________________
- વિશ્વ વાત્સલ્યને બદલે વિપ્રેમ કે વિશ્વબંધુત્વ વન શા માટે રાખવામાં આવ્યા નથી, એમ કેટલાક કહેશે. “પ્રેમ” શબ્દ સાંભળતાં,
જ્યાં સુધી તેની આગળ શુદ્ધ શબ્દ ન ઉમેરીએ ત્યાં સુધી એક પ્રકારને વિકાર ભાવ જણાશે; એટલું જ નહીં તેની મર્યાદા મુખ્યત્વે સ્ત્રી અને પુરુષની એક બીજા સુધીની રહેશે. ઈશુ અને કૃષ્ણ માટે વિશ્વ પ્રેમી શબ્દ વાપરવામાં આવ્યા છે પણ આજે “પ્રેમ' શબ્દનો ઉપયોગ એ. રીતે થતું નથી. “બધુત્વમાં સમાનતાને ભાવ આવેલો છે ખરે પણ તે માણસને માણસ પ્રત્યે રહી શકે. વિશ્વબંધુત્વની મર્યાદામાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ આવતું નથી. જ્યારે વિશ્વ-વાત્સલ્ય શબ્દ આવતાં જ માતાના બાળક પ્રત્યેના કેવળ શુદ્ધ પ્રેમને જ ખ્યાલ આવતો નથી; પણ એ જીવનને ટકાવી રાખવાની કાળજી અને તેના વિકાસ માટે બધું કરી છૂટવાની ભાવના એ બધા ભાવોને સમાવેશ થઈ જાય છે. સાગરમાં બધી નદીઓ સમાઈ જાય તેમ વિશ્વ વાત્સલ્યમાં, વિશ્વબંધુત્વ અને વિશ્વપ્રેમ અને સમાઈ જાય છે.
આવા વિશ્વવાત્સલ્યની સાધના જે સંપૂર્ણ રીતે કરી શકે છે, તેને શાસ્ત્રોએ મેક્ષને અધિકારી ગણે છે. આખી પ્રાણીસૃષ્ટિમાં કેવળ માનવને જ આ અધિકાર આપવામાં આવ્યું છે. એજ બીજાં પ્રાણુઓ કરતાં વધુ વિચારવાન, બુદ્ધિમાન અને જ્ઞાનવાન છે, તે દૃષ્ટા છે, જ્ઞાતા છે અને કર્તા, ભોક્તા અને મુક્તા બની શકે છે.
માનવ સિવાયના બીજ પંચૅન્દ્રિય, ચેતનાવાળા પ્રાણીઓ તરીકે પશુ-પંખી આવે છે. તેઓ બહુ બહુ તે પિતાનાં સંતાન પ્રત્યે અમુક સમય સુધી વાત્સલ્ય કરી શકે છે, કદાચ પિતાની જાતિનાં પ્રાણીઓ સુધી પણ કેળવી શકે છે, પણ સમાજ અને તે પછી સમષ્ટિ સાથે વાત્સલ્ય સાધવા માટે તે માનવ જ સમર્થ છે. માનવમાં પણ આ વૃત્તિ ધીમે ધીમે વિકસે છે. તેનું વાત્સલ્ય પ્રારંભમાં કુટુંબ સુધી જ રહે છે. તે ધીમે ધીમે સમાજ સુધી પ્રસરે છે અને જ્યારે સમાજ-વાત્સલ્યમાં પરિપકવતા આવે છે ત્યારે તે સમષ્ટિ-વાત્સલ્ય પ્રગટાવે છે. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com