્વે ગામડાં લેવાં જોઈએ, તે એ વાત પણ કોઈને તરત ગળે નહીં ઊતરે. પણ આજના યુગ પ્રમાણે વર્ણ વ્યવસ્થામાં ફેર બદલી કરવી પડશે અને તેના નવાં મૂલ્યો બાંધવા કાર્યક્રમો રજુ કરવા જ પડશે. આ બધામાં વર્ગ, જાતિ કે સંપ્રદાયને લક્ષમાં નહીં રખાય પણ વિશ્વને લક્ષ્યમાં રાખીને કાર્યક્રમ અપાશે અને ઘડાશે. માનવી પોતે મર્યાદિત હેઈ અને પ્રારંભમાં સર્વાગી કાર્યકરે પણ ઓછા મળવાના હોઈ ક્ષેત્ર (કાર્યક્ષેત્ર) પણ મર્યાદિત અને ટુંકું લેવું પડશે. વળી આજના સાધુ સન્યાસીઓની કક્ષા મુજબ લોકો તેને ઝીલશે. કાર્યક્રમો પણ કક્ષા પ્રમાણે આપવા પડશે. કાર્યક્રમની શ્રેષ્ટિ : ક્રાંતિ અને ક્રમ એ બન્ને શબ્દો ક્રમ ધાતુ પરથી બનેલા હોઈ એકાર્થ માનીએ તે; કાર્યક્રમને અર્થ સમાજકાર્યમાં ક્રાંતિ અગર તે સમાજકાર્ય દ્વારા ક્રાંતિ, એમ થાય છે. એ દષ્ટિએ કાર્યક્રમ સમાજમાં નવાં મૂલ્યની સ્થાપના કરનાર, મુલ્ય પરિવર્તન કરનાર નીવડે, એ દૃષ્ટિ કાર્યક્રમ ગોઠવનારની હેવી જોઈએ. દા. ત. શિયાળનું દવાખાનું લઈએ. આમ તો તે સર્જનાત્મક કાર્યક્રમ છે. પણ, જ્યારે શુદ્ધિ પ્રાગ ચાલતો હશે અથવા લવાદીથી ઝઘડા પતાવવાને વ્યાપક કાર્યક્રમ ચાલતું હશે ત્યારે દવાખાનાના ભાઈબહેને માટે દવાખાનું ગૌણ બની જશે; અને પ્રતિકારાત્મક કાર્યક્રમ અથવા મૂલ્ય પરિવર્તનાત્મક કાર્યક્રમ મુખ્ય બની જશે. મતલબ એ છે કે આમ તે સમાજના બધા કાર્યક્રમ સમાજના નવસર્જન માટે છે છતાં, એમના મુખ્ય ત્રણ ભેદ રહેશે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ (૧) સર્જનાત્મક, (૨) પ્રતિકારાત્મક અને (૩) મૂલ્ય પરિવર્તનાત્મક. સપ્તસ્વાવલંબનના કાર્યક્રમો સર્જનાત્મક પણ છે અને મૂલ્ય પરિવર્તનાત્મક ૫ણુ. ભાલમાં પાણીનું મહાદુઃખ હતું. પણ જેવી માનવ તથા પશુની પ્રાથમિક જરૂરિયાતમાં મહાકષ્ટ હોય ત્યારે ધર્મ કે નીતિ શું હોય? એના ઉપદેશ કરતાં એ કષ્ટ નિવારવું એ જ પ્રથમ ફરજ બને. એટલે ત્યાં જલ–સહાયક સમિતિ બની. કાર્ય તે સંસ્થા દ્વારા વ્યવસ્થિત રીતે શરૂ થયું. પ્રશ્ન એ થશે કે દાતા કોણ? તરત ધનને પ્રતિષ્ઠા આપવી ન હતી એટલે અપીલ થઈ – “ઉપકાર કરવા માટે નહીં, પણ ગામડાના આ ભાંડુઓને અત્યાર લગી આપણે ભોગવી તેવી તે ઠીક પણ સામાન્ય જરૂરિયાતની સગવડ પણ ન અપાઈ તેના પાયશ્ચિત રૂપે કે કર્તવ્ય રૂપે ફાળો આપ !” આથી પૈસાદારની “અમે ઉપકાર કરીએ છીએ” એ ગ્રંથિ તૂટી. ટુંકમાં સહાયતા આવી પણ મૂલ્ય પરિવર્તન સાથે આવી. એ માટે કેટલાક પુણ્ય અને ઉપકારને માનવાવાળા મૂડીદારોનો વિરોધ સહ પડ્યો. એવી જ રીતે દુકાળ માટે અમદાવાદ, મુંબઈ તેમજ સ્થાનિક ભાલનળકાંઠા પ્રદેશના વાસીઓએ જે ફાળો આપ્યો તેમાં મુખ્ય કર્તવ્ય ભાવના રખાઈ, એ સમિતિનું નામ પણ દુષ્કાળ રાહત કમિટિ નહીં પણ દુષ્કાળ કર્તવ્ય સમિતિ રખાયું. વળી જેવા દુષ્કાળ મટીને સુકાળ થયો એટલે ફરી તે જ પ્રદેશ પાસેથી વળતર રૂપે પ્રતિક ફાળે લેવાયો એને લોકોએ ખુશીથી તે આપો. આમ લેવાની તેવું જ દેવાની સતત કાર્યવાહી આખા સમાજને અને પરિસ્થિતિને પલટ કરી નાખે છે. સમાજ તાલીમબધ્ધ ઘડાય છે. સહકારી પ્રવૃત્તિ, કેન્દ્રોમાં હોવાથી, પરસ્પરને સહયોગ વધે છે. એવી જ રીતે શુદ્ધિપ્રયાગ અને શાંતિ સેનાના કાર્યક્રમમાં મુખ્યત્વે પ્રતિકારાત્મક હોવા છતાં, મૂલ્યપરિવર્તનાત્મક પણ છે. આમ સર્જનાત્મક કાર્યક્રમે પ્રતિકારાત્મક બની જાય છે. એ એ જ રીતે મૂલ્યપરિવર્તનાત્મક કાર્યક્રમો પણ સર્જનાત્મક કે પ્રતિકારાત્મક બની જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭ કાર્યકમોનો અનુબંધ: એવી જ રીતે આ બધા જ કાર્યક્રમો ચાર અનુબંધે પૈકી એકને પણ છોડીને નહીં ચાલે. તેમાં પણ સંસ્થાનું મહત્વ વ્યક્તિ કે વ્યક્તિઓ કરતાં પણ વિશેષપણે તે ક્ષેત્ર માટે સ્વીકારાશે. કયારેક એવું પણ બને કે સંસ્થા મુળભૂતક્રાંતિમાં અવરોધક બનશે ત્યારે ક્રાંતદ્રષ્ટા વ્યકિત કે વ્યકિતઓ એ સંસ્થાને છેડશે નહીં. પણ સંસ્થાના સંશોધન માટે, સંસ્થામાં રહીને પણ ભવ્યા કરશે. એવું પણ બનવાને વધુ સંભવ છે કે એવાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ, ગૃહસ્થ-દંપતિઓ, સન્યાસીઓ કે બ્રહ્મચારી ભાઇબહેનોને આ કાર્યક્રમમાં ભળવા માટે આવે ત્યારે તેમની જૂની સંપ્રદાયધર્મસંસ્થા તરછોડી મૂકશે કે સંસ્થા-બહાર કરવાની ઘેષણ કરશે. તે છતાં તેઓ પિતાની સંસ્થાના મહત્વને ગમે તેવા આક્ષેપો અને વિરોધ વચ્ચે પણ નહીં છોડે. આના પરિણામે, તેવા સભ્યો અનુબંધ વિચારધારાના ભાલનળકાંઠા પ્રયોગના અન્વયે દેશભરમાં અલગ અલગ વિભાગમાં નવી સંસ્થાઓ ઊભી કરશે અને જુની સુસંસ્થાઓ સાથે, તથા દેશ અને દુનિયાની વર્તમાન યુગની વિરલવિભૂતિઓ સાથે વ્યકિતગત સંપર્કમાં પણ રહેશે. જેથી વિશ્વવાત્સલ્યના આ કાર્યક્રમો વિશ્વરૂપ પકડી શકે. સવારે શ્રી ભાટલિયાએ કહ્યું તેમ જનસેવકો (ગાંધીયુગના) હશે તેમણે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને ન્યાયના કાર્યક્રમમાં જાતે સીધો ભાગ લેવે પડશે, તેમજ સહકારી પ્રવૃત્તિ, લવાદી વગેરે કાર્યક્રમે નૈતિક જનસંગઠન દ્વારા ચલાવશે. એટલું જ નહીં, તે જનસંગઠનનું પ્રતિનિધિત્વ કોગ્રેસમાં ઊભું કરવામાં તથા મુલ્ય પરિવર્તન કરાવવાની પ્રક્રિયાઓમાં અને શુદ્ધિકગો વગેરેમાં જાતે પણ ભળશે અને સંસ્થાગત રીતે પણ દોરવણી આપશે. ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ આ બધામાં પ્રત્યક્ષ ભાગ ન લેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ છતાં ઊંડાણથી અધ્યાત્મકલક્ષી નીતિની દષ્ટિએ આ બધાની મૂલાવણી કરશે અને રચનાત્મક રીતે વારંવાર સૂચનો આપીને અખંડ સાતત્ય (ક) આપશે. તેઓ જ્યાં જ્યાં કડીઓ ખૂટશે કે તૂટશે ત્યાં સાંધશે, પૂતિ કરવા મથશે અને આ સંગઠનને પ્રભાવશાળી, પ્રતિષ્ઠા સંપન્ન બનાવવામાં પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠા હેમી દેશે. રાજ્ય સંસ્થામાં ખાસ કરીને કોંગ્રેસમાં અને રાજ્યતંત્રમાં (લોકસભા-ધારાસભા વગેરે) જનસંગઠન અને જનસેવક સંગઠનના અમુક લેક અમુક હદ સુધી જશે. તે પ્રાયોગિક સંધ કે નૈતિક ગ્રામ સંગઠને રાજકીય પ્રશ્નોમાં, કોગ્રેસ સંગઠન અને કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના ક્ષેત્રમાં શિસ્ત બરાબર જાળવશે. પ્રાયોગિક સંધ પણ સંસ્થા તરીકે પોલિસને આશ્રય નહીં લે, તેમજ નૈતિક સંગઠનો પણ નહીં લે. તે છતાં જે સરકારી તંત્ર કે રાજ્ય સરકાર પરિસ્થિતિને કારણે, સહાય કરવા આવશે તે તેને ઈન્કાર કરશે નહીં. અલબત્ત એમનું લક્ષ તે લવાદી, શુદ્ધિ પ્રયોગ અને શાંતિસેનાના અહિંસક કાર્યક્રમે ભણી જ હશે. પ્રાયોગિક સંઘની દેરવણી એ નૈતિક જન સંગઠન (ગ્રામસંગઠન, માતૃસમાજ વગેરે ) ચાલશે; છેલ્લું માર્ગદર્શન એમનું જ સ્વીકારશે અને એમને આર્થિક સહાય કરશે. આ પ્રાયોગિક સંઘેમાં ગ્રામ પ્રાયોગિક સંધ, નગર પ્રાયોગિક સંઘ (વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ) બને સઘને સમાવેશ થાય છે. કેંગ્રેસને શુદ્ધ કરવાનું દેશવ્યાપી કામ આ પ્રાયોગિક સંઘની દેખરેખ તેમજ કંફ નીચે નૈતિક જનસંઘઠન કરશે. આથી જ આ દેશમાં ગામડાં, પછાતવર્ગો, અને માતાસમાજોને પૂ. મહારાજ શ્રી સંતબાલજી ઘણો ટેકો આપે છે. આમ ગામડાં અને વિશ્વને અનુબંધ પરસ્પરમાં સંગઠનની સાંકળીઓ જોડીને સંધાશે. આ આખું કામ ભગીરથ છે. જ્યાં લગી જનસંગઠને, જનસેવક સંગઠને, અને ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ દેશભરમાં સંકલના બદ્ધ વ્યવસ્થિત રીતે આ કાર્યક્રમને ન ઉપાડી લે ત્યાં લગી ભાલ નળકાંઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રાયોગિક સંઘના અન્વયે ગુજરાતમાં અને મુંબઈમાં થયેલાં શહેર સંગઠન ઉપર બહુ છે જે પડશે. વર્ષોથી પાછળ પડી ગયેલાં સાંસ્કૃતિક તને ઉચા લાવી, યુનેને ટેકો આપી યુનેને મજબુત કરવું પડશે. કારણ કે તે જ રાજકીય ક્ષેત્રે આજે વિશ્વશાંતિની આધારશિલા સમી વિશ્વસંસ્થા છે. તેના વડે આપણે વિશ્વને સામે રાખી અહિંસક કાર્યક્રમ બનાવી પાર પાડવાં પડશે. આ કાર્યક્રમો દા. ત. આવા પ્રકારના હશે :-(૧) અણુબ ઉપર પ્રતિબંધ મુકવાનું સૂચન કરવું (૨) સમગ્ર રીતે યુદ્ધ માત્ર ઉપર પ્રતિબંધનું સૂચન કરવું. (૩) પંચશીલને વ્યાપક બનાવવા માટેનું સૂચન (૪) સંસ્થાનવાદની નાબુદીનું સુચન. આ બધા કાર્યક્રમો પાર પાડવામાં સામ્યવાદી સંસ્થાઓનાં સાધનશુદ્ધિમાં ન માનતાં તો ઘુસી ન જાય, અથવા થોડી રાહતના ટુકડા ફેંકી; સંસ્થાનવાદીએ વિશ્વને ન બનાવી જાય તે માટે સક્રિય તટસ્થતા જાગૃતિપૂવર્ક ભારત ટકાવી રાખે એ જેવું પડશે. આ બધું વિશ્વ વાત્સલ્યના વ્યાપક અને ભગીરથ કાર્યક્રમમાં આવી જાય છે. પ્રતીતિ થઈ છે – શ્રી પૂજાભાઈ કહે: “કલ્પનાથી તે હવે બધું સ્પષ્ટ દેખાય છે અને આ કલ્પના શરૂઆતમાં મુકનાર મહારાજ શ્રી સંતબાલજીને તે બે અને બે ચાર જેવું પ્રત્યક્ષ દેખાતું હશે. પણ અમારી કક્ષા અને ગજું નાનાં છે. છતાં એ પણ કહી દઉં કે આ કેઈ ઉડતી કલ્પના. માત્ર નથી; પણ એ તે વિશ્વભરમાં વહેવારૂ બની શકે તે સીધે ખે માર્ગ છે; તે પ્રતીતિ હવે પૂરેપૂરી થઈ ગઈ છે. દેશમાં તે હવે આ વિચારે પહોંચી જવાની સીડી તૈયાર થઈ ગઈ. વિશ્વલગી પહોંચવા માટે દુનિયાભરના મુખ્ય મુખ્ય તત્વ ચિંતક, સેવક, કિવા શક્ય હેય તે ધર્મ ગુરુઓ ભેગા થાય અને વિચાર વિનિમય કરે તે જરૂરી લાગે છે. વિશેષ તે મહારાજશ્રી અને મુનિશ્રી (નેમિમુની) વિચારીને કહી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અમલી અનવામાં વાર લાગશે :~ શ્રી બળવંતભાઇ મેં અગાઉ ઈશારા કર્યા હતા . તેમ (૧) નારી અવહેલના ( ૨ ) અશિક્ષિત બાળક ( ૩ ) એકાર માનવી. આ ત્રણ ભારતની મેોટી સમસ્યા છે. નાની તે ઘણી છે. દા. ત. સાચા ન્યાય અમલી બની શકતે નથી, સલામતી નથી, રાગીઓની પૂરી સારવાર થતી નથી, તે ઉપરાંત ઠંડા ગરમ યુદ્દો, ભાષાવાદ, રાજ્યના ભરડા, દાંડ તત્વ, માનવ વચ્ચેની અસમાનતા, ગાવા-કાશ્મીરની સમસ્યા. [ આમાં ગેાવાના ઉકેલ આવી ગયા છે] ધર્મના નામે અંધશ્રદ્ધા, મજૂરાના તન-મનને ધસારા. આવા તા દેશમાં અનેક સવાલા છે. વિશ્વમાં એથી પણ વધુ સવાલે પડેલા છે. અલબત ઘેર ઘેરથી વાસક્ષ્યની જ્યેાત પ્રમટે અને એ બધી જ્યાતાને વિશ્વભર સાથે અનુષંધ હોય, તે! જરાયે આ કાર્ય અશક્ય કે વસમું નથી, પણ તે દિવસ ક્યારે? મને એક પાંચ-છ વર્ષની મૃત ખાળકીને કિસ્સા યાદ આવે છે કે જ્ઞાતિનાં દુખાણુથી કાઇ તેને મસાણે લઈ જવા તૈયાર ન થયું. અંતે ચલાલા ખાટી કાર્યાલયની મદદે આ કાર્ય પાર પડ્યું. એવા જ એક-બીજો કિસ્સા છે જેમાં બળતી ખાઈ ઉપર પતિએ ઠંડુ પાણી ભૂલથી નાખતાં ફેલ્લા પડયા. તેમને દરબારે મદદ કરી, પિયરિયાએ પૈસા વહેવડાવ્યેા પણ ઇસ્પિતાલાના ફેરામાં રાજકોટ પહોંથતા તે ખાઇને પ્રાણ છેાડા પડ્યો. આમ આવા વિરાધી વાતાવરણમાં જ્યારે મૂલ્ય પરિવર્તનને ક્રાંતિકારી પ્રશ્ન લઇએ કે વિરાધને વટાળ ઊઠે છે. એટલે આખા જગતમાં આ સ ંદેશાને અમલી બનતાં વાર લાગવાને પૂરા સંભવ છે. પણ તેથી નાસીપાસ થવાનું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧. વિધવાત્સલ્ય પ્રામને સુખદ અનુભવ: - શ્રી દેવજીભાઈ: “મારો અનુભવ બળવંતભાઈ કરતાં જુદે અને પ્રોત્સાહક છે. મને તેલી, હરિજને તથા ગામના લોકોથી જે સાથ સહયોગ મળ્યા છે તેને આનંદ રસના કુંડા જેવો છે, અમારી બાળાઓ પણ રૂડા સંદેશાઓ જગાવતી હોય છે. ઘણાં ભાઇબહેને તો તેમને કેટલું બધું માન આપે? કેટલીકવાર મજૂરીનું મૂલ્ય પણ ન લે ત્યારે પરાણે આપવું પડે અને રાજી રાજી થઈ જાય, મને લાગે છે કે સંગઠનનું પીઠબળ ન હોય અને એકલદોકલ નિરાશ થાય તે જુદી વાત છે. કેટલીક વાર એકલદોકલના સ્વભાવ દેષના કારણે પણ નિરાશ થવાનો સંભવ છે. બાકી દૂર, દાંડ અને સ્થાપિત હિતનાં તત્ત્વ પણ થોડી વાર ફૂંફાડા મારી, સાચાં સંગઠને આગળ નમ્ર બની હેત વરસાવે છે. એટલે આવેશને વશ ન થતાં કે બેટા આત્મ સંતોષને વશ ન થતાં પણ એટલું તો ઉઘાડી રીતે જોઈ શકાય. છે કે વિશ્વવાત્સલ્યનો કાર્યક્રમ અજોડ છે. ઓછી સમજ કે પ્રકૃતિદેષ વ. કારણે હતાશ થઇએ કે ઓછી આશા તરફ ઢળીએ તે જુદી વાત છે. શ્રી બળવંતભાઇ: ભાલ નળકાંઠા પ્રયોગે, સર્વાગ ભાવે અનુબંધ વિચારધારાનો અમલ કરી પછી જ વિશ્વગાનમાં આ રજૂ થયેલ છે. એટલે વહેલુડું તે આખા જગતમાં ફેલાશે જ એની મને શ્રદ્ધા છે. પણ, અડચણે પગે પગે ઘણી આવે છે. પૂ. દંડી સ્વામી : એ અંગે આપણ નેતા આ કાર્યક્રમ અંગે શ્રી સંતબાલજી છે. તેમણે દરેકની શકિત અને શ્રદ્ધા પ્રમાણે કાર્યક્રમ આપવું જોઈએ અને આપણે તર્કશુદ્ધ શ્રધ્ધાનિષ્ઠાથી તેને અમલમાં - મૂકીએ તે અડચણ દૂર થઈ શકશે. ભાગલા પાડતાં તને દૂર કરવા પડશે: . શ્રી પૂજભાઈ : વિશ્વવાત્સલ્યમાં ભાગલા પડાવનારાં તને આપણે હઠાવવા પડશે. કોમવાદ, ભાષાવાદ, અંગત સ્વાર્થ, અજ્ઞાન , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૨. વગેરેને કાઢવાં પડશે. બાકી સંગઠન થતાં શકિત કેવી ખીલે છે તેને એક નમૂને મજૂર મહાજન સંઘ છે. આજે મિલ માલિક અને મજૂરો ખભેખભા મેળવીને કામ કરે છે. ૧૯૪૯ માં નિરાશ્રિતો આવ્યા અને છાવણીમાં વિશ ઇયે વરસાદને લીધે પાણી ભરાયું. ત્યારે અડખે પડખેનાં ગામને સાદ પાડી કહેવડાવતાં પુરી, રોટલા, શાક વગેરે એટલું બધું આવી ગયેલું કે આશ્ચર્યરૂપે સંગઠિત શક્તિને ખ્યાલ આવ્યો. સુરતની તાપી રેલ વખતે, લાખ રૂપિયા, અનાજ, કાપડ વગેરે ગયું જ હતું. આમ આજે પણ વેરવિખેર પડેલી શકિત નિમિત્ત મળતાં પર બતાવે જ છે. દૈવી શક્તિ જાગતાં, આસુરી શકિત આપમેળે ઠંડી પડી જશે. બાપુજીએ-ગાંધીજીએ એ જ કાર્ય કર્યું હતું ને! શ્રી શ્રોફ ઃ વિવવાત્સલ્યના કાર્યક્રમમાં, સમજણ પડતાં મને હવે પૂરી શ્રધ્ધા બેસી ગઈ છે. કોડીએ-કોડીયું સંધાતા જગતભરમાં એ દીપી ઊઠશે ! સવારનું પ્રવચન પદ્ધતિસરનું યોગ્ય હતું : પૂ. શ્રી સંતબાલજીએ ત્યારબાદ બેલતાં કહ્યું: “સવારે માટલિયાએ “સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપે, સર્વત્ર શાંતિ વિસ્તરે,” એ મંત્રને કાર્યક્રમ, સપ્તસ્વાવલંબન, જગતની વિષમતાઓનું નિવારણ, ગુણવૃદ્ધિ અને વિશ્વશાંતિ માટે યુનો અને કોગ્રેસનું રક્ષણ એ બાબતે ઉપર કહીને મારો અભિપ્રાય માંગ્યો હતો. મારો અભિપ્રાય એ છે કે “એમણે જે પિતાની આગવી શૈિલીથી પ્રતિપાદન કર્યું છે તે ઘણું જ યોગ્ય છે.” પરદેશની બાબતોના ઉકેલમાં બે વસ્તુઓની પ્રતીતિ કરાવવી પડશે : પરદેશ સાથેના સવાલોના ઉકેલમાં બે વસ્તુઓની પ્રતીતિ આપણે તેમને આપવી પડશે :-(૧) હિંસા દ્વારા તાત્કાલિક પ્રશ્નો પતતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ લાગે છે. પણ ખરેખર પતતા નથી. એક પતીને બે ઉભા થાય એવી સ્થિતિ થાય છે. એટલે ગાંધીજીની હયાતીમાં અહિંસાને જે ચમત્કાર બતાવેલો, તેનાં કરતાં અનેક ગણો અનેક ક્ષેત્રે બતાવવું પડશે. (૨) સ્ત્રી અને પુરૂષોને કાયમી અને વધુ પડતો સંપર્ક છતાંય, બન્ને જણ સંયમની મર્યાદા સાચવીને રહી શકે અને એકમેકના પૂરક તરીકે કામ કરી શકશે. પરણેલાં સ્ત્રી-પુરૂષ, ગુહરણામી સંતાનની જરૂર પડે શરીરભોગ કરવાની છુટ લેવા ઇચ્છશે તે પણ તે વાસના વધારવા માટે નહીં, સંયમના લક્ષે જ છૂટ લેશે. ભારતીય સંસ્કૃતિ માટે આ અશક્ય નથી. નવાયુગનાં સાધુસાધ્વીઓએ હૃદય-સ્પર્શથી અને નવા યુગના બ્રાહ્મણે (રચનાત્મક કાર્યકર)એ વાત્સલ્ય લક્ષી સ્પર્શથી આ સિધ્ધ કરી આપવું પડશે. આ બને સમાજના વૈધ-વર્ગ રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ [૧૪] સર્વોદયનું આજ સુધીનું સ્વરૂપ [૨૩-૧૦-૬૧] –મુનિશ્રી નેમિચંદ્રજી “વિશ્વ વાત્સલ્ય”ના વિવિધ પાસાઓ ઉપર આ અગાઉ છણાવટ થઈ ગઈ છે. જગતમાં ક્રાંતિ આણવા માટે અને માનવસમાજના સુખ શાંતિ માટે પ્રયાસ કરી રહેલ વિચારધારાઓમાં “સર્વોદયવાદ પણ છે. એના ઉપર પણ છણાવટ કરવાની જરૂર છે. જ્યાં સુધી સર્વોદયનો વિચાર નહીં થાય ત્યાં સુધી વિધવાત્સલ્યની નીતિ નિષ્ઠા અને વતનિષ્ઠા પણ સારી રીતે ટકી શકશે નહીં. કારણ કે વિશ્વવાત્સલ્યની જે વિચારદષ્ટિ છે તે કેટલાક અંશે સર્વોદયને મળતી આવે છે અને ક્યાં ક બનેને એકબીજાના અંગ તરીકે પણ ગણી લેવા માટે લેકે ભૂલ કરી બેસે. પણ તેના કયા કયા પાસાંઓ છે અને સર્વોદયનું આજસુધીનું શું સ્વરૂપ રહ્યું છે એને વિચાર કરવામાં આવતા બધી વસ્તુઓ સ્પષ્ટપણે સમજી શકાશે. પાશ્ચાત્ય દેશોમાં સામાન્ય એમ માનવામાં આવે છે કે વધારેમાં વધારે લેકનું વધારેમાં વધારે સુખ થવું જોઈએ. (Greates good of the greatest member) એટલે કે વધારેમાં વધારે લેકેનું (Majority) વધારેમાં વધારે સુખ વધારવાની નીતિ ત્યાં પ્રચલિત થઈ છે. ત્યાં સુખ એટલે શારીરિક-પૈસા ટકા કે મકાન મિલકતનું સુખ એમ ગણવામાં આવે છે. એવું સુખ મેળવવા માટે નીતિનિયમોને ભંગ થાય તે એની વિશેષ દરકાર કરવામાં આવતી ન હતી. તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વધારે માણસનું સુખ જાળવવું એ હેતું રાખવામાં આવ્યો તેથી ડાને-અલ્પ સંખ્યક દુઃખ દઈને પણ તે સુખ અપાય તે હરકત નથી, એમ માનતા થયા. તેનું પરિણામ એ આવ્યું કે ગુલામે અને ગરીબોની સ્થિતિ પશ્ચિમના દેશોમાં છેવટ સુધી ખરાબ જ રહી. પણ, આની વિરૂદ્ધ કેટલાક ડાહ્યા વિચારકોએ અવાજ ઉઠા. વધારે માણસને પૈસા ટકાનું સુખ હોય, જોઈએ તે કરતાં પણ વધારેએ ખુદાંઈ કાયદાથી વિરૂદ્ધ છે. એવી જ રીતે પિતાના મજશેખ માટે, ભૌતિક સુખ માટે થોડા લેકોને રંજાડીને, તેમની પાસેથી પરાણે કામ લેવું એ પણ નીતિ-નિયમ અને ઈશ્વરીય કાનૂનની વિરૂદ્ધ છે એમ એ ડાહ્યા માણસોએ કહ્યું. જોન રસ્કિન એ ડાહ્યા માણસોમાંને એક હતા. તેણે ઘણા વિષયે (હુન્નર, ચિત્રકળા, કળા વગેરે) ઉપર પુસ્તકો લખ્યાં. પણ તેણે તે વખતના લોકોને જે નીતિ વિષયક પુસ્તકો આપ્યાં તેનું મૂલ્યાંકન કઈક વધારે છે. તેણે એક નાનકડું પુસ્તક લખ્યું છે – Unto this Last (અંદુ ધીસ લાસ્ટ). આ પુસ્તકે યુરોપના લોકો ઉપર જબ્બર વિચાર પરિવર્તનની છાપ પાડી હતી અને સમજુ માણસો તેને વાંચવા અને સમજવાનો પ્રયત્ન કરતા હતા. એટલું જ નહીં એ પુસ્તકે યુરોપના કેટલાક દેશમાં લેકક્રાંતિના બીજેનું આરોપણ કર્યું હતું. એકવાર મહાત્મા ગાંધીજી ટ્રાંસજેર્ડન જઈ રહ્યા હતા. તે વખતે તેમના મિત્ર મિ. પિલકે તેમને આ પુસ્તક વાંચવા આપ્યું. મહાત્મા ગાંધીજીએ આ પુસ્તક વાંચ્યું. તેથી તેમના વિચારોમાં ઉથલ-પાથલ મચી. તેમણે એ વિચારે પ્રમાણે પોતાનું જીવન ગાળવાને સંકલ્પ કર્યો. ફિનિકસમાં તેમણે ટોકસરોય-આશ્રમ” ખોલીને ત્યાં કેટલાક કુટુંબ સાથે રહેવું શરૂ કર્યું. તેમણે ખેતી અને ગ્રામોદ્યોગ શરૂ કર્યા અને તેઓ જાતે શ્રમનિષ્ઠ બનીને રહેવા લાગ્યા. ૨૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ દક્ષિણ આફ્રિકાની સ્થિતિ તે વખતે બહુ જ દયનીય હતી. જે માણસે પૈસા માટે દેશાવર ખેડે છે તેઓ એની ધૂનમાં નીતિ અને ભગવાનને ભૂલે છે, સ્વાર્થ માં મુંઝાય છે અને તેથી ગેરલાભો પેદા થાય છે. સર્વધર્મના અને નીતિ તે રહેલી જ છે. નીતિ અને ન્યાય જાળવવા જરૂરી છે. ગાંધીજીએ તે વખતની આફ્રિકાની પરિસ્થિતિ સુધારવા માટે એ પુસ્તકના આધારે પ્રયોગ શરૂ કર્યા અને લોકોને જાગૃત કર્યા. આ પુસ્તક જેને અનુવાદ ગાંધીજીએ “સર્વોદય "ના નામે કર્યો તેને મૂળ આધાર રશ્કિને બાઈબલની એક કથામાંથી લીધેલ. દરેક ધર્મમાં નીતિ ન્યાય જાળવવાની વાત આવે છે અને આ કથામાં પણ એ તત્ત્વ છે. એ કથાનું નામ છે: “આ છેલ્લાને પણું...” કથા આ પ્રમાણેની છે –એક માણસને પિતાના કામ માટે રોજના મજૂર (દહાડીયા) જોઈતા હતા. વહેલી સવારે કેટલાક દહાડીયા આવ્યા. તેમને મજૂરીને દર આઠ આના કહીને રાખ્યા. કેટલાક બપોરે આવ્યા તેમને પણ એ જ દરે રાખ્યા. કેટલાક છેલે સાંજ પડવા ટાણે આવ્યા. તેઓ ઘણું દુ:ખી હતા. તેમને પણ એ જ મજૂરીના દરે રાખ્યા. મજૂરી ચૂકવતી વખતે વહેલી સવારે આવેલા મજૂરોએ વાંધો લીધો : “અમે વહેલાં આવ્યા તેમને પણ આઠ આના અને મોડા આવ્યા તેમને પણ આઠ આના !” ત્યારે પેલા માણસે કહ્યું : “ભાઈ ! મેં તે તમને કહ્યું તે પ્રમાણે આપ્યા છે. એમને પણ એટલી જરૂર હતી તે પૂરી કરવી જોઈએ ને ! એટલે એ છેટલાને પણ એ જ દરે મજૂરી ચૂકવું છું તે વ્યાજબી છે.” પેલા લોકોને તેથી સંત થયા. બાઈબલની આ કથાના આધારે રશ્કિને “દેવતને ન’ અદલ ઈસાફ'; “સાચનાં મૂળ” અને “ખરૂં છે” એ બાબતમાં જુદાં જુદાં કાર્યો વિષે સૂચન કરતાં કહ્યું છે કે —-“પાદરીને બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સાચું શિક્ષણ આપવાનું છે અને સત્ય કહેતાં કહેતાં પ્રાણ હમી દેવાનો છે. સિપાઈનો ધંધે પિતાના પ્રાણ સાટે પ્રજાનું રક્ષણ કરવાને છે. વૈદને ધંધે પ્રજાની તંદુરસ્તી જાળવી રાખવા, પિતાની સુખસગવડે મૂકવાને છે. વકીલના ધંધે પ્રજામાં અદલ ઈસાફ ફેલાવવાને છે; તેમ કરતાં કરતાં જે સહેવું પડે તે સહેવું જોઈએ. વેપારીને ધંધે પ્રજાને જઈ માલ પૂરો પાડવાને છે; તેમ કરતાં જે સહેવું પડે તે સહેવું ઘટે.” આ વિચારધારાની ઊંડી અસર ગાંધીજી ઉપર થઈ અને તેમનામાં “અદયની ની ભાવના જાગી. હિંદમાં આવ્યા ત્યારે તેમણે જાહેર કર્યું કે “આપણા દેશની પછાતમાં પછાત ગણાતી કેમની બાઈને રાખવા માગું છું.” તેમણે હરિજન આશ્રમમાં લમીબાઈ નામની એક કન્યાને રાખી. હરિજન કુટુંબને તેમણે આશ્રમમાં વસાવ્યાં. હરિજનહાર માટે તેમણે હરિજન-સેવકમાં ઘણું લખ્યું. એક વખત તેમણે હરિજને માટે આમરણ ઉપવાસ-અનશન પણ કર્યું. પહેલાં તેઓ આદર્શ લગ્ન વખતે આશીર્વાદ આપતા. પછી વરકન્યા પછી એક હરિજન હોય તે આશીર્વાદ આપવાનો નિયમ કર્યો. હરિજનેની આર્થિક સ્થિતિ સુધારવા તેમણે ફંડફાળા પણ કર્યા. તે વખતના ધર્મધુરંધર અને પંડિતને બોલાવી તેમણે હિંદુધર્મના શાસ્ત્રો શોધાવી પ્રમાણ મેળવ્યા. પંડિત મદનમોહન માલવીય અને આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાનોએ હિંદુ ધર્મશાસ્ત્રમાં માનવ માનવ પ્રત્યે ધણું અને ભેદભાવ છે જ નહીં એ સિદ્ધ કરી બતાવ્યું. જે કંઈ ધર્મના નામે ચાલે છે તે માનવતા વિહેણું કૃ સ્વાથી કે ચલાવે છે એમ સાબિત કરી, “અસ્પૃશ્યતા હિંદુધર્મ માટે કલંક છે એ વાત ઉપર પંડિત અને વિદ્વાનોની મહેર લગાવી. એટલું જ નહીં તેમણે અસ્પૃશ્યતા નિવારણને ખરડે પણ રાજ્ય મારફત બનાવ્યો. આમ પાતમાં પછાત કોમને તેમણે ઉદ્ધાર કર્યો. ત્યારબાદ બીજા જે પછાત વર્ગો હતા તેમના ઉદ્ધારનું કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩% તેમણે હાથ લીધું. તેમના ઉત્થાનના કાર્યક્રમ તેમણે જ્યા. એમાં ગામડાં; નારીજાતિ અને શહેરી મજૂરોને લીધા. તેમણે ગામડાંઓના ઉત્થાન માટે જુદા જુદા રચનાત્મક કાર્યક્રમ મૂક્યા. નારીજાતિનીમાતાઓની નૈતિકશકિત જાગૃત કરી તેમને અહિંસક પ્રતિકારના કાર્યોમાં લગાડ્યા. શહેરી મજૂરોનું સંગઠન કર્યું. મજૂરો અને મહાજનનું સંયુકત સંગઠન કર્યું અને નીતિના તો પૂર્યા. ગરીબ ભારતનું શોષણ મટાડવા માટે તેમણે વિદેશી માલને બહિષ્કાર કરાવ્યું અને સ્વદેશીવ્રત અપાવ્યું. આ રીતે ગાંધીજીએ અંત્યોદયમાંથી સર્વોદયનું કામ ખીલવ્યું. કોઈને પ્રશ્ન થશે કે “અંત્યોદય માંથી ગાંધીજીએ સર્વોદય કેવી રીતે પ્રગટાવ્યો ? એને જવાબ ગાંધીજીએ “હિંદ-સ્વરાજ્યમાં આજ છે. તે છતાં જે વિચારવામાં આવે તે તેમની દરેક પ્રવૃત્તિ સંગઠને વડે સર્વોદય સાધવાની હતી એમ લાગશે. પ્રાર્થના સત્યાગ્રહ, અનશન, નોઆખલી હુલ્લડમાં શાંતિ સ્થાપના, વગેરે પ્રવૃત્તિઓ બીજી તરફ રચનાત્મક કાર્યકર અને કેગ્રેસી લોકોનું ઘડતર, ત્રીજી તરફ હિંદુ-મુસ્લિમ એજ્યતાનું ઘડતર; ચોથી તરફ ગ્રામ અને નગરની પછાતપ્રજાના ઘડતરનું કામ આ બધાં કામ તેઓ એકી સાથે કરાવી લેતા હતા. એટલે અત્યજે હરિજનો અને પછાતવર્ગોના ઉદયની સાથે સાથે તેમનું શોષણ કરનારા, રંજાડનારા અને તેમને પછાત રાખનારાઓનું શોષણ પણ મટી જઈ નીતિ અને ધર્મનાં તો આવવાથી ઉદય જ થતું. આમાં એક તરફ શોષણ ન થવાથી પછાતવર્ગોને ઉદય થયો અને બીજી તરફ શોષણ કરતાં અટકતા હેવાથી શેષક વર્ગને પણ ઉદય થયો. એવી જ રીતે અંગ્રેજો સાથે ડંખ રાખ્યારખાવ્યા વગર અહિંસક લડાઈ ચાલી તેમાં એક તરફ ભારતીય પ્રજાને અને બીજી તરફ અનિષ્ટોથી હટવા માટે અંગ્રેજોને પણ ઉદય જ થ. પરિણામે હિંદને સ્વરાજય આપવાની તરફેણ કરનારા ઘણા માણસો પાયા અને આગળ આવ્યા. ભારત પ્રતિ તેમને આદર રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ એ ઉપરાંત ગાંધીજી સર્વોદય અર્થ એટલે બધાય ક્ષેત્રોને ઉદય એમ માનતા હતા. એટલે તેમણે રાજકારણ, અર્થકારણ, સમાજકારણ વગેરે દરેક ક્ષેત્રનો ઉદય કેવી રીતે થાય તેની કાળજી રાખી હતી. રાજનીતિ જેવા અટપટા ક્ષેત્રમાં પણ જે અનિષ્ટો જામી ગયા હતાં; તેમને શુદ્ધ કરવા માટે પોતે અખંડ પ્રયત્ન કરતા રહ્યા. બધાય ક્ષેત્રોમાં પિસેલાં અનિષ્ટ ને દૂર કરવાથી “સર્વોદય’ સર્વ ક્ષેત્રેાદય થઈ શકે. તેમણે કોઈપણ એક ક્ષેત્ર છોડ્યું ન હતું. કોંગ્રેસના તેઓ પ્રારંભથી ટેકેદાર હતા. તેમણે બધાય ક્ષેત્રોમાં નૈતિક-સંગઠને ઊભાં કર્યા હતાં. જે બાકી રહ્યાં ત્યાં સંગઠને ઊભાં કરવાનાં હતાં. એટલે કે સંગઠને વડે જ તેમણે સર્વોદયને નવું રૂપ આપ્યું હતું. સામાજિક ક્ષેત્રમાં ઊંચનીચના ભેદભાવ, પૃયાસ્પૃશ્યના ભેદ, હજ-મજૂરના વર્ગો દૂર કરી હરિજન સેવક સંઘ વડે તે કામ ઉપાડ્યું હતું. લગ્ન-પ્રથા, મહિલા ઉન્નતિ વ.ના કાર્યોને તેમણે નવું રૂપ આપ્યું. આર્થિક ક્ષેત્રમાં તો ગ્રામસ્વરાજ્ય દ્વારા તેમજ ગ્રામોદ્યોગની પ્રક્રિયા તેમણે લીધી જ હતી. શિક્ષણના ક્ષેત્રમાં નઈ-તાલિમ, ભાષા પ્રશ્ન વ. ઉકેલવા માટે નઈતાલિમ સંઘધારા ઉદયનું કાર્ય કર્યું હતું. સાંસ્કૃતિક ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કૃતિના તો સુરક્ષિત રાખવાને તેમને પ્રયાસ રહ્યો હતો. ધાર્મિક ક્ષેત્રમાં સાધુ-સાધ્વીઓ પ્રતિ તેમને ખૂબજ આદરભાવ હતો. તેઓ હમેશાં સાધુવર્ગને કહેતા : “તમે પોતાના સ્થાને અને મર્યાદામાં રહીને બધા ક્ષેત્રમાં નીતિ-ધર્મ પ્રવેશ કરાવવાનું ઘણું કામ કરી શકો છે.” આમ ગાંધીજીની હૈયાની સુધી સર્વોદયની દ્રષ્ટિએ સર્વક્ષેત્રે કામ થયાં. “સર્વોદય” માસિક પણ પ્રગટ થતું હતું અને તેમની હયાતીમાં પણ સર્વોદય સંમેલન ભરાયાં હતાં. હિંદુસ્તાનના બધા ધર્મોમાં “સર્વોદય’નાં બીજ તે હતાં જ. એ વિચારબીજેને ઝાડનું સ્વરૂપ આપવામાં એટલે કે સર્વોદય કરવામાં મોટો ફાળો મહાત્મા ગાંધીજીને છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વૈદિક ધર્મમાં રવસ્તિ મંત્ર તેમજ બીજા આશીર્વચનોમાં સર્વોદયની ભાવના છે પણ આ ભકમાં તે તેના ઉચ્ચતમ સ્વરૂપે છે – सर्वेभवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वेभद्राणि पश्यन्तु, मा कश्चिद दुःखमाप्नुयात्र। બધા સુખી થાઓ! બધાય નિરોગી થાઓ ! બધાય બધાનું કલ્યાણ જુઓ! કોઈ દુખી ન થાઓ ! જૈન ધર્મના મહાન આચાર્ય સમંત ભદ્દે તીર્થંકર સ્તુતિ કરતાં કહ્યું છે – "सर्वापदामन्त कर निरन्तं सर्वादयं तीर्थमिदं तवैव ।" આપનું તીર્થ (સંધ) શાશ્વત અને બધીય વિપદાને અંત કરનાર છે. અર્થાત કે દુઃખને હરનારૂં છે, સર્વોદય કરનાર આપનું તીર્થ છે. અત્યારસુધી સર્વોદય વ્યક્તિગત વિચારની વસ્તુ હતી તેને ગાંધીજીએ સામુદાયિક વિચાર અને સંગઠને દ્વારા સક્રિયરૂપ આપીને આચારની વસ્તુ બનાવી. આ તે સર્વોદયનું સ્વરૂપ ગાંધીજીની હયાતી સુધી હતું. સર્વોદયનું નવું સ્વરૂપ:– મહાત્મા ગાંધીજીના અવસાન બાદ, સન ૧૮૫૧ થી સર્વોદયે” નવું સ્વરૂપ લીધું અને નવી પૂરી પકડી. સંત વિનોબાજીએ સર્વોદય મંચ ઉપરથી, પોચમપલીન ગ્રામથી ભૂદાન ગંગા પ્રગટાવી. તેમણે ભૂદાન વગેરે જે જે કાર્યક્રમો આપ્યા તેને હવે પછીના પ્રવચનમાં વિચાર કરવામાં આવશે પણ વિનોબાજીના વ્યકિતત્વ ઘડતરની શી અસર સર્વોદય ઉપર પડી? તે અહીં જોઈ જઈએ. વિનોબાજીની પિતાની પ્રકૃત્તિમાં વેદાંતના સંસ્કાર છે; તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૧ વ્યકિતગત એકાંત સાધનામાં વર્ષો ગાળ્યાં છે. આથી તેમણે સર્વોદયની ધૂરી હાથમાં આવતા કોઈ પણ કાર્યમાં સગઠનની વાત કરી નથી. સંગઠનમાં તે કડક શિસ્ત, નિયમના બંધન અને જવાબદારી ઈને, તેઓ જાતે કઈ સંગઠનમાં જોડાયા નથી તેમણે જવાબદારી લીધી નથી એટલું જ નહીં સંગઠન તરફ ઉપેક્ષાવૃત્તિ ધારણ કરી છે. એટલે ગાંધીજી જે સંગઠન દ્વારા સર્વોદયમાં માનતા હતા અને સંગઠનના કડક નિયમ, શિસ્ત અને જવાબદારીમાં માનતા હતા તે ભાવના ઓસરતી ગઈ અને એક નવી ભાવનાએ આકાર લીધે કે વ્યકિતદ્વારા જ ક્રાંતિ થઈ શકે અને લોકો પણ એમ માનવા લાગ્યા, કેવળ વિનોબાજી નહીં; ૧૮૫૧ પછી જેટલા નવા નવા સર્વોદય કાર્ય કરે આવ્યા તેમની પાસે પણ ગાંધીજીની સર્વાગી-સર્વોદય દષ્ટિ ન લેવાના કારણે તેઓ પણ સંગઠન વગર વ્યકિતગત રીતે ભૂદાન કાર્ય કરતા રહ્યા. જો કે કેટલાક ભૂદાન મંડળે ઊભાં થયાં પણ તેમાં બંધારણ કે નિયમોપનિયમની શિસ્ત ન રહી. સહુ વિનોબાજીનું અનુકરણ કરવા લાગ્યા. સર્વોદય કાર્ય માટે ગાંધી સ્મારક નિધિના ભંડારો ખુલા હતા. એટલે નવા સર્વોદયી કાર્યકરોની ભીડ જામવા લાગી અને એમાં કેટલાક ગોટાળા ૫ણ થવા લાગ્યા. એટલે લોક શ્રદ્ધા ઓસરતી ગઈ. ભૂદાનના કારણે જે એક વિચારક્રાંતિનું મોજું દેશવ્યાપી પ્રસર્યું હતું તેનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. ભૂદાન કાર્યકરે અને ભૂ-વિતરણ પાછળના અનહદ ખર્ચને જોઈ લોકોમાં જમીન આપવાને રસ ઓછો થશે. તે પણ સહુથી મોટી ફેરબદલી એ થઈ કે જે સર્વોદય, સર્વ ક્ષેત્રને સ્પર્શતું હતું અને જેને ગાંધીજીએ જુદાં જુદાં સંગઠન અને કાર્યક્રમો દ્વારા વ્યાપક બનાવ્યો હતો તે સીમિત બનીને “ભૂદાન ”ની એકાંગી પ્રવૃત્તિ તરફ આવીને તેને જ સ્પર્શતે રહી ગયો. જુદાં જુદાં સંગઠનનું એકીકરણ જરૂર કરવામાં આવ્યું અને તેને સર્વ – સેવા સંઘ નામ આપવામાં આવ્યું. આમ સર્વોદયનો પાયે તે નીકળી ગયું અને તેના બદલે સર્વ - સેવા આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સર્વોદયમાં પછાતમાં પછાતને ઉદય – વિકાસ થતે અને સાથે સાથે તેને વિરોધપક્ષ પણ હળ બનીને વિકસિત થત; જેમકે શેષિત વર્ગ શેષણ ઓછું થવાથી; અને શોષક વર્ગ શોષણ ઓછું કરવાથી. તેના બદલે “ભૂદાન” નિમિત્તે સર્વ–સેવા આવતાં લોકમાનસમાં ઉદય થવાને બદલે ગ્રંથિઓ સિવી શરૂ થઈ. ભૂદાન દ્વારા જમીન આપવાથી, બીજા સાધનો દ્વારા મૂડી કે ખેતીના સાધનો આપવાથી લોકોને રાહત આપવા–અપાવવાનું કાર્ય જરૂર થયું પણ સર્વોદય ન થયે; કારણ કે દાનના કારણે દેનારમાં ગૌરવગ્રથિ અને લેનારમાં લાઘવ ગ્રંથિ થોડીક આવી ગઈ. દેનારે બહુ જ ઓછીવાર આ ભાવના સાથે આપ્યું કે “મેં સમાજ પાસેથી આ વધારે મેળવ્યું છે. તેને સમાજને આપવું એ મારું કર્તવ્ય છે અથવા મને આ શોષણ દ્વારા મળ્યું છે તે તેના પ્રાયશ્ચિત રૂપે હું આપું છું.” મોટા ભાગે તે , ઉપકાર કરતા હોય એ રીતે જ આવ્યું. આમ સર્વોદયના નવા સ્વરૂપમાં એક જ સંગઠન રહી ગયું તે સર્વ-સેવા-સંધ. નવા નૈતિક જન સંગઠનો ન તે રચાયાં કે ન એવાં સંગઠનને સ્વીકૃતિ આપવામાં આવી. એટલે સમાજમાં અન્યાય, અત્યાચાર, અનીતિ જેવાં અનિષ્ટો હઠાવવાની શકિત વ્યકિતગત રહી પણ તેની પ્રતિષ્ઠા સમાજમાં ન તૂટી. સંગઠન દ્વારા એ તૂટવી જોઈતી હતી પણ એમ ન થયું. પરિણામે જેમ અંધારાને હઠાવ્યા વગર ઉદય ન થઈ શકે તેમ અનિટોનાં અંધારાને હઠાવ્યા વગર સર્વોદય કયાંથી થઈ શકે? આવાં અનિષ્ટ કેવળ સામાજિક ક્ષેત્રમાં જ નથી પણ એ આર્થિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, સાંસ્કૃતિક ક્ષેત્રમાં અને શિક્ષણ વગેરે બધાયે ક્ષેત્રમાં છે. આ બધામાં “દાન લેવું અને દેવું” એ પ્રવૃત્તિને અનુરૂપ આજને સર્વોદય કેવળ આર્થિક ક્ષેત્રને અધ્યાત્મને પુટ આપીને સ્પર્શે છે. એનાથી રાહતનું કામ જરૂર થાય છે પણ અનિષ્ટો હઠતાં નથી; તે એકબંધ રહ્યા કરે છે. ક્યારેક એવું પણ જોવામાં આવ્યું છે, ગઈ કાલ સુધી જેણે બધા પ્રકારના અત્યાચાર-અનિષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ કર્યા હોય તે ભૂમિ-દાન આપીને પ્રતિષ્ઠા પામી જાય છે અને સાધના વગરની આંતરિક શુદ્ધિના અભાવે તે બીજા અનિષ્ટોનો ત્યાગ કરી શકો નથી. આમ આજનો સર્વોદય ધાર્યું પરિણામ “બધાનો ઉદય” લાવી શકતા નથી. આજને સર્વોદય રાજકીય ક્ષેત્રને તે અડવા માગતા જ નથી; તેનું કારણ એ છે કે સર્વોદયનું સિદ્ધાંત વાક્ય છેઃ “શાસનમુક્ત અથવા શાસન-નિરપેક્ષ સમાજરચના !” આનું પરિણામ એ આવ્યું છે કે જે ગાંધીજી શાસનને સ્પર્શતા અને કોંગ્રેસને ટેકો આપતા તેને જ (શાસન) આજને સર્વોદય અડવામાં માનતો નથી એટલું જ નહીં ગાંધીજી દ્વારા સત્ય અહિંસાની દિશામાં આગળ વધેલી, ઘડતર પામેલી, લોકશાહીમાં માનનારી અને જની; તેમ જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પંચશીલને અમલમાં મૂકનારી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ને ટેકો આપવામાં પણ માનતો નથી. તે કેવળ સત્તામાં રહેલ ગ્રેસ પક્ષની ટીકા કરીને રહી જાય છે. શાસન ન જોઈએ કે નિરપેક્ષ શાસન રહેવું જોઈએ એવી વાત તો થાય છે પણ બીજી તરફ શાસન સામાજિક કે આર્થિક ક્ષેત્રમાં જે ડખલગીરી કરે છે; ગમે તેવા કાયદા પસાર કરે છે તે અંગે સર્વોદય કાંઈ બેલ નથી કે નૈતિક અથવા લોક સંગઠને દ્વારા શાસન ઉપર અંકુશ રાખવામાં કે તેની શુદ્ધ કરવામાં માનતા નથી પરિણામે નિરંકુશ શાસન વધતું જાય છે. સાંસ્કૃતિક ક્ષેત્રમાં, કૃત્રિમ સંતતિ નિયમન, અંગ્રેજી ભાષાનું માધ્યમ, પ્રાથમિક ધોરણમાં અગ્રેજીને પ્રવેશ, સહશિક્ષણ વગેરેના પ્રશ્નોમાં વ્યક્તિગત રીતે કદાય વિનોબાજી કે કઈ સર્વોદય નેતા કંઈ પણ કહી દેતા હશે પણ નૈતિક જનસંગઠને અને જનસેવક સંગઠન દ્વારા તેના અહિંસક પ્રતિકારમાં આજનો સર્વોદય માનતા નથી. એવી જ રીતે શિક્ષણના ક્ષેત્રમાં પણ શિક્ષણ પદ્ધતિ બદલવાની વાત વર્ષોથી વ્યક્તિગત રૂપે થયા કરે છે પણ સર્વ સેવાસંધ દ્વારા લોકસંગઠનેને સાથે લઈને સરકાર ઉપર નૈતિક દબાણ લાવવાનું કાર્ય આજના સર્વોદય દ્વારા થતું નથી. એવી જ રીતે મત્સ્ય ઉદ્યોગ, માંસાહાર–પ્રચાર, ગોવધ કે દારૂ પ્રચારના વિરોધમાં આજના સર્વોદય દ્વારા સંગઠિત અહિંસક પ્રતિકાર થતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ રાજ્યમાં જે ભ્રષ્ટાચાર છે તેની વિરૂદ્ધ કેવળ વિચાર પ્રગટ કરવાથી, કામ થતું નથી. ચારેય સંસ્થાઓના અનુબંધ દ્વારા ગ્ય રીતે, કાનૂન ભંગ કર્યા સિવાય, નૈતિક પ્રતિકાર કરવામાં આવે તેજ એ કામ થઈ શકે. ચારેય સંસ્થાઓ-લેખસંગઠન, લેકસેવક સંગઠન, રાષ્ટ્રીય મહાસભા અને ક્રાંતિપ્રિય સાધુઓના અનુબંધેની વાત આજના સર્વોદયમાં નથી. તેને પાયે વ્યક્તિવાદ ઉપર મંડાયો છે. એટલે ધાર્મિક ક્ષેત્રે વિચારક અને કાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ અને સન્યાસીઓ, વાનપ્રસ્થાશ્રમીઓ કે સાધકો સાથે અનુબંધ ન હોઈને ધર્મક્ષેત્રમાં જે અનિષ્ટો છે, વિષમતા છે તેની શુદ્ધિ અદ્યતન સર્વોદય કરી શકતા નથી. સામાજિક ક્ષેત્રમાં પણ વ્યક્તિગત રીતે વિનોબાજી કેટલા પ્રશ્નો ચર્ચે છે પણ તે દિશાર્મા સંસ્થા કે સંગઠન વડે એ પ્રશ્નોને ઉકેલ લાવતા નથી. એટલે સમાજનું ઘડતર સર્વોદય કરી શકતું નથી; એની સાથે નવાં મૂલ્યોની સમાજમાં સ્થાપના પણ કરી શકતો નથી. બધા ક્ષેત્ર અંગે એજ રીતે વિચાર કરતાં સ્પષ્ટ જણાઈ આવશે કે આર્થિક ક્ષેત્રને અધતન સર્વોદય કેવળ આધ્યાત્મિક પુટ આપવાનું એક માત્ર કાર્ય કરે છે. તે સિવાયના ધાર્મિક, સામાજિક, રાજનૈતિક શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધી દરેક ક્ષેત્રનાં અનિષ્ટ રૂપી અંધારા ઉલેચવાનું કાર્ય ન થાય તે સર્વોદય (સર્વક્ષેત્ર-ઉદય) ક્યાંથી થઈ શકે? આ છે આજના અદ્યતન સર્વોદયને વ્યક્તિવાદ ઉપરને પાયે અને તેનાં પરિણામે. મહાત્મા ગાંધીજીએ બધાય ક્ષેત્રનાં અનિષ્ટ-અંધકાર ને મટાડવા માટે અનુબંધ યુક્ત સત્યાગ્રહની અહિંસક પ્રક્રિયા ઊભી કરી હતી પણ અધતન સર્વોદયમાં એ વાત સ્વીકારવામાં આવી નથી. એથી આજના સર્વોદયમાં સમાજની વાત થાય છે, વિચાર–પ્રચાર પણ થાય છે પણ તે વ્યક્તિ દ્વારા ક્રાંતિની વાત થાય છે તેની સંગતિ વ્યાપક પ્રક્રિયા કે સમાજ ઘડતરની પ્રક્રિયા ઉભી કરાતી નથી. એટલે વ્યક્તિ દ્વારા ક્રાંતિ થવાની વાત આકાશ-કુસુમ જેવી બનીને રહી જાય છે. વ્યક્તિ ક્રાંતિની પ્રેરક હોઈ શકે પણ એ પ્રેરણા પામનાર કોઈ સંગઠિત સમાજ કે સંધ ન હોય તે તે વ્યક્તિની સાથે જ વિરમે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રાજનીતિ ન જોઈએ પણ લોકનીતિ જોઈએ એવી વાત આજે સર્વોદયમાં થાય છે. એ તેજ બની શકે કે કાંતે સર્વોદયશાહી ઊભી થાય; અગર તો એ પહેલાં જે શાસન છે તેને શુદ્ધ કરાય, બદલાય કે હઠાવાય. કેવળ તેની ઉપેક્ષા કરવાથી તે હઠી જવાનું નથી; અને તેથી લોકનીતિ પણ નહીં આવે. સર્વોદય સંસ્થા સત્તા ન લે કે હેદા ન લે પણ રાજનીતિની ઉપેક્ષા અને હિંદની આજે સારામાં સારી ગણાતી સંસ્થા કેગ્રેસને સમર્થન ન કરવાની નીતિથી; રાજનીતિમાં વધારે ને વધારે સડે પેસતો જાય છે. જેમ ગૂમડું પગમાં થયું હોય પણ તેની વેદના આખા શરીરને ભેગવવી પડે તેજ રીતે આ સડ વધતાં તે. સર્વોદય ને પણ ભારીજ પડશે. લોકનીતિ કંઈક એકાદ વ્યકિતના ઉત્સર્ગથી નથી આવવાની. એના માટે તે પ્રજાને રાજકારણથી અતડી રાખ્યા વગર લોક સંગઠને ઊભાં કરી; બધા ક્ષેત્રના રોજબરોજનાં પ્રશ્નો ઉકેલવા પડશે અને લોકોનું ઘડતર કરવું પડશે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે બધાયે ક્ષેત્રે રાજ્ય તાબે કર્યા છે તે તેની પાસેથી લેક સંગઠને અને લોકસેવક સંગઠનના નૈતિક દબાણથી પાછાં લેવાં પડશે તો જ લેકનીતિ પ્રગટી શકશે અને ટકી શકશે. શાસન નિરપેક્ષ સમાજ અંગે સંત વિનોબાજીએ રાજ્યની જરૂરત ઉપર બોલતાં કહ્યું છે કે, જેમ ખતરો આવતા રેલવેમાં સાંકળની જરૂર પડે એમ ખતરે આવે ત્યારે જ રાજ્યની જરૂર છે. પણ એના માટે પ્રજાનું પિતાનું નૈતિક સંગઠન થવું જોઈએ અને પ્રજાસેવક સંગઠન તૈયાર થવું જોઈએ. રાજ્યને અને જનસંગઠનેને પ્રજાસેવક સંગઠનની પ્રેરણું બરાબર મળતી રહેવી જોઈએ તેમજ સમાજ, અર્થ, સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રે રાજય પાસેથી દૂર થઈ આ જનસંગઠને કે નૈતિક જનસેવક સંગઠને પાસે જવાં જોઈએ. નહીંતર ડગલે ને પગલે રાજ્ય દરેક કાર્યમાં ડખલગીરી કર્યા જ કરશે ત્યારે કેવી રીતે નિરપેક્ષતા રહી શકશે ? [ આ અગે મધ્યપ્રદેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ડાકુઓના આત્મસમપર્ણના સંત વિનેબાજીના કાર્યને અંતે રાજ્યસત્તાઓ અને પિલિસાએ કઈ રીતે બિરદાવ્યું એ તરફ અંગૂલિનિર્દેશ કર બસ થશે. સં. ] સંત વિનેબાજી સામ્ય-સત્યાગ્રહની વાત કરે છે પણ તેની કોઈ વ્યાપક પ્રક્રિયા કઈ ક્ષેત્રમાં ઊભી કરવામાં આવતી નથી માત્ર પાદયાત્રાને જ સૌમ્ય સત્યાગ્રહની પ્રક્રિયામાં ન ખપાવી શકાય. ગાંધીજીએ તે સંગઠિત રીતે અન્યાયના પ્રતિકાર માટે સત્યાગ્રહ કર્યા– કરાવ્યા હતા. એટલે આખો દેશ જાગ્યો હતો અને સર્વોદય તરફ વળે હતે. અધતન સર્વોદયવાદમાં આવી પ્રક્રિયાઓ ઊભી ન થતાં અનિષ્ટોનાં અંધારા દૂર થતાં નથી અને સમસ્યાઓ ઉલટી વધુ ને વધુ ગુંચવાતી જાય છે. અદ્યતન સર્વોદયનાં સિદ્ધાંતના સૂત્રો: સર્વોદયનું સૌથી પહેલું સત્ર છે. “શેષણ વિહીન સમાજ રચના શેષણવિહીન સમાજ ત્યારે જ થઈ શકે જ્યારે શેષણના જે તે છે તેને અટકાવવામાં આવે. શેષણના ત્રણ સ્ત્રોત છે – (૧) બુદ્ધિ દ્વારા (૨) સંપત્તિ દ્વારા અને (૩) રાજ્ય દ્વારા. બુદ્ધિ દ્વારા શોષણને પ્રકાર આ પ્રમાણે છે કે ગામડામાંથી કાશે માલ વેપારી કે દલાલે ઓછા ભાવે લઈ જાય છે અને શહેરો પીઠોમાં ઉંચા ભાવે વેચે છે એટલું જ નહીં, માલ લઈ જવાની દલાલી, આડત કે કમીશન પણ ગામ પાસે જ વસુલ કરે છે. એના બદલે જનસંગઠને દ્વારા સંચાલિત સામુદાયિક પ્રવૃત્તિ તરીકે ગામની સહકારી મંડળીઓ જ સીધે સંપર્ક શહેરની પીઠે સાથે રાખે તે, જાતે ભાવ નકકી કરે અને વેચે તે ભાવ પણ સરખો આવે અને વચમાંની દલાલી, કમીશન, આડત વિગેરે બચતાં, ગામડાંનું શેષણ અટકી શકે. એવી જ રીતે કાચા માલને પાકા માલમાં ફેરવવા અંગે ગામડાંમાં જ સહકારી ધોરણે જીન કે પ્રેસ વગેરે નંખાય તે યે ગામડાનું શેષણ અટકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ સંપત્તિ દ્વારા શિક્ષણ એટલે વ્યાજ, વટાવ, અને કારખાનામાં શ્રમ કરનાર ઉત્પાદક તરીકે ગામડિયા મજૂરોને રાખવાથી જે શોષણ થાય તે છે. આ કયારે અટકે ? જ્યારે ગામડામાં એવી સહકારી. મંડળીઓ ઊભી થાય છે. ધીરાણ કરે તેમ જ ગામડામાં જ મજૂરી ચૂકવે. જ્યાં રાજ્ય સંચાલિત આવી મંડળીઓ હોય તેમાં ગ્રામ્ય જનસંગઠનનું નૈતિક પ્રતિનિધિત્વ પણ રહેવું જોઈએ. તે જ સંપત્તિ દ્વારા શોષણ અટકી શકે. રાજ્ય દ્વારા શેષણ તરીકે, રાજ્ય નાખેલા કરવેરા, મહેસુલી તેમ જ ઉત્પાદકો ઉપર ઉંચા ટેકસ નાખવા વગેરે દ્વારા, રાજ્ય શેષણ કરે છે. એને દૂર કરવા માટે ક્રાંતિપ્રિય સાધુઓ અને સાધકો કે નૈતિક જનસેવક સંગઠનો દ્વારા ન્યાય માટે શુદ્ધિ પ્રયોગો થવા જોઈએ જેથી શોષણ વિરૂદ્ધ અવાજ જાગે અને તેને પડઘો લોક હૃદયમાં પડે. આ રીતે અહિંસક પ્રતિકાર સક્રિય બને; કાયદા કાનૂનમાં સંશોધન કરાવવામાં આવે અને ઝઘડા માટે કોર્ટ કચેરીએ ન્યાય માટે શહેરમાં જવામાં ગામડાઓનું જે શોષણ થાય છે તે લવાદી કે શુદ્ધિપ્રયોગથી અટકાવવામાં આવે તો રાજ્યદ્વારા શોષણ થતું અટકી શકે. આમ જોવામાં આવ્યું છે કે જ્યાં સુધી શોષણ સામે સંગઠિત નૈતિક બળ ન પેદા થાય ત્યાંસુધી વાતો કરવાથી તે અટકતું નથી. એ માટે સંગઠિત બળોની પ્રક્રિયા પેદા કરવી જરૂરી છે. તે અદ્યતન સર્વોદયમાં નથી. એટલે માત્ર શોષણ વિહીન સમાજનું ઉચ્ચારણ કરવાથી તે સિદ્ધ થઈ શકતું નથી. સર્વોદયનું બીજું સૂત્ર છે “શાસન નિરપેક્ષ સમાજ રચના આને અગાઉ શાસન મુક્ત સમાજ રચના તરીકે ઓળખાવવામાં આવતું હતું. આ બને અને અગાઉ ઘણું કહેવાઈ ગયું છે કે કોઈપણ પ્રકારની શિસ્ત, સંગઠન કે વ્યવસ્થા વગરના સુખી સમાજની કલ્પના દિવા સ્વપ્ન જેવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ એની સાથે દંડમુક્ત સમાજ અંગે એકવાર સંત વિનોબાજીએ કહ્યું હતું. પણ એ ત્યારે જ થઈ શકે જ્યારે એ અંગે પરિસ્થિતિ દિ કરવામાં આવે કે લોકો પોતે જ સ્વમર્યાદે કે કાયદા કાનૂનનું પાલન કરે; એક બીજા સાથે પ્રેમભર્યો અહિંસક વર્તાવ કરે. આવા યુગલિયા કાળ જેવા માટે પણ જનતાનું ઘડતર સુસંસ્થાઓદ્વારા થવું - જોઈએ, પણ આ કોઈ કાર્યક્રમ સર્વોદયની પાસે આજે નથી. | સર્વોદયનું ત્રીજું સૂત્ર છે: “વર્ગ વિહીન સમાજ રચના” એ ત્યારેજ થઈ શકે કે વર્ગ પાડનાર અલગ ધંધાઓનું વિલીનીકરણ કરી નાખવામાં આવે જે આજે તે શક્ય નથી. અલગ અલગ ધંધાઓ કરનારનાં હિતે અલગ અલગ હઈ બધાના વર્ગો પડવાના જ અને સાધનાની દષ્ટિએ તેમનામાં ધોરણ-ભેદ પણ રહેવાને. જે શકય વસ્તુ છે તે એકે પરસ્પર એ વર્ગો કે કક્ષાઓને સમન્વય, પરસ્પરના અવલંબનનની પ્રક્રિયા દ્વારા થઈ શકે. એ ત્યારેજ થાય જ્યારે અનુબંધ વિચાર ધારા પ્રમાણે કાર્ય થાય. એ વાત કે વિચાર આજે સવોદયમાં નથી. સર્વોદયનું ચોથું સૂત્ર છેઃ “ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિ” એવી ક્રાંતિ માત્ર વ્યક્તિઓના સરવાળાથી ન થઈ શકે. તે તે નૈતિક સંગઠન દ્વારા જ સંભવે છે. પ્રજાનું ટોળું મળે અને વિચારને આવકારે પણ આચારમાં ઉતારવા માટે કોઈ કાર્યકમ ન હોય તો પ્રજાનું ઘડતર ન થાય. અહિંસક ક્રાંતિની દિશામાં પ્રજાનું ઘડતર કરવા માટે તેવા નૈતિક સંગઠન દ્વારા અન્યાયને અહિંસક પ્રતિકાર કરે જરૂરી છે. આ વાત સર્વોદયમાં નથી. - આ બધી વસ્તુઓ ઉપરથી આજના સર્વોદયમાં શું શું ન ખૂટે છે તેનો ખ્યાલ આવી શકે છે. તેમની પૂર્તિ કરવાથીજ સર્વોદય સાચા અર્થમાં ગાંધીજીનો નિર્દષ્ટ સર્વોદય થઈ શકશે. એ સર્વોદય વિશ્વ વાત્સલ્યની નજીક હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ દંડશકિતએ ખરેખર છેલ્લું સ્થાન મેળવવું જોઈએ. પણ, તેના બદલે તેણે પહેલું સ્થાન લઈ લીધું છે. તેને ખસેડવા માટે ઘડતર પામેલા શુદ્ધિપ્રયોગકારો અને શાંતિસૈનિકોએ જનસંગઠનેને સાથ મેળવવું જોઈએ. આ અગે અધતન સર્વોદયે ઉંડાણથી વિચારી, સર્વાગી અને સર્વ ક્ષેત્રેદથી વ્યાપક સર્વોદયનું સ્વરૂપ બનાવવું જોઈએ. ચર્ચા-વિચારણું સર્વોદય સ્વરૂપ બદલવું કહ્યું: શ્રી પૂજાભાઈએ “સર્વોદયનું આજ સુધીનું સ્વરૂપ” એ મુદ્દા ઉપર ચર્ચાને ઉધાડી, તેમણે કહ્યું – આમ જોવા જઈએ તે સર્વોદયને વિકાસ પણ ધીમે ધીમે થયો છે. રાજાઓ પ્રજા પાસે કર ઉઘરાવી કે બીજી તરફ શ્રીમતિ ઉપર દબાણ લાવી બીજા ખાતર ઘસાવાની વાત શીખવતા. તેમજ ધર્મગુરુઓ અને લોકસેવકોના ત્યાગપ્રધાન જીવન અને ઉપદેશ વગેરેથી સાધનસંપન્ન માણસે આપમેળે બીજા માટે ત્યાગ કરતા, અને માનતા કે આ સાધનસંપન્નતામાં ભલે અમારે સીધે પ્રયત્ન છે પણ સમાજ અને સમષ્ટિને આડકતરે પ્રયન તે છે જ! અમારા વિકાસમાં મા-બાપ ઉપરાંત સમાજે અને સવિશેષે કુદરતે પાણી, પ્રકાશ, હવા વગેરેએ આવી કેટલી મોટી મદદ કરી છે. આમ માનીને પરોપકારના રસ્તે સહેજે ખેચાતા. રામ અને કૃષ્ણ સર્વાગી ક્રાંતિની રીતે સર્વોદય વિકસાવ્યું પણ તે ઈશ્વરીય વિભૂતિઓ હતી, તેના કારણે તેમનાથી એ શક્ય થયું, જેમકે શ્રી રામે આદિવાસી-વનવાસી અને વાનરે સાથે રહીને પણ જે રીતે કામ કર્યું; શ્રી કૃષ્ણ વ્રજમાં ગોવાળિયાઓ સાથે ઓતપ્રેત બની જે કાર્ય કર્યું. તેને પાયાને સર્વોદય કહી શકાય. તેવા પુરૂષોએ તે કિન્કંધા અને લંકામાં જે કાર્યવાહી યુદ્ધની બજાવી તે પણ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ર૦ અને દુનિયાની જ નહીં. માર્યા ગયેલા વાલી અને રાવણના સર્વોદયમાં બજાવી ગણાય. સમષ્ટિ સુધીના સર્વોદયમાં તે સાધુ સંતેને જ પહેલો નંબર લાગ જોઈએ; કારણ કે તેમણે તે જાતે અહિંસા આચરી અને આચરાવી છે. છતાં ગાંધી યુગ પછી સર્વોયને જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે અને ખે છે. એ દ્રષ્ટિએ જોતાં એ વિકાસથી આગળ જતાં, સહકારી પવૃત્તિ અને સંગઠનનું જે ધ્યેય વિધવાત્સલ્યનું છે; તે આપણું ધ્યાન ખેંચ્યા વગર રહેતું નથી. ખાસ કરીને ભાલનળકાંઠો પ્રયોગ ક્ષેત્રથી આરંભાએલી વિવવાત્સલ્યની જે પ્રવૃત્તિઓ થઈ છે તેને ઉલ્લેખ કરૂં છું. એટલે જ લાગે છે કે “કલ્યાણરાયે” આજના સર્વોદયના વિકાસને મોખરે રાખવો પડશે; સર્વોદયે રાજ્યને વિસારે નહીં ચાલે અને આગળનો માર્ગ “વિશ્વ વાત્સલ્યનો છે તેની સાથે સર્વોદયે અનુસંધાન મેળવવું પડશે. સર્વોદયે સ્વરૂપ બદલવું પડશે, તે જ પેટ, પહેરણ, પથારી તેમ જ સમ છ અંગેના માનવ જાતિના જે બીજા પ્રશ્નો છે તે ઉકેલાશે. નહીંતર ગાંધીજીએ પેટ, પહેરણું પથારીનો પ્રશ્ન ઉકેલવાને જે અહિંસક રસો દોર્યો છે તે પણ અધુરો રહેશે. ભદેન્મત્ત માંધાતાઓના હાથમાં જે આગ્નેયા અને વિશાળ સત્તાઓ છે તે દ્વારા જગતમાં ભયંકર આંધી મચી જશે. એટલે સર્વનાશથી બચવા માટે સૌએ વિચારવાનું છે. કાર્યક્રમના અભાવવાળું સર્વોદય શ્રી દેવજીભાઈએ પિતાને અનુભવ કહી સંભળાવ્યો કે – શ્રી સંત વિનોબાજી કચ્છમાં આવેલા ત્યારે તેમની સાથે નારાયણભાઇ દેસાઈ ભચાઉ આવેલા. તે વખતે એક જંગી સભા મળી હતી. તેમાં ડોકટરો કેવા હશે ? વકીલે કેવા હશે? તે અંગે સમાજનું એક સુંદર મનહર રેખાચિત્ર દોરેલું, પણ એ પૂછયું કે વર્તમાન પરિસ્થિતિમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ એ સ્થિતિ એ પહોંચવા માટે ક્રમબદ્ધ શું કાર્યક્રમ છે રાત્રે તેમની તબિયત સારી ન હોઈ ચર્ચા ન થઈ શકી; અને વહેલી સવારે જ તેઓ અંજાર તરફ રવાના થઈ ગયા હતા. આ તરફ ભચાઉ ખેડૂત મંડળે ભાલનળકાંઠા પ્રયોગના અનુસંધાનમાં જેમ જેમ કાર્યક્રમો કરવા માંડ્યા તેમ તેમ લોકોમાં ધડ બેસવા લાગી. કાર્યક્રમો કે સફળ ઉકેલ વગરના એકાંગી કે કાલ્પનિક વાતેથી લકશ્રદ્ધા ધીમે ધીમે ડગી જાય છે. તે લાંબો સમય સુધી ટક્તી નથી. અમલદારી ત્રાસ, ગુંડાઓ કે દાંડ તને જુલ્મ, પરસ્પરની નાની-મોટી તકરાર, સામાજિક પ્રશ્નો અને રાજકીય તો ઉકેલાતા ગયા તેમ તેમ લોકશ્રદ્ધા દિવસે દિવસે વધતી ગઈ છે. એ તે છે રચનાત્મક સંગઠિત કાર્યક્રમની સફળતા. તે નક્કર છે જ્યારે કલ્પનાનું સુખ ક્ષણિક અને અસ્થાયી રહે છે. નમ્રભાવે અહીં એક જ દાખલો આપું કે સર્વે મળીને જ્યાં સંકલ્પ કરે તે કેવું આકર્ષક કાર્ય થઈ જાય છેજવા આવવાની સીમાના તેમજ ગામ તરફ આવવા જવાના રસ્તા ટુંકા થઈ ગયા. સૌએ જમીન દબાવેલી, પણ જ્યાં સૌએ મળીને નિશ્ચય કર્યો ત્યાં છે આઠ હજારથી ન બને તે કાર્ય શ્રમયજ્ઞથી સૌના આનંદ વચ્ચે પૂરું થયું. આમ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એમ કહેવાય છે તેની સાથે સાથે એ પણ જોડી શકીએ કે “જ્યાં ન પહોંચે કવિ ત્યાં પોંચે અનુભવી.” એટલે કે અનુભવ જન્ય પ્રાગે કરીને જ લોકશ્રદ્ધાની જમાવટ કરવી જોઈએ અને તે પ્રયોગોને આગળ ધપાવવા જોઈએ. અહિંસક પ્રતિકાર કયાં સુધી? શ્રી શ્રોફે કહ્યું: “એક જમાને છે અને જીવાડોને હતે. એની પહેલાં તો મારીને જીવવાનો હતો. પણ ક્રમે ક્રમે જીવાડીને ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨ જીવવાને જ્યાને આવ્યો અને હવે તે મરીને જીવાડોને મંત્ર વિવાત્સલ્ય માર્ગે જતાં સર્વોદયના વિકાસમાં આવ્યો છે. એટલે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ-ત્યાગની વાત આવી છે. મારા નમ્ર મતે તે દુનિયામાં એકેએક માણસ સુખથી અને ન્યાય પૂર્વક માનભેર રીતે જીવે તેવી સૌને સમાનાધિકારની જોગવાઈ થાય તે કદાચ અહિંસક પ્રતિકાર પણ ઓછા કરવા પડશે. અલબત્ત એ સ્થિતિએ પહોંચતા પહેલાં જેટલા જરૂરી લાગે તે બધાયે અહિંસક પ્રતિકાર કરવા જ રહ્યા. પણ એ અલગ અને આવશ્યક વાત છે. આ દ્રષ્ટિએ ય કરતાં જાતમહેનત અને સાદાઈ ઉપર એટલે ભાર અપાય તેટલું જરૂરી છે અને મૂડી તથા રાજ્ય કરતાં સેવા અને નીતિ ઉપર જોર અપાય તે જરૂરી છે. દા. ત. ખેડૂત અને ગોવાળ જેવા શ્રમજીવીઓને બહુ ઓછું જૂઠ કે પ્રપંચ કરવાની જરૂર ઊભી થાય. પણ જમીનદાર કે સત્તાલોલુપી કે મૂડીવાદી વગેરેને સત્ય, નીતિ અને ન્યાય સાચવવાં કઠિન થઈ પડવાનાં. ત્યાં સુધી એમનું શોષણ ચાલુ રહેશે અને અહિંસક પ્રતિકાર કરવું પડશે. વિશ્વહિત માટે સર્વસ્વ ત્યાગની જરૂર શ્રી બળવંતભાઈ કહેઃ “મારા નમ્ર મતે આજે કુટુંબનું, ગ્રામનું, દેશનું અને કદાચ આખાયે જગતનું અહિત થતું હોય તેવે તેવું કુકૃત્ય કરવા ઘણા લોકો તૈયાર થઈ જશે! ખરી રીતે તો વિશ્વહિત માટે સર્વસ્વ તજવાની વાત હોવી જોઈએ. - વિનોબાજીના ભૂદાન વ. પ્રવને જે અર્થમાં કામયાબ નીવડવા જોઈએ તેટલા નીવડ્યા નહીં. અસમાનતા દૂર કરવાની વાતો કરવાથી કંઈ ન થઈ શકે તે તે શ્રમ, સાચી કેળવણી અને એક્તાના પ્રયાસોથી જ થાય. સરકારની માત્ર ટીકા કરવી તે પણ બરાબર નથી. સરકારની એક મર્યાદા જરૂર છે પણ તે પિતાની મર્યાદામાં તે શક્ય તેટલો સાથ આપવા તૈયાર રહેશે. અલબત્ત રાજ્ય ઉપર પ્રજાનું અને પ્રજા ઉપર નીતિ ન્યાયનું પ્રભુત્વ હોવું જોઈએ. ધર્માધતા, વહેમ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩ર૩ વટાવ, વ્યાજ વગેરે અનિષ્ટો છૂટે તેમજ રાજ્ય સર્વોદયના માર્ગે અને - સર્વોદય વિશ્વ વાત્સલ્યના માર્ગે જઈ શકે. ટુંકમાં રાજ્ય, પ્રજા, પ્રજાસેવકે તથા ક્રાંતિપ્રિય સાધ્વીઓના અનુબંધથી ભાલ નળકાંઠા પગની જેમ અનુબંધપૂર્વક એગ્ય દિશામાં કામ થાય તે જરૂર વિશ્વમાં મૂળ પલટ કરી શકાય. રામરાજય કે સર્વોદય કંઈ ઉપરથી આવવાના નથી. દરેકે સાથે મળીને પ્રયત્ન કરવા પડશે. મારા નમ્ર મતે બીજાના દુખે દ્વવે તે દેવ અને બીજાના દુઃખે હસે તે રાક્ષસ છે. અસમાનતાનું મૂળ : શ્રી પુંજાભાઈ કહેઃ “મને તે અસમાનતાનું મુખ્ય કારણ ચારેબાજુથી કમાતો માનવી લાગે છે. એક બંધ અને બાંધી આવક હોય તો પાયાને ફેરબંધ થઈ જાય. વધુ પડતે સંગ્રહ એજ ઝેર છે. ઝાડ સુદર ત્યાં લગી રહે જ્યાં સુધી અંદરનાં મૂળિયાં પ્રેમપૂર્વક રસ અંધારામાં રહીને પણ ખેંચ્યા કરે, પણ ઉધઈ લાગે તે ? એમ કિસાન, શ્રમજીવીએ, માતાઓ વગેરેને સંતોષ ઉપર સમાજ હર્યોભર્યો છે. એટલે અસતેષ વધે તે પહેલાં જ શ્રીમતો અને સત્તા લક્ષીઓએ સ્વયં ચેતવું જોઈએ. કલ્યાણરાજના અમલદારે કે શ્રીમતિ વગેરે આ સમજે તો સર્વોદય અને ક્રમથી વિશ્વ વાત્સલ્ય તરફ તેમણે આવવું જોઈએ. શ્રી બલવંતભાઈઃ “દાદા ધર્માધિકારીના કંઈક આવાજ શબ્દો છે કે “નાગરિકોમાં–લોકોમાં પરસ્પર પ્રીતિ અને વિશ્વાસ હોય તે રાજ્યની જરૂર બહુ ઓછી રહે,” અને લોકોમાં એ જગાડવાનું સાધન નૈતિક જનસંગઠન છે; જેના હાથમાં રાજ્ય આર્થિક-સામાજિક પ્રશ્નો છોડી દેવાં જોઈએ. વિધવાત્સલ્ય એટલે પ્રાણી માત્રને સર્વોદય : - પૂ. શ્રી દંડી સ્વામી કહે : વિશ્વ વાત્સલ્ય પ્રાણી માત્રને સર્વોદય "ઈચ્છે છે, પણ પ્રથમ આપણે માનવસમાજ લેવો પડશે. બૌદ્ધ ધર્મમાં અહંત, પ્રત્યેક બુદ્ધ અને બેધિસત્વ એ ત્રણ દશા ગણવામાં આવી છે. તેમાં બેધિસત્ય એ છે કે જે બીજા બધાને મેક્ષમાં મોકલી ગાડ રૂપે સૌથી પાછળ જાય છે, ત્યાં સુધી મોક્ષમાં જવાની ના પાડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ભાગવતમાં રંતિદેવને કલેક આવે છે તેના કરતાં પણ નીચે ક વધુ અસરકારક છે, જે મારા મત મુજબ શિબિ રાજાને છે – “ન હં કામયે રાજ્ય, ન સુખ, ના પુનર્ભવ, કામયે દુઃખ તખ્તાનામ્ પ્રાણિનામાતિ નાશનમ્ .” મારે નથી રાજ્ય જોઈતું, નથી સુખ કે નથી પુનર્ભવ; માત્ર જોઈએ છે દુઃખી પ્રાણીઓના દુઃખનું નિવારણ. આ સંદર્ભમાં જ આપણે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધીજી વગેરેને લેવા જોઈએ. જો કે ગાંધીજીને એક અર્થમાં, આ યુગમાં ભગીરથ પ્રયાસ ગણાય. પણ એ અધૂરાને આગળ લઈ જવા ૫. જવાહરલાલ, વિનોબા તેમજ આપણે એમ અનેક બળે સંકલિત થઈ પ્રયાસ કરશું તે જ કાર્ય દીપી ઊઠશે. સર્વોય અને કલ્યાણરાજ જુદી વસ્તુઓ શ્રી ચંચળબહેન : અહલ્યાબાઈ હેલ્કરને ત્રણ વર્ષનું બાળક હતું. અને તેના નામે તેણે ગાદી ચલાવવી શરૂ કરી. તે વખતે મરાઠાઓમાં હેલ્કર, ભેસલે, ગાયકવાડ અને સિધિયા એમ ચાર શાખાઓ હતી. એકવાર ભોંસલે ચઢાઈ કરશે એમ સમાચાર મળતાં તે વીર નારીએ તેને સંદેશો મોકલ્યો : “મારા સ્વામી હમણાં જ ગયા છે એટલે કાયર બનીને હું આ વાત કહેવડાવતી નથી. પણ તમે મને જિતશે તે પણ જિતીને તમારૂં શૌર્ય દીપવાનું નથી અને હારશે તે અપયશ પામશો. ખરી વાત એ છે કે આપણે સૌ એક છીએ અંદર અંદર લડીને ખતમ થઈશું તો દેશ ઉપર અંગ્રેજો ચઢી બેસશે. આજે એકતા દાખવી આગળ વધવાનું છે.” આમ આ સંદેશાની જાદુઈ અસર ભોંસલે ઉપર થઈ અને એનાથી હજારોની કતલ થતા અટકી. આમ સર્વોદયની દિશામાં રાજાઓ, રાણુઓ, બ્રાહ્મણો અને એ બધા પાછળ સંતોએ કામ કર્યું છે, ત્યારે તેની વિકાસગતિ ચાલુ રહી શકી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ - ૩૨૫ શ્રી નેમિમુનિએ વિષય બહાર ચર્ચા થતી જોઈને કહ્યું : “મહાનુભાવો ! આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં વિષયાંતર ન થવાની કાળજી રાખવાની છે. રાજાઓ, રાણીઓએ ભલાઈનાં કાર્યો કર્યા. તે કાર્યોને આપણે કલ્યાણ રાજ્યમાં કદાચ લખાવીએ પણ તેને સર્વોદયમાં સમાવેશ ન થઈ શકે. સર્વોદય રાજ્યથી પણ ન થઈ શકે તેમ શ્રીમતના દાનથી પણ ન થઈ શકે. કર્તવ્ય કે પ્રાયશ્ચિત માનીને આપે તે જ તે દાન કોઈ પણ પ્રકારની ગ્રંથિનું કારણ ન બને. એટલે રાજ્ય અને મૂડી બન્ને ઉપર લોકસંગઠન દ્વારા લોકનીતિને પ્રભાવ પાડવામાં આવે તો જ સર્વોદય સાર્થક થઈ શકે. વિભાવાત્સલ્યની નજીક સર્વોદય એ માટે જનસંગઠને, જનસેવક સંગઠને અને એ બન્નેને સતત માર્ગદર્શન આપનાર ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ જોઈશે. વળી જ્યાં સમાજ આવ્યો ત્યાં પ્રશ્નો, સંધર્ષ વગેરે અનિવાર્યપણે રહેવાનાં. રોટલો, એટલે કે પહેરવેશ મળી જાય, એથી પ્રશ્નો નથી ઊઠવાના એમ માનવું એ પાયાની ભૂલ છે. એટલે જ આજ સુધી સર્વોદયનું જે સ્પરૂપ વિકસ્યું છે તેમાં સામુદાયિક અહિંસાના પ્રયોગો, સર્વધર્મોપાસના, નૈતિક સંગઠને તેમ જ રાજ્યને ગૌણ બનાવવા માટેના સક્રિય પ્રયત્ન અને તેમનું અનુસંધાન વગેરે વાતે ઉમેરવી પડશે. આવતા અઠવાડિયે સર્વોદયના કાર્યક્રમો અંગે વિચાર કરશું ત્યારે વધુ કહેવાશે, પણ હમણું આટલું તો કહેવું જ પડશે કે વિશ્વ વાત્સલ્યની વાતથી સૌથી નજીક સર્વેદય છે. અને દેશની અંદર કોંગ્રેસ અને ૫. જવાહરલાલ છે. પણ એ બન્નેને વિશ્વ વાત્સલ્ય સાથે સાંકળવા વણો પ્રયાસ કરવો પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ [૧૫] સર્વોદયના કાર્યક્રમો અને ખૂટતાં તત્વે [ ૩૦-૧૦-૬૧] મુનિશ્રી નેમિચંદ્રજી અને - શ્રી દુલેરાય માટલિયા મુનિ શ્રી નેમિચંદ્રજી સર્વોદયના આજ સુધીના સ્વરૂપ વિષે અત્યાર અગાઉ વિચાર થઈ ચૂકયો છે. હવે સર્વોદયના ક્યા ક્યા કાર્યક્રમ છે? તેની વિશેષતા શું છે? અને તેમાં ક્યા કયા ત ખૂટે છે તે અંગે વિચાર કરી જોઈએ. કોઈ પણ કાર્યક્રમ નક્કી થાય તે ચાર તત્ત્વોએ તેને તપાસ જોઈએ –(૧) સર્વાગી દૃષ્ટિ (૨) વ્યવસ્થા (૩) સુસંગઠને સાથે અનુબંધ અને (૪) સાતત્ય. જેથી કાર્યકરે અને જનસંગઠને ઉપર બરાબર નિયંત્રણ રહી શકે, આ ચાર વાતે જે કાર્યક્રમમાં નહીં હોય તે ગમે તે વ્યાપક હશે તે પણ તેમાં લોકશ્રદ્ધા, લાંબા વખત સુધી ટકી શકશે નહીં, અને તેમાં દઢતા કે ઊંડાણ નહીં આવે. બૌદ્ધ ધર્મના કાર્યક્રમોમાં એવું જ થયું છે કે તે વ્યાપક ખૂબ બન્ય; એક વખત લોકો તેના તરફ ખૂબ આકર્ષાયા; પણ ત્યાં ઊંડાણ ન આવ્યું તેથી શ્રમણ અને શ્રમણીઓમાં સ્વચ્છંદતા વધી, વિલાસિતા ફેલાઈ કોઈ અંકુશ ન રહ્યો કે કોઈ પ્રેરક બળ ન રહ્યું. જે સર્વાગી દષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુધ્ધ આપી હતી તે જ ન રહી; સુસંગઠને સાથે અનુબંધ ન રહ્યો; ગૃહસ્થ સાધક-સાધિકા સાથે અનુબંધ પણ તૂટી ગયો અને વ્યવસ્થા બગડી. એટલું જ નહીં ભિક્ષુણીઓને સંઘમાં સ્થાન આપ્યા બાદ આગળ જતાં સંઘમાં એકબીજાને અનુબંધ ન રહેવાને કારણે બૌદ્ધ ધર્મ પતન પામે. એટલે કાર્યક્રમોમાં ચારેયને દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ. આજના સર્વોદયમાં સંત વિનોબાજીએ સહુથી મહત્વને જે કાર્યક્રમ ઉપાડે તે ભૂદાનને. આખા દેશમાં એની સારી એવી ચળવળ ચાલી; વિદેશમાં પણ ભૂદાનની હવા ફેલાઈ. વિદેશથી લોકો એ જોવા માટે આવ્યા કે “ભારતમાં લોકો પ્રેમથી જમીન કઈ રીતે આપી દેવા તૈયાર થાય છે !” એમને આ કાર્યક્રમ જોઈ ખૂબ જ પ્રસન્નતા થઈ આશ્ચર્ય થયું; પણ સર્વોદયના ભૂદાનાદિ કાર્યક્રમોમાં કેટલાંક તત્ત્વ ખૂટતાં હતાં. તે પૂરાવાં જોઈતાં હતાં પણ તે ન પૂરાયાં. કાર્યક્રમોની સાથે જે રચનાત્મક કાર્યકરે જોડાયા તે ઘડાયેલા ન હતા. એટલે સર્વાગી દષ્ટિ આવે જ ક્યાંથી ? ભૂદાનનું કાર્ય એક રાહતનું કાર્ય સમજાવા લાગ્યું. કાર્યકરોને કઈ શિસ્તબદ્ધ સંગઠન કે સંધ ન થયાં. તેઓ વ્યક્તિગત રીતે ભૂમિહીન અને ભૂમિદાતાઓના સંપર્કમાં આવ્યા. તે જે જનતાના સંપર્કમાં કાર્યકરે આવ્યા તે જનતાનું કઈ નૈતિક સંગઠન ન થયું; તેથી ઘડતર થવાનો સંભવ ન રહ્યો. ભૂદાનાદિ થયા પછી તેની વ્યવસ્થા અપૂર્ણ રહી તેથી ગોટાળાઓ થવા લાગ્યા. કાર્યકરો, સર્વસેવા સંઘને નામે ભેગા થયા ખરા, પણ ત્યાં બંધારણ કે શિસ્તની વાત ઢીલી હોવાથી આર્થિક ગોટાળા પણ થયા. આ ભૂદાન કાર્યના આદ્ય પ્રણેતા સંત વિનોબાજીની પ્રકૃતિમાં સંગઠને અને સંગઠનના નિયંત્રણ ઉપર ઉદાસીનતા છે. એટલે તેમણે એ તરફ કદિ ધ્યાન ન આપ્યું. તેમણે વિચાર ફેલાવવાનું કાર્ય મોટે ભાગે રાખ્યું. પરિણામે વિનેબાજી જે ગામમાં જાય ત્યારે ત્યાં હવા ફેલાય પણ તેમના ગયા બાદ ત્યાં વિચારને અનુરૂપ કોઈ કાર્ય કે વ્યવસ્થા ન બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ એટલે સાતત્ય અને નિયંત્રણ ન થઈ શકયાં. કાર્યકરે પણ ભૂદાન અંગે વિનોબાજીની રીતે જ કાર્ય કરતા ગયા. જે ભૂમિ દાનમાં મળી તેની ધ તે રહી પણ તેની વ્યવસ્થા ન થઇ. મૂળ તે તેમણે કોઈ જનસંગઠન સાથે ભૂદાનને અનુબંધ ન જોડ્યો. બીજી તરફ આ કાર્યક્રમ માટે તેમજ કાર્યકરના નિર્વાહ માટે ગાંધી સ્મારક નિધિની મદદ મળતાં; જેમણે કદિ દેશસેવામાં ભોગ નહેતો આપે તેવા ઘણખરા અણઘડ લોકે કાર્ય કરવા માટે નહીં, પણ રોજીનું સાધન સમજીને જોડાયા. તેઓ મરછમાં આવે તેમ ખર્ચ કરવા લાગ્યા કારણકે કોઈ નિયંત્રણ ન હતું. આ અનિષ્ટનું નિરાકરણ કરવા માટે કોઈ ઉપાય કે વ્યવસ્થા વિચારવાના બદલે વિનોબાજીએ નિધિ મુક્તિનું આંદોલન ચલાવ્યું; એટલે કાર્યકરે ઓછા થતા ગયા અને ભૂદાન આંદોલનની ને પણ એછી થવા લાગી. ભૂદાન કાર્યક્રમના અન્વયે તેમણે જીવનદાન આદેલન ચલાવ્યું. એમાં ઉચ્ચ કક્ષાવાળા સાધકને બદલે અથવા તે વાનપ્રસ્થ જીવનવાળા લોકોને બદલે પ્રાયઃ બાળબચ્ચાંવાળા અયોગ્ય માણસો દાખલ થયા. જેમના ખર્ચ માટે બસો-અઢીસોના પગાર ગાંધી સ્મારકનિધિ મારફત અપાવ્યા અને ક્યાંક સંપત્તિદાનથી અપાવ્યા. આવા પેટ માટેના સેવકોમાં સેવાની ભાવના ન હોવાથી જીવન-દાનને કાર્યક્રમ પણ અસફળ જે જ રહ્યો. ' ગાંધીજીના સમયમાં રચનાત્મક કાર્યકરો સંસ્થા સાથે અનુબંધ રાખીને કાર્ય કરતા હતા. તેમને ભૂદાન કાર્યમાં જોડાવા અને તે સંસ્થાનું કામ છોડવા વિનોબાજીએ તંત્ર-મુતિને કાર્યક્રમ મૂળે. પરિણામે ભૂદાન સમિતિઓ તે વિસર્જિત થઈ એટલું જ નહીં, એની સાથે ઘણા અનુભવી કાર્યકરો છૂટા થતાં, સંસ્થાનું કામ ખેરભે ચડ્યું. પરિણામે ગાંધીજીની જે સર્વાગી અને સર્વક્ષેત્રસ્પર્શી દષ્ટિ હતી તે ન રહી અને જે સર્વાગી રચનાત્મક કાર્ય થવું જોઈતું હતું તે અટકી પડ્યું. અનિષ્ટોમાં સંસ્થાની વિરુદ્ધ વ્યક્તિવાદ જાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ સંત વિનોબાજી અગાઉ કહેતા : “હું ગાંધીજીની કાંધે બેસવાથી નવું અને જૂનું બને જોઈ શકું છું.” પણ જ્યારે તેમણે તંત્ર-મુક્તિને કાર્યક્રમ મૂકે ત્યારે તેમને કહેવું પડયું : “ગાંધીજી સંસ્થાએ સ્થાપતા અને વિસર્જન પણ કરતા. એ સંસ્થાઓ વચ્ચે રહીને તેઓ તેમની તકેદારી બરાબર રાખી શક્તા પણ મારામાં એ શકિત નથી.” આમ કહેવાનું કારણ તેમના વૈદિક સવિશેષે વેદાંતના સંસ્કાર છે. એટલા માટે જ જ્યારે જ્યારે તેમની સંસ્થાઓમાં કાંઈ અનિષ્ટ થાય કે ગોટાળા થાય ત્યારે ત્યારે તેમાં ઊંડા ઊતરી, કારણ તપાસીને દૂર કરવાનું તેમનાથી થતું નથી. ઊલટું તેઓ કંટાળીને કે એ અનિષ્ટોને ચેપ અમને લાગી જશે એ બીકે સંસ્થાથી છેટા રહે છે. એ સંસ્થાઓની શુદ્ધિ કરવા અને નિલેપ રહીને એમાં પેસેલાં અનિષ્ટોને નિવારવા પ્રયત્ન કરતા નથી. સંસ્થામાં દોષપ્રવેશનો જ ઉલ્લેખ કર્યા કરે છે, અને નવી સંસ્થાઓની સ્થાપના કરવી પસંદ કરતા નથી. એની વિરહમાં તેમણે તંત્ર-મુક્તિને (સંસ્થા ઉત્થાપનને) કાર્યકમ મૂક્યો છે. આનું પરિણામ એ આવ્યું છે કે જૂની રચનાત્મક સંસ્થાઓ તૂટી જાય છે; નથી ઘડાતી નથી તેમ જ જૂના રચનાત્મક કાર્યકરને પણ નવા તવાદી કાર્યકરોના કાર્યોથી બદનામ થવું પડ્યું છે. અને ભૂદાન કાર્યક્રમ જે સરળ અને સફળ લાગતા હતા તે પાર પડવાના બદલે મુંચવાતા જાય છે. એની વિરૂદ્ધમાં વિશ્વ વાત્સલ્યના પ્રયોગો અંગે પણ ચકાસણું કરી જોઈએ. વિશ્વ વાત્સલ્ય સુસંસ્થામાં માને છે. સારા સંગઠનમાં તેને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે સંસ્થા છે ત્યાં ધનસંગ્રહ અને જનસંગ્રહ જોશે એમ માને છે. એ સાથે વહીવટ અને જનઘડતરની આવશ્યકતા સ્વીકારે છે કારણકે તેના અભાવે કાર્યકરે અને જનતાનું ઘડતર ન થઈ શકે; તેમજ વ્રતોને આચરણમાં ન મૂકી શકાય. આટલું બધુ કરતાં યે અટપટા પ્રશ્નો આવે ત્યારે વિશ્વ વાત્સલ્યને પ્રાગકાર કંટાળતો નથી. તે લવાદી કે શુદ્ધિપ્રયોગથી તેને ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે; એથી પ્રજાનું અને પ્રજાસેવકોનું ઘડતર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ એ ઉપરાંત ગાંધીજીના સમયે કાર્યક્રમે બનતા તેને અમલ થત અને તેની પ્રક્રિયાઓ અને પરિણામે ઉપરથી બીજે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવતા. ત્યારે આજના સર્વોદયના સંત વિનોબાજી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. તેમણે એક પછી એક કાર્યક્રમ આપવા શરૂ કર્યા. પણ દરેક કાર્યક્રમ પાછળ ઉપર જણાવેલ ચાર બાબતેને અભાવ હોય, તે તે લાંબે ગાળે પણ અસફળતાને આરે જઈને ઊભે રહે. નિધિ-મુક્તિને કાર્યક્રમ પણ અસફળ ગયો કારણ કે તેમણે તરત જ જે શાંતિ સેનિકોનો કાર્યક્રમ મૂક્યો તેમાં વગર ઘડાએલા માણસો શાંતિ સૈનિકો તરીકે દાખલ થવા લાગ્યા. તેમના નિર્વાહનો પ્રશ્ન આવ્યો એટલે તેમનાં નિર્વાહ માટે સર્વોદય-પાત્રને કાર્યક્રમ મૂક્યો. આમ કાર્યક્રમ ઉપર કાર્યક્રમે આવ્યા પણ સર્વોદયની સાથે જ જનસંપર્કની અને નૈતિક જન સંગઠનની અપેક્ષા રહે છે તે અહીં આવશ્યક ગણાતી નથી. * શાંતિ-સૈનિકનું જ લઈએ. એ શા માટે છે? એનાથી દેશના હિતની કઈ વાત થવાની છે? દેશમાં શાંતિ સ્થાપવા નિમિત્તે સર્વોદય પ્રજિત આ શાંતિ સેનાએ અત્યાર સુધી શું કર્યું? કાશ્મીર, ગોવા, કેરલ, જબલપુર, આસામ, પંજાબી સબા અને અલીગઢના પ્રશ્નોમાં; હુલ્લડે થયાં. અશાંતિ પ્રર્વતી ત્યારે શાંતિ-સેના કશુંયે ન કરી શકી ? એટલું જ નહીં અમદાવાદમાં બંડખેર અને દાંડ તોએ દ્વિભાષીને તેડવા અને મહાગુજરાતની અલગ સ્થાપના અંગે તેફાને કર્યા, ત્યાં શાંતિ સૈનિક ફરક્યા પણ નહીં. આ બધાને સંતોષકારક ખુલાસો લોકોને ન મળે તે પછી એ સર્વોદય પાત્રમાં અનાજ નાખવા માટે ઉત્સાહી કેમ બને? એટલે સર્વોદય-પાત્ર યોજના પણ અસફળ જેવી જ રહી છે. હવે પાછો કાર્યકરોના નિર્વાહને પ્રશ્ન ઊભું થયું ત્યારે સર્વસેવાસંધે નિધિ મુક્તિના બદલે, નિધિ–સંગ્રહને કાર્યક્રમ મૂકે. આમ આ કાર્યક્રમ અગાઉના તેમના જ કાર્યક્રમની વિરૂદ્ધમાં છે. એટલે લેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિશ્વાસ આવે કયાંથી ? એવી જ રીતે પક્ષ મુક્તિના કાર્યક્રમ મૂકયા. પણ લેાકશાહીને માનનારા પક્ષાને ટેકા આપવાની વાત કહી. પ્રશ્ન એ થાય છે કે જે કાર્યક્રમ સર્વોદય ન પાર પાડી શકે તે શા માટે ઉપાડવા જોઇએ? ગ્રામદાનના જ કાર્યક્રમ લઇએ; એ સવાલમાં બધાય પક્ષાને ગ્રામદાનની પરિષદમાં ખેલાવ્યા હતા. પણ એ ત્રણ પક્ષા સિવાયના ન આવ્યા. અને સરકારે ગ્રામદાનને ટેકા આપવા બેઇએ એવી વાત રજૂ કરવામાં આવી. એના સીધા અને સ્પષ્ટ અર્થ એ થયેા કે કાર્યકરો ગ્રામદાનમાં મળેલા ગામેાનુ ઘડતર કરી શકવાના નથી અને વ્યવસ્થા તથા ઘડતરનું કામ સરકાર કરે! જે કા કા કરી ન કરી શકે અને સરકારને માથે મૂકવાના હોય તે। સરકારને તે મુજબ માત્ર સૂચના સલાહ આપવાના જ કાર્યક્રમ ઘડવા વધારે ઠીક ગણાય. કારાપુટ ( ઓડિસા )માં પહેલાં તે કેટલાક કાર્યકરોએ ગ્રામદાની ગામેામાં જઈને કાય આર્જ્યું. પણ પછી ઝધડા ઊભા થયા. એટલે રાજકીય-પ્રશ્ન આવતાં; અતે ત્યાંનું કામ સરકારને સોંપાયુ. પક્ષ મુક્તિના બદલે કોંગ્રેસના પક્ષાશ્રય લેવા પડયા. આમ સર્વાંગી દ્રષ્ટિના અભાવે કાંતા કાર્યક્રમા અધૂરાં રહ્યા, અવ્યવસ્થિત થયા અને કાંક તે તેની વિરૂદ્ધ જ કાર્યક્રમ આપવાની નાખત આવી. આજના સર્વેદયના ચાલક સંત વિનેાખાજી રાજકારણુથી અતડા રહેવાને અને પ્રજાને પણ અતડી રાખવાની વાત કરે છે અને સુસગઠિતને ડાયેલી કાંગ્રેસને પણ ટેકે। આપવાની ના પાડે છે. પણ મતદારાને ધડવાની વાત ગત સદિય સ ંમેલનમાં મૂકવામાં આવી છે. રાજકારણથી અતડા રહીને આ કાર્યક્રમ કઇ રીતે પાર પડાશે તે જોવુ રહ્યુ. કાશીમાં સ્વચ્છ ભારત-આંદોલના અને ઈંદેારમાં “ અશ્લીલ પાસ્ટર આંદાલન ” શરૂ કરવામાં આવ્યાં. પણ વિનાબાજી ત્યાં રહ્યા ત્યાં સુધી થોડેક જુસ્સા રહ્યો; પાછળથી એ આસરી ગયેા. હડા આજે સર્વોદયે દેશવ્યાપી કાય કરવું હશે તે ગાંધીજીએ જેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ સફર ટેકે આપે અને જેની શુદ્ધિ-પુષ્ટિ કરી હતી અને જેણે દેશભરમાં રચનાત્મક કાર્યક્રમ આપ્યો અને લોકોને જગાડ્યા અને અંતે આઝાદી અપાવી તેવી ઘડાયેલી સંસ્થા કેંગ્રેસને ટેકો આપવો રહ્યો. એટલું જ નહીં, ક્રાંતિપ્રિય સાધુ વર્ગ દ્વારા પ્રેરિત જનસેવકોનાં વ્યવસ્થિત સંગઠને તેના હસ્તક ચાલતાં જનસંગઠને સાથે પણ અનુબંધ રાખવો જોઈએ. નહીંતર આજ એવું લાગે છે કે દેશનાં બે મોટા બળે-સર્વોદય અને કેસ એકબીજાની વિરુદ્ધમાં જઈને પિતાની શક્તિ વેડફી રહ્યાં છે. સામાન્ય પ્રજામાં પણ સર્વોદયની આજની રીતિનીતિને કારણે બુદ્ધિબ્રમ ઊભે થાય છે. એટલે સર્વોદયના નવા કાર્યક્રમમાં ઉપર જોઈ ગયા તે પ્રમાણે જે તત્ત્વ ખૂટે છે તે આ પ્રમાણે છે:–(૧) કોંગ્રેસ સાથે અનુબંધ અને કોંગ્રેસની શુદ્ધિ અને પુષ્ટિ (૨) નૈતિક જનસંગઠને ઊભાં કરી તેની સાથે ભૂદાન વગેરે કાર્યક્રમ જોડવા. (૩) લોકસંગઠન, લોકસેવક સંગઠન એ અને સંગઠનના માર્ગદર્શન અને દેખરેખની સંપૂર્ણ જવાબદારી લેવી (૪) એક કાર્યક્રમ પૂરી રીતે પાર પાડ્યા વગર બીજે કાર્યક્રમ ઊભો ન કરે. ભાલનળકાંઠામાં પ્રયોગ કર્યા પછી અનુભવ ઉપરથી જે વાત લાગે છે તે જણાવવામાં આવી છે. એટલે આધુનિક સર્વોદયે આ ખૂટતાં તો ઉપર વિચાર કરી તેની પૂતિ કરવી પડશે તેમજ તેની આ શક્તિને લાભ સમાજને વધારે ઉપયોગી નીવડશે. ભાલ નળકાંઠામાં ચાલતા રચનાત્મક (કાર્યકરોની સંસ્થાની) પ્રાયોગિક સંઘની વધુ નજીક જે સંસ્થાઓ છે તેમાં સર્વોદય કે સર્વ સેવાસંધને ક્રમ પહેલો આવે છે. પણ તે સંસ્થાઓએ સિદ્ધાંતની સાથે વહેવારો મેળ બેસાડવો જોઈએ. અને કાર્યક્રમ ઘડવા જોઈએ. તે દેશના ઉત્થાન માટે, વિશ્વના કલ્યાણ માટે, જે શક્તિઓ કામ કરે છે તેને લાભ સમાજને વધારે પહોંચશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રી દુલેરાય માટલિયા કોઈપણ જીવનકાર્યને સમજવા માટે જૈનદર્શનમાં ત્રણ તો આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે – (૧) નિશ્ચય ? એનું તાવિક સ્વરૂપ અગર તે તત્ત્વજ્ઞાન સર્વાગી અને સર્વક્ષેત્રીય દષ્ટિએ વિચારેલું છે કે નહીં? (૨) વહેવાર : એને આચારમાં મૂકવા માટેની વ્યવસ્થા કેવી રીતે ગોઠવાઈ છે. અમલમાં આ વસ્તુ કેટલી મૂકાય છે? (૩) સંઘજીવન : સંધ અને સમાજ સાથે એને અનુબંધ છે કે નહીં ! નિશ્ચયને મુખ્યત્વે નજર આગળ રાખી જીવનને ઘડનાર છે તે સાધુ કહેવાય છે. વહેવારને મુખ્યતા આપીને જે પિતાનું જીવન ઘડે છે તે શ્રાવક કે સાધક કહેવાય છે; અને બહુજન સમાજ જે નીતિને નજરમાં રાખીને પિતાનું જીવન ઘડે છે તે માર્ગાનુસારી કહેવાય છે. આ ત્રણે આમજનતા, સાધકવર્ગ અને ક્રાંતિપ્રિય સાધુના સંદર્ભમાં કાર્યક્રમોનો વિચાર કરાય છે તે જીવન માટે ખૂબ ઉપયોગી નીવડે. સર્વોદયના સંદર્ભને પણ એજ રીતે જોઈશું. આ રીતે કોઈ પણ વસ્તુ જેવાથી સાચી દષ્ટિ લાધે છે. ગાંધીજીએ પણ અને તેમના જેવાઓએ આ ત્રણેને જોયા. ગાંધીજીને જ્યારથી સાચી સમજણ આવી ત્યારથી નક્કી કર્યું કે “સત્ય એજ મારું જીવન છે; સત્યને ખોળે હું મારું જીવન સમર્પણ કરું છું. સત્ય પરમાત્મા મને જ્યાં દેરી જશે ત્યાં હું જઈશ! કોઈપણ રાજકીય પક્ષ, સંસ્થા, કુટુંબ કે જ્ઞાતિ જે સત્યને છોડીને ચાલશે તો તેને આશ્રય છેડી દઈશ. સત્યના પ્રયોગ કરનાર માટે સંપત્તિ, કુટુંબ કે પંથ કશુંયે નથી!” આ તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪. પહેલો કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમમાં બાપુના જીવન પથને અનુસરનાર અને સ્વીકારનાર સર્વોદય વિચારના સાધુ કહેવાયા. શ્રી રવિશંકર મહારાજ આ માર્ગે આવ્યા, ત્યારે તેમની પત્ની કહેવા લાગી : “આ ખેતી અને બાળબચ્ચાનું શું થશે?” પણ તેઓ પ્રભુ ભરેસે છોડીને ચાલી નીકળ્યા. સ્વામી આનંદ હિમાલયમાં રહેતા હતા, પણ બાપુની સ્વરાજ્યની હાલ સાંભળીને તે ત્યાંથી આશ્રમમાં આવી ગયા. કેદારનાથજી હિમાલયમાં યોગ સાધના કરતા હતા; તે બાપુના કાર્યયોગમાં જોડાવા ગૃહસ્થનાં કપડાં પહેરીને આવી ગયા. કિશોરલાલ મશરૂવાળા અને ગમતી બહેન પરણેલા હોવા છતાં અપરિગ્રહ વ્રત લઈને બાપુના કાર્યમાં પરોવાયા. વિનોબાજી બ્રહ્મચારી રહ્યા અને અપરિગ્રહી થઈ બાપુ પાસે રહ્યા. બાપુએ નવાયુગના સાધુઓની આ એક ફાળ ઊભી કરી. પિતાનું સર્વસ્વ મૂકીને બાપુના સત્યના વિચારને સમજવા માટે બાપુ પાસે જુદા જુદા ભાણસો આવ્યા. મામા સાહેબ ફડકેએ આદિવાસી જીવનના ઉત્થાન માટે પોતાનું જીવન ગાળ્યું. ઠક્કરબાપાએ પણ હરિજન અને પછાતવર્ગ માટે જીવનનું ઉત્સર્પણ કરી નાખ્યું. રવિશંકર મહારાજ જેવા આજે નજરે પડતા એ પૈકીના એક સંતપુરુષ છે. આમ ભારતમાં ઘણું નવયુગના સાધુચરિત પુરૂષે ગાંધીજીના નિમિત્તે પાકયા છે. - બીજે કાર્યક્રમઃ મહાત્મા ગાંધીજીએ સાધકો માટે બીજે કાર્યક્રમ મૂકે તે સાધકો માટે વ્રતમય જીવન ગાળવા આશ્રમ અને શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવી. અહિંસાથી માંડીને નમ્રતા સુધીના ૧૧ વ્રત સહિયારાં જીવનથી જ આવી શકે. એક દિવસમાં કે માત્ર બેલી જવાથી આ ગુણે આવી જતા નથી. બાપુએ આશ્રમ સ્થાપે તેથી તેમણે પોતાનું અને વ્રતબદ્ધ જીવન ગાળનારા સાધ કોનું જીવન ઘડતર કર્યું. જુગતરામભાઈએ શિક્ષણ સંસ્થા રૂપ આશ્રમ સ્થાપ્યો અને સમજણપૂર્વકનું વ્રતમય જીવન – ઘડતર કર્યું. આ સંસ્થાએ વ્રતને પષક બની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ત્રી કાર્યક્રમ : સમગ્ર સમાજને ઘડવા માટે બાપુએ સંસ્થાઓ અને સંગઠને ઊભાં કર્યા. સમાજને આર્થિક વહેવાર તે કરવો પડે પણ એ આર્થિક વહેવાર શુદ્ધ કેમ બને ? એ માટે તેમણે ચરખા સંઘ ઊભો કર્યો, જેમાં કાંતનાર, વણનાર, લોઢનાર, પીંજનાર, ધનાર, રંગનાર બધાને યોગ્ય રોજી મળે અને સમાજમાં એ રીતે યોગ્ય વિશુદ્ધ નૈતિક વહેવાર ચાલે. તે યુગમાં વૈશ્યવૃત્તિના લોકોને બાપુએ કહ્યું : “તમે આ અને આ ચરખા સંઘને ચલાવે.” હરિજનોના સમગ્ર વિકાસ માટે–સહુથી પછાત ગણાતી કોમ માટે, તેમણે “હરિજન – સેવક સંઘ” સ્થાપે. ગ્રામોદ્યોગ માટે ગ્રામોદ્યોગ મંડળ તથા ગેસેવા સંધ સ્થાપે. ખેડૂતોમાં નૈતિક જાગૃતિ આણવા માટે, તેમણે બારડોલીમાં સત્યાગ્રહ કર્યો. મજૂરોમાં નૈતિક શક્તિ આણવા માટે, ચંપારણ, અમદાવાદમાં અનશન કર્યું અને હડતાલ પડાવી. અમદાવાદમાં મજૂર મહાજન નામની સંસ્થા સ્થાપી. મહિલાઓ માટે મહિલા – સંસ્થા સ્થાપી. નાના બાળકોને સંસ્કાર કેમ મળે તે લક્ષમાં રાખી “નઈ તાલીમ સંઘ” ઊભો કર્યો. આ સંધે અને સંસ્થાઓએ ગાંધીજીને વિવિધ રચનાત્મક કાર્યક્રમોની પ્રવૃત્તિ ઉપાડી. ગાંધીજીએ સર્વોદય માટે આ ત્રણ મુખ્ય કાર્યક્રમો મૂક્યા હતા. જે સંત છે તે આત્યંતિક સ્વરૂપના પ્રયોગો કરે છે, અને તેને મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ સાધુ કોઈ સંસ્થા, સંધિ, ગ્રેસ, પંથ કે સંપ્રદાયના બંધનમાં ન હોય. પણ તે, જનસેવકોની સંસ્થા, જનસંગઠને અને કોગ્રેસને તટસ્થ રીતે પ્રેરક હેઈ શકે; સભ્ય કે પદાધિકારી ન હોઈ શકે.” એ રીતે નિર્મળ સાધુચરિત્ર પુરૂષોને સંસ્થા, સંપ્રદાય, પંથ કે પક્ષનું બંધન ન હોય. પણ તે સુસંસ્થાઓને ટેકો આપે, માર્ગદર્શન આપે, એની નૈતિક ચકી રાખે, ઘડતર કરે; આ સંસ્થાઓના વિચાર કે જ્ઞાન ઉપર આવરણ આવે ત્યાં દૂર કરે અને જૂનાં ખોટાં મૂલ્યો બદલાવે. ગાંધીજીએ એટલા માટે જ આ બધી સંસ્થાઓ નિર્માણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ કરી હતી. અને તેમના જેવા સાધુસ્વરૂપે લોકોએ સર્વોદય આણવા સંસ્થાઓનું નિર્માણ પણ કર્યું. આજે સર્વોદયના કાર્યક્રમોને આપણે એ રીતે વિચારીશું તે લાગશે કે ઉપર બતાવેલ ત્રણ ત પૈકી નિશ્વય નયના તત્વને પકડી, વિનેબાજીના કાર્યક્રમો ચાલે છે. તત્ત્વજ્ઞાનનું ઉચ્ચ સ્વરૂપ નિશ્ચય નય છે. જે આટલું સમજી લેવામાં આવે તે આજે સર્વોદયના કાર્યક્રમમાં-વહેવારમાં જે ક્ષતિ દેખાય છે, તે ક્ષતિ એના ચાલક કે કાર્યક્રમ પ્રેરકેની નથી એ જાણી સમજી શકાશે. આટલું સમજી લીધા પછી સર્વોદયના સંચાલક પ્રત્યે વ્યકિતગત પૂર્વગ્રહ નહીં બંધાય. સર્વોદય વિશ્વ વાત્સલ્યના નજીકની સાધના છે. જે એ સાધનાને મૂલવવામાં ભૂલે ચૂકે પણ શરતચૂક થાય તે અનુબંધ-વિચારધારા તૂટી પડવાને સંભવ છે. ગંગા અને જમના જેમ બે નદીઓ છે તેમ આ બે સાધનાની ધારાઓ છે. ગંગા શાંત છે, જમના વેગીલી છે. તેમ એક સાધના જ્ઞાનપ્રધાન છે, બીજી ભક્તિપ્રધાન છે. જેમ ગંગા અને જમનાને સંગમ ત્રિવેણું સંગમ થઈ જાય છે તેમ આ બે વિચારધારાને અનુરૂપ ચાલતી સાધનાનો સંગમ જ્ઞાન, ભક્તિ અને ગના ત્રિવેણી સંગમરૂપે બનાવે છેએ માટે બન્નેને સમન્વય કરવો જરૂરી છે. તે જે દ્રષ્ટિએ વિનબાજીના વિચાર હું સમજે છું; તેને રજુ કરું છું :– ગાંધીજીએ કહ્યું હતું: “એક દિવસ એ લાવે છે જ્યારે માત્ર સિગલ બતાવવાની જરૂર પડે, તેથી લોકો સમજી જાય અને પોલિસ વગર પિતે રસ્તે ચાલવાની અને વાહન વહેવારની શિસ્ત પાળે. પોલિસની જરૂર ન પડે. પિલીસને કતાર (યૂ ) રચવાની જરૂર પડે તે સમજવું કે લોકો અથડાઈ જાય છે અને જાતે નિયમ પાળી શકતા નથી. મુંબઈ જેવા શહેરોમાં તે પોલિસ હેવા છતાં પણ અથડામણ અને અકસ્માતે થયા જ કરે છે. એ બીજી રીતે જીવનમાં અથડામણ આવવાનું કારણ જ્ઞાનને અભાવ છે. જીવનનું ભાન ન હોવાના કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ અસંગતિઓ અને ઘર્ષણે ઊભાં થાય છે. જેમ પોલિસ વિના-શિસ્તની સજાગ ભાવનાએ રાજ્ય ચાલી શકે, એમ જીવનને વહેવાર પણ • અથડામણો વગર જ્ઞાન વડે ચાલશે. આ વાત સમજાવવા ગાંધીજીએ ટોલ્સ્ટૉય આશ્રમમાં એને પ્રયોગ કર્યો. ક્રોપાટકિન અને ટોલ્સરોયના વિચારોના આ બી ગાંધીજીને મળ્યાં હતાં. વિનેબાજી આ વિચારના પુરસ્કર્તા છે. તેઓ કહે છે કે જે ૨૦-૨૫ સમજ કાર્યકરે આ વાતને નહીં સમજે અને શાસન વગર ન ચલાવી શકે તો શાસન-મુકત સમાજરચનાની વાત હવામાં રહેવાની છે. જે આ વિચારને માનનારા લોકો ઉપર દેખરેખ રહે, છુપી પોલિસ રહે, પ્રાયશ્ચિત કરવું પડે અને શુદ્ધિ કરવી પડે તે એ વિચાર અધૂરો છે. એટલે જીવનદાનીની વાત આવતાં વિનોબાજીએ કહ્યું કે, જેને તંત્ર ન હોય, નિધિ ન હોય, પક્ષ ન હોય, કે કોઈ બંધન ન હોય તે જીવનદાની છે. તે પિતાની સર્વસ્વ શકિત ઈશ્વરને સમર્પે છે. આ રીતે સર્વસ્વ અર્પણ કરનાર માત્ર ઈશ્વરના આધારે રહે. તે મુઠ્ઠી અન્ન ભેગું કરી આત્મનિર્વાહ કરે, તેમ જ પિતાના નિર્મળ જ્ઞાન, ત્યાગ, તપશ્ચર્યા વ. ઉપર અવલંબિત રહે. આ નવાયુગના સાધુધર્મ છે અને તેના પ્રતીક રૂપે રવિશંકર મહારાજ છે. જેમણે પિતાની સર્વસ્વ શકિતને આ રીતે સમાપ છે, એવો જીવનદાની જે હશે તે સર્વસ્વ ત્યાગી બની લોકોના આધારે રહેશે. પણ, વિનોબાજીના આ કાર્યક્રમનું રહસ્ય સમજ્યા વગર, ગમે તેવા ગૃહસ્થ-કુટુંબ બાળબચ્ચાંવાળા–ની પણ, જીવનદાની તરીકે ભરતી થવા લાગી ત્યારે ગોટાળો થયો. સાધુધર્મને લાગુ પાડવાના નિયમ ગૃહસ્થ ઉપર લાગુ કરવામાં આવ્યા. જે લોકો કુટુંબવાળા કે ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ બાળકોને પત્નીવાળા છે તેમને બસો અઢીસોથી ઓછામાં પૂરું ન પડે એટલે તેમને જીવનદાનીમાં ગણવા કે લેવા જોઈતા ન હતા. જીવનદાન નવયુગને દીક્ષા સંસ્કાર છે. પરિત્રજ્યા લઈને જીવનદાની પરિવ્રાજકરૂપે ફરશે. જીવનદાનમાં આ યુગની સાધુસંસ્થા નિર્માણ કરવાનાં બી પડયાં છે. જીવનદાન આપનારા સાધુપુરૂષો ગાંઠે પૈસા બાંધશે નહીં કે સંગ્રહ કરીને ફરશે નહીં. સાધુ તે કોઈપણ સંસ્થા, પક્ષ, પંથના બંધન વગર અપ્રતિબદ્ધ રીતે વિહાર કરે છે, તેવી જ રીતે નવયુગને આ પરિપ્રાવક પણ સર્વ-સંગ કે આશકિતથી મુક્ત રહેશે; તે જ તેનું ચિંતન પૂર્વગ્રહ પરિહારી અને શિસ્તના ભયથી મુકત હશે. આવા સાધુચરિત પુરુષ, લોકો દ્વારા આપેલ સર્વોદય – પાત્રાધારિત હશે. પરમહંસની જેમ એ સાધક મસ્ત હશે. મૂલ્ય પરિવર્તન માટે નવાયુને એ સાધક શું કરે? તેના જીવનમાં કોઈપણ પ્રકારને પૂર્વગ્રહ, રાગદ્વેષ કે મેહમમતા નહીં હોય. આ મારી સંસ્થા છે, એવો પણ મમત્વભાવે એનામાં નહીં હોય. આ પૂર્વગ્રહમુક્ત, સંસ્થામુક્ત અને પક્ષમુકત સાધક જ વિચાર–પરિવર્તન કરી શકશે. એટલે એવા સાધુ પુરૂષે સંધ, સંસ્થા, નિધિ કે પક્ષ ઉપર નિર્ભર રહેવાનું ન હોય, તેને આજીવિકાનું કામ પણ શું? તેને તે સર્વોદય પાત્ર ઉપર નભવાનું છે અને લોકોના વિચારનું ઘડતર કરવાનું છે. એ માટે તેને સતત ફરવાનું છે. તેનું કામ હશે અધ્યયન કરવાનું અને સત્યના વિચારને અતાગ્રહપૂર્વક કોઈના ઉપર લાદયા વગર મૂકતા રહેવાનું છે. એટલે વિનોબાજી આ કાર્યક્રમ દ્વારા નવાયુગની સન્યાસીસંસ્થાને બેઠી કરી રહ્યા છે, એમ માનીએ તો એ કાર્યક્રમને ન્યાય આપી શકીએ. . એ નિશ્ચયનયના તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિનોબાજીએ બીજે કાર્યક્રમ એ મૂકે કે “કાર્યકરોને ઘડે કોણ?” તેઓ એમ વિચારે છે કે હું ધડનાર કોણ? ઈશ્વરે સહુને બનાવ્યા છે અને તે જ ઘડશે. મારે વચમાં ન પડવું જોઈએ. આ વાત ઉચ્ચ કોટિએ પહેચેલા વિનોબાજી જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ સાધક માટે બરાબર છે અને એ તેમની નિસ્પૃહા જાહેર કરે છે. પણ કાર્યકરને ઘડવા તે પડશે જ એટલે તે કામ કોઈ સંસ્થાએ કરવું જોઈએ. એટલે વિનોબાજીએ ગાંધીજીના સમયની બધી રચનાત્મક સંસ્થાઓનું એકીકરણ કરાવ્યું, અને સર્વ–સેવાસંઘ નામની એક સંસ્થા બનાવવાની પ્રેરણા આપી. આ સર્વ સેવાસંઘ કાર્યકરનું ઘડતર કરે એમ તેઓ માનતા હોય એવું લાગે છે. પણ ગાંધીજી જેમ સંસ્થાની સ્થાપના કરી તેની વચ્ચે રહીને ઘડતર કરતા તેમ કરવાનું વિનોબાજીની પ્રકૃતિમાં નથી. તેઓ માને છે કે મારું કામ તે માત્ર વિચાર આપવાનું છે. તેઓ કહે છે: “હું તો પ્રજા સુર્ય યજ્ઞને ઘેડ છું. હું તે મુકત ફર્યા કરવાને. હું વહીવટમાં પડું સંસ્થા કે કાર્યકરના ઘડતરમાં પડે તે રાગદ્વેષ એંટી જાય !” એ દૃષ્ટિથી તેઓ માત્ર વિચાર પ્રચારમાં મગ્ન રહે છે અને સંસ્થા કે કાર્યકરના ઘડતરથી દૂર રહે છે. આ જ વિનોબાજીની મુશ્કેલી છે. ગાંધી બાપુ સંસ્થા અને કાર્યકર્તા આ બધાનું ઘડતર કરતા. તેઓ આવતા પ્રશ્નોને હાથ ઉપર લેતા, તેને ઉકેલતા, એ માટે જોખમ ખેડતા અને તેનાથી કદિ પણ અકળાતા નહીં; તેમ જ રાગદ્વેષથી નિલેપ રહેતા. આ સ્થિતિ વિનોબાજીની નથી. એટલે કાર્યકરે તેમને આશય સમજ્યા વગર તેમજ તેમના જેટલી ઉચ્ચ સાધકની ભૂમિકાએ પહોંચ્યા વગર અકાળે સત્યસ્ત ધર્મની વાત પકડવા લાગ્યા. વિનોબાજીની જેમ તેઓ ફરવા લાગ્યા અને સંસ્થાના વહીવટ, હિસાબી ચોકખાઈ અને ઘડતર ઉપર ઓછું ધ્યાન આપવા લાગ્યા; એટલું જ નહીં સાધકની ઉચ્ચ કક્ષાના અભાવે, વગર સમજે સંધ, સંગઠન અને સંસ્થાઓથી અતડા રહેવા લાગ્યા. આજના એવા વગર ઘડાયેલા, દષ્ટિ વગરના કાર્યકરોમાં વહેવારું જ્ઞાન નથી અને સંધ શ્રદ્ધા પણ નથી. આવા અણઘડ કાર્યકરો જ્યાં જ્યાં જાય છે ત્યાં લોકોને તેમના ઉપર શ્રદ્ધા બેસતી નથી. રવિશંકર મહારાજ કે બબલભાઈ જેવા પીઢ, વ્રતબદ્ધ અને દષ્ટિ સંપન્ન સેવકો ભલે ફરે પણ બાકીનાઓને સંસ્થા કે આશ્રમમાં રહી, ઘડતર કરી દષ્ટિ મેળવવી જોઈએ. વ્રતબદ્ધ થયેલા સાધકો વિચારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ તે જ આ કાર્યક્રમો પાર પડી શકે! આ વાત પરંપરાગત મોટા કાર્યકરોએ નાના કાર્યકરોને સમજાવવી જોઈએ પણ તેમ થતું નથી, કદાચ પિતે પણ ન સમજતા હોય એવું પણ બની શકે. હવે તંત્ર (સંસ્થા) મુક્તિ અને પક્ષ મુક્તિના એમના કાર્યક્રમની પાછળ શું રહસ્ય છે? તે વિચારી લઈએ. રચનાત્મક કાર્ય કરનારી, ખાદી ગ્રામોદ્યોગની ઉત્પાદક સંસ્થાઓની પહેલાં તેમ એ હતી કે જે રાજ્ય કે શ્રીમતે વગર હસ્તક્ષેપ કર્યો મદદ આપે તે લેવી; પણ મૂળ તત્વ સચવાનું જોઈએ. વિનોબાજીએ જોયું કે સંસ્થાએ પિતે રાજ્ય કે બોર્ડને આધીન બનતી જાય છે અને સંસ્થાઓ ઉપર રાજ્ય પક્ષની પકડ વધતી જાય છે. સંસ્થાના કાર્યકરો પણ પિતાના સ્વાર્થ માટે એ સંસ્થાઓને પકડીને બેઠા છે અને છોડી શકતા નથી. આમાં સર્વોદય સંબંધી મૂળભૂત મુદ્દે દબાઈ જવા લાગે એટલે વિનોબાજીની અકળામણ વધવા લાગી. તેમણે કહ્યું કે “આ સંસ્થાઓ દ્વારા પ્રયોગાત્મક રૂપ કાંઈ પકડાતું નથી. તે માત્ર રાજ્ય, બોર્ડ કે કાર્યકરોના હાથારૂપ બની ગઈ છે. ” એટલે સંસ્થાઓ છોડે એ જાતની તંત્ર મુક્તિ અને પક્ષની પકડ સંસ્થાઓ ઉપર દુર કરાવવા તેમણે પક્ષ મુક્તિને કાર્યક્રમ મૂકો. હેતુપૂર્વક સ્થપાતી કઈ સંસ્થાને તેઓ નિષેધ કરતા નથી. તેમની પ્રેરણાથી વર્ધામાં બ્રહ્મ વિદ્યા વિહાર”, બેધ ગયામાં સમન્વય આશ્રમ” અને બેંગ્લોરમાં “વિશ્વ નીડમ” વગેરે સંસ્થાઓ, જ્ઞાન-ભક્તિ અને કર્મનો સમન્વરૂપે, કે સર્વધર્મ સમન્વયની દૃષ્ટિએ સ્થપાઈ છે. માત્ર તેઓ ત્યાં પતે રહીને ઘડતર કરી શકતા નથી અગર તે પોતે તે સંસ્થાઓના મૂંઝવતા પ્રશ્નોને ઉકેલવામાં ઓછો રસ લે છે. ત્યારે ગાંધી યુગના અને તે સમયના ઘડાયેલા, પીઢ, દષ્ટિવાળી અને વ્રતબદ્ધ કાર્યકરોએ-જેમાં નાનાભાઈ ભટ્ટ અને જુગતરામ દવે વગેરે મુખ્ય છે આશ્રમ સંસ્થાઓનું નિર્માણ કરી, તેના દ્વારા અનેક કાર્યકરોનું અને લોકોનું ઘડતર કર્યું. નવયુગને કાયા પલટે એવી સંસ્થાઓએ કર્યો. એમણે જોયું કે સર્વોદયના પાયાના કાર્ય તરીકે સંસ્થાઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ઘડતરનું કાર્ય છે. એટલે હોમાઈ જવાની કે ફેકાઈ જવાની પરવા કર્યા વગર એવા ગાંધી યુગના મરજીવા લોકસેવકો કૂદી પડ્યા. હળપતિ મુક્તિ ને કાર્યક્રમ પહેલવહેલાં શ્રી જુગતરામભાઈ દવેએ ઉપાશે ત્યારે એમના માટે સ્થાપિત હિતેએ એટલે સુધી પ્રચાર કર્યો કે એમનું ભાષણ કોઈ પણ સ્કૂલમાં ન થવા દેવું. “આશ્રમ બાળી મૂકશે!” એવી અફવાઓ પણ આવી અને એકવાર તે એમ લાગતું હતું કે આશ્રમ તૂટી પડશે. પણ તેમણે તે નકકી કરેલું કે “ભલે આશ્રમ બાળે કે ભાષણ ન થવા દે, પણ સ્વરાજ્યની હાકલ છે એટલે મારે આ કાર્યક્રમ પાર પાડે જોઇશે!” આજે પંદર પંદર વર્ષના ગાળા પછી પણ કેટલીક સંસ્થાઓ અને કાર્યકરોમાં કાર્યક્રમ માટે કે. સામુદાયિક અહિંસક પ્રયોગ માટે હોમાઈ જવાની ભાવના આવી નથી. એટલે જે સંસ્થાઓ, જનસેવકના ચારિત્ર્ય ઘડતર અને લોકોના નૈતિક ઘડતર માટે જરૂરી છે તે ભલે રહે પણ બાકીની રાહત-રોજી આપનારી અને રાજ્યના પૈસા ઉપર ટકી રહેનારી સંસ્થાઓએ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પિતાનું રૂપ બદલી નાખવું જોઇએ અને સેવા સંસ્થારૂપે મટી જવું જોઈએ. તેમજ કાર્યકરોએ એનાથી દૂર રહેવું જોઈએ; આ હતી સંસ્થા મુક્તિ કાર્યક્રમ પાછળની ભાવના. પણ કાર્યકરે અને લોકોના ઘડતર માટે વિનોબાજીની સંસ્થાઓ નિષ્ફળ નીવડી કારણ કે ચોક્કસાઈ પ્રશ્ન ઉકેલ અને માર્ગદર્શનના અભાવે કોઈ સસ્થા પિતાના નિશ્ચિત ધ્યેયને ન પહોંચી શકી. હવે રહી લેક સંગઠનની વાત. આ સંસ્થાઓએ સાધક કોટિના કાર્યકરે તૈયાર કરવાના હોય છે. સામાન્ય લોકોમાં જ્ઞાન અને સમજણ ઓછાં હોય છે. જ્યાં ગરીબી છે ત્યાં પહેલું કામ એને દૂર કરવાનું હેય છે. આખું ગામ ગરીબીમાં એકતાન-એક પરિવાર કઈ રીતે બને ! ગરીબી દૂર કરવા માટે કાર્યક્રમ હેવા જોઈએ. માત્ર જમીનથી આ પ્રશ્ન નહીં પડે. એના માટે ગામેગામ ગ્રામ સંગઠન હોવાં જોઈએ. જે નૈતિક જ્ઞાન ઉપરાંત ગંદકી શાથી થાય છે; ગંદકીથી શું શું રોગો થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ છે? બાળકાને કર્ક જાતનુ શિક્ષણ આપવુ જોઇએ ? ગરીખી શી રીતે દૂર થાય? આ તમામ બાબતેનું જ્ઞાન સત્ય-અહિંસાની દૃષ્ટિએ આપનારૂ એક સંગઠન હોવુ જોઇએ. આ સંગઠન પક્ષાપક્ષથી મુકત હાવુ જોએ, તે પંચાયત અને સહકારી મંડળી વગેરેને દોરવણી આપે જેને લઈને સાર્વજનિક ચારિત્ર્યનું ઘડતર થાય, આ કાર્ય વિનોબાજીના કાર્યક્રમમાં ખૂટતુ તત્ત્વ છે. તે વિનેબાજી સાધુચરિત્રતા ઉપર પોંચ્યા છે. તે નિશ્ચયતપની દૃષ્ટિએ વિચારે છે એમાં એમને વિચારદેષ તા ન કહી શકાય. એ પણ ખરૂ છે કે વિનાબાજીના વિચારોના વાહન બનવામાં સર્વ સેવાસંઘ સંસ્થા નિષ્ફળ નીવડી છે અને તે વધારે બંધબેસતું છે. એક પ્રેરક કોઇ શુદ્ધ વિચાર મૂકે કે તનુરૂપ કાર્યક્રમ મૂકે પણ તેને અનુસરવા માટે તેની સંસ્થા અચકાતી હોય, અગર તે! તેમાં નબળાઈ હોય, તેા દેષ સંસ્થાને છે—વિચાર મૂકનારને નથી. ગાંધીજીમાં એ ખૂખી હતી કે એવી જ રીતે વિચારે મૂકતા અને જુદી જુદી કક્ષાવાળી સંસ્થા માટે, જુદા જુદા કાર્ય ક્રમા મૂકતા કે જે અમલમાં ઊતરી શકે એટલુ જ નહી ચારે સગાના સાથે અનુબંધ પણ રાખતા; સંગઠના ઊભા કરતા, અને તેમાં પેસેલા અનિષ્ટોને તપ-ત્યાગ, શુદ્ધિ પ્રયોગ વડે શુધ્ધ કરતા. વિનાબાજી કેવળ સાધુચરિત સંસ્થા સુધી પહોંચ્યા છે; જનસગઠન નિર્માણ કે જનસેવક સંગઠનના ઘડતર સુધી પહોંચ્યા નથી. આ જનસગઠન અને સંસ્થા નિર્માણનું કામ અધુરૂ રહ્યુ છે, તે ઉપાડવુ જોઈ એ. રાજ્ય ઉપર પ્રભાવ પાડી શકે એ રીતે રચનાત્મક કાર્યંકર સંગઠનને ઘડવુ જોઇએ. એ સર્વોદય સંમેલને. આરસી અને કર્ણાટકમાં હું હતા. ત્યાં કાર્યકરો ભેગા થયા. રાજકીય પક્ષવાળામાં એક બાજુ વિચિત્ર --નારાયણની પકડ અને બીજી બાજુ કૃપલાણીજીની પકડ ચાલતી હતી. તેઓ તાણા-તણી છોડી શકયા નહીં. સૈારષ્ટ્રમાં ઢેબરભાઈ રાજકીય કાકાના પ્રભાવમાં આવી ગયા તેથી અમે એક નિય ઉપર ન્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ આવી શક્યા. બધા પ્રાંતમાં કાર્યકરોની લગભગ આ સ્થિતિ છે. એટલે આજે સર્વોદયના કાર્યક્રમોમાં વિચારનાં તો બરાબર છે પણ લોકસંગઠન દ્વારા પ્રયોગ, ઘડતર અને સંગઠને સાથે અનુબંધના તો ખૂટે છે. વિશ્વવાત્સલ્ય-પ્રયોગ અને સર્વોદય પ્રયોગ એ બે ઘોડાઓ છે. ફેર એટલો જ છે કે એક ઘોડો આચારમાં ખૂટતાં બીજા તોને પૂરે છે; બીજો પૂરતો નથી. જે સર્વોદયના કાર્યકરે તૈયાર હોત તે લોકશકિત ઊભી કરી શકાત અને સંગઠન દ્વારા ઘડતર કરી શકાત. બાકી આધુનિક સર્વોદયના પુરસ્કર્તા સંત વિનોબાજીના કાર્યક્રમોની . આંતરરાષ્ટ્રિયક્ષેત્ર ઉપર અસર થઈ છે એ એના પ્રબળ નિશ્ચય, વિચારતત્વને દર્શાવી જાય છે. ભૂમિદાન, શાંતિસેના, એકતા પરિષદ, અવિકસિત દેશને મદદ એ ચાર કાર્યક્રમો, વિશ્વના મોરચે એક યા બીજી રીતે સ્વીકારાયાં છે. એવી જ રીતે વિશ્વના સાધુઓને એક થવાની, શાંતિસેનાની આવશ્યકતા, પક્ષમુક્ત સેવાદળની, ગ્રામસ્વરાજ્યની (વિકેન્દ્રીકરણ દ્વારા) ટોચ મર્યાદા. આ વાતાએ ઘાટ પકડ્યો છે. હવે તે વિનોબાજીના વિચારોની છણાવટ કરી, આચારમાં ક્યાં ખામી રહે છે, એ આપણે બધા યે મળીને દૂર કરવાની છે. આમ કરીશું તે સર્વોદયના કાર્યક્રમોમાં ખૂટતાં તો આપણે પૂરી શકીશું. ચર્ચા-વિચારણું સર્વોદયને વ્યાપક કાર્યક્રમ પણ જાગૃતિપૂર્વક આગળ ધપવું રહ્યું શ્રી પૂજાભાઈએ સર્વોદયના કાર્યક્રમો અને ખૂટતાં તો ઉપર ચર્ચા ઉપાડતાં કહ્યું : “ભૂદાન કાર્યક્રમમાં કેટલાક સમજપૂર્વક, કેટલાક દેખાદેખીથી, કેટલાક સ્થાન પ્રતિષ્ઠા અને કેટલાક અંદરથી લાભ મેળવવાની લાલચથી ખેંચાયાં. ઘણાને એ જેમ પેદા કરનારે સુંદર કાર્યક્રમ લાગ્યો અને કેટલાકને દેશના ઉદ્ધારને સર્વોત્કૃષ્ટ કાર્યક્રમ જણ. રાજકીય કાર્યક્રમોમાં બાપુજીના કારણે જે જાગૃતિ રખાઈ હતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ તે આમાં ન રખાઈ. એટલું જ નહીં ઘણા તકવાદીઓ આમાં ઘૂસી તે ગયા પણ તેમણે “ભૂદાન ”ના નામે આડુંઅવળું ઘણું બાફવું શરૂ કર્યું. એક નાને પ્રસંગ ટાંકુ. ધંધુકામાં કોંગ્રેસ કાર્યકરોની મીટિંગ હતી. શ્રી ઠાકોરભાઈ દેસાઈ તેમાં આવેલા. તેમને ચિઠ્ઠી એકલી એક ભૂદાન કાર્યકરે બોલવાની રજા માગી. થોડી મિનીટે ઉદારતાથી અપાઈ પણ તેઓ જે બોલ્યા તેમાં માત્ર વ્યકિતગત બડાઈ અને કેંગ્રેસની નિંદા સિવાય કાંઈ ન નીકળ્યું. એ ભાઈ પહેલાં હાઈસ્કૂલમાં હશે. એમને કોગ્રેસી કાર્યકરો તરફથી કે કોંગ્રેસી કાર્યકરોને એમના તરફથી દુઃખ થયું હોય એ બનવાજોગ છે. પણ, તે અંગત પૂર્વગ્રહને આવા ઠેકાણે ભૂદાન કાર્યકરના નામે દુરૂપયોગ કરવો તે કેટલું વિચિત્ર ! આમ જેને ગ્રેસ કે કેંગ્રેસીઓ સાથે ન ફાવ્યું અને કેટલીક વાર તે પ્રત્યાઘાતી વલણવાળાઓને એક વ્યાસપીઠ રૂપ એ કાર્યક્રમ (ભૂદાન) બની જવા લાગ્યો. આચાર કરતાં પ્રચાર વધારે થવા લાગ્યો. આવેશમાં અને ઉત્સાહમાં ઘણું જીવનદાની બની ગયા, પણ ખરેખર જીવન શું? જીવનદાન શું ? એવું ભાગ્યે જ સમજાયું અને સૂકાવી દીધું. ન સંગઠન, ન સંસ્થા, ન વહીવટી કુશળતા. પરિણામે કેટલાક ભૂદાન-યાત્રાના બહાને સમાજમાં રખડતા થઈ ગયા; કેટલાક ખરી ગયા ! આખા કુટુંબને સર્વોદય પાત્ર ઉપર જીવવું કયાં સહેલું છે? એટલે ભૂદાનમાંથી ઘણું નીકળી ગયા અને તેઓ ભૂદાનની નિંદા કરતા થઈ ગયા. બીજા એવા પણ નીકળ્યા, જેઓ ભૂદાનમાં ગયા પછી ચારિત્ર્ય સાચવવામાં કાચા નીકળ્યા. આથી સમાજમાં એકંદરે છાપ સારી ન પડી. ભૂદાનમાં સમજણપૂર્વક પડનારા બહુ ઓછા હતા. જોયું કે સારા ગણાતા માણસોએ “માગે છે માટે આપવી પડશે” એમ જાણીને બિનઉપયોગી જમીન આપી. દાનનાં પત્રકો ભરાયાં પણ તેની વ્યવસ્થા-ગોઠવણ થઈ શકી નહીં. સંગઠને ન ઊમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪પ કર્યા, ન સંસ્થાઓમાં માન્યું. એટલે ભૂદાનને કાર્યક્રમ સર્વોત્તમ હવા છતાં, તેનું વ્યવસ્થિત રૂ૫ બંધાય તે પહેલાં કાર્યક્રમ જુવાળબદ્ધ આવ્યો એવો જ ઝપાટાબંધ જુવાળ ઓસરી ગયે. ચિત્ર વિંખાઈ ગયું. સંસ્થા થાય તે ડખાડખી થાય. નાણાંની ગોલમાલ થાય, એવા એવા–ભયે સંત વિનોબા ડરી ગયા.•પણ, જે વ્યાપક પ્રવૃત્તિ લીધી, તે પછી જોખમ કરીને પણ આગળ વધવું જોઈતું હતું. જો એ પ્રવૃત્તિ જાગૃતિપૂર્વક આગળ વધી હોત તે આવો એને કરૂણ ફેજ ન થાત. સંત વિનોબાજીની વિદ્વતા, સમજ અને કાર્યક્રમમાં દીર્ધદષ્ટિ જેવું દેખાયું; પણ કાર્યક્રમની દેખરેખ કે નૈતિક આધ્યાત્મિક રીતે પિતાનું નિમંત્રણ નહીં, એટલે આ સ્થિતિ થઈ. પણ તેને સુધારી અનુબંધ વિચારધારીએ તે કાર્યક્રમનું ધરમૂળથી સંશોધન કરી આગળ વધવું જોઈએ. વ્યાપતા જેટલું ઉંડાણ પણ જોઈએ શ્રી દેવજીભાઈ: “સર્વોદય કાર્યક્રમમાં પ્રથમથી જ વ્યા૫ક્તા ઉપર જેટલું ધ્યાન અપાયું તેટલું ઊંડાણ ઉપર ન અપાયું. તેથી કાર્યક્રમો મોટા પણ તેનાં ધાર્યા પરિણામે ન આવ્યાં. એક ખેડૂત પાસે પાંચસો એકર જમીન હોય. સાધને, ખેડૂતે, મજૂરી વ. બધું હોય એટલે વાવવા જાય ત્યારે “બી” ઘણું હેય દેખાવ મોટો લાગે, પણ આવડત ન હોય તે બી જેમ તેમ ફેંકી આવે, તે નિંદામણ ન કરે તે લીલોતરી તો વધુ લાગે પણ ખડામાં પાક ઓછો આવે ત્યારે વ્યવસ્થિત રીતે પચ્ચીશ એકરમાં બી સરખી રીતે વાવનાર વધારે પાકને લણે. બાપુ વખતની મૂડી ઉપર કાર્યક્રમ મોટા મોટા મૂકાઈ ગયા, વિશાળપણ ખરા અને લોકોનું આકર્ષણ પણ જામ્યું. પાછળથી જે સ્થિતિ થઈ તે ભારે દુઃખદ થઈ સ્વરાજ્ય પહેલાં જે ભરતી થયેલી એના કરતાં પણ વધારે ભરતી થઈ એ પ્રવાહમાં મોટા મોટા લે તણાઈ આવ્યા પછી સાધારણ લોકનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કહેવું જ શું? એનું એક બીજું કારણ એ પણ હતું કે સ્વરાજ્ય આવ્યા બાદ રાજ્યને ભરડ જનતા ઉપર વધતા જતા હતા. તેમાં આ આશાજનક કાર્યક્રમ આબે, એટલે લોકોએ રાહતનો દમ અનુભવવ્યા. પણ એમાં વ્યવસ્થા, ઊંડાણ કે ધપાવવાનો કાર્યક્રમ ન હોવાથી એવી પરિસ્થિતિ થઈ છે કે લોકો અન્યાય સામેના બીજા ભવ્ય કાર્યક્રમમાં પણ જનતા અને જનસેવકો ભળતા અચકાશે. સર્વોદયને કાર્યક્રમ વ્યાપક છે તે પ્રમાણે તેમાં ઊંડાણ આવે તે જ તે કંઈક સાધી શકશે. પાયાની ભૂલ શ્રી બળવંતભાઈ: આર્થિક વિષમતના કારણે, એકના બદલે દશ માણસો મળી રહેતા. શ્રીમત લોકો ગરીબોને ચૂસતા હતા અને બીજી તરફ સામ્યવાદી હિંસક કૃત્ય આચરી રહ્યા હતા. એવા સમયે વિનોબાજીએ તેલંગણના પ્રસંગ ઉપરથી ભૂદાનને કાર્યક્રમ મૂકો. એટલે શેષણખેરે સામેને તે કાર્યક્રમ છે એમ માની લેક રાજી થયા. પણ એકલા વિચાર-પ્રવાહથી શું વળે? શ્રી માટલિયાએ કહ્યું છે તેમ વિનોબાજી નિમિત્ત આ કાર્યક્રમને ગાંધીયુગના રચનાત્મક કાર્યકરો અને સંસ્થાઓ પણ ન ઝીલી શકી. સંસ્થાઓની મમતા, રાજ્યાશ્ચિતપણું કે ઊંડા લોકસંપર્કને અભાવ ગમે તે કારણે વિચાર ઉદ્દામ હોવા છતાં, પરિસ્થિતિ વિચારવા જેવી બની ગઈ. સર્વોદયમાં જયપ્રકાશજી જેવા પણ ગયા જેઓ રાજકારણથી નિર્લિપ્ત છતાં નિર્લિપ્ત ન રહી શક્યા. મારા નમ્ર મતે શાસનમુકિત, સંસ્થા મુક્તિ અને નિધિમુક્તિ એ ત્રણેય વાત મૂળમાં ભૂલવાળી હતી એટલે આજે ફરી શાસન-નિરપેક્ષ અને કોઈને કોઈ પ્રકારે સંસ્થા ઊભી થવાની વાત ચાલુ થઈ છે. નિધિ-મુકિતને બદલે નિધિ-સંગ્રહની ટહેલ સર્વોદય સંઘે કરેલી છે. હવે આ અંગે અગાઉથી જ જે ઊંડે વિચાર કર્યો હતો તે ? - મોડું ન થાય તે પહેલાં સર્વોદય જ્યાં અટકો છે ત્યાંથી ભાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ * નળ. કાંઠા પ્રયોગ-વિશ્વ વાત્સલ્ય સાથે જોડાઈ જાય અને ભાલનળ કાંઠા પ્રયોગે પણ સર્વોદયની સાથે તેના સુકાર્યો છે તેની સાથે અનુબંધ જેડીલેવું જોઈએ. તે આ બન્ને મળી આખા વિશ્વમાં અહિંસાને નાદ. ગજવી શકશે. સર્વોદયી કાર્યકરે જેશે તે તેમનાં ખૂટતાં તો વિશ્વવાત્સલ્યના ભાલ નળ કાંઠા પ્રયોગમાં તેમને જરૂર મળી આવશે. સુંદર છે પણ સર્વાગી નથી : શ્રી દંડી સ્વામી બેલ્યા : “વાત સાચી છે કે વિનોબાજી વિધતામાં સુંદર છે પણ સર્વાગીપણુમાં કાચા છે. ત્યારે ગાંધીજી પાસે સર્વાગી દ્રષ્ટિ હતી. ગાંધીજી બધા ક્ષેત્રની આરપાર નીકળતા. તેઓ મુત્સદ્દી પણ હતા અને મહાત્મા પણ હતા. મુત્સદ્દી એટલે ખેલાડી ગણાય, તેમાં પણ સત્યનું બિંદુ બરાબર નજર આગળ હેય અને, સાધનની શુદ્ધિ જળવાય તે બન્નેનું કલ્યાણ સાધી શકાય, આમ ગાંધીજી, સર્વાગી, સર્વોદયી અને આધ્યાત્મિક એમ ત્રિમૂતિરૂપ હતા. તેમના કાર્યમાં લોકસંગઠન, લોકસેવક સંગઠન વગેરે સંગઠિતરૂપે , સહાયક બનેલા. ત્યારે વિનેબાજી નિમિત્તના કાર્યક્રમોમાં સંગઠિત બળના જોડાણની. કચાશ પ્રથમથી રહી ગઈ છે. આમ છતાં એમના નિમિત્તના વિચારો એ. અમૂક અંશે રૂપ લીધું અને રચનાત્મક કાર્યકરો એક સ્થળે ભેગા થયા, એ સારું થયું છે. પણ જાગૃતિ અને સતત ક્રિયાશીલતા ન રહી તે ખામી થઈ છે. હવે તે પુરાવી જોઈએ.” એક દ્વિધા શ્રી દેવજીભાઇ : “સંત વિનેબા એક વ્યકિત તરીકે આપણે પૂરે આદર મેળવે છે પણ જેઓ તેમને ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર લેખાવે છે અને એમણે જાતે પણ જે વિશ્વક્રાંતિના દાવા સાથે કામ ઉપાડ્યું અને પછી આ સ્થિતિ થઈ તેથી બહુ મોટું નુકશાન પણ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ હું એક સાદો દાખલો આપું. શ્રી રવિશંકર મહારાજ, શ્રી બબલભાઈ જેવા પાયાના ગુજરાતના કાર્યકરના મનમાં સંત વિનોબાજીના કાર્યક્રમમાં ભળ્યા પછી ભાલ નળકાંઠો પ્રયોગ પ્રત્યે કંઈક દિશા પેદા થયેલી જણાયેલી. એના કારણે ભાલનળકાંઠા પ્રાગના કાર્યક્રમને રચનાત્મક કાર્યકરે પાસે જે આશા હતી (અને સાથ સહકારને અધિકાર સ્વાભાવિક છે) તે પૂરતી ન મળી. આના પરિણામે ગુજરાતને અને સરવાળે દેશને તેમજ દુનિયાને એ પ્રયોગોને લાભ મળવામાં વિલંબ થવાની પરિસ્થિતિ ઊભી થઈ. એટલું જ નહીં કોગ્રેસને પણ શુદ્ધિ અને સંગીનતામાં જે ધક્કો લાગ્યો તેનું નુકશાન પણ નાનુંસનું નથી. સાવધાની અને સર્વાગીપણું: શ્રી પંજાભાઇ કહેઃ “રવિશંકર મહારાજના જે આશીર્વાદ મળતા હતા તે તે મળે જ છે. તંત્ર-મુકિતની વાત ઉપરથી તેમણે ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘનું પદ છોડ્યું. પણ સંબંધ તો મીઠોને મીઠે જ રહ્યા છે. સાણંદ પ્રકરણમાં જરૂર કેટલાક કોંગ્રેસી કાર્યકરોના પ્રવાહમાં તેઓ તણાયા હતા. પણ અંતે તે સત્ય જનતા આગળ આવ્યું અસત્યની પ્રતિષ્ઠા થઈ. શ્રી રવિશંકર મહારાજ સક્રિય રીતે પ્રાયોગિક સંઘ અને નૈતિક ગ્રામસંગઠને સાથે જોડાયેલ રહે એમાં જગતની વધુ સેવા છે, ગુજરાતની શાન છે અને એ સ્થિતિ દૂર નથી. આ સાધુસાધ્વી શિબિરનું ઉદ્દઘાટન તેમના હસ્તક થયું એ શુભ નિશાની છે. . વિનોબાજી પાસે ભૂદાન કાર્યક્રમ સહેજ આવી પડ્યો. જે લેકે લાંઘા કરતા હતા તેવા ભૂમિહીન – સાધનહીન લોકોને પારણા જેવું કંઈક મળ્યું. વિનોબાજીએ માનવ હૃદય ઉપર શ્રદ્ધા મૂકી કે ક્રૂર અને શોષણખોર માણસ અંતે તે માણસ છે ને? અને એને એકંદરે તે ફાયદો જ થયું છે. સર્વાગી દૃષ્ટિ અને વ્યવસ્થાના અભાવે જે હાનિ થઈ તે તે થઈ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ગ્રામદાન વિષે કહું તો કેટલાક કાર્યકરોએ વિશેષ અતિશયોક્તિ કરીને મેળવ્યાં. કેટલાકે વિનોબાજીની આડે, રાજ્ય અને સમાજ પાસેથી કંઈક મળશે એમ ધારીને ગ્રામદાન કર્યા. કેટલાકે ગ્રામદાન કરશું તે સરકારી કરજ વગેરેમાંથી રાહત મળશે એવા લોભે કર્યા. બાકી ભૂમિદાનમાં, ભાલ નળ – કાંઠાને તેમ જ આદરોડાનો વગેરે પ્રસંગ બન્યા તેમાં તો પ્રત્યક્ષ સફળતા નજરે ચડી. ટુંકમાં જ્યાં સંગઠને અને નૈતિક દેખરેખ બરાબર રહી, ત્યાં વાંધો ન આવ્યો. છતાં દીર્ધદષ્ટિનો અભાવ અને ખાસ લોકોએ ભૂદાન પ્રણેતાનું જાગૃતિપૂર્વકની ક્રિયાશીલતા બાબતમાં જે ધ્યાન દોરવું જોઈએ તે ન દોર્યું, પરિણામે વ્યવસ્થા, સાવધાની કે સર્વાગીપણું ન રહ્યાં. બાકી પાટણમાં એ જમાનામાં પૂ. શ્રી રવિશંકરજી મહારાજના સાનિધ્યમાં જે કાર્ય થયું તેમાં ઈશ્વરીય પ્રેરણ હતી એવું લાગ્યું. પણ ગાંધીજી જેમ સાવધાન રહેતા તેમ, આ સર્વોદય કાર્યક્રમોમાં કાર્યકરેએ સાવધાનીપણું અને સર્વાગીપણું બને ન રાખ્યાં. તેના વગર સફળતાને કરૂણ ફેજ આવ્યો. ગતિ સાથે દિશા સૂચન શ્રી સુંદરલાલ : ગતિની સાથે દિશા સુચન હંમેશા રહેવું જોઈએ. સર્વોદયમાં ગતિ વર્ધકતા તો રહી પણ દિશા સૂચન ખસી ગયું. વિનેબાજ પ્રતિ મને પૂરે ભાવ છે. પણ કાર્યક્રમો પરત્વે તે કહેવું જોઈએ ! “દળાતું ગયું અને કુતરાઓ ચાટતા ગયા” એના જેવું થયું. સત્ય સાથે અહિંસા તેજાબનું કામ કરે છે. પણ ગ્ય સ્થાનનું ભાન હોવું જોઈએ. હું ભૂદાન કાર્યકરો સાથે ફરતો પણ તેમાં ઊંડા ઊતરતાં સર્વાગીપણું અને ચોક્કસ દિશા ન દેખાઈ આપણે પણ રેજી, રેટી સલામતિ અને શાંતિના કાર્યક્રમો આજે ચાલે છે તેને દિવસે દિવસે વધારશું તેજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રમાણે કામ ચાલશે, નહીંતર આપણું પવિત્ર અને વિશાળ કાર્યક્રમના પણ એજ હાલ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦. “ભૂદાન કાર્યકરોની મનોદશા ( શ્રી બળવંતભાઈ: વ્યાપક કામ કરતાં હમેશાં દેષ આવે એમાં વિનોબાજીને કસૂર કેમ ગણાય ? હમણાં જ ભાણવદરને એક પત્ર છે. તેમાં ભૂદાનમાં પડેલા એક કાર્યકરની પૂરી હતાશાનાં દર્શન થાય છે. બીજા ભાઈ વેપારી ક્ષેત્રમાં જવાના વિચાર કરતા જણાય છે. ભાલનળ કાંઠા પ્રયોગમાં તે પૂ. સંતબાલજીનો અખંડ જનસંપર્ક અને જનસેવક સંપર્ક ઉપરાંત અખંડ માર્ગદર્શન તેમજ નાના મોટા બધાની સાથેનું અનુસંધાન એ મોટું બળ છે. તેથી જ તે ગમે તેવા વિરોધના પવન વચ્ચે તે જવંલત દીપમાળા અખંડપણે ઝબકી રહેલી દેખાય છે. એક વાત કહી દઉં કે ભૂદાન કાર્યક્રમથી ક્ષતિના બદલે ઉન્નતિ વધુ થઈ હશે. શ્રી શ્રોફ : “માત્ર ટીકા નથી કરતો પણ, સંશોધન તે થવું જોઈએ. શ્રી દેવજીભાઈ: “મારા નમ્ર મતે સંશોધન અંગે તેના કરતાં સેનાપતિ જ વધારે જવાબદાર લેખાય.” ખૂટતાં તો પૂરીએ શ્રી બ્રહ્મચારીજીએ મધ્યભારતને ખ્યાલ આપતાં કહ્યું : “સંત વિનોબાજીના ગાંધીજીએ આપેલી પ્રતિષ્ઠા તથા સ્થાનના કારણે આ કાર્યક્રમ અંગે તરત વ્યાપકતા મળી ગઈ. આવા મોટા અને વ્યાપક કાર્યક્રમ માટે ઘડાયેલા અને સુયોગ્ય કાર્યકરો ન મળ્યા. તેમજ સંત વિનોબા પોતે એક સર્વાગી ક્રાંતિના સંદર્ભમાં એક નેતાને અનુરૂપ પિતાને પ્રભાવ ન બતાવી શક્યા. છતાં આપણે ત્યાં જે થયું તેમાંથી શુભ તારવી, સંશોધન કરી, કાર્યકરને સર્વાગી દષ્ટિ આવી, ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીના માર્ગદર્શન તળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ ગત ભૂલો સુધારી, ગત લાભને સંદર્ભ જાળવી, નૈતિક જનસંગઠનો મારફત, આગળ વધવું રહ્યું. આમ ખૂટતાં તો પૂરી સર્વોદયની શક્તિને સાચા સંદર્ભમાં વહેવડાવીએ તે ધાર્યું પરિણામ આવી જશે. શ્રી બળવંતભાઈ: “ભગવાન મહાવીરે કાર્ય ક્યાં ઓછું કર્યું છે ! ત્યાં સાધક હોવા છતાં, જનસંગઠનોને પ્રભાવ રાજ્ય ઉપર પડવાના કારણે આજે ભગવાન મહાવીરના અનુયાયી લેખાતા ભાઈ–બહેને પણ અહિંસાને વ્યકિતગત કે સામુદાયિક રીતે આચરી શકતાં નથી. આથી અનુબંધ વિચારધારાની વાત સર્વોદયમાં ઉમેરવાની વાત પ્રશસ્ત લાગે છે. કાર્યકરે જોઈએ શ્રી સંદરલાલ : “સંગઠનો માટે પરિગ્રહ, પ્રાણુ અને પ્રતિષ્ઠાનું " બલિદાન આપનારા કાર્યકરે પાયામાં જોઈશે. શ્રી નેમિનિઃ પ્રારંભમાં થોડા હશે પણ પછી તો સંગઠનેમાંથી સુંદર ઘડાયેલા કાર્યકરોને નવો ફાલ પાકશે, એટલું જ નહીં, જૂના કાર્યકરોમાં કચાશ હશે તે સંગઠને પોતે એમને સાવધાન કરી કચાશ પૂરાવશે અથવા ફેંકી દેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ [૧૬] સર્વોદયનો રાજનૈતિક દ્રષ્ટિકોણ [૬-૧૧-૧] | મુનિશ્રી નેમિચંદ્રજી અને શ્રી દુલેરાય માટલિયા (૧) મુનિશ્રી નેમિચંદ્રજી સર્વોદયના વિચારનું ખેડાણ મહાત્મા ગાંધીજીએ જુદા જુદા પ્રયોગ વડે કર્યું. અને તેમના અવસાન પછી વિનેબાજીની પ્રેરણા અને ફૂરણાથી સર્વોદયમાં નવો વળાંક આવ્યો અને ભૂદાન વગેરે કાર્યક્રમો ચાલ્યા. આ કાર્યક્રમોમાં વિનોબાજીની વિચારશકિતને પ્રશ્ન છે; તે બહુ વ્યાપક છે એ જોવામાં આવ્યું. પણ, જે એ વિચારેની પ્રગશક્તિ ઊભી ન થાય, અગર તે એ વિચારો પ્રયોગમાં લોક ઘડતરની સાથે મૂકવામાં ન આવે, ત્યાં સુધી એ વિચારે બહુ જ ઊંચા હોવા છતાં, પ્રયાગ વગર વિચાર માત્ર રહી જાય છે. એટલે આજના સર્વોદયમાં પ્રયોગ ન થયા; તેને સંગઠિત રૂપ આપવામાં આવ્યું નહીં. એટલે સર્વોદયમાં જે મોટું ખૂટતું તત્વ હતું તે છે આચારનિષ્ઠા.” આ અંગે આ અગાઉ ચર્ચાઈ ગયું છે. અહીં સર્વોદયની રાજનૈતિક દષ્ટિ અંગે જરા વિચાર કરવાને છે. સર્વોદયમાં રાજનીતિ અંગે વિનોબાજીનાં વિચાર પણ બહુ જ - વ્યાપક છે. પણ તે ભૂમિકાએ પહોંચવા માટે વ્યવસ્થિત કાર્યક્રમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩પ૩ અને પ્રયોગોના અભાવે તે મનની કલ્પના માત્ર બનીને રહી જાય છે. એ અંગે એક દાખલ જોઈએ. સર્વોદયમાં “શાસનમુતિ” અને “શાસન નિરપેક્ષતા અને નિર્દેશ કરવામાં આવ્યો પણ કાર્યકરે એમાં ઊંડા ઊતરીને વિચારતા નથી તેથી જનતા આગળ શાસનમુકિતને વિચાર મૂકે છે. સત્તાસીન સરકાર (શાસન)ને વોટ આપવા જનતાને ના પાડે છે; શાસનથી અલગ રહેવાની વાત કરે છે પણ કોઈ નિશ્ચિત પ્રયોગ કે કાર્યક્રમની વ્યવસ્થા વગર જનતા રોજ-બ-રોજના જીવનમાં આવી પડેલા રાજકારણના પ્રશ્નોથી ઘડાતી નથી. એટલે ઘણું વાર બને છે એમ કે છેવટે રાજ્ય કે રાજનીતિ દાંડ તત્તના હાથમાં રમી જાય છે. અહીં વિચારવાનું એ છે કે સર્વોદયને રાજનૈતિક દ્રષ્ટિકોણ, વિધવાત્સલ્ય કે કલ્યાણરાજ્યની સાથે કયાં કયાં બંધ બેસે છે ? કયાં કેટલો સમન્વય થઈ શકે? કોણ કયાં કેવી રીતે કેટલી પૂર્તિ કરે ? આ બધું ઊંડાણથી વિચારવાનું છે. સર્વોદયના રાજનૈતિક વિચારનું મુખ્ય સૂત્ર છે : “રાજનીતિને બદલે લોકનીતિ જોઈએ !” આપણા દેશમાં તો શરૂઆતથી રાજા રાજ્ય કરતો હતો અગર તો ગણતંત્ર ચાલતું હતું કે સમવાયી તંત્ર ચાલતું હતું. ત્યારથી જ લેકની નીતિ પ્રમાણે રાજ્ય ચાલતું હતું. રાજા રાજ્યને અધિકારી રહેતે પણ, એ અધિકાર અને પ્રજા અને પ્રજાસેવકો (બ્રાહ્મણ)ની સમ્મતિથી અને ઋષિમુનિઓના અભિપ્રાયથી મળતો હતો. એટલે રાજા નિરંકુશ અત્યાચારી કે આપખુદ બની જતો ત્યારે પ્રજા એના ઉપર દબાણ લાવી અંકુશ મૂકતી કે તેને પદભ્રષ્ટ કરતી. રામને ધોબીના એકવચનના કારણે સીતાને વનવાસ આપવાની ફરજ પડી. એ લોકનીતિનું દબાણ હતું. ધોબીને આશય એ હતું કે પ્રજાની સ્ત્રીઓ પણ “સીતાને રાવણને ત્યાં ભલે પરાણે રહેવું પડ્યું;” પણ એવા બહાના તળે રવછંદ ન બને. એટલે રામ પોતાના જીવન ઉપર ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આ સહેજ અપવાદ પણ રાખવા માગતા ન હતા. કેટલી ઝીણવટથી લોકો રાજ્યકર્તા, પિતાના અને કુટુંબના જીવનને તપાસતા એ અહીં જાણવા મળે છે. પશ્ચિમમાં એની વિરૂદ્ધ હમેશાં રાજ્ય પ્રબળ રહ્યું છે. ત્યાં રાજનીતિ ઉપર લોકસેવકો (પુસહિત) કે લોકોનું નિયંત્રણ રહ્યું નથી. એટલે ત્યાંની પરિસ્થિતિ માટે કહી શકાય કે રાજનીતિને બદલે લોકનીતિ જોઈએ. તે છતાં અહીંની પરિસ્થિતિમાં પણ એ સૂત્ર બોલાય છે એનું કારણ બેલનારા પિતે જ છે. ભારતના ઈતિહાસમાં મધ્યયુગમાં જોઈશું તે જણાશે કે રાજ્ય ઉપર લેકનું અને લોકસેવકો (બ્રાહ્મણ )નું નિયંત્રણ ન રહ્યું. તેથી રાજ્ય સર્વોપરિ બની બેઠું. ગાંધીજીએ એ પરિસ્થિતિ સુધારી હતી અને રાજ્ય ઉપર લોકોનું (આશ્રમ દ્વારા લોકો અને જનસેવકોનું) ઘડતર કર્યું હતું. એથી તેઓ બ્રિટીશ-રાજ્ય શાસન ઉપર દબાણ લાવી, તેને શાસનત્યાગની ફરજ પાડી સ્વરાજ્ય અપાવી શક્યા હતા. પણ આધુનિક સર્વોદયે બાપુજીની આ રીત ન સ્વીકારી, લોકનીતિની વાત તો થઈ પણ લોકઘડતરની પ્રક્રિયા ન સ્વીકારી; ત્યાં સુધી ઊલટો અને ખોટો અર્થ કરી નાખે કે “રાજનીતિથી તદ્દન અલગ રહેવું, રાજનીતિને અડવું જ નહીં, એને ઘડવાની વાત જ ન કરવી. રાજ્યશાસનને ઉખેડવું એટલે કે શાસનમુકિત એમાં જ લોકનીતિ આવી જશે ! મધ્યયુગની વાત તો બરાબર છે કે લોકો અને લોકસેવકોનું નિયંત્રણ છૂટતાં રાજ્ય સર્વોપરી બન્યું. પણ હાલઘડીએ એમ કહેવામાં આવે કે રાજનીતિ ન જોઈએ તે હવે એને ટાળવી કઈ રીતે? એની કોઈ પ્રક્રિયા ઊભી કરાતી નથી ! આ એક ભૂલ તો થઈ છે પણ બીજી ભૂલ એ થાય છે કે જ્યારે રાજ્ય લોકશાહી રૂપમાં આવ્યું છે ત્યારે તેની શુદ્ધિ, પ્રેરણા કે નૈતિક ચોકીથી અતડા રહેવામાં અને પ્રજાને રાખવામાં આવે છે. લોકનીતિ જબરદસ્ત વસ્તુ છે. લોકો જ સ્વેચ્છાએ અનુશાસનમાં આવી જાય, સ્વેચ્છાએ નિયમ પાળે એ તે અત્યંત ઉચ્ચ ભૂમિકાની અને સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ વાત છે. પણ કશા પણુ ઘડતર વગર તે ક્યાંથી થઈ શકે? એટલે આજે તે શાસનની જરૂર છે. ત્યાં સુધી શાસનની શુદ્ધિ અને ચોકીને બદલે શાસનથી અતડા રહેવાથી શાસનમુકિતની વાત હવામાં જ રહેવાની. “શાસન ન જોઈએ, સરકાર ન જોઈએ ”ને નકારાત્મક વિચાર વિનોબાજીને ક્યાંથી સૂઝો એને વિચાર કર્યા વગર એમને અન્યાય થવાનો સંભવ છે. સ્વરાજ્ય પછી દેશમાં જુદા જુદા પક્ષે ઊભા થયા અને સત્તાની પડાપડી થવા લાગી. બધા સત્તા માટે ઝંખવા લાગ્યા. સત્તા દ્વારા જ સેવા થઈ શકશે એવી વાતો કરવા લાગ્યા ! આથી સેવાને બહાને સત્તા હાથ કરવા માટે જે રાજનૈતિક ચાલબાજીઓ થઈ, તેનાથી વિનોબાજીને આ વિચાર આવ્યું હોય એમ લાગે છે. પણ આજે જ્યાં સત્તા માટે દેટ હોય, ત્યાં શાસનમુકત કે સત્તા છોડવાની વાત બહેરા કાને પડવા જેવી થાય છે. આજે સ્વાર્થ, આકાંક્ષા અને પદલાલસાની આંધળી દોટમાં સેવા, ધર્મ અને નીતિ ગૌણ બન્યાં છે. એટલે વિનોબાજીએ સેવા દ્વારા સત્તાની સમાપ્તિ કરવાની વાત કાર્યકરોને સૂચવી. પરિણામ એ આવ્યું કે સેવાના નામે સર્વેદથી લોકોએ રાજનીતિથી ઉદાસ અને નિલેપ રહેવું શરૂ કર્યું. તેથી રાજકારણમાં માથાભારે, તકવાદી અને દાંડલોકો ઘૂસી ગયા. સર્વોદયી લોકે કેવળ વિચારો આપતા ગયા અને રાહતના કાર્યો કરતા ગયા. કેઈએ પૂછ્યું કે સત્તા છોડવાની વ્યવસ્થા શી રીતે થાય? ત્યારે એમણે સત્તાનું વિકેન્દ્રીકરણ સૂચવ્યું. એના ઉપાય રૂપે સર્વોદય સમાજ રચનામાં બે સિદ્ધાંત મૂકવામાં આવ્યા : (૧) ગામડે ગામડે ગ્રામપંચાયત ઊભી થાય. પ્રાંત માટે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર ગ્રામપંચાયતોને રહે અને સરકારને ન રહે. આમ આખી સત્તા ગ્રામપંચાયતના હાથમાં હેવી જોઈએ. (૨) એ રીતે ઉપરની સરકારના હાથમાં નામ માત્રની સત્તા રહે. રેલવે, રસ્તા, વિદેશ સાથે વહેવાર, વિ. ઉપરનું નિયંત્રણ કેન્દ્રિય સરકારના હાથમાં રહે આ સત્તાનું વિકેદ્રીકરણ કરવા માટે ગ્રામપંચાયતની વાત કરવામાં આવી, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જ્યાં સુધી સત્તાના વિકેન્દ્રીકરણની વ્યવસ્થિત યોજના અને સંગઠને દ્વારા લોકઘડતર ન થાય ત્યાં લગી આ વાત વિચારે આપવાથી આવવાની નથી. લોકનીતિની નિષ્ઠા માટે સર્વોદયમાં ત્રણ વાતો બતાવવામાં આવી? (૧) અહિંસા, સત્ય, અસ્તેય (૨) નિષ્કામ સેવા, સકામવૃત્તિ સહન (૩) અને દંડ નિરપેક્ષ લોકશક્તિ. આ ત્રણે વાતે વિચારમાં સારી લાગે છે પણ તેના આચરણ માટે શું ? એ માટે એક ઠેકાણે વિનોબાજીએ લોકનીતિનાં ચાર કર્તવ્ય નીચે પ્રમાણે બતાવ્યાં છે – (૧) આ નિશ્ચય કરે કે સરકાર અગર તે લોકો દ્વારા હિંસા ન થાય. (૨) પિતાના પ્રશ્નો આપણે સરકાર નિરપેક્ષ જનશકિતથી ઉકેલીએ. (૩) દેશમાં શિક્ષણ સ્વતંત્રતા આવે. (૪) આજની ચૂંટણી પદ્ધતિ બદલવામાં આવે. એ સિવાય (ઉપરની બાબતો) કાનૂની મદદ ન લેવાય, સેના અને શસ્ત્રોને ઘટાડો આ બધા વિધાનની પાછળ કઈ વહેવારૂ અનુભવ થયે હેય કે પ્રયોગ કર્યો હોય એમ લાગતું નથી. અનુભવ, વહેવાર કે પ્રયોગના અભાવે આજના સર્વોદયના પ્રણેતા વિનોબાજીના રાજનૈતિક વિચારે અસ્પષ્ટ, પરસ્પર વિરૂદ્ધ અને કયાંક તે અસંગત લાગે છે. એક વખત વિનેબાજી સ્વરાજ્ય પછી સુરાજ્ય કે સુશાસનની વાત કરે છે અને એવા સુશાસન માટે “સત્તા નિરપેક્ષ નિપક્ષ સમાજ નું સ્વરૂપ મૂકે છે ત્યારે બીજી તરફ શાસનમુક્તિની વાત પણ કરે છે. વિનોબાજીના શબ્દોમાં જ કહીએ તે દેશની વર્તમાન પરિસ્થિતિ જોતાં ત્રણ પક્ષે રહેશે. એક અધિકારી પક્ષ રહેશે, જે બહુસંખ્યાના આધારે રાજ્ય ચલાવવાની જવાબદારી ઉપાડશે. બીજો એક વિરોધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ પક્ષ રહેશે, જે તેમના કાર્યમાં સહાય કરશે. જ્યાં સહકારની જરૂર હશે, ત્યાં સહકાર અને જ્યાં વિરોધની જરૂર હશે ત્યાં વિરોધ કરશે. આ બન્ને પક્ષે રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરશે. એ ઉપરાંત એક ત્રીજો પક્ષ નિષ્પક્ષ સમાજને હેવો જોઈએ જે આ અધિકારી કે વિરોધી દળને નહીં હોય પણ તે જુદી જમાત હશે. આ જમાત સેવાના કામમાં તથા રાજતંત્ર–લોકતંત્ર બનેને મર્યાદામાં રાખનારી હશે. એના માટે એક દેશવ્યાપી મોટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમોના નીચેના પાંચ મુદ્દા હશે :(૧) સ્વ-પરની જીવનશુદ્ધિ. (૨) નિત્ય નિરંતર અધ્યયનશીલતા. (૩) સમાજસેવાના ઉપેક્ષિત ક્ષેત્રે પ્રત્યે ધ્યાન આપવું. (૪) સમાજજીવન અને સરકારી કામમાં જ્યાં ભૂલ જુએ, અનિષ્ટ જુએ ત્યાં જાહેરાત અને નિર્દેશ કરે; પણ રાગદ્વેષ રહિત થઈને. અને જરૂર પડે ત્યાં સક્રિય પ્રતિકાર-સત્યાગ્રહ પણ કરે. (૫) સમાજ જીવનના ગૂંચવતા પ્રશ્નોને અહિંસાત્મક નૈતિક ઉકેલ કાઢે. આ બધી વાતો સુશાસનની તરફેણમાં જાય છે. એટલે શાસનમુક્તિનું પ્રયોજન આ વાતને ગૂચવે છે. ઉપરાંત એકવાર તેમણે એમ પણ કહ્યું કે સુશાસન પણ ન જોઈએ. તાત્કાલિક કારણે સર કે રાજ્ય સરકારની ભૂલ તરફ તેઓ ઘણીવાર ઉકળીને જે વિધાને કરે છે તેને કોઈ મેળ બેસતો નથી. તેમણે એકવાર કહ્યું : “સરકાર કોઈ ભૂલભરેલું કામ કરતી હોય ત્યારે તેની સામે અવાજ ઉઠાવવા માટે અમારી જરૂર નથી, પણ સરકાર કોઈ સારું કામ કરતી હોય ત્યારે જ જોરદાર અવાજ ઉઠાવવા માટે અમારી જરૂર છે. દુઃશાસનના વિરોધમાં તો મહાભારતમાં વ્યાસે અવાજ ઉઠાવ્યો જ છે. ખરાબ શાસન ચાલે છે તે લોકો જ ટીકા કર્યા કરે છે એમાં અમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જરૂર નથી.” આ રીતે પરસ્પર વિરોધી અને અસંગત વિચારોથી સર્વોદયના રાજનૈતિક દૃષ્ટિકોણમાં ગુંચવાડે ઊભે થાય છે. શાસનમુક્તિ સાથે શાસન ઉપર ઋષિઓની નૈતિક સત્તાની વાત, સરકારી ન હોવી જોઈએની સાથે સરકારનું સ્વરૂપ જનતા ઉપર નિર્ભર છે–ની વાત; આમજનતા અને કાર્યકરે બન્નેને ગુંચવાડામાં નાખનારી વાત છે. આનું એકજ કારણ છે કે વિધાન પાછળ પ્રયોગયુક્ત અનુભવ થયો નથી. એની પાછળ -વિનોબાજી ઉપર વેદાંતની અસર જણાઈ આવે છે, એટલે તેઓ વિચાર ઉચ્ચ હોવા છતાં આચાર પાછળ ઝાઝું ધ્યાન આપતા નથી. ત્યારે, વિશ્વ વાત્સલ્યના પ્રગોમાં, વિનોબાજી જે વાત સર્વોદય વિચાર રૂપે રજૂ કરે, તેને અમલ થાય છે. ભારતના ઈતિહાસમાં એવું છે કે અહીં રાજનીતિ-લોકનીતિને અનુકૂળ રહી છે, કારણ કે અહીં રાજ્યને સમાજનું એક અંગ વર્ણવ્યવસ્થા પ્રમાણે ગણવામાં આવ્યું છે. એનાથી તદ્દન ઊલટું પશ્ચિમના ઈતિહાસમાં છે કે ત્યાં રાજ્ય એજ સર્વોપરિ ગણાતું. આ પાયાની વાત સમજ્યા વગર લોકનીતિ કે રાજ્યનીતિને તફાવત નહીં જાણી શકાય. એટલે ભારત માટે ઐતિહાસિક પરંપરા પ્રમાણે જે અનુકૂળ વાત છે તે લોકશાહીની છે. ભારતીય લોકશાહીમાં રાજ્યનું ઘડતર લોકે દ્વારા થવું જોઈએ, લોકોનું ઘડતર લેક સંસ્થાઓ દ્વારા થવું જોઈએ; લોકો અને રાજયનું ઘડતર લોકસેવકો દ્વારા સંગઠનના માધ્યમ વડે થવું જોઈએ અને સર્વ ઘડતર ક્રાંતિપ્રિય સાધુઓ દ્વારા થવું જોઈએ. - ઉપરોક્ત દષ્ટિએ વિશ્વવાત્સલ્યમાં ભાલ નળકાંઠા ક્ષેત્રમાં પ્રાયોગિક સંઘ દ્વારા અને ગ્રામ સંગઠને કે જનસંગઠન દ્વારા રાજ્યનું ઘડતર અને શુદ્ધિ થાય એવો પ્રયોગ વર્ષોથી ચાલી રહ્યો છે. આમ તે રાજ્યમાં પણ લેકશાહી શાસન હેઈને લેકેજ છે, લોકોના પ્રતિનિધિ છે. એટલે લેક અને રાજ્ય બને જુદાં રહેતાં નથી પણ બન્નેની મર્યાદા અલગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ અલગ છે. રાજ્ય-મર્યાદા અને લોમર્યાદા બન્નેમાં ફરક હેઈને રાજનીતિ અને લોકનીતિ એમ બે ભેદ કરીએ તે પણ બન્ને સાપેક્ષ છે. જ્યાં સુધી રાજ્યની જરૂર છે ત્યાં સુધી તેને સુરાજ્ય બનાવવા લોકોનું રાજનૈતિક દૃષ્ટિએ ઘડતર થવું જોઈએ; અને તે ઘડતર નૈતિક ગ્રામ-સંગઠન દ્વારાજ થઈ શકે. લોકનીતિની રાજનીતિ ઉપર અસર થવા માટે રાજ્યની શુદ્ધિ અને પુષ્ટિ બને કામ પણ સાથે સાથે થવા જરૂરી છે. એ જરૂરી નથી કે એના માટે સત્તા કે હેદ્દા લેવા જોઈએ. શુદ્ધિ માટે ભાલનળકાંઠા પ્રાયોગિક સંધ (રચનાત્મક કાર્યકરોની સંસ્થા) પ્રેરણા આપે છે. અને જ્યાં રાજ્ય કોઈ લોકહિત વિરોધી કાયદા બનાવતું હોય ત્યાં પ્રેમપૂર્વક વિરોધ અને શુદ્ધિ પ્રયોગ કરે છે. એટલું જ નહી રાજકીય ક્ષેત્રમાં–આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આ રાજ્ય સંગઠન (કોંગ્રેસ) સારી રીતે કામ કરી શકે, સંસ્થાવાદને દૂર કરવા માટે પ્રયત્ન કરી શકે તે હેતુથી મતદાન દ્વારા કોંગ્રેસ (રાજ્ય સંગઠન) ને નિશ્ચિત બનાવી પૃષ્ટિ કરે છે. જ્યારે જ્યારે આવી સંસ્થા ઉપર આફત આવે ત્યારે પૂરેપૂરી મદદ કરે છે. આનેજ વિશ્વ વાત્સલ્ય પ્રયોગમાં પ્રેરક-પૂરક બળ કહેવામાં આવે છે. પ્રેરકબળ છે પ્રાયોગિકસંધ અને પૂરકબળ છે ગ્રામસંગઠન. લોકોને ઘડવાની કે રાજ્યને લોકો અને લોકસેવકો દ્વારા ઘડવાની જવાબદારી જ્યાં સુધી સર્વોદયના આજના પ્રેરક ઉપાડતા નથી; ત્યાં સુધી સર્વોદયની બધી વાતો ક૯૫ના જેવી લાગ્યા કરશે. ત્યારે વિશ્વ વાત્સલ્યના પ્રેરક એ વસ્તુને પિતાની જવાબદારી માને છે. રાજનીતિને ઘડવા જતાં તેના અનિષ્ટો ચૂંટશે એમ માની સર્વોદય સંત અને કાર્યકરે દૂર ભાગે છે. આવી પલાયનવાદી વૃત્તિ વિશ્વ વાત્સલ્ય પ્રયોગમાં નથી. સરકાર ન જોઈએ એમ કહેવાથી સરકાર ખસવાની નથી. ઉલટું શુદ્ધિ અને ઘડતર પ્રત્યેની ઉપેક્ષાથી અનિચ્છનીય તો પેસી જવાના, તે સર્વોદય માટેજ ભારી પડવાના” એવીજ વાત ગ્રામપંચાયતની થઈ છે. સત્તાનાં વિકેન્દ્રીકરણ માટે ગ્રામ પંચાયતની વાત સારી હતી પણ ગ્રામનું નૈતિક ઘડતર ગ્રામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સંગઠન દ્વારા નહીં કરવાને લીધે, ગ્રામપંચાયતમાં માથા ભારે કે દાંડ તો કે તક્નાદી લોકો પસી જવાને ભય છે અને રહેશે. રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું અને પંચાયત ઊભી કરવામાં આવી, પણ ત્યાં અનિચ્છનીય તએ પગપેસારો કરી લીધો. બીજી તરફ પંચાયતનું નિયંત્રણ તો સરકારના હાથમાં જ રહ્યું એટલે લોકનીતિ કયાં રહી ? લોકોનું ઘડતર ન હોય અને સત્તા, ગ્રામ પંચાયતના હાથમાં સોંપવામાં આવે તે દાંડ ત ઘૂસી જતાં લોકનીતિના નામે દાંડ-નીતિ ચાલ્યા કરે. એટલે જ વિશ્વ વાત્સલ્ય પ્રયોગમાં પ્રજાનું ઘડતર જન–સંગઠન (એટલે ગામમાં ગ્રામસંગઠન શહેરમાં મધ્યમવર્ગો તથા ભાતૃસમાજ સંગઠન) કરે અને એવાઓનું પ્રતિનિધિત્વ ગ્રામ પંચાયતમાં તથા સહકારી મંડળીઓમાં રાખવામાં આવ્યું છે, તેમજ શુદ્ધિ દ્વારા લોકઘડતરની પ્રક્રિયાને ચલાવવાને ભાર પ્રાયોગિક સંધ ઉપર મૂકવામાં આવેલ છે. સર્વોદયને જે બીજો વિચાર અગાઉ મૂકાયો હતો તે છે: કેન્દ્રીય (રાજ્ય) સરકાર પાસે ઓછામાં ઓછી સત્તા રહે.” ઘણુ રીતે એ વાત બરાબર લાગે છે કે રાજ્ય સરકાર ગજા બહારનાં ક્ષેત્રે ઉપાડે તે કાંતે એ તૂટી પડે અથવા દરેક ક્ષેત્રમાં તે કાર્યક્ષમ ન બની શકે. પણ એ સત્તા ઓછી કરાવવા માટે કે જ્યાંથી એની સત્તા ઓછી કરાવામાં આવે એ ક્ષેત્રે કોણે હાથમાં લેવાં? એના અંગે ન તે કોઈ કાર્યક્રમ ઘડાયો છે કે નથી તેની આછી રૂપરેખા પણ આપવામાં આવી. તે પછી સત્તા કઈ રીતે ઓછી થઈ શકે ? આના સંબંધમાં વિશ્વાત્સલ્ય-પ્રયોગ માને છે કે સામાજિક અને આર્થિક ક્ષેત્રે લોકસંગઠન પાસે, સંસ્કૃતિ અને શિક્ષણનાં ક્ષેત્રે જનસેવક સંગઠને પાસે તેમજ માત્ર રાજકીય ક્ષેત્ર સરકાર પાસે રહેવાં જોઈએ. જનસંગઠનેએ ગ્રેસનું–રાજ્ય સંગઠનનું માતૃત્વ સ્વીકારવું જોઈએ. આના સંદર્ભમાં વિશ્વ વાત્સલ્ય અહિંસક પ્રગો ભાલ નળકાંઠ પ્રદેશમાં કર્યા છે અને ઉપર કહેલાં ચાર અન્ય ક્ષેત્રે-સમાજ, અર્થ, સંસ્કૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ અને શિક્ષણ—લોકસંગઠને અને લોકસેવક સંગઠનને મળે તે માટે સતત પ્રયાસ ચાલુ રાખે છે. વિશ્વ વાત્સલ્ય પ્રયોગની પ્રેરક મુનિશ્રી સંતબાલજીએ પણ બેથી વધારે વખત ઉપવાસો કર્યા છે. મુંબઈ રાજ્ય પસાર કરેલે નવો ગણતધારે જેમાં ખેડૂત તરફ અન્યાય થતે હેઈને સરકારની સામે પ્રેમપૂર્વક કાનૂનભંગ કર્યા સિવાય ૮ મહિના શુદ્ધિ પ્રાગ ચાલ્યો હતો. આમ સત્તા ઓછી કરવા માટે સદિયે પણ નક્કર કાર્યક્રમ ગોઠવી દેશને આપવા જોઈએ. એ ઉપરાંત સર્વોદયે સત્તાના વિકેન્દ્રીકરણની વાત રજૂ કરી પણ તે અંગે યોજના આપી નથી. ત્યારે વિશ્વ વાત્સલ્ય-પ્રયોગ પાસે સત્તાના વિકેન્દ્રીકરણ માટે સમૂહ (ગૃ૫) ગ્રામ પંચાયતવાળી ગ્રામ સંગઠનની જના ઘડેલી છે. ૧૮૫૬ માં પંડિત જવાહરલાલ નેહરૂ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેને રજૂ કરવામાં આવી હતી અને તેમણે એ એ ભેજના પસંદ કરી હતી. એ યોજના પ્રમાણે ૭ ગામ અથવા ૫૦૦૦ની જનસંખ્યામાં ૧ પંચાયત હોવી જોઈએ. આનાથી ચૂંટણીના અમિષ્ટ દૂર થાય. ચૂંટણીમાં કોમવાદ, જાતિવાદ કે ભાઈ-ભત્રીજાવાદ પ્રવેશે છે તેનો આમાં પ્રવેશ સંભવ નથી. આવી ૨૦ ગ્રામ પંચાયતો મળીને એક તાલુકા પંચાયત (૩૫ ગામ કે ૧ લાખની વસતી પાછળ) બને. ૫ તાલુકા પંચાયત (૫ લાખની પાછળ) એક પ્રાદેશિક પંચાયત બને. અને ૧૦ પ્રાદેશિક પંચાયતે ઉપર એક કમિશ્નર રહે જેને સીધો સંબંધ કેદ્રીય સરકાર સાથે રહે. કેંદ્રીય સરકારના હાથમાં મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર તથા મોટાં નગરો તથા રાષ્ટ્રરચનાના કેટલાક મહત્વના પ્રશ્નો રહે. આ રીતે સત્તાના વિકેન્દ્રીકરણની યોજના અમલમાં આવે તે નીચેથી સત્તા ઉપર સુધી ચાલે, લોકઘડતર પણ થાય અને ચૂંટણીમાં અનિષ્ટો અને મોટા ખર્ચાઓ પણ ટળી જાય. આને પ્રયોગાત્મક બનાવવની વાત સર્વોદયમાં નથી. ત્યારે વિશ્વ વાત્સલ્ય પ્રયોગ પાસે છે. તે ઉપરાંત લોકનીતિની નિષ્ઠા માટે ત્રણ વાતો સર્વોદયે રજૂ કરી છે. જેમાં (૧) અહિંસા, સત્ય, અસ્તેય (૨) નિષ્કામ સેવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સકામ વૃત્તિ સહન–આ બાબતે તે સુસંગઠન દ્વારા પ્રગમાં મૂકયા પછી જ થઈ શકે. એનું આચરણ તે સુસંસ્થાઓ દ્વારા ઘડતર વડે થઈ શકે છે તે સ્પષ્ટ હકીક્ત છે. લોકનીતિની ત્રીજી નિષ્ઠા માટે “દંડ નિરપેક્ષ લેકશક્તિની જે છેલ્લી વાત કરવામાં આવી છે તે અંગે કોઈ પણ પ્રયોગ કેજના વગર તે લોકોના ગળે ઊતરે એ જરા વધારે પડતું છે. એના માટે તે જ્યાં જ્યાં હિંસા, અન્યાય અને અત્યાચાર થાય ત્યાં હિંસાના બદલે અહિંસાના પ્રયોગ કરીને બતાવવા જોઈએ. એમ ન થાય તે બીજા અનિષ્ટ અને અરાજક્તા પ્રસરવાને માટે ડર રહે છે. રાજ્યના હાથમાં વ્યવસ્થા કરવાનો અધિકાર લોકોએ આવે છે. હવે કોઈ પણ પ્રકારને દંડ ન રહે એવું વિધાન કરનારાઓએ જોવું જોઈએ કે કોઈ પણ સ્થળે હિંસા ફાટી ન નીકળે તેના ઉપાયો કાર્યકરોએ કરવા જોઈએ; અને જે તેફાને ફાટી નીકળે તો ત્યાં હેમાવા માટે જવું જોઈએ, અને તપત્યાગ વડે શાંતિ સ્થાપિત કરવી જોઈએ. જેથી રાજ્યને (સરકાર ) કાયદે, કાનૂન, કોર્ટ, પિલિસ, લશ્કર, શસ્ત્રાસ્ત્રો વ. દંડશક્તિને પ્રયોગ ઓછામાં ઓછો કરવો પડે એવી ભૂમિકા જનતામાં ઊભી કરવી જોઈએ. લવાદી પ્રયોગ દ્વારા ઝઘડાઓ પતાવવા જોઈએ. શુદ્ધિપ્રગ દ્વારા અહિંસક પ્રતિકાર, અન્યાય નિવારણ માટે કરે જોઈએ તેમજ ઘડાએલી શાંતિસેના દ્વારા હુલ્લડ વખતે શાંતિ સ્થાપિત કરાવવી જોઈએ. આ બધા કાર્યક્રમો વડે લોકોની હિંસાના બદલે અહિંસા ઉપર નિષ્ઠા વધારવી જોઈએ. - આ બધા ઉપર બતાવેલા પ્રયોગો વિશ્વ વાત્સલ્યના પ્રયોગકારોએ નાનકડા પ્રદેશમાં સુસંગઠન દ્વારા કર્યા છે અને દંડનિરપેક્ષ લોકશક્તિ ઊભી કરી છે. વિશ્વ વાત્સલ્યના એ પ્રયોગકારોને શ્રદ્ધા છે કે જે એવા જ પ્રયોગ સર્વોદયી કાર્યકરે પણ કરે તો જ દંડનિરપેક્ષ લેકશક્તિ ઊભી કરી શકે. વિનોબાજીએ જે નિષ્પક્ષ સમાજની કલ્પના કરી છે તેને ગ ભા. ન. કાઠા પ્રાયોગિક સંઘે સત્તાથી પર થઈને સિદ્ધ કરી બતાવ્યું છે. તેમજ વિરોધી પક્ષ અને નિષ્પક્ષ સમાજની જે કલ્પના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ વિનોબાજીએ મૂકી છે તેને પૂરક–પ્રેરક બળ માનીને પ્રાયોગિક સંઘ કામ કરવા માટે પ્રેરાય છે. રાજ્યની શુદ્ધિ અને પુષ્ટિનું બમણું કામ એ કરે જ છે. સાર એ છે કે જે વિચાર સર્વોદયના આધુનિક પ્રેરકોએ, રાજનીતિ વિષે મૂક્યા છે, તેને વિશ્વ વાત્સલ્યના પ્રેરક અમલમાં લાવી સક્રિય રૂ૫ આપે છે. એટલે સર્વોદય અને વિશ્વ વાત્સલ્યમાં વિચારમાં ઝાઝો ફેર રહેતો નથી. ક્યાંક ફેર રહે છે તેને સર્વોદય એક યા બીજી રીતે, સાચું લાગ્યા પછી સ્વીકાર કરે છે અને કરશે. મૂળ ફરક રહે છે આચારને. સર્વોદયના પ્રેરક આ દૃષ્ટિકોણ સમજી જે કંઈ તત્વ ખૂટે છે તેની પૂર્તિ, વિધવાત્સલ્યની રીતે કરી, કામ કરશે તે સર્વોદય અને વિશ્વ વાત્સલ્ય એક વ્યાસપીઠે રહીને કાર્ય કરી શકશે, અને એથી દેશ અને દુનિયાને મોટો લાભ થશે. સત્તા માટે તે બન્ને નિરપેક્ષ છે. સર્વોદય, સત્તાસીન ગ્રેસ પક્ષના સિદ્ધાંતને અંજલિ આપવા છતાં તેને મતદાન માટે નિશ્ચિત બનાવી શકતો નથી. જ્યારે વિશ્વ વાત્સલ્ય તેને નિશ્ચિત કરવાની. પ્રક્રિયા વર્ષોથી આદરી છે. અને જ્યાં રાજ્ય શાસન પક્ષ (કોંગ્રેસ) સિદ્ધાંત ભંગ કરતા દેખાય છે ત્યાં પ્રેમપૂર્વક વિરોધ, સમજૂતી અને અહિંસક શુદ્ધિ પ્રયોગ દ્વારા તેને અટકાતવા અને સિદ્ધાંત ઉપર સ્થિર રાખવાનો પ્રયાસ કરે છે. સર્વોદય નિષ્પક્ષ કે પક્ષાતીતતાના નામે બધાય પક્ષેને ગેળ અને ખેાળની જેમ એક સરખા ગણું શંભુમેળે ઊભું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે વિશ્વ વાત્સલ્ય સંસ્થાઓને પાયો પ્રેરક બળ અને ઉછેરના મૂળભૂત ફરકને ઊંડાણથી સમજીને કોંગ્રેસ પક્ષમાં જનતા અને જનસેવકોના સંગઠનરૂપે પૂરક પ્રેરક-બની તેની શુદ્ધિ-પ્રષ્ટિ કરી, ઉપરોકત રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ સક્રિય લાવવા મથે છે. આ છે સર્વોદયને રાજનૈતિક દ્રષ્ટિકોણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ [૨] શ્રી દુલેરાય માટલિયા સર્વોદયના રાજનૈતિક દૃષ્ટિકોણ વિષે અત્યાર સુધી જે વાત થઈ તેના અનુસંધાનમાં જણાવવાનું કે ‘સર્વોદયને ઘડનાર ગાંધીજી હતા. એટલે ગાંધીજીને દૃષ્ટિકોણ શું હતું તે જાણવું જરૂરી થશે. ગાંધીજી જ્યારે આફ્રિકામાંથી એક પ્રયોગ કરીને ભારતમાં આવ્યા ત્યારે અહીં ઘણું અલગ અલગ વર્ગો હતા. એક હિંસાધારા ક્રાંતિમાં માનનાર વર્ગ હતો. બીજી હિંદુ મહાસભા હતી. ત્રીજી મુસ્લિમ લીગ. જેથી વિનીત વર્ગ. પાંચમ તિલક ગેખલે વ. ને સ્વરાજ્યવાદી દષ્ટિકોણવાળે વર્ગ. આમ જુદા જુદા વર્ગો હતા. સમાજવાદી પણ કામ કરતા હતા. એમણે એમ ન વિચાર્યું કે એ બધા વર્ગો સરખા છે. જો કે તેઓ બધા સાથે હળતા, મળતા અને સ્નેહ રાખતા. કોંગ્રેસમાં પણ ક્રાંતિવાદી, વિનીત અને મવાલ વગેરે વિચારતા લોકે હતા. એમની પાસે ગાંધીજીએ માંગણી કરી કે “મને પ્રયોગ કરવાની તક આપે !” પણ બધાય વિચારના લોકોને ગાંધીજી ઉપર વિશ્વાસ શી રીતે બેસે? વિશ્વાસ બેસાડવા માટે વિનય અને સેવા જોઈએ! સાથે સાથે બહુમતિ પણ જોઈએ. તે સમયની કોંગ્રેસમાં, મોતીલાલ નેહરૂ જેવા વિદ્વાન હતા, તિલક જેવા “સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે" એમ કહેનારા પણ હતા. ઝીણું સાહેબ જેવા વિનંતિ કરીને ચાલનારા પણ હતા. આ બધાને સમજાવવા કઈ રીતે? ગાંધીજીએ વિનય અને સેવાના સત્ર ચાલુ કર્યા. તેમણે પિતાના સ્થાન કે ખાનની પરવાહ કર્યા વગર, સહુથી પહેલાં તે વખતના પ્રમુખશ્રીને ફાઈલ કાઢી આપવી, બટન લગાડી દેવા અને એકિસ-રેક વગેરે વ્યવસ્થિત કરી દેવી, તેમનાં વ્યાખ્યાને લખી આપવા અને નેધ પણ કરી આપવી, આ બધી સેવાની પ્રવૃત્તિઓ શરૂ કરી. આમ તેમણે મુરબ્બીઓનાં મન જીતી લીધાં. પછી તેમણે જોયું કે રસ્તાઓ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ શેરીઓ ગંદા છે, એટલે જાતે સફાઈ શરૂ કરી. એથી ઘણું લોકે ખુશ થયા. ત્યારબાદ ગાંધીજી કોંગ્રેસમાં દાખલ થઈ શક્યા. ગાંધીજીનો વિનય નમ્રતાના અર્થમાં આવ્યો પણ એના કારણે સિદ્ધાંતના પાયાના સવાલમાં નમતું મૂકવું એ તેમણે કદિ ન સ્વીકાર્યું. એમણે સેવા-વિનય અને સત્ય એ ત્રણથી કદિયે વેગળા ન રહેવાને નિશ્ચિય કર્યો. આ પછી પણ તેમણે પોતાના વિચારો કોંગ્રેસમાં દાખલ કરાવવા માટે જરા પણ ઉતાવળ ન કરી, તેમણે એના પ્રયોગ કર્યા. તેઓ આખું હિંદ ફર્યા. તે વખતે ચંપારણમાં ગળીના કારખાનાના મજૂરોની લડત ચલાવી, સાથોસાથ બિહારના ખેડૂતોને ત્રાસ મટાડ્યો. અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના કરી મજૂર અને મિલ-માલિકના ઝઘડા દૂર કર્યા. નમક-કર માટે લડત ચલાવી દાંડીની ઐતિહાસિક કૂચ કરી. તેમાં ખેડૂતોને પણ લીધા. આથી તેઓ લોકોના અને કોંગ્રેસના વિશ્વાસપાત્ર બની ગયા. ત્યાર પછી ગાંધીજીએ કોંગ્રેસને ઢઢળી અને જણાવ્યું : “જે મારે કોંગ્રેસને વાહન બનાવવી હોય તે, એને શક્તિશાળી બનાવવી જોઈએ અને એમાં જે ત ખૂટે છે તે ઉમેરવા માટે પુરૂષાર્થ કરવો જોઈએ. એટલે વિરોધી વલણ ધરાવતા લોકોને પણ ગાંધીજીએ એક સૂત્રતામાં બાંધ્યા. લોકસંપર્ક વધારવા માટે તેમણે કોંગ્રેસી-કાર્યકરોને કાર્યક્રમો આપ્યા. આમ કોંગ્રેસને શકિતશાળી બનાવવાને તેમને પ્રયાસ સફળ થયું. પણ તેમને હજુ નિષ્ઠાને તાગ મેળવો હતો. એટલે તેમણે રજૂ કર્યું કે “કાંતે તે પહેરે ! આ આજની રાષ્ટ્રિય એકતા માટેની મૂળભૂત વસ્તુ છે. એને ન માને તે નીકળી. જાય.” કેટલાક તે વખતે કોંગ્રેસમાંથી ખસી પણ ગયા. આ પછી કેંગ્રેસમાં ઘણું ઉતાર-ચઢાવ આવ્યા. તપ, ત્યાગના ઘણા કાર્યક્રમ આપી બાપુએ એ સંસ્થાને ઘડી; અને તેને સત્ય-અહિંસાની દિશામાં ગતિશીલતા આપી. આ પછી ગાંધીજી એક ડગલું આઘળ વધ્યા. તેમણે પૂનાના કોંગ્રેસ અધિવેશન વખતે કેંગ્રેસના બંધારણમાં “સત્ય-અહિંસા” શબ્દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ લાવવાનું સૂચન કર્યું. પણ તે વખતના સંગેમાં ગાંધીજી પતિ આદર હોવા છતાં, તેમના દ્વારા પ્રસ્તુત “સત્ય-અહિંસાની ભાવનાને જાળવવાની ઈચ્છા હોવા છતાં; એ શબ્દો બંધારણમાં તેઓ લાવી ન શક્યા. ગાંધીજી કે ગ્રેસથી ટા થયા પછી પણ ઘણું આંચકા આવ્યા, અલગ રહ્યા, છતાં છેવટ સુધી તેને સમર્થન આપતા ગયા. વિનોબાજીએ એનાથી જુદે માર્ગ અપનાવ્યો છે. કોંગ્રેસે શાંતિમય બંધારણની રીતે આગળ વધવાની દિશા સ્વીકારી છે. સામ્યવાદી લોકે ગુપ્તતા અને હિંસાને છડેચેક માને છે અને ગ્રેસ પણ એ બન્નેને આશ્રય લેશે તો આગળ નહીં વધી શકે. તે માટે અગુપ્તતા અને અહિંસાનો આશ્રય લેવો જોઈએ. આ બે વસ્તુઓ અને આર્થિક વિષમતા મટાડવા માટે જમીન ઉપરની માલિકી ઘટાડવા માટે ભૂદાન વગેરેના કાર્યક્રમો એમણે ઉપાડ્યા. બ્રહ્મપુરીમાં કોંગ્રેસના મુખ્ય કાર્ય કર્તાઓ આગળ તેમણે પિતાના વિચારો રજૂ કર્યા. કોંગ્રેસે હવે સત્યઅહિંસાને પ્રગટ કરી વિષમતા તેડવી જોઈએ. ઢેબરભાઈએ તે માટે પ્રયત્નો કર્યા. પં. જવાહરલાલજીની સંભાવના રહી, છતાં પણ કોંગ્રેસ એ વસ્તુને ન સ્વીકારી શકી. કોંગ્રેસ એક પક્ષ રૂપે નહીં પણ રાષ્ટ્રના ધન રૂપે છે તે છતાં વિનોબાજીએ બીજા પક્ષોને તેની હરોળમાં મૂકવા કહ્યું કે “કૃપલાણી, અશોક મહેતા, લોહિયા વગેરે વિરોધ પક્ષમાં હોવા જોઈએ, એમની સેવા વિરોધપક્ષમાં જરૂરી છે; વિરોધ પક્ષમાં રહે તે છતાં તેમની સેવા દેશ માટે જરૂરી છે. તેઓ પણ દેશના રત્ન છે.” વિનોબાજીએ આમ કોગ્રેસને બધા પક્ષની બરાબરીમાં મૂકી તે બરાબર ન થયું અને ૫. જવાહરલાલ નેહરૂને પણ તે વાત ન ગમી. ' ત્યાર બાદ બધા કોંગ્રેસ વતી સત્તા લેવા માટે ઝંખવા લાગ્યા. એટલે વિનોબાજીએ સત્તા નિરપેક્ષ રહેવાની વાત કરી. વિનોબાજીએ આ ભૂમિકાએ કોંગ્રેસને એકપક્ષ કહી, સર્વ સેવા સંઘ પક્ષાતીત રહે એ માટે વિનોબાજીએ લોકનીતિની વાત કરી. લોકનીતિ લોક ઘડતર વગર ન થઈ શકે. વિનોબાજીની મુશ્કેલી ત્યાં છે. લોકોને ઘડવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ સંગઠનો નથી, પોતે ઊભાં કરતાંયે નથી અને ઘડવાની પણ જવાબદારી લેતા નથી. એનું કારણ એમની વેદાંત સંતવૃત્તિ છે. તેમણે સત્યઅહિંસાની અને વિષમતા દૂર કરવાની વાત કરી, કાર્યકરોને પણ સત્તાલક્ષી બનવા કરતા સેવાલક્ષી બનવાની વાત કરી. પણ, એથી રાજ્ય સંગઠન (સત્તા)ની શુદ્ધિ કે ઘડતર કરવાના બદલે સર્વોદયી કાર્યકરો કોંગ્રેસની ટીકા કરવા મંડી પડ્યા. એથી બીજા પક્ષો નજીક આવ્યા પણ એકંદરે સર્વોદયી કાર્યકરોને તેમને કડવો અનુભવ થયો અને બધાને ભેળવતાં સર્વ પક્ષોનો ખીચડો કરી નાખ્યો અને લોકોની કોંગ્રેસ પ્રતિ શ્રદ્ધાને ડહેળાવી નાખી. પરિણમે કેટલાક સારા કોંગ્રેસ કાર્યકરે પણ કેગ્રેસમાંથી ખસી ગયા. આ નીતિથી સંસ્થા ઘડાતી નથી કે કાર્યકરે પણ ઘડાતા નથી. સર્વોદયી કાર્યકરોએ ગમે તે કારણે એમ માની લીધું છે કે વિનોબાજી જાતે સંસ્થામાં માનતા નથી. પણ ખરેખર એવી વાત નથી. વિનોબાજી સંસ્થામાં માને છે; પણ સંસ્થાને ઘડવામાં માનતા નથી. આના સંદર્ભમાં તેમણે પરિસ્થિતિ–પરિવર્તનના કાર્ય પ્રસંગે કહ્યું હતું કે “ગુણવાન સંસ્થાઓને રાખવી, દોષ મુકત સંસ્થાઓને છોડવી અને જેમાં ગુણ વધારે અને દોષ ઓછા હોય તેવી સંસ્થાઓને પણ રાખવી અને ઘડવી.” પરિસ્થિતિ પરિવર્તન માટે સંસ્થા જરૂરી છે, પણ, સંસ્થાને ઘડવાનું કામ સમાજનું છે, એમ તેઓ માને છે. જ્યારે વિશ્વ વાત્સલ્ય પરિસ્થિતિ–પરિવર્તન માટે સંસ્થાઓ સ્થાપવાની અને ઘડવાની જવાબદારી પ્રાયોગિક સંધ અને ક્રાંતિ પ્રિય સાધુઓની માને છે. મતલબ એ કે આજના સર્વોદય અને વિશ્વ વાત્સલ્ય વચ્ચે સૈદ્ધાંતિક ફરક બહુજ ઓછો છે. ફરક છે એના પ્રયોગની પ્રક્રિયામાં. એના લીધે ભૂમિદાન કાર્યક્રમોમાં ગૂંચવાડા ઊભા થાય છે અને પ્રાયોગિક સંઘવાળા પણ દૂર રહે છે. બન્ને નજીક આવે એની ભૂમિકા તૈયાર થવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ચર્ચા-વિચારણું ગાંધીજી બાદ સર્વોદય વિચાર પ્રવાહ શ્રી માટલિયાજીએ સર્વોદયના રાજકીય દૃષ્ટિકોણ ઉપર આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ગાંધીજીએ કોંગ્રેસમાં રાજકીયનેતાઓ અને નવલોહિયા યુવાને બંનેને વિનય અને સેવાથી આકણોને કોંગ્રેસનું રૂપાંતર કરી તેને વાહન શી રીતે બનાવી તે વિષે આપણે સવારે વિચારી ગયા હતા. ગાંધીજી પછી સર્વોદયના વિચારને વેગ અને ગતિ આપનાર વ્યક્તિઓમાં મોખરે બે પુરૂષ આવે છે: (૧) ૫. જવાહરલાલ નેહરૂ, (૨) વિનોબા. પં. જવાહરલાલે ૧૯૩૩માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાવીરૂપ દેશના ઉદ્યોગેનું રાષ્ટ્રીયકરણ, દેશના વૈજ્ઞાનિક તંત્રનું ઉદ્યોગીકરણ, અને સમાજવાદની આસપાસમાં રાજ્યની નીતિ ગોઠવવા અંગે વિચાર્યું. પણ ત્યારે ખૂબ ઉહાપોહ થશે. મહાત્માજીએ પણ પંડિતજીની સાથે પત્રવહેવાર કર્યો. તે વખતે વકીલો, વિદ્વાને, મૂડીવાદીઓ વગેરે બધા જ કોંગ્રેસની સાથે હતા. તેમને સ્થાપિત હિતવાળા ગણીને કોંગ્રેસની શકિત ન તેડવી એમ બાપુ વગેરેની સલાહ હતી. પંડિતજીએ તે વખતે ધીરજ રાખી. પણ પાછી સન ૧૮૫૦માં તેમણે એ વાત ફરીથી મૂકી. ત્યારે બાપુ ન હતા. પણ, ચતુરવૃદ્ધિ સરદારે સલાહરૂપે કહ્યું : લોકો ચમકી જશે. પરદેશોમાં પણ વિરોધ થશે. એ લોકોને કહેવાનું થશે કે આ તો સામ્યવાદ તરફ જઈ રહ્યા છે.” એટલે મૂળ સ્વરૂપ એજ રહે પણ એની એજ વાત બીજા શબ્દોમાં કહેવી જોઈએ! એટલે તે વખતે “સહકારી કલ્યાણકારી રાજ્ય ” એ મતલબના શબ્દ મૂકાયા. “આવડી અધિવેશન” વખતે “સમાજવાદી ઢબ” અને પછી ક્રમે ક્રમે “ સમાજવાદી સમાજ રચના” શબ્દો મૂકાયા. અને છેવટે “લોકશાહી સમાજવાદી રચના” શબ્દ આવી પહોંચે. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ પં. જવાહરલાલ નેહરૂએ ૧૯૩૩ થી ૧૯૬૧, આમ અઠ્ઠાવીસ વરસે કેગ્રેસ પાસે આ વાત કબૂલ કરાવી. આ રીતે કોંગ્રેસને તેમણે પિતાનું વાહન સિદ્ધ કરી આપ્યું. શ્રી ઢેબર કોંગ્રેસ પ્રમુખ તરીકે આવ્યા. ત્યારે તેમને લાગ્યું કે સ્થાપિત હિતેની પકડતો છે જ. નગરના લોકો કોંગ્રેસમાં વધારે આવે છે એમ પણ તેમણે જોયું. આથી કોંગ્રેસ નગરપ્રધાન બની છે. હવે જે ગ્રામપ્રધાન બને તો સારું. એ માટે એમણે ગામડાંમાંથી પ્રાથમિક સમિતિ અને લગભગ વીશ હજારની વસતિમાંથી એક મંડળ સમિતિ બને તેમ વિચાર્યું. શહેરમાં પણ એ જ રીતે મંડળ સમિતિઓ આવી. જે કે જે લોકો કોંગ્રેસમાં અડ્ડો જમાવીને બેઠા છે તેવા લોકોએ કોંગ્રેસ બંધારણમાં આવેલા આ પાયાના નવા સુધારાઓ અમલમાં ન આવે તે માટે ભરચક પ્રયત્ન કરી તેને પૂરી સફળતા મળવા દીધી નથી; તે છતાં યે કોંગ્રેસને અને દેશને મળેલી આ એક અભૂતપૂર્વ ભેટ છે. કોંગ્રેસમાં આ રીતે જોતાં પરિવર્તનશીલતાનું ખમીર રહેલું છે. માત્ર એને પૂરેપૂરા દૂરદેશી અને દીર્ધદર્શી નેતાઓ મળવા જોઈએ. પંડિત જવાહરલાલ નેહરૂ પંચવર્ષીય યોજના આપી દેશને પિતાની રીતે ઘડી રહ્યા છે. સત્તાના વિકેન્દ્રીકરણ તરફ લઈ જવા પંચાયતીરાજ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. અલબત્ત, જ્યાં લગી ગામડાંમાંથી નીચેથી ઘડાઈને જનશક્તિ ઉપર નહીં આવે ત્યાં લગી ઉપરથી આવેલું પંચાયતી રાજ કાં તો સત્તાની મૂળ ચાવી પિતાના ગજવામાં રાખીને એટલે કે–રાજ્યના આશ્રિત રહીને આવશે. એનાથી સાચો અર્થ સરશે નહીં. અથવા, ગામડાને કુલ સત્તા આપવામાં આવે તો પણ, તેમાં દાંડ, માથાભારે કે અનિચ્છનીય તો જ ઉપર આવી જશે. એટલે કે ધરમૂળથી નવી અને શુદ્ધ નેતાગીરી ઊભી કરવાની નીચેથી જ જરૂરી છે એ વાત દબાઈ જશે. હવે સંત વિનોબા તરફ આવીએ. સંત વિનોબાજીને હું ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ () ગ ણીને મહતમ સન્યાસ લગી કાંતિકારી સમજું છું ત્યાં સુધી તેઓ કેગ્રેસને માને છે અને તેને અંજલિ આપે છે. (૧) બ્રહ્મપુરી-ઓરિસ્સા, (૨) અસિકરી મસૂર, (૩) ગૂજરાત. આમ ત્રણ વખતે તેમણે કોંગ્રેસનું ગાંધી પરિવારનું મહત્વનું અંગ ગણીને મહત્વભરી અંજલિ આપી છે નમ્રતાથી આપી છે. પણ તેઓ મૂળે એ જાતની “એકાંત સન્યાસ”ની વૃત્તિવાળા છે કે તેઓ આંચકા આપીને પલટો કરાવી ન શકે. સર્વાગી કાંતિકારે તે વિશ્વભરમાં અનેક સ્થળે આંચકાઓ મારવા પડશે. તે જ તે લોકક્રાંતિ કરાવી શકશે. આપણે જોયું કે કોંગ્રેસમાં, ગાંધીજીના મહાપ્રભાવે કોમવાદી માનસવાળા સાવરકર વગેરે, વિનીત સ્વભાવવાળા શ્રીનિવાસન, સપુ, જયકર વગેરે, રશિયા તરફ ઊડે ઊંડે કુણું વલણ રાખનારા ભરતસિંહ વગેરે એની મેળે ખસી ગયા. આજે કોંગ્રેસને બાપુજીના ગયા બાદ ૫. નેહરૂની નેતાગીરી તે ઘણું જ ઉમદા મળી છે પણ જેવું સ્વભાવ દુ:ખ વિનેબાનું છે તેવું જ દુઃખ પં. નેહરૂનું છે. તેઓ જુથ રચવાની વૃત્તિવાળા નથી. આનું પરિણામ એ આવ્યું કે સાચું જય બળવાન ન હેવાના કારણે, કેંગ્રેસ સાંકડીવૃત્તિવાળાં જુથને અખાડે તે જાણે લાગે છે, પણ તે જ રીતે ગુણ વિકાસની ગતિ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય સાથેનું સામુદાયિક બળ રહેવું જોઈતું હોય, તે સ્વરૂપ દિવસે દિવસે સરી જતું હોય તેમ લાગે છે. અહિંસા, વિશ્વ વાત્સલ્ય કે સર્વોદયને અનુરૂપ તે સંસ્થા રહી નથી. એને ઘાટ આ દિશામાં બદલ જોઈએ, એમ જરૂર ગાંધીજીના સાચા ઉતરાધિકારીઓને લાગવું જોઈએ અને વિનેબાજીને પણ લાગ્યું છે. તેમણે એ અંગે વાત કરી પણ તેમ ન થતાં આવેશમાં આવી તેમણે ગુસ્સામાં એમ પણ કહી નાખ્યું: “ગ્રેસ ખતમ થવી જોઈએ.” પણ પાછળથી એમાં સંશોધન કર્યું કે કેગ્રેસનું સત્તાલક્ષી સ્વરૂપ ખતમ થવું જોઈએ. એ મારા કહેવાનું તાત્પર્યું હતું. આમ થવાનું કારણ શું હતું તે તપાસીએ. પૂરીમાં ભૂમિહીનો ગણોતિયાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ નામ પહાણું પત્રકમાં ન હોય અને ભૂમિસંપન્ન (જમીનદાર) કેન્ના છોડાવે તો તેમણે નહીં છોડવા, અવું કાનૂનભંગને પ્રેરનારું વલણ લીધેલું. જે કે ભાલનળકાંઠા પ્રયોગના અનુભવે મહારાજ શ્રી પૂ. સંતબાલજીએ સર્વ સેવાસંઘના મંત્રીનું ધ્યાન ખેંચ્યા પછી, એ વાતમાં તરત ફેરફાર થઈ ગયો. પણ આ વલણ સામ્યવાદીઓને અનુકૂળ થયું. વિનોબાજીની ૨ ભાગ જમીનને અને છેવટે 8 ભાગ દરેક ગ્રેસી પોતાની જમીનમાંથી આપે તે વાત પણ કેંગ્રેસજનોએ સ્વીકારી નહીં. ભૂમિહીનેના અન્યાય સામે થનારા, કાર્યકરોને કાનૂન ભંગના કારણે કે તેવી પ્રવૃત્તિની ગંધના કારણે પકડી લીધા. આ બધાથી પણ વિનેબાજીનું મન આળું બની ગયું અને કોગ્રેસને પણ તેઓ બીજા પક્ષની જેમ સત્તાલક્ષી પક્ષ માનવા લાગ્યા. ખરી રીતે, તેમણે આ કાર્યમાં વિવેક રાખવો જોઈતું હતું. તેઓ એમ તે કહે છે કે કેગ્રેસ બીજા પક્ષે કરતાં ઘણું સારી છે. પણ કોંગ્રેસ સાથે રચનાત્મક કાર્યકરોને સંબંધ રહે, એમાં તેમને ભીતિ લાગે છે કે કેસની સત્તા લાલચમ, આપણી પાસેના થોડા ઘણું પણ જે નિસ્પૃહી કાર્યકરે છે તે પણ તણાઈ જશે. વિનોબાજી સૌરાષ્ટ્રમાં આવેલા ત્યારે મેં પૂછેલું. તેના જવાબમાં તેમણે સાફ કહેલું : સંતબાલજીને તે બાપુજીને સ્પર્શ થયો છે તેમને ગુજરાત કોંગ્રેસ જેવી અખિલ ભારતીય કોંગ્રેસ લાગે છે. તેથી તેમણે કોંગ્રેસનું પૂછડું અનુબંધ વિચારધારામાં લગાડયું છે. સંતબાલજીની વાત, પ્રયોગ અને કાર્ય શુદ્ધ સર્વોદયના છે. પણ, મને લાગે છે કે કોંગ્રેસને ઘડવાનું વિચારીશું તે આપણું મોટાભાગની બધી શક્તિ તે કામમાં ખર્ચાઈ જશે, (અને ધાર્યું પરિણામ નહીં આવે.) એટલે જે કંઈ શક્તિ છે તે માત્ર લેકશકિતને ઘડવામાં વપરાવી જોઈએ.” પણ, આમાં વિનોબાજીના ધ્યાન બહાર જે વાત રહી જાય છે તે એ છે કે લોકશક્તિના ઘડતર સાથે જે રાજ્યશક્તિને પ્રજાના અંકુશમાં - લાવવાની અને રાજ્યને શુદ્ધ કરવાની વાત નહીં જોડવામાં આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭. પૂરું પ્રજા-ઘડતર થશે નહીં; તેમજ અશુદ્ધ પડી રહેલી કે બની જતી રાજ્યશક્તિ પ્રજાની તથા નૈતિકતાની શક્તિ ઉપર ચડી બેસશે. આમ થશે તે થોડી વિભૂતિઓ ચાહે ગમે તેટલી મહાન હોય, તે યે આજના જગતપ્રવાહમાં તેમનાથી કોઈ અસરકારક કે નકકર કામ બની શકશે નહીં. આ વાત ધીરે ધીરે વિનોબાજીને સમજાતી જતી હોય અથવા કુદરતના દબાણને લીધે થતું હોય તેમ લાગે છે. વિશ્વવાત્સલ્યની અનુબંધ વિચારધારા જે મૂળ વાતો કહે છે તે માર્ગે સર્વોદયી કાર્યકરોને આવવું પડતું હોય અને તેનું સ્વરૂપ બદલાતું જતું હોય તેમ લાગે છે. વિનોબાજીને ચેલવાલમાં મળેલી દેશની સર્વપક્ષીય પરિષદ ઉપરથી કંઈક આશા બંધાયેલી કે નક્કર પરિણામ આવશે. એમણે રાષ્ટ્રિય એકતા માટે રાષ્ટ્રીય એકતા પરિષદનું નામ સૂચવ્યું હતું. રાષ્ટ્રવિકાસનાં કાર્યો, સમગ્ર દેશનાં છે, માટે એવી બાબતમાં જુદાઈ ન હેવી જોઈએ. તે અંગે પ્રાંત, ભાષા, કોમ વગેરેના ઝઘડા ન લેવા જોઈએ. મતભેદ ભલે હેય પણું મન ભેદો ન હોવા જોઈએ. આ માટે તેમણે શ્રી ઢેબર અને શ્રી પ્રકાશને નીમ્યા. ત્યારે શ્રી મેરારજીભાઈ જેવા અગ્રણી નેતાઓને આ વિચાર સ્વીકાર કરવામાં થોભ થત હત; કારણ કે મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્રની લડતમાં સર્વોદયી કાર્યકરે જે રીતે વર્યા હતા; ગોળીબારને જે દ્ર તેમણે વિરોધ કર્યો હતો અને સર્વોદયી કાર્યક્રમોમાં પક્ષના શંભુ મેળાને જે રીતે મેદાન મળ્યું હતું તે બધું જોઈને લાગી આવે એ સ્વાભાવિક હતું ગુજરાતમાં વિનોબાજી આવ્યા ત્યારે શ્રી નારાયણ દેસાઈ વગેરેએ જે વહેવાર કર્યો અને ઢેબર, જશુ મહેતા વગેરે બધાને બીજા પક્ષના માણસો જેવા ગણીને તેમણે જે રીતે વર્તન ચલાવ્યું તે ઉપરથી લાગ્યું કે આ છોકરડો છે અને સંત વિનેબાજી આવી છોકરબાજી ચલાવી લે છે. એટલે શ્રી ઢેબરને પણ મુશ્કેલી લાગી કારણ કે આવા અપરિપકવ બળ સાથે પાનાં પાડવાં બરાબર નથી. ટુંકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ વિનોબાજીએ મૂકેલો વિચાર સારો હતો પણ તે વખતનાં તેમના સાથીઓ અને અમુક વિરોધી વલણનાં કારણે સ્વીકારી ન શકાય. પણ પછી, તેનું મૂલ્યાંકન થયું અને એટલા માટે જ તે વિચાર આજે રાષ્ટ્રીય એકીકરણ સમિતિના રૂપમાં હસ્તીમાં આવી રહ્યો છે. વિચારે સુધી તો કંઈ જ વિચારવાનું નથી પણ સવાલ વિનેબાજીના સ્વભાવને આવે છે અને તેમને મળેલા સાથીઓને પણ આવે છે. કેરળમાં તેઓ નબુદ્રિપાદને અહિંસા તરફ વાળશે એમ માની કેલપાનના ઉપવાસ અંગે એક શબ્દ પણ ઉચ્ચારી શક્યા નહીં. દિભાષી વિષે તેમને અભિપ્રાય પહેલાં તરફદારીને આવ્યો પણ વિરોધ થતાં એમાં પણ ફેરફાર થવા લાગ્યો. “મહાગુજરાતવાદીઓના તોફાન વખતે સરકારની ગેળી કરતાં તેફાનીઓની પથરાબાજી વધારે હિંસાવાળી હતી, એટલે કે પ્રજાને ઉશ્કેરીને થયેલી પથરાબાજી કરતાં, ; પ્રજાની ચુંટાયેલ સરકારને ગોળીબાર અહિંસાની વધુ નજીક હતો.” એવો તેમને અભિપ્રાય ઘણું મોડે પડ્યો અને તે તાત્ત્વિક જ રહ્યો. બીજી બાજુ સર્વોદય મંડળ એ કોઈ પ્રભાવ ન બતાવી શક્યું. ઉપરાંત પોતાનું ગજું નાનું અને એકતાને નામે બધા પક્ષોને ભેગા કરાયા તેથી આછકલાપણું વધારે જણાયું. આ તરફ કોંગ્રેસમાં સ્થાપિત હિતેને અો, જૂથબાજી, અધિકારીઓનાં લાંચ રૂશ્વત તેમજ ભ્રષ્ટાચાર વગેરેના દાખલા આવતા ગયા તેમ તેમ શ્રી ઢેબર બહુ વ્યથિત થયા પણ તપાસ કરવાની વાત કોંગ્રેસ સ્વીકારી ન શકી. આમ વિચાર અથડામણ થઈ. બીજી બાજુ ભૂમિહીનેને ભૂમિ કંઈક મળે, ખેતી સાથે સામાન્ય યની સમતુલા થાય; આવા વિચારે ઉટાકામમાં વિચાર પરિષદ છે, પણ તેમણે જોયું કે કોંગ્રેસને પ્રવાહ એ વળાંકે વળે તેમ નથી. એટલે ઉપરાઉપરી બે વાર પિતે (શ્રી ઢેબર) પ્રમુખ બન્યા બાદ એ કામ ઈન્દિરા ગાંધીને સેંપી, પ્રમુખપદેથી તેઓ છૂટા થયા. કોંગ્રેસના આવા રૂપાંતરમાં કોંગ્રેસ પ્રમુખની ખુદની તાકાત પણ ઓછી પડી. એવી જ રીતે : - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ વિનોબાજીની પણ કોંગ્રેસના રૂપાંતરની ઈચ્છા પાર પડી નથી. આ બધું બહુ બહુ સૂચક છે. - વિનેબાજ પરિવર્તનની ચાર પ્રક્રિયાઓ બતાવે છે : (૧) હૃદય પરિવર્તન (૨) વિચાર પરિવર્તન (૩) નૈતિક પરિવર્તન અને (૪) પરિસ્થિતિ પરિવર્તન. વળી આગળ ઉપર તેઓ કહે છે કે – (૧) કેટલીક સંસ્થા ગુણયુકત હોય છે. (૨) કેટલીક સંસ્થા દેષયુકત હોય છે. (૩) કેટલીક સંસ્થા ગુણ-દેયુકત હોય છે. જે સંસ્થાઓમાં ગુણ વધારે અને દેવ ઓછા હોય છે તેવી સંસ્થાને તોડી ન શકાય. ગુણને ટેકો અપાય અને દેષને દુર કરાય. માત્ર દેષયુકત સંસ્થાને જ તોડાય. હવે એ દષ્ટિએ વિશ્વ વાત્સલ્યનો શું કાર્યક્રમ છે, તે જોઈએ. અનુબંધ વિચારધારા પ્રમાણે કોંગ્રેસને બીજા પક્ષે કરતાં વધારે ગુણયુકત માનીને તેના દેષો દુર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એના અનુસંધાને, તે નિષ્પક્ષ લોકશાહીમાં કેંગ્રેસ સિવાયના પક્ષની પ્રતિષ્ઠા તોડી, ગ્રામસંગઠનેને આર્થિક-સામાજીક ક્ષેત્રે સેંપવામાં આવે અને લોકસેવક સંગઠનોને શિક્ષણ-સંસ્કૃતિનાં ક્ષેત્રે સોંપવામાં માને છે એટલું જ નહીં, તે રાજકીયક્ષેત્રને પણ ઘડવામાં માને છે. અલબત દવાદારૂ કે અનાજ પાણી આપવામાં એટલે કે રાહતના કામમાં પક્ષભેદ કરવામાં માનતું નથી. પણ જયાં પ્રતિષ્ઠા આપવાને સવાલ છે ત્યાં તે કોંગ્રેસને જ ટેકે આપશે અને તેના દો દૂર કરવા માટે બધી પ્રક્રિયાઓ કરશે. દા. ત. ગણોતધારાને પ્રશ્ન, નગર પંચાયતના અને મડળ સમિતિઓના ઠરાવને કેંગ્રેસે ન ગણકાર્યા અથવા તે કોંગ્રેસ; સરકારને સાચે માર્ગે દોરવા શક્તિમાન ન રહી ત્યારે; બાપુએ કહ્યું તેમ તેણે ઉપવાસની પ્રક્રિયા કરી.. | બાપુ કહે છે: ઉપવાસની શકિત (૧) પ્રેમીને કામ કરતા કરે છે અને (૨) વિરોધીના કામને જગાડે છે. અનુબંધ વિચારધારા આજના યુગ સંદર્ભને જોઈ ઉપવાસની શક્તિને વ્યકિતગત નહીં પણ સમાજગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ વાપરે છે; સુષુપ્ત લોકમતને જગાડે છે. કાનૂન સંશોધન માટે પણ તે શક્તિને વાપરે છે. જ્યાં વ્યકિતગત જરૂર પડે ત્યાં ક્રાંતિપ્રિય સાધુઓ પોતાની શક્તિને વાપરે છે. કેરલની કોમવાદી સંસ્થા સાથેની બાંધ છેડમાં તથા, દિબાકી તોડવાની કેગ્રેસની ઢચુપચુ નીતિમાં મુનિ શ્રી સંતબાલજીના સત્તર ઉપવાસ થયા. તેમાં એ બે બાબતો પણ અવાંતર જ હતી. એજ રીતે સાંસ્કૃતિક બાબતમાં ભાષા પ્રશ્નમાં કોંગ્રેસ ઢીલી પડી ત્યારે ગુજરાતના પ્રાયોગિક સાથે શુદ્ધિ પ્રયોગ કર્યો હતો. એકવાર કોંગ્રેસની સામાન્ય ચૂંટણું ચાલતી હતી. ગ્રામ સંગઠનને તરછોડવા અને અવગણવામાં એક કેંગ્રેસી આગેવાન અને તેની આસપાસનાં માણસો કામ કરતાં દેખાયાં. તે વખતે એક તરફ ગ્રામસંગઠને અને પ્રાયોગિક સંધ વગેરે કેડ બાંધીને કેંગ્રેસને મદદ કરી રહ્યાં હતાં, ત્યારે પણ શ્રી સંતબાલજીએ ચૌદ ઉપવાસ કર્યા હતા. ટુમાં કેટલીકવાર એવું લાગે છે કે વિનોબાજી સૂત્રરૂપે બોલે છે તે તેનું ભાષ્ય કે આચાર સંહિતા, રાષ્ટ્ર અને વિશ્વના મોરચે શ્રી સંતબાલજીને ભાલનળકાંઠો પ્રયોગ આચરી રહ્યો છે. એટલે વિશ્વ વાત્સલ્ય વિચારધારાની વધુ નજીકનું બળ સર્વોદય લાગે છે. અપરિગ્રહ, ચિંતન અને સેવાલક્ષીપણુ એ ત્રણે ગુણોની દષ્ટિએ પણ નજીક છે. પૂ. મહારાજ શ્રી અને નેમિમુનિ તો એજ કહે છે કે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ પછી અનુબંધ વિચારધારા પ્રમાણે એનેજ-રચનાત્મક કાર્યકરોની સંસ્થાને નંબર આવે છે. આ બધું હોવા છતાં ખરી અગત્ય તે પરસ્પર નજીક આવીને આખી વાત સમજવામાં છે. ઉપવાસોમાં જોખમ તો છે જ; જેમ હમણું માસ્તર તારાસિંગના ઉપવાસે ખેટાં મૂલ્યોની દિશા લીધી હતી. તે છતાય, કાનૂનભંગ, દંગલ, અસંતોષ વગેરે કરતાં શુદ્ધ નૈતિક સામાજિક દબાણનો માર્ગ ઊંચો જ છે. સમાજને અહિંસાની દિશામાં લઈ જનારે છે. એટલે સંતબાલજી વહેવારૂ નીતિ ઉપર ભાર મૂકે છે. વિનોબાજી જેમ ભકિત ઉપર ભાર આપે છે તેમ સંતબાલજી કર્મવેગ ઉપર ભાર મૂકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ગાંધીજીના સંદર્ભમાં જૈન પરંપરાને તેઓ ગ્ય ભાર મૂકે છે એટલે તે વિચાર સ્વીકારાતે જાય છે.” પરિવ્રાજકની દોરવણું અને લેકનીતિનું પ્રત્યક્ષ ઘડતર શ્રી કુલજીભાઈને ત્યારબાદ વિનંતિ કરવામાં આવી કે તેઓ પણ કંઈક બેલે. શ્રી ફૂલજીભાઈ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના સભાસદ છે. અને ભાલનળકાંઠા ખેડૂતમંડળના માજી પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે – મારા નમ્ર મતે સંતબાલજી સમાજની શક્તિને સાત્વિક રીતે એકાગ્ર કરીને તેને સાચી દિશા આપવાનું કાર્ય કરે છે. અમારા ગુંદીકેંદ્રમાં પૂ. વિનોબા પધારે તે પહેલાં હું હળવદમાં મળેલો અને ત્યારબાદ ગુંદી આવતાં પહેલાં બળેલમાં અમે બધા ફરી મળેલા અને પ્રવાસમાં હું તેમની સાથે જ હતું. મને એમના વિચારે અને સંતબાલજીના વિચારે વચ્ચે મેળ બેસે તેવું તે વખતે ન લાગ્યું. કારણ કે વિનેબાજી તો દેશ અને દુનિયામાં રાજ્ય ન જોઈએ તેવી વાત કરે છે. ત્યારે સંતબાલજી રાજ્ય ન જોઈએ એમ કહેતા જ નથી. રાજ્યને નંબર પ્રજા પછી જોઈએ અને પ્રજાને નંબર સાધુઓ, પ્રજાસેવકો પછી જોઈએ. ટુંકમાં રાજ્ય ગૌણ બને તેમ કહે છે પણ જોઈતું નથી, એમ કહેતા નથી. મેં વિનેજીને પૂછયું; “અમૂક સ્થળે લાગલાનેટ એકસે અઢાર ગામમાં ગ્રામદાન થયું એમ કહેવાય છે. માની લઈએ કે ૧૧૮ ગામે પિતાને બધો વહીવટ કરે છે. તેમને વહીવટ કરવા એક મુખ્ય પ્રતિનિધિ તે જોઈશને? માને કે તેમને વિનેબાજી અને રવિશંકર મહારાજ બને પસંદ છે, તે આને નિર્ણય સર્વાનુમતે ન થયે તે ત્યાં શું કરવું?” વિનોબાજીએ કહ્યું: “ત્યાં પરિવ્રાજકો દરવણ આપશે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ મને થયું કે પરિવ્રાજક ઉપર લોક-શ્રદ્ધા કેટલી? આજના પરિવ્રાજકો જે ભેમા બેસી શકતા નથી, જેમને દ્રષ્ટિકોણ, આત્મા સાથે વિશ્વસેવાના સમન્વયનો પણ નથી, ત્યાં આ બધું માત્ર એની મેળે વિચારથી જ થઈ જશે એમ માનવું એને નરી કલ્પના સિવાય શું કહી શકાય ? એટલે સાફ કહ્યું: “રામાયણ યુગથી જે નથી બન્યું, તે હકીકત આપણે નકારી નહીં શકીએ. તે પછી એ માર્ગે સમાજઘડતરની વાત સ્વીકાર્યા સિવાય રાજ્ય ન જોઈએ એને શું અર્થ ?” અલબત વિનોબાજીમાં જ્ઞાન છે, તક છે, ત્યાગ છે, બાપુજીના સત્સંગની અસર છે, પણ મારા નમ્ર મતે સમગ્ર દૃષ્ટિ અને એ મુજબને વહેવાર જે રીતે બાપુ ગોઠવતા તે અનુભવ હજુ બાકી છે. ગુંદીનાં કાર્યો અને કાર્યકરો તેમજ જનતાને જોઈને તેઓ પ્રભાવિત થયેલા જણાયા. એટલે આપણે આશા રાખીએ કે સર્વોદય જ્યારે વહેવારૂ રૂપ પકડશે ત્યારે ભાલનળકાંઠા પ્રયોગનું કાર્ય તેના માટે માર્ગદર્શક બની રહેશે. મારા નમ્ર મતે આજે લોકનીતિની વાત કરવા કરતાં લોકનીતિનું પ્રત્યક્ષ ઘડતર કરવું સર્વ પ્રથમ જરૂરી છે. એ લોકનીતિ એવી ઘડાવી જોઈએ જેની છાપ અને પ્રભાવ લોક ઉપર પડે. આ કામ જોઈએ તે વિનેબાજી કરે કે જોઈએ તે સંતબાલજી કરે. અમારે એ અગે કશો વાંધે કે વિરોધ નથી. નામ ગમે તે હોય પણ કામ જોઈએ. કામ વિનાની વાતો અંતરની શ્રદ્ધા જમાવી શકશે નહીં. સંતબાલજીએ પ્રત્યક્ષ વહેવારમાં અમને અમારા દ્વારા કરી બતાવ્યું છે એટલે અમને તેમના પ્રતિ શ્રદ્ધા જામી છે. અમને રાજનીતિમાં નબળાઈઓ સ્પષ્ટ દેખાય છે. દા. ત. કેરલમાં જોડાણ થયું; દ્વિભાષી પ્રયોગ તોડી નંખાયો, જેની પાસે ત્રીસ વર્ષ પહેલાં કંઈ ન હતું. તેની પાસે વ્યાસી (૮૩) લાખ રૂપિયા નીકળ્યા. આ બધી બાબતે અમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ અકળાવે છે ખરી, પણ હતાશ બનાવતી નથી. કારણકે કેગ્રેસને અમે સમાજનું અનિવાર્ય અંગ માનીને, જનસંગઠનનું રાજકીય માહત્વ આપીને અમે ચાલીએ છીએ. તેથી શુદ્ધ રામસંગઠનનાં માણસે તેમાં એકલી એકબાજુથી એને સંગીન-મજબૂત કરીએ છીએ તે બીજી બાજુ પ્રાયગિક સંધ અને ક્રાંતિપ્રિય સાધુવર્ગ દ્વારા આંચકા આપી તેને શુદ્ધ બનાવી આગળ ધકેલીએ છીએ. કારણકે એકલી રાજ્ય સંસ્થા પાસે દંડશક્તિ અને કાનન સિવાય ખાસ કશો દમ ન હોય તે સ્વાભાવિક છે. સદભાગે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોંગ્રેસે આ દેશની સક્રિય તટસ્થ નીતિની સુદર છાપ પડી છે. હવે પંડિતજીના બદલે આખીયે કેમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતી થાય તે માટે બાલનળકાંઠા પ્રયોગ કેગ્રેસ પાસેથી આર્થિક, સામાજિક, શિક્ષણવિષયક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને બજે જનતા અને જનસેવકો ઉપર નાખવા માગે છે. જો આ રીતે રાજ્ય-શુદ્ધિના સંદર્ભમાં સંસ્થાઓ દ્વારા લોકનીતિ ઘડાશે તેજ સુંદર કાર્ય થશે. એટલે હવેનું કામ વ્યક્તિનું નથી, સંસ્થાઓનું છે અને તે પણ ઘડાયેલી શુદ્ધ સંસ્થાઓના અનુસંધાનમાં રહી સૌએ પાર પાડવાનું છે. શ્રી દંડી સ્વામી : “ ફૂલજીભાઈએ અબુભાઈની જેમ આ શિબિરમાં આવી પિતાના અનુભવે આ અનુબંધ ઘારાના વિચારે પચાવીને જે છાપ પાડી છે તે નવી ચેતના અર્પે છે. સંઘર્ષોને સાથી તે લેનેતા - શ્રી દેવજીભાઈઃ “પાયાના એક ગ્રામ્યજન તરીકે ફૂલજીભાઈની છાપ એ દષ્ટિએ અંબુભાઈ કરતાં યે આપણું ઉપર વધારે પ્રભાવ પાડે છે. બીજું આપણે જ્યારે વિનોબાજીના અને સંતબાલજીનાં કાર્યો વિષે વિચાર કરી છીએ ત્યારે મને કૃષ્ણ અને વિદુર યાદ આવી જાય છે. આ ઉપમા કેવળ લાગુ કરવા માટે નહીં, પણ સમજવા માટે મૂકી શકાય, શ્રી કૃષ્ણ તે યુગના બધા પ્રશ્નો સાથે ચાલીને બધા પ્રશ્નોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ ઉકેલ રચનાત્મક રીતે બતાવે છે ત્યારે વિદુરજ તત્ત્વની રીતે જ બધા પ્રશ્નો છણે છે, પણ ઉકેલનું કામ કરતા નથી. એથી જ અનેક જોખમ અને વાવટોળ વચ્ચે જે જનતાની સાથે રહે છે તે યુગપુરૂષ આપોઆપ બની જાય છે. બીજા પુરૂષ, તત્વચિંતક કે ભક્ત કટિના શિરોમણું રહે છે, તેમાં અને ખાસ કરીને ભક્તોમાં કોમળતા કરૂણ વ. નમ્ર ગુણ હોય છે પણ વાવટોળ વચ્ચે દઢતા. અહિંસા, પ્રતિકાર વગેરે બીજ પાસાનાં ગુણે સાવ નહીંવત હોય છે. આને અર્થ એ નથી કે વ્યક્તિગત રેગ્યતામાં ભક્તો કે તત્વચિંતકો ઓછાં અદકાં હોય છે. સંભવ છે કે વિદુર ભકિતની રીતે કૃષ્ણ કરતાં આપણને વધુ પ્રેરણાદાયક બને; પણ જ્યારે સમાજ અને સમષ્ટિના અનુસંધાને આ બધી વાતો લઈએ છીએ ત્યારે સર્વાગી દૃષ્ટિએ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીરને લેવા પડે છે. તેમ આ યુગે ગાંધીજીના સંદર્ભમાં આ બધું જોતાં અનુબંધ વિચારધારા અને ભાલ નળકાંઠા પ્રયોગને લેવો પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ [૧૭] કલ્યાણરાજ્ય અને તેની પૂર્વ ભૂમિકા [૧૩-૧૧-૬૧] શ્રી દુલેરાય માટલિયા રાજ્ય દ્વારા લોકોનું કલ્યાણ થાય એને કલ્યાણ રાજ્ય કહેવામાં આવે છે. આ અંગે અગાઉ ચર્ચા વિચારણામાં થોડેક વિચાર કરવામાં આવ્યો છે. આજે કલ્યાણરાજ્યની પૂર્વ ભૂમિકા ઉપર વિચાર કરવાને છે. આપણે ત્યાં ભારતમાં રાજ્યને એક પ્રકાર રહ્યો છે. વર્ષોથી રાજ્ય અંગે એક પ્રકારની ક૯૫ના-સુખાકારીની કલ્પના બંધાએલી છે. તેમાં રાજ્યની ફરજોમાં, (૧). દુષ્ટોને દંડ આપવો, દમન કરવા અને સજજનેને આગળ વધારવા અગર તે સત્કારવા (૨) ગાય (પશુઓ), બ્રાહ્મણે (જ્ઞાનીઓ) અગર તો ચારે વર્ણોની રક્ષા કરવી (૩) લોકહિત માટે કામ કરવું–વ.ને સમાવેશ થાય છે. જે રાજ્યમાં સજનને આદર, દુર્જનને દંડ, જ્ઞાની, ગાય તેમ જ દરેક ધંધાવાળાના હિતનું રક્ષણ થાય, ગરીબોને ન્યાય મળે–તે રાજ્ય સારું રાજય કહેવાતું. એવા રાજ્યની એક ક૯૫ના શ્રી રામચંદ્રના રાજ્યથી પણ પ્રચલિત છે અને રામરાજ્ય એટલે સુખી રાજ્ય એવી લગભગ ધારણા છે. કલ્યાણ રાજ્યને મેળ આ રામરાજ્ય સાથે ઘણે અંશે મળતા આવે છે. ભારતમાં રાજાઓના ઉપદેશમાં આ વાત આવે છે. ભારતના સામાજિક ઈતિહાસમાં, આવું રાજ્ય ક્યાં હતું, કોણ કરતું તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ઉલ્લેખ પ્રશંસાપૂર્વક કરાય છે. યુરોપમાં પણ થોડા ઘણે અંશે આજ વસ્તુ રાજ્ય માટે સ્વીકારાઈ છે. ત્યાં પણ રક્ષણ કરે તે રાજ્ય કહેવાતું. રાજ્યનું મુખ્ય અને પ્રથમ કામ લેકરક્ષા કરવાનું હતું, અને રાજ્યની આવશ્યકતા પણ એ અર્થોમાં સ્વીકારવામાં આવી હતી. જેમ બે-પાંચ મોહલાવાળાએ ઘરની રક્ષા કરવા માટે ગુરખાઓને રાખે છે, ગામવાળાઓ ચોકીદારને રાખે છે અને સાધન-સંપન્ન માણસ પોતાની સંપત્તિ અને જાનમાલનું રક્ષણ કરાવે છે તેમ આ દેશ કે પ્રદેશની રક્ષા માટે કોઈ એક માણસ કે બધા માણસો મળીને ન કરી શકતા, તેમણે એક એવા શકિતશાળી મોટા માણસને રક્ષા માટે નીમ્યો અને તેને કહ્યું: “તમે અમારા જાનમાલની રક્ષા કરે! અમે તમને અમુક સગવડે, કરવેરા વગેરે આપશું, સન્માન આપશું. તમારી વાતોને આદર કરશું.” આમ રક્ષા કરવા માટે રાજ નામની વ્યક્તિ આવી અને તેણે પ્રજાના જાનમાલની હિતરક્ષા માટે જે વ્યવસ્થા બેસાડી તે રાજ્ય કહેવાયું. એક માણસે બીજાની કાંસકી લઈ લીધી, ત્યારે બીજાને એમ લાગે કે આજે એણે કાંસકી લઈ લીધી, કાલે સારી વસ્તુ લેવાનું મન પણ થઈ જાય. માટે એને બંદોબસ્ત કરવો જોઈએ. માણસના દેહની ઈચ્છાઓ સંતોષાય, અમૂક ઇચ્છાની પૂર્તિમાં બીજે માણસ અંતરાય ઊભો ન કરે, બીજો માણસ ઝડપી લેશે તો હું ભોગવી શકીશ નહીં માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. આમ પોતાની કામના જાળવવી અને કામના તે જ જળવાય-જે બીજે માણસ એને ઝૂટવે નહીં, આમાંથી કામ–પુરૂષાર્થને પિષવામાંથી રાજ્ય નામની સંસ્થાની જરૂર પડી. તેને અંકુશ પ્રજાએ સ્વીકાર્યો અને રાજ્ય ઉપર અમૂક માણસ ની જે એના માટે યોગ્ય હોય. તેને લોકોએ કહ્યું : તમે જે કંઇ નિયમો કરશે તેને અમે પાળશું. તમે હુકમ કરશે એ પ્રમાણે ચાલશું. તમે અમારું રક્ષણ કરો !” આમ રાજ્યની પહેલી ફરજ રક્ષણની આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ ૮ - હવે એક બીજી વાત આવી. બે માણસો વચ્ચે તકરાર થાય. અને બન્ને કહેતા હોય કે “આ મકાનને અધિકાર માને છે!” અને બને માલિક થવા માંગતા હોય તથા એમ થાય કે એકબીજા ઉપર આક્રમણ કરશે ત્યારે ત્યાં રક્ષણનો પ્રશ્ન રહેતો નથી. એ સવાલ ઊભે થાય છે ન્યાયને. ત્યાં ક્યા માણસની પડખે ન્યાય છે? કોણ અન્યાયી છે? કયા ભાણસે દુર્બળ ઉપર આક્રમણ કર્યું છે? કેના ન્યાયની રક્ષા કરવી ? આ બધા પ્રશ્નો ઊભા થતાં ન્યાય આવ્યા, ન્યાય કરવા માટે ન્યાયાધીશ, કાજી વગેરે આવ્યા. ન્યાયાલય થયા અને ન્યાયવિધા-વિશારદે (વકીલો) ઊભા કરવામાં આવ્યા. આમ રાજ્યનું પહેલું કામ રક્ષણ અને બીજુ કામ ન્યાયનું થયું. પણ, ગુનેગારને જે ન્યાય અપાય-ચુકાદ અપાવે. તેને તે ન ભાને અગર તો ન પાળે તો ? એની પણ વ્યવસ્થા થવી જોઈએ. અગાઉ વિશ્વ રાષ્ટ્રની “લીગ ઓફ નેશન્સ” નામક સંસ્થા હતી પણ તેને ચુકાદ કઈ માનતું નહીં. એટલે “યૂન "ની સ્થાપના કરવાની ફરજ પડી અને તેને ક્રિયાત્મક સત્તાઓ આપવામાં આવી. એટલે ન્યાય ને બળપૂર્વક પણ બનાવી શકે, ન્યાયનું ઉલ્લંઘન કેઈ ન કરી શકે તે માટે પોલિસ રાખવાની છૂટ આપવામાં આવી અને સાથોસાથ કાયદા કાનૂન પણ બનાવવામાં આવ્યા. જેથી કોઈ પણ ન્યાયાધીશ કે બીજા (વકીલો) પક્ષપાત ન કરી શકે. આમ કાયદા-કાનૂન અને પોલિસ બંદોબસ્ત આવ્યાં. રાજ્યદ્વારા રક્ષણ, ન્યાન, કાયદા-કાનૂન અને પિલિસ બંદોબસ્ત આ બધા માટે મોટું ખર્ચ થાય, તે કયાંથી કાઢવું? એ પ્રશ્નના ઉકેલ માટે રેવેન્યુ (મહેસુલ) ખાતું ઊભું થયું. ન્યાય, રક્ષણ અને કાયદે રાજ્ય જાળવે તેના બદલે પ્રજા રાજ્યને કરવેરા રૂપે મહેસુલ ભરે અને રાજ્ય તે કાર્યો ચલાવે. કરવેરાના પણ જુદા જુદા ધોરણે નકકી કરવામાં આવ્યા કે દરેક વીઘા દીઠ, દરેક મકાન દીઠ, દરેક વ્યક્તિ દીઠ આટઆટલા કરવેરા આપવા. આમ રાજ્યનાં ચાર કામે નકકી થયાં – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ (૧) રક્ષણ (૨) ન્યાય (૩) પિલિસ બંદોબસ્ત અને વ્યવસ્થાતંત્ર (૪) તેમનું ખર્ચ ચલાવવા માટે મહેસુલ ખાતુ. આ ચારે કામ એક બીજા સાથે સંકળાયેલાં છે. રાજ્ય એટલે રક્ષણ. રક્ષણ એટલે ન્યાય, ન્યાય એટલે પિલિસ સુરક્ષા અને વ્યવસ્થાતંત્ર અને એ તંત્રનું સંચાલન એટલે મહેસુલની ઉઘરાણી. રામરાજ્ય અને ત્યાર બાદ અમુક રાજાઓનું રાજ્ય એ આદર્શ પ્રણાલિકાને જાળવી રાખવા સમર્થ બન્યું પણ પછી, પિતાના પ્રજાની સુખાકારીના નામે બીજી પ્રજાઓને હરાવવી, તેમના રાજ્યને હડપી લેવુ એને એક ઈતિહાસ છે. ભારતમાં પણ ક્રમે ક્રમે વિજેતા રાજ્યોના વંશજો રાજ્ય કરતા રહ્યા અને તેમની એ મને વૃત્તિ રહી કે હારેલી પ્રજાને કચડીને રાખવી. આ મનોવૃત્તિનાં દર્શન આપણને છેલ્લાં ૨૦૦ વર્ષમાં ભારતના ઈતિહાસમાં ઠેર ઠેર એટલે હદ સુધી જોવા મળે છે કે આવું એકતંત્રીય કડક રાજ્ય હતું. તે જાણતાં કંઈક થઈ જાય છે. આજ સુધી જે એકતંત્રીય કે એક રાજશાહી રાજ્ય હતું ત્યાં રાજ્ય કર્મચારીઓને શું શીખવવામાં આવતું ? ન્યાયમાં કડક રહેવું. ન્યાયમાં કડકાઈ રાખવા માટે પોલિસતંત્ર અને જેલખાના ગોઠવવામાં આવ્યા. પોલિસને એજ કહેવામાં આવ્યું કે “ખૂબ કડક રહેવું; નહીં તે પ્રજા ઉછાંછળી થઈ જશે. કડક રહેશે તે તમારી ધાકથી પ્રજા ગુને નહીં કરે અગર તો ગુને કરતાં થથરશે.” રાજ્યના અમલદારો વગેરેને કહેવામાં આવ્યું કે “કડકાઈથી મહેસુલ વસુલ કરે, દુનિયામાં કડકાઈથી જ રાજ્ય ચાલી શકે. રાજ્ય નબળું હોય તો પ્રજા એને ઉથલાવી પાડે.” આઈ. સી. એસ. ડીગ્રી મેળવનારને કડકાઈના નિયમ જ સમજાવવામાં આવતા, ભણાવવામાં આવતા કે તમારે માણસ સામે જોવાનું નથી. માણસ કોણ છે? કે છે? એ સામું જોશો તે ન્યાય આપી શકશે નહીં. માટે તમારે તે કાયદાનાં પુસ્તકો સામે જોવાનું છે. કાયદે ગધેડે છે. એની લાત જેના ઉપર પડી જાય તે પડી જાય. એ જેતે નથી કે સામો માણસ કેવી પરિસ્થિતિમાં છે ? તમારે તે અકકલ જ ચલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ વવાની છે. છેલ્લાં સે વર્ષમાં હિન્દુસ્તાનમાં આવું જ થયું છે. આજ સુધીનું રાજતંત્ર જોતાં એ જ ધોરણે ચાલ્યું છે, એમ લાગ્યા વગર રહેશે નહીં. આ રીતે પાશ્ચાત્ય દેશોની છે. પાશ્ચાત્ય દેશમાં રાજય એટલે તાકાત, ધાક, બળ વાપરવું-એ વગર રાજ્ય ચાલી શકતું નથી એમ માનવામાં આવે છે. યુરોપના રાજાઓના હાથમાં અભિષેક વખતે સોનાને કે ચાંદીને દંડ આપવામાં આવે તે પણ એનું પ્રતીક છે. યુરોપમાં રાજ્યની આવી વ્યાખ્યાએ સરમુખત્યારશાહી આવી. પછી તે હિટલરી સરમુખત્યારશાહી હેય અગર તે સામ્યવાદી સરમુખત્યારશાહી હેય ! તેને એક જ અર્થ કે બીજા ઉપર ધાક બેસાડવા માટે લશ્કર રાખવું જેથી પ્રજા થરથરે અને નમી જાય. પણ આ તાકાતનો ઉપયોગ ક્યાં કરે? એનો વિચાર થતાં એમ લાગે છે કે દુનિયામાં નબળા અને સબળા બે પ્રકારનાં માણસો હોય છે. બુદ્ધિ અને શરીર બનેથી નબળા હોય તેમને નબળા ગણવા જોઈએ. આ લોકે દુનિયામાં રહેવા લાયક નથી. દુનિયામાં તો સબળા અને શ્રેષ્ઠ માણસે રહેવા જોઈએ, નબળાને દૂર થવું જોઈએ. લશ્કરમાં નબળા હોય તેને ખતમ થવું જોઈએ. વંશમાં નબળા હેય તેને ઓપરેશન કરી ખતમ કરવા જોઈએ. આવી વ્યાખ્યા રાજ્યની તાકાત વાપરવા માટે યુરોપના દેશમાં ચાલુ થઈ. પરિણામે બીજુ વિશ્વયુદ્ધ થયું અને યહુદી કોમનું નિકંદન તેમજ સામ્યવાદી દેશમાં તેમના વલણને અનુરૂપ નહીં એવા લોકેનું નિકંદન મોટા પાયા ઉપર થયું. એની એક બીજી અસર લોકો ઉપર થઈ અને એક બીજી વ્યાખ્યા એ આવી કે સૌમાં સરખી શક્તિ પડેલી છે. રાજ્ય પિતાની શક્તિને ઉપયોગ નબળા માટે કરે, તેથી રાજ્યને પણ લાભ છે. સબળા છે તેમને નેતાગીરી મળશે અને નબળા પણ સબળા બની રાજ્યના હિતમાં કંઈક કરી શકશે. એમાંથી મજૂર-સત્તાવાદી સરમુખત્યાર શાહી ઊભી થઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ એથીયે જુદી એક બીજી વ્યાખ્યા કરવામાં આવી. તે એકે નબળા અને સબળા સૌને વિકાસની સમાન તક મળે. સૌનું કલ્યાણ થઈ શકે, ભલું થઈ શકે, સર્વપ્રજાનું કલ્યાણ થઈ શકે, એવી નવી વ્યાખ્યા કલ્યાણ રાજ્યના નામે કરવામાં આવી. Welfare State-કલ્યાણ રાજ્ય એટલે કે રાજ્ય પાસે જે પોલિસ, વહીવટી તંત્ર, લશ્કર વગેરે છે; પ્રજાના ન્યાય, સંરક્ષણ, આરોગ્ય માટેની શકિત છે તેને ઉપયોગ સમગ્ર પ્રજાના કલ્યાણ માટે થવો જોઈએ. ભારતે પણ સ્વતંત્ર થતાં પ્રારંભમાં કલ્યાણ રાજ્યની દૃષ્ટિ રાખી. જે ભારતે કલ્યાણ કરવું હોય તો ભારતના ન્યાય, રક્ષણ અને વ્યવસ્થા માટે, રાજ્ય પોલિસ, લશ્કર, વહીવટ તંત્ર, આરોગ્ય ખાતું, શિક્ષણ ખાતું વગેરે સંભાળવાં જોઈએ; એમ પશ્ચિમના ધરણે સ્વીકાર્યું. કલ્યાણું રાજ્યના કાયદા કેવા પ્રકારે ઘડાય ? કે, લોકો કલ્યાણ કેવી રીતે કરે ? પિતાનું વ્યક્તિત્વ શી રીતે સાચવે? પ્રજાનું ઘડતર કેવી રીતે થાય ? અને કલ્યાણકારી રાજ્ય પોતાના ધ્યેયને શી રીતે પહોંચી શકે એ વિચારવાનું રહે છે. સ્વરાજ્ય બાદ અગ્રેજી શાસનની ઘણી રીતો આમ સ્વતંત્ર . પ્રજાતંત્રીય શાસને કલ્યાણરાજને સિદ્ધાંત સ્વીકારી બદલી નાખી છે. પણ કર્મચારીઓ હજુ જૂની ઢબ અને ઘરેડમાંજ રાચે છે. અમલદારને રૂવાબ, ધાકધમકી, કેજદારોની સખતાઈ હજુ પણ અંગ્રેજી રાજ્ય જેવી ચાલે છે. એટલે કે લોક-કલ્યાણકારી અંશ દેખાવાના બદલે હજુ અમલદાર શાહી, લાગવગશાહી, લાંચરૂશ્વત, જે હુકમી, ચાલે છે. માટે નામ જરૂર બદલાયું છે પણ કામમાં ફેર પડ્યો નથી. હવે એ વિચારવાનું રહે છે કે આ કલ્યાણ રાજ્યના કાર્યક્રમ ક્યા છે? એમાં કયાં કયાં કેવી રીતે પલટો લાવે જોઈએ જેથી પ્રધાન, કર્મચારીઓ અને પ્રજા ત્રણેનું ઘડતર થઈ શકે, ત્રણેમાં પલટે આવે એ અંગે હવે વિચારીએ. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ કલ્યાણરાજ્ય પહેલાં અને પછીનું વિશ્વ આ અગાઉ કલ્યાણરાજ્ય પહેલાં દેશ-પરદેશની સ્થિતિ ઉપર વિચાર થઈ ગયું છે. તેને જરા વિસ્તારથી જોઈએ. સામ્યવાદીઓએ યુરોપમાં એ કલ્પના આપી કે લોકોને રોટલો, મકાન, મજૂરી અને બીજી સુખસગવડોની બાહેધરી આપીએ પણ બદલામાં લોકોએ મજૂરની સરકાર પસંદ કરવી; અને બધાએ તેને ટેકો આપ. આમ નક્કી થયું. એ અગાઉને રશિયાને ઇતિહાસ જોઈશું તે જણાઈ આવશે કે ત્યાં મૂળ અમર્યાદિત સ્વતંત્રતા હતી. તેને લીધે અતિ શ્રીમંતાઈ ગરીબાઈ, અસમાનતા વગેરે હતાં. બાળકો અને સ્ત્રીઓ પાસેથી વધુ કામ લેવાતું તેને લીધે ત્રાસ હતો. આથી પ્રજાને મોટો ભાગ ત્રાસી ગયો અને તેમણે તે વખતની ઝારશાહી સરકારને ઉથલાવી નાખી. ત્યારબાદ મજૂર રાજ્ય આવતાં અને રાજદ્વારા કલ્યાણના કામે થતાં, શરૂ શરૂમાં સહુને બહુ ગમ્યું. આટલા કલાક કામ, નિશ્ચિત પગાર, શિક્ષણ અને દવાની સગવડ, રોટલાનું પાપ દૂર, વૃદ્ધાવસ્થા માટે સગવડ, દુષ્કાળ પડે કે અશક્ત થાય ત્યારે સગવડ, આ બધું લેકોએ સ્વીકારી લીધું. રશિયાના સામ્યવાદે પછી કેવું વલણ લીધું? લોખંડી પડદા પાછળ એ દેશ કહેવાય અને આજે યુદ્ધના આરે ઊભેલી બે પ્રચંડ શક્તિમાંનું એક તે બની ગયું છે એને ઈતિહાસ સ્પષ્ટ છે. આમ થવાનું કારણ એક તો એ છે કે સામ્યવાદને મૂડીવાદી દેશે દ્વારા કચડાઈ જવાને અને ફરી પાછું ત્રાસદાયક રાજ્ય શરૂ થવાને સતત ભય છે. ભારતની સ્થિતિ : - હવે ભારત અંગે વિચાર કરીએ. ભારતે પણ કલ્યાણકારી રાજ્યને સ્વીકાર્યું પણ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્વીકાર્યું. મજૂરોના હિતના કાયદા, ઠેર ઠેર દવાખાના, ઉઘોગીકરણ, પાણીની સગવડ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ બેકારે ઘટે એ માટે પંચવર્ષીય યોજનાઓ–આમ ગણવા બેસીએ તે ઘણો ફેરફાર, દેશમાં સેંધપાત્ર છે અને કોંગ્રેસ કલ્યાણ રાજ્યની દિશામાં જઈ રહી છે એમ લાગે છે. જ્યારે એ તરફ ભગીરથ પુરુષાર્થ ભારતે કોંગ્રેસ દ્વારા આદર્યો ત્યારે જ આટલા બધા વખતની ગરીબી, નિર્વાસિતોને પ્રશ્ન અને ત્રીજી બાજુ પાકિસ્તાન, ચીન, ગોવા વગેરે પ્રશ્નોમાં યુદ્ધ માટે તૈયાર રહેવાની, તૈયાર રાખવી–આ બધા કારણોસર તેમ જ જૂની અમલદારશાહી અને શાસનતંત્રની બદીઓના કારણે, ધાર્યું હતું તે અપેક્ષાએ પરિણામ નથી દેખાતું. એના કારણે હતાશ થઈને યોગ્ય અને અયોગ્ય ટીકા થયા કરે છે. એક વસ્તુ યાદ રાખવાની કે જે તંત્ર આપણને મળ્યું છે તે સરકારી કર્મચારીઓનું તંત્ર કલ્યાણકારી નહોતું. ન્યાયાધીશે માત્ર આગલી કોર્ટીના ચુકાદાઓ ભણી જોયા કરે છે. તેઓ પુસ્તકોમાંથી બહાર નીકળી શકતા નથી. ખુદ સરકારી પ્રોસીક્યુટરો પણ સરકારી કેસને ઢીલો બનાવી દે છે. એવી જ રીતે રેવેન્યુ અને પિલિસ પણ બરાબર નહીં; એટલે કે ત્રણે ખાતાં બરાબર નથી. મીરજાફર, મીરકાસમ અને અમીચંદ જેવા માણસે આ દેશમાં દ્રોહી તરીકે નીકળ્યાં. કંપની સરકાર વખતે કલાઈવના જમાનામાં કે રાણી સરકાર વખતે સીવિલિયને રાખવાન–પિતાને અનુકૂળ જનને રાખવાની પ્રથા ચાલી. રાજા અને પ્રજા બન્નેય નજરાણાં આપવા લાગી ગયેલાં. રાજસ્થાનના રાજાઓ, સરકારના પ્રતિનિધિને ખુશ રાખવા ભેટ સોગાદ આપતા. આમાંથી ધીરે ધીરે લાંચ આપવાની અને લાંચના નામે ભેટ લેવાની “ડાલી”-પ્રથા શરૂ થઈ. ધીમે ધીમે એ રીતસરની લાંચ રૂશ્વતમાં બદલાઈ ગઈ. આમ જોવા જઈએ તે બ્રિટીશ શાસન એક કુશળતંત્ર હતું. અને એ દૃષ્ટિએ પ્રજાને કુશળ તંત્ર મળ્યું પણ તે લાંચિયું તંત્ર હતું અને સાથે સાથે તે પ્રજા પ્રતિ બેદરકારી તંત્ર હતું. તેથી પ્રજામાં હોંશ ન પ્રગટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સામ્યવાદ કરતાં સમાજવાદ સારે સામ્યવાદી રાજ્ય કરતાં સમાજવાદી રાજ્ય સારું ગણાય. કારણ કે તેમાં બળદને જે નીરે તે ખાય તેવું સરમુખત્યારશાહી તત્વ હતું નથી. સમાજવાદી રાજ્યમાં લોક પ્રતિનિધિઓ જાય છે. દા. ત. ડેન્માર્ક, સ્વીડન વગેરે નાનાં રાજ્ય છે છતાં ત્યાં સમાજવાદી રાજ્ય છેભારતમાં હજુ તે આવ્યું નથી. કદાચ પંડિતજીની એવી ઈચ્છા ખરી! પણ સમાજવાદી રાજ્યમાં ત્રણ વર્ષના બાળકથી લઈને કોલેજનું શિક્ષણ અપાય. તે અંગે બધું રાજ્ય જ વિચારવાનું હોય છે. શું ભણાવવું, શું ને ભણાવવું ? એ બધી વાતથી દવાની ચિકિત્સા સુધી બધું રાજ્ય કરવાનું હોય છે. કોઈને તાવ આવ્યો કે રાજ્યની કાર હાજર, દદીને હોસ્પિટલમાં લઈ જાય. પગમાં વાગે તો પણ રાજ્યની કાર હાજર ! પ્રથમ સમાજવાદની આ સારી વસ્તુઓ ભારતના યુવાનોએ જઈને જોઈ અને તેઓ ખૂબ આકર્ષાયા. વળી પાછા તેઓ પંદર વર્ષે ગયા તે ચિત્ર બદલાયેલું હતું. ગામમાં કોઈ લૂલું, લંગડું થાય તો કઈ તેની પાસે ફરકે જ નહીં. આમ કેમ થયું ? તેને ઉત્તર એ જ છે કે બધુ રાયે કરવાનું હતું એટલે સમાજ દિવસે દિવસે બેજવાબદાર બનવા લાગે. ઘરડાં મા-બાપને પિતાનાં બાળકોને જોવાનું મન થાય પણ તે બધાંને ફોટામાં જ જવાનાં! જે પરસ્પરાવલંબી સમાજ હતો તે માત્ર રાજ્યાધીન બની ગયો. સમાજ જેના ઉપર ટકી શકે છે, એ ગુણ ઓછાં થઈ ગયાં. ઉદારતા, સહાનુભૂતિ, સંવેદના, કરૂણા, એ બધા ગુણોને લાવવાની તાકાત રાજ્યમાં થોડી છે ! ભારતમાં ૫. જવાહરલાલ નેહરૂ જેવા મહાન રાજ્યનેતા છે તે છતાં જોઈ શકાય છે કે રાજ્ય કેટલું કરી શકે છે? સૈારાષ્ટ્રને એક આ જાત અનુભવ છે. તે વખતે વડાપ્રધાન શ્રી ઢેબર હતા. દુષ્કાળનાં અનેક કામો ચાલ્યાં કામ રાજ્યનું છે ને ? એમાં શું વાંધે? પરિણામે વ્યવસ્થાપકને પણ એમાંથી પાંચ પૈસા લઈ લેવાનું મન થાય ! ઘણું ફરિયાદ કરી, ત્યારે કલેકટર જેવા એક કર્મચારીએ પણ એક બાજુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ બોલાવીને શિખામણ આપવા લાગ્યા: “આટલું મોટું કામ થાય તે તેમાં આટલો બગાડ થાય જ ને? તેમ ગાંધીવાદી લોકો કંઈક વહેવારૂ થતા જાઓ !” આમ થવાનું કારણ એટલું જ કે “રાજ્યમાં આમ તે થયા જ કરે ! ” એ ભાવના જડ થઈ ગઈ છે. જે એજ કામ મહાજનનું હોય તો કોઈને રખે ખબર પડી જાય !” એ રીતે લોકો ડરીને માંડ પોતાની જરૂરતનું લે. કારણકે “ધર્માદાનું ન ખવાય” એવી સામાન્ય માન્યતા હોય છે. મહાજનની ઉદારતા એવી હોય છે કે જે માણસ લે તે અપ્રતિષ્ઠિત ન થાય એની કાળજી રાખે? એટલે સમાજનાં જન સંગઠને કામ કરે ત્યાં પ્રજા ઘડતર થાય છે; પણ રાજ્યદ્વારા પ્રજાનું ઘડતર થતું નથી. વિધવાત્સલ્યને દષ્ટિકોણ એટલે જ વિશ્વ વાત્સલ્યની અનુબંધ વિચારધારા કહે છે કે “સમાજની મૂળભૂત શક્તિ વધે તે રીતે રામે માત્ર મદદરૂપ થવું જોઈએ. માનવમાં પડેલી સવૃત્તિઓનો અને સ્વતંત્રતાઓને વિકાસ થવું જોઈએ” આ માટે વિશ્વ વાત્સલ્ય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે જન-(ગ્રામ) સંગઠનને જુદા તારવી, એ કામ રાજ્યથી અળગું ગોઠવવામાં માને છે. આમાં કશું નવું નથી. રાજ્ય તો આવા ઘટકોમાંથી ઘડાયેલા પ્રતિનિધિઓ નીચેથી આવે તેમના કહ્યામાં રહેવાનું છે. આ રીતે નીચેથી આયોજન થશે. તે નક્કર અને પાયાનું આયોજન હશે. આ ભાગે ઓછી મૂડીવાળાઓ અને મધ્યમવર્ગના માણસે ગામડાં તરફ વળશે. તે પ્રદેશવાર નીતિ નક્કી કરશે રાજ્યને કહેશે : “અહીં અમુક વર્ષો સુધી મિલ્કત વેરામાંથી અથવા અમૂક બાબતોમાંથી મુક્તિ આપે.” રાજ્ય પણ તેમનું જ કહ્યું કરશે. પણ આ બધું કરે કોણ? એટલેજ મહારાજ શ્રી સંતબાલજી કહે છે કે “પુનર્રચના રૂપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ નાનાં નાનાં ઘટકો બનાવો. તેઓજ પિતાની આર્થિક, સામાજિક અને તેજ રીતે શિક્ષણ-સંસ્કૃતિ અંગેની નીતિ ઘડશે. જેવા જેવા પ્રદેશો તેવી તેવી નીતિ બનાવાશે.” અનુબંધ વિચારધારા પ્રમાણે નાનામાં નાનું ઘટક પાંચ લાખનું એકમ હશે. એટલે કેમવાદી, મૂડીવાદી કે રાષ્ટ્ર વિધાતી તો તેમાં આવી શકશે નહીં. એથી રાષ્ટ્રીય એકતા સારી પેઠે જળવાશે. આજે તાલુક વાર ઘટકો છે; સ્વતંત્ર મામલતદાર છે, - પણ ઠેઠ ગ્રામપંચાયત લગીનું આખું માળખું તપાસવા જતાં તે કઠપૂતળાંની માફક ઉપરના જ હાથા રૂ૫ છે. એથી એ વિકેદ્રીકરણ ૫ણું અંતે તે પરાધીન જ છે; અને યંત્ર માફક શાસન હોય બોજારૂપે બની જાય છે. સર્વોદય અને તેથી પણ એક ડગલું આગળ વધેલું વિધવાત્સલ્ય (અનુબંધ વિચારધારા), વિનોબાજીના શબ્દોમાં કહીએ તે એક પારિવારિક ભાવના–ભાવનાત્મક એકતા રચે છે; વિશ્વ વાત્સલ્ય ફેલાવે છે. એથી જ રાજ્યને ગૌણ બનાવી, નૈતિક પાયા પરનાં જનસંગઠનેને વિશ્વવાત્સલ્યમાં મહત્વ આપવામાં આવેલ છે. પ્રશ્ન એ છે કે આવા સંગઠન કરશે કોણ? સાધુચરિત સાધકસાધિકાઓ (લોકસેવક-સેવિકાઓ) અને એમનાં પણ માર્ગદર્શક એવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ મળીને આ બધું કરશે ! રાજ્ય તે ત્યારબાદ કેવળ આંતરરાષ્ટ્રીય બાબતોને જ વધારે વિચારશે અને મોટી મોટી રીતે કામ કરશે. બાકી આખા દેશને આંતરિક વહીવટ આવાં સંગઠનના હાથમાં હશે. આજે નાભિ ભલે સતેના હાથમાં હોય (એટલે કે ધર્મ સંસ્કૃતિ હાથમાં હોય) પણું ગળું તે રાજ્યના હાથમાં આવી પડયું છે. તેથી નાભિને-સતેને અવાજ ભલે ગમે તેટલો મોટો હોય પણ ગળાં-રાજ્ય આગળ તે રૂંધાઈ જાય છે. આમાં સદ્ભાગ્યે કોંગ્રેસ એક એવું રાજકીય બળ છે કે ગાંધી જેવા મહાન સદ્ગત રાષ્ટ્રપિતાને લીધે આ દિશામાં સાચાં વિકેન્દ્રીકરણ તરફ જઈ શકે તેમ છે. પણ તેમ થતું નથી કારણકે ખુદ કેગ્રેસમાં જે પક્ષ આજે સત્તા ઉપર છે; તે પક્ષના માણસો; જાતે કોંગ્રેસી હેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તાં, ઘણું જ રૂપે આ પાયાની વાતને રૂંધવાનો પ્રયાસ કરે છે. એથી લોકોને અસતેજ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. લોકો જુએ છે કે આ અમારી પાસે મત મેળવવા માટે જ કાંઈકેય સેવા કરે છે. પેલે ઉમેદવાર પણ જનતા આગળ જઈને સાફ સાફ કહે છે: “મેં આટઆટલી સેવાઓ આપી છે માટે મને મત આપ !” આ સેવાના મૂલ્યની કરૂણતા છે. ટુંકમાં સેવાનું મૂલ્ય સ્વતંત્ર રહેતું નથી. સેવા સત્તા સાથે જોડાઈ જાય છે અને સત્તા માટે સેવા બની જાય છે. પરિણામે કલ્યાણ રાજ્યની બધી પ્રવૃત્તિઓ કોંગ્રેસીઓના હાથતળે કે અસરતળેના માણસો દ્વારા ગોઠવવાની ખેતી ખેંચતાણ ઉપજે છે. આ વૃત્તિના કારણે મૂડીવાળાઓ કેવળ વધુ નફો, વધુ વ્યાજ કે વધુ વેપાર ક્યાં મળે તે જ જોવા માંડે છે. મૂડી કે સત્તા લોકો માટે છે–સેવા માટે છે એ ખ્યાલ પેદા કરવા માટે વિશ્વવાત્સલ્ય નિર્દિષ્ટ અનુબંધ વિચારધારા રાજ્ય અને પક્ષથી અલગ રહી કાર્ય કરે છે. તેને આધાર નૈતિક-ધામિક પરિબળ છે. એ પરિબળમાં ઘણું જ મોટી તાકાત રહેલી છે. આ સહજ સરકારે આ દેશમાં હજારો લોકોમાં પડેલા છે. પીપળાને પાણી પાવું, કીડિયારાં પૂરવાં, પક્ષીઓને ચણ નાખવી, પૂજાપાઠ કરવી, કુતરાને રોટલો નાખવો, ગાયને રોટલી નાખવી વગેરે આ બધું સહજ બની ગયું છે. આને સત્તા કે સંપત્તિ સાથે કોઈ સંબંધ નથી. તેવી જ રીતે સત્તા અને સંપત્તિને સેવા સાથે કોઈ સંબંધ નથી. જે આવું બને તો રૂપ પકડવાનું કામ સહેલું બને. જે આ બધાને બોજ છેલ્લે બ્રહ્મચારી એવી સાધુ સંસ્થા સંભાળે તે ઉત્તમ. ભકતો આપણે ત્રણેના વિશ્વાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્યના સમન્વયની હદે પહોંચ્યા નથી. પહોંચીએ તે ઉત્તમ, સર્વોત્તમ કાર્ય થઈ જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ચર્ચા-વિચારણું તત્વજ્ઞાનથી માનવતા શ્રી દેવજીભાઈ: “રાજ્ય હાથ લંબાવી રહ્યું છે; સમાજને ભાડે લઈ રહ્યું છે. આ વાતથી આજના વિદ્વાન ગણાતા સાધુ-સાધ્વીઓ પણ અજાણ હોય છે એવું મને લાગે છે. હું માટુંગામાં એક મુનિછના પ્રવચનમાં ગયેલો. તેમણે પોતાના પ્રવચનમાં ન્યાયસંપન્ન આજીવિકા ઉપર ભાર મૂકયો હતો. મને એ ગમ્યું. પણ મેં જ્યારે એમને પૂછયું : “આવો આચાર કઈ રીતે સમાજમાં ધડે ” ત્યારે તેઓ જવાબ ન આપી શક્યા. અલબત્ત સાધુ સાધ્વીઓ પ્રત્યે મને પૂરૂં માન છે. મને વિશ્વાસ છે કે તેઓ ક્રાંતિ કરી શકે છે પણ તેમની આસપાસનું વર્તળ “જી હજુરીયાઓ”નું અથવા રૂઢિચુસ્તનું છે. એ વાડામાંથી તેઓ બહાર આવી શકતા નથી. સમાજ પોતે તે પરાધીન છે. મુનિવરોમાં એક પરિવર્તન જેવા ભળે છે અને તે આશાજનક છે કે કોરી તવજ્ઞાનની વાત ઉપરથી તેઓ માનવતા ઉપર આવ્યા છે તે જગતના પ્રવાહને ખ્યાલ આવતાં, અને નૈતિક હિમ્મત આવતાં જરૂર કાર્ય થશે. રાજ્ય પાસેથી બીજી જવાબદારીઓ દૂર કરાવવી જ રહી શ્રી પૂજાભાઈ : “સ્વરાજ્ય બાદ શરૂઆતમાં સેવકોથી અમલદારે ડરતા હતા પણ તેઓ સેવકોની નબળાઈઓ જોઈ ગયા અને પછી આ બધું ચાલ્યું. જ્યારે અમલદારો સાથે રાજકીય સંસ્થાના માણસો કોયડા ગૂંથવા અને ઉકેલવામાં પડી જાય છે ત્યારે તે ભારે ગ્લાનિ થાય છે. કેટલાક આ કોયડાથી અલગ રહ્યા છે ખરા, પણ એમને આનંદ થવાના બદલે એરતો તે થાય છે : “બીજા આગળ ગયા અને અમો રહી ગયા !” એટલે કલ્યાણકારી રાજે, પિતાની અને પિતાના પક્ષની પાસે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ શક્તિઓ અને કાર્યો સાચવી રાખ્યાં છે, તે છોડવા પડશે. રાજ્ય જાતે ન છોડે તો તેની પાસેથી તે બધું છોડાવવું પડશે. આ માટે આપણું નજર, ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ તરફ જાય છે. જો કે તેમાં પણ આજના વિશાળ જગતમાં અનુબંધ વિચારધારાની રીતે પાયાથી કામ કરવું અશક્ય થઈ પડશે. પરંતુ બાપુએ જે થોડા દેશસેવકો અને રચનાત્મક કાર્યકરે આપ્યા છે તે સૌએ ભેગા મળીને જેમ બાપુ વખતે આહુતિઓ આપેલી, તેમ આપી, કલ્યાણરાજ્ય, સર્વોદય અને વિશ્વ વાત્સલ્યને સમન્વય સાધવો પડશે. આ જ અનુબંધ વિચારધારાનું મૂળ રહસ્ય છે. સર્વોદય અને વિશ્વ વાત્સલ્યના સાધકોએ રાજ્ય પાસેથી સ્વેચ્છાએ કે સ્વેચ્છા વગર પણ આર્થિક, સામાજિક શિક્ષણ-સંસ્કૃતિના કાર્યક્રમો લઈ લેવા પડશે. તોજ રાજ્ય બાકીનું બરાબર સંભાળી શકશે.” શ્રી સુંદરલાલ : “જેમ બાળકની પાસેથી રમકડું આપીને જ ચપુ લઈ શકાય છે તેમ કલ્યાણરાજ્યને આંતરરાષ્ટ્રિય કાર્યક્રમ આપીને જ તેની પાસેથી રાજકીય સિવાયના બધા કાર્યક્રમ લઈ શકશે.”: શ્રી દેવજીભાઈ એટલા માટે તે આપણે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ અને સર્વાગી રચનાત્મક કાર્યકરોના સંયુક્ત પ્રયાસ ઉપર મીટ માંડીએ છીએ. આજે આવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓને સમાજે સર્વપ્રથમ જગાડવાં પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ [૧૮] વિશ્વ વાત્સલ્ય વિચારની વિશેષ જવાબદારી –શ્રી દુલેરાય માટલિયા [ ર૦-૧૧-૬૧] અત્યાર સુધી મુખ્યત્વે વિશ્વાત્સલ્યની અને તેના અનુસંધાનમાં સર્વોદય અને કલ્યાણરાય અંગે વિશદ્ છણાવટ થઈ ચૂકી છે. આજે તો સર્વોદય કલ્યાણરાજ્ય અને વિશ્વ વાત્સલ્ય એ ત્રણેના કાર્યકરો નોખા ખા સંપ્રદાયના થઈ જતા હેઈ, એમની વચ્ચે એકતા ન થતી હોય એ આભાસ થાય છે. રચનાત્મક કાર્યોને સર્વોદયવાળા અમૂક દષ્ટિએ વિચારતા હોય છે ! ત્યારે કલ્યાણરાજ્યવાળા રાજ્યની દષ્ટિએ વિચારતા હેય છે. વિશ્વ વાત્સલ્યવાળા એ બંનેને સાંકળવાન-ભેગા ગોઠવવાને પ્રયત્ન કરે છે. સાથે કેમ ભળવું ? ભેગા કેમ થવું? એ આજને અગત્યને પ્રશ્ન બની ગયો છે. એને અર્થ એ નથી કે ત્રણે વિચારો આથડીને ઓછાં થઈ જાય. પણ, ત્રણેને ગોઠવનાર કોઈ બળ હોવું જોઈએ. ભૂતકાળમાં આવું બળ ગાંધીજી હતા. ગાંધી-વિચાર જ એ ત્રણેયનું કેન્દ્ર બન્યું છે. ગાંધી વિચારને ઝીલનાર ત્રણ બળો છે : (૧) જવાહરલાલ નેહરુ (૨) વિનોબાજી (૩) તેમ જ અન્ય સંસ્થાઓ. વિશ્વશાંતિ માટે સતત પુરૂષાર્થ કરનાર પં. નેહરૂ છે અને તેમને સમર્થન આપનાર આ દેશમાં કેંગ્રેસ છે. કોંગ્રેસે જવાહરલાલજીના બધા જ વિચારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ સ્વીકારી અને અપનાવી લીધા છે, એમ નથી. કેટલાક તેમને શિરસ્ત પાળે છે, કેટલાક વિરોધી છે. કેટલાક સમર્થક છે. પંડિતજી કોંગ્રેસ દ્વારા વિશ્વશાંતિ માટે નિઃશસ્ત્રીકરણની વાત વિશ્વમાં મૂકવા માગે છે. એ ગાંધીવિચારનું એક બળ છે. ગાંધી વિચારનું બીજુ બળ છે વિનોબાજી. ગાંધીજીએ તેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા હતા. રચનાત્મક કાર્યકરે તથા સંસ્થાઓ એમને અનુસરે છે. તેઓ બધાની આગળ પિતાની વાત મૂકે છે અને બધી જ બાબતોમાં રચનાત્મક કાર્યકરે તેમને માને છે એવું નથી. પણ, એટલું ખરું કે એમની વાતને જ—એમના અભિપ્રાયને આધારભૂત માનીને તેઓ ચાલે છે. એમણે ગાંધીજીના અવસાન પછી, લગભગ બધી જ રચનાત્મક સંસ્થાઓની સંકલ્પના કરી સર્વ સેવાસંધ સ્થાપે. સર્વસેવાસંધ ગાંધીજીના વિચારોને ઝીલનારૂં બળ છે. ચરખાસંઘે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાં સમાઈ જવું જોઈએ એવો વિનોબાજીને અભિપ્રાય સ્વીકારાય અને ચરખાસંઘ તથા ખાદી ગ્રામોદ્યોગ બર્ડ એક બની ગયાં. ગાંધીજી પછી રાજકીય ક્ષેત્રે તેમના વારસદાર તરીકે પંડિત જવાહરલાલ નેહરૂને ગણી શકાય તે * આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે તે સ્થાન વિનોબાજીનું છે, એ સ્વીકારાયેલું સત્ય છે. અંબર ચરખાની શોધ થઈ ત્યારે વિનેબાજીને પૂછવામાં આવ્યું કે અંબર ચરખાને સ્વીકાર કે નહીં ? ત્યારે એમણે કહ્યું : “અબર તે અવતાર છે એને અવગણે ચાલશે નહીં !” એટલે ચરખાસંઘે અંબર ચરખાને સ્વીકાર્યો અને તેણે કાંતણની દિશામાં માનવની આર્થિક સ્થિતિને સુધારો કર્યો. એટલું જ નહીં પાકિસ્તાન જેવાએ પણ તેને અપનાવ્યું છે. અ. ભા. ખાદી ગ્રામોદ્યોગ બેડે એમાં અવનવી શોધ કરી. નઈ તાલીમ અને નવું સ્વરૂપ શું આપવું તે માટે આશાદેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ આર્યનાયકમ વિનેબાજી સાથે રહ્યા. વિચાર-વિનિમય કર્યા બાદ વિને બાજીએ કહ્યું: “અત્યારે “નઈ તાલીમ”નાં વિદ્યાલયને બંધ કરી ભૂદાનના કામમાં લાગી જવું જોઈએ.” એ વિદ્યાલય બંધ કરાવ્યું, તે ઠીક હતું કે અઠીક, એ વિષે હજુ મતભેદ છે. એ વિદ્યાલય બંધ નહોતું થવું જોઈતું એ (આપણે) વિનમ્ર મત છે. એ તાલીમ દેશના ઘડતર માટે હતી અને સ્વરાજ્ય પછી એને તરત જ અપનાવવામાં આવી હોત તો આજે રાષ્ટ્રનું ઘડતર કંઈક જુદું જ હોત. એટલું ખરું કે ગ્રામદાની ગ્રામોમાં વિનોબાજીએ નઈ તાલીમને પ્રયોગ કરવા આશાદેવીને પ્રેર્યા હતા. અણસાહેબ સહસ્ત્રબુધે કોરાપુર (ઓરિસા)માં આ પ્રોગ કરી રહ્યા હતા. વિનોબાજીની પ્રેરણા લઈ આશાદેવી પણ ગ્રામોને ન ઘાટ આપી રહ્યા છે. ગાંધી વિચારનું ત્રીજું બળ જે કે પહેલાં બે બળ જેટલું પ્રબળ નથી છતાં તેનું આગવું મૂલ્ય તે છે. આ બળમાં જુદી જુદી વ્યક્તિઓને સમાવી શકાય. ઉપરના કાર્યો જેટલું નહીં પણ વ્યાપક રીતે વધુ સક્રિય કામ આંતરરાષ્ટ્રિય મજૂર પરિષદ (ઇટુક)માં અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરે કામ કરી રહ્યા છે. એને રાજ્ય સંગઠનનું અંગ બનાવ્યા સિવાય મજૂરોનું સ્વતંત્ર સંગઠન રાખી, ચલાવી રહ્યા છે. રીતસર કેંગ્રેસ સાથે જોડાયા વગર એ સંસ્થા વર્ષોથી કામ કરી રહી છે. બીજી તરફ શ્રી ગુલઝારીલાલ નંદા (નંદાજી) ટ્રસ્ટીશીપવાળો સમાજ રચવા મથી રહ્યા છે. તેઓ આયોજન પ્રમુખ હોઈને મજૂર સંગઠનો સાથે એને સુમેળ સાધવામાં ફાળે આપી રહ્યા છે. આમ, જવાહરલાલજી, વિનોબાજી, અનસૂયાબહેન, બેંકર અને નંદાજી સુધીને ગાંધી-વિચારમાં ફાળે છે; એમ ફળે છે. પણ, આ બધી સંસ્થાઓને સત્ય અહિંસાની દષ્ટિએ મૂલવવાનું કામ, નવું સંસ્કરણ કરવાનું કામ, હજ કરવાનું બાકી રહે છે. વિનોબાજી માત્ર સૂચના અને વિચાર આપે છે. પણ તેને આકાર આપવા અંગે તેઓ ભાંજગડમાં પડતા નથી. ગાંધીજીનું એવું ન હતું. ગાંધીજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭. ૧૮૪ર માં કહ્યું કે : “ખાદી ન મળે તે રેટિયા બાળી નાખવા જોઈએ !” એમ એમનું ચોથું સ્વરૂપ ખડા સત્યાગ્રહીરૂપે-શાંતિ સૈનિક તરીકે ગાંધીજી વખતે દેખાતું. દારૂ તાડીના પીઠા ઉપર પીકેટિંગ કરનારૂં સત્યાગ્રહી બળ, જાલિમ સામે રૂધિર આપીને સામને કરનારૂ અગ ધીમે ધીમે કરમાઈ ગયું છે. એ કરમાઈ જવામાં બે વસ્તુઓ કારણભૂત બની છે. એક તો એ કે તે વખતે તેની શકિત પરદેશી રાજ્ય સામે લડવામાં, તેને કાઢવામાં એક પ્રતિકારક શક્તિ તરીકે લગાડવામાં આવી હતી. તે એક ઠંડી તાકાતરૂપ હતી. આજે તે દર પાંચ વર્ષે આવતા ચૂંટણ-જંગમાં ખર્ચાય છે. બીજી વાત તે વખતે તે પોલિસો, જાસૂસ, આદિવાસીઓ વગેરે બધા વચ્ચે સત્ય-અહિંસાને પ્રયોગ કરવાની વાત ગાંધીજીએ કરી તેને સાકાર આપવાનું કામ બાકી રહી ગયું છે. એટલે સ્વરાજ્ય પછી (ધાર્યા કરતાં વહેલું સ્વરાજ્ય આવી જતાં) એ સવાલ ઊઠ કે વિદ્યાપીઠ, આશ્રમ, ચરખાસંધ, નઈ તાલીમ સંધ વગેરેને ઘાટ કેમ અને કેવી રીતે આપો? ગાંધીજી વખતે રચનાત્મક કાર્યકરેની ઝંખના પ્રયોગ કરવાની હતી, પણ પરદેશી સત્તા અને જાસુસીની જાળ હેઈને, એ બધા ઉપર પ્રતિબંધ હોવાથી તેને આકાર આપવાની ઝંખના પૂરી ન થઈ શકી. સ્વરાજ્ય પછી એ ઝંખનાને પૂરી કરવા માટે એ તાકાત જુદા જુદા પ્રયોગો કરવામાં રોકાઈ ગઈ. જુગતરામભાઈ નારાયણદાસકાકા, મગનભાઈ શિવાભાઈ વગેરેની શકિત, જુદી જુદી સંસ્થામાં પ્રયોગ કરવામાં, ગુજરાતમાં પ્રયોગ કરવામાં લાગી. એવી જ રીતે બીજા પ્રાંતનાં રચનાત્મક બળોની શક્તિ પણ પ્રયોગમાં લાગી. પ્રવેગાત્મક વસ્તુ એકાગ્રતા માગે છે. પ્રયોગમાં આ બધા એકાગ્ર થતાં, દેશની ભાવાત્મક એકતા તરફ ધ્યાન ન આપી શકાયું અને તેને ન ગોઠવી શકાણું. ભાવાત્મક એકતા વગર સત્યાગ્રહી શક્તિ ઊભી ન થઈ શકે. આ એક બીજું કારણ પણ એ ઠંડી તાકાત ઓછી થઈ જવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ભાવાત્મક એકતા માટે સંગઠન જોઈએ. સંગઠન માટે શિસ્ત આવશ્યક છે. એના ઉપર નિયમન કરનારૂં બળ જોઈએ. સત્યાગ્રહી હોય તે પોતાની નબળાઈ કબૂલ કરે છે. પણ એ પ્રકૃતિને ન હોય તે તે શિસ્તભંગ કરે છે. શિસ્તના ભયના કારણે માણસ દંભી બની જાય છે. એટલે એ વિચાર મૂકાય કે સંસ્થાઓને નાની અને છૂટી રાખવી, પણ એથી આગળ જઈ શકાયું નહીં. એટલે દેશનું ઘડતર ભાવાત્મક એકતાની રીતે ન થઈ શક્યું. આ બાજુ, ઇન્દુકે દેશવ્યાપી મજૂરોનું જે સંગઠન ઊભું ન કર્યું હોત તે દેશભરમાં સામ્યવાદીઓ અને બળવો કરનારા ઊભા થઈ જાત. તેલંગાણામાં ભૂમિવાન અને ભૂમિહીન વચ્ચે જેમ સામ્યવાદીઓએ વર્ગ વિગ્રહ ઊભે તેમ મજૂર અને માલિક વચ્ચે પણ કરાવવા માગતા હતા અને તેને સામ્યવાદનું એક રીહર્સલ બનાવી ચીનની માફક હડપી જવા માગતા હતા. એટલે જેમ ભૂમિદાને માલિકી-વિભાજન દ્વારા સામ્યવાદના ભૂતને રોક્યું, તેમ ઈડુકે પણ આ વર્ગ-સમન્વય કરી સામ્યવાદી આ તરવિગ્રહના ભયમાંથી દેશને ઉગારી લીધો છે એમ માનવું જ રહ્યું. એટલે એ પ્રશ્ન નવી સમસ્યા ઊભી કરતું નથી. પણ રાષ્ટ્રવ્યાપી રચનાત્મક પ્રયોગો પાછળ સત્યાગ્રહ શક્તિ, ભાવાત્મક એકતાની જેમ એક બીજો પ્રશ્ન પણ એમ જ ઊભો છે, તે છે બહેનની, ગ્રામજનોની અને પછાત વર્ગની ભાવુક ધર્મશક્તિ. જ્ઞાનની કક્ષાએ એમની શક્તિ મર્યાદિત છે પણ ધર્મની દૃષ્ટિએ તે શ્રદ્ધા, તિપિતાના ધર્મ અને ધર્મગુરુઓમાં વહેંચાયેલી છે. એ સંકલિત નથી એટલે પરસ્પર લડીને છેદ ઉડાડે છે. એક જ ધર્મને સાધુઓ પણ સામસામે લડીને પિતાની શકિત વેડફે છે, ત્યારે ઘણીવાર એ પ્રશ્ન થાય છે કે આ સાધુઓએ ઘરબારને છેડ્યા શા માટે ? ભેદમાંથી અભેદ તરફ જવા માટે જે સાધના કરવાની હતી તેના બદલે તેઓ તીવ્ર મતભેદમાં પડી ગયા છે ? દેશના નૈતિક સંસ્કારો ઘડનાર આ એક જબ્બર બળ છે, પણ તેને ઉંચકવાનું અને ઘડવાનું કામ બાકી છે. આ કાર્ય ' 1, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ગાંધીજી વખતે થયું નહોતું અને આજે પણ એ શકિત ઘડાઈ નથી. ગાંધીજીની સત્યાગ્રહી શક્તિ રાજકારણ અને રચનાત્મક બળ બનેને સત્ય-અહિંસા તરફ વાળવામાં વધારે વાર લાગી હતી. હવે સ્વરાજ્ય પછી ઊભા થતા પ્રશ્નોને સત્યાગ્રહની દૃષ્ટિએ ઉકેલવા શી રીતે ? આ કોયડે ઊભો છે ? લોકશ્રદ્ધાનું જબરજસ્ત વાહન કરનાર અને સૌથી વિશેષ પવિત્ર જવાબદારીવાળા સાધુઓની શક્તિ રણની રેતીમાં નદીને પ્રવાહ સુકાઈ જાય અને રેતી ફેલાઈ જાય, એમ સાંપ્રદાયિકતાના રણમાં સુકાઈ જવા દેવી ? એવી જ રીતે સત્યાગ્રહશકિત અને રચનાત્મક પ્રયોગોની શક્તિને વેરવિખેર થઈ જવા દેવી ? આ મહાન પ્રશ્નો રાષ્ટ્ર આગળ અને તેમાં પણ ખાસ કરીને સર્વોદય, વિધવાત્સલ્ય અને કલ્યાણ રાજ્ય આગળ અણઉકેલ્યા ઊભા છે ! એટલે અત્યારે વિશ્વ વાત્સલ્યની વિશેષ જવાબદારી–નવી જવાબદારી એ ઊભી થઈ છે કે તેણે એક બાજુથી પંડિત જવાહરલાલજીની શકિતસુદઢ બનાવવી, વિશ્વમાં એમની શકિત વધારેમાં વધારે કામ કરતી થાય એ રીતે મદદ કરવી. બીજી બાજુ વિનેબાજીના વિચારોથી જે પ્રયોગ એમના વડે કે રચનાત્મક કાર્યકરો વડે થાય છે એ પ્રયોગને સંકલિત કરવા અને તેમને પ્રતિષ્ઠિત કરવા, તેમ જ એ લોકઘડતર કરી શકે, એવાં કામમાં મદદ કરવી. ત્રીજી બાજુ ઈન્દુકનું ક્ષેત્ર કેવળ શહેરે સુધી રહ્યું છે તેથી ગામડાં વેરવિખેર રહી ગયાં છે. ત્યાં એના કારણે ખેડૂતવસવાયા અને ખેડૂત ભરવાડે વચ્ચેના સંઘર્ષો વધ્યા છે. ખેડૂતો અને ભરવાડ વચ્ચે ઘણે ઠેકાણે મારામારી વધી છે. ખેડૂત અને ખેતમજૂર વચ્ચે પણ ઘર્ષણ ઊભાં થયાં છે. બન્નેને આજીવિકાની ચિંતા છે. ખેડૂતો પાસે આજીવિકાનું સાધન નબળું છે. વરસાદ સારો થાય તો પાક સારો ઊતરે. માંડ માંડ તેઓ રોટલો પૂરે કરે છે. બધી નહેર યેજના પાર પડ્યા પછી તેમની દશામાં શું સુધારો થશે, તે કહી શકાતું નથી. બીજી તરફ સરકાર સાધન હોવાના કારણે, મજૂર-વસવાયા વગેરેને પિતાની તરફ ખેંચી લે છે; અગર તો તેઓ સરકાર તરફ ખેંચાઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ એ સિવાય ગામ તરફથી શહેરમાં લોકોને ધસારો વધી રહ્યો છે અને એણે પણ વિકટ પ્રશ્નો પેદા કર્યા છે. ગામડાંની ભોળી પ્રજાને ગમે તે રીતે ગમે તે ઉશ્કેરી શકે છે. આ બધા ગ્રામજનેને સમજાવે કોણ? જમીનની વહેચણીનું કામ અધુરૂ રહ્યું છે. એવી જ રીતે સંગઠનનું વ્યાપક કામ પણ હજુ બાકી જ છે. ભાલ-નળકાંઠામાં નાના પાયા ઉપર ખેડૂત-નેપાલક-મજૂર મંડળ-(ગ્રામસંગઠનો) ઊભાં થયાં છે. એટલે વિશ્વવાત્સલ્ય વિચારધારાએ ખાસ એ કરવાનું છે કે ઈન્દુક અને ગ્રામસંગઠન -બને બળોને ભેગાં કરવાં અને ગ્રામસંગઠનની નૈતિક શક્તિ ઈન્દુકને મળે અને ઇન્દુકની જનશક્તિ ગ્રામસંગઠનને મળે એ રીતે બન્નેને મેળવવાનાં છે. તેથી બન્ને શક્તિ એક બીજાને મળે અને આંતરરાષ્ટ્રિય મજૂર-કિસાન સંગઠન સાથે એમને અનુબંધ થઈ શકે. સર્વોદય વિચાર ગ્રામજન અને ક્ષેત્ર આયોજનની વાત મૂકે છે અને ક્ષેત્રનું ઘડતર ગ્રામલોકો દ્વારાજ થાય, એમ કહે છે, ત્યારે વિશ્વ વાત્સલ્ય વિચાર સંસ્થાઓ દ્વારા ગ્રામ ઘડતરમાં માને છે. હવે સમગ્ર ગ્રામસંગઠન કેમ થાય ? એવી જ રીતે સમગ્ર ક્ષેત્ર સંગઠન કેમ કરવાં એ વિચારવાનું છે અને તેને વિશેષ પ્રયોગો દ્વારા, અનુભવે દ્વારા ઘાટ આપવાનું કામ પણ આપણે (વિશ્વ વાત્સલ્ય) કરવાનું છે. જે લોકો ધર્મની ભાષામાં સમજે તેમને તે ભાષામાં સમજાવીને વાત ગળે ઉતરાવવાની છે. એમાં વિમુખતા કે અલગતા જરાયે ન આવે તેની કાળજી રાખવાની છે. એવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધુસંસ્થા તરફને કાર્યક્રમ પણ કરે છે. સાધુસંસ્થાની હાલત ઘણું શોચનીય છે. તેઓ સંસાર છોડે છે એટલી જ સંપ્રદાયની આસક્તિ તેમને વળગી જાય છે. વિધવા બહેનને જેમ છોકરે જશે તે સંસાર તૂટી પડવાને ભય ઊભો થાય છે, એમ સાધુ સન્યાસીઓના મનમાં ભય અને મૂઢતાના કારણે એક એવી મડાગાંઠ ઊભી થઈ છે. “અને સાચું કહેશું અગર તે કરવા જઈશું તે સમાજ તરછોડી દેશે તે?” રહેવા-ખાવા-પીવાનું શું થશે? આ ભયથી તેમને મુક્ત કરવાની જવાબદારી વિધવાત્સલ્યની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ - સાધુવર્ગને માત્ર થોડી હંફની જરૂર છે. એમને અભય કરવાની એટલે કે ખાન-પાનની સગવડની નિશ્ચિતતા કરી દેવી, એ નથી, પણ તેમનામાં કો સહેવાનું બળ વધારવું એ છે. એ ઉપરાંત સાધુસંસ્થા જે પદ્ધતિશી ટેવાયેલી છે તેમાં નવા વિચાર મચાવવાની શક્તિ બહુજ ઓછી છે. એ ઉપરાંત પણ વિચારોનું પૃથકરણ અને મૂલ્યાંકન પણ જૂજ સંખ્યામાં થાય છે. અધ્યાત્મની વાતને વેદાંતની સાથે તો કયારેક આચાર-વિચાર સાથે પણ વિચિત્ર રીતે જોડી દે છે. વહેવાર-સેવાને તેઓ ગૃહસ્થાશ્રમ સાથે જોડી દે છે. આમ વિચારનું સ્પષ્ટમળ ન પાકતાં શંભુમેળા જેવું થઈ જાય છે. - એવી જ સ્થિતિ સાહિત્ય સર્જનની છે. સાધુઓએ મુળ સાહિત્ય રચ્યું છે પણ તેનું ધર્ગીકરણ કરવા જતાં તે મોટાભાગે ક્રિયાકાંડેની ચર્ચા, પરંપરાગત ગ્રંથ ઉપરનાં ભાસ્ય-પૂર્થીઓ-ટીકાઓ, ખંડન-મંડન કે સ્વનિશ્ચિત તના તત્વજ્ઞાન ઉપર લખાયેલું મળશે. કેટલુંક તો બેટી પ્રસિદ્ધિ માટે કશાં પણ મૂલ્ય વારનાં અશુદ્ધ પ્રતિકાવ્યોથી ભરપૂર છે. કથા સાહિત્યમાં સાધુ- હેમ લો એણે જો, ગૃહસ્થ હોય તે દીક્ષા લેત, ધર્મી હોય તે દેવલોણે જ અધામ હોય તે નરકે તે નાયક વર્ણવાય છે. મનુષ્યભવની જે કિંમત શાસ્ત્રોમાં છે તે પ્રમાણે કોઈને મનગતિ તરફ જતો બતાવાતું નથી. એવુંજ સાહિત્ય ક્રિયાકાંડ્યું છે જેમાં ચમત્કારોને જોડી દેવામાં આવે છે. આયંબિલ કરનાર અમુક રાણું નાળિયેર વધેરે તે અમુક રેગીને રોગ મટે, આ સંબંધ અને સંદર્ભ વગરની વાતો જ કરવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં એકાદશી કે બીજા વ્રતના મહાત્મય, સાથે દેવોના ચમત્કારને જોડી દેવામાં આવ્યા છે. આ બધાના કારણે સમાજને સાચે પુરૂષાર્થ–માનવને પુરૂષાર્થ દબાઈ ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ગયે. સ્વવિકાસ કેમ કરે એ વાત જાણે ભૂલાઈ ગઈ અને સાધુસંસ્થાનું વાંચન-મનન-જ્ઞાન પણ મર્યાદિત થઈ ગયું. કેવળ પોતાના જ ધાર્મિક સાહિત્યનું વાંચન કરવાથી દષ્ટિ એકાંગી થઈ ગઈ અને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર કે વિજ્ઞાન વગેરે સાથે તેમનું જ્ઞાન નહિવત રહ્યું. એટલે આ સાધુસંસ્થાએ આજના વિજ્ઞાન, અર્થકારણે રાજકારણ સમાજકારણ વગેરેનું અધ્યયન અને વાંચન પણ સર્વાગી અને વ્યાપક ધર્મની દષ્ટિએ કરવું રહ્યું. એથી આજના યુગને સમજી, એ જ્ઞાનને તેઓ નિતિક અને ધાર્મિક દષ્ટિએ સમાજ આગળ રજૂ કરી શકશે અને ઘણું સારું કામ કરી શકશે. સાધુ સંસ્થાની ઉપયોગિતા જ્ઞાનની રીતે ઘણી છે કારણકે તેના સભ્ય માટે એકાંત આત્મસાધના માટે જ્ઞાન આરાધના આવશ્યક છે. આજે એ જ્ઞાન-આરાધનમાં અધ્યાત્મ જ્ઞાન સાથે વિજ્ઞાનને મેળ બેસાડવા તેમણે પુરૂષાર્થ કરવાને છે. જેથી તેઓ આર્થિક-સામાજિક પરિવર્તન અને ક્રાંતિઓમાં વિશેષ ફાળો આપી શકે; એટલું જ નહીં તેઓ એને ધાર્મિક-પુટ લગાડતાં તેનું મૂલ્યાંકન પણ વધારી શકે છે. આ કામ થતાં તેઓ કથા સાહિત્યને પણ વૈજ્ઞાનિક બે ગઠવી શકે છે. સંસ્કૃતિને સળંગ ઇતિહાસ તપાસતાં એ જણાઈ આવશે કે સમય સમય પ્રમાણે નવા વિચારોને ધર્મમાં સમાવી લેવામાં આવ્યા છે. શંકરાચાર્યે બૌદ્ધતત્ત્વજ્ઞાનને વૈદિક ધર્મમાં સમાવી લીધું અને પચાવ્યું. વેદિક ધર્મ કંઈક અંશે જૈનતત્વજ્ઞાન કર્મવાદને પિતાના ગ્રંથ ભાગવતગીતા વગેરે દ્વારા પચાવી લીધું છે. જૈનાચાર્યોએ વૈદિક ક્યા સાહિત્યના પાત્રને જૈન કથા-સાહિત્યમાં સમાવી લીધા છે. જેને ઉપાસનામાં વૈદિક ઉપાસનનાં તો આવી ગયાં છે. આમ વિચાર તત્ત્વજ્ઞાન કે ક્રિયાકાંડને પરસ્પરમાં સમાવાનું કે આદાનપ્રદાન કરવાનું અહીં પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ એવી જ રીતે આજે હવે વૈજ્ઞાનિક ઢબે કથા વસ્તુઓ ગોઠવવાની જરૂર છે. કેટલીક કથાઓ એવી પણ છે જેમાં મૂળતત્વ ખોવાઈ ગયું છે. દા. ત. એક કથામાં બતાવવામાં આવ્યું છે કે નિરંજન વીતરાગ તીર્થ કર ઘોડા ઉપર બેસીને મરેલાને બચાવવા જાય છે. ભગ્નામય સ્તોત્રના શ્લોક તીર્થકર મદદે આવે છે, એવી વાત રજૂ કરવામાં આવી છે. મૂળ વાત એ છે કે તીર્થકર મુક્ત થયા છે અને મુક્તાત્મા કોઈની મદદ કરવા આવતા નથી. મુસલમાનમાં પણ આની દેખાદેખી એક કથા છે જેમાં પીર લીલા ઘેડે બેસી નીકળે છે અને બધાના દુઃખ દૂર થાય છે. આવા ચમત્કારિક કથા સાહિત્યને માનવ-પુરૂષાર્થને વૈજ્ઞાનિક વળાંક આપવું પડશે કે એ રીતે બદલવું પડશે. આ કાર્ય સાધુ–સંસ્થા મારફત થવું જોઈએ. ' એટલે આજના સાધુઓના માનસમાંથી એક બાજુ સાંપ્રદાયિક કલેશ ઊભી કરનારી વાત અને અંધ વિશ્વાસે કઢાવવા પડશે; ત્યારે બીજી બાજુ નિર્ભયતા લાવવા માટેના પ્રયત્ન કરવા પડશે. એ કેવી રીતે થઈ શકશે ? સાધુ સંસ્થામાં સામંજસ્ય લાવવા માટે અને તેને આ વાત સમજાવવા માટે જ ભાટુંગામાં આ સાધુ-સાધ્વી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. હવે પછી નાના ગાળા ધર્મ-પરિષદે ગોઠવાય જેમાં સહુ ભેગા થઈ મુક્ત મને અને મુક્તપણે તત્વ ચર્ચા કરવાની જરૂર છે. સાધુ સન્યાસીઓ એ રીતે ભેગા થઈને યુગપ્રવાહને વિચાર અને ધર્મ સમન્વય કરવા ભેગા નહીં થાય તે એમની સામે બે ભો ઊભાં છે-(૧) એક તરફ સાધુ-સંસ્થાને નકામી જાર. કરી નિકંદન કાઢનારી સામ્યવાદી પદ્ધતિ (૨) બીજી તરફ સમાજની સાધુ પ્રત્યેની શ્રદ્ધાનું ડહોળાઈ જવું જેથી તેનું વર્ચસ્વ કોઈપણ ક્ષેત્રે રહેશે નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જો આમ થયું તે માનવજાતિને વિનાશના મુખમાં ધકેલાઈ જવાને સંપૂર્ણ ખતરે છે. કારણકે જીવનમાં કોઈપણ ક્ષેત્રે ધર્મ અને નીતિનું નિયંત્રણ ન રહેતાં સહુ પિતાના સ્વાર્થ માટે બીજાનું નિકંદન કાઢવાના આરે આવીને ઊભા રહેશે. સાધુ સંસ્થા માટે ઉપર જણાવેલા બે ભયોમાંથી, સામ્યવાદને ભય તે માથા ઉપર જ છે. તેને તાજો દાખલો તિબેટને છે. ત્યાં દલાઈ લામા સામ્યવાદને અનુકૂળ ન થયા તે કાં તો તેમને ખતમ થઈ જવાનું હતું પણ તેઓ નિર્વાસિત થયા. ચમત્કાર ઉપર જીવનારા ૫૦-૬૦ હજાર લામાઓને, ઠેકડી ઉડાડી, સડકો ઉપર રીબાવી કરપીણ રીતે મારી નાખવામાં આવ્યા. પંચનલામાં સામ્યવાદને અનુકુળ થયા એટલે જીવ્યા પણ, તે સતત ભય અને નિયંત્રણ વચ્ચે જ રહે છે. જેમ જેમ વિજ્ઞાન અને યંત્રવાદ (Technology)ને અભ્યાસ વધી રહે છે. તેમ તેમ શિક્ષિત માનસ ધર્મ એને ધર્મગુરુની શ્રદ્ધાથી અલગ થઈ રહે છે અને સમાજશ્રદ્ધા ડહોળાઈ જવાને ભય પણ એ જ રીતે ડકિયાં કરતે ઉભે છે. માટે સાધુસંસ્થાએ સમયસર ચેતીને ચાલવાની ઘણું અગત્ય છે. આ ભયથી ઉગરવા માટે સાધુઓએ નિર્ભય થવું પડશે અને ભેગા મળી એક વ્યાસપીઠ ઉપર બેસીને યુગધર્મને વિચાર કરવો પડશે. વિશ્વવાત્સલ્ય વિચારની એક જવાબદારી તરીકે તેના અગ્રદૂત મુનિશ્રી સંતબાલજી સાધુઓની શકિતને બહાર લાવવાની પિતાની જવાબદારી પાર પાડે છે અને એ વિચારના સાથીઓને સહાગ લે છે. તેમજ બીજી બાજુ સાધુઓમાં અને ગૃહસ્થમાં જે ત૫-શક્તિ પડી છે તેને અન્યાય, અત્યાચાર અને અનિષ્ટોને નિવારવામાં બહાર લાવવા માગે છે. આ પ્રયોગને મુનિશ્રી સંતબાલજી શુદ્ધિપયોગ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી એને સત્યાગ્રહ કહેલા. આ શુહિપગ કેવળ એવા ચહમે કરી શકે કે ચાલાવી શકે જેમના જીવનની કક્ષા પાકેલી હેય, ઉન્નત હેય અને ચારિત્રથી સભર હોય; તેમણે પણ વ્યકિતગત નહીં. સંસ્થા દ્વારા જ આ પ્રયોગ કરવાને હેય છે. ક્રાંતિપ્રિય સાધુવર્ગનું એમાં. માર્ગદર્શન હેવું જરૂરી છે. સુહિમ અંગે એક સાવધાની રાખવાની હરહમેશ અગત્ય રહેવી જોઈશે. તે એકે એનું ઓછું મૂલ્યાંકન કરી ગમે તે સ્થળે એને ઉપયોગ ન કર. એ ઠંડી તાકાતને નાની બાબતમાં વેડફી ન નખાય તેનું ધ્યાન રહેવું જોઈએ. કેટલાક પ્રશ્નો નાના હોય છે. ઘરમેળે પતાવી શકાતા હોય તો એને ઘરમેળે પતાવી નાખવા જોઈએ. તેને મોટું રૂપ ન આપવું જોઈએ. બાપુના આશ્રમમાં કેટલાક પ્રશ્નો એવા આવતા જેનો નિકાલ તેઓ ઘરમેળે કરી નાખતા. તેઓ ઘણીવાર ઉપવાસોની જાહેરાત નહોતા કરતા; સમાજનું લક્ષ ખેંચવાનો પ્રસંગ હોય ત્યારે જ, જાહેરાત કરતા. આપણે ત્યાં નાની વાતને મોટું રૂપ આપી દેવામાં આવે છે અને તેની જાહેરાત ઘણું મોટી કરવામાં આવે છે. એટલે. સમાજમાં વિક્ષેભ ઊભો થઈ જાય છે, અને ઘરઆંગણાને પ્રશ્ન વિશ્વપ્રશ્ન જેટલું ખોટું મહત્વ લઈ લે છે. એટલે દરેક પ્રશ્નને તે કયાંને કયા ક્ષેત્રને અને કેટલા મહત્વને છે, એ વિચારીને જ પછી, તેને અનુરૂપ પગલાં લેવા જોઈએ. નહીંતર પ્રમાણુ બહારના પ્રશ્ન વિશ્વપ્રશ્નનું રૂપ આપી દેતાં લોકો પ્રચારવાદી કહે અને હાંસી પણ થાય, એનાથી ઘણીવાર સામો પક્ષ તેને પ્રેમાળ સ્વરૂપમાં લેતો નથી અને કયારે ક તે ઝનૂની પણ બની જાય છે. વિશ્વપ્રશ્ન એ જ બની શકે જેમાં આખા વિશ્વને સ્પર્શવાની ભૂમિકા હોય. દા. ત. અણુશસ્ત્ર પ્રતિબંધ એ વિશ્વપ્રશ્ન છે, પણ ભાષાને પ્રશ્ન ભારત સુધીને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ ગોરાસુ શુદ્ધિપ્રયોગ સામાજિક પ્રશ્ન છે. સાળંગપુર શુદ્ધિપ્રયોગ આર્થિક અને ધાર્મિક અને પ્રકારને હતે. એ પ્રશ્નોને જે મહત્વ અપાયું તે બરાબર હતું. ટુંકમાં દરેક પ્રશ્નને તેના ક્ષેત્ર અને સ્વરૂપ પ્રમાણે મહત્વ અપાવું જોઈએ. બને ત્યાં સુધી જાહેરાત ઓછી કરવી; વ્યકિતગત પ્રશ્નને મહત્વ ન આપવું. શુદ્ધિપ્રાગ શબ્દ ન છે એટલે તરત ને તરત ગાંધી-વિચારવાળાઓ કે નવાઓને તે ગળે ન પણ ઉતરે અને સ્વરાજ્ય પછી સત્યાગ્રહનું મૂલ્યાંકન ઓછું થતાં આની પણ કિંમત ઓછી અંકાય એ સંભવ પ્રારંભમાં છે. એટલે બીજી એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધીરજ અને ખંતથી ચાલવાનું છે અને ઉતાવળ કરવાની નથી. તેથી ધીરે ધીરે આપોઆપ તેનું મહત્વ સમજાશે. કેટલીકવાર ઉપવાસની અતિશયતાના કારણે સામો પક્ષ ભયમાં મૂકાઈ જાય છે, તેના ઉપર ભારે તીવ્ર દબાણ આવે છે. એના કારણે કેટલીકવાર એને ત્રાગું પણ સમજી લેવાય છે. એટલા માટે વિનોબાજી આ અહિંસક શસ્ત્રને દુરુપયોગ ન થાય તે માટે સર્વ પ્રથમ તે ઉપવાસ કરવાની જ ના પાડે છે. પછી ગ્ય વ્યક્તિ હોય તે માત્ર એકાદ ઉપવાસ કરવાનું કહે છે. તેમને ભય સાચે છે અને ઉપવાસને દુરૂપયોગ થવાની ભીતિ માસ્તર તારાસિંહના ઉપવાસોએ તાજેતરમાં પુષ્ટ કરી છે. શુદ્ધિયોગમાં ત્રીજી એ સાવધાની રાખવાની છે કે તેને વ્યાપક કરવામાં મોટું જોખમ છે. જ્યાં વ્યકિતગત સંબધ અતિ પ્રેમળ હોય, ત્યાં અસહકાર કે બહિષ્કાર વ્યકિતગત હેવો જોઈએ—સામાજિક નહીં. બને ત્યાં લગી આની સાથે બેસવું કે આની સાથે ન બોલવું; આનું ખાવું કે આનું ન ખાવું; આનું પાણી પીવું કે આનું ન પીવું એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ બાબતોથી દૂર જ રહેવું સારું છે. આ રાગદ્વેષ અને રિસામણુને પેદા કરે છે. એટલે ઉપવાસનું શસ્ત્ર, બોલવાનું શસ્ત્ર કે પ્રયાગ કરવાનું શસ્ત્ર વ્યાપકષ્ટિવાળા યોગ્ય પુરુષની દોરવણી નીચે વપરાવવું જોઈએ; અને એ જ વાત શુદ્ધિગને પણ લાગુ પડે છે. કદાચ એગ્ય પુરુષ પણ ક્યાં ક ભૂલ કરી બેસે તે પાંચ-પંદર શાણું, સમજુ અને તટસ્થ માણસનું અનુસંધાન તેની સાથે લેવું જોઈએ. વિશ્વ વાત્સલ્ય વિચારની એ વિશેષ જવાબદારી છે કે તેણે અત્યારે કૉંગ્રેસને સામાજિક કે આર્થિક ક્ષેત્રોમાંથી મુક્ત કરી, માત્ર રાજકીય ક્ષેત્રે તે દેશમાં કામ કરે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં યૂને સાથે અનુબંધ બાંધી તેને સત્ય અહિંસાની દિશામાં કામ કરતી કરવા પૂરી મદદ આપે! પણ કોંગ્રેસ સુધી આજે વિશ્વ વાત્સલ્યને અનુબંધ વિચાર પહેચતે લાગતું નથી. એટલે ત્યાં સુધી તેણે સાધુ-સંકલના કરવાનું અને સર્વસેવાસંધને પ્રતિષ્ઠિત કરવાનું કામ આ વિચાર દ્વારા કરવાનું છે. તેથી શક્તિ વધતાં કોંગ્રેસને પુષ્ટિ શુદ્ધિ અને પ્રેરણું આપવાની વાત ગળે ઉતરશે તે, આ ત્રણે બળ–સર્વોદય, વિશ્વવાત્સલ્ય અને કલ્યાણરાજ્ય (કોંગ્રેસ) દ્વારા જબરૂં કામ થશે. એટલે અનુબંધ સર્વાગી લેવું જરૂરી છે. ત્યારબાદ ઈન્દુક સાથે જે અનુબંધ છે, તેના વડે આંતરરાષ્ટ્રિય શ્રમિક સંગઠન સુધી પહોંચવાની અને ઈટુકમાં નૈતિક મૂડી પૂરવાનું કામ થવું જોઈએ. . અત્યારે વિશ્વ વાત્સલ્યના અનુયાયીઓ દ્વારા શુદ્ધિ પ્રયોગો અને સાધુ સંકલના-એ બે જરૂરી કામ કરવાનાં છે. આ પછી કમે કમે આખું કામ ગોઠવાઈ જાય અને અનુબંધ વિચારની વાત સારી પેઠે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ 'જ૮ સમજાઈ જાય તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની દિશામાં વિશિષ્ટ પ્રત્યે એકાગ્રતાપૂર્વક કરી શકાશે. જેથી સંધર્ષ પાછળ જે શક્તિ વેકાય છે તે પછી અનુબંધના કામમાં જ વિશેષ ખર્ચાશે. આ વિશ્વ વાત્સલ્યની વિશેષ, જવાબદારીઓ છે જે તેણે અદા કરવાની છે. [ધ:–આ વિષય ઉપરની ચર્ચા શિબિરમાં આવેલા બધુઓના વ્યક્તિગત અનુભવો અને શિબિરની છાપ અગે તેમજ ભવિષ્યના તેમના કાર્યક્રમ સંબંધી હોઈને શિબિર વિષયક પ્રગટ થનાર પુસ્તકમાં આવરી લેવામાં આધશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com